તમને કરડતા તમામ મચ્છરો નર નહીં પણ માદા હોય છે, જાણો લોહી ચૂસવા પાછળનું ચોંકાવનારું કારણ !
મચ્છર કરડવાનું કારણ દરેક વખતે એકસરખું હોતું નથી. જાણો નર અને માદા મચ્છર વચ્ચેનો ફરક. માદા મચ્છર લોહી કેમ ચૂસે છે અને તેના કરડવાથી ડેન્ગ્યુ અને મલેરિયા જેવી બીમારીઓનો ખતરો કેમ વધી શકે છે.

મચ્છરના પ્રકાર : મચ્છર મુખ્યત્વે બે પ્રકારના હોય છે. નર (Male) અને માદા (Female). બંને દેખાવમાં સરખા લાગે છે. પરંતુ તેમની ભૂમિકા અલગ હોય છે. (Image Source | iStock)

નર મચ્છર : નર મચ્છર સામાન્ય રીતે ફૂલનો રસ પીવે છે. તે માણસ કે પ્રાણીનું લોહી નથી ચૂસતો. તેથી તે ક્યારેય કરડે નહીં. (Image Source | iStock)

માદા મચ્છર : માદા મચ્છર માણસનું લોહી ચૂસે છે. સાથે તે ફૂલનો રસ પણ પીવે છે. (Image Source | iStock)

માદા મચ્છર કેમ કરડે છે : માદા મચ્છરને ઈંડા વિકસાવવા માટે પ્રોટીનની જરૂર પડે છે. આ પ્રોટીન તેને લોહીમાંથી મળે છે. તેથી તે માણસને કરડે છે. (Image Source | iStock)

નર મચ્છર કેમ નથી કરડતો: નર મચ્છરને ઈંડા બનાવવાની જરૂર નથી. એટલે તેને લોહીની જરૂર નથી. તે માત્ર ફૂલનો રસ પીવે છે. તેથી તે કરડતો નહીં. તે કાન નજીક ગુન-ગુન કરે છે. (Image Source | iStock)

મચ્છર ક્યારે વધુ કરડે છે : મચ્છર સામાન્ય રીતે સાંજ અને રાત્રે વધુ સક્રિય હોય છે. ખાસ કરીને માદા મચ્છર આ સમયે વધુ કરડે છે. (Image Source | iStock)

આરોગ્ય પર અસર : માદા મચ્છરના કરડવાથી ડેન્ગ્યુ, મલેરિયા જેવી બીમારીઓ ફેલાઈ શકે છે. તેથી મચ્છરથી બચવું જરૂરી છે. (Image Source | iStock)

નોંધ : અહીં આપવામાં આવેલી માહિતી રિપોર્ટ્સ પર આધારિત છે. TV9 ગુજરાતી કોઈપણ પ્રકારની માહિતીને સમર્થન આપતું નથી. (Image Source | iStock)
આ પણ વાંચો, મચ્છર સૌથી વધુ કયા લોકોને કરડે છે? ક્યાંક તમે પણ તો મચ્છરના પહેલા શિકાર નથી ને!
