AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

PF માં ક્લેમ વગર પડ્યા છે અંદાજીત ₹9,330 કરોડ, EPFO ટૂંક સમયમાં લોન્ચ કરશે E-PRAAPTI પોર્ટલ

જો તમારું જૂનું પીએફ (PF) ખાતું બંધ થઈ ગયું છે અથવા નોકરી બદલ્યા પછી તેમાં જમા થયેલા પૈસા અટવાઈ ગયા છે, તો ટૂંક સમયમાં મોટી રાહત મળી શકે છે. ઈપીએફઓ નવું ડિજિટલ પોર્ટલ લાવવા જઈ રહ્યું છે.

| Updated on: Aug 06, 2026 | 6:03 PM
Share
નોકરી બદલ્યા પછી ઘણા લોકો પોતાના જૂના પીએફ (Provident Fund) ખાતાને ભૂલી જતા હોય છે. કેટલાક કર્મચારીઓ પાસે જૂના ખાતાની મેમ્બર આઈડી (MID) તો હોય છે, પરંતુ તે વર્તમાન યુએએન (UAN) સાથે જોડાયેલી હોતી નથી. આવા કિસ્સામાં ખાતામાં જમા થયેલા પૈસા વર્ષો સુધી એમ જ પડી રહે છે. હવે આ મુશ્કેલીને દૂર કરવા માટે એમ્પ્લોઈઝ પ્રોવિડન્ટ ફંડ ઓર્ગેનાઈઝેશન (EPFO) ટૂંક સમયમાં 'ઈ-પ્રાપ્તિ' (E-PRAAPTI) નામનું નવું પોર્ટલ શરૂ કરવાની તૈયારી કરી રહ્યું છે.

નોકરી બદલ્યા પછી ઘણા લોકો પોતાના જૂના પીએફ (Provident Fund) ખાતાને ભૂલી જતા હોય છે. કેટલાક કર્મચારીઓ પાસે જૂના ખાતાની મેમ્બર આઈડી (MID) તો હોય છે, પરંતુ તે વર્તમાન યુએએન (UAN) સાથે જોડાયેલી હોતી નથી. આવા કિસ્સામાં ખાતામાં જમા થયેલા પૈસા વર્ષો સુધી એમ જ પડી રહે છે. હવે આ મુશ્કેલીને દૂર કરવા માટે એમ્પ્લોઈઝ પ્રોવિડન્ટ ફંડ ઓર્ગેનાઈઝેશન (EPFO) ટૂંક સમયમાં 'ઈ-પ્રાપ્તિ' (E-PRAAPTI) નામનું નવું પોર્ટલ શરૂ કરવાની તૈયારી કરી રહ્યું છે.

1 / 8
રિપોર્ટ અનુસાર, આ નવા પોર્ટલને ઓગસ્ટ 2026 ના અંત સુધીમાં લોન્ચ કરી દેવામાં આવશે. આ નવું પોર્ટલ લાવવાનો મુખ્ય હેતુ એ છે કે જૂના, બંધ અથવા નિષ્ક્રિય પીએફ ખાતામાં અટવાયેલા પૈસા કર્મચારીઓ સુધી સરળતાથી પહોંચી શકે. આ માટે ઈપીએફઓ પોતાની સિસ્ટમને વધુ સુરક્ષિત અને ઝડપી બનાવવા પર કામ કરી રહ્યું છે.

રિપોર્ટ અનુસાર, આ નવા પોર્ટલને ઓગસ્ટ 2026 ના અંત સુધીમાં લોન્ચ કરી દેવામાં આવશે. આ નવું પોર્ટલ લાવવાનો મુખ્ય હેતુ એ છે કે જૂના, બંધ અથવા નિષ્ક્રિય પીએફ ખાતામાં અટવાયેલા પૈસા કર્મચારીઓ સુધી સરળતાથી પહોંચી શકે. આ માટે ઈપીએફઓ પોતાની સિસ્ટમને વધુ સુરક્ષિત અને ઝડપી બનાવવા પર કામ કરી રહ્યું છે.

2 / 8
શા માટે નિષ્ક્રિય બની જાય છે PF ખાતા? ઈપીએફઓ ના નિયમો અનુસાર, જો કોઈ પીએફ ખાતામાં સતત 36 મહિના સુધી કોઈ નવું યોગદાન જમા ન થાય, તો તેને ઈનઓપરેટિવ એકાઉન્ટ (Inoperative Account - નિષ્ક્રિય ખાતું) ગણવામાં આવે છે. આ પ્રકારના ઘણા ખાતાઓ નોકરી બદલવા, જૂની માહિતી ખોવાઈ જવા કે યુએએન સાથે લિંક ન હોવાને કારણે નિષ્ક્રિય થઈ જાય છે.

શા માટે નિષ્ક્રિય બની જાય છે PF ખાતા? ઈપીએફઓ ના નિયમો અનુસાર, જો કોઈ પીએફ ખાતામાં સતત 36 મહિના સુધી કોઈ નવું યોગદાન જમા ન થાય, તો તેને ઈનઓપરેટિવ એકાઉન્ટ (Inoperative Account - નિષ્ક્રિય ખાતું) ગણવામાં આવે છે. આ પ્રકારના ઘણા ખાતાઓ નોકરી બદલવા, જૂની માહિતી ખોવાઈ જવા કે યુએએન સાથે લિંક ન હોવાને કારણે નિષ્ક્રિય થઈ જાય છે.

3 / 8
હાલમાં દેશમાં 30.91 લાખથી વધુ આવા નિષ્ક્રિય પીએફ ખાતાઓ છે, જેમાં લગભગ 9,330 કરોડ રૂપિયા ક્લેમ કર્યા વગર પડ્યા છે. આ જ કારણે ઈપીએફઓ આ સમસ્યાનો કાયમી ઉકેલ લાવવાની તૈયારી કરી રહ્યું છે.

હાલમાં દેશમાં 30.91 લાખથી વધુ આવા નિષ્ક્રિય પીએફ ખાતાઓ છે, જેમાં લગભગ 9,330 કરોડ રૂપિયા ક્લેમ કર્યા વગર પડ્યા છે. આ જ કારણે ઈપીએફઓ આ સમસ્યાનો કાયમી ઉકેલ લાવવાની તૈયારી કરી રહ્યું છે.

4 / 8
શું છે E-PRAAPTI પોર્ટલ? ઈ-પ્રાપ્તિ એક નવું ડિજિટલ પ્લેટફોર્મ હશે જેની મદદથી કર્મચારીઓ પોતાના જૂના પીએફ ખાતાને શોધી શકશે, તેને વર્તમાન યુએએન સાથે જોડી શકશે અને જરૂર પડ્યે અટવાયેલી રકમ ઉપાડવાની પ્રક્રિયા પણ પૂરી કરી શકશે. આ પોર્ટલમાં આધાર (Aadhaar) દ્વારા ઓળખની પુષ્ટિ થશે, જેનાથી વારંવાર દસ્તાવેજો જમા કરાવવા કે કચેરીઓના ચક્કર કાપવાની જરૂરિયાતમાં નોંધપાત્ર ઘટાડો થશે.

શું છે E-PRAAPTI પોર્ટલ? ઈ-પ્રાપ્તિ એક નવું ડિજિટલ પ્લેટફોર્મ હશે જેની મદદથી કર્મચારીઓ પોતાના જૂના પીએફ ખાતાને શોધી શકશે, તેને વર્તમાન યુએએન સાથે જોડી શકશે અને જરૂર પડ્યે અટવાયેલી રકમ ઉપાડવાની પ્રક્રિયા પણ પૂરી કરી શકશે. આ પોર્ટલમાં આધાર (Aadhaar) દ્વારા ઓળખની પુષ્ટિ થશે, જેનાથી વારંવાર દસ્તાવેજો જમા કરાવવા કે કચેરીઓના ચક્કર કાપવાની જરૂરિયાતમાં નોંધપાત્ર ઘટાડો થશે.

5 / 8
કેવી રીતે કરશે કામ? આ પોર્ટલ પર સૌથી પહેલા આધાર દ્વારા સુરક્ષિત લોગિન કરવાનું રહેશે. ત્યારબાદ કર્મચારી પોતાના જૂના પીએફ ખાતા સંબંધિત માહિતી ઓનલાઈન ભરશે. જો સિસ્ટમમાં જૂની મેમ્બર આઈડી (MID) અને વર્તમાન યુએએન (UAN) નો મેળ બેસી જશે, તો જૂનું ખાતું આપોઆપ નવા ખાતા સાથે જોડાઈ જશે. ત્યારબાદ પૈસા ટ્રાન્સફર કે પૈસા ઉપાડવાની પ્રક્રિયા શરૂ થઈ શકશે.

કેવી રીતે કરશે કામ? આ પોર્ટલ પર સૌથી પહેલા આધાર દ્વારા સુરક્ષિત લોગિન કરવાનું રહેશે. ત્યારબાદ કર્મચારી પોતાના જૂના પીએફ ખાતા સંબંધિત માહિતી ઓનલાઈન ભરશે. જો સિસ્ટમમાં જૂની મેમ્બર આઈડી (MID) અને વર્તમાન યુએએન (UAN) નો મેળ બેસી જશે, તો જૂનું ખાતું આપોઆપ નવા ખાતા સાથે જોડાઈ જશે. ત્યારબાદ પૈસા ટ્રાન્સફર કે પૈસા ઉપાડવાની પ્રક્રિયા શરૂ થઈ શકશે.

6 / 8
જો કોઈ કર્મચારી પાસે યુએએન ન હોય, તો પોર્ટલ નવું યુએએન બનાવવામાં પણ મદદ કરશે. વળી, જે લોકોને પોતાની જૂની મેમ્બર આઈડી યાદ નથી, તેમના આવેદનની તપાસ સંબંધિત ઈપીએફઓ કાર્યાલય કરશે અને ઓળખની પુષ્ટિ થયા બાદ આગળની પ્રક્રિયા પૂરી કરવામાં આવશે.

જો કોઈ કર્મચારી પાસે યુએએન ન હોય, તો પોર્ટલ નવું યુએએન બનાવવામાં પણ મદદ કરશે. વળી, જે લોકોને પોતાની જૂની મેમ્બર આઈડી યાદ નથી, તેમના આવેદનની તપાસ સંબંધિત ઈપીએફઓ કાર્યાલય કરશે અને ઓળખની પુષ્ટિ થયા બાદ આગળની પ્રક્રિયા પૂરી કરવામાં આવશે.

7 / 8
કયા લોકોને પહેલા મળશે ફાયદો? આ સુવિધા શરૂઆતમાં એવા કર્મચારીઓ માટે સૌથી વધુ ઉપયોગી સાબિત થશે, જેમની પાસે પોતાના જૂના પીએફ ખાતાની મેમ્બર આઈડી (MID) મોજૂદ છે. પાછળથી ઈપીએફઓ આ પોર્ટલમાં એવા લોકો માટે પણ સુવિધાઓ ઉમેરશે, જેમને પોતાના જૂના ખાતાની માહિતી પૂરેપૂરી યાદ નથી.

કયા લોકોને પહેલા મળશે ફાયદો? આ સુવિધા શરૂઆતમાં એવા કર્મચારીઓ માટે સૌથી વધુ ઉપયોગી સાબિત થશે, જેમની પાસે પોતાના જૂના પીએફ ખાતાની મેમ્બર આઈડી (MID) મોજૂદ છે. પાછળથી ઈપીએફઓ આ પોર્ટલમાં એવા લોકો માટે પણ સુવિધાઓ ઉમેરશે, જેમને પોતાના જૂના ખાતાની માહિતી પૂરેપૂરી યાદ નથી.

8 / 8

PNB ની 444 દિવસની ધમાકેદાર FD સ્કીમ, 5 લાખ રોકાણ પર મળશે આટલું વ્યાજ! જુઓ ગણતરી

Follow Us
વાલીઓનો સરકારી શાળાઓ પ્રત્યેનો વિશ્વાસ હવે દિવસેને દિવસે વધ્યો
વાલીઓનો સરકારી શાળાઓ પ્રત્યેનો વિશ્વાસ હવે દિવસેને દિવસે વધ્યો
₹120 કરોડના ટાઈડલ ડેમે વધારી ખેડૂતોની ચિંતા! 40 ફૂટ સુધી જમીન ધોવાઈ
₹120 કરોડના ટાઈડલ ડેમે વધારી ખેડૂતોની ચિંતા! 40 ફૂટ સુધી જમીન ધોવાઈ
રાજકોટમાં એનાલૉગ પનીર પર પ્રતિબંધ છતાં ઉત્પાદન ચાલુ
રાજકોટમાં એનાલૉગ પનીર પર પ્રતિબંધ છતાં ઉત્પાદન ચાલુ
સ્પેસએક્સનું અનિયંત્રિત રોકેટ ચંદ્ર સાથે અથડાયું, શુ પૃથ્વીને થશે ખતરો
સ્પેસએક્સનું અનિયંત્રિત રોકેટ ચંદ્ર સાથે અથડાયું, શુ પૃથ્વીને થશે ખતરો
બિનજરૂરી ખર્ચ વધી શકે છે, પરિવારના સભ્યોનો પૂર્ણ સહયોગ મળશે
બિનજરૂરી ખર્ચ વધી શકે છે, પરિવારના સભ્યોનો પૂર્ણ સહયોગ મળશે
ગુજરાતમાં એનાલોગ પનીર, ચીઝ અને બટર પર પ્રતિબંધ
ગુજરાતમાં એનાલોગ પનીર, ચીઝ અને બટર પર પ્રતિબંધ
અમદાવાદની શાળાઓમાં રવિવારે સ્વૈચ્છિક વર્ગોને મંજૂરી
અમદાવાદની શાળાઓમાં રવિવારે સ્વૈચ્છિક વર્ગોને મંજૂરી
વાયબ્રન્ટ ગુજરાત માટે CM ભૂપેન્દ્ર પટેલ અને હર્ષ સંઘવી જશે વિદેશ
વાયબ્રન્ટ ગુજરાત માટે CM ભૂપેન્દ્ર પટેલ અને હર્ષ સંઘવી જશે વિદેશ
કોમનવેલ્થ ગેમ્સમાં ભારતનો ડંકો વાગ્યો : DyCM હર્ષ સંઘવી
કોમનવેલ્થ ગેમ્સમાં ભારતનો ડંકો વાગ્યો : DyCM હર્ષ સંઘવી
ગુજરાતની જીવાદોરી સરદાર સરોવર ડેમમાં 79.27 ટકા પાણી થયું સ્ટોરેજ
ગુજરાતની જીવાદોરી સરદાર સરોવર ડેમમાં 79.27 ટકા પાણી થયું સ્ટોરેજ
g clip-path="url(#clip0_868_265)">