Education sector union budget 2025 : મેડિકલની તૈયારી કરતાં વિદ્યાર્થીઓને મળશે રાહત, 75,000 નવી બેઠકો વધારવામાં આવશે
Education sector budget 2025: કેન્દ્રીય નાણાં પ્રધાન નિર્મલા સીતારમણ આજે સંસદમાં સરકારના ત્રીજા કાર્યકાળનું પહેલું પૂર્ણ બજેટ અને 8મું બજેટ રજૂ કર્યું હતું. બજેટ રજૂ કરતી વખતે નાણામંત્રી નિર્મલા સીતારમણે કહ્યું કે કિસાન ક્રેડિટ કાર્ડની મર્યાદા વધારીને 5 લાખ રૂપિયા કરવામાં આવી છે.

Education sector budget 2025 : નાણામંત્રી નિર્મલા સીતારમણે આજે, 1 ફેબ્રુઆરીના રોજ દેશનું સામાન્ય બજેટ રજૂ કર્યું, જેમાં શિક્ષણ ક્ષેત્ર માટે ઘણી મોટી જાહેરાતો કરવામાં આવી. નાણામંત્રીએ પોતાના બજેટ ભાષણમાં કહ્યું હતું કે દેશમાં 10 હજાર મેડિકલ સીટો વધારવામાં આવશે.

સરકારી શાળાઓમાં અટલ લેબ ખોલવામાં આવશે. આગામી પાંચ વર્ષમાં 50 હજાર શાળાઓમાં ALTS લેબ ખોલવાની યોજના છે. ચાલો જાણીએ કે બજેટમાં શિક્ષણ ક્ષેત્ર માટે કઈ જાહેરાતો કરવામાં આવી હતી.

Education Budget 2025 : બજેટમાં નાણામંત્રીએ કહ્યું કે IIT ની ક્ષમતા વધારવામાં આવશે અને 5 IIT માં વધારાના માળખાકીય સુવિધાઓ બનાવવામાં આવશે. જ્યારે IIT પટનાનું વિસ્તરણ કરવામાં આવશે. કેન્દ્રીય નાણાં પ્રધાન નિર્મલા સીતારમણે બજેટમાં જાહેરાત કરી હતી કે તમામ સરકારી માધ્યમિક શાળાઓ અને પ્રાથમિક આરોગ્ય કેન્દ્રોને બ્રોડબેન્ડ કનેક્ટિવિટી સાથે જોડવામાં આવશે. નાણામંત્રીએ જણાવ્યું હતું કે આગામી પાંચ વર્ષમાં IIT અને IISc માં ટેકનિકલ સંશોધન માટે 10,000 ફેલોશિપ આપવામાં આવશે.

Education Budget 2025 : 5 વર્ષમાં 75 હજાર મેડિકલ સીટો વધશે - નાણામંત્રીએ જાહેરાત કરી કે આવતા વર્ષે મેડિકલ કોલેજો અને હોસ્પિટલોમાં 10,000 બેઠકો ઉમેરવામાં આવશે. તેમણે એમ પણ કહ્યું કે આગામી પાંચ વર્ષમાં 75,000 વધુ મેડિકલ સીટો ઉમેરવામાં આવશે. હાલમાં દેશની મેડિકલ કોલેજોમાં કુલ 1,12,112 MBBS બેઠકો છે. જેમાં પ્રવેશ માટે દર વર્ષે NEET UG પરીક્ષા લેવામાં આવે છે.

Budget 2025 : 5 નેશનલ સ્કીલ સેન્ટર ખુલશે : નાણામંત્રી સીતારમણે જાહેરાત કરી કે વૈશ્વિક કુશળતા ધરાવતા કૌશલ્ય વિકાસ માટે પાંચ રાષ્ટ્રીય કેન્દ્રો સ્થાપવામાં આવશે. યુવા મનમાં વૈજ્ઞાનિક વિચારસરણી વિકસાવવા માટે, આગામી પાંચ વર્ષમાં સરકારી શાળાઓમાં 50,000 અટલ ટિંકરિંગ લેબ્સ સ્થાપિત કરવામાં આવશે.

Nirmala Sitharaman : બિહારમાં નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ફૂડ ટેકનોલોજી, આંત્રપ્રિન્યોરશિપ એન્ડ મેનેજમેન્ટ ખોલવાની જાહેરાત કરવામાં આવી છે. નાણામંત્રીએ કહ્યું કે વિકસિત ભારતમાં ગરીબી દૂર થશે, ગુણવત્તાયુક્ત શિક્ષણ, ઉચ્ચ ગુણવત્તાવાળી, સસ્તી અને વ્યાપક આરોગ્ય સંભાળ હશે.
શિક્ષણ એટલે જ્ઞાન, સંસ્કાર, આચરણ, વિદ્યા વગેરેને મેળવવાની પ્રક્રિયાને શિક્ષણથી ઓળખવામાં આવે છે. આ પ્રક્રિયામાં ઘણી વસ્તુઓ શીખવવામાં આવે છે. આમાં સ્કીલ ડેવલોપમેન્ટ, વેપાર અથવા વ્યવસાયોના વિકાસ અને નૈતિક વિકાસ અને ઘણા વિષયો પર ધ્યાન કેન્દ્રિત કરવામાં આવે છે. એજ્યુકેશનના આવા અન્ય સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો..

































































