AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

RCB vs PBKS મેચમાં વરસાદનો વિલંબ, વરસાદને કારણે વિલંબ અંગે શું છે IPLનો નિયમ?

આ IPLની 18મી સિઝનમાં છે અને લગભગ દરેક સિઝનમાં વરસાદને કારણે એક કે બે મેચ પ્રભાવિત થાય છે. IPL 2025ની પહેલી 33 મેચ સુધી ખેલાડીઓ, ચાહકો અને આયોજકોને આ બાબતે કોઈ સમસ્યાનો સામનો કરવો પડ્યો ન હતો. પરંતુ શુક્રવાર 18 એપ્રિલના રોજ બેંગલુરુમાં 34મી મેચ પહેલા હળવા વરસાદે બ્લોકબસ્ટર મુકાબલાની આશા પર પાણી ફેરવી દીધું હતું. વરસાદને કારણે મેચ શરૂ થઈ શકી નહીં અને ટોસ પણ સમયસર થઈ શક્યો નહીં. આવા સમયે, એ જાણવું મહત્વપૂર્ણ બની જાય છે કે IPL 2025માં વરસાદ કે અન્ય કોઈ કારણોસર વિલંબ થવાના નિયમો શું છે?

| Updated on: Apr 18, 2025 | 9:51 PM
Share
કોઈપણ મેચમાં વરસાદના વિલંબના કારણે મેચ પ્રભાવિત થવાની શક્યતા રહે જ છે અને 20-20 ઓવર રમવી મુશ્કેલ બની જાય છે. આવી સ્થિતિમાં, મેચ પૂર્ણ કરવા માટે ચોક્કસ નિયમોનું પાલન કરવું પડશે.

કોઈપણ મેચમાં વરસાદના વિલંબના કારણે મેચ પ્રભાવિત થવાની શક્યતા રહે જ છે અને 20-20 ઓવર રમવી મુશ્કેલ બની જાય છે. આવી સ્થિતિમાં, મેચ પૂર્ણ કરવા માટે ચોક્કસ નિયમોનું પાલન કરવું પડશે.

1 / 6
આમાં સૌથી મહત્વપૂર્ણ નિયમ એ છે કે IPLના લીગ સ્ટેજ મેચો માટે કોઈ રિઝર્વ ડે નથી. એટલે કે જો વરસાદને કારણે મેચ રમી શકાતી નથી, તો તે બીજા દિવસે ફરી રમાશે નહીં.

આમાં સૌથી મહત્વપૂર્ણ નિયમ એ છે કે IPLના લીગ સ્ટેજ મેચો માટે કોઈ રિઝર્વ ડે નથી. એટલે કે જો વરસાદને કારણે મેચ રમી શકાતી નથી, તો તે બીજા દિવસે ફરી રમાશે નહીં.

2 / 6
IPL 2025માં લીગ સ્ટેજની મેચો બપોરે 3.30 અને સાંજે 7.30 વાગ્યે શરૂ થઈ રહી છે. જો વરસાદને કારણે કોઈ મેચ મોડી પડે તો એક કલાક પછી ઓવર ઓછી થવા લાગે છે. RCB-PBKS મેચમાં 8.30 વાગ્યાથી ઓવરો ઓછી થવાનું શરૂ થયું હતું.

IPL 2025માં લીગ સ્ટેજની મેચો બપોરે 3.30 અને સાંજે 7.30 વાગ્યે શરૂ થઈ રહી છે. જો વરસાદને કારણે કોઈ મેચ મોડી પડે તો એક કલાક પછી ઓવર ઓછી થવા લાગે છે. RCB-PBKS મેચમાં 8.30 વાગ્યાથી ઓવરો ઓછી થવાનું શરૂ થયું હતું.

3 / 6
T20 ઈન્ટરનેશનલની જેમ IPLમાં પણ પરિણામ મેળવવા માટે ઓછામાં ઓછી 5-5 ઓવરની મેચ જરૂરી છે. આ માટે એક કટ-ઓફ સમય નક્કી કરવામાં આવે છે, જે સમય સુધીમાં મેચ શરૂ થવી જ જોઈએ. સાંજની મેચ માટે ટોસ રાત્રે 10:41 વાગ્યે સુધી થવો જોઈએ અને મેચ રાત્રે 10:56 વાગ્યે સુધી શરૂ થવી જોઈએ.

T20 ઈન્ટરનેશનલની જેમ IPLમાં પણ પરિણામ મેળવવા માટે ઓછામાં ઓછી 5-5 ઓવરની મેચ જરૂરી છે. આ માટે એક કટ-ઓફ સમય નક્કી કરવામાં આવે છે, જે સમય સુધીમાં મેચ શરૂ થવી જ જોઈએ. સાંજની મેચ માટે ટોસ રાત્રે 10:41 વાગ્યે સુધી થવો જોઈએ અને મેચ રાત્રે 10:56 વાગ્યે સુધી શરૂ થવી જોઈએ.

4 / 6
જો આ સમય સુધીમાં મેચ શરૂ ન થાય અથવા શરૂ થયા પછી વરસાદને કારણે ફરીથી મેચમાં વિલંબ થાય, તો મેચ રદ્દ જાહેર કરવામાં આવશે.

જો આ સમય સુધીમાં મેચ શરૂ ન થાય અથવા શરૂ થયા પછી વરસાદને કારણે ફરીથી મેચમાં વિલંબ થાય, તો મેચ રદ્દ જાહેર કરવામાં આવશે.

5 / 6
જો મેચ રદ્દ જાહેર કરવામાં આવે છે, તો કોઈપણ ટીમને 2 પોઈન્ટ મળશે નહીં, તેના બદલે બંને ટીમો વચ્ચે 1 પોઈન્ટ સરખા ભાગે વહેંચવામાં આવશે. (All Photo Credit :PTI / X / INSTAGRAM)

જો મેચ રદ્દ જાહેર કરવામાં આવે છે, તો કોઈપણ ટીમને 2 પોઈન્ટ મળશે નહીં, તેના બદલે બંને ટીમો વચ્ચે 1 પોઈન્ટ સરખા ભાગે વહેંચવામાં આવશે. (All Photo Credit :PTI / X / INSTAGRAM)

6 / 6

IPL 2025માં બેંગલુરુ અને પંજાબ વચ્ચેની મેચમાં વરસાદ વિલન બનતા મેચ મોડી શરૂ થઈ હતી, એવામાં કોણ જીતશે તેના પર નજર રહેશે. રોયલ ચેલેન્જર્સ બેંગલુરુ સાથે જોડાયેલ તમામ સમાચાર વાંચવા અહી ક્લિક કરો

આગામી બે દિવસ બાદ ઠંડીમાં વધારો થવાની શક્યતા
આગામી બે દિવસ બાદ ઠંડીમાં વધારો થવાની શક્યતા
તમારું સ્વાસ્થ્ય સારું રહેશે, નાણાકીય સ્થિતિ સુધરશે
તમારું સ્વાસ્થ્ય સારું રહેશે, નાણાકીય સ્થિતિ સુધરશે
ચાઈનીઝ દોરીના ઉત્પાદન મૂળ સુધી પહોંચેલી પોલીસ, જુઓ Video
ચાઈનીઝ દોરીના ઉત્પાદન મૂળ સુધી પહોંચેલી પોલીસ, જુઓ Video
સુરત ગોડાદરામાં ફર્નિચરના ગોડાઉનમાં ભીષણ આગ
સુરત ગોડાદરામાં ફર્નિચરના ગોડાઉનમાં ભીષણ આગ
ટ્રાફિક મેનેજમેન્ટ માટે AMC નો એક્શન પ્લાન તૈયાર - જુઓ Video
ટ્રાફિક મેનેજમેન્ટ માટે AMC નો એક્શન પ્લાન તૈયાર - જુઓ Video
હરિત ઊર્જાની દિશામાં ઐતિહાસિક પગલું, ગોરજમાં સૂર્યની શક્તિનો ઉપયોગ
હરિત ઊર્જાની દિશામાં ઐતિહાસિક પગલું, ગોરજમાં સૂર્યની શક્તિનો ઉપયોગ
મનસુખ વસાવા-ચૈતર વસાવાના સામ સામે આક્ષેપો, જુઓ Video
મનસુખ વસાવા-ચૈતર વસાવાના સામ સામે આક્ષેપો, જુઓ Video
વડોદરામાં આંગણવાડી બહાર જ ગંદકી અને કચરાના ગંજ, દારૂની થેલીઓએ ખોલી પોલ
વડોદરામાં આંગણવાડી બહાર જ ગંદકી અને કચરાના ગંજ, દારૂની થેલીઓએ ખોલી પોલ
નીતિન પટેલે કહ્યું- કેટલાક ભાજપનો ખેસ પહેરીને સીધા હોદ્દા માંગે છે
નીતિન પટેલે કહ્યું- કેટલાક ભાજપનો ખેસ પહેરીને સીધા હોદ્દા માંગે છે
જૈન પરિવારની 7 વર્ષની દીકરીની દીક્ષા લેવાના નિર્ણય પર કોર્ટે લગાવી રોક
જૈન પરિવારની 7 વર્ષની દીકરીની દીક્ષા લેવાના નિર્ણય પર કોર્ટે લગાવી રોક
g clip-path="url(#clip0_868_265)">