AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

U19 World Cup : એક ફોન કોલ અને બદલાઈ ગયું જીવન, ભારતીય કેપ્ટન નિક્કી પ્રસાદની મજેદાર છે કહાની

મલેશિયામાં 18 જાન્યુઆરીથી મહિલા અંડર-19 T-20 વર્લ્ડ કપ શરૂ થઈ રહ્યો છે. આ વર્લ્ડ કપમાં ભારતને ચેમ્પિયન બનાવવાની જવાબદારી નિક્કી પ્રસાદના ખભા પર છે. આવી સ્થિતિમાં અમે તમને નિક્કી સાથે જોડાયેલી કેટલીક ખાસ વાતોથી પરિચિત કરાવીએ.

| Updated on: Jan 17, 2025 | 7:44 PM
Share
18 જાન્યુઆરીથી મલેશિયામાં મહિલા અંડર-19 T-20 વર્લ્ડ કપ શરૂ થવા જઈ રહ્યો છે. આ ટૂર્નામેન્ટમાં 16 દિવસ સુધી 41 મેચો રમાશે. ટાઈટલ માટે 16 ટીમો એકબીજાની વચ્ચે સ્પર્ધા કરશે. ભારતીય ટીમની કમાન 19 વર્ષીય નિક્કી પ્રસાદના હાથમાં છે. તેની સાથે કરોડો દેશવાસીઓની આશાઓ જોડાયેલી છે. તે વિશ્વકપ જીતવાનો વિશ્વાસ ધરાવે છે.

18 જાન્યુઆરીથી મલેશિયામાં મહિલા અંડર-19 T-20 વર્લ્ડ કપ શરૂ થવા જઈ રહ્યો છે. આ ટૂર્નામેન્ટમાં 16 દિવસ સુધી 41 મેચો રમાશે. ટાઈટલ માટે 16 ટીમો એકબીજાની વચ્ચે સ્પર્ધા કરશે. ભારતીય ટીમની કમાન 19 વર્ષીય નિક્કી પ્રસાદના હાથમાં છે. તેની સાથે કરોડો દેશવાસીઓની આશાઓ જોડાયેલી છે. તે વિશ્વકપ જીતવાનો વિશ્વાસ ધરાવે છે.

1 / 5
હાલમાં જ Cricket.com સાથેની વાતચીતમાં નિકીએ પોતાની જર્ની વિશે ઘણી વાતો કરી. તેણે જણાવ્યું કે કેવી રીતે એક ફોન કોલે તેનું જીવન બદલી નાખ્યું હતું. નિક્કીના કહેવા પ્રમાણે, બે વર્ષ પહેલા તેને ફોન પર કહેવામાં આવ્યું હતું કે તેને અંડર-19 વર્લ્ડ કપ માટે ભારતીય ટીમમાં પસંદ કરવામાં આવી નથી. આ ઘટનાથી તેને મોટો આંચકો લાગ્યો પરંતુ તેણે પોતાની જાત પર કાબૂ રાખ્યો અને એટલી મહેનત કરી કે હવે બે વર્ષ બાદ તે ટીમની કેપ્ટન છે. નિક્કીએ કહ્યું કે 'પાવર હિટિંગ'ના અભાવે તેને ટીમમાં જગ્યા મળી ન હતી.

હાલમાં જ Cricket.com સાથેની વાતચીતમાં નિકીએ પોતાની જર્ની વિશે ઘણી વાતો કરી. તેણે જણાવ્યું કે કેવી રીતે એક ફોન કોલે તેનું જીવન બદલી નાખ્યું હતું. નિક્કીના કહેવા પ્રમાણે, બે વર્ષ પહેલા તેને ફોન પર કહેવામાં આવ્યું હતું કે તેને અંડર-19 વર્લ્ડ કપ માટે ભારતીય ટીમમાં પસંદ કરવામાં આવી નથી. આ ઘટનાથી તેને મોટો આંચકો લાગ્યો પરંતુ તેણે પોતાની જાત પર કાબૂ રાખ્યો અને એટલી મહેનત કરી કે હવે બે વર્ષ બાદ તે ટીમની કેપ્ટન છે. નિક્કીએ કહ્યું કે 'પાવર હિટિંગ'ના અભાવે તેને ટીમમાં જગ્યા મળી ન હતી.

2 / 5
નિક્કીએ કહ્યું, 'મેં મારો ડાયેટ અને ટ્રેનિંગ સેશન બદલ્યું છે. મેં ક્રિકેટ અને મારા અંગત જીવનમાં બધું જ બદલી નાખ્યું. તે એક પ્રવાસ છે, અને મારે ઘણા ફેરફારો કરવા પડ્યા છે, અને હજુ ઘણું કામ કરવાનું બાકી છે. પરંતુ હું હવે સાચા માર્ગ પર છું. નિક્કીએ જીમમાં પરસેવો પાડવાનું શરૂ કર્યું અને તેની શારીરિક શક્તિ પર કામ કરવાનું શરૂ કર્યું, જેથી તે મોટી અને લાંબી હિટ ફટકારી શકે. તેણે આગળ કહ્યું, 'મને લાગે છે કે મેં મારા બેટની સ્પીડ અને પાવર હિટિંગ પર ઘણું કામ કર્યું છે, જેની અત્યારે જરૂર છે. તમારે સમય અને અન્ય દરેક વસ્તુની સાથે ઘણી શક્તિની પણ જરૂર છે. તેથી, મેં મારી ફિટનેસ ટ્રેનિંગ બદલી અને મારી તાકાત પર ઘણું કામ કર્યું.'

નિક્કીએ કહ્યું, 'મેં મારો ડાયેટ અને ટ્રેનિંગ સેશન બદલ્યું છે. મેં ક્રિકેટ અને મારા અંગત જીવનમાં બધું જ બદલી નાખ્યું. તે એક પ્રવાસ છે, અને મારે ઘણા ફેરફારો કરવા પડ્યા છે, અને હજુ ઘણું કામ કરવાનું બાકી છે. પરંતુ હું હવે સાચા માર્ગ પર છું. નિક્કીએ જીમમાં પરસેવો પાડવાનું શરૂ કર્યું અને તેની શારીરિક શક્તિ પર કામ કરવાનું શરૂ કર્યું, જેથી તે મોટી અને લાંબી હિટ ફટકારી શકે. તેણે આગળ કહ્યું, 'મને લાગે છે કે મેં મારા બેટની સ્પીડ અને પાવર હિટિંગ પર ઘણું કામ કર્યું છે, જેની અત્યારે જરૂર છે. તમારે સમય અને અન્ય દરેક વસ્તુની સાથે ઘણી શક્તિની પણ જરૂર છે. તેથી, મેં મારી ફિટનેસ ટ્રેનિંગ બદલી અને મારી તાકાત પર ઘણું કામ કર્યું.'

3 / 5
તાજેતરમાં નિક્કી પ્રસાદના નામે એક મોટી ઉપલબ્ધિ નોંધાઈ હતી. ડિસેમ્બર 2024માં, તેમની કેપ્ટનશિપ હેઠળ અંડર-19 ટીમે એશિયા કપનો ખિતાબ જીત્યો હતો. આ પહેલો એશિયા કપ હતો જે ટીમ ઈન્ડિયાએ નિક્કીની કેપ્ટન્સીમાં કબજે કર્યો હતો. આ પછી હવે બીજી મોટી જવાબદારી નિક્કી પ્રસાદના ખભા પર છે.

તાજેતરમાં નિક્કી પ્રસાદના નામે એક મોટી ઉપલબ્ધિ નોંધાઈ હતી. ડિસેમ્બર 2024માં, તેમની કેપ્ટનશિપ હેઠળ અંડર-19 ટીમે એશિયા કપનો ખિતાબ જીત્યો હતો. આ પહેલો એશિયા કપ હતો જે ટીમ ઈન્ડિયાએ નિક્કીની કેપ્ટન્સીમાં કબજે કર્યો હતો. આ પછી હવે બીજી મોટી જવાબદારી નિક્કી પ્રસાદના ખભા પર છે.

4 / 5
આજે તે જ્યાં છે ત્યાં સુધી પહોંચવામાં નિક્કીની માતાએ મોટી ભૂમિકા ભજવી છે. 6 વર્ષની ઉંમરે તેને ક્રિકેટ તરફ ઝોક લાગ્યો અને તેણે તેની માતાને કહ્યું કે તે ક્રિકેટ રમવા માંગે છે. તેનું સપનું પૂરું કરવા માટે તેની માતાએ તેને દરેક શક્ય રીતે મદદ કરી. નિક્કી કહે છે, 'મને લાગે છે કે મને યાદ છે, લગભગ પાંચ વર્ષ સુધી મારી માતા મારી સાથે દરેક જગ્યાએ પ્રવાસ કરતી રહી. તે મારા ટ્રેનિંગ સેશન માટે વહેલી સવારે આવતી અને કલાકો સુધી મારી સાથે રહેતી. મારી બેટિંગ સુધારવા માટે મા મને બેંગલુરુની દરેક એકેડમીમાં લઈ ગઈ. (All Photo Credit : X / BCCI)

આજે તે જ્યાં છે ત્યાં સુધી પહોંચવામાં નિક્કીની માતાએ મોટી ભૂમિકા ભજવી છે. 6 વર્ષની ઉંમરે તેને ક્રિકેટ તરફ ઝોક લાગ્યો અને તેણે તેની માતાને કહ્યું કે તે ક્રિકેટ રમવા માંગે છે. તેનું સપનું પૂરું કરવા માટે તેની માતાએ તેને દરેક શક્ય રીતે મદદ કરી. નિક્કી કહે છે, 'મને લાગે છે કે મને યાદ છે, લગભગ પાંચ વર્ષ સુધી મારી માતા મારી સાથે દરેક જગ્યાએ પ્રવાસ કરતી રહી. તે મારા ટ્રેનિંગ સેશન માટે વહેલી સવારે આવતી અને કલાકો સુધી મારી સાથે રહેતી. મારી બેટિંગ સુધારવા માટે મા મને બેંગલુરુની દરેક એકેડમીમાં લઈ ગઈ. (All Photo Credit : X / BCCI)

5 / 5

ભારતીય મહિલા ક્રિકેટ ટીમની તમામ મેચો અને ખેલાડીઓ સાથે જોડાયેલ સમાચારો વિશે વધુ માહિતી મેળવવા ક્લિક કરો

પંચમહાલમાં અધિકારીઓની જાસુસી કરી રહ્યાં છે ખનિજ માફિયાઓ
પંચમહાલમાં અધિકારીઓની જાસુસી કરી રહ્યાં છે ખનિજ માફિયાઓ
ડભોઈના માંડવામાં જન્મ-મરણના દાખલાને લઈ હોબાળો
ડભોઈના માંડવામાં જન્મ-મરણના દાખલાને લઈ હોબાળો
SOG ક્રાઈમનું ડ્રગ્સ સર્ચ ઓપરેશન, સિંધુ ભવન રોડના કાફેમાં ચેકિંગ
SOG ક્રાઈમનું ડ્રગ્સ સર્ચ ઓપરેશન, સિંધુ ભવન રોડના કાફેમાં ચેકિંગ
વેપારની આડમાં સાયબર ફ્રોડ! SOG ના દરોડામાં 4 સાયબર ગઠિયા ઝડપાયા
વેપારની આડમાં સાયબર ફ્રોડ! SOG ના દરોડામાં 4 સાયબર ગઠિયા ઝડપાયા
રાજકોટના ધોરાજીમાં મગફળી કેન્દ્ર પર મજૂરો અને ખેડૂતો વચ્ચે વિવાદ,
રાજકોટના ધોરાજીમાં મગફળી કેન્દ્ર પર મજૂરો અને ખેડૂતો વચ્ચે વિવાદ,
ખોદકામ દરમિયાન જૈન તિર્થંકરોની પ્રાચીન મૂર્તિઓ મળી આવી
ખોદકામ દરમિયાન જૈન તિર્થંકરોની પ્રાચીન મૂર્તિઓ મળી આવી
અંબાજીમાં રાજવી પરિવારની આઠમની પૂજાનો વિશેષાધિકાર સમાપ્ત
અંબાજીમાં રાજવી પરિવારની આઠમની પૂજાનો વિશેષાધિકાર સમાપ્ત
ભાજપના મહિલા ધારાસભ્યે ટોળાની સાથે રહીને તંત્રને અશાંતધારાની કરી રજૂઆત
ભાજપના મહિલા ધારાસભ્યે ટોળાની સાથે રહીને તંત્રને અશાંતધારાની કરી રજૂઆત
સુરેન્દ્રનગરમાં ભ્રષ્ટાચારનો ભંડાફોડ, કલેક્ટરની બદલી, ફાઇલો જપ્ત
સુરેન્દ્રનગરમાં ભ્રષ્ટાચારનો ભંડાફોડ, કલેક્ટરની બદલી, ફાઇલો જપ્ત
જેઠા ભરવાડે ગુજરાત વિઘાનસભાના ઉપાધ્યક્ષપદેથી આપ્યુ રાજીનામુ
જેઠા ભરવાડે ગુજરાત વિઘાનસભાના ઉપાધ્યક્ષપદેથી આપ્યુ રાજીનામુ
g clip-path="url(#clip0_868_265)">