AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

કુલદીપ યાદવ

કુલદીપ યાદવ

કુલદીપ યાદવએ તેના ક્રિકેટ સફરની શરૂઆત એક ફાસ્ટ બોલર તરીકે કાનપુર ક્રિકેટ એકેડમીમાં કરી હતી, પણ તેના કોચના આગ્રહ બાદ તે લેફ્ટ આર્મ સ્પિનર બન્યો હતો. ભારતમાં કુલદીપ યાદવની સ્કિલ સાથેના વધુ બોલર નથી અને તેથી ક્રિકેટ જગતમાં તે જલ્દી ચર્ચામાં આવ્યો હતો. તેણે 17-વર્ષની વયે પોતાની પ્રથમ અંડર-19 મેચ 2012માં રમી હતી. 2014માં અંડર-19 વિશ્વ કપમાં તેણે સ્પર્ધાની પોતાની બીજી મેચમાં હેટ્રીક ઝડપી હતી. આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં તેણે માર્ચ 2017માં ધર્મશાળામાં ઓસ્ટ્રેલિયા સામે ડેબ્યૂ કર્યુ હતુ અને પ્રથમ ઇનિંગમાં 4 વિકેટ ઝડપી હતી. વન-ડે અને ટી-20 ફોર્મેટમાં તેણે 2017માં વેસ્ટ ઇન્ડિઝ પ્રવાસ પર ડેબ્યૂ કર્યુ હતુ.કુલદીપ યાદવ પ્રથમ ભારતીય બોલર છે જેણે આતંરરાષ્ટ્રીય ક્રિકેટમાં બે હેટ્રીક લીધી છે. વન-ડે ક્રિકેટમાં 2017માં ઓસ્ટ્રેલિયા સામે અને 2019માં વેસ્ટ ઇન્ડિઝ સામે તેણે હેટ્રીક લીધી હતી.

Read More

IPL DC vs RCB : દિલ્હીનો વિજયરથ અટકાવવા બેંગ્લોર તૈયાર

દિલ્હીની ટીમ આ સિઝનમાં જીતનો ચોગ્ગો ફટકારવાની રાહમાં છે. આ સિઝનમાં બેંગ્લોરે ચિન્નાસ્વામી સ્ટેડિયમમાં હજુ સુધી મેચ જીતી નથી, એવામાં બેંગ્લોર આ વખતે ચિન્નાસ્વામીમાં પોતાની પ્રથમ જીત મેળવવા માટે આતુર હશે. અત્યાર સુધી બંને ટીમો વચ્ચે IPLમાં કુલ 32 મેચો રમાઈ છે. જેમાંથી બેંગ્લોરે 20 અને દિલ્હીએ 11 મેચોમાં જીત મેળવી છે, જ્યારે એક મેચનું પરિણામ આવ્યું નહોતું.

IND vs NZ Turning Point : આ 8 બોલમાં કુલદીપ યાદવે પૂરી કરી નાખી હતી મેચ, ન્યુઝીલેન્ડને વિચારવાનો પણ મોકો ન મળ્યો

ભારતીય ક્રિકેટ ટીમે ચેમ્પિયન્સ ટ્રોફી 2025નો ખિતાબ જીતી લીધો છે. ન્યુઝીલેન્ડ સામે રમાયેલી ફાઇનલ મેચમાં ભારતે 4 વિકેટથી જીત મેળવી.

કુલદીપ યાદવે ચેમ્પિયન્સ ટ્રોફી 2025નો શ્રેષ્ઠ બોલ ફેંક્યો ! પહેલા જ બોલ પર રવિન્દ્રના સ્ટમ્પ ઉડી ગયા

ચેમ્પિયન્સ ટ્રોફી ફાઈનલ પહેલા, આ ટુર્નામેન્ટમાં કુલદીપ યાદવનું પ્રદર્શન બહુ સારું નહોતું. આ ઉપરાંત, આ પહેલા પણ ICC ટુર્નામેન્ટના નોકઆઉટ મેચોમાં તેના પ્રદર્શન પર હંમેશા પ્રશ્નો ઉભા થતા હતા, પરંતુ દુબઈમાં, ભારતીય સ્પિનરે તેની પ્રથમ 2 ઓવરમાં જ કમાલ કરી હતી.

IND vs PAK: પાકિસ્તાનને હરાવવા મેદાનમાં ઉતરશે આ 11 ખેલાડીઓ, જાણો કેવી હશે ભારતની પ્લેઈંગ ઈલેવન

ભારત અને પાકિસ્તાન વચ્ચેના મહામુકાબલાની રાહ હવે પૂરી થવા જઈ રહી છે. બંને ટીમો 23 ફેબ્રુઆરીએ દુબઈના મેદાન પર ચેમ્પિયન્સ ટ્રોફીમાં ટકરાશે. શું રોહિત-વિરાટ કે શુભમનના બેટ પાકિસ્તાન સામે આગ ફેલાવશે કે શમી-રાણાના બોલ તબાહી મચાવશે કે પછી આપણે જાડેજા-અક્ષરના સ્પિનનો જાદુ જોશું? ટીમ ઈન્ડિયાનો દરેક ખેલાડી પાકિસ્તાન સામે કેવું પ્રદર્શન કરે છે તે તો સમય જ કહેશે, પરંતુ તે પહેલા ચાલો ટીમ ઈન્ડિયાના સંભવિત પ્લેઈંગ ઈલેવન પર એક નજર કરીએ.

કુલદીપ યાદવે જર્મનીમાં સર્જરી કરાવી , ઈજાના કારણે ઓસ્ટ્રેલિયા પ્રવાસમાંથી બહાર હતો

ટીમ ઈન્ડિયાનો એક મહત્વનો ખેલાડી છેલ્લા કેટલાક દિવસથી (Groin)ની ઈજાથી ઝઝુમી રહ્યો હતો. આ ખેલાડીએ જર્મનીમાં સર્જરી કરાવી છે. ખેલાડી છેલ્લી વખત ન્યુઝીલેન્ડ સીરિઝ દરમિયાન રમતો જોવા મળ્યો હતો.

IPL 2025 : દિલ્હી કેપિટલ્સ ફક્ત 3 ખેલાડીઓને જ કરશે રિટેન, પૃથ્વી શો-વોર્નર જશે બહાર

દિલ્હી કેપિટલ્સે નિર્ણય લીધો છે કે તે માત્ર ત્રણ ખેલાડીઓને જ રિટેન કરશે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર આ ત્રણેય ખેલાડીઓ ભારતીય હશે. મતલબ કે તમામ વિદેશી ખેલાડીઓને ટીમમાંથી મુક્ત કરવામાં આવશે.

IPL ઓક્શન પહેલા દિલ્હી કેપિટલ્સનો મોટો નિર્ણય, પંતની સાથે આ ખેલાડીઓને રિટેન કરશે!

IPL 2025 પહેલા મેગા ઓક્શન યોજાવાની છે. આ માટે, BCCI દ્વારા રિટેન્શન પોલિસીની જાહેરાત કરવાની બાકી છે. આ દરમિયાન દિલ્હી કેપિટલ્સના રિટેન થનારા ખેલાડીઓને લઈ એક મોટું અપડેટ સામે આવ્યું છે.

ICC Ranking : શુભમન ગિલે 36 ખેલાડીઓને પાછળ છોડ્યા, યશસ્વી જયસ્વાલની મોટી છલાંગ

શુભમન ગિલ અને યશસ્વી જયસ્વાલને ઈન્ટરનેશનલ ક્રિકેટ કાઉન્સિલની તાજેતરની T20 રેન્કિંગમાં ફાયદો થયો છે. તો બીજી તરફ ભારતીય બોલરોને રેન્કિંગમાં નુકસાન થયું છે. ભારત-ઝિમ્બાબ્વે સિરીઝ બાદ જાહેર થયેલ લેટેસ્ટ ICC રેન્કિંગમાં મોટા ફેરફારો થયા છે.

કુલદીપ યાદવે લગ્નને લઈ મોટો ખુલાસો કર્યો, અભિનેત્રીને લઈ ચાઈનામેને શું કહ્યું જાણો

મુંબઈના વાનખેડે સ્ટેડિયમમાં બીસીસીઆઈ દ્વારા સન્માનિત કરતા પહેલા ભારતીય ટીમનું મુંબઈ મરીન ડ્રાઈવ પર એક ખુલ્લી બસમાં પરેડ હતી. ત્યારબાદ ટી20 વર્લ્ડકપમાં 10 વિકેટ લેનાર કુલદીપ યાદવ કાનપુર પહોંચ્યા છે, લગ્નને લઈ મોટો ખુલાસો કર્યો છે.

‘આ ટ્રોફી તેમની જ છે…’ કુલદીપ યાદવે ટીમ ઈન્ડિયાનો T20 વર્લ્ડ કપ કોને સમર્પિત કર્યો?

ટીમ ઈન્ડિયાએ 11 વર્ષના ઈંતજાર બાદ ટાઈટલ જીતીને આઈસીસી ટ્રોફીના દુકાળનો અંત લાવ્યો અને પ્રશંસકોને ખુશ થવાની તક આપી. ટીમ ઈન્ડિયાની આ જીત બાદ દિલ્હી અને મુંબઈમાં ખેલાડીઓનું જે પ્રકારનું સ્વાગત થયું તે આખી ટીમ ઈન્ડિયા હંમેશા યાદ રાખશે.

IPLમાં કુલદીપ યાદવે બતાવી ચતુરાઈ, T20 વર્લ્ડ કપની ફાઈનલમાં તેની અસર જોવા મળશે

ભારત અને દક્ષિણ આફ્રિકાની ટીમો 29 જૂને T20 વર્લ્ડ કપની ફાઈનલ મેચ માટે આમને-સામને થશે. ઓસ્ટ્રેલિયા અને ઈંગ્લેન્ડને હરાવ્યા બાદ હવે કુલદીપ યાદવે દક્ષિણ આફ્રિકાના બેટ્સમેનોનો સામનો કરવાનો છે. IPL દરમિયાન તેણે આ અંગે ઘણી ચતુરાઈ બતાવી હતી, જે બાર્બાડોસમાં ઉપયોગી થઈ શકે છે.

T20 World Cup 2024 : આ 3 ખેલાડીઓના કારણે ભારત ફાઇનલમાં પહોંચ્યું, ટીમ માટે સૌથી મોટા હીરો રહ્યા, જુઓ ફોટો

ભારતીય ટીમે ટી20 વર્લ્ડકપ 2024 સેમીફાઈનલમાં ઈંગ્લેન્ડને હાર આપી છે. ભારતીય ટીમ માટે બોલર અને બેટ્સમેનનું શાનદાર પ્રદર્શન રહ્યું છે. સેમીફાઈનલમાં 3 એવા ખેલાડી છે જે ભારત માટે સંકટમોચક સાબિત થયા છે.

IND vs ENG : સેમીફાઈનલ મુકાબલા પહેલા રોહિત શર્મા-કુલદીપ યાદવના નિવેદને વધાર્યો મેચનો પારો

T20 વર્લ્ડ કપના સેમિફાઈનલ મુકાબલા પહેલા જ આ મેચનો માહોલ બની ગયો છે. પહેલા કેપ્ટન રોહિત શર્માનું અને હવે ચાઈનામેન મિસ્ટ્રી સ્પિનર કુલદીપ યાદવના નિવેદન બાદ ખરેખર ભારત-ઈંગ્લેન્ડ મેચનું તાપમાન વધુ ગયું છે. એવું તે શું કહ્યું આ બંને ભારતીય ખેલાડીઓએ કે જેનાથી મેચના બે દિવસ પહેલા જ ઉત્તેજના ચરમસીમાએ પહોંચી ગઈ. જાણો આ આર્ટિકલમાં.

IND vs BAN: હાર્દિક-કુલદીપે ભારતને જીત તરફ દોરી, સેમીફાઈનલમાં પ્રવેશ લગભગ નિશ્ચિત

T20 વર્લ્ડ કપમાં ભારતીય ક્રિકેટ ટીમનું શાનદાર પ્રદર્શન ચાલુ છે. સુપર 8 મેચમાં ટીમ ઈન્ડિયાએ બાંગ્લાદેશને એકતરફી રીતે હરાવ્યું હતું. આ સાથે T20 વર્લ્ડ કપની સેમીફાઈનલમાં તેની એન્ટ્રી લગભગ નિશ્ચિત થઈ ગઈ છે.

T20 World Cup 2024 : રોહિત શર્મા ન્યૂયોર્કની પિચ જોઈને ડરી ગયો? કુલદીપ યાદવને પ્લેઈંગ ઈલેવનમાંથી કર્યો બહાર

આયર્લેન્ડ સામેની મેચમાં ટીમ ઈન્ડિયાના કેપ્ટન રોહિત શર્માએ ટોસ જીત્યો અને ત્યાર બાદ જ્યારે તેણે પોતાની પ્લેઈંગ ઈલેવનની જાહેરાત કરી તો બધા ચોંકી ગયા. રોહિત શર્માએ કુલદીપ યાદવ અને યુઝવેન્દ્ર ચહલ બંનેને આઉટ કર્યા હતા. સવાલ એ છે કે શું ન્યૂયોર્કની પિચ જોઈને ટીમ ઈન્ડિયા મેનેજમેન્ટ ટેન્શનમાં આવી ગયું?

અમદાવાદમાં કપડા ધોવાની ફેકટરીની ટાંકી સાફ કરવા ઉતરેલા 3 મજૂરોના મોત
અમદાવાદમાં કપડા ધોવાની ફેકટરીની ટાંકી સાફ કરવા ઉતરેલા 3 મજૂરોના મોત
જુનાગઢમાં તળાવની નબળી કામગીરી મુદ્દે ભાજપના જ કોર્પોરેટરે ખોલી પોલ
જુનાગઢમાં તળાવની નબળી કામગીરી મુદ્દે ભાજપના જ કોર્પોરેટરે ખોલી પોલ
લીમડી સહિત આસપાસના વિસ્તારોમાં ગાજવીજ સાથે તૂટી પડ્યો વરસાદ
લીમડી સહિત આસપાસના વિસ્તારોમાં ગાજવીજ સાથે તૂટી પડ્યો વરસાદ
નડિયાદના શાંતિ ફળિયા કોલેરાગ્રસ્ત જાહેર કરાયો
નડિયાદના શાંતિ ફળિયા કોલેરાગ્રસ્ત જાહેર કરાયો
અમદાવાદમાં હવે મકરબા વિસ્તારોમાં ગેરકાયદે દબાણો હટાવવાની કામગીરી શરૂ
અમદાવાદમાં હવે મકરબા વિસ્તારોમાં ગેરકાયદે દબાણો હટાવવાની કામગીરી શરૂ
નાસ્તો કરવા જેટલા સમયમાં જ દુશ્મનોનો ખાત્મો -રાજનાથ સિંહ
નાસ્તો કરવા જેટલા સમયમાં જ દુશ્મનોનો ખાત્મો -રાજનાથ સિંહ
સાયબર કૌભાંડમાં MLA કાંધલ જાડેજાની કાકી હિરલાબાની ધરપકડ
સાયબર કૌભાંડમાં MLA કાંધલ જાડેજાની કાકી હિરલાબાની ધરપકડ
બનાસકાંઠાના પાંજરાપોળમાં એક બાદ એક 36 ગાયના મોતથી ચકચાર
બનાસકાંઠાના પાંજરાપોળમાં એક બાદ એક 36 ગાયના મોતથી ચકચાર
સાયક્લોનિક સર્ક્યુલેશન સક્રિય ગાજવીજ સાથે ત્રાટકી શકે છે વરસાદ
સાયક્લોનિક સર્ક્યુલેશન સક્રિય ગાજવીજ સાથે ત્રાટકી શકે છે વરસાદ
માવઠાને કારણે સુરેન્દ્રનગરના અગરિયાઓને 30 કરોડનું નુકસાન જવાની ભીતિ
માવઠાને કારણે સુરેન્દ્રનગરના અગરિયાઓને 30 કરોડનું નુકસાન જવાની ભીતિ
g clip-path="url(#clip0_868_265)">