કુલદીપ યાદવ
કુલદીપ યાદવએ તેના ક્રિકેટ સફરની શરૂઆત એક ફાસ્ટ બોલર તરીકે કાનપુર ક્રિકેટ એકેડમીમાં કરી હતી, પણ તેના કોચના આગ્રહ બાદ તે લેફ્ટ આર્મ સ્પિનર બન્યો હતો. ભારતમાં કુલદીપ યાદવની સ્કિલ સાથેના વધુ બોલર નથી અને તેથી ક્રિકેટ જગતમાં તે જલ્દી ચર્ચામાં આવ્યો હતો. તેણે 17-વર્ષની વયે પોતાની પ્રથમ અંડર-19 મેચ 2012માં રમી હતી. 2014માં અંડર-19 વિશ્વ કપમાં તેણે સ્પર્ધાની પોતાની બીજી મેચમાં હેટ્રીક ઝડપી હતી. આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં તેણે માર્ચ 2017માં ધર્મશાળામાં ઓસ્ટ્રેલિયા સામે ડેબ્યૂ કર્યુ હતુ અને પ્રથમ ઇનિંગમાં 4 વિકેટ ઝડપી હતી. વન-ડે અને ટી-20 ફોર્મેટમાં તેણે 2017માં વેસ્ટ ઇન્ડિઝ પ્રવાસ પર ડેબ્યૂ કર્યુ હતુ.કુલદીપ યાદવ પ્રથમ ભારતીય બોલર છે જેણે આતંરરાષ્ટ્રીય ક્રિકેટમાં બે હેટ્રીક લીધી છે. વન-ડે ક્રિકેટમાં 2017માં ઓસ્ટ્રેલિયા સામે અને 2019માં વેસ્ટ ઇન્ડિઝ સામે તેણે હેટ્રીક લીધી હતી.
IND vs SA: 358 રન બનાવવા છતાં રાયપુરમાં ભારત કેમ હારી ગયું? જાણો તેના 5 મુખ્ય કારણો
રાયપુરમાં ભારતનો કારમો પરાજય થયો. ટીમ ઈન્ડિયા 358 રન બનાવવા છતાં મેચ હારી ગઈ. દક્ષિણ આફ્રિકા સારું રમ્યું, પરંતુ આ સાથે ભારતીય ટીમે ખરાબ રમવામાં કોઈ કસર છોડી નહીં. ચાલો સમજીએ કે આટલા ઊંચા સ્કોર છતાં ટીમ કેમ હારી ગઈ. જાણો ભારતની હારના 5 મુખ્ય કારણો.
- Smit Chauhan
- Updated on: Dec 3, 2025
- 10:46 pm
IND vs SA : હું વારંવાર નહીં કહું… કેપ્ટન રિષભ પંત પોતાના જ ખેલાડીઓથી થયો નારાજ
ગુવાહાટી ટેસ્ટમાં ભારતીય ટીમને 549 રનનો લક્ષ્યાંક આપવામાં આવ્યો હતો. બેટિંગની સાથે ભારતીય બોલરોએ પણ આ મેચમાં ખરાબ પ્રદર્શન કર્યું. બીજી ઇનિંગમાં કેપ્ટન રિષભ પંત પોતાની જ ટીમના ખેલાડીઓ પર ગુસ્સે ભરાયો હતો.
- Smit Chauhan
- Updated on: Nov 25, 2025
- 4:13 pm
IND vs SA: કુલદીપ યાદવ દક્ષિણ આફ્રિકા સામેની શ્રેણીમાંથી થશે બહાર? આ છે કારણ
કુલદીપ યાદવ દક્ષિણ આફ્રિકા સામેની બીજી ટેસ્ટમાંથી બહાર થઈ શકે છે. આ પાછળનું કારણ વ્યક્તિગત છે. જોકે, આ નિર્ણયની હજુ સુધી સત્તાવાર પુષ્ટિ થઈ નથી.
- Smit Chauhan
- Updated on: Nov 15, 2025
- 11:16 am
IND vs SA : ટેમ્બા બાવુમાની વિકેટ કુલદીપ યાદવ માટે યાદગાર કેમ બની ગઈ? કારણ છે ખાસ
કુલદીપ યાદવે કોલકાતા ટેસ્ટમાં આફ્રિકન કેપ્ટન ટેમ્બા બાવુમાને આઉટ કરીને મેચમાં પહેલી સફળતા મેળવી હતી. જોકે, ઈડન ગાર્ડન્સ ખાતે રમાઈ રહેલી ટેસ્ટ મેચમાં તેની આ વિકેટ ખાસ સાબિત થઈ હતી. જાણો કેવી રીતે.
- Smit Chauhan
- Updated on: Nov 14, 2025
- 8:39 pm
કુલદીપ યાદવ ઓસ્ટ્રેલિયાથી ભારત પરત ફરશે, અચાનક ટીમ ઈન્ડિયામાંથી બહાર કરવામાં આવ્યો, જાણો કેમ
ઓસ્ટ્રેલિયા સામે પાંચ મેચની T20 શ્રેણીમાં રમી રહેલા કુલદીપ યાદવને અચાનક ભારતીય ટીમમાંથી રિલીઝ કરવામાં આવ્યો છે. તે તાત્કાલિક ભારત પરત ફરી રહ્યો છે. ચાઈનામેન બોલર કુલદીપ યાદવને એક ખાસ કારણથી ટીમમાંથી બહાર કરવામાં આવ્યો છે.
- Smit Chauhan
- Updated on: Nov 2, 2025
- 11:50 pm
IND vs AUS: પહેલી વનડેમાં રોહિત-વિરાટનું સ્થાન કન્ફર્મ, બીજા કોને મળશે તક ? આવી હશે ભારતની પ્લેઈંગ ઈલેવન
IND vs AUS પ્લેઈંગ ઈલેવન : શુભમન ગિલની આગેવાની હેઠળની ટીમ ઈન્ડિયા 19 ઓક્ટોબરે પર્થમાં ઓસ્ટ્રેલિયા સામે પોતાના અભિયાનની શરૂઆત કરશે. રોહિત શર્મા અને વિરાટ કોહલી લાંબા સમય પછી આંતરરાષ્ટ્રીય ક્રિકેટ રમતા જોવા મળશે. બંનેનું સ્થાન પ્લેઈંગ ઈલેવનમાં નક્કી જ છે. જાણો પહેલી વનડેમાં કેવી હશે ભારતની પ્લેઈંગ ઈલેવન.
- Smit Chauhan
- Updated on: Oct 18, 2025
- 4:48 pm
જસપ્રીત બુમરાહ કરતા વધુ ખતરનાક બોલર છે કુલદીપ યાદવ, આ બાબતમાં છે નંબર-1
અમદાવાદમાં વેસ્ટ ઈન્ડીઝ સામેની પ્રથમ ટેસ્ટના પહેલા દિવસે ટીમ ઈન્ડિયાએ મેચ પર કબજો જમાવ્યો. સિરાજે ચાર, બુમરાહએ ત્રણ અને કુલદીપ યાદવે બે વિકેટ લીધી. સુંદરે એક વિકેટ લીધી. કુલદીપને ભલે બુમરાહથી ઓછી વિકેટ મળી હોય, પણ એક બાબતમાં તે બુમરાહથી પણ આગળ છે.
- Smit Chauhan
- Updated on: Oct 2, 2025
- 10:33 pm
IND vs WI: ટીમ ઈન્ડિયાને ચેમ્પિયન બનાવનાર ખેલાડી બહાર? અમદાવાદ ટેસ્ટમાં આવી હશે ભારતની પ્લેઈંગ 11
ભારત અને વેસ્ટ ઈન્ડીઝ વચ્ચે બે મેચની ટેસ્ટ શ્રેણીની પહેલી મેચ 2 ઓક્ટોબરથી શરૂ થશે. આ શ્રેણીની પહેલી મેચમાં ભારતને એશિયા કપમાં ચેમ્પિયન બનાવનાર ખેલાડીને ટીમમાં તક મળવાની શક્યતા ઓછી લાગે છે. જાણો કેવી હશે ભારતની પ્લેઈંગ ઈલેવન.
- Smit Chauhan
- Updated on: Oct 1, 2025
- 5:59 pm
IND vs WI : એશિયા કપમાં નિષ્ફળતા બાદ શુભમન ગિલે લીધો મોટો નિર્ણય, 3 ખેલાડીઓએ પ્રેક્ટિસ ન કરી
એશિયા કપમાં શુભમન ગિલ કોઈ મોટી ઈનિંગ ન રમી શક્યો, એવામાં આગામી સિરીઝમાં તે પોતાના પ્રદર્શનને સુધારવાનો પ્રયાસ કરશે. જેના માટે તેણે તૈયારી શરુ કરી દીધી છે. 2 ઓક્ટોબરથી શરૂ થનારી વેસ્ટ ઈન્ડિઝ સામેની ટેસ્ટ શ્રેણી પહેલા તેણે એક મોટો નિર્ણય લીધો હતો, તો બીજી તરફ ટીમનાં ત્રણ ખેલાડીઓ પ્રેક્ટિસમાં હાજર રહ્યા ન હતા.
- Smit Chauhan
- Updated on: Sep 30, 2025
- 10:39 pm
IND vs WI : ભારતને એશિયા કપ ચેમ્પિયન બનાવનારા ફક્ત 4 ખેલાડી ટીમમાં સામેલ, બાકીના 11 ટીમની બહાર
એશિયા કપ 2025 જીત્યા બાદ ટીમ ઈન્ડિયા હવે ઘરઆંગણે શ્રેણી રમવા માટે તૈયાર છે. આ શ્રેણી માટે ભારતીય ટીમની ટીમ તાજેતરમાં જાહેર કરવામાં આવી હતી, જેમાં ચેમ્પિયન ટીમના ફક્ત ચાર જ ખેલાડીઓનો સમાવેશ થયો છે.
- Smit Chauhan
- Updated on: Sep 29, 2025
- 10:37 pm
Asia Cup 2025 : પાકિસ્તાન સાથેના વિવાદ વચ્ચે કુલદીપ યાદવે આ પાકિસ્તાની ખેલાડીના કર્યા વખાણ, જુઓ વીડિયો
ટીમ ઈન્ડિયા 2025 એશિયા કપની પોતાની છેલ્લી લીગ મેચ 19 સપ્ટેમ્બરે ઓમાન સામે રમશે. તે પહેલા ટીમના સ્પિનર કુલદીપ યાદવે પાકિસ્તાની ક્રિકેટરની પ્રશંસા કરી હતી. આનો એક વીડિયો સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહ્યો છે.
- Smit Chauhan
- Updated on: Sep 18, 2025
- 10:04 pm
T20 Asia Cup : એશિયા કપમાં પાકિસ્તાન સામે ભારતની જીતનો હિરો રહ્યો 30 વર્ષીય ક્રિકેટર
દુબઈમાં રમાયેલ ભારત અને પાકિસ્તાન વચ્ચેની એશિયા કપની છઠ્ઠી મેચમાં બોલર અને બેટ્સમેનના શાનદાર પ્રદર્શન પર ટીમ ઈન્ડિયાએ જીત મેળવી છે.પાકિસ્તાન સામેની આ મેચમાં, ભારતીય સ્પિન બોલરોએ પાકિસ્તાની બેટ્સમેનોને મુશ્કેલમાં નાંખી દીધા હતા.પાકિસ્તાન સામેની મેચમાં કુલદીપ યાદવે ઇતિહાસ રચ્યો છે.
- Nirupa Duva
- Updated on: Sep 15, 2025
- 11:35 am
Asia Cup 2025 : ટીમ ઈન્ડિયા અર્શદીપ સિંહ માટે આ ખેલાડીને બહાર કરશે? પાકિસ્તાન સામે પ્લેઈંગ 11 માં કોને મળશે સ્થાન?
એશિયા કપમાં UAE પર શાનદાર જીત મેળવ્યા બાદ, હવે ભારતીય ટીમનો મુકાબલો પાકિસ્તાન સામે થવાનો છે. આ મેચ 14 સપ્ટેમ્બરે દુબઈમાં રમાશે. આ મેચ પહેલા મોટો પ્રશ્ન એ છે કે ટીમ ઈન્ડિયાની પ્લેઈંગ ઈલેવન કેવી હશે? અને તેનાથી પણ મોટો સવાલ એ છે કે જો ફાસ્ટ બોલર અર્શદીપને ટીમમાં સામેલ કરવામાં આવશે તો કોણ બહાર થશે?
- Smit Chauhan
- Updated on: Sep 11, 2025
- 8:01 pm
Asia Cup 2025 : 1 ઓવરમાં 3 વિકેટ… એક વર્ષ પછી ટીમમાં વાપસી, આવતાની સાથે જ સચિન તેંડુલકરને પાછળ છોડી દીધો
એશિયા કપ 2025માં ટીમ ઈન્ડિયાએ સંયુક્ત આરબ અમીરાતની ટીમ સામે શાનદાર શરૂઆત કરી હતી. સ્ટાર સ્પિનર કુલદીપ યાદવે પોતાની એક ઓવરમાં જ UAE ટીમને બેકફૂટ પર ધકેલી દીધી હતી. તે 1 વર્ષથી વધુ સમય પછી ભારત માટે T20I મેચ રમવા આવ્યો હતો અને એક જ ઓવરમાં 3 વિકેટ લઈ તેણે તબાહી મચાવી દીધી હતી.
- Smit Chauhan
- Updated on: Sep 10, 2025
- 10:33 pm
કુલદીપ યાદવ અને અર્શદીપ સિંહ ટીમની બહાર, એશિયા કપ 2025 પહેલા મોટો નિર્ણય
લેફ્ટ આર્મ ફાસ્ટ બોલર અર્શદીપ સિંહ અને ચાઈનામેન સ્પિનર કુલદીપ યાદવને ટીમમાંથી બહાર કરવામાં આવ્યા છે. આ બંને ખેલાડીઓના બહાર થવાથી ટીમને મોટો ફટકો પડશે. એશિયા કપ 2025 પહેલા બંને સ્ટાર બોલરોને લઈ મોટો નિર્ણય લેવામાં આવ્યો હતો.
- Smit Chauhan
- Updated on: Sep 3, 2025
- 5:31 pm