AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

કુલદીપ યાદવ

કુલદીપ યાદવ

કુલદીપ યાદવએ તેના ક્રિકેટ સફરની શરૂઆત એક ફાસ્ટ બોલર તરીકે કાનપુર ક્રિકેટ એકેડમીમાં કરી હતી, પણ તેના કોચના આગ્રહ બાદ તે લેફ્ટ આર્મ સ્પિનર બન્યો હતો. ભારતમાં કુલદીપ યાદવની સ્કિલ સાથેના વધુ બોલર નથી અને તેથી ક્રિકેટ જગતમાં તે જલ્દી ચર્ચામાં આવ્યો હતો. તેણે 17-વર્ષની વયે પોતાની પ્રથમ અંડર-19 મેચ 2012માં રમી હતી. 2014માં અંડર-19 વિશ્વ કપમાં તેણે સ્પર્ધાની પોતાની બીજી મેચમાં હેટ્રીક ઝડપી હતી. આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં તેણે માર્ચ 2017માં ધર્મશાળામાં ઓસ્ટ્રેલિયા સામે ડેબ્યૂ કર્યુ હતુ અને પ્રથમ ઇનિંગમાં 4 વિકેટ ઝડપી હતી. વન-ડે અને ટી-20 ફોર્મેટમાં તેણે 2017માં વેસ્ટ ઇન્ડિઝ પ્રવાસ પર ડેબ્યૂ કર્યુ હતુ.કુલદીપ યાદવ પ્રથમ ભારતીય બોલર છે જેણે આતંરરાષ્ટ્રીય ક્રિકેટમાં બે હેટ્રીક લીધી છે. વન-ડે ક્રિકેટમાં 2017માં ઓસ્ટ્રેલિયા સામે અને 2019માં વેસ્ટ ઇન્ડિઝ સામે તેણે હેટ્રીક લીધી હતી.

Read More

Breaking News: IPL ટ્રેડ ડીલથી પંતને નુકસાન, કુલદીપને ફાયદો! LSG માં પણ મળશે એટલો જ પગાર

IPL 2027ની સૌથી મોટી ટ્રેડ ડીલમાં રિષભ પંત સાથે કુલદીપ યાદવ પણ ટીમ બદલતો જોવા મળશે. જોકે, જ્યાં પંતના પગારમાં ઘટાડો થયો છે, ત્યાં કુલદીપને કોઈ નુકસાન થયું નથી. દિલ્હી કેપિટલ્સ છોડીને લખનૌ સુપર જાયન્ટ્સમાં જોડાનાર આ સ્પિનરને અગાઉ જેટલો જ પગાર મળશે.

Breaking News: IPL ટ્રેડ વિન્ડો શું છે? ખેલાડીઓની ટ્રેડ ડીલ કેવી રીતે થાય છે? જાણો નિયમ

IPL 2027 પહેલા ટ્રેડ ડીલની ચર્ચાઓએ જોર પકડ્યું છે. હાર્દિક પંડ્યા-યશસ્વી જયસ્વાલ અને રિષભ પંત-કુલદીપ યાદવને લઈને વિવિધ અટકળો ચાલી રહી છે. આવા સમયે ઘણા ચાહકોના મનમાં સવાલ છે કે IPLમાં ખેલાડીઓની ટ્રેડિંગ કેવી રીતે થાય છે? ચાલો જાણીએ ટ્રેડ વિન્ડોના નિયમો અને તેની સંપૂર્ણ પ્રક્રિયા.

Breaking News: અપમાન કરવાનો કોઈ ઈરાદો નથી, પરંતુ… ટીમ ઈન્ડિયામાં કુલદીપ યાદવનું સ્થાન જોખમમાં!

ભારત અને અફઘાનિસ્તાન વચ્ચેની ત્રીજી વનડે પહેલાં કુલદીપ યાદવ ફરી ચર્ચામાં છે. છેલ્લા કેટલાક મહિનાથી નબળા પ્રદર્શનના કારણે તેના સ્થાન પર સવાલો ઉભા થયા છે. હવે ટીમ ઈન્ડિયાના સહાયક કોચ રાયન ટેન ડોસ્કેથે આપેલા નિવેદન બાદ કુલદીપની ટીમમાં સ્થિતિને લઈને નવી ચર્ચા શરૂ થઈ ગઈ છે.

Breaking News: IPL 2027 પહેલા લખનૌ અને દિલ્હી વચ્ચે સૌથી મોટો ટ્રેડ! 27 કરોડના સ્ટાર ખેલાડીની થશે ઘર વાપસી?

IPL 2027 પહેલા ટ્રાન્સફર માર્કેટમાં સૌથી મોટી હલચલ જોવા મળી શકે છે. અહેવાલો મુજબ, લખનૌ સુપર જાયન્ટ્સ અને દિલ્હી કેપિટલ્સ વચ્ચે મોટા ખેલાડીઓની અદલાબદલી અંગે ચર્ચા ચાલી રહી છે. આ ડીલ હેઠળ સ્ટાર સ્પિનર લખનૌમાં જોડાઈ શકે છે, જ્યારે 27 કરોડનો સ્ટાર ખેલાડી ફરી એકવાર દિલ્હી કેપિટલ્સની જર્સીમાં જોવા મળી શકે છે.

Breaking News: દિલ્હી કેપિટલ્સે 1, 2 નહીં 5 ખેલાડીઓને એકસાથે કર્યા બહાર, અડધી ટીમ જ બદલી નાખી

IPL 2026 માં દિલ્હી કેપિટલ્સનું પ્રદર્શન ખૂબ જ ખરાબ રહ્યું છે અને હવે એવું લાગે છે કે આ ટીમે તેના ખેલાડીઓ પરનો વિશ્વાસ ગુમાવી દીધો છે, જેના કારણે ટીમમાં 5 ફેરફારો કરવામાં આવ્યા છે.

ODI World Cup 2027માં નહીં રમે આ ખેલાડીઓ, ટીમ ઈન્ડિયામાં ગત વર્લ્ડ કપની સરખામણીએ જોવા મળી શકે છે 5 નવા ચહેરા

India Squad, ODI World Cup 2027: ભારતની વર્લ્ડ કપ ટીમ 2027માં કેવી હશે ? 2023 ના વર્લ્ડ કપની સરખામણીમાં ટીમ ઈન્ડિયા અલગ જોવા મળી શકે છે.

Breaking News: કુલદીપ યાદવે વંશિકા સાથે લીધા સાત ફેરા, લગ્નની તસવીરો સોશિયલ મીડિયા પર વાયરલ

ભારતીય ક્રિકેટ ટીમના સ્ટાર સ્પિનર કુલદીપ યાદવે પોતાના જીવનની નવી ઈનિંગ શરૂ કરી છે. તેણે ઉત્તરાખંડના સુંદર હિલ સ્ટેશન મસૂરીમાં તેની ફિયાન્સે વંશિકા સાથે શાહી અંદાજમાં લગ્ન કર્યા. આ લગ્ન સમારોહમાં પરિવારજનો, નજીકના મિત્રો અને ક્રિકેટ જગતની અનેક જાણીતી હસ્તીઓ હાજર રહી હતી. લગ્નની તસવીરો સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહી છે.

Breaking News: કુલદીપ યાદવે ભાવિ પત્ની સાથે કર્યો ડાન્સ, યુઝવેન્દ્ર ચહલે લૂંટી લીધી મહેફિલ

14 માર્ચે ભારતના સ્ટાર સ્પિનર કુલદીપ યાદવના લગ્ન થવાના છે. લગ્ન પહેલા 13 માર્ચે કુલદીપ યાદવના હલ્દી અને સંગીત સમારોહ યોજાયો હતો, જેમાં કુલદીપ-વંશિકાની સાથે ચહલ અને અન્ય મહેમાનોએ મજેદાર ડાન્સ કર્યો હતો. જેના વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયા છે.

Breaking News: કુલદીપના લગ્નમાં ધમાલ મચાવવા પહોંચ્યો ચહલ, રિંકુએ પ્રિયા સરોજ સાથે મારી દેહરાદૂનમાં એન્ટ્રી

ભારતીય ક્રિકેટ ટીમનો સ્ટાર સ્પિનર કુલદીપ યાદવ પોતાના વ્યક્તિગત જીવનના નવા અધ્યાયમાં પ્રવેશવા જઈ રહ્યો છે. 14 માર્ચે મસૂરીના સેવોય હોટેલમાં તે તેની મંગેતર વંશિકા ચઢ્ઢા સાથે લગ્નના બંધનમાં બંધાશે. આ ખાસ પ્રસંગે ભારતીય ક્રિકેટ જગતના ઘણા જાણીતા ખેલાડીઓ હાજર રહેવાના છે, જેમાં યુઝવેન્દ્ર ચહલ અને રિંકુ સિંહ પહેલાથી જ દેહરાદૂન પહોંચી ગયા છે.

T20 WC: વર્લ્ડ ચેમ્પિયન ટીમ ઈન્ડિયાની ‘બેચલર ક્લબ’… અડધાથી વધુ ખેલાડીઓ છે અવિવાહિત

T20 વર્લ્ડ કપ 2026: ભારતીય ટીમે ન્યુઝીલેન્ડને હરાવીને તેનો ત્રીજો T20 વર્લ્ડ કપ જીત્યો. આ ટીમના ઘણા ખેલાડીઓ બેચલર ક્લબનો ભાગ છે. ચાલો જાણીએ કે કયા ખેલાડીઓ હજુ પણ અવિવાહિત છે.

T20 વર્લ્ડ કપ જીત્યા બાદ ચાઈનામેન લગ્નના બંધનમાં બંધાશે, જુઓ ફોટો

ભારતીય ક્રિકેટ ટીમના સ્ટાર સ્પિનર ​​કુલદીપ યાદવ ટૂંક સમયમાં નવી ઈનિગ્સ શરૂ કરશે. તે 14 માર્ચ, 2026 ના રોજ વંશિકા સાથે લગ્ન કરશે. રિપોર્ટ મુજબ લગ્ન સમારોહ ઉત્તરાખંડના મસૂરીના સુંદર હિલ સ્ટેશનમાં એક લક્ઝરી રિસોર્ટમાં યોજાશે.

T20 WC Breaking : અક્ષર પટેલ અને કુલદીપ યાદવ બહાર, આ ખેલાડીને પહેલીવાર તક મળી

ટીમ ઈન્ડિયાએ T20 વર્લ્ડ કપમાં નેધરલેન્ડ્સ સામે ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરવાનો નિર્ણય લીધો હતો. આ ટુર્નામેન્ટમાં ટીમ ઈન્ડિયાએ પહેલી વાર ટોસ જીત્યો અને બે મુખ્ય ખેલાડીઓને બેન્ચ પર બેસાડ્યા છે. જ્યારે એક ખેલાડીને પહેલીવાર વર્લ્ડ કપમાં રમવાની તક મળી છે.

IND vs SA: ટીમ ઈન્ડિયાની ‘લકી જોડી’ રમવા તૈયાર, જો આફ્રિકા લખનૌમાં હાર્યું, તો સતત 14મી વખત આવું થશે

ભારત અને દક્ષિણ આફ્રિકા વચ્ચે ચોથી T20 આંતરરાષ્ટ્રીય મેચ લખનૌમાં રમાશે. આ સ્થળે બંને ટીમો વચ્ચે આ પહેલીવાર T20 મેચ યોજાશે. ભારતે ત્યાં રમાયેલી અગાઉની બધી T20I મેચ જીતી છે. આ મેચમાં ટીમ ઈન્ડિયાની લકી જોડી ફરી કમાલ કરવા તૈયાર છે.

ટીમ ઈન્ડિયાના ધુરંધર, બાહુબલી, સૈયારા, દબંગ અને દિલદાર કોણ છે? યશસ્વી જયસ્વાલે કર્યો ખુલાસો

"ધુરંધર" ફિલ્મ વિશે તો બધાએ સાંભળ્યું જ હશે, પણ શું તમે જાણો છો કે ટીમ ઈન્ડિયાનો ધુરંધર કોણ છે? સૈયારા, દબંગ કે બાહુબલી કોણ છે? યશસ્વી જયસ્વાલે એક પછી એક તેમના નામ જાહેર કર્યા છે.

Breaking News: સંજુ સેમસનનું ફરી પત્તું કપાયું, આ ત્રણ સ્ટાર ખેલાડીઓ પણ બહાર, ટીમ ઈન્ડિયાનો મોટો નિર્ણય

ટીમ ઈન્ડિયાએ દક્ષિણ આફ્રિકા સામેની પ્રથમ T20I માટે પ્લેઈંગ 11 ની પસંદગી કરી. સ્ટાર વિકેટકીપર-બેટ્સમેન સંજુ સેમસન સહિત ચાર સ્ટાર ખેલાડીઓને બેન્ચ પર રાખવામાં આવ્યા. સંજુ સેમસનનું ફરી પત્તું કપાયું છે.

g clip-path="url(#clip0_868_265)">