કુલદીપ યાદવ
કુલદીપ યાદવએ તેના ક્રિકેટ સફરની શરૂઆત એક ફાસ્ટ બોલર તરીકે કાનપુર ક્રિકેટ એકેડમીમાં કરી હતી, પણ તેના કોચના આગ્રહ બાદ તે લેફ્ટ આર્મ સ્પિનર બન્યો હતો. ભારતમાં કુલદીપ યાદવની સ્કિલ સાથેના વધુ બોલર નથી અને તેથી ક્રિકેટ જગતમાં તે જલ્દી ચર્ચામાં આવ્યો હતો. તેણે 17-વર્ષની વયે પોતાની પ્રથમ અંડર-19 મેચ 2012માં રમી હતી. 2014માં અંડર-19 વિશ્વ કપમાં તેણે સ્પર્ધાની પોતાની બીજી મેચમાં હેટ્રીક ઝડપી હતી. આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં તેણે માર્ચ 2017માં ધર્મશાળામાં ઓસ્ટ્રેલિયા સામે ડેબ્યૂ કર્યુ હતુ અને પ્રથમ ઇનિંગમાં 4 વિકેટ ઝડપી હતી. વન-ડે અને ટી-20 ફોર્મેટમાં તેણે 2017માં વેસ્ટ ઇન્ડિઝ પ્રવાસ પર ડેબ્યૂ કર્યુ હતુ.કુલદીપ યાદવ પ્રથમ ભારતીય બોલર છે જેણે આતંરરાષ્ટ્રીય ક્રિકેટમાં બે હેટ્રીક લીધી છે. વન-ડે ક્રિકેટમાં 2017માં ઓસ્ટ્રેલિયા સામે અને 2019માં વેસ્ટ ઇન્ડિઝ સામે તેણે હેટ્રીક લીધી હતી.
Breaking News: કુલદીપ યાદવે વંશિકા સાથે લીધા સાત ફેરા, લગ્નની તસવીરો સોશિયલ મીડિયા પર વાયરલ
ભારતીય ક્રિકેટ ટીમના સ્ટાર સ્પિનર કુલદીપ યાદવે પોતાના જીવનની નવી ઈનિંગ શરૂ કરી છે. તેણે ઉત્તરાખંડના સુંદર હિલ સ્ટેશન મસૂરીમાં તેની ફિયાન્સે વંશિકા સાથે શાહી અંદાજમાં લગ્ન કર્યા. આ લગ્ન સમારોહમાં પરિવારજનો, નજીકના મિત્રો અને ક્રિકેટ જગતની અનેક જાણીતી હસ્તીઓ હાજર રહી હતી. લગ્નની તસવીરો સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહી છે.
- Smit Chauhan
- Updated on: Mar 14, 2026
- 10:23 pm
Breaking News: કુલદીપ યાદવે ભાવિ પત્ની સાથે કર્યો ડાન્સ, યુઝવેન્દ્ર ચહલે લૂંટી લીધી મહેફિલ
14 માર્ચે ભારતના સ્ટાર સ્પિનર કુલદીપ યાદવના લગ્ન થવાના છે. લગ્ન પહેલા 13 માર્ચે કુલદીપ યાદવના હલ્દી અને સંગીત સમારોહ યોજાયો હતો, જેમાં કુલદીપ-વંશિકાની સાથે ચહલ અને અન્ય મહેમાનોએ મજેદાર ડાન્સ કર્યો હતો. જેના વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયા છે.
- Smit Chauhan
- Updated on: Mar 13, 2026
- 8:22 pm
Breaking News: કુલદીપના લગ્નમાં ધમાલ મચાવવા પહોંચ્યો ચહલ, રિંકુએ પ્રિયા સરોજ સાથે મારી દેહરાદૂનમાં એન્ટ્રી
ભારતીય ક્રિકેટ ટીમનો સ્ટાર સ્પિનર કુલદીપ યાદવ પોતાના વ્યક્તિગત જીવનના નવા અધ્યાયમાં પ્રવેશવા જઈ રહ્યો છે. 14 માર્ચે મસૂરીના સેવોય હોટેલમાં તે તેની મંગેતર વંશિકા ચઢ્ઢા સાથે લગ્નના બંધનમાં બંધાશે. આ ખાસ પ્રસંગે ભારતીય ક્રિકેટ જગતના ઘણા જાણીતા ખેલાડીઓ હાજર રહેવાના છે, જેમાં યુઝવેન્દ્ર ચહલ અને રિંકુ સિંહ પહેલાથી જ દેહરાદૂન પહોંચી ગયા છે.
- Smit Chauhan
- Updated on: Mar 13, 2026
- 6:40 pm
T20 WC: વર્લ્ડ ચેમ્પિયન ટીમ ઈન્ડિયાની ‘બેચલર ક્લબ’… અડધાથી વધુ ખેલાડીઓ છે અવિવાહિત
T20 વર્લ્ડ કપ 2026: ભારતીય ટીમે ન્યુઝીલેન્ડને હરાવીને તેનો ત્રીજો T20 વર્લ્ડ કપ જીત્યો. આ ટીમના ઘણા ખેલાડીઓ બેચલર ક્લબનો ભાગ છે. ચાલો જાણીએ કે કયા ખેલાડીઓ હજુ પણ અવિવાહિત છે.
- Smit Chauhan
- Updated on: Mar 10, 2026
- 11:57 pm
T20 વર્લ્ડ કપ જીત્યા બાદ ચાઈનામેન લગ્નના બંધનમાં બંધાશે, જુઓ ફોટો
ભારતીય ક્રિકેટ ટીમના સ્ટાર સ્પિનર કુલદીપ યાદવ ટૂંક સમયમાં નવી ઈનિગ્સ શરૂ કરશે. તે 14 માર્ચ, 2026 ના રોજ વંશિકા સાથે લગ્ન કરશે. રિપોર્ટ મુજબ લગ્ન સમારોહ ઉત્તરાખંડના મસૂરીના સુંદર હિલ સ્ટેશનમાં એક લક્ઝરી રિસોર્ટમાં યોજાશે.
- Nirupa Duva
- Updated on: Mar 10, 2026
- 3:32 pm
T20 WC Breaking : અક્ષર પટેલ અને કુલદીપ યાદવ બહાર, આ ખેલાડીને પહેલીવાર તક મળી
ટીમ ઈન્ડિયાએ T20 વર્લ્ડ કપમાં નેધરલેન્ડ્સ સામે ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરવાનો નિર્ણય લીધો હતો. આ ટુર્નામેન્ટમાં ટીમ ઈન્ડિયાએ પહેલી વાર ટોસ જીત્યો અને બે મુખ્ય ખેલાડીઓને બેન્ચ પર બેસાડ્યા છે. જ્યારે એક ખેલાડીને પહેલીવાર વર્લ્ડ કપમાં રમવાની તક મળી છે.
- Smit Chauhan
- Updated on: Feb 18, 2026
- 7:11 pm
IND vs SA: ટીમ ઈન્ડિયાની ‘લકી જોડી’ રમવા તૈયાર, જો આફ્રિકા લખનૌમાં હાર્યું, તો સતત 14મી વખત આવું થશે
ભારત અને દક્ષિણ આફ્રિકા વચ્ચે ચોથી T20 આંતરરાષ્ટ્રીય મેચ લખનૌમાં રમાશે. આ સ્થળે બંને ટીમો વચ્ચે આ પહેલીવાર T20 મેચ યોજાશે. ભારતે ત્યાં રમાયેલી અગાઉની બધી T20I મેચ જીતી છે. આ મેચમાં ટીમ ઈન્ડિયાની લકી જોડી ફરી કમાલ કરવા તૈયાર છે.
- Smit Chauhan
- Updated on: Dec 17, 2025
- 4:02 pm
ટીમ ઈન્ડિયાના ધુરંધર, બાહુબલી, સૈયારા, દબંગ અને દિલદાર કોણ છે? યશસ્વી જયસ્વાલે કર્યો ખુલાસો
"ધુરંધર" ફિલ્મ વિશે તો બધાએ સાંભળ્યું જ હશે, પણ શું તમે જાણો છો કે ટીમ ઈન્ડિયાનો ધુરંધર કોણ છે? સૈયારા, દબંગ કે બાહુબલી કોણ છે? યશસ્વી જયસ્વાલે એક પછી એક તેમના નામ જાહેર કર્યા છે.
- Smit Chauhan
- Updated on: Dec 11, 2025
- 4:59 pm
Breaking News: સંજુ સેમસનનું ફરી પત્તું કપાયું, આ ત્રણ સ્ટાર ખેલાડીઓ પણ બહાર, ટીમ ઈન્ડિયાનો મોટો નિર્ણય
ટીમ ઈન્ડિયાએ દક્ષિણ આફ્રિકા સામેની પ્રથમ T20I માટે પ્લેઈંગ 11 ની પસંદગી કરી. સ્ટાર વિકેટકીપર-બેટ્સમેન સંજુ સેમસન સહિત ચાર સ્ટાર ખેલાડીઓને બેન્ચ પર રાખવામાં આવ્યા. સંજુ સેમસનનું ફરી પત્તું કપાયું છે.
- Smit Chauhan
- Updated on: Dec 9, 2025
- 7:04 pm
IND vs SA : રાયપુરમાં રહ્યા ફ્લોપ, વિશાખાપટ્ટનમમાં 4-4 વિકેટ લઈ કુલદીપ-કૃષ્ણાએ કર્યો કમાલ
છેલ્લી મેચમાં સૌથી વધુ રન આપનાર બે ભારતીય બોલરોએ શ્રેણીની નિર્ણાયક મેચમાં મજબૂત વાપસી કરી હતી. આ બંને બોલરોએ સમાન વિકેટો તો લીધી છે, સાથે જ એક બોલરે જે કમાલ કર્યો તે અન્ય બોલરે 10 ઓવર બાદ કરી બતાવ્યો. બંને બોલરોએ આફ્રિકાની બેટિંગને ઘ્વસ્ત કરીને તેમને મોટો સ્કોર કરતા અટકાવી દીધા.
- Smit Chauhan
- Updated on: Dec 6, 2025
- 7:16 pm
IND vs SA: 358 રન બનાવવા છતાં રાયપુરમાં ભારત કેમ હારી ગયું? જાણો તેના 5 મુખ્ય કારણો
રાયપુરમાં ભારતનો કારમો પરાજય થયો. ટીમ ઈન્ડિયા 358 રન બનાવવા છતાં મેચ હારી ગઈ. દક્ષિણ આફ્રિકા સારું રમ્યું, પરંતુ આ સાથે ભારતીય ટીમે ખરાબ રમવામાં કોઈ કસર છોડી નહીં. ચાલો સમજીએ કે આટલા ઊંચા સ્કોર છતાં ટીમ કેમ હારી ગઈ. જાણો ભારતની હારના 5 મુખ્ય કારણો.
- Smit Chauhan
- Updated on: Dec 3, 2025
- 10:46 pm
IND vs SA : હું વારંવાર નહીં કહું… કેપ્ટન રિષભ પંત પોતાના જ ખેલાડીઓથી થયો નારાજ
ગુવાહાટી ટેસ્ટમાં ભારતીય ટીમને 549 રનનો લક્ષ્યાંક આપવામાં આવ્યો હતો. બેટિંગની સાથે ભારતીય બોલરોએ પણ આ મેચમાં ખરાબ પ્રદર્શન કર્યું. બીજી ઇનિંગમાં કેપ્ટન રિષભ પંત પોતાની જ ટીમના ખેલાડીઓ પર ગુસ્સે ભરાયો હતો.
- Smit Chauhan
- Updated on: Nov 25, 2025
- 4:13 pm
IND vs SA: કુલદીપ યાદવ દક્ષિણ આફ્રિકા સામેની શ્રેણીમાંથી થશે બહાર? આ છે કારણ
કુલદીપ યાદવ દક્ષિણ આફ્રિકા સામેની બીજી ટેસ્ટમાંથી બહાર થઈ શકે છે. આ પાછળનું કારણ વ્યક્તિગત છે. જોકે, આ નિર્ણયની હજુ સુધી સત્તાવાર પુષ્ટિ થઈ નથી.
- Smit Chauhan
- Updated on: Nov 15, 2025
- 11:16 am
IND vs SA : ટેમ્બા બાવુમાની વિકેટ કુલદીપ યાદવ માટે યાદગાર કેમ બની ગઈ? કારણ છે ખાસ
કુલદીપ યાદવે કોલકાતા ટેસ્ટમાં આફ્રિકન કેપ્ટન ટેમ્બા બાવુમાને આઉટ કરીને મેચમાં પહેલી સફળતા મેળવી હતી. જોકે, ઈડન ગાર્ડન્સ ખાતે રમાઈ રહેલી ટેસ્ટ મેચમાં તેની આ વિકેટ ખાસ સાબિત થઈ હતી. જાણો કેવી રીતે.
- Smit Chauhan
- Updated on: Nov 14, 2025
- 8:39 pm
કુલદીપ યાદવ ઓસ્ટ્રેલિયાથી ભારત પરત ફરશે, અચાનક ટીમ ઈન્ડિયામાંથી બહાર કરવામાં આવ્યો, જાણો કેમ
ઓસ્ટ્રેલિયા સામે પાંચ મેચની T20 શ્રેણીમાં રમી રહેલા કુલદીપ યાદવને અચાનક ભારતીય ટીમમાંથી રિલીઝ કરવામાં આવ્યો છે. તે તાત્કાલિક ભારત પરત ફરી રહ્યો છે. ચાઈનામેન બોલર કુલદીપ યાદવને એક ખાસ કારણથી ટીમમાંથી બહાર કરવામાં આવ્યો છે.
- Smit Chauhan
- Updated on: Nov 2, 2025
- 11:50 pm