ઈન્સ્યોરન્સ
ભવિષ્યમાં કોઈપણ નુકસાનની શક્યતાનો સામનો કરવા માટે વીમો એક અસરકારક શસ્ત્ર છે. આપણને ખબર નથી કે આવતીકાલે શું થશે, તેથી આપણે વીમા પૉલિસી દ્વારા સંભવિત ભાવિ નુકસાનની ભરપાઈ કરવાનો પ્રયાસ કરીએ છીએ.
વીમો એટલે જોખમ સામે રક્ષણ. જો કોઈ વીમા કંપની કોઈ વ્યક્તિનો વીમો લે છે, તો વીમા કંપની તે વ્યક્તિ દ્વારા ભોગવવામાં આવેલ નાણાકીય નુકસાનની ભરપાઈ કરશે.
તેવી જ રીતે, જો વીમા કંપનીએ કાર, ઘર અથવા સ્માર્ટફોનનો વીમો કરાવ્યો હોય, તો તે વસ્તુ તૂટવા, નુકશાન થવા કે તેમાં ખામી સર્જાવાના કિસ્સામાં, વીમા કંપની તેના માલિકને પૂર્વ નિર્ધારિત શરતો મુજબ વળતર આપે છે.
વીમો વાસ્તવમાં વીમા કંપની અને વીમાધારક વ્યક્તિ વચ્ચેનો કરાર છે. આ કરાર હેઠળ, વીમા કંપની વીમાધારક પાસેથી એક નિશ્ચિત રકમ (પ્રીમિયમ) લે છે અને વીમાધારક વ્યક્તિ અથવા કંપનીને પૉલિસીની શરતો અનુસાર કોઈપણ નુકસાનના કિસ્સામાં વળતર ચૂકવે છે.
વીમાના કેટલા પ્રકાર છે? સામાન્ય રીતે બે પ્રકારના વીમા હોય છે. જીવન વીમો અને સામાન્ય વીમો. જીવન વીમામાં વ્યક્તિના જીવનનો વીમો લેવામાં આવે છે. જ્યારે
સામાન્ય વીમામાં વાહન, મકાન, પશુ, પાક, આરોગ્ય વીમો વગેરેનો સમાવેશ થાય છે.
Breaking News : Covid વેક્સીનેશન મામલે સુપ્રીમ કોર્ટનો મોટો ચુકાદો, અસરગ્રસ્તનો પરિવાર માટે ‘નો-ફોલ્ટ’ વળતર નીતિ ઘડવાનો આપ્યો નિર્દેશ
આ કેસમાં માતા-પિતા દ્વારા દાખલ કરવામાં આવ્યો હતો જેમણે 2021 માં કોવિશિલ્ડ રસી લીધા પછી તેમની પુત્રીઓના મૃત્યુ માટે વળતરની માંગ કરી હતી. પણ પછી અરજીમાં એ પણ દાવો કરવામાં આવ્યો હતો કે રસીકરણ પછી બંનેને દીકરી ને ગંભીર આડઅસર થઈ હતી.
- TV9 Gujarati
- Updated on: Mar 11, 2026
- 11:24 am
Iran Israel War : ફરવા ગયા છો ને ફસાઈ ગયા છો ? જાણો યુદ્ધ દરમિયાન મુસાફરી વીમામાં શું આવરી લેવાય છે ?
ઈરાન પરના હુમલાને પગલે, મધ્ય પૂર્વમાં વધતા તણાવ વચ્ચે દુબઈ અને ઈરાનમાં ફસાયેલા હજારો મુસાફરો માટે મુસાફરી વીમો ઉપયોગી થાય કે નહીં ? આવી પરિસ્થિતિઓમાં મુસાફરી વીમો શું આવરી શકે છે.
- TV9 Gujarati
- Updated on: Mar 3, 2026
- 2:51 pm
જો ઈરાન-ઈઝરાયેલ જંગમાં બુર્જ ખલીફાને નુકસાન પહોંચે તો વળતર કોણ ચૂકવશે ? જાણો શું છે ‘વોર રિસ્ક’ નિયમ
વિશ્વની સૌથી ઊંચી ઈમારત બુર્જ ખલીફા માત્ર દુબઈની ઓળખ નથી, પરંતુ અબજો ડોલરની સંપત્તિ છે. મધ્ય-પૂર્વમાં ફાટી નીકળેલા યુદ્ધ વચ્ચે સવાલ ઉઠી રહ્યો છે કે જો આ ઐતિહાસિક ટાવરને નુકસાન થાય તો વીમા કંપનીઓ કેટલા પૈસા ચૂકવશે અને સરકારની શું ભૂમિકા હશે?
- Sachin Agrawal
- Updated on: Mar 2, 2026
- 8:43 pm
શું તમારા પાકીટમાં ડેબિટ કાર્ડ છે ? તો તમને મળી શકે છે ₹10 લાખનો મફત વીમો, જાણો શું છે પ્રોસેસ
શું તમને ખબર છે કે, તમારા ખિસ્સામાં રહેલું ડેબિટ કાર્ડ ₹10 લાખ સુધીની ફ્રી ઇન્શ્યોરન્સ પોલિસી પણ આપે છે? ખાસ વાત એ છે કે, આ વીમા માટે બેંક તમારી પાસેથી એક રૂપિયો પણ ચાર્જ નથી લેતી.
- Ravi Prajapati
- Updated on: Feb 24, 2026
- 8:37 pm
ઝીરો ડેપ ઈન્સ્યોરન્સ ફાયદાકારક છે ? તેના ગેરફાયદા વિશે જાણો
આજકાલ, મોટાભાગના લોકો તેમની કાર માટે ઝીરો ડેપ્રિસિએશન ઈન્સ્યોરન્સ પસંદ કરે છે. તેને સામાન્ય રીતે ઝીરો ડેપ ઈન્સ્યોરન્સ તરીકે પણ ઓળખવામાં આવે છે. લોકો ધારે છે કે, ઝીરો ડેપ ઈન્સ્યોરન્સ લીધા પછી જો કારને કોઈ પ્રકારે નુકસાન થાય છે, તો કંપની તેના માટે સંપૂર્ણ વળતર આપશે, પરંતુ આ સાચું નથી.
- TV9 Gujarati
- Updated on: Feb 24, 2026
- 1:27 pm
નોકરિયાત વર્ગ માટે ખુશખબર… એક પણ રૂપિયો ખર્ચ્યા વગર મેળવો 7 લાખનો વીમો, તમારા પરિવારને મુશ્કેલીમાં સાથ આપશે આ ‘સ્કીમ’
નોકરિયાત વર્ગ માટે એક મહત્વના સમાચાર સામે આવ્યા છે, જેમાં હવે પીએફ (PF) કપાવતા કર્મચારીઓને એક પણ રૂપિયો ખર્ચ્યા વગર 7 લાખ રૂપિયા સુધીનું 'વીમા કવચ' મળી શકે છે.
- Ravi Prajapati
- Updated on: Feb 7, 2026
- 11:31 am
Breaking News : અમદાવાદ પ્લેન ક્રેશમાં વીમા કંપનીએ એર ઈન્ડિયાને 1,125 કરોડની કરી ક્લેમની ચુકવણી, મૃતકોના પરિવારને પણ નાણાં ચુકવ્યા
અમદાવાદ પ્લેન ક્રેશની ઘટનાને 6 મહિના પૂર્ણ થઇ ગયા છે અને આખરે હવે પ્લેન ક્રેશના મૃતકોના પરિવારને વીમા કંપની દ્વારા ક્લેમની રકમની ચુકવણી કરી દેવામાં આવી છે. અમદાવાદ વિમાન દુર્ઘટનામાં હલ અને એન્જિનના નુકસાન માટે રિઇન્શ્યોરર્સે એર ઇન્ડિયાને $125 મિલિયન ચૂકવ્યા છે સાથે જ મૃતકોના પરિવારને પણ વીમા ક્લેમની રકમ આપી દેવામાં આવી છે.
- Tanvi Soni
- Updated on: Jan 24, 2026
- 12:47 pm
Breaking News : સરકારે કરી સૌથી મોટી જાહેરાત ! કર્મચારીઓને હવે મળશે ’20 લાખ’ રૂપિયા સુધીનું ‘હેલ્થ ઈન્શ્યોરન્સ’
સરકારે કર્મચારીઓના હિતમાં સૌથી મોટી જાહેરાત કરી છે. નવી જાહેરાત મુજબ હવે કર્મચારીઓને 20 લાખ રૂપિયા સુધીનું હેલ્થ ઈન્શ્યોરન્સ કવર આપવામાં આવશે. આ નિર્ણયથી દેશભરના વર્કિંગ પ્રોફેશનલ્સને મોટી રાહત મળશે.
- Ravi Prajapati
- Updated on: Jan 16, 2026
- 3:03 pm
દિવસની ‘ચા’ કરતાં પણ સસ્તું પ્રીમિયમ ! ₹20 ભરો અને 2 લાખ રૂપિયાનો વીમો મેળવો, સરકારની આ યોજના તો અદભૂત છે
મોટાભાગના લોકો મોંઘા પ્રીમિયમને કારણે હેલ્થ અથવા લાઈફ ઈન્સ્યોરન્સ લેતા નથી. જો કે, મોદી સરકાર દ્વારા શરૂ કરાયેલી એક યોજના હેઠળ, તમે 20 રૂપિયાનું પ્રીમિયમ ચૂકવીને 2 લાખ રૂપિયા સુધીનું કવરેજ મેળવી શકો છો.
- Ravi Prajapati
- Updated on: Nov 29, 2025
- 2:12 pm
Bank Account Rules: ઝીરો બેલેન્સ હોવા છતાં પણ મળશે ‘2 લાખનો વીમો’ અને ₹10,000 ઉપાડવાની સુવિધા
શું તમે ક્યારેય સાંભળ્યું છે કે, ઝીરો બેલેન્સ હોવા છતાં પણ તમે તમારા બેંક ખાતામાંથી પૈસા ઉપાડી શકો છો? વાત એમ છે કે, હવે તમે કટોકટીની સ્થિતિમાં બેંક ખાતામાંથી ફંડ આરામથી ઉપાડી શકો છો.
- Ravi Prajapati
- Updated on: Nov 28, 2025
- 5:22 pm
ક્લેમ સેટલમેન્ટથી લઈને રિફંડ સુધી… દરેક સમસ્યાનું એક જ સોલ્યુશન! ઈન્સ્યોરન્સ કંપનીની ફરિયાદ અહીંયા કરો, ઝડપી ઉકેલ મળશે
જો તમારી ઈન્સ્યોરન્સ કંપની ક્લેમ, રિફંડ અથવા પોલિસી ફેરફાર કરવામાં મોડું કરે છે, તો તમે તેની ફરિયાદ એક ઓનલાઇન પોર્ટલ પર કરી શકો છો. 'IRDAI' આ અપગ્રેડેડ સિસ્ટમ ફરિયાદોને ટ્રેક અને મોનિટર કરે છે, જેનાથી તેનો ઉકેલ ઝડપી આવે.
- Ravi Prajapati
- Updated on: Nov 1, 2025
- 5:22 pm
થર્ડ પાર્ટી કે કોમ્પ્રેહેન્સિવ ઈન્સ્યોરન્સ ? કયો કાર વીમો લેવો વધુ સારો ?
કાર વીમો લેવો એ ફક્ત ઔપચારિકતા નથી, પરંતુ કાયદાની સાથેસાથે તમારા આત્મવિશ્વાસ અને સુરક્ષા વિશેનો પણ એક મહત્વપૂર્ણ નિર્ણય છે. થર્ડ પાર્ટી વીમો કાનૂની રક્ષણ પૂરું પાડે છે. જ્યારે કોમ્પ્રેહેન્સિવ વીમો દરેક સંભવિત ખતરા સામે રક્ષણ આપે છે.
- TV9 Gujarati
- Updated on: Oct 31, 2025
- 2:44 pm
પેટ્રોલ- ડિઝલના વાહનની સરખામણીએ ઈલેક્ટ્રિક વ્હીકલનો ઈન્સ્યોરન્સ મોંધો કેમ હોય છે ?
ઈલેક્ટ્રિક વ્હિકલનો ઈન્સ્યોરન્સ અન્ય વાહનોની સરખામણીએ, વધુ મોંઘો હોય છે. આના માટે કેટલાક કારણો પણ છે. મોંઘી બેટરી, મર્યાદિત રિપેર વિકલ્પો, હાઇ-ટેક સુવિધાઓ અને જોખમ પરિબળો મહત્વના માનવામાં આવે છે. જો કે, જેમ જેમ ભારતમાં ઈલેક્ટ્રિક વ્હિકલ બજાર વધશે, તેમ તેમ પ્રીમિયમ પણ સામાન્ય સ્તરે પાછા આવશે.
- TV9 Gujarati
- Updated on: Sep 25, 2025
- 2:55 pm
આવી ગયો ફટાકડા વીમો ! આ એપથી માત્ર ₹11 માં ખરીદો અને ₹25,000નું કવરેજ મેળવો
આ એપ દિવાળી માટે એક ખાસ ફટાકડા વીમા યોજના શરૂ કરી છે, જે ફક્ત ₹11 માં ઉપલબ્ધ છે. આ વીમો ફટાકડા સંબંધિત અકસ્માતો સામે ₹25,000 સુધીનું કવરેજ પૂરું પાડે છે. આ યોજના પોલિસીધારક અને પરિવારના સભ્યો બંનેને આવરી લે છે. જાણો વિગતે.
- Manish Gangani
- Updated on: Sep 24, 2025
- 7:11 pm
LICની શાનદાર યોજના : માત્ર એકવાર રોકાણ કરો અને આજીવન ₹15,000 પેન્શન મેળવો – જાણો વિગતે
LIC ની અનોખી પોલિસી, જીવન ઉત્સવ, ખાસ કરીને નિવૃત્તિ પછી માસિક પેન્શન આપવા માટે બનાવવામાં આવી છે. તે એક પરંપરાગત યોજના છે જે બજારના વધઘટથી સુરક્ષિત છે. આ યોજના હેઠળ, તમને નિવૃત્તિ પછી માસિક 15,000 રૂપિયા પેન્શન મળે છે. ચાલો તેને વિગતવાર સમજીએ...
- Manish Gangani
- Updated on: Sep 24, 2025
- 3:44 pm