ઈન્સ્યોરન્સ
ભવિષ્યમાં કોઈપણ નુકસાનની શક્યતાનો સામનો કરવા માટે વીમો એક અસરકારક શસ્ત્ર છે. આપણને ખબર નથી કે આવતીકાલે શું થશે, તેથી આપણે વીમા પૉલિસી દ્વારા સંભવિત ભાવિ નુકસાનની ભરપાઈ કરવાનો પ્રયાસ કરીએ છીએ.
વીમો એટલે જોખમ સામે રક્ષણ. જો કોઈ વીમા કંપની કોઈ વ્યક્તિનો વીમો લે છે, તો વીમા કંપની તે વ્યક્તિ દ્વારા ભોગવવામાં આવેલ નાણાકીય નુકસાનની ભરપાઈ કરશે.
તેવી જ રીતે, જો વીમા કંપનીએ કાર, ઘર અથવા સ્માર્ટફોનનો વીમો કરાવ્યો હોય, તો તે વસ્તુ તૂટવા, નુકશાન થવા કે તેમાં ખામી સર્જાવાના કિસ્સામાં, વીમા કંપની તેના માલિકને પૂર્વ નિર્ધારિત શરતો મુજબ વળતર આપે છે.
વીમો વાસ્તવમાં વીમા કંપની અને વીમાધારક વ્યક્તિ વચ્ચેનો કરાર છે. આ કરાર હેઠળ, વીમા કંપની વીમાધારક પાસેથી એક નિશ્ચિત રકમ (પ્રીમિયમ) લે છે અને વીમાધારક વ્યક્તિ અથવા કંપનીને પૉલિસીની શરતો અનુસાર કોઈપણ નુકસાનના કિસ્સામાં વળતર ચૂકવે છે.
વીમાના કેટલા પ્રકાર છે? સામાન્ય રીતે બે પ્રકારના વીમા હોય છે. જીવન વીમો અને સામાન્ય વીમો. જીવન વીમામાં વ્યક્તિના જીવનનો વીમો લેવામાં આવે છે. જ્યારે
સામાન્ય વીમામાં વાહન, મકાન, પશુ, પાક, આરોગ્ય વીમો વગેરેનો સમાવેશ થાય છે.
દિવસની ‘ચા’ કરતાં પણ સસ્તું પ્રીમિયમ ! ₹20 ભરો અને 2 લાખ રૂપિયાનો વીમો મેળવો, સરકારની આ યોજના તો અદભૂત છે
મોટાભાગના લોકો મોંઘા પ્રીમિયમને કારણે હેલ્થ અથવા લાઈફ ઈન્સ્યોરન્સ લેતા નથી. જો કે, મોદી સરકાર દ્વારા શરૂ કરાયેલી એક યોજના હેઠળ, તમે 20 રૂપિયાનું પ્રીમિયમ ચૂકવીને 2 લાખ રૂપિયા સુધીનું કવરેજ મેળવી શકો છો.
- Ravi Prajapati
- Updated on: Nov 29, 2025
- 2:12 pm
Bank Account Rules: ઝીરો બેલેન્સ હોવા છતાં પણ મળશે ‘2 લાખનો વીમો’ અને ₹10,000 ઉપાડવાની સુવિધા
શું તમે ક્યારેય સાંભળ્યું છે કે, ઝીરો બેલેન્સ હોવા છતાં પણ તમે તમારા બેંક ખાતામાંથી પૈસા ઉપાડી શકો છો? વાત એમ છે કે, હવે તમે કટોકટીની સ્થિતિમાં બેંક ખાતામાંથી ફંડ આરામથી ઉપાડી શકો છો.
- Ravi Prajapati
- Updated on: Nov 28, 2025
- 5:22 pm
ક્લેમ સેટલમેન્ટથી લઈને રિફંડ સુધી… દરેક સમસ્યાનું એક જ સોલ્યુશન! ઈન્સ્યોરન્સ કંપનીની ફરિયાદ અહીંયા કરો, ઝડપી ઉકેલ મળશે
જો તમારી ઈન્સ્યોરન્સ કંપની ક્લેમ, રિફંડ અથવા પોલિસી ફેરફાર કરવામાં મોડું કરે છે, તો તમે તેની ફરિયાદ એક ઓનલાઇન પોર્ટલ પર કરી શકો છો. 'IRDAI' આ અપગ્રેડેડ સિસ્ટમ ફરિયાદોને ટ્રેક અને મોનિટર કરે છે, જેનાથી તેનો ઉકેલ ઝડપી આવે.
- Ravi Prajapati
- Updated on: Nov 1, 2025
- 5:22 pm
થર્ડ પાર્ટી કે કોમ્પ્રેહેન્સિવ ઈન્સ્યોરન્સ ? કયો કાર વીમો લેવો વધુ સારો ?
કાર વીમો લેવો એ ફક્ત ઔપચારિકતા નથી, પરંતુ કાયદાની સાથેસાથે તમારા આત્મવિશ્વાસ અને સુરક્ષા વિશેનો પણ એક મહત્વપૂર્ણ નિર્ણય છે. થર્ડ પાર્ટી વીમો કાનૂની રક્ષણ પૂરું પાડે છે. જ્યારે કોમ્પ્રેહેન્સિવ વીમો દરેક સંભવિત ખતરા સામે રક્ષણ આપે છે.
- TV9 Gujarati
- Updated on: Oct 31, 2025
- 2:44 pm
પેટ્રોલ- ડિઝલના વાહનની સરખામણીએ ઈલેક્ટ્રિક વ્હીકલનો ઈન્સ્યોરન્સ મોંધો કેમ હોય છે ?
ઈલેક્ટ્રિક વ્હિકલનો ઈન્સ્યોરન્સ અન્ય વાહનોની સરખામણીએ, વધુ મોંઘો હોય છે. આના માટે કેટલાક કારણો પણ છે. મોંઘી બેટરી, મર્યાદિત રિપેર વિકલ્પો, હાઇ-ટેક સુવિધાઓ અને જોખમ પરિબળો મહત્વના માનવામાં આવે છે. જો કે, જેમ જેમ ભારતમાં ઈલેક્ટ્રિક વ્હિકલ બજાર વધશે, તેમ તેમ પ્રીમિયમ પણ સામાન્ય સ્તરે પાછા આવશે.
- TV9 Gujarati
- Updated on: Sep 25, 2025
- 2:55 pm
આવી ગયો ફટાકડા વીમો ! આ એપથી માત્ર ₹11 માં ખરીદો અને ₹25,000નું કવરેજ મેળવો
આ એપ દિવાળી માટે એક ખાસ ફટાકડા વીમા યોજના શરૂ કરી છે, જે ફક્ત ₹11 માં ઉપલબ્ધ છે. આ વીમો ફટાકડા સંબંધિત અકસ્માતો સામે ₹25,000 સુધીનું કવરેજ પૂરું પાડે છે. આ યોજના પોલિસીધારક અને પરિવારના સભ્યો બંનેને આવરી લે છે. જાણો વિગતે.
- Manish Gangani
- Updated on: Sep 24, 2025
- 7:11 pm
LICની શાનદાર યોજના : માત્ર એકવાર રોકાણ કરો અને આજીવન ₹15,000 પેન્શન મેળવો – જાણો વિગતે
LIC ની અનોખી પોલિસી, જીવન ઉત્સવ, ખાસ કરીને નિવૃત્તિ પછી માસિક પેન્શન આપવા માટે બનાવવામાં આવી છે. તે એક પરંપરાગત યોજના છે જે બજારના વધઘટથી સુરક્ષિત છે. આ યોજના હેઠળ, તમને નિવૃત્તિ પછી માસિક 15,000 રૂપિયા પેન્શન મળે છે. ચાલો તેને વિગતવાર સમજીએ...
- Manish Gangani
- Updated on: Sep 24, 2025
- 3:44 pm
Jio અને Allianz એ કરી ભાગીદારી, દેશમાં નવી શરૂ થશે રિઇન્શ્યોરન્સ કંપની; બન્નેનો 50:50 હિસ્સો
Jio Financial Services અને જર્મનીની Allianz એ ભારતમાં રિઇન્શ્યોરન્સ વ્યવસાય માટે એક નવું સંયુક્ત સાહસ બનાવ્યું છે. નવી કંપનીનું નામ Allianz Jio Reinsurance Limited રાખવામાં આવ્યું છે. બંને કંપની વચ્ચેનો હિસ્સો 50-50 ટકા રહેશે અને પ્રારંભિક રોકાણ રૂ. 2.50 લાખ કરવામાં આવ્યું છે.
- TV9 Gujarati
- Updated on: Sep 10, 2025
- 2:52 pm
GST દૂર થયા બાદ પણ સસ્તો નહીં થાય વીમો, ઉપરથી 5% સુધી મોંઘો થઈ શકે! રિપોર્ટમાં ખુલાસો
સામાન્ય માન્યતા હતી કે હવે વીમા પોલિસી લેવી સસ્તી થશે, કારણ કે 18% ટેક્સ ચૂકવવો પડશે નહીં. પરંતુ એક નવા રિપોર્ટે આ આશા પર પાણી ફેરવી દીધું છે. કોટક ઇન્સ્ટિટ્યૂશનલ ઇક્વિટીઝ રિસર્ચના અહેવાલ મુજબ, આરોગ્ય વીમા પર GST નાબૂદ થવાથી ગ્રાહકોને લાભ થવાને બદલે, પ્રીમિયમમાં 3 થી 5% વધારો સહન કરવો પડી શકે છે.
- Tanvi Soni
- Updated on: Sep 8, 2025
- 12:44 pm
લાખો કર્મચારીઓ માટે ખુશખબર ! કર્મચારીઓને મળશે 1 કરોડ રૂપિયાનું ઇન્સ્યોરન્સ કવર, જાણો આનો લાભ કેવી રીતે મેળવવો
ભારતમાં હવે કર્મચારીઓને એક ખાસ ભેટ મળવાની છે. ખુશખબર એ છે કે, કર્મચારીઓને હવે 1 કરોડ રૂપિયા સુધીનું ઇન્સ્યોરન્સ કવર મળશે. જાણો આ ગિફ્ટ કયા કર્મચારીઓને મળવાની છે....
- Ravi Prajapati
- Updated on: Sep 2, 2025
- 6:36 pm
Health Insurance લેતા પહેલા ધ્યાન રાખો ! જાણો કઈ કંપનીઓ ક્લેમ સૌથી વધારે રિજેક્ટ કરે છે
આ છે દેશની 5 સૌથી ખરાબ હેલ્થ ઈન્શયોરન્સ કંપનીઓ. જે સૌથી વધારે ક્લેમ રિજેક્ટ કરે છે. વીમા લોકપાલની 2023-14ના રિપોર્ટમાં આ વિશે ખુલાસો થયો છે. તો આજે આપણે આ વિશે વિસ્તારથી વાત કરીએ.
- Nirupa Duva
- Updated on: Sep 2, 2025
- 3:53 pm
હવે રાહત મળશે! હેલ્થ અને લાઇફ ઇન્સ્યોરન્સ પ્રીમિયમને લઈને આવ્યા મોટા સમાચાર, GST 2.0 માં થશે આ ફેરફારો
GST 2.O હેઠળ, સરકાર હવે હેલ્થ અને લાઇફ ઇન્સ્યોરન્સ પ્રીમિયમ પર 'GST' નાબૂદ કરવાની તૈયારી કરી રહી છે. જણાવી દઈએ કે, આનાથી લોકોને ઘણો ફાયદો થઈ શકે છે.
- Ravi Prajapati
- Updated on: Aug 27, 2025
- 9:09 pm
IRCTC : હવે 45 પૈસામાં ₹10 લાખનો વીમો ! ટ્રેનમાં મુસાફરી કરતા પહેલા આ સુવિધા વિશે ખાસ જાણી લો
રેલવે અકસ્માતોને કારણે ઘણા લોકોને જાનમાલનું નુકસાન થાય છે. આવી સ્થિતિમાં, જો તમારી પાસે કોઈ વીમો નથી તો મુશ્કેલીઓ વધુ વધી જાય છે. ખાસ વાત એ છે કે, જો તમે ઓનલાઈન ટિકિટ બુક કરાવી હોય, તો તમને આપમેળે વીમાનો લાભ મળે છે.
- Ravi Prajapati
- Updated on: Aug 8, 2025
- 9:36 pm
Bharat Bandh: 9 જુલાઈએ ભારત બંધ ! 25 કરોડ કર્મચારીઓ હડતાળ પર, શું બેંકો, શેરબજાર પણ બંધ રહેશે?
લાંબા સમયથી પડતર માંગણીઓને લઈને કોઈ ઉકેલ નહીં આવવાથી ટ્રેડ યુનિયન અને તેના સંલગ્ન જૂથો દ્વારા હડતાળ પાડીને વિરોધ નોંધાવવામાં આવશે. હડતાળને પગલે દેશભરમાં બેન્કિંગથી લઈને વીમા, પોસ્ટ, કોલ માઈનિંગ તથા હાઈવે અને બાંધકામથી લઈને રાજ્ય પરિવહન ક્ષેત્રની સેવાઓ પ્રભાવિત થવાની સંભાવના છે.
- Devankashi rana
- Updated on: Jul 8, 2025
- 1:10 pm
અમદાવાદ પ્લેન ક્રેશમાં વીમાધારક અને નોમિની બન્ને મૃત્યુ પામ્યા હોય તો, વીમાના પૈસા કોને મળશે?
2 જૂને અમદાવાદમાં થયેલા ભયાનક અકસ્માતમાં ઘણા એવા લોકો મૃત્યુ પામ્યા છે જેમાં પતિ-પત્નીમાંથી કોઈ એકનું મૃત્યુ થયું હોવાના કિસ્સાઓ બન્યા છે. જ્યારે કેટલાકનો તો આખે આખો પરિવાર આ દુર્ઘટનામાં મૃત્યુ પામ્યો છે.
- Devankashi rana
- Updated on: Jun 19, 2025
- 12:53 pm