IPL 2025 : પ્રીતિ ઝિન્ટાના આ નિર્ણયોએ પંજાબ કિંગ્સનું નસીબ બદલી નાખ્યું, IPLમાં 12 વર્ષની રાહનો અંત આવ્યો
પંજાબ કિંગ્સે ધર્મશાળામાં લખનૌ સુપર જાયન્ટસને 37 રનથી હાર આપી છે. આ સાથે પંજાબ કિંગ્સે આ સીઝનમાં 7મી જીત મેળવી પોઈન્ટ ટેબલમાં 15 પોઈન્ટ સાથે બીજા સ્થાને પહોંચી ગઈ છે.

પંજાબ કિંગ્સની આઈપીએલ 2025ની સફર શાનદાર રહી છે નવા કેપ્ટન શ્રેયસ અય્યરના નેતૃત્વમાંટીમનું પ્રદર્શન સતત સુધરી રહ્યું છે. ટીમ શાનદાર પ્રદર્શન પણ કરી રહી છે. આ સીઝનમાં લખનૌ સુપર જાયન્ટસ વિરુદ્ધ બંન્ને મેચમાં જીત મહત્વની રહીછે.જેમાં આ બીજી જીત સૌથી ખાસ હતી કારણ કે, પંજાબ કિંગ્સ લાંબા સમયની રાહ પૂર્ણ કરી છે. આ રાહ છેલ્લા 12 વર્ષથી જોઈ રહી હતી. જેમાં ટીમની કો-ઓનર પ્રીતિ ઝિન્ટાના 3 નિર્ણયે મહત્વની ભૂમિકા ભજવી છે.

ધર્મશાળાના હિમાચલ પ્રદેશ ક્રિકેટ એસોસિએશ સ્ટેડિયમમાં રવિવાર 4 મેના રોજ આઈપીએલ 2025ની 54મી મેચ રમાઈ હતી. આ સીઝનમાં ધર્મશાળાના મેદાનમાં આ પહેલી મેચ હતી. આ મેદાન પંજાબ કિંગ્સનું બીજું હોમ ગ્રાઉન્ડ છે.આ પહેલા પંજાબ પોતાની 4 મેચ રમી હતી. જેમાં ટીમનું પ્રદર્શન ઉતાર-ચઢાવ ભર્યું રહ્યું હતુ પરંતુ હવે સૌથી મોટી ચિંતા તો ધર્મશાળાના મેદાનની હતી કારણ કે, અહી છેલ્લી મેચમાં પંજાબને હારનો સામનો કરવો પડ્યો હતો.

પંજાબે પહેલા બેટિંગ કરી 236 રનનો ટાર્ગેટ આપ્યો હતો. જેના જવાબમાં લખનૌની ટીમ 199 રન પર આઉટ થઈ હતી. અને ટીમને 37 રનથી હારનો સામનો કરવો પડ્યો હતો. આ સાથે સીઝનની 7મી જીત અને પોઈન્ટ ટેબલમાં બીજા સ્થાને પહોંચી ગઈ છે. આ જીત 12 વર્ષ બાદ પંજાબ કિંગ્સને મળી છે. આ પહેલા ટીમે 2013માં આ મેદાન પર મુંબઈ ઈન્ડિયન્સને હાર આફી હતી.ત્યારબાદ અહી કોઈ મેચ રમાઈ ન હતી પરંતુ છેલ્લી 2 સીઝનમાં ધર્મશાળામાં પંજાબે 4 મેચ રમી હતી અને ચારેય મેચમાં હાર થઈ હતી.

ટીમની સહ-માલિક પ્રીતિ ઝિન્ટા અને તેમના મેનેજમેન્ટના 3 નિર્ણયોએ પંજાબની રાહનો અંત લાવવામાં મોટી ભૂમિકા ભજવી. આમાં પહેલી વાત પ્રભસિમરન સિંહને રિટેન કરવાનો હતો. આ મેચમાં પણ યુવા ઓપનરે તાબડતોડ 91 રનની ઈનિગ્સ રમી ટીમને મોટા સ્કોર સુધી પહોંચાડી હતી.

બીજો નિર્ણય હતો ઓસ્ટ્રેલિયાના દિગ્ગજ રિકી પોન્ટિંગના ટીમ હેડ તરીકે નિયુક્ત કરવાનો. આ પહેલા પોન્ટિંગ દિલ્હી કેપિટ્લસની ટીમ સાથે હતો. પોન્ટિંગની સલાહે આ સીઝનમાં પ્રભસિમરનને લાંબી ઈનિગ્સ રમવામાં મદદ કરી છે.

ત્રીજો અને સૌથી મહત્વનો નિર્ણય શ્રેયસ અય્યરને 26.75 કરોડમાં પોતાની ટીમમાં લેવાનો હતો. પંજાબે મેગા ઓક્શનમાં સ્ટાર બેટ્સમેન પર પૈસાનો વરસાદ કર્યો અને ટીમમાં સામેલ કર્યો હતો. અય્યરની કેપ્ટનશીપમાં કેકેઆરે ટાઈટલ જીત્યું છે. હવે તેની કેપ્ટનશીપમાં પંજાબ કિંગ્સની ટીમ શાનદાર પ્રદર્શન કરી રહી છે. સાથે આ મેચમાં અય્યરે 25 બોલમાં તાબડતોડ 45 રનની ઈનિગ્સ રમી હતી.
આઈપીએલમાં પંજાબ કિંગ્સના કેપ્ટન શિખર ધવન છે, જ્યારે માલિક પ્રીતિ ઝિન્ટા, નેસ વાડિયા, કરણ પોલ, મોહિત બર્મન છે. બોલિવુડ અભિનેત્રી પંજાબ કિંગ્સની મેચમાં હંમેશા ટીમને સપોર્ટ કરતી જોવા મળે છે. પંજાબ કિંગ્સના વધુ સમાચાર વાંચવા માટે અહી ક્લિક કરો



























































