IPL 2025 : જો ક્વોલિફાયર-2 માં આવું થયું, તો મુંબઈ ઈન્ડિયન્સ બનશે ચેમ્પિયન ! જાણો ચોંકાવનારું સત્ય
IPL 2025ના બીજા ફાઈનલિસ્ટનો નિર્ણય ક્વોલિફાયર-2 મેચ પછી થશે. આ મેચમાં, મુંબઈ ઈન્ડિયન્સ અને પંજાબ કિંગ્સની ટીમો અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ખાતે એકબીજા સામે ટકરાશે, જે 1 જૂને રમાશે. આ મેચમાં મુંબઈ સાથે એક ગજબ સંયોગ બની રહ્યો છે અને જો આમ થયું તો મુંબઈ IPL 2025 ચેમ્પિયન બનશે. જાણો શું છે આ સંયોગ.

IPL 2025 હવે તેના અંતિમ તબક્કામાં પહોંચી ગયું છે, આ સિઝનમાં ફક્ત 2 મેચ રમવાની બાકી છે. સૌની નજર અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ખાતે 1 જૂને યોજાનારી ક્વોલિફાયર-2 મેચ પર છે. ફાઈનલમાં પહોંચવા માટે કરો યા મારો મેચમાં મુંબઈ ઈન્ડિયન્સ અને પંજાબ કિંગ્સની ટીમો એકબીજા સામે ટકરાશે.

IPLમાં પ્લેઓફ મેચો 2011થી શરૂ થઈ હતી. ત્યારથી મુંબઈ ઈન્ડિયન્સ ચાર વખત ક્વોલિફાયર-2 મેચ રમી ચૂક્યું છે. આ દરમિયાન, MIએ 2 મેચ જીતી છે અને 2 વખત હારનો સામનો કરવો પડ્યો છે. પરંતુ ખાસ વાત એ છે કે જ્યારે પણ મુંબઈ ઈન્ડિયન્સે ક્વોલિફાયર-2 મેચ જીતી છે. ત્યારે તે ટાઈટલ જીતવામાં પણ સફળ રહી છે.

મુંબઈ ઈન્ડિયન્સે વર્ષ 2013માં ક્વોલિફાયર-2માં રાજસ્થાનની ટીમને હરાવી હતી. ત્યારબાદ, ફાઈનલમાં CSKને હરાવીને ટાઈટલ જીત્યું હતું. તેવી જ રીતે, વર્ષ 2017માં પણ, મુંબઈએ ક્વોલિફાયર-2 જીત્યું હતું અને પછી ફાઈનલમાં રાઈઝિંગ પુણે સુપરજાયન્ટને હરાવ્યું હતું.

જે બાદ છેલ્લે મુંબઈ ઈન્ડિયન્સે IPL 2023માં ક્વોલિફાયર-2 મેચ રમી હતી જેમાં તેમને હારનો સામનો કરવો પડ્યો હતો.

મુંબઈ ઈન્ડિયન્સ માટે ક્વોલિફાયર-2 માં પંજાબને હરાવવું સરળ રહેશે નહીં. IPLમાં બંને ટીમો વચ્ચે કુલ 33 મેચ રમાઈ છે, જેમાંથી મુંબઈની ટીમ 17 મેચ જીતવામાં સફળ રહી છે જ્યારે 16 મેચમાં તેમને હારનો સામનો કરવો પડ્યો છે. આ વખતે પણ તે લીગ સ્ટેજમાં પંજાબ સામે હારી ગયું હતું. (All Photo Credit : PTI)
IPL 2025 હવે તેના અંતિમ તબક્કામાં પહોંચી ગયું છે, આ સિઝનમાં ફક્ત 2 મેચ રમવાની બાકી છે. આઈપીએલ સાથે જોડાયેલ તમામ સમાચાર વાંચવા અહી ક્લિક કરો






































































