T20 World Cup Breaking : ક્રિકેટમાં ડેડ બોલનો નિયમ શું છે? ભારત-નામિબિયા T20 વર્લ્ડ કપ મેચમાં થયો હતો વિવાદ
દિલ્હીના અરુણ જેટલી સ્ટેડિયમમાં રમાયેલી ભારત અને નામિબિયા વચ્ચેની T20 વર્લ્ડ કપ 2026ની મેચ દરમિયાન ‘ડેડ બોલ’ના નિર્ણયને લઈને ચર્ચા શરુ થઈ હતી. નામિબિયાના કેપ્ટન ગેરહાર્ડ ઇરાસ્મસના એક બોલ પર અમ્પાયરે ડેડ બોલ જાહેર કરતાં વિવાદ સર્જાયો હતો. જાણો ડેડ બોલ અંગે ICC નો શું છે નિયમ.

ભારત અને નામિબિયા વચ્ચે 12 ફેબ્રુઆરીએ રમાયેલી ICC મેન્સ T20 વર્લ્ડ કપ 2026ની મેચમાં ભારતે 92 રનથી વિજય મેળવ્યો હતો. છતાં મેચનો મુખ્ય મુદ્દો રહ્યો ‘ડેડ બોલ’નો નિર્ણય. નામિબિયાના કેપ્ટન ગેરહાર્ડ ઇરાસ્મસે ચાર ઓવરમાં 20 રન આપી ચાર વિકેટ ઝડપી ભારતને દબાણમાં મૂક્યું હતું. તેમની અનોખી બોલિંગ એક્શન પણ ચર્ચામાં રહી.

મેચ દરમિયાન ઇરાસ્મસના એક બોલ પર અમ્પાયરે ‘ડેડ બોલ’ જાહેર કર્યો. આ નિર્ણય બાદ થોડો ગેરસમજનો માહોલ સર્જાયો. ખેલાડીઓ અને દર્શકોમાં પ્રશ્ન ઉઠ્યો કે કઈ પરિસ્થિતિમાં બોલને ડેડ ગણવામાં આવે છે. ક્રિકેટના નિયમ બનાવતી સંસ્થા MCCના કાયદા આ મામલે સ્પષ્ટ માર્ગદર્શન આપે છે.

MCCના રૂલ અનુસાર, જ્યારે બોલિંગ એન્ડના અમ્પાયરને સ્પષ્ટ લાગે કે ફિલ્ડિંગ ટીમ અથવા બંને બેટ્સમેન બોલને રમવા તૈયાર નાં હોય, ત્યારે બોલ ‘ડેડ’ ગણાય છે.

નિયમ અનુસાર, બોલ ‘ફાઇનલ સેટલ’ થયો છે કે નહીં તેનો નિર્ણય સંપૂર્ણપણે અમ્પાયર પર નિર્ભર છે. ખેલાડીઓ અથવા અન્ય કોઈ વ્યક્તિ આ અંગે અંતિમ નિર્ણય લઈ શકતા નથી. આમ, મેદાન પરની પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને અમ્પાયર જ અંતિમ સત્તા ધરાવે છે.

આ ઉપરાંત, નિયમમાં ઓવર અને સમય પૂર્ણ થવાની જાહેરાત સાથે ડેડ બોલના સંકેત અંગે સ્પષ્ટતા કરવામાં આવે છે. ઓવર અથવા સમય પૂર્ણ થવાની જાહેરાત ત્યાં સુધી કરવામાં આવતી નથી જ્યાં સુધી બોલ ડેડ ન થાય. જરૂર જણાય ત્યારે અમ્પાયર ખેલાડીઓને જાણ કરવા માટે ડેડ બોલનો સંકેત આપે છે.

આ નિયમો સ્પષ્ટ કરે છે કે ‘ડેડ બોલ’નો નિર્ણય પરિસ્થિતિ આધારિત હોય છે અને અમ્પાયરની સમજ તથા નિર્ણય શક્તિ પર આધારિત છે. (PC: PTI/X)
IND vs PAK T20 WC Breaking : 15 ફેબ્રુઆરીએ ભારત-પાકિસ્તાન મેચનો ડબલ ડોઝ, એક નહીં બે વાર થશે ટક્કર
