AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Breaking News: ટીમ ઈન્ડિયાના ખરાબ પ્રદર્શન બાદ BCCI એક્શનમાં, ગંભીર-અય્યર પાસે માંગશે જવાબ

આયર્લેન્ડ અને ઈંગ્લેન્ડ સામેની સતત નિષ્ફળતા બાદ BCCI એક્શનમાં આવ્યું છે. શ્રેણી પૂર્ણ થયા પછી હેડ કોચ ગૌતમ ગંભીર અને કેપ્ટન શ્રેયસ અય્યર સાથે બેઠક યોજાશે. બોર્ડ ટીમના ખરાબ પ્રદર્શન પાછળના કારણોની સમીક્ષા કરશે અને ભવિષ્યમાં સુધારા માટે જરૂરી પગલાં અંગે ચર્ચા કરશે.

| Updated on: Jul 10, 2026 | 4:33 PM
Share
ભારતીય ક્રિકેટ ટીમના યુકે પ્રવાસમાં સતત મળેલી નિષ્ફળતા બાદ BCCI એ મોટો નિર્ણય લીધો છે. આયર્લેન્ડ સામે શ્રેણી ગુમાવ્યા બાદ ઈંગ્લેન્ડ સામે પણ ભારતનું પ્રદર્શન નિરાશાજનક રહ્યું છે. હવે શ્રેણી પૂર્ણ થયા પછી હેડ કોચ ગૌતમ ગંભીર અને કેપ્ટન શ્રેયસ અય્યર સાથે BCCI ની સમીક્ષા બેઠક યોજાશે.

ભારતીય ક્રિકેટ ટીમના યુકે પ્રવાસમાં સતત મળેલી નિષ્ફળતા બાદ BCCI એ મોટો નિર્ણય લીધો છે. આયર્લેન્ડ સામે શ્રેણી ગુમાવ્યા બાદ ઈંગ્લેન્ડ સામે પણ ભારતનું પ્રદર્શન નિરાશાજનક રહ્યું છે. હવે શ્રેણી પૂર્ણ થયા પછી હેડ કોચ ગૌતમ ગંભીર અને કેપ્ટન શ્રેયસ અય્યર સાથે BCCI ની સમીક્ષા બેઠક યોજાશે.

1 / 5
એક અહેવાલ મુજબ BCCI સચિવ દેવજીત સૈકિયાએ જણાવ્યું કે બોર્ડ ટીમની વર્તમાન પ્રદર્શનથી ચિંતિત છે. બેઠક દરમિયાન ટીમની ખામીઓ, વ્યૂહરચના અને ભવિષ્યની તૈયારી અંગે ચર્ચા કરવામાં આવશે. ટીમ ફરી જીતના માર્ગે પરત ફરે તે માટે જરૂરી નિર્ણયો લેવામાં આવશે.

એક અહેવાલ મુજબ BCCI સચિવ દેવજીત સૈકિયાએ જણાવ્યું કે બોર્ડ ટીમની વર્તમાન પ્રદર્શનથી ચિંતિત છે. બેઠક દરમિયાન ટીમની ખામીઓ, વ્યૂહરચના અને ભવિષ્યની તૈયારી અંગે ચર્ચા કરવામાં આવશે. ટીમ ફરી જીતના માર્ગે પરત ફરે તે માટે જરૂરી નિર્ણયો લેવામાં આવશે.

2 / 5
ભારતના યુકે પ્રવાસની શરૂઆત આયર્લેન્ડ સામેની બે મેચની T20 શ્રેણીથી થઈ હતી. શ્રેયસ અય્યરની કેપ્ટનશિપમાં ભારતને 2-0 થી ક્લીન સ્વીપનો સામનો કરવો પડ્યો હતો. આયર્લેન્ડે પ્રથમ વખત ભારત સામે T20 શ્રેણી જીતવાનો ઈતિહાસ રચ્યો હતો.

ભારતના યુકે પ્રવાસની શરૂઆત આયર્લેન્ડ સામેની બે મેચની T20 શ્રેણીથી થઈ હતી. શ્રેયસ અય્યરની કેપ્ટનશિપમાં ભારતને 2-0 થી ક્લીન સ્વીપનો સામનો કરવો પડ્યો હતો. આયર્લેન્ડે પ્રથમ વખત ભારત સામે T20 શ્રેણી જીતવાનો ઈતિહાસ રચ્યો હતો.

3 / 5
આયર્લેન્ડ બાદ ઈંગ્લેન્ડમાં પણ ભારતનું પ્રદર્શન સુધરી શક્યું નથી. પાંચ મેચની T20 શ્રેણીમાં પ્રથમ ચાર મેચ બાદ ભારત શ્રેણી ગુમાવી ચૂક્યું છે. એક મેચ વરસાદને કારણે રદ થઈ હતી, જ્યારે ઈંગ્લેન્ડે ત્રણ મેચ જીતીને અજેય લીડ મેળવી લીધી છે.

આયર્લેન્ડ બાદ ઈંગ્લેન્ડમાં પણ ભારતનું પ્રદર્શન સુધરી શક્યું નથી. પાંચ મેચની T20 શ્રેણીમાં પ્રથમ ચાર મેચ બાદ ભારત શ્રેણી ગુમાવી ચૂક્યું છે. એક મેચ વરસાદને કારણે રદ થઈ હતી, જ્યારે ઈંગ્લેન્ડે ત્રણ મેચ જીતીને અજેય લીડ મેળવી લીધી છે.

4 / 5
હવે ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચેની છેલ્લી T20 મેચ 11 જુલાઈએ સાઉથમ્પ્ટનમાં રમાશે. ટીમ ઈન્ડિયા માટે આ મેચ માત્ર સાંત્વના જીત પૂરતી નહીં, પરંતુ પોતાની પ્રતિષ્ઠા બચાવવાની તક પણ રહેશે. ત્યારબાદ BCCI ની સમીક્ષા બેઠકમાં ટીમના ભવિષ્ય અંગે મહત્વપૂર્ણ નિર્ણય લેવાય તેવી શક્યતા છે. (PC:X/BCCI)

હવે ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચેની છેલ્લી T20 મેચ 11 જુલાઈએ સાઉથમ્પ્ટનમાં રમાશે. ટીમ ઈન્ડિયા માટે આ મેચ માત્ર સાંત્વના જીત પૂરતી નહીં, પરંતુ પોતાની પ્રતિષ્ઠા બચાવવાની તક પણ રહેશે. ત્યારબાદ BCCI ની સમીક્ષા બેઠકમાં ટીમના ભવિષ્ય અંગે મહત્વપૂર્ણ નિર્ણય લેવાય તેવી શક્યતા છે. (PC:X/BCCI)

5 / 5

Breaking News: ટીમ ઈન્ડિયાનું નંબર-1 સ્થાન જોખમમાં ! શું 2028 ઓલિમ્પિકની ટિકિટ પણ હાથમાંથી સરકી જશે?

Follow Us
ગુજરાતમાં આજે પણ થાય છે બાળલગ્ન, જનપ્રતિનિધિ તરીકે અમે નિષ્ફળઃદેવુસિંહ
ગુજરાતમાં આજે પણ થાય છે બાળલગ્ન, જનપ્રતિનિધિ તરીકે અમે નિષ્ફળઃદેવુસિંહ
સુરત જિલ્લામાં 15 ખાડીના પાણી આજુબાજુના ખેતરોમાં ફરી વળ્યાં, જુઓ VIDEO
સુરત જિલ્લામાં 15 ખાડીના પાણી આજુબાજુના ખેતરોમાં ફરી વળ્યાં, જુઓ VIDEO
અમદાવાદમાં 150 સ્થળોએ ભૂવા પડવાનો ખતરો ! AMCના નિવેદનથી વધ્યું ટેન્શન
અમદાવાદમાં 150 સ્થળોએ ભૂવા પડવાનો ખતરો ! AMCના નિવેદનથી વધ્યું ટેન્શન
શંકાસ્પદ ચાંદીપુરા વાયરસના લીધે રાજ્યમાં કુલ 6 દર્દીઓના મોત
શંકાસ્પદ ચાંદીપુરા વાયરસના લીધે રાજ્યમાં કુલ 6 દર્દીઓના મોત
સુરતમાં 800થી વધારે પરિવારોને ઘરવખરી અને કેશડોલ ચૂકવાયું
સુરતમાં 800થી વધારે પરિવારોને ઘરવખરી અને કેશડોલ ચૂકવાયું
પ્રગતિના નવા દ્વાર ખુલશે, ભવિષ્યમાં અણધાર્યો લાભ થશે
પ્રગતિના નવા દ્વાર ખુલશે, ભવિષ્યમાં અણધાર્યો લાભ થશે
ભગવાન જગન્નાથજીની રથયાત્રામાં વ્હાલાના વાઘા બનશે આકર્ષણનું કેન્દ્ર
ભગવાન જગન્નાથજીની રથયાત્રામાં વ્હાલાના વાઘા બનશે આકર્ષણનું કેન્દ્ર
સુરતમાં વેપારીઓએ પલળેલો માલ 70 થી 80% ખોટ ખાઈને વેચવા મુક્યો- Video
સુરતમાં વેપારીઓએ પલળેલો માલ 70 થી 80% ખોટ ખાઈને વેચવા મુક્યો- Video
પૂરમાં પલળ્યા સુરતના વેપારીઓના સપના: 1 કરોડ સાડીઓ કચરે જશે
પૂરમાં પલળ્યા સુરતના વેપારીઓના સપના: 1 કરોડ સાડીઓ કચરે જશે
40 વર્ષથી બાપુજીની પેઢી ચલાવો છો? જુઓ Video
40 વર્ષથી બાપુજીની પેઢી ચલાવો છો? જુઓ Video
g clip-path="url(#clip0_868_265)">