AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Breaking News: રોહિત શર્મા પહેલા આ ભારતીય ક્રિકેટરોને મળી ચૂક્યો છે પદ્મશ્રી એવોર્ડ, ક્રિકેટના ભગવાન ભારત રત્નથી સન્માનિત

ભારતીય ક્રિકેટના સુપરસ્ટાર રોહિત શર્માને તાજેતરમાં પદ્મશ્રી એવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યા છે. આ સાથે તેઓ દેશના પ્રતિષ્ઠિત નાગરિક સન્માન મેળવનારા ક્રિકેટરોની વિશિષ્ટ યાદીમાં સામેલ થયા છે. જોકે, રોહિત પહેલા પણ અનેક પુરુષ અને મહિલા ક્રિકેટરોને પદ્મશ્રી, પદ્મભૂષણ, પદ્મવિભૂષણ અને ભારત રત્ન જેવા સન્માન મળી ચૂક્યા છે.

| Updated on: Jun 24, 2026 | 9:48 PM
Share
ભારત સરકારે રમતગમત ક્ષેત્રે ઉત્કૃષ્ટ યોગદાન બદલ રોહિત શર્માને પદ્મશ્રી એવોર્ડથી સન્માનિત કર્યો છે. 2026માં હરમનપ્રીત કૌર સાથે રોહિત શર્મા આ સન્માન મેળવનારા ક્રિકેટર બન્યો છે. પદ્મશ્રી ભારતનો ચોથો સર્વોચ્ચ નાગરિક સન્માન છે.

ભારત સરકારે રમતગમત ક્ષેત્રે ઉત્કૃષ્ટ યોગદાન બદલ રોહિત શર્માને પદ્મશ્રી એવોર્ડથી સન્માનિત કર્યો છે. 2026માં હરમનપ્રીત કૌર સાથે રોહિત શર્મા આ સન્માન મેળવનારા ક્રિકેટર બન્યો છે. પદ્મશ્રી ભારતનો ચોથો સર્વોચ્ચ નાગરિક સન્માન છે.

1 / 5
પદ્મશ્રી મેળવનારા ભારતીય ક્રિકેટરોની યાદી ઘણી લાંબી છે. કુલ 42 ભારતીય ક્રિકેટરોને આ સન્માન મળ્યું છે. જેમાં વિજય હજારે, સી.કે. નાયડુ, મન્સૂર અલી ખાન પટૌડી, બિશન સિંહ બેદી, સુનીલ ગાવસ્કર, કપિલ દેવ, સચિન તેંડુલકર, અનિલ કુંબલે, રાહુલ દ્રવિડ, વીવીએસ લક્ષ્મણ, સૌરવ ગાંગુલી, મહેન્દ્ર સિંહ ધોની, વિરાટ કોહલી, ઝુલન ગોસ્વામી, મિતાલી રાજ, રોહિત શર્મા અને હરમનપ્રીત કૌર અને બીજા ઘણા સ્ટાર ક્રિકેટરોનો સમાવેશ થાય છે.

પદ્મશ્રી મેળવનારા ભારતીય ક્રિકેટરોની યાદી ઘણી લાંબી છે. કુલ 42 ભારતીય ક્રિકેટરોને આ સન્માન મળ્યું છે. જેમાં વિજય હજારે, સી.કે. નાયડુ, મન્સૂર અલી ખાન પટૌડી, બિશન સિંહ બેદી, સુનીલ ગાવસ્કર, કપિલ દેવ, સચિન તેંડુલકર, અનિલ કુંબલે, રાહુલ દ્રવિડ, વીવીએસ લક્ષ્મણ, સૌરવ ગાંગુલી, મહેન્દ્ર સિંહ ધોની, વિરાટ કોહલી, ઝુલન ગોસ્વામી, મિતાલી રાજ, રોહિત શર્મા અને હરમનપ્રીત કૌર અને બીજા ઘણા સ્ટાર ક્રિકેટરોનો સમાવેશ થાય છે.

2 / 5
પદ્મભૂષણની વાત કરીએ તો ભારતીય ક્રિકેટમાંથી સી.કે. નાયડુ, વિજય મર્ચન્ટ, સુનીલ ગાવસ્કર, કપિલ દેવ અને મહેન્દ્ર સિંહ ધોનીને આ સન્માન મળ્યું છે. ક્રિકેટમાં તેમના અસાધારણ યોગદાન બદલ તેમને દેશના ત્રીજા સર્વોચ્ચ નાગરિક સન્માનથી નવાજવામાં આવ્યા હતા.

પદ્મભૂષણની વાત કરીએ તો ભારતીય ક્રિકેટમાંથી સી.કે. નાયડુ, વિજય મર્ચન્ટ, સુનીલ ગાવસ્કર, કપિલ દેવ અને મહેન્દ્ર સિંહ ધોનીને આ સન્માન મળ્યું છે. ક્રિકેટમાં તેમના અસાધારણ યોગદાન બદલ તેમને દેશના ત્રીજા સર્વોચ્ચ નાગરિક સન્માનથી નવાજવામાં આવ્યા હતા.

3 / 5
પદ્મવિભૂષણ મેળવનારા ક્રિકેટરોની યાદીમાં માત્ર એક જ નામ છે. અત્યાર સુધી માત્ર સચિન તેંડુલકરને આ સન્માન મળ્યું છે. સચિન તેંડુલકરને 2008 માં પદ્મવિભૂષણ એનાયત કરવામાં આવ્યો હતો.

પદ્મવિભૂષણ મેળવનારા ક્રિકેટરોની યાદીમાં માત્ર એક જ નામ છે. અત્યાર સુધી માત્ર સચિન તેંડુલકરને આ સન્માન મળ્યું છે. સચિન તેંડુલકરને 2008 માં પદ્મવિભૂષણ એનાયત કરવામાં આવ્યો હતો.

4 / 5
ભારતના સર્વોચ્ચ નાગરિક સન્માન ભારત રત્નની વાત કરીએ તો ક્રિકેટ જગતમાંથી અત્યાર સુધી માત્ર એક જ ક્રિકેટરને આ ગૌરવ પ્રાપ્ત થયું છે.  2014માં ક્રિકેટના ભગવાન સચિન તેંડુલકરને ભારત સરકારે ભારત રત્નથી સન્માનિત કર્યા હતા. (PC:PTI/X/AI)

ભારતના સર્વોચ્ચ નાગરિક સન્માન ભારત રત્નની વાત કરીએ તો ક્રિકેટ જગતમાંથી અત્યાર સુધી માત્ર એક જ ક્રિકેટરને આ ગૌરવ પ્રાપ્ત થયું છે. 2014માં ક્રિકેટના ભગવાન સચિન તેંડુલકરને ભારત સરકારે ભારત રત્નથી સન્માનિત કર્યા હતા. (PC:PTI/X/AI)

5 / 5

FIFA World Cup: મેસ્સીથી રોનાલ્ડો સુધી, કરોડો નહીં અબજો રૂપિયાના છે આ ફૂટબોલરોના પગ, જાણો કેમ કરાવે છે વીમો

Follow Us
વડોદરામાં વરસાદ પહેલા ડ્રેનેજ પાઈપલાઈન નાખવાનો પ્રોજેક્ટ લટકી પડ્યો
વડોદરામાં વરસાદ પહેલા ડ્રેનેજ પાઈપલાઈન નાખવાનો પ્રોજેક્ટ લટકી પડ્યો
Vadodara: સંભવિત જળસંકટને નર્મદા નહેરનું પાણી મેળવવા હાથ ધરાઈ કવાયત્ત
Vadodara: સંભવિત જળસંકટને નર્મદા નહેરનું પાણી મેળવવા હાથ ધરાઈ કવાયત્ત
સુભાષ બ્રિજ સંપૂર્ણ તોડાશે, નવા 8 લેન બ્રિજને મંજૂરી
સુભાષ બ્રિજ સંપૂર્ણ તોડાશે, નવા 8 લેન બ્રિજને મંજૂરી
છોટાઉદેપુરમાં ખાતરની તીવ્ર અછત, ખેડૂતોને પાક નિષ્ફળ જવાનો ભય
છોટાઉદેપુરમાં ખાતરની તીવ્ર અછત, ખેડૂતોને પાક નિષ્ફળ જવાનો ભય
નીતિન પટેલ ટ્રાફિક જામમાં ફસાતા પોલીસકર્મીઓને ખખડાવ્યા,
નીતિન પટેલ ટ્રાફિક જામમાં ફસાતા પોલીસકર્મીઓને ખખડાવ્યા,
ડિમોલિશનના બહાને સરકારી કર્મીઓ અને પોલીસે '₹27 લાખ' જયાફત ઉડાવી
ડિમોલિશનના બહાને સરકારી કર્મીઓ અને પોલીસે '₹27 લાખ' જયાફત ઉડાવી
તંત્રની બેદરકારીના પાપે લાખોના ખર્ચે ખરીદેલા તરાપા બની ગયા ભંગાર
તંત્રની બેદરકારીના પાપે લાખોના ખર્ચે ખરીદેલા તરાપા બની ગયા ભંગાર
Rajkot: રાજકોટમા ધોરાજીમાં સ્મશાનના નવિનીકરણમાં ભ્રષ્ટાચારના આરોપ
Rajkot: રાજકોટમા ધોરાજીમાં સ્મશાનના નવિનીકરણમાં ભ્રષ્ટાચારના આરોપ
ભાવનગરમાં જોખમી મકાનોને કરાશે ધ્વસ્ત, ગરીબ વસાહતીઓની પુનર્વસનની માગ
ભાવનગરમાં જોખમી મકાનોને કરાશે ધ્વસ્ત, ગરીબ વસાહતીઓની પુનર્વસનની માગ
ગીર વિસ્તારમાં વધુ એકવાર સિંહ પજવણીનો Video વાયરલ
ગીર વિસ્તારમાં વધુ એકવાર સિંહ પજવણીનો Video વાયરલ
g clip-path="url(#clip0_868_265)">