AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

હાઇટેક બની રહ્યું છે ભારતીય રેલવે, ટ્રેનો બાદ હવે સ્ટેશનોના છત પર સોલાર પેનલ, કરોડો રૂપિયાની થશે બચત

ભારતીય રેલવેએ પર્યાવરણ સંરક્ષણ માટે મોટું કદમ ઉઠાવ્યું છે. સ્ટેશનો અને ટ્રેનોના કોચ પર સોલાર પેનલ લગાવીને વીજળીના ઉત્પાદનથી કરોડો રૂપિયાની બચત અને કાર્બન ઉત્સર્જનમાં ઘટાડો કરાઈ રહ્યો છે.

| Updated on: Aug 01, 2026 | 8:05 PM
Share
ભારતીય રેલવે સતત હાઇટેક અને પર્યાવરણને અનુકૂળ બનવાની દિશામાં આગળ વધી રહ્યું છે. હાઇસ્પીડ ટ્રેનો અને આધુનિક સ્ટેશનો બાદ હવે રેલવેએ સ્વચ્છ ઉર્જા પર મોટો દાવ ખેલ્યો છે. ઉત્તરી રેલવેએ રેલવે સ્ટેશનો અને સેવા ભવનોની છત પર મોટા પાયે સોલાર પેનલ લગાવીને વીજળી ઉત્પાદન શરૂ કરી દીધું છે. આનાથી માત્ર વીજળીનો ખર્ચ જ ઓછો નહીં થાય, પરંતુ કાર્બન ઉત્સર્જનમાં પણ ભારે ઘટાડો આવશે. રેલવેનું આ પગલું દેશના નેટ-ઝીરો કાર્બન ઉત્સર્જનના લક્ષ્યને હાસિલ કરવામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવશે.

ભારતીય રેલવે સતત હાઇટેક અને પર્યાવરણને અનુકૂળ બનવાની દિશામાં આગળ વધી રહ્યું છે. હાઇસ્પીડ ટ્રેનો અને આધુનિક સ્ટેશનો બાદ હવે રેલવેએ સ્વચ્છ ઉર્જા પર મોટો દાવ ખેલ્યો છે. ઉત્તરી રેલવેએ રેલવે સ્ટેશનો અને સેવા ભવનોની છત પર મોટા પાયે સોલાર પેનલ લગાવીને વીજળી ઉત્પાદન શરૂ કરી દીધું છે. આનાથી માત્ર વીજળીનો ખર્ચ જ ઓછો નહીં થાય, પરંતુ કાર્બન ઉત્સર્જનમાં પણ ભારે ઘટાડો આવશે. રેલવેનું આ પગલું દેશના નેટ-ઝીરો કાર્બન ઉત્સર્જનના લક્ષ્યને હાસિલ કરવામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવશે.

1 / 5
ઉત્તરી રેલવેએ નાણાકીય વર્ષ 2026-27ના પ્રથમ બે મહિના એટલે કે એપ્રિલ અને મે 2026 દરમિયાન 2.2 મેગાવોટ ક્ષમતાના ગ્રીડ સાથે જોડાયેલા રૂફટોપ સોલાર પ્લાન્ટ સ્થાપિત કર્યા છે. આ નવા પ્લાન્ટ્સ શરૂ થયા બાદ ઉત્તરી રેલવેની કુલ સૌર ઉર્જા ક્ષમતા વધીને 28.35 મેગાવોટ થઈ ગઈ છે. આનાથી રેલવેને ભવિષ્યમાં પરંપરાગત વીજળી પર ઓછો નિર્ભર રહેવું પડશે.

ઉત્તરી રેલવેએ નાણાકીય વર્ષ 2026-27ના પ્રથમ બે મહિના એટલે કે એપ્રિલ અને મે 2026 દરમિયાન 2.2 મેગાવોટ ક્ષમતાના ગ્રીડ સાથે જોડાયેલા રૂફટોપ સોલાર પ્લાન્ટ સ્થાપિત કર્યા છે. આ નવા પ્લાન્ટ્સ શરૂ થયા બાદ ઉત્તરી રેલવેની કુલ સૌર ઉર્જા ક્ષમતા વધીને 28.35 મેગાવોટ થઈ ગઈ છે. આનાથી રેલવેને ભવિષ્યમાં પરંપરાગત વીજળી પર ઓછો નિર્ભર રહેવું પડશે.

2 / 5
કરોડો રૂપિયાની બચત અને પ્રદૂષણમાં ઘટાડો: રેલવેના જણાવ્યા અનુસાર, એપ્રિલ અને મે દરમિયાન આ સોલાર પ્લાન્ટ્સથી આશરે 34 લાખ યુનિટ સ્વચ્છ વીજળીનું ઉત્પાદન થયું. આનાથી રેલવેને લગભગ 2.2 કરોડ રૂપિયાનો વીજળી ખર્ચ બચાવવામાં મદદ મળી છે. આ સાથે જ આ સ્વચ્છ ઉર્જાના ઉપયોગથી આશરે 2,820 ટન કાર્બન ડાયોક્સાઇડ (CO₂) ના ઉત્સર્જનમાં ઘટાડો થવાનો અંદાજ છે. એટલે કે રેલવેની આ પહેલ પર્યાવરણ સંરક્ષણ અને આર્થિક બચત, બંને દ્રષ્ટિએ ખૂબ જ મહત્વપૂર્ણ સાબિત થઈ રહી છે.

કરોડો રૂપિયાની બચત અને પ્રદૂષણમાં ઘટાડો: રેલવેના જણાવ્યા અનુસાર, એપ્રિલ અને મે દરમિયાન આ સોલાર પ્લાન્ટ્સથી આશરે 34 લાખ યુનિટ સ્વચ્છ વીજળીનું ઉત્પાદન થયું. આનાથી રેલવેને લગભગ 2.2 કરોડ રૂપિયાનો વીજળી ખર્ચ બચાવવામાં મદદ મળી છે. આ સાથે જ આ સ્વચ્છ ઉર્જાના ઉપયોગથી આશરે 2,820 ટન કાર્બન ડાયોક્સાઇડ (CO₂) ના ઉત્સર્જનમાં ઘટાડો થવાનો અંદાજ છે. એટલે કે રેલવેની આ પહેલ પર્યાવરણ સંરક્ષણ અને આર્થિક બચત, બંને દ્રષ્ટિએ ખૂબ જ મહત્વપૂર્ણ સાબિત થઈ રહી છે.

3 / 5
હવે ટ્રેનના કોચ પણ બની રહ્યા છે સોલાર સ્માર્ટ: રેલવે માત્ર સ્ટેશનો સુધી સીમિત નથી. તાજેતરમાં અલ્હાબાદ (પ્રયાગરાજ) મંડળે એક ખાસ સોલાર પાવર્ડ કોચ પણ લોન્ચ કર્યો છે. આ કોચની છત પર 21 સોલાર પેનલ લગાવવામાં આવ્યા છે, જેની કુલ ક્ષમતા 6.93 કિલોવોટ છે. આ પેનલોથી દર વર્ષે લગભગ 13,400 યુનિટ વીજળી તૈયાર થશે, જેનો ઉપયોગ કોચના પંખા, લાઈટ અને અન્ય ઈલેક્ટ્રિક સાધનો ચલાવવા માટે કરવામાં આવશે.

હવે ટ્રેનના કોચ પણ બની રહ્યા છે સોલાર સ્માર્ટ: રેલવે માત્ર સ્ટેશનો સુધી સીમિત નથી. તાજેતરમાં અલ્હાબાદ (પ્રયાગરાજ) મંડળે એક ખાસ સોલાર પાવર્ડ કોચ પણ લોન્ચ કર્યો છે. આ કોચની છત પર 21 સોલાર પેનલ લગાવવામાં આવ્યા છે, જેની કુલ ક્ષમતા 6.93 કિલોવોટ છે. આ પેનલોથી દર વર્ષે લગભગ 13,400 યુનિટ વીજળી તૈયાર થશે, જેનો ઉપયોગ કોચના પંખા, લાઈટ અને અન્ય ઈલેક્ટ્રિક સાધનો ચલાવવા માટે કરવામાં આવશે.

4 / 5
દર વર્ષે લાખોની બચત થશે: રેલવેનો દાવો છે કે એક સોલાર કોચથી દર વર્ષે આશરે 2.80 લાખ રૂપિયાનો વીજળી ખર્ચ બચાવી શકાશે. એટલું જ નહીં, આ ટેકનોલોજી દર વર્ષે લગભગ 11 ટન કાર્બન ઉત્સર્જન ઓછું કરવામાં પણ મદદ કરશે.

દર વર્ષે લાખોની બચત થશે: રેલવેનો દાવો છે કે એક સોલાર કોચથી દર વર્ષે આશરે 2.80 લાખ રૂપિયાનો વીજળી ખર્ચ બચાવી શકાશે. એટલું જ નહીં, આ ટેકનોલોજી દર વર્ષે લગભગ 11 ટન કાર્બન ઉત્સર્જન ઓછું કરવામાં પણ મદદ કરશે.

5 / 5

સીટ એક તો પછી રેલવે કેમ આપે છે 2 બેડશીટ ? કેટલા દિવસે ધોવાય છે અને બદલાય છે ટ્રેનના ચાદર-ઓશીકા ?

Follow Us
₹600 કરોડના SD પે ફ્રોડમાં અમરેલી પોલીસને સફળતા
₹600 કરોડના SD પે ફ્રોડમાં અમરેલી પોલીસને સફળતા
સમરસ હોસ્ટેલ રિયાલિટી ચેક: ભોજન પર વિવાદ અને તપાસ
સમરસ હોસ્ટેલ રિયાલિટી ચેક: ભોજન પર વિવાદ અને તપાસ
આખરે સૌરાષ્ટ્ર પર થઈ મેઘ મહેર, સુકાઈ રહેલા મોલાતને મળ્યુ નવજીવન- Video
આખરે સૌરાષ્ટ્ર પર થઈ મેઘ મહેર, સુકાઈ રહેલા મોલાતને મળ્યુ નવજીવન- Video
Breaking News: રાજ્યના પાટનગરમાં ભારે વરસાદ બાદ સામે આવી હાલાકી
Breaking News: રાજ્યના પાટનગરમાં ભારે વરસાદ બાદ સામે આવી હાલાકી
વાયરલ થવાની ઘેલછામાં નદીમાં SUV ઉતારી, આગળ જે થયું તે... જુઓ Video
વાયરલ થવાની ઘેલછામાં નદીમાં SUV ઉતારી, આગળ જે થયું તે... જુઓ Video
ભાણવડમાં મહેલિયે કિધી મહેર અને ધરતી પુત્રોમાં દોડી ગઈ ખુશીની લહેર.....
ભાણવડમાં મહેલિયે કિધી મહેર અને ધરતી પુત્રોમાં દોડી ગઈ ખુશીની લહેર.....
આ એક આઇડિયાથી બાલાજી વેફર્સે કઈ રીતે બજારમાં મચાવી ધૂમ?
આ એક આઇડિયાથી બાલાજી વેફર્સે કઈ રીતે બજારમાં મચાવી ધૂમ?
જસદણ શહેર અને ગ્રામ્ય વિસ્તારોમાં ધોધમાર વરસાદથી ચીકલિયા રોડ પર ભરાયા
જસદણ શહેર અને ગ્રામ્ય વિસ્તારોમાં ધોધમાર વરસાદથી ચીકલિયા રોડ પર ભરાયા
રાજકોટમાં ભારે વરસાદ: પોપટપરા નાળું બંધ, જનજીવન ઠપ્પ
રાજકોટમાં ભારે વરસાદ: પોપટપરા નાળું બંધ, જનજીવન ઠપ્પ
અમદાવાદના દરેક માર્ગો- સોસાયટીઓ થઈ જળબંબાકાર, કરોડોની ગાડીઓ પડી બંધ
અમદાવાદના દરેક માર્ગો- સોસાયટીઓ થઈ જળબંબાકાર, કરોડોની ગાડીઓ પડી બંધ
g clip-path="url(#clip0_868_265)">