AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ફક્ત નાગપંચમીના દિવસે ખૂલે છે ભગવાન શિવનું આ અનોખુ મંદિર, દર્શન માત્રથી થાય છે ભક્તોની મનોકામના પૂર્ણ

ભગવાન શિવના અનેક અનોખા મંદિરોમાંથી એક છે નાગચંદ્રેશ્વર મંદિર. આ મંદિર ઉજ્જૈનમાં આવેલું છે અને વર્ષમાં માત્ર એક જ દિવસ તેના કપાટ ખુલે છે. શિવજી અને નાગ દેવતાની આ દુર્લભ મૂર્તિના દર્શનથી કાલસર્પ દોષમાંથી મુક્તિ મળે છે.

| Updated on: Aug 17, 2026 | 2:24 PM
Share
ભારતમાં ભગવાન શિવના અનેક અનોખા મંદિરો આવેલા છે. આ મંદિરોમાંથી એક ઉજ્જૈનનું નાગચંદ્રેશ્વર મંદિર પણ છે. આ મંદિર વર્ષમાં માત્ર એક જ વાર નાગપંચમીના દિવસે ખુલે છે અને આ દિવસે મોટી સંખ્યામાં ભક્તો નાગચંદ્રેશ્વર મંદિરમાં આવે છે. આ મંદિર મહાકાલેશ્વર મંદિર પરિસરમાં જ ત્રીજા માળે આવેલું છે. ધાર્મિક માન્યતાઓ અનુસાર, આ મંદિરમાં ભગવાન શિવ અને નાગ દેવતાના દર્શન માત્રથી ભક્તોની મનોકામનાઓ પૂરી થાય છે.

ભારતમાં ભગવાન શિવના અનેક અનોખા મંદિરો આવેલા છે. આ મંદિરોમાંથી એક ઉજ્જૈનનું નાગચંદ્રેશ્વર મંદિર પણ છે. આ મંદિર વર્ષમાં માત્ર એક જ વાર નાગપંચમીના દિવસે ખુલે છે અને આ દિવસે મોટી સંખ્યામાં ભક્તો નાગચંદ્રેશ્વર મંદિરમાં આવે છે. આ મંદિર મહાકાલેશ્વર મંદિર પરિસરમાં જ ત્રીજા માળે આવેલું છે. ધાર્મિક માન્યતાઓ અનુસાર, આ મંદિરમાં ભગવાન શિવ અને નાગ દેવતાના દર્શન માત્રથી ભક્તોની મનોકામનાઓ પૂરી થાય છે.

1 / 5
નાગચંદ્રેશ્વર મંદિરની ખાસ વાતો : ઉજ્જૈનમાં આવેલા નાગચંદ્રેશ્વર મંદિરમાં ભગવાન શિવની સાથે માતા પાર્વતી અને ભગવાન શિવની દુર્લભ પ્રતિમા છે. એવું માનવામાં આવે છે કે નાગોના રાજા તક્ષક આજે પણ આ મંદિરમાં અદ્રશ્ય રૂપે રહે છે. તમને જણાવી દઈએ કે તક્ષક નાગથી પ્રસન્ન થઈને ભગવાન શિવે તેમને અમરત્વ અને પોતાની સમીપ રહેવાનું વરદાન આપ્યું હતું. તક્ષક નાગ આ નાગચંદ્રેશ્વર મંદિરમાં ભગવાન શિવના ધ્યાનમાં લીન રહે છે. તક્ષક નાગના ધ્યાનમાં કોઈ વિઘ્ન ન પડે તે માટે વર્ષના 364 દિવસ નાગચંદ્રેશ્વર મંદિર બંધ રહે છે અને શ્રાવણ મહિનામાં માત્ર નાગપંચમીના દિવસે જ તેને ભક્તોના દર્શન માટે ખોલવામાં આવે છે.

નાગચંદ્રેશ્વર મંદિરની ખાસ વાતો : ઉજ્જૈનમાં આવેલા નાગચંદ્રેશ્વર મંદિરમાં ભગવાન શિવની સાથે માતા પાર્વતી અને ભગવાન શિવની દુર્લભ પ્રતિમા છે. એવું માનવામાં આવે છે કે નાગોના રાજા તક્ષક આજે પણ આ મંદિરમાં અદ્રશ્ય રૂપે રહે છે. તમને જણાવી દઈએ કે તક્ષક નાગથી પ્રસન્ન થઈને ભગવાન શિવે તેમને અમરત્વ અને પોતાની સમીપ રહેવાનું વરદાન આપ્યું હતું. તક્ષક નાગ આ નાગચંદ્રેશ્વર મંદિરમાં ભગવાન શિવના ધ્યાનમાં લીન રહે છે. તક્ષક નાગના ધ્યાનમાં કોઈ વિઘ્ન ન પડે તે માટે વર્ષના 364 દિવસ નાગચંદ્રેશ્વર મંદિર બંધ રહે છે અને શ્રાવણ મહિનામાં માત્ર નાગપંચમીના દિવસે જ તેને ભક્તોના દર્શન માટે ખોલવામાં આવે છે.

2 / 5
11મી સદીની દુર્લભ પ્રતિમા અને નિર્માણનો ઇતિહાસ: એવું માનવામાં આવે છે કે આ ભવ્ય મંદિરમાં જે ભગવાન શિવની મૂર્તિ છે તે 11મી સદીની છે. આ મૂર્તિ નેપાળથી લાવવામાં આવી હતી. ઇતિહાસ મુજબ, નાગચંદ્રેશ્વર મંદિરનું નિર્માણ કાર્ય ઇ.સ. 1050માં પરમાર રાજા ભોજ દ્વારા કરાવવામાં આવ્યું હતું. ત્યારબાદ વર્ષ 1732માં સિંધિયા રાજવંશના રાજા રાણોજી સિંધિયાએ મહાકાલ મંદિરની સાથે નાગચંદ્રેશ્વર મંદિરનો જીર્ણોદ્ધાર (પુનઃનિર્માણ) કરાવ્યો હતો.

11મી સદીની દુર્લભ પ્રતિમા અને નિર્માણનો ઇતિહાસ: એવું માનવામાં આવે છે કે આ ભવ્ય મંદિરમાં જે ભગવાન શિવની મૂર્તિ છે તે 11મી સદીની છે. આ મૂર્તિ નેપાળથી લાવવામાં આવી હતી. ઇતિહાસ મુજબ, નાગચંદ્રેશ્વર મંદિરનું નિર્માણ કાર્ય ઇ.સ. 1050માં પરમાર રાજા ભોજ દ્વારા કરાવવામાં આવ્યું હતું. ત્યારબાદ વર્ષ 1732માં સિંધિયા રાજવંશના રાજા રાણોજી સિંધિયાએ મહાકાલ મંદિરની સાથે નાગચંદ્રેશ્વર મંદિરનો જીર્ણોદ્ધાર (પુનઃનિર્માણ) કરાવ્યો હતો.

3 / 5
નાગપંચમીના દિવસે થાય છે 3 વાર વિશેષ પૂજા, વર્ષમાં એક દિવસ ખુલતા આ મંદિરમાં નાગપંચમીના દિવસે ત્રણ વાર પૂજા કરવામાં આવે છે: પ્રથમ પૂજા: નાગપંચમીની શરૂઆત થતાં જ રાત્રે 12 વાગ્યે (પંચમી તિથિની શરૂઆતમાં) થાય છે. આ પૂજાનું સંચાલન મહાનિર્વાણી અખાડા દ્વારા કરવામાં આવે છે અને તેઓ જ મંદિરના કપાટ ખોલે છે. બીજી પૂજા: બપોરે 12 વાગ્યે શાસકીય સ્તરના (સરકારી) અધિકારીઓ અને મહાનુભાવો દ્વારા કરવામાં આવે છે. ત્રીજી પૂજા: સંધ્યાકાળે (સાંજે) થાય છે, જે મંદિર સમિતિના પુરોહિતો દ્વારા કરવામાં આવે છે.

નાગપંચમીના દિવસે થાય છે 3 વાર વિશેષ પૂજા, વર્ષમાં એક દિવસ ખુલતા આ મંદિરમાં નાગપંચમીના દિવસે ત્રણ વાર પૂજા કરવામાં આવે છે: પ્રથમ પૂજા: નાગપંચમીની શરૂઆત થતાં જ રાત્રે 12 વાગ્યે (પંચમી તિથિની શરૂઆતમાં) થાય છે. આ પૂજાનું સંચાલન મહાનિર્વાણી અખાડા દ્વારા કરવામાં આવે છે અને તેઓ જ મંદિરના કપાટ ખોલે છે. બીજી પૂજા: બપોરે 12 વાગ્યે શાસકીય સ્તરના (સરકારી) અધિકારીઓ અને મહાનુભાવો દ્વારા કરવામાં આવે છે. ત્રીજી પૂજા: સંધ્યાકાળે (સાંજે) થાય છે, જે મંદિર સમિતિના પુરોહિતો દ્વારા કરવામાં આવે છે.

4 / 5
દર્શનનું ધાર્મિક મહત્વ: ધાર્મિક માન્યતાઓ અનુસાર, નાગપંચમીના દિવસે નાગચંદ્રેશ્વર મંદિરમાં શિવજી અને નાગ દેવતાના દર્શન કરનારા ભક્તોને કાલસર્પ દોષમાંથી મુક્તિ મળે છે અને સાથે જ રાહુ-કેતુ સાથે જોડાયેલી સમસ્યાઓનું પણ નિવારણ થાય છે.(All Imgae From: Google)

દર્શનનું ધાર્મિક મહત્વ: ધાર્મિક માન્યતાઓ અનુસાર, નાગપંચમીના દિવસે નાગચંદ્રેશ્વર મંદિરમાં શિવજી અને નાગ દેવતાના દર્શન કરનારા ભક્તોને કાલસર્પ દોષમાંથી મુક્તિ મળે છે અને સાથે જ રાહુ-કેતુ સાથે જોડાયેલી સમસ્યાઓનું પણ નિવારણ થાય છે.(All Imgae From: Google)

5 / 5

Disclaimer:

આ જ્યોતિષીય ગણતરીઓ અને માન્યતાઓ પર આધારિત છે. TV9Gujarati આની જવાબદારી સ્વીકારતું નથી કે તેને સમર્થન આપતું નથી. કોઈપણ માહિતી અથવા ધારણા લાગુ કરતાં પહેલાં, સંબંધિત નિષ્ણાતની સલાહ લો.

બુધનું ક્રાંતિવૃત્ત પરિવર્તન, 9 ઓગસ્ટથી આ 4 રાશિઓના જીવનમાં આવશે મોટો બદલાવ, સફળતા અને આવકના ખુલશે દ્વાર!

Follow Us
પાણીથી ભરેલી ખાડીમાં કાર ફસાઈ, 4 મિત્રોનો આબાદ બચાવ
પાણીથી ભરેલી ખાડીમાં કાર ફસાઈ, 4 મિત્રોનો આબાદ બચાવ
રાજકોટમાં આજથી 6 દિવસનો પાણીકાપ લાગુ થતાં ગૃહિણીઓની ચિંતા વધી ! Video
રાજકોટમાં આજથી 6 દિવસનો પાણીકાપ લાગુ થતાં ગૃહિણીઓની ચિંતા વધી ! Video
અમદાવાદના ‘જેલ ભજીયા હાઉસ’ને અપાયો નવો ‘હેરિટેજ લૂક’, જુઓ Video
અમદાવાદના ‘જેલ ભજીયા હાઉસ’ને અપાયો નવો ‘હેરિટેજ લૂક’, જુઓ Video
અમદાવાદના સાણંદ પંથકમાં ફરી દીપડાની દહેશત
અમદાવાદના સાણંદ પંથકમાં ફરી દીપડાની દહેશત
બોટ અકસ્માતમાં 12 માછીમારોને દરિયામાંથી સલામત બચાવાયા
બોટ અકસ્માતમાં 12 માછીમારોને દરિયામાંથી સલામત બચાવાયા
ભારે વરસાદની શક્યતા નહિવત, જાણો તમારા જિલ્લામાં કેવુ રહેશે વાતાવરણ
ભારે વરસાદની શક્યતા નહિવત, જાણો તમારા જિલ્લામાં કેવુ રહેશે વાતાવરણ
12 રાશિઓમાંથી કોનું ભાગ્ય ચમકશે? નોકરી, વેપાર અને પૈસાની સ્થિતિ જાણો
12 રાશિઓમાંથી કોનું ભાગ્ય ચમકશે? નોકરી, વેપાર અને પૈસાની સ્થિતિ જાણો
સુરતમાં માછીમાર સમાજે તાપી નદીની વચ્ચોવચ્ચ વિઘ્નહર્તાનું કર્યુ સ્થાપન
સુરતમાં માછીમાર સમાજે તાપી નદીની વચ્ચોવચ્ચ વિઘ્નહર્તાનું કર્યુ સ્થાપન
ગાંધીનગર IIIT કેમ્પસમાં વિદ્યાર્થીઓનો સુરક્ષા મુદ્દે વિરોધ
ગાંધીનગર IIIT કેમ્પસમાં વિદ્યાર્થીઓનો સુરક્ષા મુદ્દે વિરોધ
વડોદરામાં અઢી ઈંચ વરસાદમાં ₹4 કરોડના ખર્ચે રિપેર કરેલો રોડ ધોવાયો
વડોદરામાં અઢી ઈંચ વરસાદમાં ₹4 કરોડના ખર્ચે રિપેર કરેલો રોડ ધોવાયો
g clip-path="url(#clip0_868_265)">