સરકારે એક જ ઝાટકે બદલી નાખ્યા સોના-ચાંદીના નિયમો, શું હવે ભાવમાં આવશે ‘મોટો ઉછાળો’?
જો તમે પણ સોનું કે ચાંદી ખરીદવાનું વિચારી રહ્યા છો, તો તમારા માટે એક મહત્વના સમાચાર આવ્યા છે. કેન્દ્ર સરકારે આંતરરાષ્ટ્રીય બજારની સ્થિતિને ધ્યાનમાં રાખીને સોના-ચાંદીને લઈને એક નવો નિર્ણય લીધો છે. સરકારના આ પગલાં બાદ હવે બજારમાં સોના-ચાંદીના ભાવ પર તેની સીધી અસર જોવા મળી શકે છે.

કેન્દ્ર સરકારે આંતરરાષ્ટ્રીય બજારના વલણ અને સમીક્ષા બાદ ઘરેલું બજારમાં આયાતને નિયંત્રિત કરવા માટે સોના-ચાંદીના બેઝ ઈમ્પોર્ટ પ્રાઇસ (આધાર આયાત કિંમત) માં વધારો કર્યો છે. આ અંતર્ગત સોનાની કિંમતમાં 12 ડોલર પ્રતિ 10 ગ્રામ અને ચાંદીની કિંમતમાં 6 ડોલર પ્રતિ કિલોગ્રામનો વધારો કરવામાં આવ્યો છે.

આ સુધારા પછી હવે સોનાની બેઝ ઈમ્પોર્ટ પ્રાઇસ વધીને 1,323 ડોલર પ્રતિ 10 ગ્રામ થઈ ગઈ છે, જ્યારે ચાંદીની નવી બેઝ પ્રાઇસ 1,875 ડોલર પ્રતિ કિલોગ્રામ પર પહોંચી ગયો છે. સરકાર દ્વારા આ પગલું વિદેશી બજારોમાં કિંમતી ધાતુઓના ભાવમાં આવેલા ફેરફારો અને ટેરિફ વેલ્યુ નક્કી કરવાની નિયમિત પ્રક્રિયાના ભાગરૂપે લેવામાં આવ્યું છે.

બેઝ ઈમ્પોર્ટ પ્રાઇસ એ મૂળ મૂલ્ય (બેઝ વેલ્યુ) હોય છે, જેના આધારે કસ્ટમ ડ્યુટીની ગણતરી કરવામાં આવે છે. એવામાં પછી ભલે માલની વાસ્તવિક ખરીદ કિંમત ગમે તે હોય. કિંમતોમાં આ વધારાથી આયાતકારો પર ટેક્સનો બોજ થોડો વધી શકે છે, જેની અસર દેશમાં સોના અને ચાંદીના છૂટક ભાવ પર પણ જોવા મળી શકે છે.

જણાવી દઈએ કે, ભારતમાં આયાત શુલ્ક (કસ્ટમ ડ્યુટી) આ જ બેઝ પ્રાઇસના આધારે નક્કી કરવામાં આવે છે. બેઝ પ્રાઇસ વધવાને કારણે આયાતકારોએ હવે પ્રતિ 10 ગ્રામ સોના પર અને પ્રતિ કિલોગ્રામ ચાંદી પર વધુ ટેક્સ ચૂકવવો પડશે.

ધ્યાન રાખવા જેવું એ છે કે, જ્યારે આયાતકારોની પડતર કિંમત વધશે, ત્યારે તેઓ તેનો બોજ ગ્રાહકો પર નાખશે. હવે આના પરિણામે સ્થાનિક જ્વેલર્સ અથવા છૂટક બજાર (રિટેલ માર્કેટ) માં સોના અને ચાંદીના ઘરેણાંના ભાવ વધી જશે, તેવી સંભાવના છે.

સરકાર આંતરરાષ્ટ્રીય માર્કેટ અને ભારતીય માર્કેટ વચ્ચેના તફાવતને ઘટાડવા માટે સમયે-સમયે બેઝ પ્રાઇસ બદલે છે, જેથી ગેરકાયદેસર રીતે થતી સોનાની આયાત (તસ્કરી) પર રોક લગાવી શકાય.
₹5 લાખનું રોકાણ ક્યાં કરવું ? FD, મ્યુચ્યુઅલ ફંડ કે ગોલ્ડ ? જાણો ઝીરો રિસ્કથી લઈને હાઈ રિટર્ન સુધીના ‘સુપર ઓપ્શન’
