IND vs ENG: ભારત સામેની ચોથી T20 મેચ પહેલા ઈંગ્લેન્ડનો મોટો નિર્ણય, 2 ખેલાડીઓને ટીમમાંથી કર્યા બહાર
ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચે ચોથી T20 બ્રિસ્ટોલમાં રમાશે, પરંતુ આ મેચ પહેલા ઈંગ્લેન્ડે તેના બે ખેલાડીઓને ટીમમાંથી બહાર કરી દીધા છે. ચાલો જાણીએ ઈંગ્લેન્ડે આવું કેમ કર્યું અને કોણ છે આ બે ખેલાડીઓ.

ભારત સામેની T20 શ્રેણીમાં સારું પ્રદર્શન કરી રહેલા ઈંગ્લેન્ડે એક મોટો નિર્ણય લીધો છે અને બ્રિસ્ટલ T20 પહેલા ટીમમાંથી બે ખેલાડીઓને રિલીઝ કર્યા છે.

ઈંગ્લેન્ડે ઓલરાઉન્ડર જેમ્સ કોલ્સ અને રેહાન અહેમદને T20 બ્લાસ્ટમાં રમવા માટે મંજૂરી આપી છે. બંને ખેલાડીઓ પોતપોતાની ટીમો તરફથી રમશે. બંને બ્રિસ્ટલ T20માં રમવા માટે લાયક રહેશે નહીં.

જેમ્સ કોલ્સ ઓવલ ખાતે રમાનારી T20 બ્લાસ્ટમાં સરે સામે સસેક્સ તરફથી રમશે, જ્યારે રેહાન અહેમદ ડરહામ સામે લેસ્ટરશાયર તરફથી રમશે.

ઈંગ્લેન્ડ બ્રિસ્ટલમાં રમાનારી T20 માં ભારત સામે છેલ્લી બે મેચની પ્લેઈંગ ઈલેવનને જ મેદાનમાં ઉતારશે. ઈંગ્લેન્ડે માન્ચેસ્ટર અને નોટિંગહામમાં મોટી જીત નોંધાવી હતી. હવે, તેઓ બ્રિસ્ટલમાં જીત મેળવી શ્રેણીમાં અજેય લીડ મેળવવાનો પ્રયાસ કરશે.

બ્રિસ્ટલની વાત કરીએ તો, ઈંગ્લેન્ડ આ મેદાન પર ક્યારેય ભારત સામે મેચ જીતી શક્યું નથી. બંને ટીમો વચ્ચે અહીં એક વનડે અને એક T20 મેચ રમાઈ છે અને ભારત બંનેમાં જીત્યું છે. જોકે, આ મેદાન પર બંને ટીમો વચ્ચે છેલ્લી મેચ 2018 માં રમાઈ હતી. (PC: Getty Images)
IND vs ENG: બ્રિસ્ટોલમાં કરો યા મરો મુકાબલો, શ્રેણી બચાવવા ટીમ ઈન્ડિયાએ 8 વર્ષ જૂના ઈતિહાસનું પુનરાવર્તન કરવું પડશે
