Breaking News : કાશ્મીરના રાજૌરીમાં સૈન્યના વાહન પર ગોળીઓનો વરસાદ, સેના એલર્ટ
પાકિસ્તાન દ્વારા જમ્મુ કાશ્મીરમાં સતત આતંકી પ્રવૃતિને વેગ આપવામાં આવી રહ્યો છે અથવા તો સરહદ ઉપર ગોળીબાર કરીને યુદ્ધવિરામની સ્થિતિનું ઉલ્લંઘન કરવામાં આવી રહ્યું છે. આજે બુધવારે કાશ્મીરના રાજૌરીમાં LOC પારથી ભારતીય ક્ષેત્રમાં ગોળીબાર થયો હતો, આ ગોળીબારમાં ભારતીય સૈન્યના વાહનોને નિશાન બનાવવામાં આવ્યા હતા. ઘટના બાદ સૈન્ય એલર્ટ થઈ ગયુ છે. વધારાનો ફોર્સ બોલાવી લઈને ગોળીબારના નજીકના સમગ્ર વિસ્તારને કોર્ડન કરવામા આવી રહ્યો છે.

પાકિસ્તાન નિયંત્રણ રેખા પર સતત તણાવ વધારવાનું કાવતરું કરી રહ્યું છે. બુધવારે રાજૌરીમાં LOC પારથી ભારતીય ક્ષેત્રમાં ગોળીબાર થયો હતો. આ ગોળીબાર જમ્મુ-કાશ્મીરના રાજૌરી જિલ્લામાં થયો હતો. ઘટના બાદ ઘટનાસ્થળે વધારાની ફોર્સ મોકલવામાં આવી છે. હુમલા બાદ તરત જ સેનાએ સમગ્ર વિસ્તારને કોર્ડન કરવાનું શરૂ કરી દીધું હતું.

સૈન્ય વાહન પર ગોળીબારની ઘટનાને અંજામ આપ્યા બાદ આતંકીઓ તરત જ સ્થળ પરથી ફરાર થઈ ગયા હતા. હાલ આ ઘટનામાં કોઈને ઈજા કે જાનહાનિના સમાચાર નથી. સેના દ્વારા મોટા પાયે સર્ચ ઓપરેશન ચલાવવામાં આવી રહ્યું છે.

તાજેતરમાં જ ભારત અને પાકિસ્તાન વચ્ચે ફ્લેગ મીટિંગ યોજાઈ હતી. આ બેઠકમાં શાંતિ પર સહમતિ સધાઈ હતી. મીટીંગના થોડા દિવસો બાદ જ આ પ્રકારની ઘટનાએ કાશ્મીરમાં બધાને પરેશાન કરી દીધા છે. છેલ્લા કેટલાક દિવસોથી સરહદ પર આવા હુમલાઓ સતત વધી રહ્યા છે.

પાકિસ્તાન નિયંત્રણ રેખા પર તણાવ વધારવા માટે સતત ષડયંત્ર રચી રહ્યું છે. તાજેતરના દિવસોમાં એલઓસી પર મોટાપાયે યુદ્ધવિરામનું ઉલ્લંઘન કરવામાં આવ્યું છે. બુધવારે રાજૌરીમાં ભારતીય વિસ્તારમાં એલઓસી પારથી ફાયરિંગ કરવામાં આવ્યું હતું. ભારતે પણ પાકિસ્તાનની આ નાપાક હરકતનો જવાબ આપ્યો હતો. આ પહેલા પુંછ સેક્ટરમાં ભારતીય ચોકીઓને નિશાન બનાવીને ગોળીબાર કરવામાં આવ્યો હતો. ભારતીય સેનાએ જડબાતોડ જવાબ આપ્યો હતો.

ભારતીય સેના અને સુરક્ષા એજન્સીઓ નિયંત્રણ રેખા પર સતત નજર રાખી રહી છે અને કોઈપણ પરિસ્થિતિનો સામનો કરવા માટે સંપૂર્ણ રીતે તૈયાર છે. પાકિસ્તાન સતત ભારત વિરુદ્ધ ષડયંત્ર રચે છે, પરંતુ ભારતના બહાદુર સૈન્ય જવાનો દરેક વખતે પાકિસ્તાનને જડબાતોડ જવાબ આપે છે અને દરેક વખતે પાકિસ્તાનને હારનો સામનો કરવો પડે છે.
જમ્મુ કાશ્મીરને લગતા તમામ સમાચાર જાણવા માટે અહીં ક્લિક કરો.