સમુદ્રી બિઝનેસમાં ભારતને મહાશક્તિ બનાવનાર એક પોર્ટ કેરળમાં બનીને તૈયાર, ભારત સાથે જોડાયેલો 75%નો બિઝનેસ હવે નહી જાય દુબઈ, સિંગાપોર અને શ્રીલંકા
અત્યાર સુધી, ભારતના લગભગ 75 ટકા ટ્રાન્સશિપમેન્ટ કન્ટેનર શ્રીલંકાના કોલંબો બંદર દ્વારા હેન્ડલ કરવામાં આવતા હતા, જેના પરિણામે વિદેશી હૂંડિયામણ અને આવકનું મોટું નુકસાન થતું હતું. તેમાંથી મોટાભાગનો ટ્રાફિક વિઝિંજામથી ભારત પાછો ફરવાની આશા છે.

હવે આગામી કેટલાક વર્ષમાં અદાણી પોર્ટ્સના શેર ખરીદતા રહો. કારણ કે અદાણીએ કેરળમાં ભારતનું પહેલું અને એકમાત્ર ડીપ સી ( Deep Sea) પોર્ટ બનાવ્યું છે, જેના કારણે સિંગાપોર, દુબઈ અને શ્રીલંકા જતા 75 વ્યવસાયો આ પોર્ટ પર આવશે.

ડીપ સી પોર્ટ શું છે અને ભારતને તેની શા માટે જરૂર છે?તો ચાલો આપણે એક નાનકડી વાત સમજીએ તો ભારતનો કુલ આયાતનો લગભગ 90 ટકા ભાગ દરિયાઈ માર્ગે આવે છે. સામાન્ય રીતે, સમગ્ર વિશ્વમાં, દરેક દેશમાંથી લગભગ સમાન ટકાવારી આયાત ફક્ત દરિયાઈ માર્ગે થાય છે.

પરંતુ ભારતનો આ માલ સીધો ભારત આવતા પહેલા દુબઈ,શ્રીલંકા કે પછી સિંગાપુરના પોર્ટ પર જ ઉતારવામાં આવતો હતો અને ત્યારબાદ ત્યાંથી નાના નાના જહાજો દ્વારા ભારત આવતો હતો. જેના કારણે ખર્ચ પણ વધતો હતો.

કારણ એ છે કે, ભારતના Nature Made પોર્ટના સમુદ્રની ઉંડાઈ 18 મીટરથી ઓછી છે.જ્યારે Mother Vessels(મોટા જહાજો)ને પોર્ટ પર ઉભા રહેવા માટે 18 મીટરથી વધારેની ઊંડાઈજોઈએ છે.સિંગાપુર,દુબઈ અને શ્રીલંકાની પાસે પણ Man Made પોર્ટ જ છે. જેની ઉંડાઈ 18 મીટરથી વધારે છે પરંતુ ભારતની પાસે એક પણ Man Made Port ન હતો.

અદાણીએ કેરળ આ પોર્ટ બનાવીને હવે સિંગાપોર,શ્રીલંકા અને દુબઈ જનારા 75% વ્યવસાયાને સીધો અદાણી પોર્ટસ કંપનીને ટ્રાન્સફર કરવાનો નિર્ણય લીધો છે અને નફાનો લાભ ભારતને થશે.ભારતના ખરીદદારો અને શેરધારકોને ફાયદો થશે.આવનારા સમયમાં આ પોર્ટ પર વર્ષના 2 લાખ કરોડ રુપિયાની રેવેન્યુ જનરેટ થશે.ટુંકમાં આ કંપનીના શેરહોલ્ડરોને લોટરી લાગશે.

જિઓ પોલિટિકલ નજરથી પણ Vizhinjam પોર્ટ ભારત માટે ગેમચેન્જનું કામ કરી શકે છે. એ જાણવું જરુરી છે કે, અત્યારસુધી ભારત Mother Vesselsને પહેલા કે પછી શ્રીલંકા ,દુબઈ કે પછી સિંગાપોર રોકે છે. ત્યારબાદ ત્યાંથી નાના -નાના જહાજોમાં શિફટ કરી ભારત લાવે છે.

દુનિયા જાણે છે કે, ભારત માટે ચીન એક મોટો ખતરો છે અને શ્રીલંકામાં ચીનનો પ્રભાવ છેલ્લા કેટલાક વર્ષોમાં લોન ટ્રેપના કારણે વધ્યો છે.જો યુદ્ધની પરિસ્થિતમાં ચીનના દબાવમાં આવી શ્રીલંકા ભારતને પોતાનો આ પોર્ટ ઉપયોગ કરતા રોકે છે, તો ભારત માટે મોટી મુશ્કેલી ઉભી થઈ શકે છે

પરંતુ Vizhinjam પોર્ટ બની જવાથી હવે આ સમસ્યાનું પણ સમાધાન નીકળ્યું છે. એટલે કે, ભવિષ્યમાં ચીન સાથે થનારા યુદ્ધ સાથે જોડાયેલી એક મુશ્કેલીનું સમાધાન તો અદાણીના આ નવા પોર્ટે દુર કર્યું છે.
ગૌતમ અદાણીની પર્સનલ લાઈફ તેમજ તેના પરિવારમાં કોણ કોણ છે જાણો અહી ક્લિક કરો
