AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

કેરળ

કેરળ

ભારત વિવિધતામાં એકતા ધરાવતો દેશ છે. તેમાં એક રાજ્યકેરળ પણ આવેલું છે. જેની પાટનગર તિરુવનંતપુરમ (ત્રિવેન્દ્રમ) છે. મલયાલમ અહીંની મુખ્ય ભાષા છે. હિન્દુઓ તથા મુસલમાન સહિત અહીંયા ઈસાઈ ધર્મના લોકો પણ રહે છે.

કેરળ શબ્દની વ્યુત્પત્તિ વિશે વિદ્વાનોમાં કોઈ એકમત નથી. એવું કહેવાય છે કે ચેરાલમની રચના “ચેર એટલે સ્થળ-કાદવ અને “આલમ એટલે પ્રદેશ” શબ્દોના સંયોજનથી થઈ હતી. જે પાછળથી કેરળ બન્યું. કેરળ શબ્દનો બીજો અર્થ છે :- સમુદ્રમાંથી નીકળેલી જમીન. કેરળની સંસ્કૃતિ હજારો વર્ષ જૂની છે.

દક્ષિણ સ્થિત ચાર રાજ્યોમાં કેરળ અગ્રણી સ્થાન ધરાવે છે. તેના મુખ્ય પડોશી રાજ્યો તમિલનાડુ અને કર્ણાટક છે. પૌરાણિક કથાઓ અનુસાર પરશુરામે પોતાનું પરશુ સમુદ્રમાં ફેંક્યું હતું, જેના કારણે સમુદ્રમાંથી તેના કદ જેવી જ જમીન બહાર નીકળી અને કેરળ અસ્તિત્વમાં આવ્યું.

કેરળ લોકોનું ફરવા માટેનું મનપસંદ રાજ્ય છે. તેથી જ તેને ‘ભગવાનનો પોતાનો દેશ (God’s Own Country)’ કહેવામાં આવે છે. મુન્નાર, નેલિયાનપતિ, પોનમુતી વગેરે જેવા પહાડી વિસ્તારો, કોવલમ, વરકાલા, ચેરાઈ વગેરે જેવા દરિયાકિનારા, પેરિયાર, એરાવિકુલમ વગેરે જેવા જંગલી પ્રાણી કેન્દ્રો, કોલ્લમ, અલાપ્પુઝા, કોટ્ટાયમ, એર્નાકુલમ વગેરે જેવા ઝીલ પ્રદેશો પ્રવાસીઓ માટે વિશેષ આકર્ષણ ધરાવે છે.

Read More

Breaking News: ક્રિકેટર એસ શ્રીસંત પર તૂટ્યો દુઃખનો પહાડ, પિતાનું 89 વર્ષની વયે અવસાન

ભારતીય ક્રિકેટ ટીમના ભૂતપૂર્વ ઝડપી બોલર એસ. શ્રીસંતના પિતા વી. શાંતાકુમારન નાયરનું 11 સપ્ટેમ્બરની મોડી રાત્રે 89 વર્ષની વયે નિધન થયું છે. તેઓ હૃદય સંબંધિત સમસ્યાઓને કારણે કોચીની હોસ્પિટલમાં સારવાર લઈ રહ્યા હતા. શ્રીસંતે સોશિયલ મીડિયા દ્વારા પિતાના નિધનની માહિતી આપી હતી.

કન્ફર્મ ટિકિટ હોવા છતાં એકલી મુસાફરી કરતી મહિલાને અડધી રાત્રે ટ્રેનમાંથી ઉતારી દીધી, માનવાધિકાર પંચે વળતર ચૂકવવા આપ્યો આદેશ

રેલવે ક્લાર્કની ભૂલ અને ટીટીઈની બેદરકારીને કારણે કન્ફર્મ ટિકિટ ધરાવતી એકલી મુસાફર મહિલાને અડધી રાત્રે ટ્રેનમાંથી ઉતારી આરપીએફને સોંપી દેવાઈ હતી. કેસ દાખલ થતાં મહિલાની સરકારી કોન્ટ્રાક્ટની નોકરી પણ છૂટી ગઈ હતી. રેલવેને દોષિત ઠેરવી પીડિતાને વળતર ચૂકવવાનો આદેશ.

કાનુની સવાલ : સગીર પત્ની સાથે શારીરિક સંબંધ બાંધવો એ પણ POCSO હેઠળ ગુનો ? જાણો શું કહે છે કાયદો

કેરળ હાઈકોર્ટે સ્પષ્ટ કર્યું છે કે માત્ર સગીરા સાથે લગ્ન કરી લેવાથી આરોપી POCSO કાયદા હેઠળની કાનૂની કાર્યવાહીમાંથી બચી શકતો નથી. જાણો સમગ્ર મામલો અને POCSO ની કલમો હેઠળ થતી સજાની જોગવાઈઓ.

Trending Video: પ્રસાદમાં લાડુ નહીં પણ Munch ચોકલેટ, આ મંદિરની અનોખી પરંપરા જોઈને લોકો પણ ચોંક્યા

સામાન્ય રીતે મંદિરોમાં પ્રસાદ તરીકે લાડુ, પેંડા કે ફળ મળતા હોય છે. જો કે, એક અનોખા મંદિરમાં ભગવાનને 'મંચ' (Munch) ચોકલેટ પ્રસાદ તરીકે ધરાવવામાં આવે છે અને ભક્તોને પણ પ્રસાદમાં ચોકલેટ મળે છે. સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહેલી આ અનોખી પરંપરા પાછળ એક ખૂબ જ રસપ્રદ વાર્તા જોડાયેલી છે.

18 વર્ષની ઉંમરે 40 કરોડનું દેવું અને 175 કોર્ટ કેસ… જાણો ₹16,000 કરોડના બેટા ગ્રુપના માલિકની અદ્ભુત કહાણી!

મુશ્કેલીઓ સામે હાર માનવાને બદલે અથાગ પરિશ્રમ અને દ્રઢ મનોબળથી સફળતાનું શિખર સર કરનાર 67 વર્ષીય જે. રાજમોહન પિલ્લાઈ આજે યુવા પેઢી માટે પ્રેરણાસ્ત્રોત બન્યા છે. દાયકાઓના સંઘર્ષ બાદ, તેમણે બેટા ગ્રુપને એક મલ્ટીનેશનલ કંપની બનાવી.

Miss Universe India 2026: કેરળની 19 વર્ષીય લૉ સ્ટુડન્ટ કઝિયા લિઝ મેજો બની Miss Universe India 2026; જાણો કોણ છે આ બ્યુટી ક્વીન

કેરળની 19 વર્ષીય લૉ સ્ટુડન્ટ કઝિયા લિઝ મેજોએ મિસ યુનિવર્સ ઇન્ડિયા 2026નો તાજ પોતાના નામે કરી લીધો છે. જાણો કોણ છે કઝિયા.

World Elephant Day : ભારતમાં આ સ્થળ હાથીઓ માટે સ્વર્ગ અને મુસાફરી માટે બેસ્ટ લોકેશન, બાળકોને ફરવા જરુર લઈ જાવ

હાથીઓને વાઈલ્ડ લાઈફનો સૌથી જરુરી ભાગ માનવામાં આવે છે. તેમની સંખ્યા ઘટતી અટકાવવા માટે, તેમના મહત્વને ઉજાગર કરવા માટે વિશ્વ હાથી દિવસ ઉજવવામાં આવે છે. હાથીઓ માટે પ્રખ્યાત ભારતમાં આ સ્થળ વિશે જાણો.

NHAI નો ઐતિહાસિક નિર્ણય, 20 દિવસમાં રસ્તો ધસી જતાં કોન્ટ્રાક્ટર સામે આકરી કાર્યવાહી, એક્સપ્રેસવે ટોલ ફ્રી કરાયો

કાનપુર-લખનૌ એક્સપ્રેસવેનું ઉદ્ઘાટન થયાના 20 દિવસમાં જ રસ્તો ખરાબ થતાં NHAI એ ટોલ વસૂલાત રોકી દીધી છે અને કોન્ટ્રાક્ટર સામે કડક દંડાત્મક કાર્યવાહી કરી છે. જાણો ભારતમાં આ પહેલા ક્યારે ટોલ રોકવામાં આવ્યો હતો.

કાનુની સવાલ : મહિલાના પ્રાઈવેટ પાર્ટ પર વાઇબ્રેટિંગ મશીન મૂકવું એ પણ બળાત્કાર, કેરળ હાઇકોર્ટનો ઐતિહાસિક નિર્ણય

કેરળ હાઈકોર્ટે એક ઐતિહાસિક નિર્ણય સંભળાવ્યો છે. આ નિર્ણય મુજબ મહિલાના પ્રાઈવેટ પાર્ટ પર વાઈબ્રેટિંગ મશીન કે અન્ય કોઈ ઉપકરણ રાખવું POCSO એકટ અને બળાત્કાર માનવામાં આવશે.

દુલ્હા-દુલ્હનથી લઈને પાદરી સુધી બધા જ નીકળ્યા ‘જુડવા’, લગ્નના મંડપમાં જોવા મળ્યો ‘અનોખો નજારો’

દરેક લગ્ન પોતાની ખાસિયત માટે યાદ રહેતા હોય છે પરંતુ તાજેતરમાં યોજાયેલા આ લગ્ન સાચે જ કંઈક અલગ હતા. અહીં વર-કન્યાથી લઈને વિધિ કરાવનાર પાદરી સુધી... દરેક મુખ્ય ભૂમિકામાં માત્ર જોડિયા લોકો જ જોવા મળ્યા હતા.

દેશના નવા શિક્ષણ મંત્રી પાસે કઈ ડિગ્રી છે અને પરિવારમાં કોણ કોણ છે? જાણો

ધર્મેન્દ્ર પ્રધાનના રાજીનામા બાદ, પ્રહલાદ જોશીને શિક્ષણ મંત્રાલયનો વધારાનો હવાલો સોંપવામાં આવ્યો છે. તેમના શિક્ષણ, રાજકીય સફર, વર્તમાન મંત્રાલય અને અનુભવ વિશે જાણો.

Breaking News: કોરોનાએ ફરી ચિંતા વધારી, એક જ મહિનામાં નોંધાયા 12 નવા કેસ અને 4 દર્દીઓના થયા મોત

કોરોના વાયરસને લઈને એકવાર ફરી ચિંતાજનક સમાચાર સામે આવ્યા છે. દેશમાં છેલ્લા એક મહિનાથી પણ ઓછા સમયમાં કોરોનાના નવા કેસ નોંધાતા તંત્ર એલર્ટ થયું છે. સૌથી વધુ પરેશાન કરનારી વાત એ છે કે, સંક્રમિત દર્દીઓમાંથી 4 લોકોના મોત પણ થઈ ચૂક્યા છે.

વિયેતનામમાં બોટ દુર્ઘટનામાં મૃત્યુ પામેલા 15 ભારતીયોના પાર્થિવ દેહ લઈને વિમાન મુંબઈ પહોંચ્યું

હનોઈ સ્થિત ભારતીય દૂતાવાસે જણાવ્યું, "અકસ્માતમાં જીવ ગુમાવનારાઓના પરિવારો પ્રત્યે અમે અમારી ઊંડી સંવેદના વ્યક્ત કરીએ છીએ. આ મુશ્કેલ સમયમાં અમારી પ્રાર્થનાઓ તેમની સાથે છે."

Breaking News: ભારત-ઈંગ્લેન્ડ T20 શ્રેણી વચ્ચે સંજુ સેમસનનો મોટો નિર્ણય, અચાનક ટૂર્નામેન્ટમાંથી ખસી ગયો

ભારત-ઈંગ્લેન્ડ T20 શ્રેણી વચ્ચે સંજુ સેમસને એક એવો નિર્ણય લીધો છે, જેણે ક્રિકેટ ચાહકોને ચોંકાવી દીધા છે. વ્યક્તિગત કારણોસર તેણે એક મોટી ટૂર્નામેન્ટમાંથી પોતાનું નામ પરત ખેંચી લીધું છે. આ નિર્ણય એવા સમયે આવ્યો છે, જ્યારે તે ભારતીય ટીમમાં વાપસીની રાહ જોઈ રહ્યો છે.

Breaking News: શ્રીસંત પરનો પ્રતિબંધ આખરે હટ્યો, બિનશરતી માફી માંગ્યા બાદ મળી મોટી રાહત

ભૂતપૂર્વ ક્રિકેટર શ્રીસંતની આખી કારકિર્દી વિવાદોથી ઘેરાયેલી રહી હતી, અને નિવૃત્તિ પછી પણ તે વિવાદોથી દૂર રહ્યો નથી. એક વિવાદ માટે તેના પર ત્રણ વર્ષનો પ્રતિબંધ પણ લગાવવામાં આવ્યો હતો, જોકે માફી માંગ્યા બાદ આ પ્રતિબંધ હટાવી લેવામાં આવ્યો છે.

g clip-path="url(#clip0_868_265)">