AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

કેરળ

કેરળ

ભારત વિવિધતામાં એકતા ધરાવતો દેશ છે. તેમાં એક રાજ્યકેરળ પણ આવેલું છે. જેની પાટનગર તિરુવનંતપુરમ (ત્રિવેન્દ્રમ) છે. મલયાલમ અહીંની મુખ્ય ભાષા છે. હિન્દુઓ તથા મુસલમાન સહિત અહીંયા ઈસાઈ ધર્મના લોકો પણ રહે છે.

કેરળ શબ્દની વ્યુત્પત્તિ વિશે વિદ્વાનોમાં કોઈ એકમત નથી. એવું કહેવાય છે કે ચેરાલમની રચના “ચેર એટલે સ્થળ-કાદવ અને “આલમ એટલે પ્રદેશ” શબ્દોના સંયોજનથી થઈ હતી. જે પાછળથી કેરળ બન્યું. કેરળ શબ્દનો બીજો અર્થ છે :- સમુદ્રમાંથી નીકળેલી જમીન. કેરળની સંસ્કૃતિ હજારો વર્ષ જૂની છે.

દક્ષિણ સ્થિત ચાર રાજ્યોમાં કેરળ અગ્રણી સ્થાન ધરાવે છે. તેના મુખ્ય પડોશી રાજ્યો તમિલનાડુ અને કર્ણાટક છે. પૌરાણિક કથાઓ અનુસાર પરશુરામે પોતાનું પરશુ સમુદ્રમાં ફેંક્યું હતું, જેના કારણે સમુદ્રમાંથી તેના કદ જેવી જ જમીન બહાર નીકળી અને કેરળ અસ્તિત્વમાં આવ્યું.

કેરળ લોકોનું ફરવા માટેનું મનપસંદ રાજ્ય છે. તેથી જ તેને ‘ભગવાનનો પોતાનો દેશ (God’s Own Country)’ કહેવામાં આવે છે. મુન્નાર, નેલિયાનપતિ, પોનમુતી વગેરે જેવા પહાડી વિસ્તારો, કોવલમ, વરકાલા, ચેરાઈ વગેરે જેવા દરિયાકિનારા, પેરિયાર, એરાવિકુલમ વગેરે જેવા જંગલી પ્રાણી કેન્દ્રો, કોલ્લમ, અલાપ્પુઝા, કોટ્ટાયમ, એર્નાકુલમ વગેરે જેવા ઝીલ પ્રદેશો પ્રવાસીઓ માટે વિશેષ આકર્ષણ ધરાવે છે.

Read More

Breaking Union Budget 2026-27 ચીન પાસે ભીખ માંગવાની જરૂર નથી, ભારત આત્મનિર્ભર રેર અર્થ કોરિડોર બનાવશે

નાણામંત્રી નિર્મલા સીતારમણે તેમના કેન્દ્રીય બજેટ 2026 ના ભાષણમાં, ઓડિશા, કેરળ, તમિલનાડુ અને આંધ્રપ્રદેશ જેવા રાજ્યોમાં ખાણકામ અને સંશોધનને પ્રોત્સાહન આપવા માટે એક નવા 'રેર અર્થ કોરિડોર'ની જાહેરાત કરી છે.

ભારતમાં ‘ગોલ્ડ કેપિટલ ઓફ ઇન્ડિયા’ ક્યાં આવેલું છે? આખરે આ શહેર કઈ રીતે દેશના સોના ઉદ્યોગનું કેન્દ્ર બની ગયું?

જો તમને પૂછવામાં આવે કે, ભારતનું 'ગોલ્ડ કેપિટલ' કયું શહેર છે? તો કદાચ થોડીવાર માટે તમે વિચારમાં પડી જશો અથવા તમારા મગજમાં દિલ્હી, મુંબઈ કે બેંગલુરુના નામ જ આવશે પરંતુ આ વાત ખોટી છે.

હવે ડાબેરીઓનો વારો, ગુજરાતની જેમ કેરળમાં પણ ભાજપનો થશે ઉદયઃ પીએમ મોદી

કેરળની મુલાકાત દરમિયાન, વડા પ્રધાન મોદીએ ડાબેરી અને કોંગ્રેસ પક્ષો પર ભ્રષ્ટાચાર અને દાયકાઓથી તિરુવનંતપુરમ શહેરની અવગણના કરવાનો આરોપ લગાવ્યો. તેમણે કહ્યું કે ગુજરાતની જેમ, કેરળમાં પણ ભાજપનો ઉદય થઈ રહ્યો છે અને પાર્ટી તિરુવનંતપુરમને એક મોડેલ શહેર બનાવશે.

કાનુની સવાલ : શું હિન્દુ પત્ની પતિની અચલ સંપત્તિ પર દાવો કરી શકે ? હાઈકોર્ટે આ નિર્ણય આપ્યો

કેરળ હાઈકોર્ટે હિન્દુ પત્નીઓના ભરણપોષણના અધિકારને વધુ મજબૂત બનાવ્યો છે. કોર્ટે પતિની સ્થાવર મિલકત પર પત્નીના ભરણપોષણના અધિકાર અંગેના કેસમાં ચુકાદો આપ્યો હતો. આ કેસમાં એવી પરિસ્થિતિનો સમાવેશ થાય છે જ્યાં પતિની સ્થાવર મિલકત બીજા કોઈને ટ્રાન્સફર કરવામાં આવી હોય. શું આવી પરિસ્થિતિમાં હિન્દુ પત્ની ભરણપોષણના અધિકારનો ઉપયોગ કરી શકે છે?

Breaking News : ટાટા-એર્નાકુલમ એક્સપ્રેસ ટ્રેનના બે કોચમાં લાગી ભીષણ આગ, ઝારખંડથી કેરળ જઇ રહી હતી ટ્રેન, એક મુસાફરનું મોત, અનેક ઘાયલ

ભારતમાં ફરી એક વાર ગોઝારી ટ્રેન દુર્ઘટના બની છે. ઝારખંડના સ્ટીલ શહેર ટાટાથી કેરળના એર્નાકુલમ જઈ રહેલી ટાટા એર્નાકુલમ એક્સપ્રેસને આંધ્રપ્રદેશમાં અકસ્માતનો સામનો કરવો પડ્યો. ટાટા એર્નાકુલમ એક્સપ્રેસના બે કોચમાં આગ લાગી. બે કોચ નાશ પામ્યા અને એક મુસાફરનું મોત થયું.

એક જ વર્ષમાં 25 હિટ ફિલ્મ આપનાર અભિનેતાનો આવો છે પરિવાર

સાઉથના સુપરસ્ટાર મોહનલાલની બરાબરી જાણીતા કલાકારો કરી શકતા નથી. તેમની પાસે મજબૂત ચાહક ફોલોઇંગ છે. તેમણે પોતાની પ્રતિભાથી ચાહકોમાં સ્થાન મેળવ્યું છે. આજે આપણે મોહનલાલના પરિવાર અને પર્સનલ લાઈફ વિશે વાત કરીશુ.

Breaking News : ચક્રવાતી વાવાઝોડું ‘સેન્યોર’ તબાહી મચાવશે! આગામી 48 કલાક સુધી અનેક રાજ્યોમાં ભારે વરસાદની ચેતવણી

હિંદ મહાસાગર પર બનેલ નીચા દબાણવાળી સિસ્ટમ ચક્રવાતી વાવાઝોડામાં ફેરવાઈ રહી છે. હવામાન વિભાગે દક્ષિણ અને પૂર્વ ભારતમાં, ખાસ કરીને તમિલનાડુ, કેરળ, આંધ્રપ્રદેશ અને અંદામાન ટાપુઓમાં ભારે વરસાદની ચેતવણી આપી છે. માછીમારો અને દરિયાકાંઠાના સમુદાયોને ચેતવણી આપવામાં આવી છે; આગામી થોડા દિવસોમાં ભારે વરસાદ અને ભારે પવન ફૂંકાય તેવી શક્યતા છે.

Cyclone Senyar : ક્યાંથી આવી રહ્યુ છે ચક્રવાત ‘સેન્યોર’? ભારતના આ રાજ્યોમાં થશે અસર, જાણો ગુજરાત પર શું અસર વર્તાશે

મલક્કા સ્ટ્રેટમાં ડીપ ડિપ્રેશન 26 નવેમ્બર સુધીમાં ચક્રવાતી તોફાનમાં પરિવર્તિત બનવાની ધારણા છે. આના કારણે આંદામાન ટાપુઓ, તમિલનાડુ, પુડુચેરી, આંધ્રપ્રદેશ અને કેરળમાં ભારે વરસાદ અને ભારે પવન ફૂંકાશે. IMD એ લોકોને સતર્ક રહેવા વિનંતી કરી છે. જાણો શું ગુજરાતમાં તેની અસર વર્તાશે.

Amazing Temple Traditions : ક્યાંક દારૂ તો ક્યાંક ચાઇનીઝ… દેશના મંદિરો જ્યાં મળે છે સૌથી અનોખો પ્રસાદ

ભારતમાં ઘણા મંદિરો છે જે તેમની માન્યતાઓ માટે પ્રખ્યાત છે. તેમની ખ્યાતિનું કારણ માનવામાં આવતા ચમત્કારો પણ તેમના પ્રસાદને આભારી છે. જો કે, દેશમાં ઘણા મંદિરો એવા પણ છે જે તેમના પ્રસાદ માટે ખૂબ પ્રખ્યાત છે.

રેલવેએ આપી મોટી ખુશખબરી! આ રૂટ પર ટૂંક સમયમાં 4 નવી વંદે ભારત ટ્રેન દોડશે; જુઓ યાદી

ભારતીય રેલવેએ 4 નવી વંદે ભારત એક્સપ્રેસ ટ્રેનોને મંજૂરી આપી દીધી છે. વધુ સુરક્ષા, આરામદાયક મુસાફરી અને ઝડપી કનેક્ટિવિટી સાથે દેશમાં વંદે ભારત એક્સપ્રેસ સેવાની કુલ સંખ્યા હવે 164 પર પહોંચી જશે.

યુવાઓના ભવિષ્યનું શું? દેશમાં 22 યુનિવર્સિટી નકલી છે, UGC એ બહાર પાડી ‘લિસ્ટ’; એડમિશન લેતા પહેલા વિચારજો!

યુનિવર્સિટી ગ્રાન્ટ્સ કમિશને (UGC) ભારતમાં કુલ 22 યુનિવર્સિટીને નકલી જાહેર કરી છે. એવામાં યુવાઓએ હવે એડમિશન લેતા વિચારવું પડશે. ઉમેદવારોએ નોંધ લેવી જોઈએ કે, આ સંસ્થાઓમાંથી મેળવેલી કોઈપણ ડિગ્રી અમાન્ય છે.

18 રનમાં 5 વિકેટ પડી ગઈ, 4 ખેલાડી 0 પર આઉટ થયા, છતાં આ ટીમ હારથી બચી ગઈ

મહારાષ્ટ્ર અને કેરળ વચ્ચેની મેચ ચાર દિવસ ચાલી અને ડ્રો રહી. પરંતુ આ ડ્રોમાં પણ એક ટીમ જીતી ગઈ, કારણ કે મેચના પહેલા કલાકમાં જ તેમની સાથે જે થયું તેમ છતાં ટીમ જે રીતે મેચ ડ્રો કરવામાં સફળ રહી તે ખરેખર કમાલ છે.

Travel Tips : ભારતમાં આ ફ્લાવર ફેસ્ટિવલને તમારા લિસ્ટમાં કરો સામેલ

ભારતમાં મુસાફરી કરવીએ અલગ જ આનંદ છે. પરંતુ જો તમે આ અનુભવને વધુ ખાસ અને યાદગાર બનાવવા માંગતા હો, તો આ ફ્લાવર ફેસ્ટિવલને તમારી મુસાફરીની યાદીમાં ચોક્કસપણે સામેલ કરો.આ ટ્રાવેલ યાદગાર બની જશે.

વર્લ્ડ મલયાલી કાઉન્સિલના ગ્લોબલ વાઇસ ચેરમેન તરીકે પસંદગી પામતા દિનેશ નાયરને સન્માનિત કરાયા, જુઓ ફોટો

દિનેશ નાયર વર્લ્ડ મલયાલી કાઉન્સિલના ગ્લોબલ વાઇસ ચેરમેન તરીકે પસંદગી પામતા સન્માનિત કરવામાં આવ્યા હતા.નાયરે વિવિધ ક્ષેત્રોમાં નોંધપાત્ર સિદ્ધિઓ મેળવેલી છે.

50 રુપિયામાં એક કલાક, અહીં ભાડે મળે છે Friend, જાણો આખરે શું છે આ ઓફર ?

Friends on Rent: અહીં ફ્રેન્ડ્સ એટલે કે મિત્ર 50 રૂપિયા પ્રતિ કલાક ભાડા પર ઉપલબ્ધ છે, પછી ભલે તે ફરવા માટે હોય, કોફી માટે હોય, મૂવી માટે હોય કે જાહેર કાર્યક્રમ માટે હોય. જાણો આ ઓફર વિશે

g clip-path="url(#clip0_868_265)">