કેરળ

કેરળ

ભારત વિવિધતામાં એકતા ધરાવતો દેશ છે. તેમાં એક રાજ્યકેરળ પણ આવેલું છે. જેની પાટનગર તિરુવનંતપુરમ (ત્રિવેન્દ્રમ) છે. મલયાલમ અહીંની મુખ્ય ભાષા છે. હિન્દુઓ તથા મુસલમાન સહિત અહીંયા ઈસાઈ ધર્મના લોકો પણ રહે છે.

કેરળ શબ્દની વ્યુત્પત્તિ વિશે વિદ્વાનોમાં કોઈ એકમત નથી. એવું કહેવાય છે કે ચેરાલમની રચના “ચેર એટલે સ્થળ-કાદવ અને “આલમ એટલે પ્રદેશ” શબ્દોના સંયોજનથી થઈ હતી. જે પાછળથી કેરળ બન્યું. કેરળ શબ્દનો બીજો અર્થ છે :- સમુદ્રમાંથી નીકળેલી જમીન. કેરળની સંસ્કૃતિ હજારો વર્ષ જૂની છે.

દક્ષિણ સ્થિત ચાર રાજ્યોમાં કેરળ અગ્રણી સ્થાન ધરાવે છે. તેના મુખ્ય પડોશી રાજ્યો તમિલનાડુ અને કર્ણાટક છે. પૌરાણિક કથાઓ અનુસાર પરશુરામે પોતાનું પરશુ સમુદ્રમાં ફેંક્યું હતું, જેના કારણે સમુદ્રમાંથી તેના કદ જેવી જ જમીન બહાર નીકળી અને કેરળ અસ્તિત્વમાં આવ્યું.

કેરળ લોકોનું ફરવા માટેનું મનપસંદ રાજ્ય છે. તેથી જ તેને ‘ભગવાનનો પોતાનો દેશ (God’s Own Country)’ કહેવામાં આવે છે. મુન્નાર, નેલિયાનપતિ, પોનમુતી વગેરે જેવા પહાડી વિસ્તારો, કોવલમ, વરકાલા, ચેરાઈ વગેરે જેવા દરિયાકિનારા, પેરિયાર, એરાવિકુલમ વગેરે જેવા જંગલી પ્રાણી કેન્દ્રો, કોલ્લમ, અલાપ્પુઝા, કોટ્ટાયમ, એર્નાકુલમ વગેરે જેવા ઝીલ પ્રદેશો પ્રવાસીઓ માટે વિશેષ આકર્ષણ ધરાવે છે.

Read More

Travel Tips : સ્લીપ ટુરિઝમ શું છે? ભારતમાં આ સ્થળો Sleep Tourism માટે બેસ્ટ છે, તમે પણ કરો ટ્રાય

સ્લીપ ટુરિઝમ આજકાલ ખુબ જ ટ્રેન્ડમાં છે. જે ટુરને એન્જોય કરવાની એક અનોખી રીત છે. જેમાં ફરવાથી લઈ બીજી એક્ટિવિટી સિવાય સારી ઉંઘ લેવાની પણ સલાહ આપવામાં આવે છે. તો ચાલો જાણીએ સ્લીપ ટુરિઝમ વિશે.

Super League Kerala: કોચીમાં સુપર લીગ કેરાલાની શાનદાર શરૂઆત, ફૂટબોલના નવા યુગની શરૂઆત

કોચીના જવાહરલાલ નહેરુ સ્ટેડિયમ ખાતે સુપર લીગ કેરાલા (SLK) ની પ્રથમ સિઝનનું શાનદાર શરૂઆત થઈ હતી. પહેલી જ મેચમાં મોટી સંખ્યામાં ફેન્સ સ્ટેડિયમમાં હાજર રહ્યા હતા. કેરળમાં ફૂટબોલના નવા યુગની શરૂઆત છે.

1 રનમાં 6 વિકેટ, 2 બોલરોએ મચાવી તબાહી, 20 ઓવરની મેચનું પરિણામ 43 બોલમાં જ નક્કી થઈ ગયું!

કેરળ ક્રિકેટ લીગમાં ત્રિવેન્દ્રમ રોયલ્સ ટીમ પૂરી 20 ઓવર પણ રમી શકી નહોતી. આખી ટીમ 18.1 ઓવરમાં માત્ર 112 રનમાં જ ઓલઆઉટ થઈ ગઈ અને 33 રનથી મેચ હારી ગઈ. તેમની હારનું કારણ 2 બોલર ફાઝીલ ફાનોસ અને આનંદ જોસેફ હતા. બંનેએ 43 બોલમાં જ આખી ગેમ પલટી નાખી.

ગુજરાત-મહારાષ્ટ્રમાં વરસાદની આગાહી, સિક્કિમમાં ભારે વરસાદની શક્યતા, જાણો દેશનું હવામાન

દિલ્હી એનસીઆર સહિત ઉત્તર ભારતમાં ફરી એકવાર વરસાદ ધમરોળશે. આજે ઉત્તર પ્રદેશના મોટા વિસ્તારોમાં સારો વરસાદ થવાની સંભાવના છે. ઉત્તરાખંડ-હિમાચલ પ્રદેશમાં સતત વરસાદને કારણે આજે થોડી રાહત થઈ શકે છે. જો કે તેલંગાણા-આંધ્રપ્રદેશમાં આજે ફરી સારા વરસાદના સંકેતો છે.

રાજકીય પક્ષો સમાજને જાતિઓમાં વહેંચે છે, RSS બધાને સાથે જોડી રાખે છે : મોહન ભાગવત

રાષ્ટ્રીય સ્વંયસેવક સંઘની કેરળમાં યોજાઈ રહેલ સંકલન બેઠકમાં સરસંઘચાલક મોહન ભાગવતે કહ્યું કે, રાજકીય લોકોનું કામ સમાજને જ્ઞાતિઓમાં વહેંચવાનું અને તેના કારણે સર્જાયેલી પરિસ્થિતિનો રાજકીય લાભ ઉઠાવવાનું છે, આ માટે તેઓ વિવિધ યુક્તિઓ અપનાવે છે, પરંતુ આપણે બધાને સાથે લઈને ચાલવાનું છે. સંઘની વિચારસરણીના આધારે છે. સામાજિક સમરસતા જાળવવી એ આપણી ફરજ છે.

હિન્દુઓ પર હુમલો, ડોક્ટર પર રેપ… પશ્ચિમ બંગાળની કથળતી સ્થિતિ કેરળમાં RSSની બેઠકમાં ચર્ચાઈ

RSS meeting in Palakkad : સંઘની સંકલન બેઠકમાં પ્રથમ દિવસે કુલ ચાર સત્રોની ચર્ચા કરવામાં આવી હતી. પશ્ચિમ બંગાળ અંગે વિશેષ ચર્ચા કરવામાં આવી હતી. ત્યાંની વર્તમાન પરિસ્થિતિ ખાસ કરીને ચૂંટણી પછી હિંદુઓ પરના હુમલા, મહિલા ડોક્ટરો સામેની ભીષણ હિંસા સહિતના અનેક મુદ્દાઓ પર ચર્ચા થઈ હતી.

શ્રી કૃષ્ણનું અનોખું મંદિર, સમયસર ભોગ ન ધરાવવામાં આવે તો પાતળી પડી જાય છે મૂર્તિ

દેશભરમાં ભગવાન કૃષ્ણના અનેક મંદિરો છે. જેનું અલગ મહત્વ છે. પરંતુ દક્ષિણ ભારતના કેરળ રાજ્યના તિરુવરપ્પુમાં ભગવાન કૃષ્ણનું વિશેષ મંદિર છે. જે તિરુવરપ્પુ શ્રી કૃષ્ણ સ્વામી મંદિર તરીકે પણ ઓળખાય છે. એવું મનાય છે કે ભગવાન સહેજ પણ ભૂખ સહન કરી શકતા નથી. જો તેમને સમયસર ભોગ ના ચઢાવવામાં આવે તો ભગવાનની મૂર્તિ પાતળી પડવા લાગે છે.

સર્વોટેક પાવર સિસ્ટમ્સ કેરળ સરકાર માટે સ્થાપશે 12 EV ચાર્જિંગ સ્ટેશન

આ પ્રોજેક્ટ બે તબક્કામાં અમલમાં આવશે. પ્રથમ તબક્કામાં 4 ચાર્જિંગ સ્ટેશન સ્થાપિત કરવામાં આવશે, જ્યારે બીજા તબક્કામાં 8 વધુ સ્ટેશનો ઉમેરવામાં આવશે. આ પહેલનો ઉદ્દેશ કેરળના EV ચાર્જિંગ નેટવર્કને વિસ્તારવાનો છે, જે ઈલેક્ટ્રિક વાહનના માલિકો માટે વધુ સુલભ અને અનુકૂળ ચાર્જિંગ વિકલ્પો પ્રદાન કરીને ટકાઉ પરિવહનમાં રાજ્યના સંક્રમણને સમર્થન આપે છે.

4 વર્ષથી ઓછા સમયમાં 7000% વધ્યો આ મલ્ટિબેગર શેર, કંપનીને 12 EV ચાર્જિંગ સ્ટેશન બનાવવાનું મળ્યું કામ

આ શેર 4 વર્ષથી ઓછા સમયમાં 7000 ટકાથી વધુ વધ્યા છે. આ સમયગાળા દરમિયાન કંપનીના શેર 1.91 રૂપિયાથી વધીને 137 રૂપિયા પહોચી ગયા છે. શેર 19 ઓગસ્ટ, 2022ના રોજ 6.30 રૂપિયા પર હતો. 21 ઓગસ્ટ 2024ના રોજ કંપનીના શેર 137.40 રૂપિયા પર પહોંચી ગયા છે.

PM મોદીએ બાળકીને લાડ લડાવ્યા, બાળકી PM મોદીની દાઢી-ચશ્મા સાથે રમી, જુઓ મનમોહક વીડિયો

PM Modi with Cute baby girl viral video : વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ શનિવારે (10 ઓગસ્ટ 2024) વાયનાડની મુલાકાત લીધી હતી. ત્યાં તેઓ કુદરતી આફતથી પ્રભાવિત લોકોને મળ્યા. આ સમય દરમિયાન તેની એક બાળકી સાથે સુંદર મુલાકાત થઈ હતી.

ગોલ્ડન ગર્લ પી.ટી ઉષાના પરિવાર વિશે જાણો, 250 રૂપિયાએ પીટી ઉષાની જિંદગી બદલી નાંખી

પી.ટી ઉષાનું પુરું નામ પિલાવુલ્લાકન્ડી થેક્કેપરમ્બિલ ઉષા છે.તે કેરાલાના વતની છે તેમજ ભારતના જાણીતા એથ્લીટ છે. તેમને 'ક્વીન ઓફ ઈન્ડિયન ટ્રેક એન્ડ ફીલ્ડ તરીકે ઓળખવામાં આવે છે. તો આજે આપણે પીટી ઉષાના પરિવાર વિશે વાત કરીએ.

PM નરેન્દ્ર મોદી કેરળના વાયનાડની મુલાકાતે, કર્યું હવાઈ નિરિક્ષણ, જુઓ Video

PM Modi At Wayanad : PM મોદીએ કન્નુરથી હેલિકોપ્ટર દ્વારા વાયનાડનું હવાઈ નિરીક્ષણ કર્યું. આ પછી વડાપ્રધાન મોદી ભૂસ્ખલન પ્રભાવિત વિસ્તારોમાં જશે અને બચાવ ટુકડીઓ પાસેથી બચાવ કામગીરી વિશે માહિતી મેળવશે.

વાયનાડમાં ભૂસ્ખલનની ઘટનાઓ કેમ વધી રહી છે? સાયન્સની મદદથી સમજો

landslide in Wayanad : વર્ષ 2018 અને 2019માં લગભગ 51 વખત ભૂસ્ખલન નોંધાયું હતું. 30મી જુલાઈની આ ઘટના પહેલા બે અઠવાડિયાથી સતત ભારે વરસાદ પણ એક કારણ છે. જો કે વરસાદને મુખ્ય કારણ ગણી શકાય નહીં. પરંતુ હા, ચોક્કસપણે એક મૂળભૂત કારણ છે. પરંતુ કેરળ ફોરેસ્ટ રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ (KFRI)ના અહેવાલમાં ભૂસ્ખલનનું સાચું કારણ બહાર આવ્યું છે.

કેરળના વાયનાડમાં વિનાશ જ વિનાશ, ભૂસ્ખલનને કારણે 158ના મોત, જુઓ તબાહીની તસવીરો

કેરળના વાયનાડ જિલ્લામાં કુદરતનું રૌદ્ર સ્વરુપ જોવા મળી રહ્યુ છે. મંગળવારે સવારે ભારે વરસાદ બાદ ઘણી જગ્યાએ ભૂસ્ખલન થયું હતું.જેમાં મૃત્યુનો આંક સતત વધી રહ્યો છે. આ દુર્ઘટનામાં અત્યાર સુધીમાં ઓછામાં ઓછા 143 લોકોના મોત થયા છે અને 100થી વધુ લોકો ઘાયલ થયા છે.

રાજુલાની જનરલ હોસ્પિટલમા છેલ્લા ઘણા સમયથી ડૉક્ટર્સની ઘટ, દર્દીઓ પરેશાન
રાજુલાની જનરલ હોસ્પિટલમા છેલ્લા ઘણા સમયથી ડૉક્ટર્સની ઘટ, દર્દીઓ પરેશાન
ભાવનગર-સોમનાથ નેશનલ હાઇવે પર પડેલ તિરાડો પૂરવાની કામગીરી હાથ ધરાઈ
ભાવનગર-સોમનાથ નેશનલ હાઇવે પર પડેલ તિરાડો પૂરવાની કામગીરી હાથ ધરાઈ
અંબાજીમાં જામ્યો જપ, તપ અને ઉત્સવનો માહોલ, ભાવિકોનું ઘોડાપૂર
અંબાજીમાં જામ્યો જપ, તપ અને ઉત્સવનો માહોલ, ભાવિકોનું ઘોડાપૂર
દાહોદ : હાઈટેક ટેક્નોલોજીથી પોલીસે ગાઢ જંગલમાં છુપાયેલા ચોરને ઝડપ્યો
દાહોદ : હાઈટેક ટેક્નોલોજીથી પોલીસે ગાઢ જંગલમાં છુપાયેલા ચોરને ઝડપ્યો
નરેન્દ્ર મોદીના સુશાસનમાં ગુજરાતની વિકાસ વર્ષા ક્યારેય પણ અટકવાની નથી
નરેન્દ્ર મોદીના સુશાસનમાં ગુજરાતની વિકાસ વર્ષા ક્યારેય પણ અટકવાની નથી
દોઢ વર્ષની બાળકી ગળી ગઇ મેગ્નેટિક માળા, જુઓ Video
દોઢ વર્ષની બાળકી ગળી ગઇ મેગ્નેટિક માળા, જુઓ Video
હવે અમદાવાદથી ગાંધીનગર મેટ્રોમાં જવાશે માત્ર ₹35 માં- Video
હવે અમદાવાદથી ગાંધીનગર મેટ્રોમાં જવાશે માત્ર ₹35 માં- Video
મુંદ્રા પોર્ટ પરથી 40 કરોડ રુપિયાથી વધુનો પ્રતિબંધિત દવાનો જથ્થો જપ્ત
મુંદ્રા પોર્ટ પરથી 40 કરોડ રુપિયાથી વધુનો પ્રતિબંધિત દવાનો જથ્થો જપ્ત
PM મોદીએ કહ્યું 17 શહેરોને સોલાર સિટી બનાવીશું-Video
PM મોદીએ કહ્યું 17 શહેરોને સોલાર સિટી બનાવીશું-Video
ગુજરાતના ત્રણ દિવસના પ્રવાસે આવી પહોંચ્યા PM મોદી
ગુજરાતના ત્રણ દિવસના પ્રવાસે આવી પહોંચ્યા PM મોદી
g clip-path="url(#clip0_868_265)">