કેરળ
ભારત વિવિધતામાં એકતા ધરાવતો દેશ છે. તેમાં એક રાજ્યકેરળ પણ આવેલું છે. જેની પાટનગર તિરુવનંતપુરમ (ત્રિવેન્દ્રમ) છે. મલયાલમ અહીંની મુખ્ય ભાષા છે. હિન્દુઓ તથા મુસલમાન સહિત અહીંયા ઈસાઈ ધર્મના લોકો પણ રહે છે.
કેરળ શબ્દની વ્યુત્પત્તિ વિશે વિદ્વાનોમાં કોઈ એકમત નથી. એવું કહેવાય છે કે ચેરાલમની રચના “ચેર એટલે સ્થળ-કાદવ અને “આલમ એટલે પ્રદેશ” શબ્દોના સંયોજનથી થઈ હતી. જે પાછળથી કેરળ બન્યું. કેરળ શબ્દનો બીજો અર્થ છે :- સમુદ્રમાંથી નીકળેલી જમીન. કેરળની સંસ્કૃતિ હજારો વર્ષ જૂની છે.
દક્ષિણ સ્થિત ચાર રાજ્યોમાં કેરળ અગ્રણી સ્થાન ધરાવે છે. તેના મુખ્ય પડોશી રાજ્યો તમિલનાડુ અને કર્ણાટક છે. પૌરાણિક કથાઓ અનુસાર પરશુરામે પોતાનું પરશુ સમુદ્રમાં ફેંક્યું હતું, જેના કારણે સમુદ્રમાંથી તેના કદ જેવી જ જમીન બહાર નીકળી અને કેરળ અસ્તિત્વમાં આવ્યું.
કેરળ લોકોનું ફરવા માટેનું મનપસંદ રાજ્ય છે. તેથી જ તેને ‘ભગવાનનો પોતાનો દેશ (God’s Own Country)’ કહેવામાં આવે છે. મુન્નાર, નેલિયાનપતિ, પોનમુતી વગેરે જેવા પહાડી વિસ્તારો, કોવલમ, વરકાલા, ચેરાઈ વગેરે જેવા દરિયાકિનારા, પેરિયાર, એરાવિકુલમ વગેરે જેવા જંગલી પ્રાણી કેન્દ્રો, કોલ્લમ, અલાપ્પુઝા, કોટ્ટાયમ, એર્નાકુલમ વગેરે જેવા ઝીલ પ્રદેશો પ્રવાસીઓ માટે વિશેષ આકર્ષણ ધરાવે છે.
Breaking News : ટાટા-એર્નાકુલમ એક્સપ્રેસ ટ્રેનના બે કોચમાં લાગી ભીષણ આગ, ઝારખંડથી કેરળ જઇ રહી હતી ટ્રેન, એક મુસાફરનું મોત, અનેક ઘાયલ
ભારતમાં ફરી એક વાર ગોઝારી ટ્રેન દુર્ઘટના બની છે. ઝારખંડના સ્ટીલ શહેર ટાટાથી કેરળના એર્નાકુલમ જઈ રહેલી ટાટા એર્નાકુલમ એક્સપ્રેસને આંધ્રપ્રદેશમાં અકસ્માતનો સામનો કરવો પડ્યો. ટાટા એર્નાકુલમ એક્સપ્રેસના બે કોચમાં આગ લાગી. બે કોચ નાશ પામ્યા અને એક મુસાફરનું મોત થયું.
- Tanvi Soni
- Updated on: Dec 29, 2025
- 8:31 am
એક જ વર્ષમાં 25 હિટ ફિલ્મ આપનાર અભિનેતાનો આવો છે પરિવાર
સાઉથના સુપરસ્ટાર મોહનલાલની બરાબરી જાણીતા કલાકારો કરી શકતા નથી. તેમની પાસે મજબૂત ચાહક ફોલોઇંગ છે. તેમણે પોતાની પ્રતિભાથી ચાહકોમાં સ્થાન મેળવ્યું છે. આજે આપણે મોહનલાલના પરિવાર અને પર્સનલ લાઈફ વિશે વાત કરીશુ.
- Nirupa Duva
- Updated on: Dec 27, 2025
- 7:10 am
Breaking News : ચક્રવાતી વાવાઝોડું ‘સેન્યોર’ તબાહી મચાવશે! આગામી 48 કલાક સુધી અનેક રાજ્યોમાં ભારે વરસાદની ચેતવણી
હિંદ મહાસાગર પર બનેલ નીચા દબાણવાળી સિસ્ટમ ચક્રવાતી વાવાઝોડામાં ફેરવાઈ રહી છે. હવામાન વિભાગે દક્ષિણ અને પૂર્વ ભારતમાં, ખાસ કરીને તમિલનાડુ, કેરળ, આંધ્રપ્રદેશ અને અંદામાન ટાપુઓમાં ભારે વરસાદની ચેતવણી આપી છે. માછીમારો અને દરિયાકાંઠાના સમુદાયોને ચેતવણી આપવામાં આવી છે; આગામી થોડા દિવસોમાં ભારે વરસાદ અને ભારે પવન ફૂંકાય તેવી શક્યતા છે.
- Sagar Solanki
- Updated on: Nov 26, 2025
- 7:23 pm
Cyclone Senyar : ક્યાંથી આવી રહ્યુ છે ચક્રવાત ‘સેન્યોર’? ભારતના આ રાજ્યોમાં થશે અસર, જાણો ગુજરાત પર શું અસર વર્તાશે
મલક્કા સ્ટ્રેટમાં ડીપ ડિપ્રેશન 26 નવેમ્બર સુધીમાં ચક્રવાતી તોફાનમાં પરિવર્તિત બનવાની ધારણા છે. આના કારણે આંદામાન ટાપુઓ, તમિલનાડુ, પુડુચેરી, આંધ્રપ્રદેશ અને કેરળમાં ભારે વરસાદ અને ભારે પવન ફૂંકાશે. IMD એ લોકોને સતર્ક રહેવા વિનંતી કરી છે. જાણો શું ગુજરાતમાં તેની અસર વર્તાશે.
- Tanvi Soni
- Updated on: Nov 26, 2025
- 12:02 pm
Amazing Temple Traditions : ક્યાંક દારૂ તો ક્યાંક ચાઇનીઝ… દેશના મંદિરો જ્યાં મળે છે સૌથી અનોખો પ્રસાદ
ભારતમાં ઘણા મંદિરો છે જે તેમની માન્યતાઓ માટે પ્રખ્યાત છે. તેમની ખ્યાતિનું કારણ માનવામાં આવતા ચમત્કારો પણ તેમના પ્રસાદને આભારી છે. જો કે, દેશમાં ઘણા મંદિરો એવા પણ છે જે તેમના પ્રસાદ માટે ખૂબ પ્રખ્યાત છે.
- Sachin Agrawal
- Updated on: Nov 4, 2025
- 5:48 pm
રેલવેએ આપી મોટી ખુશખબરી! આ રૂટ પર ટૂંક સમયમાં 4 નવી વંદે ભારત ટ્રેન દોડશે; જુઓ યાદી
ભારતીય રેલવેએ 4 નવી વંદે ભારત એક્સપ્રેસ ટ્રેનોને મંજૂરી આપી દીધી છે. વધુ સુરક્ષા, આરામદાયક મુસાફરી અને ઝડપી કનેક્ટિવિટી સાથે દેશમાં વંદે ભારત એક્સપ્રેસ સેવાની કુલ સંખ્યા હવે 164 પર પહોંચી જશે.
- Ravi Prajapati
- Updated on: Nov 2, 2025
- 8:51 pm
યુવાઓના ભવિષ્યનું શું? દેશમાં 22 યુનિવર્સિટી નકલી છે, UGC એ બહાર પાડી ‘લિસ્ટ’; એડમિશન લેતા પહેલા વિચારજો!
યુનિવર્સિટી ગ્રાન્ટ્સ કમિશને (UGC) ભારતમાં કુલ 22 યુનિવર્સિટીને નકલી જાહેર કરી છે. એવામાં યુવાઓએ હવે એડમિશન લેતા વિચારવું પડશે. ઉમેદવારોએ નોંધ લેવી જોઈએ કે, આ સંસ્થાઓમાંથી મેળવેલી કોઈપણ ડિગ્રી અમાન્ય છે.
- Ravi Prajapati
- Updated on: Oct 27, 2025
- 8:16 pm
18 રનમાં 5 વિકેટ પડી ગઈ, 4 ખેલાડી 0 પર આઉટ થયા, છતાં આ ટીમ હારથી બચી ગઈ
મહારાષ્ટ્ર અને કેરળ વચ્ચેની મેચ ચાર દિવસ ચાલી અને ડ્રો રહી. પરંતુ આ ડ્રોમાં પણ એક ટીમ જીતી ગઈ, કારણ કે મેચના પહેલા કલાકમાં જ તેમની સાથે જે થયું તેમ છતાં ટીમ જે રીતે મેચ ડ્રો કરવામાં સફળ રહી તે ખરેખર કમાલ છે.
- Smit Chauhan
- Updated on: Oct 18, 2025
- 10:52 pm
Travel Tips : ભારતમાં આ ફ્લાવર ફેસ્ટિવલને તમારા લિસ્ટમાં કરો સામેલ
ભારતમાં મુસાફરી કરવીએ અલગ જ આનંદ છે. પરંતુ જો તમે આ અનુભવને વધુ ખાસ અને યાદગાર બનાવવા માંગતા હો, તો આ ફ્લાવર ફેસ્ટિવલને તમારી મુસાફરીની યાદીમાં ચોક્કસપણે સામેલ કરો.આ ટ્રાવેલ યાદગાર બની જશે.
- Nirupa Duva
- Updated on: Oct 8, 2025
- 4:50 pm
વર્લ્ડ મલયાલી કાઉન્સિલના ગ્લોબલ વાઇસ ચેરમેન તરીકે પસંદગી પામતા દિનેશ નાયરને સન્માનિત કરાયા, જુઓ ફોટો
દિનેશ નાયર વર્લ્ડ મલયાલી કાઉન્સિલના ગ્લોબલ વાઇસ ચેરમેન તરીકે પસંદગી પામતા સન્માનિત કરવામાં આવ્યા હતા.નાયરે વિવિધ ક્ષેત્રોમાં નોંધપાત્ર સિદ્ધિઓ મેળવેલી છે.
- TV9 Gujarati
- Updated on: Sep 30, 2025
- 4:48 pm
50 રુપિયામાં એક કલાક, અહીં ભાડે મળે છે Friend, જાણો આખરે શું છે આ ઓફર ?
Friends on Rent: અહીં ફ્રેન્ડ્સ એટલે કે મિત્ર 50 રૂપિયા પ્રતિ કલાક ભાડા પર ઉપલબ્ધ છે, પછી ભલે તે ફરવા માટે હોય, કોફી માટે હોય, મૂવી માટે હોય કે જાહેર કાર્યક્રમ માટે હોય. જાણો આ ઓફર વિશે
- Devankashi rana
- Updated on: Sep 30, 2025
- 3:31 pm
ફિલ્મ માટે 4-5 કરોડ રુપિયાનો ચાર્જ લેનાર દાદાસાહેબ ફાળકે એવોર્ડ વિજેતાનો આવો છે પરિવાર
સાઉથના સુપરસ્ટાર મોહનલાલને દાદાસાહેબ ફાળકે એવોર્ડ એનાયત કરવામાં આવ્યો છે. મોહનલાલે તેમના સમગ્ર કારકિર્દી દરમિયાન અનેક હિટ ફિલ્મો આપી છે. બહુ ઓછા લોકો જાણે છે કે મોહનલાલ બાળપણથી જ એક પ્રતિભાશાળી અભિનેતા હતા. તો આજે આપણે સુપરસ્ટાર મોહનલાલના પરિવાર અને પર્સનલ લાઈફ વિશે વાત કરીએ.
- Nirupa Duva
- Updated on: Sep 26, 2025
- 6:26 am
8 વર્ષની બાળકીના ગળામાં ચ્યુઈંગમ ફસાઈ, સીસીટીવી વીડિયો વાયરલ
માતા-પિતા સાવધાન થઈ જાવ. કારણ કે, આજકાલ છોકરાઓ ચ્યુઈંગમ ખુબ વધુ ખાય છે. કારણ કે, આ ચ્યુઈંગમ ક્યારેક તમારા બાળકનો જીવ પણ લઈ શકે છે. આવી જ ઘટનાના એક સીસીટીવી વીડિયો વાયરલ થઈ રહ્યા છે. જેને જોઈ બધા ચોંકી ગયા છે.
- Nirupa Duva
- Updated on: Sep 19, 2025
- 2:53 pm
કેરળ કેમ બને છે બીમારીઓનું એન્ટ્રી પોઈન્ટ ? રોગચાળાઓથી ત્રાસી ગયું આરોગ્ય મોડેલ
કેરળ બીમારીઓનું એન્ટ્રી પોઈન્ટ કેમ બને છે? કોરોના, નિપાહ અને ઝિકા વાયરસ જેવા ઘણા વાયરલ રોગોનો પહેલો કેસ કેરળમાં નોંધાયો હતો. તો આજે આ વિશે આપણે વિસ્તારથી વાત કરીશું.
- Nirupa Duva
- Updated on: Sep 16, 2025
- 5:12 pm
‘ઓપરેશન સિંદૂર’ના નામની રંગોળી ભારે પડી, થયો વિવાદ અને 27 RSS કાર્યકરો સામે થશે ‘કાયદેસર કાર્યવાહી’
'ઓપરેશન સિંદૂર' નામની રંગોળીથી ગંભીર વિવાદ સર્જાયો છે. આ મામલે પોલીસે 27 RSS કાર્યકરો સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. જાણો આખરે શું છે આ સમગ્ર મામલો...
- Ravi Prajapati
- Updated on: Sep 7, 2025
- 7:02 pm