એક એવું રાજ્ય કે જ્યાં આવક ભલે 12 લાખ હોય કે 12 કરોડ હોય પરંતુ ટેક્સ એક રૂપિયો પણ ચૂકવવો પડતો નથી
દેશના દરેક નાગરિકને ઇન્કમટેક્સ ભરવું જરૂરી છે પણ શું તમને ખબર છે કે ભારતમાં એક રાજ્ય એવું પણ છે કે જ્યાં લોકો ઇન્કમટેક્સ ભરતા નથી. તો ચાલો જાણીએ કે, આ રાજ્ય કયું છે અને કેમ ત્યાંનાં લોકો આવકવેરો ભરતા નથી.

ભારતમાં ઇન્કમટેક્સ અંગે ઘણા નિયમો બનાવવામાં આવ્યા છે. દેશના દરેક નાગરિકે પોતાની આવક પર ટેક્સ ચૂકવવો પડે છે. જો કે, સરકારે આવક પર ટેક્સ ભરવાની મર્યાદા નક્કી કરી છે.

હવે આવી સ્થિતિમાં, ઘણા લોકોના મનમાં એક પ્રશ્ન થાય કે શું એવી કોઈ જગ્યા છે કે જ્યાં ટેક્સનો એક રૂપિયો પણ ન ભરવો પડે? તો જવાબ છે હા, ભારતમાં એક એવી જગ્યા છે કે જ્યાં રહેવાસીઓને એક રૂપિયો પણ ટેક્સ ચૂકવવાની જરૂર પડતી નથી.

ભારતમાં રહેતા દરેક નાગરિકે ઇન્કમટેક્સ ચૂકવવું પડે છે અને આ નિયમ દરેકને લાગુ પડે છે. ફેબ્રુઆરીના બજેટમાં સરકારે 7 લાખ રૂપિયા સુધીની વાર્ષિક કરમુક્ત આવક વધારીને 12 લાખ રૂપિયા કરી દીધી છે.

જો તમારી આવક 12 લાખ રૂપિયાથી વધુ છે તો તમારે ટેક્સ ચૂકવવો પડશે. જો કે, તમને જાણીને નવાઈ લાગશે કે દેશમાં એક એવું રાજ્ય પણ છે કે જ્યાંના રહેવાસીઓ વર્ષમાં 12 લાખ રૂપિયા કે 12 કરોડ રૂપિયા કમાય તો પણ તેમને એક રૂપિયો ટેક્સ ચૂકવવાની જરૂર પડતી નથી.

સિક્કિમ દેશનું એકમાત્ર રાજ્ય છે કે જ્યાં નાગરિકોને તેમની આવક પર કોઈ ટેક્સ ચૂકવવો પડતો નથી. જેના કારણે તેમની આવક ટેક્સ ફ્રી થઈ જાય છે.

જણાવી દઈએ કે, આ ઉત્તરપૂર્વીય રાજ્ય પોતાના જ સિક્કિમ આવકવેરા માર્ગદર્શિકા, 1948નું પાલન કરે છે. જે 1975થી ટેક્સ કાયદાઓનું સંચાલન કરે છે. આ નિયમ હેઠળ, સિક્કિમના કોઈપણ રહેવાસીએ ભારત સરકારને એક રૂપિયો પણ ટેક્સ ચૂકવવો પડતો નથી.

મીડિયા અહેવાલો મુજબ, સિક્કિમનો ટેક્સ કાયદો વર્ષ 2008માં નાબૂદ કરવામાં આવ્યો હતો. તે જ વર્ષે કેન્દ્રીય બજેટમાં કલમ 10(26AAA) દાખલ કરવામાં આવી હતી, જેનાથી સિક્કિમના રહેવાસીઓને કરમાંથી છૂટ આપવામાં આવી હતી.

2008માં, કેન્દ્ર સરકારે સિક્કિમના 94 ટકાથી વધુ લોકોને આવકવેરામાં મુક્તિ આપી હતી. તે જ સમયે, કલમ 10 (26AAA) હેઠળ, સિક્કિમના લોકોને શેર પરથી મળતા ડિવિડન્ડની આવક પર એક પણ રૂપિયો ટેક્સ ભરવો પડતો નથી.

ભારતની સર્વોચ્ચ અદાલતે ઠરાવ્યું હતું કે, કલમ 10 (26AAA) હેઠળ ઉપલબ્ધ કર મુક્તિ સિક્કિમના તમામ લોકોને મળશે, જેમાં તે લોકો પણ શામેલ છે કે જે ભારત સાથેના જોડાણ પહેલા સિક્કિમ રાજ્યમાં કાયમી રીતે વસવાટ કરતાં હતાં.
આવકવેરો (ઈન્કમ ટેક્સ) એ કોઈપણ વ્યક્તિ અથવા સંસ્થા દ્વારા કરાયેલી કમાણી અથવા નફા પર લાદવામાં આવતો કર છે. આવકવેરાના અન્ય સમાચાર વાંચવા અહીં ક્લિક કરો..
