Vastu Tips : શમીનો છોડ ઘરના કયા ખૂણામાં રાખવો જોઈએ, જાણો વાસ્તુના નિયમો
ઘરમાં શમીનો છોડ રાખવો ધાર્મિક અને વૈજ્ઞાનિક રીતે શુભ માનવામાં આવે છે. ખાસ કરીને હિંદૂ ધર્મમાં શમીના છોડનું અનેરુ મહત્વ છે. ચાલો એના ફાયદાઓ અને શાસ્ત્રોક્ત માન્યતાઓ વિશે વાત કરીએ.

શમીના છોડને વાસ્તુશાસ્ત્રમાં એક મહત્વનો છોડ માનવામાં આવે છે. કહે છે કે શમીનો છોડ ઘરમાં લગાવવાથી ઘરની નકારાત્મકતા દૂર થાય છે. અને ઘરમાં સકારાત્મક ઊર્જાનો સંચાર થાય છે. આ છોડ સાથે ધાર્મિક માન્યતાઓ પણ જોડાયેલી છે. માન્યતા અનુસાર શમીના છોડની યોગ્ય રીતે પૂજા કરવાથી તેના ગુણનો લાભ પ્રાપ્ત કરી શકાય છે.

એટલું જ નહીં, શમીના છોડ વ્યક્તિને વ્યવસાય અને નોકરીમાં આવનારી સમસ્યામાંથી છુટકારો અપાવી દે છે ! તો, શનિની પનોતીમાં રાહત મેળવવા માટે પણ તે શ્રેષ્ઠ માધ્યમ મનાય છે. (Credits: - Wikipedia)

શમીના છોડમાં શનિદેવ નિવાસ કરે છે એવું મનાય છે. જે વ્યક્તિ શનિની સાડેસાતી અથવા ઢૈયા જેવી પરિસ્થિતિમાંથી પસાર થઈ રહ્યો હોય, તેમને શમીના છોડનો સહારો લાભકારક થાય છે. શમીના છોડને દર શનિવારે જળ અર્પણ કરવાથી શનિદોષનો પ્રભાવ ઓછો થાય છે. (Credits: - Wikipedia)

ઘરમાં વાસ્તુ દોષ હોય ત્યારે શમીનો છોડ દક્ષિણ-પશ્ચિમ ખૂણામાં લગાડવો બહુ શુભ માનવામાં આવે છે. એ ઘરને નકારાત્મક ઊર્જાથી બચાવે છે અને ઘરમાં સ્થિરતા લાવે છે. ( Credits: pixahive )

શમીના છોડની શક્તિ એવી છે કે તે ઘરનું રક્ષાકવચ બની રહે છે. દુશ્મનો, ઈર્ષ્યાળુ લોકો અને દૃષ્ટિદોષથી બચાવ કરે છે. ( Credits: pixahive )

શમીના છોડને પોઝિટિવ ઉર્જાનું કેન્દ્ર માનવામાં આવે છે. ઘરમાં લગાવવાથી ધંધામાં વૃદ્ધિ થાય છે અને ધનની સ્થિતિ સુધરે છે. (Credits: - Wikipedia)

શમીના છોડની ઊર્જા ઘરના વાતાવરણને શાંત અને સંતુલિત રાખે છે. માનસિક તણાવ અને ગુસ્સો ઓછો થાય છે. (Credits: - Wikipedia)

એવું માનવામાં આવે છે કે શમીનો છોડ ઘરના દક્ષિણ-પશ્ચિમ દિશામાં રાખવો શુભ રહે છે. આ નકારાત્મક ઊર્જાને દૂર કરે છે અને ઘરમાં શાંતિ, સુખ-સમૃદ્ધિ અને સ્થિરતા આવે છે.

શમીના છોડને દર શનિવારે તેલનો દીવો ધરવો અને "ૐ શનૈશ્ચરાય નમઃ" મંત્રનો જાપ કરો. ( નોંધ: અહી આપવામાં આવેલી જાણકારી ધાર્મિક આસ્થા ઓ અને લોક માન્યતાઓ આધારિત છે, જેનો કોઈ વૈજ્ઞાનિક આધાર નથી. સામાન્ય જનરૂચિને ધ્યાનમાં રાખીને આ લેખને અહી પ્રસ્તુત કરવામાં આવ્યો છે.)
વાસ્તુશાસ્ત્ર એ પ્રકૃતિ અને ઉર્જાના નિયમો પર આધારિત ભારતીય સંસ્કૃતિનું એક પ્રાચીન વિજ્ઞાન છે, જેને મોટાભાગના હિંદુ ધર્મોમાં લોકો ઘર બનાવતી વખતે અથવા ઘરમાં વસ્તુઓ ગોઠવતી વખતે ધ્યાનમાં રાખવામાં આવે છે. વાસ્તુશાસ્ત્રની વધુ સ્ટોરી વાંચવા અહીં ક્લિક કરો

































































