Side Effects of Chilly: આ પાંચ લોકોએ ભૂલથી પણ ના કરવું જોઈએ મરચાનું સેવન, થઈ શકે છે ભારે સમસ્યા
મરચું માત્ર ભોજનનો સ્વાદ જ નથી વધારતું પરંતુ ઘણા કિસ્સાઓમાં સ્વાસ્થ્ય માટે પણ ફાયદાકારક છે, પરંતુ કેટલાક લોકોએ મરચાં બિલકુલ ન ખાવા જોઈએ નહીંતર તેમના માટે સમસ્યા ઘણી વધી શકે છે.

વધુ મરચાં ખાવાથી અસ્થમાનો હુમલો થઈ શકે છે. તેથી, જો તમે અસ્થમાના દર્દી છો અથવા કોઈ શ્વસન રોગથી પીડિત છો, તો તમારે મરચાં, ખાસ કરીને લાલ મરચાંનો વપરાશ ટાળવો જોઈએ.

જે લોકોને કબજિયાતની સમસ્યા છે, તેમણે મરચાનું બિલકુલ સેવન ન કરવું જોઈએ, નહીંતર આ સમસ્યા પાઈલ્સનું સ્વરૂપ લઈ લે છે. આ સિવાય જેમને પહેલેથી જ પાઇલ્સની સમસ્યા છે તેમના માટે મરચાના સેવનથી તેમની સમસ્યા વધી શકે છે.

જે લોકોને ચામડીની તકલીફ હોય અથવા અવાર નવાર ત્વચા પર ફોલ્લીઓ, ખંજવાળ, દાદ વગેરે થઈ જાય છે, તેમને મરચાનું સેવન ન કરવું જોઈએ. લીલા મરચામાં કેપ્સાઈસીન હોય છે જે આ સમસ્યાને વધારે છે.

જે લોકોને પેટમાં અલ્સરની સમસ્યા છે, એવા લોકોએ મરચાંના સેવનને સંપૂર્ણપણે ટાળવું જોઈએ. મરચું ખાવાથી ઘા વધુ ઊંડા થાય છે અને સમસ્યા ખૂબ જ ગંભીર બની જાય છે.

જે લોકોને એસિડિટીની સમસ્યા છે, તેમણે મરચા ખાવાનું ટાળવું જોઈએ. ખાસ કરીને લાલ મરચું બિલકુલ ન ખાવું જોઈએ, નહીંતર પેટમાં બળતરા અને એસિડિટીની સમસ્યા ઘણી વધી જાય છે. આ સિવાય જે લોકો વધુ મરચાનું સેવન કરે છે, તેમને આ કારણે તેમને ઘણી વખત ઝાડાની સમસ્યા પણ થાય છે.