દેવ દિવાળી પર કાશી ઘાટ પર પ્રગટાવાયા 12 લાખ દીવા, અયોધ્યા રામ મંદિરની પ્રતિકૃતિ કરાઇ તૈયાર, જુઓ મનમોહક તસવીર
કાશીની દેવ દિવાળી ખૂબ જ વિશેષ માનવામાં આવે છે, કારણ કે ધાર્મિક માન્યતાઓ અનુસાર, આ દિવસે દેવતાઓ પૃથ્વી પર આવ્યા અને કાશીમાં દિવાળીની ઉજવણી કરી. આ પ્રસંગને લઈ અહી દર વર્ષે દેવ દિવાળીની ભવ્ય ઉજવણી કરવામાં આવે છે. આ વર્ષે પણ ખૂબ જ સુંદર તસવીરો સામે આવી છે. જેમાં દિવડા વડે અયોધ્યા રામ મંદિરની ક્રુતિ કંડારવામાં આવી હતી.

વારાણસીના બાબુઆ પાંડે ઘાટ પર 11 હજાર દીવાઓથી અયોધ્યાના રામ મંદિરનો સુંદર આકાર કોતરવામાં આવ્યો હતો. જેનો નજારો કોઈનું પણ ધ્યાન ખેંચવા માટે પૂરતો હતો.

દેવ દીપાવલી પર કાશીમાં એક અદ્ભુત નજારો જોવા મળ્યો. અહીંના તમામ ચોર્યાસી ઘાટો પર 20 લાખથી વધુ દીવા પ્રગટાવવામાં આવ્યા હતા, જે કાશીમાં સ્વર્ગનો અહેસાસ કરાવે છે.

તસવીરોમાં કાશીના તમામ ઘાટની સુંદરતા હૃદયને પ્રસન્ન કરી રહી છે. અહીં ભક્તોની ભારે ભીડ જોવા મળી હતી. ઝગમગતા દીવાઓના પ્રકાશમાં નહાતા ઘાટ ખૂબ જ સુંદર લાગે છે.

કાશીના ઘાટ પર સળગતા દીવાઓને જોઈને એવું લાગે છે કે જાણે તારાઓની ચાદર જમીન પર પથરાઈ ગઈ હોય. આ ઉપરાંત રોશનીથી ઝળહળેલા પ્રાચીન મંદિરોની ભવ્યતા પણ જોવા મળે છે.

દેવ દિવાળીના અવસરે ભગવાન વિશ્વનાથ ધામના દર્શન કરવા દેશ-વિદેશથી લોકો કાશીમાં ઉમટી પડે છે. એટલા માટે કાશીના દરેક ઘાટ ભક્તોથી ભરેલા દેખાયા.
