
સંયુક્ત રાષ્ટ્ર
સંયુક્ત રાષ્ટ્ર એ આંતરરાષ્ટ્રીય સંસ્થા છે. ઘણા તેને સંક્ષિપ્તમાં યુએન તરીકે પણ ઓળખે છે. જેનો હેતુ આંતરરાષ્ટ્રીય કાયદા, આંતરરાષ્ટ્રીય સુરક્ષા, આર્થિક વિકાસ, સામાજિક પ્રગતિ, માનવ અધિકાર અને વિશ્વ શાંતિની સુવિધા માટે સહકાર માટે કામ કરવાનું છે.
સંયુક્ત રાષ્ટ્રની સ્થાપના 25 ઓક્ટોબર 1945ના રોજ 50 દેશ દ્વારા સંયુક્ત રાષ્ટ્ર ચાર્ટર પર હસ્તાક્ષર સાથે કરવામાં આવી હતી.
બીજા વિશ્વયુદ્ધના વિજેતા દેશોએ સાથે મળીને આંતરરાષ્ટ્રીય સંઘર્ષોમાં હસ્તક્ષેપ કરવાના ઉદ્દેશ્ય સાથે સંયુક્ત રાષ્ટ્રની સ્થાપના કરી. તેઓ ઇચ્છતા હતા કે બીજા વિશ્વયુદ્ધ જેવા યુદ્ધો ભવિષ્યમાં ફરી ક્યારેય ન થાય.
હાલમાં સંયુક્ત રાષ્ટ્રમાં 193 રાષ્ટ્રો છે, જેમાં વિશ્વના લગભગ તમામ આંતરરાષ્ટ્રીય સ્તરે માન્યતા પ્રાપ્ત રાષ્ટ્રોનો સમાવેશ થાય છે. આ સંસ્થાના માળખામાં સામાન્ય સભા, સુરક્ષા પરિષદ, આર્થિક અને સામાજિક પરિષદ, સચિવાલય, આંતરરાષ્ટ્રીય ન્યાય અદાલત અને સંયુક્ત રાષ્ટ્ર ટ્રસ્ટ કાઉન્સિલનો સમાવેશ થાય છે.
પાકિસ્તાનમાં સંતાયેલા પુલવામા-મુંબઈ-અક્ષરધામ હુમલાના આતંકવાદીને વૈશ્વિક આતંકી જાહેર કરવા ભારત UNSCમાં લાવશે પ્રસ્તાવ
ભારત ટૂંક સમયમાં સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદ (UNSC) માં ત્રણ આતંકવાદીઓ વિરુદ્ધ ઠરાવ લાવશે. આ આતંકવાદીઓ ભારતમાં થયેલા હુમલાઓમાં સામેલ હતા અને પાકિસ્તાનમાં છુપાયા હોવાનું માનવામાં આવે છે. આ ત્રણ આતંકવાદીઓ છે, મોહિઉદ્દીન ઔરંગઝેબ આલમગીર, અલી કાશિફ જાન (જૈશ-એ-મોહમ્મદ), અને યુસુફ મુઝમ્મિલ ભટ (લશ્કર-એ-તૈયબા).
- TV9 Gujarati
- Updated on: May 27, 2025
- 2:41 pm
UNSCએ બંધ બારણે કરેલી બેઠકમાં ન નીકળ્યો કોઇ નિષ્કર્ષ, કન્સલ્ટેશન રૂમની બેઠકમાં શું થયું તે જાણો
સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદે (UNSC) ભારત અને પાકિસ્તાન વચ્ચે ચાલી રહેલા તણાવને લઈને એક બેઠક કરી હતી. આ બેઠક બંધ બારણે એટલે કે એક રૂમમાં ખાનગી રીતે કરવામાં આવી હતી. બંને દેશો વચ્ચે પરમાણુ હથિયારો હોવા છતાં તણાવ વધી રહ્યો છે અને તેના કારણે ચિંતા વધી છે.
- Ravi Prajapati
- Updated on: May 6, 2025
- 3:12 pm
આખરે સાચુ ઠર્યું, પાકિસ્તાન જ છે વિશ્વનું આતંકીસ્તાન, રક્ષામંત્રીનો ઈન્ટરવ્યું જ છે તેનો બોલતો પુરાવો- યુએનમાં ભારત
સંયુક્ત રાષ્ટ્ર સંધમાં ભારતના નાયબ કાયમી પ્રતિનિધિ યોજના પટેલે, પાકિસ્તાનને 'આતંકીસ્તાન દેશ' ગણાવતા કહ્યું કે પાકિસ્તાન આતંકવાદને આશ્રય આપે છે અને ક્ષેત્રમાં તો ઠીક પરંતુ સમગ્ર વિશ્વમાં અશાંતિ ફેલાવે છે. યોજના પટેલે આ માટે પાકિસ્તાનના સંરક્ષણ પ્રધાનના નિવેદનને પુરાવા તરીકે ઉલ્લેખ કર્યો હતો.
- TV9 Gujarati
- Updated on: Apr 29, 2025
- 2:31 pm
પાકિસ્તાને કોઈ પણ ભોગે, PoK ખાલી કરવું જ પડશે નહીંતર…’ ભારતે UNમાં પડોશી દેશ પર કર્યા પ્રહાર
જમ્મુ અને કાશ્મીરને લઈને આંતરરાષ્ટ્રીય મંચ પર અવારનવાર પાયાવિહોણા નિવેદન કરતા રહેતા પાકિસ્તાનને ભારતે આજે આકરા શબ્દોમાં ચેતવણી આપી છે. ભારતે સ્પષ્ટ શબ્દોમાં પાકિસ્તાનને કહ્યું છે કે, અમારા કાશ્મીરના પચાવી પાડેલા ભાગને કોઈ પણ ભોગે ખાલી કરવું જ પડશે.
- TV9 Gujarati
- Updated on: Mar 25, 2025
- 8:36 pm
વૈશ્વિક ગરમી અને ક્લાઈમેટ એક્શનને લઈને ભારત મહત્વપૂર્ણ ભૂમિકા ભજવશેઃ પરિમલ નથવાણી
વિશ્વમાં વધતા ઉષ્ણતામાનની સમસ્યા આજના સમયમાં સૌથી મહત્વપૂર્ણ વૈશ્વિક ચિંતાઓમાંથી એક બની ગઇ છે. જેમાં મુખ્યત્વે વિકસિત દેશો દ્વારા વધતાં ઉત્સર્જનો જવાબદાર છે. પરંતુ ભારત, જે વિશ્વની 17 %થી વધુ જનસંખ્યા ધરાવતો દેશ છે, વૈશ્વિક ગરમી વિરુદ્ધ લડાઈમાં પ્રતિકૂળ પરિસ્થિતિઓ છતાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી રહ્યું છે.
- TV9 Gujarati
- Updated on: Mar 24, 2025
- 3:55 pm
લલિત મોદીએ, ભારતીય નાગરિકતા છોડી, હવે વનુઆતુ નાગરિકતા રદ થશે, કોઈ પણ દેશની નાગરિકતા વિનાની વ્યક્તિનું શુ થાય ?
ઈન્ડિયન પ્રીમિયર લીગ (IPL) ના ભૂતપૂર્વ કમિશનર અને ભારતના ભાગેડુ આરોપી લલિત મોદીની વનુઆતુ નાગરિકતા રદ કરવામાં આવશે. વનુઆતુના વડાપ્રધાન જોથમ નાપટે સિટીઝનશિપ કમિશનને, લલિત મોદીને આપવામાં આવેલ પાસપોર્ટ રદ કરવાનો આદેશ આપ્યો છે. વનુઆતુની નાગરિકતા મળતાની સાથે જ લલિત મોદીએ પોતાનો ભારતીય પાસપોર્ટ સરેન્ડર કરવા માટે લંડનમાં અરજી કરી હતી. ચાલો જાણીએ કે કોઈ પણ દેશની નાગરિકતા ના ધરાવનારા વ્યક્તિનું શું થાય છે ?
- TV9 Gujarati
- Updated on: Mar 10, 2025
- 3:06 pm
જમ્મુ કાશ્મીરને લઈને પાકિસ્તાન મીડિયાના જૂઠ્ઠાણાને ભારતે દુનિયાભરમાં ખુલ્લા પાડ્યાં
ભારતના વિદેશ મંત્રાલયે, પાકિસ્તાનના એ દાવાને ફગાવી દીધો છે કે તે સંયુક્ત રાષ્ટ્ર મહાસભામાં જમ્મુ અને કાશ્મીર પર ઠરાવ લાવ્યા હતા અને તેને પસાર પણ કરવામાં આવ્યો હતો. વિદેશ મંત્રાલયે સ્પષ્ટતા કરી કે, આ વાર્ષિક દરખાસ્ત છે, જે ત્રીજી સમિતિમાં રજૂ કરવામાં આવી હતી અને મતદાન કર્યા વિના સ્વીકારવામાં આવી હતી. પાકિસ્તાની મીડિયા દ્વારા આ સંબંધે ભ્રામક રિપોર્ટિંગ કરવામાં આવ્યું છે.
- TV9 Gujarati
- Updated on: Dec 19, 2024
- 2:20 pm
ઈન્ટરનેશનલ ક્રિમિનલ કોર્ટે, બેન્જામિન નેતન્યાહુની ધરપકડ માટે જાહેર કર્યું વોરંટ
ઈન્ટરનેશનલ ક્રિમિનલ કોર્ટ (ICC) એ ઈઝરાયલના વડાપ્રધાન બેન્જામિન નેતન્યાહુ, પૂર્વ રક્ષા મંત્રી યોવ ગાલાંટ અને હમાસના લશ્કરી કમાન્ડર મોહમ્મદ ડેઈફ વિરુદ્ધ ધરપકડ વોરંટ જાહેર કર્યું છે. જો કે, ઇઝરાયેલ અને હમાસ બંનેએ આ આરોપોને નકારી કાઢ્યા છે.
- TV9 Gujarati
- Updated on: Nov 21, 2024
- 7:22 pm
પશ્ચિમ એશિયામાં વધતા જતા તણાવને લઈ PM મોદીની CCS સાથે બેઠક, સંભવિત જોખમોને લઈ કરાયુ વિચારમંથન
ભારત પહેલાથી જ મધ્ય પૂર્વ ક્ષેત્રમાં વધી રહેલા સંઘર્ષ અને યુદ્ધ અંગે પોતાની ચિંતા વ્યક્ત કરી ચૂક્યું છે અને સંબંધિત પક્ષોને સંયમ રાખવાનો અનુરોધ પણ કર્યો છે. ભારતે પોતાના નિવેદનમાં કહ્યું છે કે, આ સંઘર્ષ વ્યાપક સ્વરૂપ લેવો જોઈએ નહીં.
- TV9 Gujarati
- Updated on: Oct 4, 2024
- 2:47 pm
અમારા પડોશી આતંકવાદનું કેન્દ્ર, POK અમારુ છે-UNGAમાં પાકિસ્તાનને ઘેરતા વિદેશ પ્રધાન એસ જયશંકર
વિદેશ મંત્રી એસ જયશંકરે સંયુક્ત રાષ્ટ્ર મહાસભાના 79મા સત્રને સંબોધિત કરતા પાકિસ્તાનને ચારેબાજુથી ઘેર્યું હતું. તેમણે કહ્યું કે પડોશી દેશ સાથે માત્ર એક જ મુદ્દો ઉકેલવાનો છે અને તે મુદ્દો છે પાકિસ્તાન દ્વારા POKમાં ગેરકાયદે કબજો જમાવેલ ભારતીય વિસ્તારને ખાલી કરાવવાનો.
- TV9 Gujarati
- Updated on: Sep 29, 2024
- 1:55 pm