AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

સંયુક્ત રાષ્ટ્ર

સંયુક્ત રાષ્ટ્ર

સંયુક્ત રાષ્ટ્ર એ આંતરરાષ્ટ્રીય સંસ્થા છે. ઘણા તેને સંક્ષિપ્તમાં યુએન તરીકે પણ ઓળખે છે. જેનો હેતુ આંતરરાષ્ટ્રીય કાયદા, આંતરરાષ્ટ્રીય સુરક્ષા, આર્થિક વિકાસ, સામાજિક પ્રગતિ, માનવ અધિકાર અને વિશ્વ શાંતિની સુવિધા માટે સહકાર માટે કામ કરવાનું છે.

સંયુક્ત રાષ્ટ્રની સ્થાપના 25 ઓક્ટોબર 1945ના રોજ 50 દેશ દ્વારા સંયુક્ત રાષ્ટ્ર ચાર્ટર પર હસ્તાક્ષર સાથે કરવામાં આવી હતી.

બીજા વિશ્વયુદ્ધના વિજેતા દેશોએ સાથે મળીને આંતરરાષ્ટ્રીય સંઘર્ષોમાં હસ્તક્ષેપ કરવાના ઉદ્દેશ્ય સાથે સંયુક્ત રાષ્ટ્રની સ્થાપના કરી. તેઓ ઇચ્છતા હતા કે બીજા વિશ્વયુદ્ધ જેવા યુદ્ધો ભવિષ્યમાં ફરી ક્યારેય ન થાય.

હાલમાં સંયુક્ત રાષ્ટ્રમાં 193 રાષ્ટ્રો છે, જેમાં વિશ્વના લગભગ તમામ આંતરરાષ્ટ્રીય સ્તરે માન્યતા પ્રાપ્ત રાષ્ટ્રોનો સમાવેશ થાય છે. આ સંસ્થાના માળખામાં સામાન્ય સભા, સુરક્ષા પરિષદ, આર્થિક અને સામાજિક પરિષદ, સચિવાલય, આંતરરાષ્ટ્રીય ન્યાય અદાલત અને સંયુક્ત રાષ્ટ્ર ટ્રસ્ટ કાઉન્સિલનો સમાવેશ થાય છે.

Read More

UNSC Reforms India: સંયુક્ત રાષ્ટ્ર પર ભડક્યુ ભારત, પાકિસ્તાનની સદસ્યતાવાળી UNSC ને સંભળાવી ખરીખોટી

ભારતે સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદમાં સુધારાની માગને લઈને ભારે ખરીખોટી સંભળાવી છે. સંયુક્ત રાષ્ટ્રમાં ભારતના સ્થાયી પ્રતિનિધિ પર્વતાનેની હરીશે પરિણામ-આધારીત UN સુરક્ષા પરિષદમાં સુધારાની માગ કરી છે. તેમણે ચેતવણી આપી છે કે "વિશ્વ પાસે અનંત ચર્ચાઓ માટે સમયનો વૈભવ નથી."

રશિયા સાથે દાયકાઓ જુની દોસ્તી- UNSC માં વીટોથી લઈને ઓઈલ ડીલ સુધી ભારત માટે રશિયા કેમ વિશેષ?- વાંચો

રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન તેમની બે દિવસીય ભારતની યાત્રાએ આવ્યા હતા અને હવે તેઓ મોસ્કો રવાના થયા છે. યુક્રેન યુદ્ધ શરૂ થયા બાદ પુતિનની આ પહેલી ભારત યાત્રા હતી. જે ઘણી સફળ યાત્રા ગણવામાં આવી રહી છે. એક તરફ યુરોપના અનેક દેશો જ્યારે રશિયાથી અમેરિકાના કારણે અંતર રાખી રહ્યા છે ત્યારે ભારત ઉમળકાભેર રશિયાને આવકારી રહ્યુ છે. તેનુ કારણ છે ભારત રશિયાની દાયકાઓ જુની મિત્રતા. આ મિત્રતાને અનેકવાર કસોટીની એરણ પર ચડી છે પરંતુ છતા તે ક્યારેય નબળી નથી પડી. આખરે એવુ તો શું છે જે આ બંને દેશોને મજબુત રીતે જોડી રાખે છે. આવો જાણીએ

2027ના નવા યુએન ચીફની દોડ ગરમાઈ : ગુટેરેસ બાદ હવે કોણ બનશે વિશ્વનો આગલો નેતા?

2027 માટે નવા યુનાઇટેડ નેશન્સ (યુએન) સેક્રેટરી-જનરલ પસંદ કરવાની પ્રક્રિયા શરૂ થઈ ગઈ છે. હાલ આ પદ પર એન્ટોનિયો ગુટેરેસ છે, પરંતુ તેમનો કાર્યકાળ હવે પૂરો થવાનો છે. હવે દુનિયાભરના દેશો વિચાર કરી રહ્યા છે કે આગળ યુએન ચીફ કોણ બનશે. આ પસંદગી એક લાંબી પ્રક્રિયા છે, જેમાં નામો પ્રસ્તુત થાય છે, ચર્ચા થાય છે અને પછી મતદાન થાય છે. હાલ ઘણા મોટા નેતાઓ આ રેસમાં છે અને આવતા સમયમાં સ્પર્ધા વધુ કઠિન બની શકે છે. જાણો વિગતે.

શું ભારતને વીટો પાવર સાથે UNSC માં કાયમી સભ્યપદ મળશે ? 3 મોટા સંકેતો સામે આવ્યા, જાણો

સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદમાં સુધારા પર ચર્ચા શરૂ થઈ ગઈ છે. બ્રિટન અને રશિયા પછી, ફ્રાન્સે ભારતને કાયમી સભ્યપદ આપવાની હિમાયત કરી છે. શું ભારતને કાયમી સભ્યપદમાં સ્થાન મળશે? જાણો વિગતે.

અમેરિકા, કાયદાની અંદર રહો… સંયુક્ત રાષ્ટ્રે, યુએસએના રાષ્ટ્રપતિ ટ્રમ્પને અલ્ટીમેટમ કેમ આપ્યું?

અમેરિકા આંતરરાષ્ટ્રીય કાયદાનું ઉલ્લંઘન કરે છે. UN માનવાધિકાર વડાએ અમેરિકાને ધમકી આપી છે. જાણો આખી ઘટના વિશે.

હવે ક્યાં મોં છુપાવવા જશે મુલ્લો મુનીર, ભારતે પાકિસ્તાનની દુખતી નસ પર રાખ્યો હાથ, PoK પર આપ્યુ અંતિમ અલ્ટીમેટમ

ભારતે પાકિસ્તાન અધિકૃત કાશ્મીર (PoK) મુદ્દે હવે દુનિયાને જગાડવાનું શરૂ કરી દીધુ છે. સંયુક્ત રાષ્ટ્રમાં પાકિસ્તાન તરફથી કરવામાં પીઓકે પર કરવામાં આવતા અત્યાચાર અને બળજબરીનો મુદ્દો ભારતે એટલી મજબુતાઈ ઉઠાવ્યો છે કે તે એક રીતે તેના પર કોઈ મજબુત નક્કર નિર્ણય લેવા તરફ ઈશારો કરી રહ્યા છે. જેના સંકેત સતત મળી રહ્યા છે.

પાકિસ્તાનની સેનાએ 4 લાખ મહિલાઓ સાથે દુષ્કર્મ આચર્યુ… UNમાં ભારતે કાશ્મીર મુદ્દો ઉઠાવતા પાકિસ્તાનને ચૂપ કરી દીધું.

UN સુરક્ષા પરિષદમાં મહિલાઓ અને સુરક્ષા પર ચર્ચા દરમિયાન, ભારતે પાકિસ્તાનની મહિલા અધિકારો અને ઇતિહાસના ગંભીર ઉલ્લંઘન બદલ ટીકા કરી હતી. ભારતના કાયમી પ્રતિનિધિ, પર્વતાનેની હરીશે, જમ્મુ અને કાશ્મીર પર પાકિસ્તાનના આરોપોને ભ્રામક અને આંતરરાષ્ટ્રીય ધ્યાન ભટકાવવાના પ્રયાસ તરીકે ફગાવી દીધા હતા.

ભારતને UNSCમાં કાયમી સભ્યપદ મળવું જોઈએ – પડોશી દેશે ખુલ્લેઆમ કર્યુ સમર્થન

ભૂટાનના પ્રધાનમંત્રીએ સંયુક્ત રાષ્ટ્ર મહાસભામાં UNSC સુધારાઓની જોરદાર હિમાયત કરી હતી અને ભારતના કાયમી સભ્યપદને ખુલ્લેઆમ સમર્થન આપ્યું હતું. તેમણે કહ્યું હતું કે બદલાતી વૈશ્વિક પરિસ્થિતિઓમાં, ભારત અને જાપાન જેવા દેશો સુરક્ષા પરિષદના કાયમી સભ્ય બનવાને લાયક છે.

યુએનમાં બેન્જામિન નેતન્યાહૂનો બહિષ્કાર, સ્ટેજ પર આવતા જ અનેક દેશના પ્રતિનિધિઓએ ચાલતી પકડી

સંયુક્ત રાષ્ટ્ર મહાસભાની સામાન્ય ચર્ચાનો આજે ચોથો દિવસ ચાલી રહ્યો છે. ઇઝરાયલના વડા પ્રધાન બેન્જામિન નેતન્યાહૂ, જેમની સામે આંતરરાષ્ટ્રીય ફોજદારી અદાલતે યુદ્ધ ગુનાઓ માટે ધરપકડ વોરંટ જાહેર કર્યું છે, તેઓ જનરલ એસેમ્બલીને સંબોધિત કર્યું હતું. પરંતુ તેમાન સંબોધનનો અનેક દેશના પ્રતિનિધિઓએ બહિષ્કાર કર્યો હતો.

ગ્લોબલ વોર્મિંગનો ભોગ બનશે માલદીવ, આટલા વર્ષમાં દુનિયાના નકશામાંથી સાવ ભૂંસાઈ જશે

પીએમ મોદી માલદીવની મુલાકાતે છે. તેઓ 25-26 જુલાઈ સુધી અહીં રોકાશે અને માલદીવની સ્વતંત્રતાની ઉજવણીમાં મુખ્ય મહેમાન તરીકે ભાગ લેશે. શું તમને ખબર છે? માલદીવ સૌથી વધુ જોખમમાં છે. પીગળતા ગ્લેશિયર્સ અને ગ્રીનહાઉસ વાયુઓને કારણે, સમુદ્રનું સ્તર વધી રહ્યું છે. આ ટાપુ દેશ કેટલા વર્ષમાં ગ્લોબલ વોર્મિંગનો ભોગ બનશે. જાણો સંપૂર્ણ વિગતો.

પાકિસ્તાનને કેવી રીતે મળી સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદની અધ્યક્ષતા (UNSC)? શું તેનાથી ભારતને થશે કોઈ નુકસાન? -વાંચો

જ્યારથી પાકિસ્તાને સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદની (UNSC) અધ્યક્ષતા સંભાળી છે. ત્યારથી દરેકના મનમાં એક જ સવાલ છે કે આખરે પાકિસ્તાનને આ પદ કેવી રીતે મળી ગયુ. શું તેનાથી આવનારા દિવસોમાં ભારતને કોઈ નુકસાન છે? આવો સમજીએ..

“અમેરિકાએ અમારા સાર્વભૌમત્વ પર કર્યો હુમલો”, ઈરાની રાજદૂતે કહ્યું અમે કરશુ બદલાની કાર્યવાહી

અમેરિકા સામે ઈરાને શા માટે બદલાની કાર્યવાહી કરવી જોઈએ તે અંગેના સૂચિબદ્ધ પાંચ કારણો આપી ઈરાની રાજદૂતે UNSCમાં તેમની કાર્યવાહી અંગે જણાવ્યુ છે. આ દરમિયાન તેમણે કાસિમ સુલેમાનીની હત્યાનો પણ ઉલ્લેખ કર્યો અને જણાવ્યુ કે અમેરિકાએ અમારા સાર્વભૌમત્વ પર હુમલો કર્યો છે.

પાકિસ્તાનમાં સંતાયેલા પુલવામા-મુંબઈ-અક્ષરધામ હુમલાના આતંકવાદીને વૈશ્વિક આતંકી જાહેર કરવા ભારત UNSCમાં લાવશે પ્રસ્તાવ

ભારત ટૂંક સમયમાં સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદ (UNSC) માં ત્રણ આતંકવાદીઓ વિરુદ્ધ ઠરાવ લાવશે. આ આતંકવાદીઓ ભારતમાં થયેલા હુમલાઓમાં સામેલ હતા અને પાકિસ્તાનમાં છુપાયા હોવાનું માનવામાં આવે છે. આ ત્રણ આતંકવાદીઓ છે, મોહિઉદ્દીન ઔરંગઝેબ આલમગીર, અલી કાશિફ જાન (જૈશ-એ-મોહમ્મદ), અને યુસુફ મુઝમ્મિલ ભટ (લશ્કર-એ-તૈયબા).

UNSCએ બંધ બારણે કરેલી બેઠકમાં ન નીકળ્યો કોઇ નિષ્કર્ષ, કન્સલ્ટેશન રૂમની બેઠકમાં શું થયું તે જાણો

સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદે (UNSC) ભારત અને પાકિસ્તાન વચ્ચે ચાલી રહેલા તણાવને લઈને એક બેઠક કરી હતી. આ બેઠક બંધ બારણે એટલે કે એક રૂમમાં ખાનગી રીતે કરવામાં આવી હતી. બંને દેશો વચ્ચે પરમાણુ હથિયારો હોવા છતાં તણાવ વધી રહ્યો છે અને તેના કારણે ચિંતા વધી છે.

આખરે સાચુ ઠર્યું, પાકિસ્તાન જ છે વિશ્વનું આતંકીસ્તાન, રક્ષામંત્રીનો ઈન્ટરવ્યું જ છે તેનો બોલતો પુરાવો- યુએનમાં ભારત

સંયુક્ત રાષ્ટ્ર સંધમાં ભારતના નાયબ કાયમી પ્રતિનિધિ યોજના પટેલે, પાકિસ્તાનને 'આતંકીસ્તાન દેશ' ગણાવતા કહ્યું કે પાકિસ્તાન આતંકવાદને આશ્રય આપે છે અને ક્ષેત્રમાં તો ઠીક પરંતુ સમગ્ર વિશ્વમાં અશાંતિ ફેલાવે છે. યોજના પટેલે આ માટે પાકિસ્તાનના સંરક્ષણ પ્રધાનના નિવેદનને પુરાવા તરીકે ઉલ્લેખ કર્યો હતો.

સ્કૂલમાં ફી ના ભરતા વિદ્યાર્થીઓને બહાર ઉભા રખાયા
સ્કૂલમાં ફી ના ભરતા વિદ્યાર્થીઓને બહાર ઉભા રખાયા
વિવાદોમાં સપડાયેલા કોર્પોરેટરોના પણ પત્તા કપાશે
વિવાદોમાં સપડાયેલા કોર્પોરેટરોના પણ પત્તા કપાશે
ગુજરાતીઓને અભણ કહેવાના ખડગેના નિવેદન પર રાજકારણ ગરમાયું-Video
ગુજરાતીઓને અભણ કહેવાના ખડગેના નિવેદન પર રાજકારણ ગરમાયું-Video
સ્થાનિક સ્વરાજની ચૂંટણી માટે ઉમેદવારી ફોર્મની પ્રક્રિયા આજથી શરૂ
સ્થાનિક સ્વરાજની ચૂંટણી માટે ઉમેદવારી ફોર્મની પ્રક્રિયા આજથી શરૂ
બિનજરૂરી વસ્તુઓ પર ખર્ચ વધશે, સામાજિક સંપર્કો તરફ વળો
બિનજરૂરી વસ્તુઓ પર ખર્ચ વધશે, સામાજિક સંપર્કો તરફ વળો
કોંગ્રેસની પ્રથમ યાદી જાહેર: 7 મહાનગરપાલિકા માટે 243 ઉમેદવારો મેદાને
કોંગ્રેસની પ્રથમ યાદી જાહેર: 7 મહાનગરપાલિકા માટે 243 ઉમેદવારો મેદાને
રસમલાઈ અને પોપટ છાપ ગોળના નમૂના ફેલ, ખાતા પહેલા સાવધાન!
રસમલાઈ અને પોપટ છાપ ગોળના નમૂના ફેલ, ખાતા પહેલા સાવધાન!
7 એપ્રિલે ગુજરાતમાં માવઠાની આગાહી: ઉત્તર ગુજરાત અને સૌરાષ્ટ્રમાં એલર્ટ
7 એપ્રિલે ગુજરાતમાં માવઠાની આગાહી: ઉત્તર ગુજરાત અને સૌરાષ્ટ્રમાં એલર્ટ
વડિયાના સુરવો ડેમનો દરવાજો ખોલાયો, ઉનાળે નદીઓ થઈ વહેતી
વડિયાના સુરવો ડેમનો દરવાજો ખોલાયો, ઉનાળે નદીઓ થઈ વહેતી
30 વર્ષના શાસન પછી પણ કોંગ્રેસીઓના ભરોસે કેમ ચાલે છે 'ભાજપ'?
30 વર્ષના શાસન પછી પણ કોંગ્રેસીઓના ભરોસે કેમ ચાલે છે 'ભાજપ'?
g clip-path="url(#clip0_868_265)">