એક નાનકડી ભૂલ અને આખી ફ્લાઇટમાં લાગી શકે છે આગ! જાણો ખાવાની આ વસ્તુ પર કેમ છે પ્રતિબંધ?
શું તમે જાણો છો કે જેણે આપણે પવિત્ર પ્રસાદ માનીએ છીએ, તે પ્લેનની અંદર એક 'ટાઈમ બોમ્બ' જેવું સાબિત થઈ શકે છે? એરલાઇન્સે કેમ લગાવ્યો છે આ સાદી વસ્તુ પર કડક પ્રતિબંધ? કારણ જાણીને તમે પણ ચોંકી જશો...

જ્યારે આપણે ફ્લાઇટમાં મુસાફરી કરીએ છીએ, ત્યારે આપણને ખબર હોય છે કે ચપ્પુ, કાતર કે 100 ml થી વધુ લિક્વિડ લઈ જવાની મનાઈ છે. પરંતુ શું તમે ક્યારેય વિચાર્યું છે કે એક આખું નારિયેળ તમારી મુસાફરીમાં વિઘ્ન નાખી શકે છે? હા, ફ્લાઇટમાં સૂકું નારિયેળ લઈ જવું સખત મનાઈ છે.
કેમ નારિયેળ બની શકે છે ખતરનાક?
તાજેતરમાં જ IndiGo Airlines એ આ અંગે સોશિયલ મીડિયા પર ખુલાસો કર્યો છે. તેના મુખ્ય કારણો નીચે મુજબ છે:
- જ્વલનશીલ પદાર્થ: સૂકા નારિયેળમાં તેલનું પ્રમાણ ખૂબ વધારે હોય છે. તે અત્યંત જ્વલનશીલ (Flammable) છે.
- આગનું જોખમ: જો સૂકું નારિયેળ ફ્લાઇટમાં ગરમીના સંપર્કમાં આવે, તો તે તરત જ આગ પકડી શકે છે.
- કાર્ગો હોલ્ડની સમસ્યા: પ્લેનના નીચેના ભાગમાં (જ્યાં બેગેજ રાખવામાં આવે છે) વેન્ટિલેશન ઓછું હોય છે. જો ત્યાં નારિયેળને કારણે આગ લાગે, તો આટલી ઊંચાઈ પર તેને કાબૂમાં લેવી અશક્ય બની જાય છે.
Hi Supriya, dry coconut is a highly flammable object hence, carrying the same in check-in luggage is not permitted.
— IndiGo (@IndiGo6E) May 13, 2017
પાણી વાળું નારિયેળ પણ છે ‘નો એન્ટ્રી’ ઝોનમાં!
તમે વિચારતા હશો કે તો કાચું કે પાણી વાળું નારિયેળ લઈ જઈએ તો? પણ જવાબ છે ના! સુરક્ષા નિયમો મુજબ, નિર્ધારિત માત્રાથી વધુ પ્રવાહી (Liquid) લઈ જવાની મનાઈ હોવાથી પાણી વાળું નારિયેળ પણ કેબિનમાં લઈ જઈ શકાતું નથી.
તો શું પ્રસાદ લઈ જઈ શકાય?
જો તમારે નારિયેળ લઈ જવું જ હોય, તો SpiceJet જેવી કેટલીક એરલાઇન્સના નિયમો મુજબ:
- તેને નાના-નાના ટુકડામાં કાપી નાખવું જોઈએ.
- તેને વ્યવસ્થિત રીતે પેક કરીને માત્ર ચેક-ઇન બેગેજમાં જ રાખી શકાય છે.
- આખું ગોટું કે આખું નારિયેળ કોઈપણ સંજોગોમાં માન્ય નથી.
નિષ્ણાતોની સલાહ: “તમારી અને અન્ય મુસાફરોની સુરક્ષા માટે એરલાઇન્સના આ નિયમોનું પાલન કરવું અનિવાર્ય છે. એક નાનકડું નારિયેળ આખા વિમાન માટે જોખમ ઊભું કરી શકે છે.”
