AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

શાર્દુલ ઠાકુર

શાર્દુલ ઠાકુર

ભારતીય ક્રિકેટ ટીમના બોલિંગ ઓલરાઉન્ડર શાર્દુલ ઠાકુરએ મુંબઇ સાથે ક્રિકેટ કારકિર્દીની શરૂઆત કરી હતી. 2012-13માં તેની ડેબ્યૂ સીઝનમાં મુંબઇએ રણજી ટ્રોફીનો ખિતાબ જીત્યો હતો.

2016માં મુંબઇની 41મી રણજી ટ્રોફી ટાઇટલ જીતમાં તેણે ફાઇનલ મેચમાં સૌરાષ્ટ્ર સામે 8 વિકેટ ઝડપી હતી, જેમાં ભારતના દિગ્ગજ બેટ્સમેન ચેતેશ્વર પુજારાની વિકેટ સૌથી મહત્વપૂર્ણ રહી હતી.

2014-15ની રણજી સીઝનમાં તેણે 48 વિકેટ લીધી હતી. 2014ના આઇપીએલ ઓક્શનમાં તેને પંજાબની ટીમએ રૂ. 20 લાખમાં ખરીદ્યો હતો. 2017માં ભારતીય ટીમ માટે તેણે શ્રીલંકા સામે વન-ડેમાં ડેબ્યૂ કર્યુ હતુ અને વર્ષ 2018માં ટી-20 ફોર્મેટમાં દક્ષિણ આફ્રિકા સામે અને ટેસ્ટ ફોર્મેટમાં વેસ્ટ ઇન્ડીઝ સામે ડેબ્યૂ મેચ રમી હતી.

2022માં દક્ષિણ આફ્રિકા પ્રવાસ પર ટેસ્ટ મેચમાં તેણે આફ્રિકાની પ્રથમ ઇનિંગમાં 7 વિકેટ ઝડપી હતી.

Read More

Breaking News: માત્ર 3 મેચમાં 1103 રન 61 છગ્ગા, બેટ્સમેનોનું તોફાન છતાં બોલરો જીતના હીરો બન્યા

IPLની દરેક સિઝન સાથે બેટિંગ વધુ સરળ બનતી જાય છે, અને આ ફક્ત બેટ્સમેનોના નિર્ભય બનવાને કારણે જ નહીં, પરંતુ નિયમો અને બેટિંગ માટે વધુ અનુકૂળ પિચો બનવાને કારણે પણ છે. આ સિઝનની શરૂઆત પણ આવી જ રીતે થઈ છે. છતાં પહેલી ત્રણેય મેચમાં બોલરો પ્લેયર ઓફ ધ મેચ બન્યા છે.

Breaking News : ODI વર્લ્ડ કપ 2027 માંથી આ 5 સ્ટાર ભારતીય ખેલાડીઓનું પત્તું કપાશે!

2027નો વર્લ્ડ કપ દક્ષિણ આફ્રિકા સહિત ત્રણ દેશોમાં યોજાવાનો છે અને ટીમ ઈન્ડિયા ટાઈટલના દાવેદાર તરીકે પ્રવેશ કરશે. જોકે, ગયા વર્લ્ડ કપની ફાઈનલમાં પહોંચેલી ટીમના કેટલાક સ્ટાર ખેલાડીઓ આ વખતે ટીમનો ભાગ રહેશે નહીં. જાણો કોણ છે આ પાંચ ખેલાડીઓ.

IPL Trading Window : અર્જુન તેંડુલકર મુંબઈ ઈન્ડિયન્સમાંથી બહાર, IPL 2026માં આ ટીમમાંથી રમશે!

IPL 2026 પહેલા બધાની નજર ટ્રેડ વિન્ડો પર છે, જ્યાં મોટા ખેલાડીઓની આપ-લે થવાની અપેક્ષા છે. સચિન તેંડુલકરનો પુત્ર અર્જુન તેંડુલકર હવે આ રેસમાં સામલે થયો છે. મુંબઈ ઈન્ડિયન્સ એક ફ્રેન્ચાઈઝી સાથે કેશ ડીલની તૈયારી કરી રહી છે.

IPL Trading Window: IPL ઈતિહાસના 5 સૌથી મોંઘા ટ્રેડ ડીલ, હાર્દિક પંડ્યા નથી નંબર 1

IPL 2026 મીની ઓક્શન પહેલા સંજુ સેમસન અને રવિન્દ્ર જાડેજાનો ટ્રેડ હેડલાઈન્સમાં છે. બે ભૂતપૂર્વ IPL ચેમ્પિયન રાજસ્થાન રોયલ્સ અને ચેન્નાઈ સુપર કિંગ્સ વચ્ચેની આ ડીલ IPL ઈતિહાસની સૌથી મોંઘા ટ્રેડ ડીલ હોઈ શકે છે. બંનેની કિંમત 18 કરોડ રૂપિયા છે. જોકે, આ પહેલા પણ મોંઘી ટ્રેડ ડીલ થઈ છે. જાણો IPL ઈતિહાસના 5 સૌથી મોંઘા ટ્રેડ ડીલ કયા છે?

Suryakumar Yadav Dropped: સૂર્યકુમાર યાદવ ટીમમાંથી બહાર, આ ખેલાડી બન્યો કેપ્ટન

ઓસ્ટ્રેલિયામાં T20 શ્રેણી પહેલા કેપ્ટન સૂર્યકુમાર યાદવનું ફોર્મ ચિંતાનું કારણ બની રહ્યું છે. ટીમ ઈન્ડિયાએ તાજેતરમાં એશિયા કપ જીત્યો હતો, પરંતુ સૂર્યા ખાસ પ્રભાવ પાડવામાં નિષ્ફળ ગયો. રણજી ટ્રોફી સિઝનની પ્રથમ મેચમાં સૂર્યાને ઓસ્ટ્રેલિયા જતા પહેલા થોડી બેટિંગ પ્રેક્ટિસ કરવાની તક હતી, પરંતુ તેને ટીમમાં સ્થાન જ નથી મળ્યું.

એશિયા કપ 2025 પહેલા રોહિત-શુભમન સહિત આ ખેલાડીઓ ફિટનેસ ટેસ્ટ માટે બેંગલુરુ પહોંચ્યા

ટીમ ઈન્ડિયાના ઘણા ખેલાડીઓ ફિટનેસ ટેસ્ટ માટે બેંગલુરુના BCCI સેન્ટર ઓફ એક્સેલન્સ (CoE) પહોંચ્યા છે. આ યાદીમાં રોહિત શર્મા, શુભમન ગિલ અને જસપ્રીત બુમરાહ જેવા સ્ટાર ખેલાડીઓના નામ શામેલ છે. આગામી દિવસોમાં આ સ્ટાર ખેલાડીઓના ફિટનેસ ટેસ્ટનું રિઝલ્ટ આવશે.

IND vs ENG : ઓવલ ટેસ્ટમાંથી 3 ખેલાડીઓ બહાર, જાણો કેવી છે ટીમ ઈન્ડિયાની પ્લેઈંગ ઈલેવન

ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચે પાંચ મેચની ટેસ્ટ સીરિઝની અંતિમ મેચમાં ટીમ ઈન્ડિયામાં મોટા ફેરફાર જોવા મળ્યા હતા. ટોસ હાર્યા બાદ કેપ્ટન શુભમન ગિલે અ નાગે જાણકારી આપી હતી. સ્ટાર બોલર જસપ્રીત બુમરાહ આ ટેસ્ટમાં નહીં રમે. જાણો કેવી છે ભારતની પ્લેઈંગ 11.

હાઈસ્કૂલની પ્રેમિકા સાથે લગ્ન, ચલાવે છે કરોડોનો બિઝનેસ, જાણો ઓલરાઉન્ડરની સુંદર અને સ્માર્ટ પત્ની વિશે

ક્રિકેટના મેદાનમાં પોતાના ઓલરાઉન્ડ પ્રદર્શન માટે જાણીતો ભારતીય ક્રિકેટર શાર્દુલ ઠાકુર હાલમાં ઈંગ્લેન્ડમાં ચાલી રહેલી ટેસ્ટ શ્રેણીમાં વ્યસ્ત છે. તો બીજી તરફ મેદાનની બહાર તેની સુંદર અને સ્માર્ટ પત્ની મિતાલી પારુલકર પોતાના સ્ટાર્ટઅપમાં ધૂમ મચાવી રહી છે. મિતાલીએ પોતાના સ્ટાર્ટઅપને કરોડોનો બિઝનેસ બનાવ્યો છે. જાણો ઓલરાઉન્ડર ક્રિકેટરની બિઝનેસ ક્વીન પત્ની વિશે.

IND vs ENG : ટીમ ઈન્ડિયામાંથી 4 ખેલાડીઓ થશે બહાર, ઓવલ ટેસ્ટમાં આવી હશે ભારતની પ્લેઈંગ-11 !

ટેસ્ટ શ્રેણીની પાંચમી અને અંતિમ મેચ લંડનના ઓવલ મેદાન પર રમાશે. આ શ્રેણીની પાછલી ચાર મેચોની જેમ, છેલ્લી ટેસ્ટમાં પણ ટીમ ઈન્ડિયાના પ્લેઈંગ 11માં ફેરફાર થશે. પરંતુ આ વખતે કોને તક મળશે, તે મોટો પ્રશ્ન છે. જ્યારે માન્ચેસ્ટર ટેસ્ટ મેચમાં રમનાર 4 ખેલાડીઓ ટીમની બહાર થઈ શકે છે.

IND vs ENG : માન્ચેસ્ટર ટેસ્ટ પહેલા ટીમ ઈન્ડિયાને મોટો ઝટકો, સ્ટાર ઓલરાઉન્ડર આખી સિરીઝમાંથી બહાર

ટીમ ઈન્ડિયા માટે આ એક ખરાબ સમાચાર છે,આ માહિતી 23 જુલાઈથી માન્ચેસ્ટરમાં શરૂ થનારી ચોથી ટેસ્ટ મેચ પહેલા મળી છે.સ્ટાર ઓલરાઉન્ડર આખી સિરીઝમાંથી બહાર થયો છે.

IND vs ENG : લીડ્સ ટેસ્ટમાં ભારત પહેલા કરશે બેટિંગ, જાણો ટીમ ઈન્ડિયાની પ્લેઈંગ 11

ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચે પાંચ મેચની ટેસ્ટ શ્રેણીની પહેલી મેચ લીડ્સમાં રમાઈ રહી છે. ટીમ ઈન્ડિયાએ સાઈ સુદર્શનને ડેબ્યૂ કરવાની તક આપી છે. નીતિશ રેડ્ડીની જગ્યાએ શાર્દુલ ઠાકુરને પ્રાથમિકતા આપવામાં આવી છે.

IND vs ENG : 4 ખેલાડીઓ કરશે ડેબ્યૂ ! ઈંગ્લેન્ડ સામેની પ્રથમ ટેસ્ટમાં ટીમ ઈન્ડિયાની પ્લેઈંગ ઈલેવન કેવી હશે?

ટીમ ઈન્ડિયાની 2025-27 વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપની શરૂઆત 20 જૂનથી ઈંગ્લેન્ડ સામે રમાનારી ટેસ્ટ શ્રેણી સાથે કરશે. રોહિત શર્મા અને વિરાટ કોહલીના ટેસ્ટમાંથી નિવૃત્તિ પછી આ ભારતની પહેલી શ્રેણી છે. આવી સ્થિતિમાં, બધાની નજર ટીમ ઈન્ડિયાના પ્લેઈંગ 11 પર રહેશે.

IND vs ENG : ઈશાન કિશન ટીમ ઈન્ડિયામાંથી બહાર, આ બે ખેલાડીઓએ કર્યું ડેબ્યૂ

ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચે ટેસ્ટ શ્રેણી શરૂ થાય તે પહેલા, ઈન્ડિયા A અને ઈંગ્લેન્ડ લાયન્સ વચ્ચે બે મેચની શ્રેણી રમાઈ રહી છે, જે કેન્ટરબરીમાં શરૂ થઈ હતી. આ મેચમાં કેટલાક એવા ખેલાડીઓ પણ ભાગ લઈ રહ્યા છે જે 20 જૂનથી ભારત-ઈંગ્લેન્ડ ટેસ્ટ શ્રેણી દરમિયાન ભારતીય ટીમમાં રમતા જોવા મળશે. ખાસ વાત એ છે કે લાંબા સમયથી ટીમમાં સ્થાન મેળવવા પ્રયાસ કરી રહેલ ઈશાન કિશનને ટીમમાં સ્થાન મળ્યું નથી, જ્યારે બે યુવા ખેલાડીઓને ડેબ્યૂ કરવાની તક મળી છે.

કોંગ્રેસની પ્રથમ યાદી જાહેર: 7 મહાનગરપાલિકા માટે 243 ઉમેદવારો મેદાને
કોંગ્રેસની પ્રથમ યાદી જાહેર: 7 મહાનગરપાલિકા માટે 243 ઉમેદવારો મેદાને
રસમલાઈ અને પોપટ છાપ ગોળના નમૂના ફેલ, ખાતા પહેલા સાવધાન!
રસમલાઈ અને પોપટ છાપ ગોળના નમૂના ફેલ, ખાતા પહેલા સાવધાન!
7 એપ્રિલે ગુજરાતમાં માવઠાની આગાહી: ઉત્તર ગુજરાત અને સૌરાષ્ટ્રમાં એલર્ટ
7 એપ્રિલે ગુજરાતમાં માવઠાની આગાહી: ઉત્તર ગુજરાત અને સૌરાષ્ટ્રમાં એલર્ટ
વડિયાના સુરવો ડેમનો દરવાજો ખોલાયો, ઉનાળે નદીઓ થઈ વહેતી
વડિયાના સુરવો ડેમનો દરવાજો ખોલાયો, ઉનાળે નદીઓ થઈ વહેતી
30 વર્ષના શાસન પછી પણ કોંગ્રેસીઓના ભરોસે કેમ ચાલે છે 'ભાજપ'?
30 વર્ષના શાસન પછી પણ કોંગ્રેસીઓના ભરોસે કેમ ચાલે છે 'ભાજપ'?
ઈન્કમટેક્સ વિભાગે ભોપાળું વાળ્યું! ફેરિયાને આપી અધધ 19.84 કરોડની નોટિસ
ઈન્કમટેક્સ વિભાગે ભોપાળું વાળ્યું! ફેરિયાને આપી અધધ 19.84 કરોડની નોટિસ
જુનાગઢમાં કડિયાવાડ વિસ્તારમાં ઈમારતનો ભાગ ધરાશાયી થતા મહિલના ગંભીર ઈજા
જુનાગઢમાં કડિયાવાડ વિસ્તારમાં ઈમારતનો ભાગ ધરાશાયી થતા મહિલના ગંભીર ઈજા
જુનાગઢમાં બિસમાર રસ્તાને કારણે દર્દીએ રસ્તા પર લેવી પડી સારવાર
જુનાગઢમાં બિસમાર રસ્તાને કારણે દર્દીએ રસ્તા પર લેવી પડી સારવાર
આજે તમારા માટે થોડો સમય કાઢો, તમારું સ્વાસ્થ્ય સંપૂર્ણ સ્વસ્થ રહેશે
આજે તમારા માટે થોડો સમય કાઢો, તમારું સ્વાસ્થ્ય સંપૂર્ણ સ્વસ્થ રહેશે
AMCનો આદેશ: હોટલોએ પનીર 'મિલ્ક' છે કે 'એનાલોગ' તે ફરજિયાત જણાવવું પડશે
AMCનો આદેશ: હોટલોએ પનીર 'મિલ્ક' છે કે 'એનાલોગ' તે ફરજિયાત જણાવવું પડશે
g clip-path="url(#clip0_868_265)">