Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

શાર્દુલ ઠાકુર

શાર્દુલ ઠાકુર

ભારતીય ક્રિકેટ ટીમના બોલિંગ ઓલરાઉન્ડર શાર્દુલ ઠાકુરએ મુંબઇ સાથે ક્રિકેટ કારકિર્દીની શરૂઆત કરી હતી. 2012-13માં તેની ડેબ્યૂ સીઝનમાં મુંબઇએ રણજી ટ્રોફીનો ખિતાબ જીત્યો હતો.

2016માં મુંબઇની 41મી રણજી ટ્રોફી ટાઇટલ જીતમાં તેણે ફાઇનલ મેચમાં સૌરાષ્ટ્ર સામે 8 વિકેટ ઝડપી હતી, જેમાં ભારતના દિગ્ગજ બેટ્સમેન ચેતેશ્વર પુજારાની વિકેટ સૌથી મહત્વપૂર્ણ રહી હતી.

2014-15ની રણજી સીઝનમાં તેણે 48 વિકેટ લીધી હતી. 2014ના આઇપીએલ ઓક્શનમાં તેને પંજાબની ટીમએ રૂ. 20 લાખમાં ખરીદ્યો હતો. 2017માં ભારતીય ટીમ માટે તેણે શ્રીલંકા સામે વન-ડેમાં ડેબ્યૂ કર્યુ હતુ અને વર્ષ 2018માં ટી-20 ફોર્મેટમાં દક્ષિણ આફ્રિકા સામે અને ટેસ્ટ ફોર્મેટમાં વેસ્ટ ઇન્ડીઝ સામે ડેબ્યૂ મેચ રમી હતી.

2022માં દક્ષિણ આફ્રિકા પ્રવાસ પર ટેસ્ટ મેચમાં તેણે આફ્રિકાની પ્રથમ ઇનિંગમાં 7 વિકેટ ઝડપી હતી.

Read More

Video : 33 હજાર કરોડના માલિકે ‘લોર્ડ શાર્દૂલ’ સામે જોડ્યા હાથ, ઝૂકીને કરી સલામ

LSG ફ્રેન્ચાઈઝીના માલિક સંજીવ ગોયેન્કાએ પણ ઝડપી બોલર શાર્દુલ ઠાકુરને નમન કર્યું, જેણે સનરાઈઝર્સ હૈદરાબાદ સામે લખનૌ સુપર જાયન્ટ્સને વિજય અપાવ્યો હતો. શાર્દુલ સાથેનો તેમનો એક વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે અને તેને બહોળા પ્રમાણમાં શેર કરવામાં આવી રહ્યો છે.

IPL 2025 : લખનૌની જીતના હીરો શાર્દુલ ઠાકુરને ‘લોર્ડ શાર્દુલ’ કેમ કહેવામાં આવે છે?

IPL 2025માં લખનૌ સુપર જાયન્ટ્સની પહેલી જીતમાં શાર્દુલ ઠાકુરે મહત્વની ભૂમિકા ભજવી હતી. એમ કહી શકાય કે જો શાર્દૂલ ન હોત તો LSG હૈદરાબાદને હરાવી જ ન શક્યું હોત. IPL ઓક્શનમાં જેને કોઈએ ન ખરીદ્યો તે શાર્દૂલે રિપ્લેસમેન્ટ તરીકે ટીમમાં સામેલ થઈ ધમાકેદાર પ્રદર્શન કરી ટીકાકારોને જોરદાર જવાબ આપ્યો હતો. આ સાથે જ તેણે સાબિત કર્યું કે કેમ ફેન્સ તેને 'લોર્ડ શાર્દુલ' કહે છે. શાર્દુલ ઠાકુરને 'લોર્ડ શાર્દુલ' નામ ક્યાંથી મળ્યું? અને કેમ તેને ફેન્સ 'લોર્ડ' કહે છે? તમામ સવાલોના જવાબ જાણો આ ખાસ આર્ટિકલમાં.

IPL 2025 : એક ફોન કોલે ખેલાડીની કિસ્મત બદલી નાંખી, આટલું તો ખેલાડીએ ક્યારેય વિચાર્યું પણ ન હતુ

આઈપીએલ 2025ના ઓક્શનમાં શાર્દુલ ઠાકુરને કોઈએ ટીમમાં સામેલ કર્યો ન હતો. મોહસિન ખાનની ઈજાના કારણે તેને તક મળી અને 6 વિકેટ લઈ પર્પલ કેપની રેસમાં સામેલ થયો છે. શાર્દુલ ઠાકુરે જણાવ્યું કે, અનશોલ્ડ રહ્યા બાદ કઈ રીતે તેની કિસ્મત ખુલી. ચાલો જાણીએ.

IPL 2025 Purple Cap : મેગા ઓક્શનમાં અનસોલ્ડ રહેનાર ખેલાડી પાસે છે પર્પલ કેપ, જુઓ ફોટો

ઈન્ડિયન પ્રીમિયર લીગની 18મી સીઝનની 7મી મેચ બાદ પર્પલ કેપ અને ઓરેન્જ કેપમાં ખુબ મોટો ફેરફાર જોવા મળ્યો હતો. હાલમાં શાર્દુલ ઠાકુર સૌથી વિકેટ લેવા મામલે નંબર વન પર પહોંચી ગયો છે. તો ચાલો જાણીએ ક્યા ક્યા ખેલાડીઓ પર્પલ કેપની રેસમાં છે.

IPL ઓક્શનમાં કોઈએ ના ખરીદ્યો, રણજીમાં સદી ફટકારી આપ્યો જડબાતોડ જવાબ

મુંબઈ અને જમ્મુ-કાશ્મીર વચ્ચે રમાઈ રહેલી આ રણજી ટ્રોફી મેચમાં જ્યાં આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં હજારો રન બનાવનારા બેટ્સમેનો ખરાબ રીતે નિષ્ફળ રહ્યા હતા, ત્યાં મુંબઈના અનુભવી ઓલરાઉન્ડરે નીચલા ક્રમમાં આવીને ધમાકેદાર સદી ફટકારી હતી. નવેમ્બર 2024માં IPL ઓક્શનમાં આ ખેલાડીને કોઈ ફ્રેન્ચાઈઝીએ ખરીદ્યો ન હતો. એવામાં આ ખેલાડીએ મુશ્કેલ સમયમાં સદી ફટકારી જડબાતોડ જવાબ આપ્યો હતો.

IND vs AUS : આ 6 ખેલાડીઓ ટીમ ઈન્ડિયામાંથી બહાર, હવે કેવી રીતે જીતશે ટીમ ઈન્ડિયા ગાબા ટેસ્ટ?

ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે ત્રીજી ટેસ્ટ 14 ડિસેમ્બરથી બ્રિસ્બેનના ગાબા મેદાન પર રમાશે. આ મેદાન ટીમ ઈન્ડિયા માટે ઐતિહાસિક છે કારણ કે છેલ્લા પ્રવાસમાં ભારતે આ મેદાન પર જીત મેળવીને ઓસ્ટ્રેલિયા સામેની ટેસ્ટ શ્રેણી 2-1થી જીતી હતી. જો કે, આ વખતે ટીમ ઈન્ડિયા માટે મુશ્કેલ હશે કારણ કે તે 6 ખેલાડીઓ ટીમની બહાર છે જેમણે ગાબામાં ભારતને ઐતિહાસિક જીત અપાવી હતી. આ તમામ ખેલાડીઓએ ભારતની જીતમાં મહત્વનું યોગદાન આપ્યું હતું, ચાલો તમને જણાવીએ કે તે ખેલાડીઓ કોણ છે.

શાર્દુલ ઠાકુરની જોરદાર ધુલાઈ, 4 ઓવરમાં 69 રન આપ્યા, બનાવ્યો શરમજનક રેકોર્ડ

સૈયદ મુશ્તાક અલી ટ્રોફી 2024: મુંબઈની ટીમને કેરળથી કારમી હારનો સામનો કરવો પડ્યો. ગ્રુપ-Eની મેચમાં મુંબઈને 43 રનથી હારનો સામનો કરવો પડ્યો હતો. આ મેચમાં શાર્દુલ ઠાકુરે સૌથી વધુ રન આપ્યા અને પરિણામે તેની ટીમ મેચ હારી ગઈ.

IPL 2025 Auction : ટીમ ઈન્ડિયાના 10 ખેલાડીઓ IPLમાંથી બહાર, આ છે કારણ

IPL 2025 ઓક્શનમાં જ્યાં એક તરફ રિષભ પંત, શ્રેયસ અય્યર, વેંકટેશ અય્યરને ઈન્ડિયન પ્રીમિયર લીગની હરાજીમાં 20 કરોડ રૂપિયાથી વધુની રકમ મળી, તો બીજી તરફ કેટલાક એવા સ્ટાર ખેલાડીઓ પણ હતા જેમને કોઈ ખરીદનાર ન મળ્યો. આશ્ચર્યજનક વાત એ છે કે આ બધા ટીમ ઈન્ડિયા તરફથી નેશનલ ટીમમાં રમી ચૂક્યા છે અને ક્રિકેટજગતના બહુચર્ચિત ખેલાડીઓ છે. અમે તમને ટીમ ઈન્ડિયાના એવા 10 ખેલાડીઓ વિશે જણાવીએ જે IPL ઓક્શનમાં વેચાયા ન હતા.

ગાબા ટેસ્ટ જીતાડનાર ખેલાડીને ટીમ ઈન્ડિયામાં કેમ સ્થાન ન મળ્યું? કોચ ગંભીરે જણાવ્યું કારણ

આ વખતે ઓસ્ટ્રેલિયા પ્રવાસ માટે પસંદ કરાયેલી ટીમ ઈન્ડિયામાં એવા ઘણા ખેલાડીઓ નથી, જેમણે 4 વર્ષ પહેલા ટીમ ઈન્ડિયાને જીત અપાવવામાં મહત્વની ભૂમિકા ભજવી હતી. જેમાં ચેતેશ્વર પુજારા અને અજિંક્ય રહાણેની ઘણી ચર્ચા થઈ હતી પરંતુ તેમના સિવાય શાર્દુલ ઠાકુર પણ છે જેને આ વખતે તક મળી નથી.

ફેમસ ભારતીય ક્રિકેટરની પત્ની કેક બનાવીને કમાય છે કરોડો રુપિયા, જાણો તેની નેટવર્થ

ભારતીય સ્ટાર ઓલરાઉન્ડરની પત્નીએ બિઝનેસની દુનિયામાં પોતાની એક અલગ જ ઓળખ બનાવી છે. તે કેક વેચીને કરોડો રુપિયા કમાય છે. આ સાથે તે સીએસનું પેપર પણ ક્લિયર કરી ચૂકી છે.

Irani Cup : બીમાર હોવા છતાં શાર્દુલ ઠાકુરે કરી મજબૂત બેટિંગ, બાદમાં મેદાનથી સીધો પહોંચ્યો હોસ્પિટલ

શાર્દુલ ઠાકુરને ઈરાની કપ મેદાનમાંથી લખનૌની હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યો હતો. આ તેના સ્વાસ્થ્યને ધ્યાનમાં રાખીને કરવામાં આવ્યું હતું. શાર્દુલે રેસ્ટ ઓફ ઈન્ડિયા સામે પ્રથમ દાવમાં મુંબઈ તરફથી 36 રન બનાવ્યા હતા. તેણે સરફરાઝ સાથે નવમી વિકેટ માટે મોટી ભાગીદારી પણ કરી હતી.

ઓસ્ટ્રેલિયા પ્રવાસમાં રવિ શાસ્ત્રી રોજ લડતા હતા! ટીમ ઈન્ડિયાના ખેલાડીનો ચોંકાવનારો ખુલાસો

ટીમ ઈન્ડિયાના ઓલરાઉન્ડર શાર્દુલ ઠાકુરે ઓસ્ટ્રેલિયાની ટીમ અને તેના બોર્ડ વિરુદ્ધ આવું નિવેદન આપ્યું છે જે ખૂબ જ ચોંકાવનારું છે. શાર્દુલે જણાવ્યું કે કેવી રીતે ઓસ્ટ્રેલિયા પ્રવાસ દરમિયાન ભારતીય ખેલાડીઓને હેરાન કરવામાં આવ્યા હતા. કેપ્ટન અજિંક્ય રહાણે અને રવિ શાસ્ત્રી ક્રિકેટ ઓસ્ટ્રેલિયા સાથે સતત પોતાના અધિકારો માટે લડતા હતા.

g clip-path="url(#clip0_868_265)">