Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

શાહબાઝ શરીફ

શાહબાઝ શરીફ

શાહબાઝ શરીફ પાકિસ્તાન મુસ્લિમ લીગ-નવાઝ (PML-N) ના પ્રમુખ છે. શાહબાઝ પાકિસ્તાનના પૂર્વ વડાપ્રધાન પણ રહી ચૂક્યા છે. તેઓ વ્યવસાયે બિઝનેસમેન છે. તેમની રાજકીય કારકિર્દીમાં, તેમણે ત્રણ વખત પાકિસ્તાનના પંજાબના મુખ્ય પ્રધાન તરીકે સેવા આપી હત. તેઓ પંજાબના સૌથી લાંબા સમય સુધી સેવા આપતા મુખ્ય પ્રધાન બન્યા હતા. શાહબાઝ 1988માં પંજાબની પ્રાંતીય એસેમ્બલી માટે અને 1990માં પાકિસ્તાનની નેશનલ એસેમ્બલી માટે ચૂંટાયા હતા.

1993માં શાહબાઝ શરીફ ફરીથી પંજાબ એસેમ્બલીમાં ચૂંટાયા અને વિપક્ષના નેતા બન્યા. ત્યારબાદ 20 ફેબ્રુઆરી 1997ના રોજ, તેઓ પ્રથમ વખત પાકિસ્તાનના સૌથી વધુ વસ્તી ધરાવતા પંજાબના મુખ્યમંત્રી તરીકે ચૂંટાયા. તેઓ 2007માં પાકિસ્તાન પરત ફર્યા અને 2008માં ફરી પંજાબના સીએમ બન્યા.

પનામા પેપર્સ કેસમાં તેમના ભાઈ નવાઝ શરીફને આ પદ સંભાળવા માટે અયોગ્ય જાહેર કરવામાં આવ્યા બાદ શાહબાઝનું નામ પાકિસ્તાન મુસ્લિમ લીગ-એનના પ્રમુખ તરીકે રાખવામાં આવ્યું હતું. 2018ની ચૂંટણી બાદ તેઓ વિપક્ષના નેતા બન્યા. 2022 ના પાકિસ્તાની રાજકીય સંકટ વચ્ચે, ઇમરાન ખાન વિરુદ્ધ અવિશ્વાસ પ્રસ્તાવ પછી નેશનલ એસેમ્બલી દ્વારા તેમને વડા પ્રધાન તરીકે ચૂંટવામાં આવ્યા હતા.

Read More

શું બાંગ્લાદેશ અને પાકિસ્તાન ફરી એક થશે ? મોહમ્મદ યુનુસ અને શાહબાઝ શરીફ વચ્ચે ગુપ્ત બેઠક

બાંગ્લાદેશમાં શેખ હસીના તખ્તાપલટ બાદ પાકિસ્તાનને ફાયદાનો રસ્તો દેખાઈ રહ્યો છે. કારણ કે, સંબંધોને વધુ મજબૂત કરવાના પ્રયાસમાં બાંગ્લાદેશનો ઝુકાવ પાકિસ્તાન તરફ જોવા મળી રહ્યો છે. બાંગ્લાદેશની વચગાળાની સરકારના મુખ્ય સલાહકાર મોહમ્મદ યુનુસે ઇજિપ્તમાં પાકિસ્તાનના વડાપ્રધાન શાહબાઝ શરીફ સાથે મુલાકાત કરી હતી.

પાકિસ્તાનમાં શહેબાઝ શરીફની સામે ઊભા રહીને એસ જયશંકરે કહ્યું- આતંકવાદ સાથે વેપાર શક્ય નથી, જાણો SCO સમિટનો અહેવાલ

વિદેશ મંત્રી એસ જયશંકરે પાકિસ્તાનમાં યોજાયેલ SCO સમિટના મંચ પરથી બે પાડોશી દુશ્મન દેશને સીધો સંદેશ આપ્યો. તેમણે પાકિસ્તાન અને પાકિસ્તાનના ગુરુ ચીનને રાજદ્વારી શૈલીમાં આકરા શબ્દોમાં ચાબખા માર્યા હતા. એસ જયશંકરે ચાલાકીપૂર્વક પાકિસ્તાનને તેની ભૂલો, ખોટી નીતિઓ અને ખોટા ઈરાદાનો અહેસાસ કરાવ્યો.

PAKમાં મુખ્યમંત્રી અચાનક થયા ગુમ, નથી મળ્યા કોઈ સબુત, ગૃહમંત્રીના દાવાથી રહસ્ય વધુ ઘેરાયું

પાકિસ્તાનના ખૈબર-પખ્તુનખ્વા રાજ્યના મુખ્યમંત્રી અલી અમીન ગાંડાપુર 5 ઓક્ટોબરથી ગુમ છે. આ સાથે જ ગૃહમંત્રીના દાવાથી મુખ્યમંત્રીના અચાનક ગુમ થવાનું રહસ્ય વધુ ઘેરાયું છે. તેમનું કહેવું છે કે તેઓ કોઈ કેન્દ્રીય એજન્સીની કસ્ટડીમાં નથી. પોલીસે શોધખોળ કરી... પરંતુ તે મળી શક્યા નહીં.

ગૃહ યુદ્ધની તૈયારી ! ઈમરાન ખાનને મુક્ત કરવા પાકિસ્તાનમાં વિરોધ પ્રદર્શન, શહેરોમાં સેના તૈનાત

પાકિસ્તાનમાં પૂર્વ વડાપ્રધાન ઈમરાન ખાનની મુક્તિ માટે વિરોધ પ્રદર્શન ચાલી રહ્યા છે. ખૈબર પખ્તુનખ્વાના મુખ્યમંત્રી અલી અમીન ગાંડાપુર આ પ્રદર્શનની કમાન્ડ કરી રહ્યા હતા, પરંતુ હવે વિરોધીઓએ દાવો કર્યો છે કે સીએમ ગંડાપુર ગુમ થઈ ગયા છે. આ પછી હવે વિરોધીઓએ નિર્ણય લીધો છે કે સીએમ ગંડાપુરના ગાયબ થયા પછી પણ વિરોધ ચાલુ રહેશે.

પાયમાલ પાકિસ્તાન, પગાર ચૂકવવાના પણ ફાંફાં, છ સરકારી વિભાગો બંધ કર્યા, દોઢ લાખ સરકારી જગ્યાઓ રદ કરી નાખી

ગંભીર આર્થિક કટોકટીમાં સપડાયેલા પાકિસ્તાનની હાલત બહુ જ ખરાબ થઈ છે. સરકારી કર્મચારીઓને પગાર ચૂકવવાના પણ ફાંફા પડી રહ્યાં છે. જેને લઈને પાકિસ્તાને છ સરકારી વિભાગોના પાટીયા પાડી દીધા છે. જ્યારે દોઢ લાખ સરકારી નોકરીઓ સમાપ્ત કરી દીધી છે.

સિંધુ જળ સંધિ શું છે ? ભારતે પાકિસ્તાનને નોટિસ મોકલીને કેમ કહ્યું સમિક્ષા કરો ?

ભારતે સિંધુ જળ સંધિ પર સમીક્ષા માટે, ગત 30 ઓગસ્ટે પાકિસ્તાનને નોટિસ મોકલી હતી, પરંતુ ત્યાંથી હજુ સુધી કોઈ જવાબ મળ્યો નથી. બંને દેશો વચ્ચે વહેતી નદીઓના પાણીની વહેંચણીને લઈને ઘણા વિવાદો થયા છે. પરંતુ ભારત હવે તેને સહન કરવા તૈયાર નથી. મોદી સરકારે પાકિસ્તાનને સમીક્ષા માટે નોટિસ મોકલી છે.

બાંગ્લાદેશ બાદ હવે પાકિસ્તાનમાં તખ્તાપલટની તૈયારી ! શાહબાઝ સરકાર પાસે છે 2 અઠવાડિયાનો સમય

પાકિસ્તાનના પૂર્વ વડાપ્રધાન ઈમરાન ખાનની જેલમાંથી મુક્તિ માટે પાકિસ્તાનમાં બાંગ્લાદેશ જેવી સ્થિતિ સર્જાઈ રહી છે. ઈમરાન ખાનની પાર્ટી PTIએ દેશભરમાં વિરોધ ઉગ્ર બનાવ્યો છે. બીજી તરફ સરકારે ઈસ્લામાબાદ અને રાવલપિંડીને સીલ કરી દીધા છે. ત્યારે વિરોધને જોતા લાગી રહ્યું છે કે, ક્યાંક બાંગ્લાદેશ જેવી પરિસ્થિતિ પણ પાકિસ્તાનમાં સર્જાઈ શકે છે.

Pakistan: ઈમરાન ખાનના સમર્થકો અને પોલીસ વચ્ચે હિંસક અથડામણ, અનેક ઘાયલ

ઈસ્લામાબાદના ડેપ્યુટી કમિશનરે તહરીક-એ-ઈન્સાફના આયોજકોને કોઈપણ સંજોગોમાં રેલી સમાપ્ત કરવા માટે કહ્યું હતું. જે બાદ સ્થિતિ વણસી અને પથ્થરમારો શરૂ થયો. જવાબી કાર્યવાહીમાં પોલીસે ગોળીબાર શરૂ કર્યો હતો. આ અથડામણમાં ઘણા પોલીસકર્મીઓ ગંભીર રીતે ઘાયલ થયા હતા.

શું પાકિસ્તાન જશે પીએમ મોદી ? શાહબાઝ શરિફે SCO બેઠક માટે મોકલ્યું આમંત્રણ

પાકિસ્તાનના ઈસ્લામાબાદમાં, આગામી 15-16 ઓક્ટોબરે શાંઘાઈ કો-ઓપરેશન ઓર્ગેનાઈઝેશન (SCO) બેઠકનું આયોજન થઈ રહ્યું છે. શાહબાઝ શરીફે વડાપ્રધાન મોદીને આ બેઠકમાં ભાગ લેવા માટે આમંત્રણ આપ્યું છે. આ શાંઘાઈ કો-ઓપરેશન ઓર્ગેનાઈઝેશન બેઠકનું આયોજન, તમામ સભ્ય દેશ વારાફરતી કરે છે. આ વખતે પાકિસ્તાનને શાંઘાઈ કો-ઓપરેશન ઓર્ગેનાઈઝેશન બેઠકના આયોજનની જવાબદારી મળી છે.

Pakistan News : પાકિસ્તાનની સંસદમાં બિલાડીઓ તૈનાત કરવામાં આવશે, સરકાર 12 લાખ રૂપિયા ખર્ચ કરશે

પાકિસ્તાનની સંસદ માટે શાહબાઝ સરકારે પાકિસ્તાનની સંસદમાં બિલાડીઓને તૈનાત કરવાનો આદેશ આપ્યો છે. આ માટે 1.2 મિલિયન રૂપિયા પણ ખર્ચવામાં આવશે. બિલાડીઓને ખાસ તાલીમ પણ આપવામાં આવશે. યોજના હેઠળ સંસદ સંકુલમાં કેટલીક ખાસ પ્રશિક્ષિત બિલાડીઓને રાખવામાં આવશે

પડોશી દેશ ભૂખમરાના આરે ! પાકિસ્તાનના શહેરી વિસ્તારમાં 2-2 નોકરી કરવા છતાં, લોકોને પડી રહ્યાં છે ખાવાના સાંસા

Economic condition of Pakistan : આર્થિક રીતે ધીમે ધીમે પાયમાલી તરફ ઘકેલાઈ રહેલા પાકિસ્તાનમાં લોકો જબરદસ્ત નાણાકીય સમસ્યાઓનો સામનો કરી રહ્યા છે. પાકિસ્તાનના શહેરી વિસ્તારના લોકોની સ્થિતિ તો એવી છે કે લોકોને તેમની જરૂરિયાતો પૂરી કરવા માટે બે-બે નોકરી કરવી પડે છે આમ છતા તેમની જરૂરીયાતો પૂર્ણ થતી નથી. આ ચોંકાવનારી માહિતી એક સર્વેમાં સામે આવી છે. આ સર્વે પાકિસ્તાનના 11 શહેરોમાં રહેતા લોકો પર કરવામાં આવ્યો હતો.

ઈમરાનખાને જેલમાં બેઠા બેઠા શાહબાઝ શરીફની સરકારને હચમચાવી નાખી

પાકિસ્તાનની શાહબાઝ સરકારને મોટો ઝટકો લાગ્યો છે. પાકિસ્તાનના ચૂંટણી પંચે પૂર્વ વડાપ્રધાન ઈમરાન ખાનની પાર્ટીના 39 વિજેતા સાંસદોને તેમની પાર્ટીના વિજેતા ઉમેદવારો તરીકે સ્વીકાર્યા છે.

પાકિસ્તાનમાં છ દિવસ માટે સોશિયલ મીડિયા રહેશે બંધ, જાણો શુ છે કારણ ?

ધર્મ અને સંસ્કૃતિને લઈને નફરત ફેલાવવા અને સાંપ્રદાયિક હિંસાથી બચવા માટે પાકિસ્તાન સરકારે એક મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે, જેમાં યુટ્યુબ, વોટ્સએપ, ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટિકટોક જેવા સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર 6 દિવસ માટે પ્રતિબંધ લાદવામાં આવશે.

Pakistan News: પાક. સરકારનો પર્દાફાશ! UNમાં ઈમરાન ખાનને મુક્ત કરવા કેમ કહ્યું?

સંયુક્ત રાષ્ટ્રના માનવાધિકાર કાર્યકારી જૂથે ઈમરાન ખાનની ધરપકડને કાયદાનું ઉલ્લંઘન ગણાવ્યું છે. યુએન ગ્રુપે કહ્યું કે ઈમરાનને પાકિસ્તાનમાં મનસ્વી રીતે નજરકેદ કરવામાં આવ્યો છે. આ સાથે તેણે ઇમરાનની મુક્તિ અંગે પણ વાત કરી હતી. જો કે આ મુદ્દે પાકિસ્તાન સરકાર તરફથી હજુ સુધી કોઈ સ્પષ્ટતા આવી નથી.

બસ છેલ્લી વાર…હવે નહીં માંગીએ, પાકિસ્તાન ફરી પહોંચ્યું ભીખ માંગવા

પાકિસ્તાનની સરકાર તેની ધીમી અર્થવ્યવસ્થાને વેગ આપવા માટે IMF પાસેથી બીજું બેલઆઉટ પેકેજ લેવા માટે વાતચીત કરી રહ્યું છે. આ પેકેજ 6 થી 8 અબજ ડોલરનું હોઈ શકે છે. તાજેતરના પાકિસ્તાની બજેટમાં પણ પાકિસ્તાને IMFની શરતો અનુસાર નીતિઓ બનાવવાનો પ્રયાસ કર્યો હતો.

g clip-path="url(#clip0_868_265)">