શાહબાઝ શરીફ
શાહબાઝ શરીફ પાકિસ્તાન મુસ્લિમ લીગ-નવાઝ (PML-N) ના પ્રમુખ છે. શાહબાઝ પાકિસ્તાનના પૂર્વ વડાપ્રધાન પણ રહી ચૂક્યા છે. તેઓ વ્યવસાયે બિઝનેસમેન છે. તેમની રાજકીય કારકિર્દીમાં, તેમણે ત્રણ વખત પાકિસ્તાનના પંજાબના મુખ્ય પ્રધાન તરીકે સેવા આપી હત. તેઓ પંજાબના સૌથી લાંબા સમય સુધી સેવા આપતા મુખ્ય પ્રધાન બન્યા હતા. શાહબાઝ 1988માં પંજાબની પ્રાંતીય એસેમ્બલી માટે અને 1990માં પાકિસ્તાનની નેશનલ એસેમ્બલી માટે ચૂંટાયા હતા.
1993માં શાહબાઝ શરીફ ફરીથી પંજાબ એસેમ્બલીમાં ચૂંટાયા અને વિપક્ષના નેતા બન્યા. ત્યારબાદ 20 ફેબ્રુઆરી 1997ના રોજ, તેઓ પ્રથમ વખત પાકિસ્તાનના સૌથી વધુ વસ્તી ધરાવતા પંજાબના મુખ્યમંત્રી તરીકે ચૂંટાયા. તેઓ 2007માં પાકિસ્તાન પરત ફર્યા અને 2008માં ફરી પંજાબના સીએમ બન્યા.
પનામા પેપર્સ કેસમાં તેમના ભાઈ નવાઝ શરીફને આ પદ સંભાળવા માટે અયોગ્ય જાહેર કરવામાં આવ્યા બાદ શાહબાઝનું નામ પાકિસ્તાન મુસ્લિમ લીગ-એનના પ્રમુખ તરીકે રાખવામાં આવ્યું હતું. 2018ની ચૂંટણી બાદ તેઓ વિપક્ષના નેતા બન્યા. 2022 ના પાકિસ્તાની રાજકીય સંકટ વચ્ચે, ઇમરાન ખાન વિરુદ્ધ અવિશ્વાસ પ્રસ્તાવ પછી નેશનલ એસેમ્બલી દ્વારા તેમને વડા પ્રધાન તરીકે ચૂંટવામાં આવ્યા હતા.
પાકિસ્તાનમાં શાહબાઝની સરકાર નહીં શરિયા કાયદો… ઇસ્લામાબાદ હાઇકોર્ટે આપ્યો મોટો ચુકાદો
ઇસ્લામાબાદ હાઇકોર્ટે 15 વર્ષની છોકરીને તેના પતિ સાથે રહેવાની મંજૂરી આપી છે. જસ્ટિસ મુહમ્મદ આઝમ ખાને પોતાનો 24 પાનાનો ચુકાદો આપ્યો છે. આ ચુકાદામાં કહેવામાં આવ્યું છે કે શરિયા કાયદો સગીરના લગ્નને અમાન્ય માનતો નથી, પરંતુ કાયદા હેઠળ તે ગુનો છે.
- Sagar Solanki
- Updated on: Oct 1, 2025
- 3:27 pm
કોણ છે ‘પેટલ ગેહલોત’, જેણે પાકિસ્તાનની બોલતી બંધ કરી? એક જવાબથી જ શાહબાઝ શરીફ ફફડી ગયો
ઈન્ડિયન ડિપ્લોમેટ 'પેટલ ગેહલોત' તાજેતરમાં એક ચર્ચાનો વિષય બની છે. પેટલ ગેહલોતે સંયુક્ત રાષ્ટ્ર મહાસભા (UNGA) માં પાકિસ્તાનના વડાપ્રધાન શાહબાઝ શરીફને એક એવો જવાબ આપ્યો કે, જેણે બધાનું ધ્યાન તેની તરફ ખેંચી લીધું.
- Ravi Prajapati
- Updated on: Sep 27, 2025
- 2:29 pm
પાકિસ્તાનના PM મુસ્લિમ નેતાઓ સાથે ટ્રમ્પને મળશે, ન્યૂયોર્ક મુલાકાતનો એજન્ડા શું ?
પાકિસ્તાનના વડાપ્રધાન શાહબાઝ શરીફ સંયુક્ત રાષ્ટ્ર મહાસભાના સત્ર દરમિયાન મુસ્લિમ નેતાઓ સાથે અમેરિકી રાષ્ટ્રપતિ ટ્રમ્પને મળશે. તેઓ ગાઝા કટોકટી, પેલેસ્ટાઇન, ઇસ્લામોફોબિયા અને પ્રાદેશિક સુરક્ષા જેવા મુદ્દાઓ પર ચર્ચા કરશે. સાઉદી અરેબિયા સાથે તાજેતરના સંરક્ષણ કરારથી પાકિસ્તાનની વ્યૂહાત્મક સ્થિતિ મજબૂત થઈ છે.
- Sagar Solanki
- Updated on: Sep 21, 2025
- 10:03 pm
પાકિસ્તાનના PMને કાનમાં ઇયરફોન લગાવતા પડી ગયા ફાંફા, માગી મદદ, પુતિન ખડખડાટ હસ્યા, જુઓ Video
શાંઘાઈ કોઓપરેશન ઓર્ગેનાઇઝેશન (SCO) સમિટ દરમિયાન પાકિસ્તાન અને રશિયા વચ્ચે દ્વિપક્ષીય વાટાઘાટો થઈ હતી. વ્લાદિમીર પુતિન સાથેની મુલાકાત શરૂ થાય તે પહેલાં, પાકિસ્તાનના પીએમ શરીફને શરમજનક પરિસ્થિતિનો સામનો કરવો પડ્યો. તેમને હેડસેટ કેવી રીતે લગાવવો તે ખબર નહોતી, તેથી તેમને થોડા સમય માટે મુશ્કેલી પડી. આ ઘટનાનો વીડિયો વાયરલ થયો છે.
- Tanvi Soni
- Updated on: Sep 3, 2025
- 2:09 pm
શું મુનીર શાહબાઝને હટાવીને તખ્તાપલટ કરશે? પાકિસ્તાની મીડિયાએ વ્યક્ત કરી ચિંતા
પાકિસ્તાનમાં તખ્તાપલટની અફવાએ ઝોર પકડ્યુ છે. એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે મુનીર શાહબાઝને હટાવી ખુદ રાષ્ટ્રપતિ પદ સંભાળી શકે છે. સેનાએ તેનો ઇનકાર કર્યો છે પરંતુ અફવાઓ ચાલુ છે.
- Mina Pandya
- Updated on: Aug 19, 2025
- 9:00 pm
પાક વડાપ્રધાનની વિદેશમાં કબૂલાત,’અમે હુમલો કરી તે પહેલા ભારત હુમલો કરીએ ગયું,વળતો હુમલો કરવા જેવી સ્થિતિ પણ ન રહી’
પાકિસ્તાનના વડા પ્રધાન શાહબાઝ શરીફે બુધવારે અઝરબૈજાનના સ્વતંત્રતા દિવસ નિમિત્તે ઘણી મહત્વપૂર્ણ વાતો કહી. આ દરમિયાન તેમણે ભારત સાથે પાકિસ્તાનના સંઘર્ષ પર પણ નવા ખુલાસા કર્યા.
- Dhinal Chavda
- Updated on: May 29, 2025
- 4:41 pm
પાકિસ્તાનના જૂઠાણાંનો પર્દાફાશ, હુમલાના સાત દિવસ બાદ શાહબાઝે સ્વીકાર્યું – જુઓ Video
પાકિસ્તાની સરકાર અને સેનાએ ભારતના હુમલાથી કોઈ વિશેષ નુકસાન થયું ન હોવાનો દાવો કર્યો હતો પણ હવે હુમલાના સાત દિવસ બાદ પાકિસ્તાનના વડાપ્રધાન શહબાજ શરીફે સ્વીકાર્યું છે કે, ભારતના મિસાઇલ હુમલાઓમાં પાકિસ્તાનને ગંભીર નુકસાન થયું છે.
- TV9 Gujarati
- Updated on: May 18, 2025
- 4:09 pm
હું સ્વિમિંગ પુલમાં હતો.. મુનીરનો ફોન આવ્યો, ભારત સાથે યુદ્ધવિરામ પર જૂઠાણું ઓકી રહ્યા હતા શાહબાઝ, પાકિસ્તાનીઓએ જ કર્યો પર્દાફાશ, જુઓ Video
પાકિસ્તાનના વડા પ્રધાન શાહબાઝ શરીફે કહ્યું છે કે આર્મી ચીફ અસીમ મુનીરે તેમને ભારત સાથેના તણાવ અને હુમલા વિશે માહિતી આપી હતી. શાહબાઝ શરીફે કહ્યું કે ભારતે યુદ્ધવિરામનો પ્રસ્તાવ મૂક્યો હતો. જોકે આઅ વાત પર પાકિસ્તાનીઓએ જ શાહબાઝને ઉંધા મોઢે પટક્યા હતા જે આ વીડિયોમાં સ્પષ્ટ જણાઈ રહ્યું છે.
- Sagar Solanki
- Updated on: May 17, 2025
- 6:49 pm
Pakistan Politics : 5 નિર્ણય, 3 મોટા સંકેત… શાહબાઝ-મુનીરને પાકિસ્તાનમાંથી હાંકી કાઢવા માટે ઇમરાન ખાનની મોટી તૈયારી !
પાકિસ્તાનના ભૂતપૂર્વ વડા પ્રધાન અને પીટીઆઈના સ્થાપક ઈમરાન ખાને આખરે સરકાર સાથે વાતચીત માટે લીલી ઝંડી આપી દીધી છે. આ નિર્ણય એવા સમયે આવ્યો છે જ્યારે વડા પ્રધાન શાહબાઝ શરીફે તાજેતરમાં રાષ્ટ્રીય સભામાં ઉભા થઈને તમામ રાજકીય પક્ષોને વાતચીત માટે હાકલ કરી હતી.
- Sagar Solanki
- Updated on: May 15, 2025
- 4:36 pm
Breaking News : પાકિસ્તાનમાં તખ્તા પલટ નક્કી, આ રહ્યા પુરાવા, મૌલાના મુનિરે શરુ કરી તૈયારી
ભારતના ઓપરેશન સિંદૂર બાદ પાકિસ્તાને કરાવેલા સીઝ ફાયરને લઈને પાકિસ્તાનમાં સરકાર અને આર્મી સામસામે આવી ગઈ છે. પાકિસ્તાનમાં આર્મીનો હાથ સરકાર કરતા હંમેશા ઉપર રહ્યો છે. એવા સંજોગોમાં સીઝ ફાયરે મતભેદ અને મનભેદમાં વધુ મોટી તિરાડ પાડી છે. પાકિસ્તાનમાં શાહબાઝ શરીફની સરકારને ઘર ભેગી કરીને આર્મી સત્તા મેળવી લે તેવી સ્થિતિ સર્જાઈ છે.
- TV9 Gujarati
- Updated on: May 12, 2025
- 10:28 pm
India Pakistan War : ભીખમંગા પાકિસ્તાનના ‘PM’ પર લાગેલ છે ‘આરોપ’, જાણીને ચોંકી જશો
પાકિસ્તાનના વડા પ્રધાન શાહબાઝ શરીફ અબજો રૂપિયાની સંપત્તિના માલિક છે. તેમની પાસે લંડનમાં કરોડોની મિલકત, ખેતીલાયક જમીન, ઉદ્યોગોમાં રોકાણ અને બેંક હોલ્ડિંગ્સ છે. જો કે, ઘણાં ઓછા લોકોને ખબર છે કે તેમની સામે મની લોન્ડરિંગના પણ આરોપો લાગેલા છે.
- Ravi Prajapati
- Updated on: May 10, 2025
- 5:03 pm
કંગાળ પાકિસ્તાનને ભીખ માંગવાનું વ્યસન! IMF પાસેથી 24 વાર ભીખ માગીને લીધી લોન, છતાં પણ તેની હાલત નથી બદલાઈ
IMF Loans: પાકિસ્તાન ભીખ માંગવાનું વ્યસની બની ગયું છે. આ ફક્ત આ રીતે કહેવામાં આવી રહ્યું નથી. રિપોર્ટ અનુસાર પાકિસ્તાને 24 વખત IMF પાસેથી લોન લીધી છે. તે પછી પણ પાકિસ્તાનની આર્થિક સ્થિતિમાં કોઈ ફેરફાર થયો નહીં. ખાસ વાત એ છે કે આગામી દિવસોમાં આમાં કોઈ ફેરફાર થવાની શક્યતા નથી.
- Meera Kansagara
- Updated on: May 10, 2025
- 3:17 pm
India Pakistan War: ભીખારી પાકિસ્તાને યુદ્ધ શરુ થતા વિશ્વ બેંક પાસે માગી ભીખ, લોન આપવા માટે કરગર્યુ
India Pakistan War: પાકિસ્તાનની હાલત એટલી ખરાબ છે કે તે હવે વિશ્વ બેંક સહિત આંતરરાષ્ટ્રીય ભાગીદારો પાસેથી લોન માટે અપીલ કરી રહ્યું છે. પાકિસ્તાન સરકારના આર્થિક સલાહકાર વિભાગ દ્વારા X પર એક પોસ્ટ કરવામાં આવી છે. પાકિસ્તાન કહે છે કે યુદ્ધ વધી રહ્યું છે અને શેરબજારમાં ઘટાડો થઈ રહ્યો છે, અમે આંતરરાષ્ટ્રીય સમુદાયને અમારી મદદ કરવા વિનંતી કરીએ છીએ.
- Dhinal Chavda
- Updated on: May 9, 2025
- 11:08 am
‘ઓપરેશન સિંદૂર’ના એક જ ઘા એ ધ્રૂજ્યું પાકિસ્તાનનું રાજકીય તંત્ર ! જુઓ શું કહ્યું પાકિસ્તાની વડાપ્રધાને
ઓપરેશન સિંદૂર હેઠળ ભારતીય વાયુસેના દ્વારા પાકિસ્તાન અને પીઓકેમાં આતંકવાદી ઠેકાણાઓ પર કરવામાં આવેલા હુમલા બાદ પાકિસ્તાન વેરવિખેર થઈ ગયું છે. ભારતના આ જડબાતોડ હુમલાથી પાકિસ્તાનમાં ડરનો માહોલ સર્જાયો છે.
- Ravi Prajapati
- Updated on: May 7, 2025
- 6:48 pm
ભારતે દારુગોળા વગર જ બનાવી રણનીતિ, આ 9 સ્ટ્રાઈકથી પાકિસ્તાનમાં તબાહી, શાહબાઝ અને ટેરર ફેક્ટરી ટેન્શનમાં
પહેલગામ હુમલા પછી ભારતે પાકિસ્તાન સામે 9 એવી કાર્યવાહી કરી છે. જેના કારણે તે વિનાશની અણી પર પહોંચી ગયું છે. યુદ્ધ વિના પણ આ પગલાં પાકિસ્તાનને ગંભીર નુકસાન પહોંચાડી રહ્યા છે. ભારતની આ રણનીતિ પાકિસ્તાન માટે ખૂબ જ પડકારજનક સાબિત થઈ રહી છે. ભારત વિરુદ્ધ ઝેર ઓકનારાઓને હવે ભાન આવી ગયું છે.
- Meera Kansagara
- Updated on: May 3, 2025
- 8:01 am