શાહબાઝ શરીફ
શાહબાઝ શરીફ પાકિસ્તાન મુસ્લિમ લીગ-નવાઝ (PML-N) ના પ્રમુખ છે. શાહબાઝ પાકિસ્તાનના પૂર્વ વડાપ્રધાન પણ રહી ચૂક્યા છે. તેઓ વ્યવસાયે બિઝનેસમેન છે. તેમની રાજકીય કારકિર્દીમાં, તેમણે ત્રણ વખત પાકિસ્તાનના પંજાબના મુખ્ય પ્રધાન તરીકે સેવા આપી હત. તેઓ પંજાબના સૌથી લાંબા સમય સુધી સેવા આપતા મુખ્ય પ્રધાન બન્યા હતા. શાહબાઝ 1988માં પંજાબની પ્રાંતીય એસેમ્બલી માટે અને 1990માં પાકિસ્તાનની નેશનલ એસેમ્બલી માટે ચૂંટાયા હતા.
1993માં શાહબાઝ શરીફ ફરીથી પંજાબ એસેમ્બલીમાં ચૂંટાયા અને વિપક્ષના નેતા બન્યા. ત્યારબાદ 20 ફેબ્રુઆરી 1997ના રોજ, તેઓ પ્રથમ વખત પાકિસ્તાનના સૌથી વધુ વસ્તી ધરાવતા પંજાબના મુખ્યમંત્રી તરીકે ચૂંટાયા. તેઓ 2007માં પાકિસ્તાન પરત ફર્યા અને 2008માં ફરી પંજાબના સીએમ બન્યા.
પનામા પેપર્સ કેસમાં તેમના ભાઈ નવાઝ શરીફને આ પદ સંભાળવા માટે અયોગ્ય જાહેર કરવામાં આવ્યા બાદ શાહબાઝનું નામ પાકિસ્તાન મુસ્લિમ લીગ-એનના પ્રમુખ તરીકે રાખવામાં આવ્યું હતું. 2018ની ચૂંટણી બાદ તેઓ વિપક્ષના નેતા બન્યા. 2022 ના પાકિસ્તાની રાજકીય સંકટ વચ્ચે, ઇમરાન ખાન વિરુદ્ધ અવિશ્વાસ પ્રસ્તાવ પછી નેશનલ એસેમ્બલી દ્વારા તેમને વડા પ્રધાન તરીકે ચૂંટવામાં આવ્યા હતા.
Read Moreભારતે પરમાણુ શસ્ત્રો તહેનાત કર્યાના અહેવાલથી પાકિસ્તાનમાં શાહબાઝ સરકાર-મુનીરની સેના ભયભીત
સ્ટોકહોમ ઇન્ટરનેશનલ પીસ રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટે (SIPRI), વિશ્વના વિવિધ દેશ પાસે રહેલા અણુબોંબ અંગેનો અહેવાલ જાહેર કર્યો છે. આ અહેવાલમાં ભારતનો એક એવો ચોંકાવનારો રિપોર્ટ છે કે, ન્યુક્લિયર બોંબની ધમકી આપતુ પાકિસ્તાન રીતસરનું ડરી ગયું છે.
- TV9 Gujarati
- Updated on: Jun 12, 2026
- 3:30 pm
ટ્રમ્પના ખોળામાં બેસ્યો ‘પાકિસ્તાની PM’ ! બેસતાની સાથે જ જોર-જોરથી…., વિશ્વાસ ના આવતો હોય તો જુઓ Video
હાલમાં એક એવો વીડિયો વાયરલ થયો છે કે, જે પાકિસ્તાનની આબરૂના લીરેલીરા ઉડાવી રહ્યો છે. સામાન્ય રીતે બાળકો મમ્મીના ખોળામાં બેસીને લાડ કરતા હોય છે પરંતુ આ વીડિયોમાં પાકિસ્તાનના વડાપ્રધાન શાહબાઝ શરીફ દુનિયાની પરવા કર્યા વગર સીધા અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પના ખોળામાં જઈને બેસી ગયા છે.
- Ravi Prajapati
- Updated on: Apr 10, 2026
- 3:24 pm
Breaking news: ઈરાન યુદ્ધ બંધ, અમેરિકા 2 અઠવાડિયાના યુદ્ધવિરામ માટે તૈયાર, ટ્રમ્પે સમયમર્યાદાના 2 કલાક પહેલા જાહેરાત કરી
રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ઈરાન સાથે બે અઠવાડિયાના યુદ્ધવિરામની જાહેરાત કરી છે, જે સમગ્ર સંસ્કૃતિનો નાશ કરવાની તેમની રાત્રે 8 વાગ્યાની સમયમર્યાદાના થોડા કલાકો પહેલા જ છે. Truth Social પર જાહેર કરાયેલ આ યુદ્ધવિરામ પાકિસ્તાનના વડા પ્રધાન શાહબાઝ શરીફની વિનંતીને અનુસરીને કરવામાં આવ્યો છે.
- Meera Kansagara
- Updated on: Apr 8, 2026
- 7:25 am
યુદ્ધ ઈરાન, ઈઝરાયેલ-અમેરિકા વચ્ચે પરંતુ પ્રતિબંધો પાકિસ્તાનમાં, મોલ-બજાર 8 વાગે બંધ, લગ્ન સમારોહ રાત્રે 10 સુધી જ
પાકિસ્તાનની સરકારે ઈંધણ-ગેસના સંકટને પહોંચી વળવા માટે મોટા નિર્ણયો લીધા છે. વડા પ્રધાન શાહબાઝ શરીફના નિર્દેશો પર આખા પાકિસ્તાનમાં બજારો, મોલ અને દુકાનો આગામી 7 એપ્રિલથી રાત્રે 8 વાગ્યે બંધ કરવા પડશે. હોટલો અને લગ્ન સમારોહ પણ રાત્રે 10 વાગ્યા સુધીમાં આટોપી લેવા પડશે.
- TV9 Gujarati
- Updated on: Apr 7, 2026
- 1:40 pm
Breaking News: ઘરના ઠેકાણા નથી અને દુનિયા સામે પંચાત કરવા નીકળ્યા ! ઈરાને મધ્યસ્થી કરવા ગયેલા શરીફની હવા કાઢી નાખી
ઘરના ઠેકાણા ન હોય અને દુનિયાની પંચાત કરવા નીકળવું કેટલું ભારે પડી શકે, તેનું ઉત્તમ ઉદાહરણ અત્યારે પાકિસ્તાને પૂરું પાડ્યું છે. વાત એમ છે કે, ઇઝરાયેલ, ઈરાન અને અમેરિકા વચ્ચે ચાલી રહેલા ભારે તણાવની વચ્ચે મધ્યસ્થી કરવા નીકળેલા પાકિસ્તાનને ઈરાને આંતરરાષ્ટ્રીય સ્તરે મોટો આંચકો આપ્યો છે.
- Ravi Prajapati
- Updated on: Mar 25, 2026
- 5:53 pm
પાકિસ્તાન માટે નહીં, પોતાના રાજકીય હિત માટે યુદ્ધ લડે છેઃ શાહબાઝ શરીફ-અસીમ મુનિરને સંસદમાં સંભળાવતા સંરક્ષણ પ્રધાન ખ્વાજા આસિફ
ઈસ્લામાબાદમાં ગત શુક્રવારે એક મસ્જિદમાં નમાજ દરમિયાન થયેલા આત્મઘાતી આતંકવાદી હુમલા બાદ, પાકિસ્તાનમાં રાજકીય વિભાજન સર્જાયું છે. જેમાં સરકાર અને વિપક્ષ વચ્ચે સૈન્યની ભૂમિકા અંગે તીવ્ર મતભેદ ઉભરી આવ્યા છે. જો કે, સંરક્ષણ પ્રધાન ખ્વાજા આસિફે ગઈકાલ બુધવારે સંસદમાં જણાવ્યું હતું કે, યુદ્ધો દેશ માટે નહીં, પરંતુ રાજકીય હિતો માટે લડવામાં આવે છે.
- TV9 Gujarati
- Updated on: Feb 12, 2026
- 2:28 pm
પાકિસ્તાનમાં શાહબાઝની સરકાર નહીં શરિયા કાયદો… ઇસ્લામાબાદ હાઇકોર્ટે આપ્યો મોટો ચુકાદો
ઇસ્લામાબાદ હાઇકોર્ટે 15 વર્ષની છોકરીને તેના પતિ સાથે રહેવાની મંજૂરી આપી છે. જસ્ટિસ મુહમ્મદ આઝમ ખાને પોતાનો 24 પાનાનો ચુકાદો આપ્યો છે. આ ચુકાદામાં કહેવામાં આવ્યું છે કે શરિયા કાયદો સગીરના લગ્નને અમાન્ય માનતો નથી, પરંતુ કાયદા હેઠળ તે ગુનો છે.
- Sagar Solanki
- Updated on: Oct 1, 2025
- 3:27 pm
કોણ છે ‘પેટલ ગેહલોત’, જેણે પાકિસ્તાનની બોલતી બંધ કરી? એક જવાબથી જ શાહબાઝ શરીફ ફફડી ગયો
ઈન્ડિયન ડિપ્લોમેટ 'પેટલ ગેહલોત' તાજેતરમાં એક ચર્ચાનો વિષય બની છે. પેટલ ગેહલોતે સંયુક્ત રાષ્ટ્ર મહાસભા (UNGA) માં પાકિસ્તાનના વડાપ્રધાન શાહબાઝ શરીફને એક એવો જવાબ આપ્યો કે, જેણે બધાનું ધ્યાન તેની તરફ ખેંચી લીધું.
- Ravi Prajapati
- Updated on: Sep 27, 2025
- 2:29 pm
પાકિસ્તાનના PM મુસ્લિમ નેતાઓ સાથે ટ્રમ્પને મળશે, ન્યૂયોર્ક મુલાકાતનો એજન્ડા શું ?
પાકિસ્તાનના વડાપ્રધાન શાહબાઝ શરીફ સંયુક્ત રાષ્ટ્ર મહાસભાના સત્ર દરમિયાન મુસ્લિમ નેતાઓ સાથે અમેરિકી રાષ્ટ્રપતિ ટ્રમ્પને મળશે. તેઓ ગાઝા કટોકટી, પેલેસ્ટાઇન, ઇસ્લામોફોબિયા અને પ્રાદેશિક સુરક્ષા જેવા મુદ્દાઓ પર ચર્ચા કરશે. સાઉદી અરેબિયા સાથે તાજેતરના સંરક્ષણ કરારથી પાકિસ્તાનની વ્યૂહાત્મક સ્થિતિ મજબૂત થઈ છે.
- Sagar Solanki
- Updated on: Sep 21, 2025
- 10:03 pm