શાહબાઝ શરીફ

શાહબાઝ શરીફ

શાહબાઝ શરીફ પાકિસ્તાન મુસ્લિમ લીગ-નવાઝ (PML-N) ના પ્રમુખ છે. શાહબાઝ પાકિસ્તાનના પૂર્વ વડાપ્રધાન પણ રહી ચૂક્યા છે. તેઓ વ્યવસાયે બિઝનેસમેન છે. તેમની રાજકીય કારકિર્દીમાં, તેમણે ત્રણ વખત પાકિસ્તાનના પંજાબના મુખ્ય પ્રધાન તરીકે સેવા આપી હત. તેઓ પંજાબના સૌથી લાંબા સમય સુધી સેવા આપતા મુખ્ય પ્રધાન બન્યા હતા. શાહબાઝ 1988માં પંજાબની પ્રાંતીય એસેમ્બલી માટે અને 1990માં પાકિસ્તાનની નેશનલ એસેમ્બલી માટે ચૂંટાયા હતા.

1993માં શાહબાઝ શરીફ ફરીથી પંજાબ એસેમ્બલીમાં ચૂંટાયા અને વિપક્ષના નેતા બન્યા. ત્યારબાદ 20 ફેબ્રુઆરી 1997ના રોજ, તેઓ પ્રથમ વખત પાકિસ્તાનના સૌથી વધુ વસ્તી ધરાવતા પંજાબના મુખ્યમંત્રી તરીકે ચૂંટાયા. તેઓ 2007માં પાકિસ્તાન પરત ફર્યા અને 2008માં ફરી પંજાબના સીએમ બન્યા.

પનામા પેપર્સ કેસમાં તેમના ભાઈ નવાઝ શરીફને આ પદ સંભાળવા માટે અયોગ્ય જાહેર કરવામાં આવ્યા બાદ શાહબાઝનું નામ પાકિસ્તાન મુસ્લિમ લીગ-એનના પ્રમુખ તરીકે રાખવામાં આવ્યું હતું. 2018ની ચૂંટણી બાદ તેઓ વિપક્ષના નેતા બન્યા. 2022 ના પાકિસ્તાની રાજકીય સંકટ વચ્ચે, ઇમરાન ખાન વિરુદ્ધ અવિશ્વાસ પ્રસ્તાવ પછી નેશનલ એસેમ્બલી દ્વારા તેમને વડા પ્રધાન તરીકે ચૂંટવામાં આવ્યા હતા.

Read More

કાશ્મીર મુદ્દે ચાલાકી કરવા ગયુ પાકિસ્તાન, પરંતુ ઈરાને આખો દાવ ઊંધો કરી નાખ્યો, જાણો

પાકિસ્તાનના વડાપ્રધાન શાહબાઝ શરીફે કાશ્મીરનો મુદ્દો ઉખાળવા માટ, તેની ગાઝા સાથે સરખામણી કરી હતી અને કહ્યું હતું કે કાશ્મીરમાં પણ ભારતીયોના અત્યાચારોને કારણે મુસ્લિમોનું લોહી વહી રહ્યું છે. શાહબાઝ શરીફે વિશ્વના મુસ્લિમોમાં એકતાની અપીલ કરી હતી. પરંતુ પાકિસ્તાનની ચાલાકી સમજી ચૂકેલા ઈરાને આખો દાવ જ ઉંધો કરી નાખ્યો.

પૈસા બચાવવા કંગાળ પાકિસ્તાનની નવી યુક્તિ, હવે ‘રેડ કાર્પેટ’ના ઉપયોગ પર લગાવ્યો પ્રતિબંધ

વડાપ્રધાન શાહબાઝ શરીફે સરકારી કાર્યોમાં પ્રધાનો અને વરિષ્ઠ અધિકારીઓની મુલાકાત દરમિયાન રેડ કાર્પેટના ઉપયોગ પર નારાજગી વ્યક્ત કરી હતી. કેબિનેટ અફેર્સ ડિવિઝનના જણાવ્યા અનુસાર વડાપ્રધાનની સૂચના બાદ રેડ કાર્પેટના ઉપયોગ પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે.

Pakistan : શું શાહબાઝ સરકાર પડી જશે ? ઈમરાન ખાનના આ પગલાથી પાકિસ્તાનમાં રાજકીય ખળભળાટ

પાકિસ્તાન તહરીક-એ-ઈન્સાફના વડા અને પૂર્વ વડાપ્રધાન ઈમરાન ખાન પાકિસ્તાનમાં સરકારના પતનને લઈને ઘણા કોન્ફિડન્ટ દેખાઈ રહ્યા છે. આ સિવાય તેમણે જેલમાંથી છૂટવાની વાત પણ કરી છે. તાજેતરમાં જ ઈમરાન ખાને કહ્યું હતું કે પાકિસ્તાનની વર્તમાન સરકાર ચાર-પાંચ મહિનાથી વધુ સત્તામાં નહીં રહે.

પાકિસ્તાનમાં રાષ્ટ્રપતિની ચૂંટણી, ઇમરાન સમર્થીત ઉમેદવારોએ ચૂંટણી રદ કરવાની કરી માગ

પાકિસ્તાનમાં નેશનલ એસેમ્બલીની ચૂંટણી પૂર્ણ થયા બાદ અને શાહબાઝ શરીફ ફરીથી વડાપ્રધાન બન્યા બાદ નવા રાષ્ટ્રપતિ માટે આજે ચૂંટણી યોજાવાની છે. પરંતુ ઈમરાન ખાન દ્વારા સમર્થિત ઉમેદવારે આ ચૂંટણી મોકૂફ રાખવાની માંગ કરી છે. એ અલગ વાત છે કે હજુ સુધી તેમની માંગણીઓ પર વિચાર કરવામાં આવ્યો નથી.

ગરીબ-દેવામાં ડૂબેલા દેશના વડાપ્રધાન છે અબજોપતિ, એશિયાના ઘનાઢ્યોમાં થાય છે સમાવેશ, 60 વર્ષે કર્યા છે પાંચમા લગ્ન

ભારતના પડોશી દેશના વડાપ્રધાનનો અશિયાના મોખરાના ધનાઢ્યોમાં સમાવેશ થાય છે. તેમનો દેશ ગરીબ અને દેવામાં ડૂબેલો છે પરંતુ વડાપ્રધાન પાસે અબજોની સંપતિ છે. તેમના જીવનમાં પણ અનેક ચડાઉ ઉતાર આવ્યા છે. 60 વર્ષની ઉમરે તેમણે પાંચમાં લગ્ન કર્યા છે. તેમણે તેમની ત્રણ પત્નિને તલ્લાક આપી દીધા છે. મીડિયા રિપોર્ટ અનુસાર તેમની સાથે બે પત્નિ આજે પણ રહે છે.

Pakistan : PM બનતાની સાથે જ શાહબાઝ શરીફે કાશ્મીરનો મુદ્દો ઉઠાવ્યો, કહ્યું- કાશ્મીર-પેલેસ્ટાઈનની આઝાદી માટે પ્રસ્તાવ લાવીશ

પાકિસ્તાનના વડાપ્રધાન બન્યા બાદ શાહબાઝ શરીફે પોતાના પહેલા સંબોધનમાં કાશ્મીરનો મુદ્દો ઉઠાવ્યો હતો અને તેની સરખામણી પેલેસ્ટાઈન સાથે કરી હતી અને કહ્યું કે ચાલો આપણે બધા સાથે મળીને નેશનલ એસેમ્બલીએ કાશ્મીરીઓ અને પેલેસ્ટાઈનીઓની આઝાદી માટે ઠરાવ પસાર કરવો જોઈએ.

શાહબાઝ શરીફ પાકિસ્તાનના વડાપ્રધાન તરીકે ચૂંટાયા, બીજી વખત કમાન સંભાળશે

પાકિસ્તાનમાં કેટલાય દિવસોથી ચાલી રહેલા રાજકીય ગરમાવો વચ્ચે આખરે નવા વડાપ્રધાનની જાહેરાત કરવામાં આવી છે. પૂર્વ વડાપ્રધાન નવાઝ શરીફના નાના ભાઈ શેહબાઝ શરીફ પાકિસ્તાનના આગામી વડાપ્રધાન તરીકે ચૂંટાયા છે.

પાકિસ્તાનમાં વડાપ્રધાન માટે 3 માર્ચે ચૂંટણી, કોણ જીતશે શાહબાઝ શરીફ કે ઈમરાનખાનનો ઉમેદવાર ?

પાકિસ્તાનમાં આગામી 3 માર્ચે નક્કી થશે કે પાકિસ્તાનના નવા વઝીર-એ-આઝમ કોણ બનશે. મુસ્લિમ લીગ નવાઝ અને પાકિસ્તાન પીપલ્સ પાર્ટીના સંયુક્ત ઉમેદવાર તરીકે શાહબાઝ શરીફ ચૂંટણી મેદાનમાં છે. ઈમરાનખાનની પાર્ટી પાકિસ્તાન તહરીક-એ-ઈન્સાફે ઓમર અયુબ ખાનને પોતાનો ઉમેદવાર બનાવ્યો છે. પાકિસ્તાનના નેશનલ એસેમ્બલીમાં વડાપ્રધાનપદ માટે ચૂંટણી યોજાશે. વડાપ્રધાનપદ માટે ઉમેદવારી નોંધાવવાનો આવતીકાલ 2 માર્ચ છેલ્લો દિવસ છે.

મતદાનમાં ગોલમાલ વચ્ચે પાકિસ્તાનમાં રચાયો ઈતિહાસ, પંજાબ પ્રાંતની પ્રથમ મહિલા મુખ્યમંત્રી બની મરિયમ નવાઝ

પહેલા હિંસા અને પછી કથિત હેરાફેરીના અહેવાલો વચ્ચે PML-N નામાંકિત મુખ્ય પ્રધાન ઉમેદવાર મરિયમ નવાઝે પાકિસ્તાનમાં 18મી પંજાબ એસેમ્બલી (PA) માં શપથ લીધા છે. પંજાબ વિધાનસભાના આઉટગોઇંગ સ્પીકર સિબતૈન ખાને ચૂંટાયેલા સાંસદોને શપથ લેવડાવ્યા હતા. તેમણે તમામ સાંસદોને તેમની નવી ભૂમિકાઓ ગ્રહણ કરવા બદલ અભિનંદન પાઠવ્યા હતા અને તેમની સફળતાની શુભેચ્છા પાઠવી હતી.

Breaking News : શાહબાઝ શરીફ બનશે પાકિસ્તાનના નવા વડાપ્રધાન, બિલાવલ ભુટ્ટોએ કરી જાહેરાત

પાકિસ્તાનમાં નવી સરકારની રચનાનો રસ્તો સાફ થઈ ગયો છે. પાકિસ્તાન મુસ્લિમ લીગ-નવાઝના પ્રમુખ શાહબાઝ શરીફ વડાપ્રધાન બનશે. આ સાથે જ પાકિસ્તાન પીપલ્સ પાર્ટીના કો-ચેરમેન આસિફ ઝરદારી પાકિસ્તાનના નવા રાષ્ટ્રપતિ બનશે. ઘણા દિવસોની વાતચીત બાદ બંને પક્ષો વચ્ચે સરકાર રચવાને લઈને સમજૂતી થઈ છે.

પાકિસ્તાનમાં હજુ પણ નથી બની શકી સરકાર, ઈમરાન ખાન શિયા સુન્નીની જાળમાં ફસાઈ ગયા ?

પાકિસ્તાનમા 8 ફેબ્રુઆરીએ યોજાયેલ નેશનલ એસેમ્બલીની ચૂંટણીના પરિણામ મુજબ કોઈ પક્ષને સ્પષ્ટ બહુમત સાપડ્યો નથી. પાકિસ્તાનની જનતાનો ખંડિત જનાદેશ મળ્યો હોવા છતા પાકિસ્તાન રાજકીય પક્ષો વચ્ચે સરકાર રચવા માટે સહમતી બનતી નથી, આ દરમિયાન પાકિસ્તાન તહરીક-એ-ઈન્સાફ સમર્થિત ઉમેદવારો પાકિસ્તાનમાં સરકાર બનાવવા માટે સુન્ની ઇત્તેહાદ કાઉન્સિલમાં જોડાવા જઈ રહ્યા છે. પીએમએલ-એન અને પીપીપીના ગઠબંધન બાદ પીટીઆઈએ પણ ગઠબંધનની જાહેરાત કરી છે.

પાકિસ્તાનમાં ફરીથી યોજાશે ચૂંટણી ? રાવલપિંડીના કમિશનરના નિવેદન બાદ રાજકીય ખળભળાટ

પાકિસ્તાનમાં રાવલપિંડીના કમિશનર લિયાકત અલી ચટ્ટાએ સામાન્ય ચૂંટણીમાં ગેરરિતીના આરોપ લગાવ્યા છે. આ દરમિયાન પાકિસ્તાનના ચૂંટણી પંચે (ECP) આ દાવાઓને સંપૂર્ણપણે ફગાવી દીધા છે અને એક ઉચ્ચ સ્તરીય સમિતિની રચના કરી છે. જે આ દાવાઓની તપાસ કરશે.

g clip-path="url(#clip0_868_265)">