AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

પાકિસ્તાનના જૂઠાણાંનો પર્દાફાશ, હુમલાના સાત દિવસ બાદ શાહબાઝે સ્વીકાર્યું – જુઓ Video

પાકિસ્તાની સરકાર અને સેનાએ ભારતના હુમલાથી કોઈ વિશેષ નુકસાન થયું ન હોવાનો દાવો કર્યો હતો પણ હવે હુમલાના સાત દિવસ બાદ પાકિસ્તાનના વડાપ્રધાન શહબાજ શરીફે સ્વીકાર્યું છે કે, ભારતના મિસાઇલ હુમલાઓમાં પાકિસ્તાનને ગંભીર નુકસાન થયું છે.

TV9 Gujarati
| Edited By: | Updated on: May 18, 2025 | 4:09 PM
Share

અત્યાર સુધી પાકિસ્તાની સરકાર અને સેનાએ ભારતના હુમલાથી કોઈ વિશેષ નુકસાન થયું ન હોવાનો દાવો કર્યો હતો પણ હવે હુમલાના સાત દિવસ બાદ પાકિસ્તાનના વડાપ્રધાન શાહબાઝ શરીફે સ્વીકાર્યું છે કે, ભારતના મિસાઇલ હુમલાઓમાં પાકિસ્તાનને ગંભીર નુકસાન થયું છે.

શાહબાઝ શરીફે જણાવ્યું કે, 9-10 મેની રાત્રે ભારતે નૂર ખાન એરબેઝ સહિત અનેક મહત્વના લક્ષ્યો પર બેલેસ્ટિક મિસાઇલથી આક્રમણ કર્યું હતું. આ એરબેઝ ઇસ્લામાબાદથી માત્ર 10 કિમી દૂર આવેલું છે અને VIP ટ્રાન્સપોર્ટ, એર રિફ્યુઅલિંગ તેમજ ટ્રાન્સપોર્ટ સ્ક્વોડ્રન માટે મહત્વપૂર્ણ છે.

ભારતના “ઓપરેશન સિંદૂર” હેઠળ કરવામાં આવેલા આ હુમલાઓમાં પાકિસ્તાનની એર ડિફેન્સ સિસ્ટમ, રડાર સ્ટેશન અને 11 જેટલા એરબેઝને નિશાન બનાવીને નાશ કરવામાં આવ્યા હતા. ભારતની તમામ મિસાઇલ ટાર્ગેટ પર સચોટ રીતે લાગી, જ્યારે પાકિસ્તાન દ્વારા છોડાયેલી તમામ મિસાઇલ હવામાં જ નષ્ટ થઈ ગઈ હતી.

ન્યૂયોર્ક ટાઈમ્સ સહિતના આંતરરાષ્ટ્રીય અહેવાલો અને સેટેલાઇટ ઈમેજ અનુસાર પાકિસ્તાનને મોટું નુકસાન થયું છે. ભારતે બ્રહ્મોસ મિસાઇલના પ્રહારથી પાકિસ્તાનમાં હાહાકાર મચાવી દીધો હતો.

ભારતના ઓપરેશન સિંદૂરના 7 દિવસ બાદ જ પાકિસ્તાનનો પર્દાફાશ થઇ ગયો છે. ભારતના હુમલાથી 11થી વધુ એરબેઝ તબાહ થયા છે. ભારતના હુમલાના પુરાવાઓ અને સફળતાના ઉદાહરણો હવે આખા વિશ્વમાં ચર્ચાઇ રહ્યા છે. આ સમગ્ર ઘટનામાં ભારતના શૌર્ય અને વ્યૂહરચનાની વિશ્વભરમાં પ્રશંસા થઈ રહી છે.

‘જય હિન્દ જય ભારત’

“ઓપરેશન સિંદૂર” હેઠળ પાકિસ્તાન અને પાકિસ્તાન અધિકૃત કાશ્મીર સ્થિત નવ આતંકવાદી ઠેકાણાઓ પર એરસ્ટ્રાઈક કરી છે. એરસ્ટ્રાઈક અંગેના વધારે સમાચાર માટે અમારા ટોપિકને ક્લિક કરો.

Breaking news : પંચમહાલમાં ગાઢ ધુમ્મસની ચાદર પથરાઈ
Breaking news : પંચમહાલમાં ગાઢ ધુમ્મસની ચાદર પથરાઈ
અમદાવાદમાં ઉત્તરાયણ પર્વની ઉલ્લાસભેર ઉજવણી, જુઓ VIDEO
અમદાવાદમાં ઉત્તરાયણ પર્વની ઉલ્લાસભેર ઉજવણી, જુઓ VIDEO
તમારું સ્વાસ્થ્ય એકંદરે સારું રહેશે, વ્યવસાયિક સંપર્કોમાં સુધારો થશે
તમારું સ્વાસ્થ્ય એકંદરે સારું રહેશે, વ્યવસાયિક સંપર્કોમાં સુધારો થશે
પાણીની ટાંકી તોડવા માટે ટાંકી ઉપર ચડ્યું JCB, જુઓ વીડિયો
પાણીની ટાંકી તોડવા માટે ટાંકી ઉપર ચડ્યું JCB, જુઓ વીડિયો
અમદાવાદના નામાંકિત દાસ ખમણને AMCએ માર્યું સીલ
અમદાવાદના નામાંકિત દાસ ખમણને AMCએ માર્યું સીલ
ડીસાના રામપુરમા 20 વર્ષથી પાકો રસ્તો જ નથી, નેતાઓ સામે રોષે ભરાયા લોકો
ડીસાના રામપુરમા 20 વર્ષથી પાકો રસ્તો જ નથી, નેતાઓ સામે રોષે ભરાયા લોકો
સનાતન ધર્મ અને ભારતીય સંસ્કૃતિ સૂર્ય-ચંદ્ર જેટલી અમર અને અમિટ છે
સનાતન ધર્મ અને ભારતીય સંસ્કૃતિ સૂર્ય-ચંદ્ર જેટલી અમર અને અમિટ છે
ગાંધીજીના નામથી એલર્જી હોવાથી ભાજપે મનરેગાનું નામ બદલી G RAM G કર્યું
ગાંધીજીના નામથી એલર્જી હોવાથી ભાજપે મનરેગાનું નામ બદલી G RAM G કર્યું
ભાજપના પ્રચાર પત્ર સાથે કવરમાં રૂપિયા અપાયાનો વીડિયો વાયરલ
ભાજપના પ્રચાર પત્ર સાથે કવરમાં રૂપિયા અપાયાનો વીડિયો વાયરલ
બહારનું ખાતા પહેલા ચેતજો! ઊંધિયું, જલેબી વેચતા વેપારીઓના ત્યાં ચેકિંગ
બહારનું ખાતા પહેલા ચેતજો! ઊંધિયું, જલેબી વેચતા વેપારીઓના ત્યાં ચેકિંગ
g clip-path="url(#clip0_868_265)">