AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Breaking News : પાકિસ્તાનમાં તખ્તા પલટ નક્કી, આ રહ્યા પુરાવા, મૌલાના મુનિરે શરુ કરી તૈયારી

ભારતના ઓપરેશન સિંદૂર બાદ પાકિસ્તાને કરાવેલા સીઝ ફાયરને લઈને પાકિસ્તાનમાં સરકાર અને આર્મી સામસામે આવી ગઈ છે. પાકિસ્તાનમાં આર્મીનો હાથ સરકાર કરતા હંમેશા ઉપર રહ્યો છે. એવા સંજોગોમાં સીઝ ફાયરે મતભેદ અને મનભેદમાં વધુ મોટી તિરાડ પાડી છે. પાકિસ્તાનમાં શાહબાઝ શરીફની સરકારને ઘર ભેગી કરીને આર્મી સત્તા મેળવી લે તેવી સ્થિતિ સર્જાઈ છે.

TV9 Gujarati
| Edited By: | Updated on: May 12, 2025 | 10:28 PM
પાકિસ્તાન હાલમાં આંતરિક સંઘર્ષની આગમાં સળગી રહ્યું છે. ખૈબર પખ્તુનખ્વા અને બલુચિસ્તાન જેવા સરહદી પ્રાંતોએ, ભારત સામેના યુદ્ધથી દૂર રાખ્યા છે. આ વિસ્તારોમાં સામાન્ય માન્યતા એવી છે કે, ભારત સામે આ પાકિસ્તાનની લડાઈ નથી પણ પંજાબની સેનાની છે.

પાકિસ્તાન હાલમાં આંતરિક સંઘર્ષની આગમાં સળગી રહ્યું છે. ખૈબર પખ્તુનખ્વા અને બલુચિસ્તાન જેવા સરહદી પ્રાંતોએ, ભારત સામેના યુદ્ધથી દૂર રાખ્યા છે. આ વિસ્તારોમાં સામાન્ય માન્યતા એવી છે કે, ભારત સામે આ પાકિસ્તાનની લડાઈ નથી પણ પંજાબની સેનાની છે.

1 / 6
ખૈબર પખ્તુનખ્વા પ્રાંતના લોકો માને છે કે પાકિસ્તાની સેના દાયકાઓથી આતંકવાદીઓને આશ્રય આપી રહી છે. હવે, જ્યારે આખો દેશ તે નીતિના પરિણામો ભોગવી રહ્યો છે. આવા સંજોગોમાં સેના અસીમ મુનીરથી પીઠ ફેરવી રહી છે.

ખૈબર પખ્તુનખ્વા પ્રાંતના લોકો માને છે કે પાકિસ્તાની સેના દાયકાઓથી આતંકવાદીઓને આશ્રય આપી રહી છે. હવે, જ્યારે આખો દેશ તે નીતિના પરિણામો ભોગવી રહ્યો છે. આવા સંજોગોમાં સેના અસીમ મુનીરથી પીઠ ફેરવી રહી છે.

2 / 6
પાકિસ્તાનના સેના સુપ્રીમો મૌલાના મુનીરે ભારત સામે જંગ છેડવા સમયે ઠેર ઠેર પોસ્ટર લગાવ્યા છે. આ પોસ્ટર થકી અસીમ મુનીરને લાગે છે કે તેણે આચરેલા તમામ ગુના માફ થઈ જશે. ભીરુ પ્રજા માફ કરી દેશે અને તખ્તાપલટને સ્વીકારી લેશે.

પાકિસ્તાનના સેના સુપ્રીમો મૌલાના મુનીરે ભારત સામે જંગ છેડવા સમયે ઠેર ઠેર પોસ્ટર લગાવ્યા છે. આ પોસ્ટર થકી અસીમ મુનીરને લાગે છે કે તેણે આચરેલા તમામ ગુના માફ થઈ જશે. ભીરુ પ્રજા માફ કરી દેશે અને તખ્તાપલટને સ્વીકારી લેશે.

3 / 6
પાકિસ્તાનમાં આ અગાઉ પણ તખ્તપલટાના ત્રણ કિસ્સા બન્યા છે. જનરલ જીયા ઉલ હક્ક એ, હાલમાં શેખી મારતા બિલાવર ભુટ્ટોના નાનાને વડાપ્રધાનની ખુરશી પરથી ઉઠાડીને ફાંસીને માંચડે લટકાવી દીધા હતા.

પાકિસ્તાનમાં આ અગાઉ પણ તખ્તપલટાના ત્રણ કિસ્સા બન્યા છે. જનરલ જીયા ઉલ હક્ક એ, હાલમાં શેખી મારતા બિલાવર ભુટ્ટોના નાનાને વડાપ્રધાનની ખુરશી પરથી ઉઠાડીને ફાંસીને માંચડે લટકાવી દીધા હતા.

4 / 6
પાકિસ્તાનના વર્તમાન વડાપ્રધાન શાહબાઝ શરીફના ભાઈ નવાઝ શરીફને, જનરલ મુશરફે વડાપ્રધાનપદની ખુરશીમાંથી તગેડી મૂક્યા હતા. આ એ જ મુશરફ છે જે આગ્રા એગ્રીમેન્ટ કરવા માટે ભારત આવ્યો હતો. જેના હોદ્દા દરમિયાન કારગીલ યુદ્ધ થયુ હતું.

પાકિસ્તાનના વર્તમાન વડાપ્રધાન શાહબાઝ શરીફના ભાઈ નવાઝ શરીફને, જનરલ મુશરફે વડાપ્રધાનપદની ખુરશીમાંથી તગેડી મૂક્યા હતા. આ એ જ મુશરફ છે જે આગ્રા એગ્રીમેન્ટ કરવા માટે ભારત આવ્યો હતો. જેના હોદ્દા દરમિયાન કારગીલ યુદ્ધ થયુ હતું.

5 / 6
આમ અસીમ મુનીર પણ ઓપરેશન સિંદૂર બાદ, પાકિસ્તાનમાં તખ્ત પલટ કરીને પાકિસ્તાનના વડાપ્રધાન પદે બેસી જવા તૈયારી કરી રહ્યો છે.

આમ અસીમ મુનીર પણ ઓપરેશન સિંદૂર બાદ, પાકિસ્તાનમાં તખ્ત પલટ કરીને પાકિસ્તાનના વડાપ્રધાન પદે બેસી જવા તૈયારી કરી રહ્યો છે.

6 / 6

 

7 મે 2025 ના રોજ ભારતીય સેનાએ “ઓપરેશન સિંદૂર” હેઠળ પાકિસ્તાન અને પાકિસ્તાન અધિકૃત કાશ્મીર સ્થિત નવ આતંકવાદી ઠેકાણાઓ પર એરસ્ટ્રાઈક કરી. એરસ્ટ્રાઈક અંગે અને  ઓપરેશન સિંદૂરને લગતા વધારે સમાચાર જાણવા માટે અમારા ટોપિકને ક્લિક કરો.

Follow Us:
g clip-path="url(#clip0_868_265)">