રાજસ્થાન
રાજસ્થાનની રચના વર્ષ 1956માં થઈ હતી. રાજસ્થાનનુ પાટનગર જયપુર છે. હાલમાં રાજ્યમાં ભારતીય જનતા પાર્ટીની સરકાર છે. ભજનલાલ શર્મા રાજ્યના મુખ્યમંત્રી છે.
રાજ્યમાં કુલ 200 વિધાનસભા બેઠકો છે. રાજસ્થાન રાજ્યમાંથી 25 લોકો નીચલા ગૃહ એટલે કે લોકસભામાં ચૂંટાય છે, જ્યારે 10 લોકો ઉપલા ગૃહ એટલે કે રાજ્યસભામાં પહોંચે છે.
ઘૂમર એ રાજસ્થાનનું લોકનૃત્ય છે. ઘોરાડ એ રાજસ્થાનનું રાજ્ય પક્ષી છે, જ્યારે ચિંકારા રાજ્ય પ્રાણીનો દરજ્જો ધરાવે છે.
અરવલ્લી પર સંકટ ! સુપ્રીમ કોર્ટની નવી વ્યાખ્યા બાદ કેમ દેશભરમાં ગુંજ્યુ Save અરવલ્લી અભિયાન? જાણો સરકારે શું કહ્યું
અરવલ્લી પર્વતમાળા ફરી એકવાર રાજકારણ, કાયદા અને પર્યાવરણ વચ્ચેના સંઘર્ષનું કેન્દ્ર બની ગઈ છે. સુપ્રીમ કોર્ટમાં દાખલ કરાયેલા સરકારી જવાબ બાદ, સોશિયલ મીડિયાથી લઈને રાજસ્થાન, હરિયાણા, ગુજરાત અને દિલ્હીની શેરીઓ સુધી વિવાદ ફાટી નીકળ્યો છે. આ મુદ્દો ફક્ત કાનૂની વ્યાખ્યાનો નથી, પરંતુ ભાવિ પેઢીઓના ભવિષ્યનો છે.
- Devankashi rana
- Updated on: Dec 22, 2025
- 9:28 am
Breaking News: માઉન્ટ આબુથી અમદાવાદ આવતી પ્રવાસીઓની બસ પલટી, 26 લોકોને આવી ઈજા
રાજસ્થાનથી એક મોટી દુર્ઘટના સામે આવી છે. માઉન્ટ આબુથી અમદાવાદ પરત ફરી રહેલી પ્રવાસીઓની બસને અકસ્માત નડ્યો છે બસની બ્રેક ફેલ થતા ડ્રાઈવરે સ્ટિયરિંગ પરથી કાબુ ગુમાવ્યો હતો. બસે કાબુ ગુમાવતા 26 લોકોને નાની-મોટી ઈજા આવી છે.
- TV9 Gujarati
- Updated on: Dec 21, 2025
- 5:29 pm
History of city name : જુનાગઢ કિલ્લાના નામ પાછળનો શું છે ઈતિહાસ ? જાણો આખી વાર્તા
જુનાગઢ કિલ્લો રાજસ્થાનના બિકાનેર શહેરમાં આવેલો એક ઐતિહાસિક કિલ્લો છે. શરૂઆતમાં તેને “ચિંતામણી” નામથી ઓળખવામાં આવતો હતો, પરંતુ બાદમાં રાજપરિવાર જ્યારે લાલગઢ કિલ્લામાં વસવાટ કરવા ગયો, ત્યારથી આ કિલ્લો “જુનો કિલ્લો” એટલે કે જુનાગઢ તરીકે ઓળખાવા લાગ્યો. રાજસ્થાનના અન્ય ઘણા કિલ્લાઓથી વિભિન્ન રીતે, આ કિલ્લો કોઈ ટેકરી પર બાંધવામાં આવ્યો નથી. આજનું આધુનિક બિકાનેર શહેર ધીમે ધીમે આ કિલ્લાને કેન્દ્રમાં રાખીને વિકસ્યું છે.
- Ashvin Patel
- Updated on: Dec 20, 2025
- 6:15 pm
ગુજરાત સહિત આ રાજ્યો રણમાં ફેરવાઈ જશે ! સુપ્રિમકોર્ટના એક ચુકાદાથી વધી હતી ચિંતા, જાણો
તાજેતરના સુપ્રીમ કોર્ટના નિર્ણયે અરવલ્લી પર્વતમાળામાં 100 મીટરથી ઓછી ઊંચાઈ ધરાવતા વિસ્તારોમાં ખાણકામને મંજૂરી આપી હતી. જોકે આ બાદ ફરી નિર્ણયમાં ફેરફાર કરવામાં આવ્યો હતો. જોકે આવું થાય તો કેવી પરિસ્થિતિ સર્જાશે તેની કલ્પના પણ નહીં કરી શકાય.
- Sagar Solanki
- Updated on: Dec 19, 2025
- 9:20 pm
History of city name : લોહાગઢ કિલ્લાના નામ પાછળનો શું છે ઈતિહાસ ? જાણો આખી વાર્તા
18મી સદીમાં બનેલો લોહાગઢ કિલ્લો રાજસ્થાનના ભરતપુરમાં સ્થિત એક અત્યંત સશક્ત ગઢ છે. ભરતપુરના જાટ રાજાઓની શક્તિ અને દૃઢ ઈચ્છાશક્તિનું આ કિલ્લો અનોખું પ્રતીકરૂપ છે. ખાસ કરીને મહારાજા સૂરજમલે 1732માં તેના નિર્માણની શરૂઆત કરીને તેને તાકાત અને રણનીતિશીલ શાસનનું પ્રતીક બનાવી દીધો.
- Ashvin Patel
- Updated on: Dec 11, 2025
- 6:29 pm
વૈષ્ણોદેવીથી પરત આવતા ખાટુશ્યામ દર્શને જઈ રહેલ ગુજરાતીઓની બસને અકસ્માત, 3ના મોત, 28 ઈજાગ્રસ્ત
વૈષ્ણોદેવીથી પરત ફરી રહેલી 50 યાત્રાળુઓને લઈ જતી બસને ગઈકાલ મંગળવારની મોડીરાત્રે રાજસ્થાનના જયપુર-બિકાનેર હાઇવે પર સીકરમાં એક ટ્રક સાથે અકસ્માત નડ્યો હતો. ગુજરાતી યાત્રાળુઓને લઈને જતી બસ ખાટુશ્યામ જઈ રહી હતી. અકસ્માતમાં ત્રણ મુસાફરોના મોત થયા છે જ્યારે 28 લોકો ઈજાગ્રસ્ત થયા છે. જેમાંથી સાતની હાલત ગંભીર હોવાનું હોસ્પિટલના તબીબોએ જણાવ્યું હતું.
- TV9 Gujarati
- Updated on: Dec 10, 2025
- 10:37 am
Breaking News : રાજસ્થાનથી પકડેલી ડ્રગ્સ ફેક્ટરીમાં ગુજરાત ATSની મોટી કાર્યવાહી, 7 આરોપીની ધરપકડ, જુઓ Video
ગુજરાત એન્ટી ટેરરિસ્ટ સ્ક્વોડ (ATS) એ રાજસ્થાનમાં એક મોટા ડ્રગ્સ રેકેટનો પર્દાફાશ કરીને નોંધપાત્ર સફળતા મેળવી છે. જોધપુર જિલ્લાના સોઈન્દ્રા ગામમાં ચાલતી એક મેફેડ્રોન (MD) ડ્રગ્સ બનાવવાની ફેક્ટરી પર દરોડો પાડીને ATSની ટીમે સાત આરોપીઓની ધરપકડ કરી છે.
- TV9 Gujarati
- Updated on: Dec 9, 2025
- 2:44 pm
Viral Video: ‘વિકાસ ગાંડો થઈ ગયો’, એક દિવસ પહેલા બનેલો રસ્તો ચિક્કીની જેમ ઉખડ્યો, યુઝર્સનો ગુસ્સો સાતમા આસમાને
Viral Video: રાજસ્થાનના બાડમેરનો એક ચોંકાવનારો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે આ રસ્તો એક દિવસ પહેલા જ બનાવવામાં આવ્યો હતો.
- Meera Kansagara
- Updated on: Dec 8, 2025
- 4:18 pm
Breaking News : રાજસ્થાનના ઉદ્યોગપતિ અજય મુરડિયા કોણ છે, જેમની FIRને કારણે ફિલ્મ નિર્માતા વિક્રમ ભટ્ટની ધરપકડ થઈ?
Vikram Bhatt Arrest Update : ઉદયપુરના ઉદ્યોગપતિ ડો.અજય મુર્ડિયા સાથે 30 કરોડની છેતપિંડી કરવાના આરોપમાં ફિલ્મમેકર વિક્રમ ભટ્ટ અને તેમની પત્નીની મુંબઈમાં ધરપકડ કરવામાં આવી છે. ફરિયાદ મુજબ વિક્રમ ભટ્ટ દંપત્તિએ બાયોપિક અને અન્ય ફિલ્મોના નામે વિક્રેતાઓને કરોડો રુપિયાનો ઠગાઈનો આરોપ લગાવ્યો હતો. જે પાછળથી છેતરપિંડી સાબિત થઈ હતી. ભટ્ટ દંપતીએ આ આરોપોને સ્પષ્ટપણે નકારી કાઢ્યા છે.
- Nirupa Duva
- Updated on: Dec 8, 2025
- 11:19 am
Indresh Upadhyay Wedding: કથાવાચક ઇન્દ્રેશ ઉપાધ્યાયના લગ્ન થયા પૂરા, સામે આવી તસવીરો
ઇન્દ્રેશ ઉપાધ્યાય અને શિપ્રા શર્માએ 101 પંડિતો દ્વારા વૈદિક મંત્રોના જાપ વચ્ચે સાત વચન લીધી હતા. હોટેલના જયગઢ લૉનમાં આયોજિત મુખ્ય સમારોહમાં, હરિદ્વાર, નાસિક અને વૃંદાવનના 101 પંડિતોએ લગ્ન વિધિઓ કરી હતી.
- Devankashi rana
- Updated on: Dec 6, 2025
- 12:42 pm
History of city name : તારાગઢ કિલ્લાના નામ પાછળનો શું છે ઈતિહાસ ? જાણો આખી વાર્તા
રાજસ્થાનના બુંદી શહેરને અડીને આવેલી અરવલ્લી પર્વતમાળાની ઊંચી ટેકરીઓ પર સ્થિત આ ઐતિહાસિક ગઢને તારાગઢ કિલ્લો તરીકે ઓળખવામાં આવે છે. સ્થાનિક લોકો એને બુંદીનો પ્રાચીન કિલ્લો પણ કહે છે. બુંદી રાજ્યની સ્થાપના કરનાર રાવ દેવ હાડાએ 14મી સદી દરમિયાન આ ભવ્ય ગઢના નિર્માણનો આરંભ કર્યો હતો, જેથી તે આજ સુધી શૌર્ય અને સ્થાપત્યકળાનું પ્રતિક બની રહ્યો છે.
- Ashvin Patel
- Updated on: Dec 3, 2025
- 6:45 pm
અમદાવાદમાં ડ્રગ્સનો કાળો કારોબાર પકડાયો : 35 લાખના MD ડ્રગ્સ સાથે દંપતીની ધરપકડ
ડ્રગ્સના કાળા કારોબાર સામે પોલીસે મોટી કાર્યવાહી કરી છે. વાડજ વિસ્તારમાંથી પોલીસે દંપતીને 35 લાખની કિંમતનાં કુલ 357 ગ્રામ એમડી ડ્રગ્સ સાથે ઝડપી પાડ્યા. મહિલા રાજસ્થાનથી પોતાના મામાના દીકરા પાસેથી નશીલા પદાર્થની ખેપ લાવતી હતી.
- Sachin Agrawal
- Updated on: Dec 1, 2025
- 8:41 pm
History of city name : મેહરાનગઢ કિલ્લાના નામ પાછળનો શું છે ઈતિહાસ ? જાણો આખી વાર્તા
મેહરાનગઢ કિલ્લો રાજસ્થાનના જોધપુર શહેરમાં આવેલો એક પ્રખ્યાત ઐતિહાસિક ગઢ છે. આ વિશાળ કિલ્લો એક ઊંચી ટેકરી પર સ્થિત છે, જે શહેરની સપાટી લગભગ 122 મીટર (અંદાજે 400 ફૂટ) ઊંચી છે, અને આખા કિલ્લાનું સંકુલ લગભગ 1200 એકર વિસ્તારમાં વિસ્તરેલું છે. તેનું નિર્માણ રાઠોડ કુળના રાજપૂત શાસક રાવ જોધાએ અંદાજે 1459ના સમયકાળમાં કરાવ્યું હતું.
- Ashvin Patel
- Updated on: Dec 1, 2025
- 6:36 pm
History of city name : રણથંભોર કિલ્લાના નામ પાછળનો શું છે ઈતિહાસ ? જાણો આખી વાર્તા
રણથંભોર કિલ્લો રાજસ્થાનના સવાઈ માધોપુર જિલ્લામાં, રણથંભોર રાષ્ટ્રીય ઉદ્યાનની અંદર, શહેરથી થોડે અંતરે સ્થિત એક પ્રાચીન કિલ્લો છે. સ્વતંત્રતા પહેલાં અહીંનો વિસ્તાર જયપુરના રાજાઓ માટે મહત્વનું શિકારનું સ્થળ હતું . જેના કારણે આ વિસ્તારનો ઐતિહાસિક વિકાસનું કેન્દ્રબિંદુ રહ્યો છે. ટેકરી ઉપર વસેલા આ કિલ્લા પરથી સમગ્ર ઉદ્યાનનો અદ્ભુત નજારો જોવા મળે છે, અને આજકાલ તે પ્રવાસીઓ માટે આકર્ષણનું કેન્દ્ર બની ગયું છે.
- Ashvin Patel
- Updated on: Nov 30, 2025
- 5:34 pm
History of city name : અંબર કિલ્લાના નામ પાછળનો શું છે ઈતિહાસ ? જાણો આખી વાર્તા
અંબર કિલ્લો રાજસ્થાનના આમેર શહેરમાં આવેલો એક ભવ્ય ઐતિહાસિક કિલ્લો છે. આશરે 4 ચોરસ કિલોમીટર વિસ્તારમાં ફેલાયેલું આમેર, જયપુરથી લગભગ 11 કિલોમીટર દૂર વસેલું છે. ઊંચી ટેકરી પર બનેલો આ કિલ્લો, જયપુરના સૌથી લોકપ્રિય પર્યટન સ્થળોમાંનું એક છે. તેની અનોખી સ્થાપત્ય શૈલી, વિશાળ દરવાજા, મજબૂત દીવાલો અને પથ્થરથી ચણાયેલા માર્ગો તેની મહત્વતા વધારે છે. કિલ્લો નીચે આવેલા માઓટા તળાવના સુંદર નજારાથી પણ મુલાકાતીઓને આકર્ષે છે.
- Ashvin Patel
- Updated on: Nov 28, 2025
- 6:29 pm