AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

રાજસ્થાન

રાજસ્થાન

રાજસ્થાનની રચના વર્ષ 1956માં થઈ હતી. રાજસ્થાનનુ પાટનગર જયપુર છે. હાલમાં રાજ્યમાં ભારતીય જનતા પાર્ટીની સરકાર છે. ભજનલાલ શર્મા રાજ્યના મુખ્યમંત્રી છે.

રાજ્યમાં કુલ 200 વિધાનસભા બેઠકો છે. રાજસ્થાન રાજ્યમાંથી 25 લોકો નીચલા ગૃહ એટલે કે લોકસભામાં ચૂંટાય છે, જ્યારે 10 લોકો ઉપલા ગૃહ એટલે કે રાજ્યસભામાં પહોંચે છે.

ઘૂમર એ રાજસ્થાનનું લોકનૃત્ય છે. ઘોરાડ એ રાજસ્થાનનું રાજ્ય પક્ષી છે, જ્યારે ચિંકારા રાજ્ય પ્રાણીનો દરજ્જો ધરાવે છે.

Read More

Breaking News: રાજસ્થાનના કાશ્મીર કહેવાતા માઉન્ટ આબુમાં લોકોએ માણી સ્નોફોલની મજા, ઠંડીનો પારો માઈનસમાં જતા ચારેકોર છવાઈ બરફની ચાદર

માઉન્ટ આબુ સાથે અરવલ્લી પર્વતમાળાનો સૌથી ઊંચો શિખર ગણાતો ગુરુશિખર પણ બરફીલા વાતાવરણથી ઢંકાઈ ગયો છે. માઇનસ તાપમાનના કારણે અનેક વિસ્તારોમાં બરફની પાતળી ચાદર છવાઈ હોવાનું દૃશ્ય જોવા મળી રહ્યું છે. આ દ્રશ્યોને માણવા માટે દેશના વિવિધ ભાગોમાંથી હજારો પર્યટકો માઉન્ટ આબુ પહોંચી રહ્યા છે.

Breaking News: જયપુરમાં બેકાબૂ ઓડી કારે 16 લોકોને કચડ્યા, એક વ્યક્તિનું મોત, 15 ઘાયલ

જયપુરના પત્રકાર કોલોની પોલીસ સ્ટેશન વિસ્તારમાં એક અનિયંત્રિત ઓડી કાર રસ્તાની બાજુમાં આવેલી ગાડીઓ સાથે અથડાઈ હતી. હયાત હોટેલ પાસે ખારાબાસ સર્કલ નજીક આ અકસ્માત થયો હતો.

નાગિન 7 અભિનેત્રીને છે 6 ભાઈ-બહેન, આવો છે પ્રિયંકા ચહર ચૌધરીનો પરિવાર

જાણીતી ટીવી અભિનેત્રી પ્રિયંકા ચહર ચૌધરી ઘણીવાર તેની પર્સનલ લાઈફ અને પ્રોફેશનલ લાઈફ બંને માટે ચર્ચાનો વિષય બને છે. બિગ બોસ પછી, અભિનેત્રી ટીવી પર એક સ્ટાર બની ગઈ છે, આજે તેને કોઈ પરિચયની જરૂર નથી.

Breaking News: રાજસ્થાનના જાલોરમાં મોટો અકસ્માત, બસ ખાઈમાં પડતા 5 લોકોના મોત અને 20 ઘાયલ

ઉમ્મેદપુર ગામ નજીક અકસ્માત થયો, જ્યાં અકસ્માતની જાણ થતાં ગામલોકો ઘટનાસ્થળે ભેગા થયા હતા. ગામલોકોએ જ પોલીસને અકસ્માતની જાણ કરી હતી. પોલીસના જણાવ્યા અનુસાર, અકસ્માતનું કારણ સ્પષ્ટ નથી, પરંતુ પ્રાથમિક તપાસમાં એવું સૂચવવામાં આવ્યું છે કે ડ્રાઈવરે ઊંઘને ​​કારણે બસ પરનો કાબૂ ગુમાવ્યો હતો

31 ડિસેમ્બરે ગુજરાત–રાજસ્થાન સરહદો પર કડક બંદોબસ્ત, લક્ઝરી બસમાંથી ઝડપાયો દારૂ

નવા વર્ષની પૂર્વસંધ્યાએ ગુજરાત–રાજસ્થાનની સરહદો પર પોલીસે કડક સુરક્ષા ગોઠવી છે. અમિરગઢ બોર્ડર પરથી લક્ઝરી બસમાંથી દારૂ ઝડપાતા ડ્રાઈવર સહિત બેની અટકાયત કરાઈ.

ગુજરાત ATSએ નવા વર્ષ પહેલા ભિવાડીમાંથી ડ્રગ્સનું કારખાનું કર્યુ બેનકાબ, અલ્પ્રાઝોલમ બનાવતી ફેક્ટરી પર ATS–SOG ત્રાટકી, જુઓ Video

પોલીસે ફેક્ટરીમાંથી ગેરકાયદે રીતે બનાવવામાં આવેલો અંદાજે 22 કિલો અલ્પ્રાઝોલમ પાવડર તેમજ તેનો પ્રિક્યોર્સર કેમિકલનો મોટો જથ્થો જપ્ત કર્યો છે. ધરપકડ કરાયેલા આરોપીઓ કૃષ્ણા, અંશુલ શાસ્ત્રી અને અખિલેશ મૌર્ય મૂળ ઉત્તર પ્રદેશના હોવાનું જાણવા મળ્યું છે. હાલ UIT પોલીસ ત્રણેય આરોપીઓની ઘનિષ્ઠ પૂછપરછ કરી રહી છે.

અરવલ્લી પર સંકટ ! સુપ્રીમ કોર્ટની નવી વ્યાખ્યા બાદ કેમ દેશભરમાં ગુંજ્યુ Save અરવલ્લી અભિયાન? જાણો સરકારે શું કહ્યું

અરવલ્લી પર્વતમાળા ફરી એકવાર રાજકારણ, કાયદા અને પર્યાવરણ વચ્ચેના સંઘર્ષનું કેન્દ્ર બની ગઈ છે. સુપ્રીમ કોર્ટમાં દાખલ કરાયેલા સરકારી જવાબ બાદ, સોશિયલ મીડિયાથી લઈને રાજસ્થાન, હરિયાણા, ગુજરાત અને દિલ્હીની શેરીઓ સુધી વિવાદ ફાટી નીકળ્યો છે. આ મુદ્દો ફક્ત કાનૂની વ્યાખ્યાનો નથી, પરંતુ ભાવિ પેઢીઓના ભવિષ્યનો છે.

Breaking News: માઉન્ટ આબુથી અમદાવાદ આવતી પ્રવાસીઓની બસ પલટી, 26 લોકોને આવી ઈજા

રાજસ્થાનથી એક મોટી દુર્ઘટના સામે આવી છે. માઉન્ટ આબુથી અમદાવાદ પરત ફરી રહેલી પ્રવાસીઓની બસને અકસ્માત નડ્યો છે બસની બ્રેક ફેલ થતા ડ્રાઈવરે સ્ટિયરિંગ પરથી કાબુ ગુમાવ્યો હતો. બસે કાબુ ગુમાવતા 26 લોકોને નાની-મોટી ઈજા આવી છે.

History of city name : જુનાગઢ કિલ્લાના નામ પાછળનો શું છે ઈતિહાસ ? જાણો આખી વાર્તા

જુનાગઢ કિલ્લો રાજસ્થાનના બિકાનેર શહેરમાં આવેલો એક ઐતિહાસિક કિલ્લો છે. શરૂઆતમાં તેને “ચિંતામણી” નામથી ઓળખવામાં આવતો હતો, પરંતુ બાદમાં રાજપરિવાર જ્યારે લાલગઢ કિલ્લામાં વસવાટ કરવા ગયો, ત્યારથી આ કિલ્લો “જુનો કિલ્લો” એટલે કે જુનાગઢ તરીકે ઓળખાવા લાગ્યો. રાજસ્થાનના અન્ય ઘણા કિલ્લાઓથી વિભિન્ન રીતે, આ કિલ્લો કોઈ ટેકરી પર બાંધવામાં આવ્યો નથી. આજનું આધુનિક બિકાનેર શહેર ધીમે ધીમે આ કિલ્લાને કેન્દ્રમાં રાખીને વિકસ્યું છે.

ગુજરાત સહિત આ રાજ્યો રણમાં ફેરવાઈ જશે ! સુપ્રિમકોર્ટના એક ચુકાદાથી વધી હતી ચિંતા, જાણો

તાજેતરના સુપ્રીમ કોર્ટના નિર્ણયે અરવલ્લી પર્વતમાળામાં 100 મીટરથી ઓછી ઊંચાઈ ધરાવતા વિસ્તારોમાં ખાણકામને મંજૂરી આપી હતી. જોકે આ બાદ ફરી નિર્ણયમાં ફેરફાર કરવામાં આવ્યો હતો. જોકે આવું થાય તો કેવી પરિસ્થિતિ સર્જાશે તેની કલ્પના પણ નહીં કરી શકાય.

History of city name : લોહાગઢ કિલ્લાના નામ પાછળનો શું છે ઈતિહાસ ? જાણો આખી વાર્તા

18મી સદીમાં બનેલો લોહાગઢ કિલ્લો રાજસ્થાનના ભરતપુરમાં સ્થિત એક અત્યંત સશક્ત ગઢ છે. ભરતપુરના જાટ રાજાઓની શક્તિ અને દૃઢ ઈચ્છાશક્તિનું આ કિલ્લો અનોખું પ્રતીકરૂપ છે. ખાસ કરીને મહારાજા સૂરજમલે 1732માં તેના નિર્માણની શરૂઆત કરીને તેને તાકાત અને રણનીતિશીલ શાસનનું પ્રતીક બનાવી દીધો.

વૈષ્ણોદેવીથી પરત આવતા ખાટુશ્યામ દર્શને જઈ રહેલ ગુજરાતીઓની બસને અકસ્માત, 3ના મોત, 28 ઈજાગ્રસ્ત

વૈષ્ણોદેવીથી પરત ફરી રહેલી 50 યાત્રાળુઓને લઈ જતી બસને ગઈકાલ મંગળવારની મોડીરાત્રે રાજસ્થાનના જયપુર-બિકાનેર હાઇવે પર સીકરમાં એક ટ્રક સાથે અકસ્માત નડ્યો હતો. ગુજરાતી યાત્રાળુઓને લઈને જતી બસ ખાટુશ્યામ જઈ રહી હતી. અકસ્માતમાં ત્રણ મુસાફરોના મોત થયા છે જ્યારે 28 લોકો ઈજાગ્રસ્ત થયા છે. જેમાંથી સાતની હાલત ગંભીર હોવાનું હોસ્પિટલના તબીબોએ જણાવ્યું હતું.

Breaking News : રાજસ્થાનથી પકડેલી ડ્રગ્સ ફેક્ટરીમાં ગુજરાત ATSની મોટી કાર્યવાહી, 7 આરોપીની ધરપકડ, જુઓ Video

ગુજરાત એન્ટી ટેરરિસ્ટ સ્ક્વોડ (ATS) એ રાજસ્થાનમાં એક મોટા ડ્રગ્સ રેકેટનો પર્દાફાશ કરીને નોંધપાત્ર સફળતા મેળવી છે. જોધપુર જિલ્લાના સોઈન્દ્રા ગામમાં ચાલતી એક મેફેડ્રોન (MD) ડ્રગ્સ બનાવવાની ફેક્ટરી પર દરોડો પાડીને ATSની ટીમે સાત આરોપીઓની ધરપકડ કરી છે.

Viral Video: ‘વિકાસ ગાંડો થઈ ગયો’, એક દિવસ પહેલા બનેલો રસ્તો ચિક્કીની જેમ ઉખડ્યો, યુઝર્સનો ગુસ્સો સાતમા આસમાને

Viral Video: રાજસ્થાનના બાડમેરનો એક ચોંકાવનારો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે આ રસ્તો એક દિવસ પહેલા જ બનાવવામાં આવ્યો હતો.

Breaking News : રાજસ્થાનના ઉદ્યોગપતિ અજય મુરડિયા કોણ છે, જેમની FIRને કારણે ફિલ્મ નિર્માતા વિક્રમ ભટ્ટની ધરપકડ થઈ?

Vikram Bhatt Arrest Update : ઉદયપુરના ઉદ્યોગપતિ ડો.અજય મુર્ડિયા સાથે 30 કરોડની છેતપિંડી કરવાના આરોપમાં ફિલ્મમેકર વિક્રમ ભટ્ટ અને તેમની પત્નીની મુંબઈમાં ધરપકડ કરવામાં આવી છે. ફરિયાદ મુજબ વિક્રમ ભટ્ટ દંપત્તિએ બાયોપિક અને અન્ય ફિલ્મોના નામે વિક્રેતાઓને કરોડો રુપિયાનો ઠગાઈનો આરોપ લગાવ્યો હતો. જે પાછળથી છેતરપિંડી સાબિત થઈ હતી. ભટ્ટ દંપતીએ આ આરોપોને સ્પષ્ટપણે નકારી કાઢ્યા છે.

g clip-path="url(#clip0_868_265)">