AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Breaking News: ભારતીય PMના નિવાસસ્થાને ડ્રોન ઉડાવ્યા… પાકિસ્તાની રાષ્ટ્રપતિએ શરમ વેચી ખાધી, ‘નકટો’ માણસ આટલું જૂઠું કઈ રીતે બોલી શકે?

શું પાકિસ્તાની રાષ્ટ્રપતિ પોતાનું માનસિક સંતુલન ખોઈ બેસ્યા છે? ભારત સામે હળાહળ જૂઠું બોલતા પહેલાં ઝરદારી એ ભૂલી ગયો કે, તે ખુદ ભારતના ડરથી બંકરમાં છુપાયો હતો. એવામાં હવે એક વર્ષ પછી ભારતને લઈને તેમણે એવું વાહિયાત નિવેદન આપ્યું છે કે, જેનાથી પાકિસ્તાનની અસલી ઓકાત ફરી દુનિયા સામે આવી ગઈ છે.

Breaking News: ભારતીય PMના નિવાસસ્થાને ડ્રોન ઉડાવ્યા... પાકિસ્તાની રાષ્ટ્રપતિએ શરમ વેચી ખાધી, 'નકટો' માણસ આટલું જૂઠું કઈ રીતે બોલી શકે?
| Updated on: May 29, 2026 | 7:19 PM
Share

પાકિસ્તાન કેટલું જૂઠું છે અને ભારતને લઈને કેવા જૂઠાણાં ફેલાવતું રહે છે, તેવો એક વીડિયો વાયરલ થયો છે. પાકિસ્તાનના રાષ્ટ્રપતિ આસિફ અલી ઝરદારીએ એવો દાવો કર્યો છે કે, ‘પાકિસ્તાને ભારતના આઠ વિમાનને તોડી પાડ્યા હતા અને ભારતીય વડાપ્રધાનના નિવાસસ્થાન પર ડ્રોન ઉડાવ્યા હતા.’

પાકિસ્તાનનો આ દાવો પોતાના સૈન્ય અપમાનને છુપાવવાનો એક હાસ્યાસ્પદ પ્રયાસ છે, જે હવે દુનિયા સામે આવી ગયો છે. ટૂંકમાં, ‘ઓપરેશન સિંદૂર’ ને લઈને તેમની આ મનઘડંત વાર્તાઓ હવામાં કાલ્પનિક જીત મેળવવાનો એક હલકો પ્રયાસ માત્ર છે. આનાથી પાકિસ્તાનની ચાલ અને ચરિત્ર બંને ખુલ્લા પડી ગયા છે.

આખરે શું છે વાસ્તવિક હકીકત?

ઓપરેશન સિંદૂર દરમિયા, ભારતે પાકિસ્તાનના હવાઈ ક્ષેત્રને ધ્વસ્ત કરી દીધું હતું અને 9 આતંકી ઠેકાણાં તેમજ નૂર ખાન એરબેઝ (કુલ 11 સૈન્ય ઠેકાણાં) પર જોરદાર હુમલો કર્યો હતો. એવામાં જ્યારે ભારતે 36 કલાકમાં 80 ડ્રોન છોડ્યા, ત્યારે પાકિસ્તાનના પોતાના સૈન્ય સચિવ ખુદ ભૂગર્ભ બંકરમાં છુપાવવા માટે વિનંતી કરી રહ્યા હતા. પાકિસ્તાને કરેલા હુમલાનું જૂઠાણું ત્યારે જ સાબિત થઈ ગયું, જ્યારે આ કથિત હુમલામાં કાટમાળનો કોઈ જ પુરાવો મળ્યો નહોતો.

આમાં જ્યારે ન્યૂઝ એજન્સી CNN દ્વારા આ હુમલાના પુરાવા માંગવામાં આવ્યા, ત્યારે ખ્વાજા આસિફે શરમજનક રીતે કહ્યું કે, “તે ભારતીય સોશિયલ મીડિયા પર ઉપલબ્ધ છે.” સરળ રીતે જોઈએ તો, આસિફ અલી ઝરદારી કાર્યક્રમમાં મોટી-મોટી ડિંગો હાંકી રહ્યા હતા, જ્યારે સત્ય એ છે કે હુમલા સમયે તેઓ ખુદ બંકરમાં ભરાઈને બેઠા હતા.

કેટલું જૂઠું છે પાકિસ્તાન?

અહેવાલો અનુસાર, ભારત અને પાકિસ્તાન વચ્ચે જ્યાં સુધી આ સંઘર્ષ ચાલ્યો, ત્યાં સુધી ઝરદારી ખુદ બંકરમાં છુપાયેલા રહ્યા હતા. હવે જ્યારે આ વાતને એક વર્ષ વીતી ચૂક્યું છે, ત્યારે રાષ્ટ્રપતિ આસિફ અલી ઝરદારીએ દાવો કર્યો છે કે, “પાકિસ્તાને ઓપરેશન સિંદૂર દરમિયાન આઠ ભારતીય વિમાનને તોડી પાડ્યા હતા અને ભારતીય વડાપ્રધાનના નિવાસસ્થાન પર ડ્રોન ઉડાવ્યા હતા.” આસિફ અલી ઝરદારી આટલું મોટું જૂઠાણું સહેલાઈથી કેવી રીતે બોલી ગયા? શું તેઓ નશામાં હતા કે પછી ખરેખર તેમનું માનસિક સંતુલન હલી ગયું છે?

Breaking News : વાતચીત વચ્ચે અમેરિકાએ ફરી એકવાર ઈરાન પર હુમલો કર્યો, શું ફરી વધશે તણાવ?

Follow Us
વાલીઓ પર મોંઘવારીનો ડામ! સ્કૂલ વાન-રિક્ષાના ભાડામાં 10% નો 'વધારો'
વાલીઓ પર મોંઘવારીનો ડામ! સ્કૂલ વાન-રિક્ષાના ભાડામાં 10% નો 'વધારો'
ચેકડેમ કૌભાંડની તપાસ કરવા ગાંધીનગરની ટીમ મેદાને, અધિકારીઓ ફફડ્યા
ચેકડેમ કૌભાંડની તપાસ કરવા ગાંધીનગરની ટીમ મેદાને, અધિકારીઓ ફફડ્યા
કસૌલીના જંગલમાં લાગી ભીષણ આગ, Mi-17 હેલિકોપ્ટર લઈ મેદાને ઉતરી વાયુસેના
કસૌલીના જંગલમાં લાગી ભીષણ આગ, Mi-17 હેલિકોપ્ટર લઈ મેદાને ઉતરી વાયુસેના
Ahmedabad Breaking News : અમદાવાદમાં રાતોરાત વધ્યુ રિક્ષાભાડું!
Ahmedabad Breaking News : અમદાવાદમાં રાતોરાત વધ્યુ રિક્ષાભાડું!
બેબીસીયા વાયરસના કારણે થયા બે સિંહના મોત-અર્જુન મોઢવાડિયા
બેબીસીયા વાયરસના કારણે થયા બે સિંહના મોત-અર્જુન મોઢવાડિયા
પોતાના ઘરમાં જ જુગારખાનું ચલાવતી હતી મહિલા, સુરતમાં 7 મહિલાઓ ઝડપાઈ
પોતાના ઘરમાં જ જુગારખાનું ચલાવતી હતી મહિલા, સુરતમાં 7 મહિલાઓ ઝડપાઈ
જુનાગઢના 18 કરોડના વાઘેશ્વરી તળાવની કામગીરી પર વિપક્ષે પ્રહાર કર્યા
જુનાગઢના 18 કરોડના વાઘેશ્વરી તળાવની કામગીરી પર વિપક્ષે પ્રહાર કર્યા
Breaking News : નકલી CBI અધિકારી ઝડપાયો
Breaking News : નકલી CBI અધિકારી ઝડપાયો
યોગ અને ધ્યાનથી ચમકશે ભાગ્ય, સ્વાસ્થ્યમાં થશે મોટો સુધારો
યોગ અને ધ્યાનથી ચમકશે ભાગ્ય, સ્વાસ્થ્યમાં થશે મોટો સુધારો
કચ્છના મુંદ્રા નજીક ભંગારના ગોડાઉનમાં વિકરાળ આગ
કચ્છના મુંદ્રા નજીક ભંગારના ગોડાઉનમાં વિકરાળ આગ
g clip-path="url(#clip0_868_265)">