પાછલા 20 વર્ષ થી પ્રજાના પ્રશ્નો અને તેમને થતા અન્યાય બાબતે સતત નિર્ભય અને નિષ્પક્ષ રીતે રિપોર્ટિંગ કરતા આવ્યા છે. કોર્પોરેશન અને હેલ્થના રિપોર્ટિંગ પર તેઓ પકડ ધરાવે છે. રાજકારણનું રિપોર્ટિંગ હોય કે પછી સામાજિક મુદ્દાઓની વાત હોય, વ્યક્તિગત અન્યાયની બાબત હોય કે કોઈ સેલિબ્રિટીના સ્પેશ્યલ ઈન્ટરવ્યું હોય, આ દરેક ક્ષેત્રમાં જીગ્નેશ પટેલએ કાઠું કાઠ્યું છે.
Breaking News : રથયાત્રા પૂર્વે ભગવાન જગન્નાથ, ભાઈ બલભદ્ર અને બહેન સુભદ્રાજીના રથોનું પૂજન કરાયું, જુઓ વીડિયો
જગન્નાથ મંદિર અમદાવાદ ખાતે આજે ત્રણેય ઐતિહાસિક રથનુ પૂજન કરવામાં આવ્યું છે. રથયાત્રા પૂર્વે ત્રણેય રથોનું પરંપરાગત કરવામાં પૂજન આવ્યું છે.રથ પૂજનથી રથયાત્રાની તૈયારીઓ શરુ કરી દેવામાં આવે છે.16 જુલાઈએ ભગવાન જગન્નાથજીની ઐતિહાસિક રથયાત્રા નીકળશે.
- Jignesh Patel
- Updated on: Apr 20, 2026
- 11:56 am
Breaking News : કષ્ટભંજનદેવ હનુમાનજીને 8 કિલો સોનામાંથી બનાવાયેલા વાઘા અર્પણ કરાશે, જુઓ વીડિયો
સાળંગપુર ધામમાં વિશેષ ઉત્સવનું આયોજન કરવામાં આવ્યું છે. હનુમાન જયંતી પૂર્વે રાજોપચાર પૂજન પ્રથમ વખત દાદાના ઐતિહાસિક પૂજનનું આયોજન કરાયું છે. આ સાથે 1008 કિલો પુષ્પોથી કષ્ટભંજન દેવનો અભિષેક કરાશે.
- Jignesh Patel
- Updated on: Apr 1, 2026
- 11:58 am
Middle East Crisis Breaking News: યુદ્ધથી આરોગ્ય ક્ષેત્ર પ્રભાવિત! ભારતના હોસ્પિટલ અને દવાઓ પર શું પડી શકે છે અસર?
મધ્યપૂર્વના યુદ્ધ અને તણાવની અસર હવે વિશ્વભરમાં અનુભવાઈ રહી છે. ભારતમાં હાલ આરોગ્ય ક્ષેત્ર પર મોટી અસર તો જોવા નથી મળી, પરંતુ નિષ્ણાતો ચેતવણી આપી રહ્યા છે કે લાંબા ગાળે દવાઓ, મશીનરી અને વિદેશી ટેકનિશિયન સપ્લાય પર અસર થઇ શકે છે. ખાસ કરીને વિદેશી દર્દીઓ આવતા હૉસ્પિટલો પર આ અસર વધુ પડવાની શક્યતા છે.
- Jignesh Patel
- Updated on: Mar 12, 2026
- 12:01 pm
અમદાવાદના નામાંકિત દાસ ખમણને AMCએ માર્યું સીલ, રસોડામાં ગંદકીના થર જામેલા મળ્યા જોવા
અમદાવાદમાં આવેલ દાસ ખમણની દુકાન સામે મનપાના આરોગ્ય વિભાગ દ્વારા કડક કાર્યવાહી કરવામાં આવી છે. તપાસ દરમિયાન રસોડામાં અસ્વચ્છતા જોવા મળી હતી તેમજ ગંદકીના જમા થયેલા થર નજરે પડ્યા હતા. પાત્રાનો સંગ્રહ સ્વચ્છતા વિનાની પ્લાસ્ટિકની થેલીઓમાં કરાયેલો હોવાનું સામે આવ્યું. ઉપરાંત, ફ્રીજ અને સ્ટોર રૂમમાં યોગ્ય સફાઈ ન હોવાને કારણે આરોગ્ય ધોરણોના ઉલ્લંઘન બદલ એકમને સીલ કરવામાં આવ્યો છે.
- Jignesh Patel
- Updated on: Jan 13, 2026
- 7:59 pm
Breaking News :અમદાવાદમાં ભારત એક ગાથા થીમ પર વિશ્વનો સૌથી મોટો ફ્લાવર શો, જુઓ Video
અમદાવાદમાં ભારત એક ગાથા થીમ પર આંતરરાષ્ટ્રીય ફ્લાવર શોનો પ્રારંભ થયો છે. મુખ્યપ્રધાન ભૂપેન્દ્રભાઈ પટેલે તેનું ઉદ્ઘાટન કર્યું. 22 જાન્યુઆરી સુધી ચાલનારા આ શોમાં હાઈ-સ્પીડ રેલ, સરદાર પટેલનું ફૂલ ચિત્ર, અંતરિક્ષ ટેકનોલોજી અને સાંસ્કૃતિક નૃત્ય જેવા અનેક આકર્ષણો છે. સોમ-શુક્ર ₹80, શનિ-રવિ ₹100 ટિકિટ રહેશે.
- Jignesh Patel
- Updated on: Jan 1, 2026
- 11:28 am
Gandhinagar : BSF કેમ્પમાં ગરબાનું ભવ્ય આયોજન, જવાનોએ પરિવાર સાથે ગરબાની રમઝટ બોલાવી, જુઓ Video
નવરાત્રીમાં આખો દેશ માતાજીની ભક્તિમાં રંગાઈ ગયો હતો. ત્યારે દેશના જવાનો માટે ખાસ ગાંધીનગરમાં BSFના હેડ ક્વાટરમાં ગરબાનું આયોજન કરાયું હતું.
- Jignesh Patel
- Updated on: Oct 3, 2025
- 2:31 pm
અમદાવાદ મ્યુ.કો હસ્તકની 1800 ઈમારતો પર રૂફ- ટોપ રેઈન-વોટર હાર્વેસ્ટિંગ સિસ્ટમ ઈન્સ્ટોલ કરાશે
'કેચ ધ રેઇન' અભિયાન અંતર્ગત અમદાવાદ મહાનરપાલિકા હસ્તકની આશરે 1800 ઈમારતો પર રૂફ-ટોપ રેઇન-વોટર હાર્વેસ્ટિંગ સિસ્ટમ ઇન્સ્ટોલ કરાશે. પ્રથમ ચરણમાં 400 બિલ્ડિંગ પ્રિમાઇસીસમાં અંદાજે 5.50 કરોડના ખર્ચે રૂફ-ટોપ રેઈન-વોટર હાર્વેસ્ટિંગ સિસ્ટમ ઇન્સ્ટોલેશનની કામગીરીનો પ્રારંભ થઈ ગયો છે. આ કામગીરી આગામી ચોમાસાની ઋતુ પહેલા પૂર્ણ કરવાનો ટાર્ગેટ છે.
- Jignesh Patel
- Updated on: Apr 21, 2025
- 3:00 pm
2 અમદાવાદીઓએ મેળવ્યુ ગીનીસ વર્લ્ડ રેકોર્ડમાં સ્થાન, જેસલ ત્રિવેદી અને પૂજા તિકમણીએ મેરેથોનમાં આ રેકોર્ડ બનાવ્યો
જેસલ અને પૂજા દ્વારા બનાવવામાં આવેલો ગીનીસ વર્લ્ડ રેકોર્ડનો અર્થ એ છે કે આ રેકોર્ડ અગાઉ કોઈના પણ દ્વારા બનાવવામાં આવ્યો નહોતો. તેમની અરજીને જૂન 2024માં ગીનીસ વર્લ્ડ રેકોર્ડ્સ દ્વારા સ્વીકારવામાં આવી હતી. તેમણે બંનેએ આ માટેની નિર્ધારિત માર્ગદર્શિકા મુજબ, તેમના આ પ્રયાસનું વીડિયોગ્રાફી મારફતે દસ્તાવેજીકરણ કર્યું હતું અને ચાર્ટર્ડ એકાઉન્ટેન્ટ્સ અને ગુજરાત પોલીસ વિભાગના અધિકારીઓ સહિતના સાક્ષીઓ દ્વારા તેનું પ્રમાણીકરણ કરાવ્યું હતું.
- Jignesh Patel
- Updated on: Jan 16, 2025
- 3:21 pm
બાબા બાગેશ્વર ગુજરાતમાં વિશ્વ ઉમિયાધામમાં કરશે હનુમંત કથા, તડામાર તૈયારીઓ શરુ
વિશ્વ ઉમિયાધામ, અમદાવાદમાં જાન્યુઆરી 2024માં બાબા બાગેશ્વરની દિવ્ય હનુમાન કથાનું આયોજન થઈ રહ્યું છે. આ કથા માટે તડામાર તૈયારીઓ ચાલી રહી છે. 29 ડિસેમ્બરે ભવ્ય બાઇક અને કાર રેલી યોજાશે. કથા 3 થી 6 જાન્યુઆરી સુધી ચાલશે. આ ધાર્મિક કાર્યક્રમ સનાતન ધર્મના પ્રચાર અને ઉમિયા માતાની આસ્થાને વધારવા માટેનું છે.
- Jignesh Patel
- Updated on: Dec 25, 2024
- 9:30 am
રેસ્ટોરેન્ટના જમવામાં ઈયળ કે જીવડું નહીં, મોટો કાચનો ટુકડો નીકળ્યો, જુઓ Video
અત્યાર સુધી જુદી જુદી રેસ્ટોરેન્ટમાંથી જીવજંતુ અને ઇયળ નીકળવાના અનેક સમાચાર સામે આવ્યા છે. જો કે અમદાવાદની એક રેસ્ટોરેન્ટમાંથી તો એકદમ જોખમી અને તમારા જીવને જોખમમાં મુકી દે તેવી વસ્તુ જમવામાંથી નીકળી છે. ગોતામાં એક રેસ્ટોરેન્ટમાં ગ્રાહકના ભોજનમાં એક મોટો કાચનો ટુકડો નીકળ્યો હોવાનું સામે આવ્યુ છે.
- Jignesh Patel
- Updated on: Dec 10, 2024
- 11:58 am
કાલુપુર રેલવે સ્ટેશનના નવિનીકરણ સંદર્ભે મળી મહત્વપૂર્ણ બેઠક, સ્ટેશનને જોડતો માર્ગ સિક્સ લેન કરવા સૂચન- Video
અમદાવાદના ઐતિહાસિક કાલુપુર રેલવે સ્ટેશનનું નવિનીકરણનું કામ હાલ ચાલી રહ્યુ છે. આ કામની સમીક્ષા અર્થે મહત્વપૂર્ણ બેઠક મળી હતી. જેમા ધારાસભ્યો, કોર્પોરેટર અને કોંગ્રેસના કોર્પોરેટર પણ હાજર રહ્યા હતા. બેઠકમાં દિનેશ કુશવાહાએ રેલવે સ્ટેશનને જોડતો માર્ગ સિક્સલેન કરવાનું સૂચન કર્યુ.
- Jignesh Patel
- Updated on: Dec 8, 2024
- 1:25 pm
અમદાવાદના લાંભા વોર્ડમાં પીવાનું દૂષિત પાણી આવતા કમોડ ગામના લોકોમાં ભારે રોષ, પાયાની સુવિધાથી વંચિત રાખવાનો આરોપ- Video
અમદાવાદના લાંભામાં આવેલા કમોડ ગામે પીવાનું દૂષિત પાણી આવતા ગામલોકોમાં ભારે રોષ છે. માત્ર દૂષિત પાણી નહીં પરંતુ 10 વર્ષથી લાંભાનો AMCમાં સમાવેશ બાદ પણ વિકાસ ન થયો હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે. વિપક્ષના નેતા સહિત ગામલોકોએ AMC વિરુદ્ધ સૂત્રોચ્ચાર કર્યા.
- Jignesh Patel
- Updated on: Dec 3, 2024
- 5:00 pm