Ashtami Prasad Recipe : અષ્ટમી પ્રસાદ માટે ઘરે બનાવો સ્વાદિષ્ટ કાળા ચણા, જાણો સંપૂર્ણ રેસિપી
અષ્ટમી અને નવમી પર દેવીની પૂજાનું વિશેષ મહત્વ છે. ભક્તો તેમને પ્રસાદ ચઢાવે છે અને તેમના આશીર્વાદ લે છે. પ્રસાદમાં કાળા ચણા અને હલવો ખાસ મહત્વપૂર્ણ છે. કાળા ચણા માત્ર સ્વાદિષ્ટ જ નથી પણ સ્વાસ્થ્ય માટે પણ ફાયદાકારક છે.

અષ્ટમી અને નવમીના દિવસે ચણા બનાવવા માટે કાળા ચણા, દેશી ઘી, જીરું, આદું, લીલા મરચાં, લાલ મરચાનો પાઉડર, ધાણા પાઉડર, ગરમ મસાલો, આમચુર પાઉડર, મીઠું સહિતની વસ્તુઓની જરુર પડશે.

સૌપ્રથમ, કાળા ચણાને આખી રાત પાણીમાં પલાળી રાખો. સવારે તેને સારી રીતે ધોઈને પ્રેશર કૂકરમાં મૂકો અને 2-3 સીટી સુધી રાંધો.

હવે, એક કડાઈમાં દેશી ઘી ગરમ કરો અને તેમાં જીરું અને હિંગ ઉમેરો. જ્યારે જીરું તડકાવા લાગે, ત્યારે આદુ અને લીલા મરચાં ઉમેરો અને થોડી સેકંડ માટે સાંતળો.

આ પછી, હળદર, લાલ મરચું પાવડર, ધાણા પાવડર અને મીઠું ઉમેરો અને મસાલાને સારી રીતે સાંતળો. જ્યારે મસાલા ઘી છૂટવા લાગે, ત્યારે બાફેલા કાળા ચણા ઉમેરો.

હવે ચણાને મસાલા સાથે સારી રીતે મિક્સ કરો અને ધીમા તાપે રાંધો, જેથી મસાલા ચણામાં સારી રીતે શોષાઈ જાય.

છેલ્લે, ગરમ મસાલો અને આમચુર પાવડર ઉમેરો અને મિક્સ કરો. ત્યારબાદ તેને સર્વ કરી શકો છો.
Tv9 ગુજરાતી પર હેલ્ધી, ટેસ્ટી અને યુનિક વાનગીઓ બનાવવાની સરળ ટીપ્સ નિયમિત પ્રકાશિત કરવામાં આવે છે. તો વધુ રેસિપિની સ્ટોરી વાંચી તમે ઘરે જ વાનગીઓ બનાવી શકો છો.
