T20 WC Breaking : અમદાવાદમાં હાઈ વૉલ્ટેજ ફાઇનલમાં 3 હજાર પોલીસકર્મી ખડેપગે તૈનાત, 7 PI, 91 PSI, હોમગાર્ડ સહિત 700 જવાનો રહેશે હાજર
અમદાવાદ શહેરમાં હાઈ વૉલ્ટેજ ફાઇનલ પહેલા પોલીસ કમિશનર જી એસ મલિક નરેન્દ્ર મોદી સ્ટેડિયમ પહોચ્યા હતા. ઉચ્ચ અધિકારીઓ સાથે સુરક્ષાની સમીક્ષા કરી હતી. 8-DCP, 14-ACP સહીત 27 પીઆઈ, 91 પીએસઆઈ, 3 હજાર પોલીસકર્મી બંદોબસ્તમા રહેશે.
આજે ક્રિકેટ ચાહકો માટે ખાસ ડે છે કારણ કે, આજે ટી20 વર્લ્ડકપ 2026ની ફાઈનલ અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં રમાશે. ટી20 વર્લ્ડકપની ફાઈનલ ભારત અને ન્યુઝીલેન્ડ વચ્ચે રમાશે. અમદાવાદમાં ફાઈનલ મેચને લઈ તમામ તૈયારીઓ પૂર્ણ થઈ ચૂકી છે.શનિવારના રોજ પોલીસ કમિશનર જી એસ મલિક નરેન્દ્ર મોદી સ્ટેડિયમ પહોચ્યા હતા.ફાઈનલ પૂર્વે ઉચ્ચ અધિકારીઓ સાથે સુરક્ષાની સમીક્ષા કરી હતી.આ સાથે નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં BDDS અને NDRFની ટીમ તૈનાત રહેશે.8-DCP, 14-ACP સહીત 27 પીઆઈ, 91 પીએસઆઈ, 3 હજાર પોલીસકર્મી બંદોબસ્તમા રહેશે. તો 256 સીસીટીવી કેમેરા, 102 ડોર ફ્રેમ મેટલ ડીટેક્ટર છે.
744 અધિકારી-કર્મીઓ તૈનાત
નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં પોલીસનો ચાંપતો બંદોબસ્ત ગોઠવવામાં આવશે.સ્ટેડિયમમા BDDSની 4 ટીમ NDRFની એક ટીમ તૈનાત રહેશે.ટ્રાફિક સંચાલન માટે 744 અધિકારી-કર્મીઓ તૈનાત રહેશે.1 JCP, 3 DCP, 4 ACP, 11 પીઆઈ, 25 પીએસઆઇ હાજર રહેશે.પોલીસકર્મી, TRB અને હોમગાર્ડ સહિત 700 જવાનો ટ્રાફિક નિયમન કરશે.
1 લાખ 10 હજારથી વધુ લોકો આવવાની શક્યતાઓ
સમીક્ષા બાદ અમદાવાદ પોલીસ કમિશનર જી એસ મલિકનું નિવેદન તેમણે કહ્યું કે,પોલીસ તરફથી તમામ તૈયારીઓ કરવામાં આવી છે. પ્રથમવાર ગેટ નંબર એક પર હોલ્ડિંગ એરિયા રાખવામાં આવ્યો છે. 1 લાખ 10 હજારથી વધુ લોકો આવવાની શક્યતાઓ છે. પબ્લિકને અપીલ કરવામાં આવી છે કે પબ્લિક ટ્રાન્સપોર્ટનો ઉપયોગ કરે, ચાહકો પોતાના વાહનોના બદલે પબ્લિક ટ્રાન્સપોર્ટથી સ્ટેડિયમ પહોંચે. મોડા સુધી બસો અને મેટ્રો ચાલુ રહેશે ટિકિટોની કાળા બજારી કરતા લોકો સામે કાર્યવાહી ચાલી રહી છે.હવે અમદાવાદમાં રમાનારા ટી20 વર્લ્ડકપની વાત કરીએ તો. ફાઈનલમાં ભારત પાસે ફરી ઈતિહાસ રચવાની તક હશે. જો ટીમ જીતી જાય છે તો 3 ટી20 વર્લ્ડકપ જીતનારી દુનિયાની પહેલી ટીમ બની જશે. ભારત સામે પડકાર સરળ નથી.