08 માર્ચના મહત્વના સમાચાર : આજે અમદાવાદમાં T20 વર્લ્ડ કપમાં ભારત-ન્યુઝીલેન્ડ વચ્ચે મુકાબલો, મેચની ટિકિટ માટે પડાપડી, તો ટિકિટની કાળાબજારી કરતા એકની ધરપકડ
આજે 08 માર્ચના રવિવારના રોજ, ગુજરાત સહીત દેશના વિવિધ રાજ્યોમાં અનેકવિધ કાર્યક્રમો યોજાવા જઈ રહ્યા છે. આજના બ્રેકિંગ ન્યૂઝ, દિવસભરના મોટા અને મહત્વના સમાચાર સૌથી પહેલા જાણવા અને વિવિધ સમાચારના ત્વરીત અપડેટ્સ મેળવવા માટે આપ, આ પેજને સતત રિફ્રેશ કરતા રહો.

LIVE NEWS & UPDATES
-
ભરૂચ: અંકલેશ્વરના પાનોલીની કંપનીમાં ભીષણ આગ
ભરૂચ: અંકલેશ્વરના પાનોલીની કંપનીમાં ભીષણ આગ લાગી છે. ક્રિશી રસાયણ એક્સપોર્ટ પ્રાઇવેટ લિમિટેડમાં આગની ઘટના સામે આવી છે. આગની જ્વાળા અને ધુમાડાના ગોટેગોટા દૂર દૂર સુધી નજરે પડ્યા છે. 80 કામદારોને તાત્કાલિક ફેક્ટરીની બહાર કઢાયા છે. 3 કામદારોને ધુમાડાની અસર થઈ છે. ઇજાગ્રસ્ત 3 કામદારોને હોસ્પિટલ ખસેડાયા છે. 15થી વધુ ફાયર ફાઇટરો આગ પર કાબૂ મેળવવા કામગીરીમાં જોડાયા છે. ફાયર વિભાગ દ્વારા મેજર કોલ જાહેર કરાયો છે. કંપની વિસ્તારમાં લોકોમાં ભયનો માહોલ સર્જાયો છે. આગ લાગવાના કારણ અંગે તપાસ હાથ ધરાઈ છે. ફાયર બ્રિગેડ દ્વારા સતત કૂલિંગ કામગીરી ચાલુ છે.
-
સુરેન્દ્રનગર: કેનાલમાં નાહવા પડેલા બે કિશોર ડૂબ્યા
સુરેન્દ્રનગર: કેનાલમાં નાહવા પડેલા બે કિશોર ડૂબ્યા હતા. જે પૈકી એકનું મોત અને અન્ય કિશોરની શોધખોળ યથાવત છે. લીંબડી તાલુકાના છાલિયા તળાવ પાસેની ઘટના છે. ફાયર ફાઇટર ટીમ દ્વારા એક કિશોરને બહાર કાઢવામાં આવ્યો છે. હોસ્પિટલમાં ડોક્ટરે એક કિશોરને મૃત જાહેર કર્યો છે. બીજા કિશોરની શોધખોળ માટે ફાયર ફાઇટર ટીમ કામગીરીમાં લાગી છે. સુરેન્દ્રનગર મનપાની ફાયર ટીમ દ્વારા કેનાલમાં સર્ચ ઓપરેશન હાથ ધરાયુ છે. એકનો મૃતદેહ મળ્યો, અન્યની શોધખોળ ચાલુ છે.
-
-
વાવ થરાદ: ધરણીધરના માવસરી ગામની ગૌશાળાને લઈને રાજકારણ ગરમાયું
વાવ થરાદ: ધરણીધરના માવસરી ગામની ગૌશાળાને લઈને રાજકારણ ગરમાયું છે. ગૌશાળાના વહીવટમાં ઉચાપતના આક્ષેપ સાથે ભાજપ કોંગ્રેસ આમને સામને આવ્યા. એક કરોડ ચોવીસ લાખના વહીવટ પર વિવાદ ઉગ્ર બન્યો છે. ગાયો માટે મળતી સરકારી સહાયના વહીવટ પર કોંગ્રેસે આક્ષેપ કર્યા છે. માવસરી ગામના સરપંચના પતિ અને ભાજપ પ્રમુખ પ્રકાશ વ્યાસ પર કોંગ્રેસનો આરોપ છે કે ગાયોના નામે નાણાં વહીવટમાં ગડબડ કરાઈ. કિસાન કોંગ્રેસ ચેરમેન ઠાકરસી રબારીએ ભ્રષ્ટાચારના ગંભીર આક્ષેપ કરતા વાવ થરાદનું રાજકારણ ગરમાયુ છે.
-
T20 વર્લ્ડ કપની ફાઈનલ પહેલા સ્ટેડિયમમાં લોખંડી બંદોબસ્ત
અમદાવાદમાં આવતીકાલે ભારત-ન્યૂઝીલેન્ડ વચ્ચે યોજાનારી ટી-20 વર્લ્ડકપની ફાઇનલને લઈને નરેન્દ્ર મોદી સ્ટેડિયમ અને શહેરમાં લોખંડી પોલીસ બંદોબસ્ત ગોઠવાયો. અમદાવાદ પોલીસ કમિશનરે સ્ટેડિયમની મુલાકાત લઈને સુરક્ષા વ્યવસ્થાની સમીક્ષા કરી. સ્ટેડિયમમાં BDDS અને NDRFની ટીમ તૈનાત રહેશે. 8-DCP, 14-ACP, 27 પીઆઈ, 91 પીએસઆઈ સહિત 1 હજાર 800 પોલીસકર્મી બંદોબસ્તમા તૈનાત રહેશે. ટ્રાફિક સંચાલન માટે 744 અધિકારી અને કર્મીઓ તૈનાત રહેશે. પોલીસકર્મી, TRB અને હોમગાર્ડ સહિત 700 જવાનો ટ્રાફિક નિયમન કરશે. ફાઈનલ મેચ પહેલા સમગ્ર સ્ટેડિયમમાં લોખંડી સુરક્ષા કવચ તૈયાર છે. સ્ટેડિયમમાં એન્ટી-ડ્રોન સિસ્ટમ તૈનાત રહેશે. આ અંગે પોલીસ કમિશનરે કહ્યું કે પ્રથમવાર ગેટ નંબર એક પર હોલ્ડિંગ એરિયા રાખવામાં આવ્યો છે અને1 લાખ 10 હજારથી વધુ લોકો આવવાની શક્યતાઓ છે. પોલીસ કમિશરે પ્રેક્ષકોને પબ્લિક ટ્રાન્સપોર્ટનો ઉપયોગ કરવા અપીલ કરી.
-
ટી-20 વર્લ્ડકપ ફાઈનલ પહેલા ભારત-ન્યૂઝીલેન્ડના કેપ્ટન વચ્ચે ‘વાકયુદ્ધ’
ટી-20 વર્લ્ડકપ ફાઈનલ પહેલા ભારત-ન્યૂઝીલેન્ડના કેપ્ટન વચ્ચે ‘વાકયુદ્ધ’ છેડાયુ છે. ન્યુઝીલેન્ડના કેપ્ટન સેન્ટનરના પડકાર બાદ સૂર્યકુમાર યાદવે પણ પલટવાર કરતા કહ્યુ કે સેન્ટનર ચતુર કેપ્ટન છે, પરંતુ અમારી ટીમ પડકારને પહોંચી વળવા સક્ષમ છે. ભારતીય પ્રેક્ષકોને શાંત રાખવાના સેન્ટનરના નિવેદન પર સૂર્યકુમારે જવાબ આપ્યો કે દરેક એક જ લાઈન બોલે છે પણ તેમણે કંઈક નવું કરવુ જોઈએ. અમે લોકો સારી બેટિંગ માટે પ્રયાસ કરીશુ. વિકેટની ડિમાન્ડ મુજબ અમે રમીશું. ભારત અને ન્યુઝિલેન્ડની ટીમે મોદી સ્ટેડિયમમાં નેટ પ્રેક્ટિસ કરી હતી. પહેલા ન્યુઝિલેન્ડ અને ત્યારબાદ ભારતીય ક્રિકેટ ટીમે સ્ટેડિયમમાં નેટ પ્રેક્ટિસ કરી.
-
-
CMનાં હસ્તે કોફી ટેબલ બૂકનું અનાવરણ
CMનાં હસ્તે કોફી ટેબલ બૂકનું અનાવરણ કરવામાં આવ્યુ. ‘ગુજરાત બિયોન્ડ ગ્રોથ’ કોફી ટેબલ બૂકનું અનાવરણ કરાયુ. કોફી ટેબલ બુકમાં ઉદ્યોગ સાહસિકોના અનુભવોનું ભાથુ છે. જેઓએ ઉદ્યોગથી આગળ વધી સમાજની સેવા કરી. વેપાર અને વ્યવસાયની સાથે સામાજિક જવાબદારી પણ નિભાવી. દેશની પ્રગતિ સાથે સમાજમાં પણ યોગદાન આપ્યુ. આ બુકના અનાવરણ પ્રસંગે CMના હસ્તે સ્મૃતિ ચિન્હ એનાયત કરાયા. ધમધમતા ઉદ્યોગો અને ધમસમતી સેવાની વાત બુકમાં કરાઈ છે. કોફી ટેબલ બુકમાં કોર્પોરેટ સોશિયલ રિસ્પોન્સિબિલિટી પર ભાર મુકાયો છે. CSRની પ્રવૃતિ વર્ણવતી કોફી ટેબલ બૂકનું અનાવરણ થયુ.
આજે 08 માર્ચના રવિવારના રોજ, ગુજરાત સહીત દેશના વિવિધ રાજ્યોમાં અનેકવિધ કાર્યક્રમો યોજાવા જઈ રહ્યા છે. આજે અમદાવાદમાં ટી20 વર્લ્ડ કપવો મહામુકાબલો યોજાવાનો છે ત્યારે વર્લ્ડ કપને લગતી તમામ અપડેટ્સ તેમજ આજના બ્રેકિંગ ન્યૂઝ, દિવસભરના મોટા અને મહત્વના સમાચાર સૌથી પહેલા જાણવા અને વિવિધ સમાચારના ત્વરીત અપડેટ્સ મેળવવા માટે આપ, આ પેજને સતત રિફ્રેશ કરતા રહો.
Published On - Mar 08,2026 7:44 AM