મમતા બેનર્જી
મમતા બેનર્જીનો જન્મ 5 જાન્યુઆરી 1955ના રોજ થયો હતો. તેઓ દેશના રાજકારણી છે. જે 20 મે 2011 થી પશ્ચિમ બંગાળ રાજ્યના આઠમા અને હાલમાં મુખ્યમંત્રી તરીકે કાર્યરત છે. પશ્ચિમ બંગાળમાં મહિલા તરીકે મુખ્યપ્રધાન બનનાર તેઓ પ્રથમ મહિલા છે. મમતા બેનર્જીએ કેન્દ્રીય કેબિનેટ મંત્રી તરીકે પણ હતા. મમતા બેનર્જી 2011 માં પ્રથમ વખત પશ્ચિમ બંગાળના મુખ્ય પ્રધાન બન્યા. તેમણે ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસથી અલગ થયા પછી 1998 માં ઓલ ઈન્ડિયા તૃણમૂલ કોંગ્રેસ નામના રાજકીય પક્ષની સ્થાપના કરી હતી. પશ્ચિમ બંગાળમાં લોકો મમતા બેનર્જીને દીદીના નામે સંબોધે છે. બંગાળી ભાષામાં મોટી બહેનને દીદી કહેવામાં આવે છે.
બેનર્જીએ અગાઉ બે વખત રેલવે મંત્રી તરીકે સેવા આપી હતી. જે આવું કરનાર પ્રથમ મહિલા છે. તે ભારત સરકારની કેબિનેટમાં કોલસાની બીજી મહિલા મંત્રી અને માનવ સંસાધન વિકાસ, યુવા બાબતો અને રમતગમત, મહિલા અને બાળ વિકાસ મંત્રી પણ છે. સિંગુર ખાતે ખેડુતો અને ખેડૂતોના ખર્ચે સ્પેશિયલ ઈકોનોમિક ઝોન માટે પશ્ચિમ બંગાળમાં સામ્યવાદીની આગેવાની હેઠળની સરકારની ઔદ્યોગિકીકરણ માટે અગાઉની જમીન સંપાદન નીતિઓનો વિરોધ કર્યા બાદ તેણી પ્રસિદ્ધિ પામી હતી. મમતા બેનર્જીએ, વિશ્વની સૌથી લાંબા સમય સુધી લોકશાહી ઢબે ચૂંટાયેલી સામ્યવાદી આગેવાનીવાળી સરકારને હરાવીને ઈતિહાસ રચ્યો હતો.
Breaking News : મમતા બેનર્જીને ફટકો, એક સમયના સાથીદાર સાંસદ કાકોલી ઘોષે, TMC ના તમામ હોદ્દા પરથી ધરી દીધુ રાજીનામું
એક સમયે ટીએમસીના સાંસદ કાકોલી ઘોષને મમતા બેનર્જીના ખૂબ નજીકના મહિલા નેતા માનવામાં આવતા હતા, કાકોલી ઘોષ આજે 27મી મેને બુધવારે ટીએમસી પક્ષના તમામ પદ પરથી રાજીનામું આપી દીધુ છે. બંગાળમાં ટીએમસી પાર્ટીની ચૂંટણીમાં કારમી હાર બાદ મમતા બેનર્જી માટે આ એક મોટો ઝટકો ગણાય છે, કારણ કે, પશ્ચિમ બંગાળના રાજકીય વર્તુળમાં ચર્ચાતી ચર્ચા મુજબ ટીએમસીના 12 સાંસદનું જૂથ ભાજપમાં જોડાઈ શકે છે તેવી વાતો વહેતી થઈ છે ત્યારે જ કાકોલી ઘોષે રાજીનામુ આપી દીધુ છે.
- TV9 Gujarati
- Updated on: May 27, 2026
- 3:17 pm
Breaking News : TMCમાં ભાગલા નક્કી ! પશ્ચિમ બંગાળમાં ભાજપની ભવ્ય જીત બાદ હવે TMCના 12 સાંસદ, મમતા સાથે ખેલા કરવાના મૂડમાં
પશ્ચિમ બંગાળમાં ટીએમસીના મમતા બેનર્જીની સત્તા જતા રહ્યાં બાદ, હવે 12 સાંસદો મમતા બેનર્જી સાથે ખેલા કરવાના મૂડમાં આવ્યા છે. આ સાંસદો ટીએમસી છોડીને ભાજપમાં જોડાઈ જશે તેવી અટકળો ચાલી રહી છે. જો ટીએમસીના 12 સાંસદો ભાજપમાં જોડાઈ જશે તો રાષ્ટ્રીયસ્તરે મમતા બેનર્જીને રાજકીય રીતે મોટો ધક્કો પહોંચશે.
- TV9 Gujarati
- Updated on: May 26, 2026
- 2:03 pm
અભિષેક બેનર્જીના ગઢ ગણાતી ફલતા બેઠક પર ભાજપનો પ્રચંડ વિજય: દેબાંશુ પાંડાએ ડાબેરી ઉમેદવારને 1 લાખથી વધુ મતોથી હરાવ્યા
પશ્ચિમ બંગાળની ફલતા વિધાનસભા બેઠક પર યોજાયેલી પેટાચૂંટણીના પરિણામો જાહેર થઈ ગયા છે. ભાજપના ઉમેદવારે સીપીએમના શંભુ નાથ કુર્મીને પરાજય આપ્યો છે, જ્યારે સત્તાધારી ટીએમસી ચોથા ક્રમે ફેંકાઈ ગઈ છે.
- Sachin Agrawal
- Updated on: May 24, 2026
- 10:15 pm
Breaking News: હવે દીદી કરશે વકીલાત, વકીલના ડ્રેસમાં કોલકાતા હાઈકોર્ટ પહોંચ્યા, બાર કાઉન્સિલ પાસે માગ્યુ વકીલાતનું સર્ટિફિકેટ
પશ્ચિમ બંગાળના પૂર્વ મુખ્યમંત્રી મમતા બેનર્જી એ ગુરુવારે કોલકાતા હાઈકોર્ટમાં વકીલના ડ્રેસમાં રજૂ થયા હતા. હાઈકોર્ટમાં તેઓ વકીલોનો પારંપારિક બ્લેક કોર્ટ અને સફેદ કોલર બેંડ પહેરીને પહોંચ્યા હતા. જો કે તેઓ જેવા હાઈકોર્ટની બહાર નીકળ્યા તો તેમની વિરુદ્ધ ચોર-ચોર ના નારા લાગ્યા.
- Mina Pandya
- Updated on: May 14, 2026
- 7:44 pm
INDIA Alliance : વિપક્ષ સામે પાર્ટી અસ્તિત્વનું સંકટ, બંગાળના પરિણામોએ વધારી ચિંતા!
પશ્ચિમ બંગાળમાં ભાજપની જીતને ભારતીય રાજકારણમાં મોટો પરિવર્તન તરીકે જોવામાં આવી રહ્યું છે. ભાજપની આ જીત દર્શાવે છે કે પાર્ટી હિન્દુત્વ અને કલ્યાણકારી યોજનાના આધારે પોતાની પકડ મજબૂત બનાવી રહીં છે. વિપક્ષ માટે આ ઊંડી ચિંતાનો વિષય છે.
- Dhruval Shah
- Updated on: May 9, 2026
- 11:40 am
દીદીને તેના જ ગઢમાં પડકારી બંગાળની જીતના સૌથી મોટા નાયક બનનારા શુભેન્દુ અધિકારી કોની પાસેથી શીખ્યા રાજનીતિની ABCD? – વાંચો
રામાયણના કાળથી ચાલ્યુ આવે છે કે રાજનીતિમાં કોઈ વિભીષણના કારણે રાવણે સત્તા ગુમાવવી પડી છે. મહારાષ્ટ્રમાં શિવસેનામાંથી બળવો કરનારા એકનાથ શિંદે હોય કે અસમમાં કોંગ્રેસમાંથી આવેલા હિમંતા બિસ્વા સરમા અને હવે બંગાળમાં મમતા બેનર્જી સાથે TMC માંથી છેડો ફાડીને ભાજપમાં આવેલા શુભેન્દુ અધિકારી હોય. કહેવાય છે કે કોઈ મજબુત મજબુત કિલ્લાને તોડવા માટે બહારના શત્રુ કરતા અંદરનો હિતશત્રુ વધુ જોખમી હોય છે. અને ભાજપે મમતાની સત્તાનો કિલ્લો ધ્વસ્ત કર્યો તેમા સૌથી મોટો રોલ શુભેન્દુ અધિકારીનો રહ્યો છે. મમતા સરકારમાં કેબિનેટ મંત્રી સુદ્ધા રહેલા, સૌથી વધુ વિભાગો જેમની પાસે હતા એ શુભેન્દુનો આખરે મમતાથી મોહભંગ શા માટે થયો. તેની પાછળ કયા કારણો રહ્યા હતા. વાંચો વિગતવાર..
- Mina Pandya
- Updated on: May 15, 2026
- 4:33 pm
Breaking News : પશ્ચિમ બંગાળના રાજ્યપાલે વિધાનસભાને કરી ભંગ, ચૂંટણી હાર્યા બાદ મમતાએ નહોતું આપ્યું રાજીનામું
પશ્ચિમ બંગાળમાં વર્તમાન મમતા બેનર્જીની સરકાર વાળી વિધાનસભાને ભંગ કરવાના આદેશ સાથે, 17મી વિધાનસભાનો કાર્યકાળ સમાપ્ત થઈ ગયો છે. જેનાથી નવા ચૂંટાયેલા પ્રતિનિધિઓનો સમાવેશ કરતી 18મી વિધાનસભાની રચનાનો માર્ગ મોકળો થયો છે. એવી અપેક્ષા છે કે, આગામી દિવસોમાં, નવા મંત્રીમંડળના શપથ ગ્રહણ સમારોહ અને નવી વિધાનસભાના પ્રથમ સત્ર બોલાવવાની પ્રક્રિયા શરૂ થશે.
- TV9 Gujarati
- Updated on: May 7, 2026
- 7:41 pm
મમતા બેનર્જી વિશે ચોંકાવનારો ખૂલાસો કરતો રાજીવ ગાંધીનો એક 15-20 વર્ષ જૂનો વીડિયો વાયરલ, દરેક હિંદુને આ વીડિયો જોઈને આવી શકે છે ગુસ્સો
સ્વ રાજીવ દીક્ષિતે મમતા બેનર્જી વિશે એક એવો ચોંકાવનારો ખૂલાસો કર્યો છે જે સાંભળીને દરેક સનાતની હિંદુ વ્યક્તિના રૂંવાડા ઉભા થઈ જશે. દરેક હિંદુ માટે ગાય પૂજનિય છે અને હિંદુ ધર્મમાં ગાયને માતાનો દરજ્જો આપવામાં આવ્યો છે ત્યારે મમતા બેનર્જીના ગાયને લઈને અને ગૌહત્યા ને લઈને કેટલી હલકી કક્ષાની માનસિક્તા છે. તે આ વીડિયો દ્વારા જાણવા મળે છે.
- Mina Pandya
- Updated on: May 7, 2026
- 5:41 pm
જો દીદી આજે રાજીનામુ નહીં આપતા તો બંગાળમાં આગામી બે દિવસ કોણ શાસન કરશે? 9 મી મે એ યોજાવાની છે નવા CMની શપથવિધિ
પશ્ચિમ બંગાળમાં અભૂતપૂર્વ બંધારણીય સંકટ સર્જાયું છે. મુખ્યમંત્રી મમતા બેનર્જી ચૂંટણી હારવા છતાં રાજીનામું આપવાનો ઇનકાર કર્યો છે. 7 મેના રોજ વિધાનસભાનો કાર્યકાળ સમાપ્ત થાય છે, પરંતુ નવા CM 9 મેના રોજ શપથ લેશે. આ 7 મેની મધ્યરાત્રિથી 9 મે સુધીના સત્તાના શૂન્યકાળમાં રાજ્યનું શાસન કોણ સંભાળશે તે મોટો પ્રશ્ન છે, જેમાં રાજ્યપાલની ભૂમિકા અત્યંત નિર્ણાયક બની રહેશે.
- Mina Pandya
- Updated on: May 7, 2026
- 4:04 pm
Breaking News : ગોપી વહુએ મમતા બેનર્જી પર કટાક્ષ કર્યો, બાંગ્લાદેશની PM બનાવી દો
સાથ નિભાના સાથિયાની અભિનેત્રી દેવોલીના ભટ્ટાચાર્યએ હાલમાં મમતા બેનર્જી પર કટાક્ષ કર્યો હતો. અભિનેત્રીએ સોશિયલ મીડિયા પર પોસ્ટ કરી કહ્યું ટાટા-બાય બાય તેમજ ગોપી વહુએ કહ્યું 'No રૂમ્બા તુમ્બા ઝુમ્બા'
- Nirupa Duva
- Updated on: May 7, 2026
- 1:36 pm
Breaking News : ભૂતપૂર્વ ક્રિકેટરે મમતા બેનર્જીની પાર્ટી પર ખંડણીનો આરોપ લગાવ્યો, TMCને કહ્યું- ટાટા.. બાય બાય..
પશ્ચિમ બંગાળમાં કારમી હાર બાદ ભૂતપૂર્વ ક્રિકેટર મનોજ તિવારીએ ટીએમસી છોડવાનો નિર્ણય લીધો છે. તેમણે કહ્યું કે આ વખતે ચૂંટણી લડવા માટે તેમની પાસે 5 કરોડ માંગવામાં આવ્યા હતા, પરંતુ તેમણે ના પાડી દીધી. તેમજ અનેક ખુલાસા કર્યા છે.
- Nirupa Duva
- Updated on: May 7, 2026
- 1:04 pm
Breaking News : મહિલા જ્યોતિષીએ કરી મોટી આગાહી, કહ્યું ટ્રમ્પનો આ કાર્યકાળ છેલ્લો હશે
પશ્ચિમ બંગાળમાં ભારતીય જનતા પાર્ટીની મોટી જીત બાદ સોશિયલ મીડિયા પર અનેક વીડિયો વાયરલ થઈ રહ્યા છે. જેમાં જ્યોતિષી ભવિષ્યવાણી કરી હતી. એક મહિલાની 5 ભવિષ્યવાણીમાંથી 2 ભવિષ્યવાણી સાચી પડી છે. તેમજ નરેન્દ્રમોદી વિશે પણ કરી ચૂકી છે મોટી ભવિષ્યવાણી,
- Nirupa Duva
- Updated on: May 7, 2026
- 1:40 pm
Breaking News : પશ્ચિમ બંગાળમાં ભાજપની જીતથી ખુશ થયો આ દેશ, સાત સમંદર પારથી પ્રધાનમંત્રી મોદી માટે આવ્યા અભિનંદન
કમલા પ્રસાદ-બિસેસરે 2026ની પશ્ચિમ બંગાળ વિધાનસભા ચૂંટણીમાં ભાજપની ઐતિહાસિક જીત બદલ વડા પ્રધાન નરેન્દ્ર મોદીને અભિનંદન આપ્યા છે. તેમણે તેને ભારતીય લોકશાહી માટે એક મોટી સિદ્ધિ ગણાવી છે.
- Dhruval Shah
- Updated on: May 7, 2026
- 7:58 am
કાનુની સવાલ : જો મમતા બેનર્જી રાજીનામું ના આપે તો ? કાયદો શું કહે છે તે જાણો
મમતા બેનર્જીએ કહ્યું, "આગામી દિવસોમાં (I.N.D.I.A.Indian National Developmental Inclusive Alliance) વધુ મજબૂત બનશે. બધા નેતાઓ એક પછી એક મળશે અને અમે વિપક્ષી ગઠબંધનને મજબૂત બનાવીશું."મમતા બેનર્જી રાજીનામું ન આપે તો? કાયદો શું કહે છે જાણો
- Nirupa Duva
- Updated on: May 7, 2026
- 6:59 am
Breaking News : રાતે 9 વાગ્યે બંગાળના રસ્તાઓ પર ચાલ્યા બુલડોઝર, TMCના ઓફિસને કર્યું ધ્વસ્ત! મમતાની પાર્ટીએ કહ્યું કે ‘BJPએ…’
પશ્ચિમ બંગાળ રાજ્યની 294 બેઠકોમાંથી ભાજપે 207 બેઠકો જીતી છે જ્યારે તૃણમૂલ કોંગ્રેસે 80 બેઠકો પર જીત મેળવી છે. બંગાળ ચૂંટણી પરિણામો બાદ હિંસાના બનાવો નોંધાયા છે. મંગળવારે, 5મી મે 2026ના રોજ કોલકાતાના હોગ માર્કેટમાં TMCનું ઓફિસને ધ્વસ્ત કરવામાં આવ્યું હતું.
- Dhruval Shah
- Updated on: May 6, 2026
- 12:34 pm