મમતા બેનર્જી
મમતા બેનર્જીનો જન્મ 5 જાન્યુઆરી 1955ના રોજ થયો હતો. તેઓ દેશના રાજકારણી છે. જે 20 મે 2011 થી પશ્ચિમ બંગાળ રાજ્યના આઠમા અને હાલમાં મુખ્યમંત્રી તરીકે કાર્યરત છે. પશ્ચિમ બંગાળમાં મહિલા તરીકે મુખ્યપ્રધાન બનનાર તેઓ પ્રથમ મહિલા છે. મમતા બેનર્જીએ કેન્દ્રીય કેબિનેટ મંત્રી તરીકે પણ હતા. મમતા બેનર્જી 2011 માં પ્રથમ વખત પશ્ચિમ બંગાળના મુખ્ય પ્રધાન બન્યા. તેમણે ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસથી અલગ થયા પછી 1998 માં ઓલ ઈન્ડિયા તૃણમૂલ કોંગ્રેસ નામના રાજકીય પક્ષની સ્થાપના કરી હતી. પશ્ચિમ બંગાળમાં લોકો મમતા બેનર્જીને દીદીના નામે સંબોધે છે. બંગાળી ભાષામાં મોટી બહેનને દીદી કહેવામાં આવે છે.
બેનર્જીએ અગાઉ બે વખત રેલવે મંત્રી તરીકે સેવા આપી હતી. જે આવું કરનાર પ્રથમ મહિલા છે. તે ભારત સરકારની કેબિનેટમાં કોલસાની બીજી મહિલા મંત્રી અને માનવ સંસાધન વિકાસ, યુવા બાબતો અને રમતગમત, મહિલા અને બાળ વિકાસ મંત્રી પણ છે. સિંગુર ખાતે ખેડુતો અને ખેડૂતોના ખર્ચે સ્પેશિયલ ઈકોનોમિક ઝોન માટે પશ્ચિમ બંગાળમાં સામ્યવાદીની આગેવાની હેઠળની સરકારની ઔદ્યોગિકીકરણ માટે અગાઉની જમીન સંપાદન નીતિઓનો વિરોધ કર્યા બાદ તેણી પ્રસિદ્ધિ પામી હતી. મમતા બેનર્જીએ, વિશ્વની સૌથી લાંબા સમય સુધી લોકશાહી ઢબે ચૂંટાયેલી સામ્યવાદી આગેવાનીવાળી સરકારને હરાવીને ઈતિહાસ રચ્યો હતો.
Breaking News: TMC નેતા પર ફેંકાયું ‘ઈંડું’! મમતા બેનર્જીના ઘરની બહાર થયો ‘હુમલો’, પકડાયેલા યુવકે કર્યો ‘ચોંકાવનારો ખુલાસો’
પશ્ચિમ બંગાળના રાજકારણમાંથી આ સમયના એક મોટા સમાચાર સામે આવી રહ્યા છે. કોલકાતામાં તૃણમૂલ કોંગ્રેસ (TMC)ના વરિષ્ઠ નેતા અને ધારાસભ્ય પર એક સ્થાનિક યુવક દ્વારા ઈંડું ફેંકવામાં આવ્યું હોવાની ઘટના બની છે.
- Ravi Prajapati
- Updated on: Jun 15, 2026
- 8:19 pm
Breaking News: શું શત્રુઘ્ન સિન્હા પણ છોડશે TMCનો સાથ ? પક્ષમાં ચાલી રહેલી બગાવત વચ્ચે સાંસદે પોતે જ આપી દીધો ‘મોટો જવાબ’
પશ્ચિમ બંગાળના રાજકીય માહોલમાં આ દિવસોમાં ભારે હલચલ જોવા મળી રહી છે. તૃણમૂલ કોંગ્રેસ (TMC) ના અંદરના આંતરિક મતભેદો અને નેતાઓની નારાજગી હવે ધીમે-ધીમે બહાર આવી રહી છે. એવામાં શત્રુઘ્ન સિન્હાએ પણ પોતાનો મંતવ્ય રજૂ કર્યો છે.
- Ravi Prajapati
- Updated on: Jun 12, 2026
- 6:12 pm
Breaking News: TMC તૂટતાની સાથે જ મમતા બેનર્જી પર આવી ‘નવી આફત’, એક ભાષણ મામલે દીદી વિરૂદ્ધ ‘FIR’
પશ્ચિમ બંગાળના રાજકારણમાંથી આ સમયે એક બહુ મોટા સમાચાર સામે આવી રહ્યા છે. ચૂંટણીના પરિણામો બાદ મમતા બેનર્જીની પાર્ટી તૃણમૂલ કોંગ્રેસ (TMC) મુશ્કેલ સમયમાંથી પસાર થઈ રહી છે.
- Ravi Prajapati
- Updated on: Jun 12, 2026
- 5:11 pm
Breaking News: દેશની રાજનીતિમાં સૌથી ‘મોટા સમાચાર’, મમતા બેનર્જી તૃણમુલ કોંગ્રેસને વિલીન કરી કોંગ્રેસમાં વાપસી કરે તેવી શક્યતા – જુઓ Video
દેશની રાજનીતિમાંથી આ સમયના સૌથી મોટા સમાચાર સામે આવી રહ્યા છે. પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જી પોતાની પાર્ટી ઓલ ઈન્ડિયા તૃણમૂલ કોંગ્રેસ (TMC) નું વિલીનીકરણ કરીને ફરી એકવાર કોંગ્રેસમાં વાપસી કરે તેવી પ્રબળ શક્યતાઓ દેખાઈ રહી છે.
- TV9 Gujarati
- Updated on: Jun 10, 2026
- 4:16 pm
Breaking News : મમતા બેનર્જીનો સાથ છોડી રહ્યો છે યુસુફ પઠાણ? મહુઆ મોઈત્રાનો શાબ્દિક પ્રહાર
શું યુસુફ પઠાણ પણ મમતા બેનર્જીનો સાથ છોડી રહ્યા છે?યુસુફ પઠાણ પણ NDA ને સમર્થન આપી રહ્યા છે અને બળવાખોર TMC સાંસદોમાં સામેલ છે. આ સમગ્ર મામલો શું છે ચાલો વિસ્તારથી જાણીએ.
- Nirupa Duva
- Updated on: Jun 9, 2026
- 12:44 pm
Breaking News : મમતા બેનર્જીના ટીએમસીની રાજકીય પડતીની શરૂઆત ! 20 સાંસદોએ અલગ ચોકો રચ્યો, લોકસભા અધ્યક્ષને આપ્યો પત્ર
પશ્ચિમ બંગાળ વિધાનસભા ચૂંટણી બાદ, ટીએમસી સંસદીય દળમાં ભાગલા હવે લગભગ નિશ્ચિત જણાય છે. 20 બળવાખોર સાંસદોએ લોકસભા અધ્યક્ષને પત્ર લખીને એનડીએમાં જોડાવાનો ઇરાદો જાહેર કર્યો છે. ભાજપના મહાસચિવ ભૂપેન્દ્ર યાદવના નિવાસસ્થાને મળેલી બેઠક બાદ, કાકોલી ઘોષ દસ્તીદારે લોકસભાના અધ્યક્ષને આ પત્ર સુપરત કર્યો હતો. મમતા બેનર્જી ઈન્ડિયા એલાયન્સની બેઠકમાં હાજરી આપી રહ્યા હતા ત્યારે થયેલા આ ઘટનાક્રમે ટીએમસીને ગંભીર રાજકીય ફટકો પહોંચાડ્યો છે.
- TV9 Gujarati
- Updated on: Jun 8, 2026
- 6:32 pm
પશ્ચિમ બંગાળમાં મોટો રાજકીય ભૂકંપ, TMC ના 50 ધારાસભ્યો અને 12 સાંસદો બળવાના મૂડમાં
પશ્ચિમ બંગાળ વિધાનસભા ચૂંટણીમાં પરાજય બાદ તૃણમૂલ કોંગ્રેસમાં આંતરિક વિખવાદ ચરમસીમાએ પહોંચ્યો છે. પક્ષ વિરોધી પ્રવૃત્તિઓના કારણે ઋતબ્રત બેનર્જી અને સંદીપન સાહાની હકાલપટ્ટી બાદ હવે 50 ધારાસભ્યો મમતા બેનર્જીનો સાથ છોડે તેવી પ્રબળ શક્યતાઓ દેખાઈ રહી છે.
- Sachin Agrawal
- Updated on: Jun 3, 2026
- 6:59 pm
Breaking News : બંગાળમાં મોટો રાજકીય ખેલ, TMC માં આંતરિક ઘર્ષણ વચ્ચે અભિષેક બેનર્જીને EDનું સમન્સ, જાણો કારણ
પશ્ચિમ બંગાળમાં રાજકીય ઉથલપાથલ ચરમસીમા પર છે. શિક્ષક ભરતી કૌભાંડમાં EDએ મમતા બેનર્જીના ભત્રીજા અભિષેક બેનર્જીને સમન્સ પાઠવ્યા છે. બીજી તરફ, TMC આંતરિક વિવાદો અને નેતૃત્વની ખેંચતાણનો સામનો કરી રહી છે, જ્યાં 'ખરી TMC' કોણ તે મુદ્દે રાજકીય સંઘર્ષ ઘેરો બન્યો છે.
- Sagar Solanki
- Updated on: Jun 3, 2026
- 6:45 pm
Breaking News: ટીએમસી સાંસદ અભિષેક બેનર્જી પર હુમલા બાદ મમતા બેનર્જીનો પ્રહાર, અખિલેશ યાદવે ગણાવ્યું કાવતરું
પશ્ચિમ બંગાળમાં તૃણમૂલ કોંગ્રેસના સાંસદ અભિષેક બેનર્જી પર થયેલા હુમલા બાદ દેશનું રાજકારણ ગરમાયું છે. મમતા બેનર્જીએ ભાજપ સરકારને ઘેરતા આકરા શબ્દોમાં ટીકા કરી છે, જ્યારે વિપક્ષી નેતાઓએ આ ઘટનાને લોકશાહીની હત્યા અને મોટું કાવતરું ગણાવ્યું છે.
- Sachin Agrawal
- Updated on: May 30, 2026
- 9:51 pm
Breaking News : મમતા બેનર્જીને ફટકો, એક સમયના સાથીદાર સાંસદ કાકોલી ઘોષે, TMC ના તમામ હોદ્દા પરથી ધરી દીધુ રાજીનામું
એક સમયે ટીએમસીના સાંસદ કાકોલી ઘોષને મમતા બેનર્જીના ખૂબ નજીકના મહિલા નેતા માનવામાં આવતા હતા, કાકોલી ઘોષ આજે 27મી મેને બુધવારે ટીએમસી પક્ષના તમામ પદ પરથી રાજીનામું આપી દીધુ છે. બંગાળમાં ટીએમસી પાર્ટીની ચૂંટણીમાં કારમી હાર બાદ મમતા બેનર્જી માટે આ એક મોટો ઝટકો ગણાય છે, કારણ કે, પશ્ચિમ બંગાળના રાજકીય વર્તુળમાં ચર્ચાતી ચર્ચા મુજબ ટીએમસીના 12 સાંસદનું જૂથ ભાજપમાં જોડાઈ શકે છે તેવી વાતો વહેતી થઈ છે ત્યારે જ કાકોલી ઘોષે રાજીનામુ આપી દીધુ છે.
- TV9 Gujarati
- Updated on: May 27, 2026
- 3:17 pm
Breaking News : TMCમાં ભાગલા નક્કી ! પશ્ચિમ બંગાળમાં ભાજપની ભવ્ય જીત બાદ હવે TMCના 12 સાંસદ, મમતા સાથે ખેલા કરવાના મૂડમાં
પશ્ચિમ બંગાળમાં ટીએમસીના મમતા બેનર્જીની સત્તા જતા રહ્યાં બાદ, હવે 12 સાંસદો મમતા બેનર્જી સાથે ખેલા કરવાના મૂડમાં આવ્યા છે. આ સાંસદો ટીએમસી છોડીને ભાજપમાં જોડાઈ જશે તેવી અટકળો ચાલી રહી છે. જો ટીએમસીના 12 સાંસદો ભાજપમાં જોડાઈ જશે તો રાષ્ટ્રીયસ્તરે મમતા બેનર્જીને રાજકીય રીતે મોટો ધક્કો પહોંચશે.
- TV9 Gujarati
- Updated on: May 26, 2026
- 2:03 pm
અભિષેક બેનર્જીના ગઢ ગણાતી ફલતા બેઠક પર ભાજપનો પ્રચંડ વિજય: દેબાંશુ પાંડાએ ડાબેરી ઉમેદવારને 1 લાખથી વધુ મતોથી હરાવ્યા
પશ્ચિમ બંગાળની ફલતા વિધાનસભા બેઠક પર યોજાયેલી પેટાચૂંટણીના પરિણામો જાહેર થઈ ગયા છે. ભાજપના ઉમેદવારે સીપીએમના શંભુ નાથ કુર્મીને પરાજય આપ્યો છે, જ્યારે સત્તાધારી ટીએમસી ચોથા ક્રમે ફેંકાઈ ગઈ છે.
- Sachin Agrawal
- Updated on: May 24, 2026
- 10:15 pm
Breaking News: હવે દીદી કરશે વકીલાત, વકીલના ડ્રેસમાં કોલકાતા હાઈકોર્ટ પહોંચ્યા, બાર કાઉન્સિલ પાસે માગ્યુ વકીલાતનું સર્ટિફિકેટ
પશ્ચિમ બંગાળના પૂર્વ મુખ્યમંત્રી મમતા બેનર્જી એ ગુરુવારે કોલકાતા હાઈકોર્ટમાં વકીલના ડ્રેસમાં રજૂ થયા હતા. હાઈકોર્ટમાં તેઓ વકીલોનો પારંપારિક બ્લેક કોર્ટ અને સફેદ કોલર બેંડ પહેરીને પહોંચ્યા હતા. જો કે તેઓ જેવા હાઈકોર્ટની બહાર નીકળ્યા તો તેમની વિરુદ્ધ ચોર-ચોર ના નારા લાગ્યા.
- Mina Pandya
- Updated on: May 14, 2026
- 7:44 pm
INDIA Alliance : વિપક્ષ સામે પાર્ટી અસ્તિત્વનું સંકટ, બંગાળના પરિણામોએ વધારી ચિંતા!
પશ્ચિમ બંગાળમાં ભાજપની જીતને ભારતીય રાજકારણમાં મોટો પરિવર્તન તરીકે જોવામાં આવી રહ્યું છે. ભાજપની આ જીત દર્શાવે છે કે પાર્ટી હિન્દુત્વ અને કલ્યાણકારી યોજનાના આધારે પોતાની પકડ મજબૂત બનાવી રહીં છે. વિપક્ષ માટે આ ઊંડી ચિંતાનો વિષય છે.
- Dhruval Shah
- Updated on: May 9, 2026
- 11:40 am
દીદીને તેના જ ગઢમાં પડકારી બંગાળની જીતના સૌથી મોટા નાયક બનનારા શુભેન્દુ અધિકારી કોની પાસેથી શીખ્યા રાજનીતિની ABCD? – વાંચો
રામાયણના કાળથી ચાલ્યુ આવે છે કે રાજનીતિમાં કોઈ વિભીષણના કારણે રાવણે સત્તા ગુમાવવી પડી છે. મહારાષ્ટ્રમાં શિવસેનામાંથી બળવો કરનારા એકનાથ શિંદે હોય કે અસમમાં કોંગ્રેસમાંથી આવેલા હિમંતા બિસ્વા સરમા અને હવે બંગાળમાં મમતા બેનર્જી સાથે TMC માંથી છેડો ફાડીને ભાજપમાં આવેલા શુભેન્દુ અધિકારી હોય. કહેવાય છે કે કોઈ મજબુત મજબુત કિલ્લાને તોડવા માટે બહારના શત્રુ કરતા અંદરનો હિતશત્રુ વધુ જોખમી હોય છે. અને ભાજપે મમતાની સત્તાનો કિલ્લો ધ્વસ્ત કર્યો તેમા સૌથી મોટો રોલ શુભેન્દુ અધિકારીનો રહ્યો છે. મમતા સરકારમાં કેબિનેટ મંત્રી સુદ્ધા રહેલા, સૌથી વધુ વિભાગો જેમની પાસે હતા એ શુભેન્દુનો આખરે મમતાથી મોહભંગ શા માટે થયો. તેની પાછળ કયા કારણો રહ્યા હતા. વાંચો વિગતવાર..
- Mina Pandya
- Updated on: May 15, 2026
- 4:33 pm