
મમતા બેનર્જી
મમતા બેનર્જીનો જન્મ 5 જાન્યુઆરી 1955ના રોજ થયો હતો. તેઓ દેશના રાજકારણી છે. જે 20 મે 2011 થી પશ્ચિમ બંગાળ રાજ્યના આઠમા અને હાલમાં મુખ્યમંત્રી તરીકે કાર્યરત છે. પશ્ચિમ બંગાળમાં મહિલા તરીકે મુખ્યપ્રધાન બનનાર તેઓ પ્રથમ મહિલા છે. મમતા બેનર્જીએ કેન્દ્રીય કેબિનેટ મંત્રી તરીકે પણ હતા. મમતા બેનર્જી 2011 માં પ્રથમ વખત પશ્ચિમ બંગાળના મુખ્ય પ્રધાન બન્યા. તેમણે ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસથી અલગ થયા પછી 1998 માં ઓલ ઈન્ડિયા તૃણમૂલ કોંગ્રેસ નામના રાજકીય પક્ષની સ્થાપના કરી હતી. પશ્ચિમ બંગાળમાં લોકો મમતા બેનર્જીને દીદીના નામે સંબોધે છે. બંગાળી ભાષામાં મોટી બહેનને દીદી કહેવામાં આવે છે.
બેનર્જીએ અગાઉ બે વખત રેલવે મંત્રી તરીકે સેવા આપી હતી. જે આવું કરનાર પ્રથમ મહિલા છે. તે ભારત સરકારની કેબિનેટમાં કોલસાની બીજી મહિલા મંત્રી અને માનવ સંસાધન વિકાસ, યુવા બાબતો અને રમતગમત, મહિલા અને બાળ વિકાસ મંત્રી પણ છે. સિંગુર ખાતે ખેડુતો અને ખેડૂતોના ખર્ચે સ્પેશિયલ ઈકોનોમિક ઝોન માટે પશ્ચિમ બંગાળમાં સામ્યવાદીની આગેવાની હેઠળની સરકારની ઔદ્યોગિકીકરણ માટે અગાઉની જમીન સંપાદન નીતિઓનો વિરોધ કર્યા બાદ તેણી પ્રસિદ્ધિ પામી હતી. મમતા બેનર્જીએ, વિશ્વની સૌથી લાંબા સમય સુધી લોકશાહી ઢબે ચૂંટાયેલી સામ્યવાદી આગેવાનીવાળી સરકારને હરાવીને ઈતિહાસ રચ્યો હતો.
2026 માં બંગાળમાં કઈક મોટું થશે..! બેનર્જી સરકાર પર આરોપ લગાવતા અમિત શાહે કરી મોટી વાત, જુઓ Video
કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે કોલકાતામાં ભાજપ કાર્યકર્તાઓને સંબોધિત કરતી વખતે 2026 માં મમતા બેનર્જી સરકારને દૂર કરવાનું વચન આપ્યું હતું. તેમણે બંગાળમાં હિંસા અને ઘૂસણખોરીના મુદ્દાઓની આકરી ટીકા કરી હતી અને ભાજપની વધતી જતી લોકપ્રિયતાનો દાવો કર્યો હતો. તેમણે ભાજપ સત્તામાં આવશે તો CAA લાગુ કરવાનું પણ વચન આપ્યું હતું.
- Sagar Solanki
- Updated on: Jun 1, 2025
- 4:37 pm
વક્ફના વિરોધની આડમાં હિંદુઓના ઘરો સળગાવ્યા, મહિલાઓના શિયળ લૂંટ્યા, પલાયન થવા મજબુર કર્યા શું બીજુ બાંગ્લાદેશ બની રહ્યુ છે બંગાળ?
બંગાળમાં વક્ફ એક્ટના વિરોધમાં હિંસક લોકો રસ્તા પર ઉતરી આવ્યા અને હિંસક ટોળાએ વક્ફની સાથે જેને કંઈ લેવાદેવા નથી એવા નિર્દોષ હિંદુઓ પરિવારોને ટાર્ગેટ કર્યા. તેમના ઘરો સળગાવી દીધા, એક પિતા પુત્રને ઘરમાંથી બળજબરીથી બહાર ખેંચી જઈ માર માર્યો અને હત્યા નિપજાવી, સ્ત્રીઓ સાથે બર્બરતા આચરવામાં આવી અને હિંદુઓને પલાયન કરી જવા માટે મજબુર કરવામાં આવ્યા. આ બધુ થયુ વક્ફની આડમાં. ત્યારે સવાલ એ છે કે શું બંગાળ બીજુ બાંગ્લાદેશ બનવા તરફ જઈ રહ્યુ છે?
- Mina Pandya
- Updated on: Apr 21, 2025
- 3:09 pm
એક એ મમતા હતી જે સંસદમાં બાંગ્લાદેશી ઘૂસણખોરી મુદ્દે હંગામો કરી દેતી અને આજે એજ બાંગ્લાદેશીઓને હાથો બનાવી 2026ની પીચ મજબૂત કરી રહી છે- વાંચો
બંગાળમાં વક્ફ એક્ટ બાદ મૂર્શિદાબાદમાં ભડકેલી હિંસામાં ત્રણ હિંદુઓની હત્યા કરી દેવામાં આવી અને બે પિતાપુત્રને ઘરમાંથી બહાર ખેંચીને ટોળાએ ઢોર માર માર્યો. જેમા હરગોવન દાસ અને તેના પુત્ર ચંદનદાસનું ઘટનાસ્થળે જ મૃત્યુ નિપજ્યુ. આ હિંસા મુદ્દે મમતા બેનર્જી એવો બચાવ કરી રહી છે કે મીડિયા ખોટા નેરેટિવ ચલાવી રહયુ છે. મૂર્શિદાબાદમાં માત્ર એક વિવાદ થયો છે.
- Mina Pandya
- Updated on: Apr 17, 2025
- 8:18 pm
પશ્ચિમ બંગાળમાં હિંસા ફાટી નીકળી, મુર્શિદાબાદ હિંસામાં 3 લોકોના મોત, જાણો અત્યાર સુધીના 10 મોટા અપડેટ્સ
મુર્શિદાબાદમાં વક્ફ કાયદા વિરુદ્ધ થયેલી હિંસામાં આગચંપી, તોડફોડ, લૂંટફાટ અને પોલીસ પર હુમલાની ઘટનાઓ નોંધાઈ હતી. આ દરમિયાન 10 પોલીસકર્મીઓ ઘાયલ થયા હતા. હિંસા અંગે રાજ્યપાલે મુખ્યમંત્રી મમતા બેનર્જી સાથે વાત કરી અને પોલીસને કડક કાર્યવાહી કરવાનો આદેશ આપ્યો. ભાજપે મમતા બેનર્જી પર વિરોધીઓને છૂટ આપવાનો આરોપ લગાવ્યો.
- Meera Kansagara
- Updated on: Apr 13, 2025
- 7:48 am
યોગી સરકારનો વિરોધ કરવામાં દીદી ભૂલ્યા ભાન, મહાકુંભને મમતાએ ગણાવ્યો ‘મૃત્યુ કુંભ’
પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જીએ પ્રયાગરાજમાં ચાલી રહેલા મહાકુંભને લઈને ઉત્તર પ્રદેશના સીએમ યોગી આદિત્યનાથ પર નિશાન સાધ્યું છે. તાજેતરની ભીડને કારણે સર્જાયેલી નાસભાગની ઘટનાઓને ટાંકીને મમતાએ મહાકુંભને 'મૃત્યુ કુંભ' ગણાવ્યો. તેમણે કહ્યું કે VIPsને વિશેષ સુવિધાઓ અપાઈ રહી છે પરંતુ ગરીબોને તેનાથી વંચિત રાખવામાં આવી રહ્યા છે.
- Mina Pandya
- Updated on: Feb 18, 2025
- 6:24 pm
લાલુ યાદવે આપ્યો કોંગ્રેસને ઝટકો, કહ્યું- મમતા બેનર્જીએ INDIA ગઠબંધનનું નેતૃત્વ કરવું જોઈએ
હવે ભારત ગઠબંધનનું નેતૃત્વ કોણ કરશે તે અંગે સાથી પક્ષો વચ્ચે પરસ્પર અભિપ્રાય બનતો જણાય છે. આરજેડી પ્રમુખ લાલુ પ્રસાદ યાદવે પણ કોંગ્રેસ છોડી દીધી છે. તેમણે મમતા બેનરજીના નામનું સમર્થન કર્યું છે.
- Devankashi rana
- Updated on: Dec 10, 2024
- 11:26 am
પેટાચૂંટણી : ગુજરાત-UPમાં ખીલ્યું કમળ, વાયનાડ અને નાંદેડમાં કોંગ્રેસની જીત, જાણો 48 બેઠકોના પરિણામો
Results of 48 byelection seats : વિધાનસભા પેટાચૂંટણીની સાથે મહારાષ્ટ્રની વાયનાડ અને નાંદેડ લોકસભા બેઠકોના પરિણામો પણ જાહેર થયા છે. કોંગ્રેસે બંને બેઠકો જીતી છે. જો કે વિધાનસભા પેટાચૂંટણીના પરિણામોમાં ભાજપનું પલડું ભારે રહ્યું છે. યુપીમાં ભાજપ ગઠબંધનને 9માંથી 7 બેઠકો મળી છે.
- TV9 Gujarati
- Updated on: Nov 24, 2024
- 7:33 am
કોલકાતા રેપ-મર્ડર કેસમાં CBIનો ચોકાવનારો દાવો : પોલીસ સ્ટેશનમાં પુરાવા બદલાયા, બનાવટી રેકોર્ડ બનાવ્યા
બુધવારે કોલકાતાની આરજી કર મેડિકલ કોલેજ અને હોસ્પિટલમાં લેડી ડોક્ટરની હત્યાના મામલામાં સીબીઆઈએ મોટો અને ચોકાવનારો દાવો કર્યો છે. કોર્ટમાં સીબીઆઈએ દાવો કર્યો હતો કે, તાલા પોલીસ સ્ટેશનમાં પુરાવા બદલવામાં આવ્યા હતા અને નકલી રેકોર્ડ તૈયાર કરવામાં આવ્યા હતા.
- TV9 Gujarati
- Updated on: Sep 25, 2024
- 8:23 pm
પોલીસે અમને પૈસાની ઓફર પણ આપી… કોલકાતા રેપ અને મર્ડર કેસમાં પીડિતાના પિતાનો મોટો ખુલાસો
કોલકાતા રેપ મર્ડર કેસ પીડિતાના પિતાએ જણાવ્યું હતું કે કેસનો અંત લાવવા પોલીસે ઉતાવળમાં લાશનો અંતિમ સંસ્કાર કર્યો હતો અને એક પોલીસ અધિકારીએ તેને ચૂપ રહેવા માટે પૈસાની ઓફર કરી હતી.
- Devankashi rana
- Updated on: Sep 5, 2024
- 11:51 am
પશ્ચિમ બંગાળ વિધાનસભામાં બળાત્કાર વિરોધી બિલ સર્વસંમતિથી પસાર, અંતિમ શ્વાસ સુધી આજીવન કેદ અથવા ફાંસીની જોગવાઈ
પશ્ચિમ બંગાળ વિધાનસભાના ખાસ સત્રમાં સર્વાનુમતે પસાર કરાયેલા બળાત્કાર વિરોધી બિલમાં બળાત્કાર અને પીડિતાના મૃત્યુના દોષિત વ્યક્તિને મૃત્યુદંડ આપવાની જોગવાઈ છે. આ ઉપરાંત બળાત્કાર અને સામૂહિક બળાત્કારના દોષિતોને જામીન વિના જીવે ત્યાં સુધી આજીવન કેદની સજા આપવાની જોગવાઈ પણ કરવામાં આવી છે.
- TV9 Gujarati
- Updated on: Sep 3, 2024
- 2:40 pm
કોલકાતા કાંડઃ RG કર મેડિકલ કોલેજના પૂર્વ પ્રિન્સિપાલ સંદીપ ઘોષની સીબીઆઈએ કરી ધરપકડ
કોલકાતાની આરજી કર મેડિકલ કોલેજના પૂર્વ પ્રિન્સિપાલ સંદીપ ઘોષની સીબીઆઈ દ્વારા ધરપકડ કરવામાં આવી છે. સંદીપ ઘોષ અને આરોપી સંજય રોય સહિત કુલ 10 લોકોનો પોલીગ્રાફ ટેસ્ટ પણ કરવામાં આવ્યો છે. સીબીઆઈએ ભ્રષ્ટાચારના કેસમાં ઘોષ અને તેના નજીકના સહયોગીઓના 15 સ્થળો પર પણ દરોડા પાડ્યા હતા.
- krushnapalsinh chudasama
- Updated on: Sep 2, 2024
- 9:11 pm
ટ્રેન-બસ રોકી દેવાઈ, ભાજપ-ટીએમસી કાર્યકર્તાઓ બાખડ્યા, 6 રાઉન્ડ ફાયરિંગ, 12 કલાકના બંગાળ બંધને લઈને મચ્યો હોબાળો
કોલકાતાની દુષ્કર્મની ઘટના પર રાજકારણ ગરમાયું છે. ભાજપ મમતા સરકારને ઘેરવામાં વ્યસ્ત છે. પશ્ચિમ બંગાળમાં હંગામા માટે ટીએમસીએ ભાજપને જવાબદાર ઠેરવ્યું છે. દરમિયાન વિદ્યાર્થીઓ પર થયેલા એકશનને લઈને ભાજપે બંધનું એલાન આપ્યું છે. સાથે જ મમતા સરકારે ભાજપના બંધને મંજૂરી આપી નથી.
- TV9 Gujarati
- Updated on: Aug 28, 2024
- 2:17 pm
કોલકાતા રેપ-મર્ડર કેસ પર પૂર્વ જજોએ ચિંતા વ્યક્ત કરી, મમતા સરકાર પર પણ ઉઠાવ્યા સવાલ
કોલકાતા રેપ-હત્યા કેસ પર લગભગ ત્રણસો ન્યાયાધીશો, ભૂતપૂર્વ અમલદારો, સિનિયર અધિકારીઓ તેમજ ઘણા ભૂતપૂર્વ લશ્કરી અધિકારીઓએ નિવેદન બહાર પાડ્યું છે. આ મુદ્દે તેમણે કહ્યું કે, આ ઘટનાએ સમગ્ર દેશને હચમચાવી દીધો છે. પશ્ચિમ બંગાળના નીતિ નિર્માતાઓએ આ અંગે વહેલી તકે નિર્ણાયક પગલાં લેવા જોઈએ.
- TV9 Gujarati
- Updated on: Aug 22, 2024
- 7:51 am
આરજી કાર મેડિકલ કોલેજ હિંસા કેસમાં કાર્યવાહી, 2 આસિસ્ટન્ટ કમિશનર સહિત 3 પોલીસકર્મી સસ્પેન્ડ
કોલકાતા બળાત્કાર અને હત્યા કેસમાં ન્યાયની માંગણી સાથે 14 અને 15 ઓગસ્ટની રાત્રે ડોક્ટરોએ આરજી કાર મેડિકલ કોલેજ અને હોસ્પિટલની બહાર 'રીક્લેમ ધ નાઈટ'ના નામે વિરોધ પ્રદર્શનનું આહ્વાન કર્યું હતું. હજારોની ભીડ ત્યાં આવી ગઈ અને પ્રદર્શનના નામે હોસ્પિટલની બહાર વિરોધ માટે બનાવેલા સ્ટેજને તોડી નાખ્યું.
- krushnapalsinh chudasama
- Updated on: Aug 20, 2024
- 11:43 pm
ગુનેગારો સાથે ઉભી છે CM મમતા, સત્ય છુપાવવામાં આવી રહ્યું છે… કોલકાતા કાંડ પર ભાજપના બંગાળ સરકાર પર પ્રહાર
કોલકાતામાં ડોક્ટર પર બળાત્કાર-હત્યા કેસમાં ભાજપે પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા સરકાર પર આકરા પ્રહારો કર્યા છે. કેન્દ્રીય શાસક પક્ષ ભાજપે આરોપ લગાવ્યો છે કે મમતા બેનર્જી ગુનેગારોની સાથે ઉભા છે. તે મહત્વના પુરાવાઓને નષ્ટ કરવા પર તત્પર છે. બંગાળમાં બંધારણનો નાશ કરવામાં આવી રહ્યો છે.
- krushnapalsinh chudasama
- Updated on: Aug 19, 2024
- 5:37 pm