AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Breaking News : મિત્ર દેશોના યુદ્ધથી પાકિસ્તાનને ઘર ચલાવવામાં ફાંફા પડ્યા, કરકસરના નામે સરકારી કર્મીના પગારમાં 30 ટકા કાપ

અમેરિકા-ઈરાન યુદ્ધ આજે 16માં દિવસમાં પ્રવેશ્યું છે. આ યુદ્ધ ત્રીજા અઠવાડિયામાં પ્રવેશતા જ ગરીબ અને ભિખારી બની ગયેલ પાકિસ્તાન પર તેની અત્યંત ખરાબ અસર વર્તાઈ રહ્યી છે. મિત્ર દેશોના યુદ્ધથી કંગાળ બની રહેલા તેની પાકિસ્તાનના પીએમ શરીફે જણાવ્યું હતું કે, સરકારી અધિકારીઓ, પ્રધાનો, રાજ્યકક્ષાના પ્રધાનો અને ખાસ સહાયકો માટે વિદેશ પ્રવાસ પર સંપૂર્ણ પ્રતિબંધ લાદવાનો અમલ યથાવત રહેશે. એટલું જ નહીં, સરકારી કર્મચારીઓના પગારમાં પણ કાપ મૂકવાનો નિર્ણય શરીફ સરકારે કર્યો છે.

Breaking News : મિત્ર દેશોના યુદ્ધથી પાકિસ્તાનને ઘર ચલાવવામાં ફાંફા પડ્યા, કરકસરના નામે સરકારી કર્મીના પગારમાં 30 ટકા કાપ
TV9 Gujarati
| Edited By: | Updated on: Mar 15, 2026 | 9:34 AM
Share

ગઈકાલ શનિવારે, શેહબાઝ શરીફના નેતૃત્વ હેઠળની પાકિસ્તાન સરકારે એક તાકીદની બેઠક યોજી હતી. આ બેઠકમાં એવો નિર્ણય લેવાયો હતો કે,  રાજ્ય-માલિકીના સાહસો (SOEs) અને સ્વાયત્ત સંસ્થાઓના કર્મચારીઓ માટે 5 થી 30 ટકા સુધીના પગાર કાપ મૂકવો. આ નિર્ણયને શરીફ સરકારે મંજૂરી આપી હતી. પગાર કાપનું પગલું વ્યાપક કરકસર અભિયાનના ભાગ રૂપે લાગુ કરવામાં આવ્યું હોવાનુ જાહેર કરવામાં આવ્યું છે. વડાપ્રધાન કાર્યાલય દ્વારા જાહેર કરાયેલા એક નિવેદન અનુસાર, ઇંધણના ભાવમાં વધઘટ અને સરકારી કરકસરનાં પગલાંની સમીક્ષા કરવા માટે પીએમ શેહબાઝ શરીફની અધ્યક્ષતામાં એક ઉચ્ચ-સ્તરીય બેઠક બોલાવવામાં આવી હતી.

પગારમાં 5% થી 30% સુધીનો ઘટાડો

મીટિંગ દરમિયાન, એવું નક્કી કરવામાં આવ્યું હતું કે—સરકારી કર્મચારીઓની જેમ—રાજ્ય માલિકીના સાહસો અને સરકારી આશ્રય હેઠળ કાર્યરત સ્વાયત્ત સંસ્થાઓના કર્મચારીઓના પગારમાં પણ 5 થી 30 ટકાનો ઘટાડો કરવામાં આવશે. નિવેદનમાં નોંધવામાં આવ્યું છે કે આ પગલાંથી થતી બચતનો ઉપયોગ ફક્ત જનતાને રાહત આપવા માટે કરવામાં આવશે.

ઈંધણ ફાળવણીમાં 50% ઘટાડો

મીટિંગમાં એવો પણ નિર્ણય કરવામાં આવ્યું હતું કે સરકારી વાહનો માટે ઈંધણ ફાળવણીમાં 50 ટકાનો ઘટાડો કરવો. આ પધ્ધતિને થર્ડ પાર્ટી ઓડિટ દ્વારા મોનિટર કરવામાં આવશે, જ્યારે આગામી બે મહિનામાં 60 ટકા સરકારી વાહનો રસ્તાઓ પરથી દૂર કરવામાં આવશે, એટલે કે આ વાહનોને બંધ કરી દેવાશે. પીએમ કાર્યાલયના નિવેદન અનુસાર, નવા વાહનોની ખરીદી ઉપર હાલમાં સંપૂર્ણ પ્રતિબંધ લાદવાનો સરકારે નિર્ણય કર્યો છે. તેમજ અન્ય સરકારી ખરીદી પર મોરેટોરિયમ પણ અમલમાં રહેશે. વધુમાં, કેબિનેટ સભ્યો, મંત્રીઓ, સલાહકારો અને ખાસ સહાયકોના બે મહિનાના પગારનો ઉપયોગ જાહેર કલ્યાણકારી પહેલ માટે બચત તરીકે કરવામાં આવશે.

પાકિસ્તાન પર યુદ્ધની અસર

શરીફે પુનરોચ્ચાર કર્યો કે સરકારી અધિકારીઓ, મંત્રીઓ, રાજ્યમંત્રીઓ અને ખાસ સહાયકો માટે વિદેશ યાત્રા પર સંપૂર્ણ પ્રતિબંધ ચાલુ રહેશે. જેમ જેમ યુએસ-ઈરાન સંઘર્ષ તેના ત્રીજા અઠવાડિયામાં પ્રવેશી રહ્યો છે, તેમ તેમ તેના પરિણામો પાકિસ્તાનમાં દેખાવા લાગ્યા છે. ગયા શુક્રવારે પેટ્રોલિયમના ભાવમાં પ્રતિ લિટર 55 રૂપિયાના વધારા બાદ, સરકારે ઇંધણનો વપરાશ ઘટાડવા માટે ઘણા પગલાંની જાહેરાત કરી.

Iran Israel War Breaking News : ફોર્મ્યુલા 1 ની જાહેરાત, બહેરીન અને સાઉદી અરેબિયામાં રેસ રદ

Follow Us
કોંગ્રેસની પ્રથમ યાદી જાહેર: 7 મહાનગરપાલિકા માટે 243 ઉમેદવારો મેદાને
કોંગ્રેસની પ્રથમ યાદી જાહેર: 7 મહાનગરપાલિકા માટે 243 ઉમેદવારો મેદાને
રસમલાઈ અને પોપટ છાપ ગોળના નમૂના ફેલ, ખાતા પહેલા સાવધાન!
રસમલાઈ અને પોપટ છાપ ગોળના નમૂના ફેલ, ખાતા પહેલા સાવધાન!
7 એપ્રિલે ગુજરાતમાં માવઠાની આગાહી: ઉત્તર ગુજરાત અને સૌરાષ્ટ્રમાં એલર્ટ
7 એપ્રિલે ગુજરાતમાં માવઠાની આગાહી: ઉત્તર ગુજરાત અને સૌરાષ્ટ્રમાં એલર્ટ
વડિયાના સુરવો ડેમનો દરવાજો ખોલાયો, ઉનાળે નદીઓ થઈ વહેતી
વડિયાના સુરવો ડેમનો દરવાજો ખોલાયો, ઉનાળે નદીઓ થઈ વહેતી
30 વર્ષના શાસન પછી પણ કોંગ્રેસીઓના ભરોસે કેમ ચાલે છે 'ભાજપ'?
30 વર્ષના શાસન પછી પણ કોંગ્રેસીઓના ભરોસે કેમ ચાલે છે 'ભાજપ'?
ઈન્કમટેક્સ વિભાગે ભોપાળું વાળ્યું! ફેરિયાને આપી અધધ 19.84 કરોડની નોટિસ
ઈન્કમટેક્સ વિભાગે ભોપાળું વાળ્યું! ફેરિયાને આપી અધધ 19.84 કરોડની નોટિસ
જુનાગઢમાં કડિયાવાડ વિસ્તારમાં ઈમારતનો ભાગ ધરાશાયી થતા મહિલના ગંભીર ઈજા
જુનાગઢમાં કડિયાવાડ વિસ્તારમાં ઈમારતનો ભાગ ધરાશાયી થતા મહિલના ગંભીર ઈજા
જુનાગઢમાં બિસમાર રસ્તાને કારણે દર્દીએ રસ્તા પર લેવી પડી સારવાર
જુનાગઢમાં બિસમાર રસ્તાને કારણે દર્દીએ રસ્તા પર લેવી પડી સારવાર
આજે તમારા માટે થોડો સમય કાઢો, તમારું સ્વાસ્થ્ય સંપૂર્ણ સ્વસ્થ રહેશે
આજે તમારા માટે થોડો સમય કાઢો, તમારું સ્વાસ્થ્ય સંપૂર્ણ સ્વસ્થ રહેશે
AMCનો આદેશ: હોટલોએ પનીર 'મિલ્ક' છે કે 'એનાલોગ' તે ફરજિયાત જણાવવું પડશે
AMCનો આદેશ: હોટલોએ પનીર 'મિલ્ક' છે કે 'એનાલોગ' તે ફરજિયાત જણાવવું પડશે
g clip-path="url(#clip0_868_265)">