ભગવાન શિવ

ભગવાન શિવ

ત્રિદેવોમાંથી એક દેવ છે શિવ, ભગવાન શિવને દેવોના દેવ મહાદેવ કહેવામાં આવે છે. ભગવાન શિવના બીજા ઘણા નામ છે, જેમ કે, મહાદેવ, ભોળાનાથ, શંકર, મહેશ, રુદ્ર, નીલકંઠ વગેરે, મહાદેવને ભોળાનાથ તરીકે ઓળખવામાં આવે છે કારણ કે તે જલદી પ્રસન્ન થઇ જાય છે.હિન્દુ ધર્મમાં એક આખો મહિનો મહાદેવને સમર્પિત છે, શ્રાવણ માસમાં લોકો મહાદેવની પૂજા કરી આશિર્વાદ પ્રાપ્ત કરે છે, સમુદ્ર મંથનમાંથી નિકળેલા ઝેરને ભગવાને પોતાના ગળામાં ધારણ કર્યું હતું, મહાદેવે સંહારના દેવ તરીકે ઓળખવામાં આવે છે.

શિવ પરિવારમાં ભગવાન શંકર, માતા પાર્વતી અને તેમના પુત્રો ગણેશ અને કાર્તિકેયનો સમાવેશ થાય છે. શિવજીની એક પુત્રી ઓખાનો પણ પુરાણોમાં ઉલ્લેખ જોવા મળે છે, પરંતુ સામાન્ય રીતે શિવ પરિવારમાં તેમની ગણતરી કરવામાં આવતી નથી. આ ઉપરાંત શિવ મંદિરોમાં હનુમાન, કાચબો અને પોઠીયો પણ શિવ પરિવારની સાથે જોવા મળે છે.

Read More

IRCTC Tour Package : માત્ર એક હજાર રુપિયાના EMI પર માતા-પિતાને લઈ 7 જ્યોતિર્લિંગના દર્શન કરી આવો

IRCTC મે મહિનામાં સાત જ્યોતિર્લિંગની મુલાકાત લેવા માટે એક અદ્ભુત ટૂર પેકેજ લઈને આવ્યું છે. આ ટૂર પેકેજ 22 મે 2024થી શરૂ થશે. ચાલો તમને જણાવીએ આ ટુર પેકેજ વિશે તમામ વાત.

અમરનાથ યાત્રાએ જવાના છો ? આજથી નોંધણી પ્રક્રિયા શરુ, જાણો કેવી રીતે કરશો Online રજિસ્ટ્રેશન

અમરનાથ યાત્રા 2024 માટે ઓનલાઈન અને ઓફલાઈન રજીસ્ટ્રેશન શરૂ થઈ ગયું છે. ચાલો જાણીએ કે 29મી જૂન 2024થી શરૂ થતી આ યાત્રા માટે ઓનલાઈન પરમિટ કેવી રીતે ડાઉનલોડ કરવી.

Breaking News : ઉજ્જૈનના મહાકાલ મંદિરના ગર્ભગૃહમાં ભસ્મ આરતી દરમિયાન લાગી ભીષણ આગ, 12 લોકો દાઝ્યા

હોળીના દિવસે એટલે કે આજે મહાકાલ મંદિરમાં ભસ્મ આરતી દરમિયાન ગર્ભગૃહમાં આગ લાગવાની ઘટના સામે આવી છે. આ ઘટનામાં પૂજારી સહિત પાંચ લોકો દાઝી ગયા હોવાની માહિતી છે. ભસ્મ આરતી વખતે અબીર-ગુલાલ ચઢાવવામાં આવતો હતો. દરમિયાન આગ લાગી ગઇ હતી.આ ઘટના બાદ દાઝી ગયેલા લોકોને તાત્કાલિક હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા. હાલ તમામની સારવાર ચાલી રહી છે.

શિવજીની પૂજા લવિંગ વિના કેમ અધુરી છે? શું છે લવિંગ ચડાવવાનું આદ્યાત્મિક મહત્વ- જાણો

આપણે હંમેશા જોયુ હશે કે શિવલિંગ પર લવિંગ ચડાવવામાં આવે છે. શિવજીની પૂજા લવિંગ વિના અધુરી છે આદ્યાત્મિક દૃષ્ટિએ પણ તેનુ મહત્વ દર્શાવવામાં આવ્યુ છે. શિવલિંગ પર લવિંગ ચડાવવાનું શું છે આદ્યાત્મિક મહત્વ વાંચો અહીં..

અબુ ધાબીના હિંદુ મંદિરમાં મહાશિવરાત્રી પર્વ પર લોકોએ દર્શન કરી ધન્યતા અનુભવી

8 માર્ચ 2024ના રોજ, અબુ ધાબીમાં BAPS હિંદુ મંદિરને વાઇબ્રન્ટ રંગોથી શણગારવામાં આવ્યું હતું કારણ કે ભગવાન શ્રી શિવને સમર્પિત હિંદુ કેલેન્ડરમાં આદરણીય પ્રસંગ, મહાશિવરાત્રીની ઉજવણી કરવા હજારોની સંખ્યામાં ભક્તો ભેગા થયા હતા. મંદિરના ઉદ્ઘાટન પછી ઉજવવામાં આવેલો આ પહેલો હિંદુ તહેવાર હતો.

જૂનાગઢમાં મહાશિવરાત્રિએ જામ્યો ભક્તિનો માહોલ, ભક્તોનું ઘોડાપૂર ઉમટ્યુ, જુઓ Video

જૂનાગઢની ભવનાથ તળેટીમાં મહાશિવરાત્રિના મેળાના ચોથો દિવસે ભવનાથ મંદિરમાં ભાવિકોની વહેલી સવારથી ભારે ભીડ જોવા મળી રહી છે. ભવનાથ મહાદેવના દર્શન કરી શ્રદ્ધાળુઓ ધન્યતા અનુભવી રહ્યા છે. હર હર મહાદેવના નાદ સાથે ભવનાથ પરિસર ગુંજી ઉઠ્યું છે.

મહાશિવરાત્રિ નિમિતે સાળંગપુરના કષ્ટભંજનદેવને દિવ્ય શણગાર, નિલકંઠ મહાદેવ મંદિરમાં વિશેષ પૂજા કરાઇ

આજે મહાશિવરાત્રિનો મહાપર્વ છે, ત્યારે મહાશિવરાત્રિ નિમિત્તે સાળંગપુરમાં કષ્ટભંજનદેવ હનુમાનજીને વિશેષ શણગાર કરવામાં આવ્યો છે. આજે મંદિર પરિસરમાં સ્વંય સ્વામિનારાયણ ભગવાને પૂજા કરેલા નિલકંઠ મહાદેવ મંદિરમાં પૂજા કરવામાં આવી હતી.

શિવરાત્રીએ રુદ્રાક્ષ ધારણ કરવાથી થાય છે આ મનોકામનાઓ પૂર્ણ, વાંચો દરેક રુદ્રાક્ષનું મહત્વ

મહાશિવરાત્રી એ ભારતીયોનો મુખ્ય તહેવાર છે. મહાશિવરાત્રી મહા માસની વદ પક્ષની ચૌદશના દિવસે ઉજવવામાં આવે છે. એવું માનવામાં આવે છે કે આ દિવસે ભગવાન શિવ અને દેવી પાર્વતીના શુભ લગ્ન થયા હતા. બીજી માન્યતા અનુસાર, ભગવાન શિવે આ રાત્રે આનંદ તાંડવ (સર્જન અને વિનાશ) કર્યું હતું.

Mahashivratr 2024 : મહાશિવરાત્રી પર કરો આ મંત્રોની પૂજા, શીઘ્ર મળશે ફળ

શિવમહાપુરાણ અનુસાર શિવ પૂજા માટે શ્રેષ્ઠ અવસર એટલે મહાશિવરાત્રી એ રાત્રીના ચાર પ્રહર ની પૂજાથી જલદી રીઝે છે. આ અંગે વધુ માહિતી આપતા જાણીતા જ્યોતિષ ચેતન પટેલે જણાવે છે શિવ મહાપુરાણમાં જણાવ્યા પ્રમાણે જો શિવ આરાઘના કરાય તો અવશ્ય પૂજા ફળે છે અને ભગવાન શિવ ની ક્રુપા પ્રપ્ત થાય છે.

Maha Shivratri 2024 : ઉત્તર ગુજરાતના આ મંદિરમાં મહાશિવરાત્રીના દિવસે શિવ પ્રતિમા સમક્ષ પ્રગટાવાય છે સવા મણ રુનો એક જ દિવો

સાબરકાંઠાના હિંમતનગર પાસે આવેલા બેરણાં ગામ પાસે કુદરતી સૌદર્ય વચ્ચે આવેલા ભક્તિ ધામમાં વિશાળ શિવ પ્રતિમા આવેલી છે. વિશ્વકલ્યાણના હેતુથી મહાશિવરાત્રીના અહીં સવા મણ રુનો દિવો પ્રગટાવવામાં આવતો હોય છે.

Mahashivratri 2024 : મહાશિવરાત્રી પર ભગવાન શિવને ચઢાવો આ ખાસ વસ્તુઓ, દરિદ્રતા થશે દૂર

આ વખતે મહાશિવરાત્રીનું વ્રત 8 માર્ચ, શુક્રવારના રોજ રાખવામાં આવશે. માન્યતાઓ અનુસાર આ દિવસે ભગવાન શિવ અને માતા પાર્વતીના લગ્ન થયા હતા.

Shankaraay Song : શ્રેયા ઘોષાલ દ્વારા ગાવામાં આવેલુ શંકરાય સોંગના લિરિક્સ વાંચો અને વીડિયો જુઓ

આજે આપણે એક હિન્દી સોંગના લિરિક્સ જોઈશું. તાજેતરમાં જ રીલીઝ થયેલુ શંકરાય સોંગને શ્રેયા ઘોષાલ દ્વારા ગાવામાં આવ્યુ છે. તેમજ આ સોંગને સલીમ સુલેમાન દ્વારા કમ્પોઝ કરવામાં આવ્યુ છે. શંકરાય સોંગના લિરિક્સ શ્રદ્ધા પંડિતે લખ્યા છે.

Junagadh: આજથી ભવનાથમાં મહાશિવરાત્રી મેળાનો પ્રારંભ, 8 માર્ચ સુધી જામશે મેળાનો માહોલ

મહાશિવરાત્રીના મેળાને લાખો ભાવિકોની આસ્થા, આગમન તેમજ ભજન, ભોજન અને ભક્તિના ત્રિવેણી સંગમ માનવામાં આવે છે. ચાર દિવસ સુધી ચાલતા આ પ્રસિદ્ધ મેળામાં લાખોની સંખ્યામાં ભાવિકો આવતા હોવાથી એસટી નિગમ દ્વારા ખાસ વધારાની બસોની પણ વ્યવસ્થા કરવામાં આવી છે.

Bhola sabko deta hai Song Lyrics: મહાશિવરાત્રીના પર્વ પર ખાસ ભોલા સબકો દેતા હૈ સોંગના લિરિક્સ ગુજરાતમાં વાંચો, જુઓ વીડિયો

મહાશિરાત્રીના પર્વને હવે ગણતરીના દિવસો જ બાકી રહ્યા છે. ત્યારે શિવ ભક્તો ધામધૂમથી શિવરાત્રીની તૈયારીઓ કરી રહ્યાં છે. આજે અમે તમારા માટે ભગવાન શિવનું એક સુંદર સોંગના લિરિક્સ લઈને આવ્યા છીએ. ભોલા સબકો દેતા હૈ સોંગના લિરિક્સ રવિ ચોપરાએ લખી છે. તેમજ આ સોંગને મોહિત લાલવાણી અને અભિલિપ્સા પાંડા દ્વારા ગાવામાં આવ્યુ છે.

Mahashivratri 2024: માત્ર ભારતમાં જ નહીં, વિશ્વના આ સ્થળોએ પ્રખ્યાત છે શિવ મંદિરો

Mahashivratri 2024: શિવભક્તો માત્ર ભારત પૂરતા જ સીમિત નથી, વિદેશોમાં પણ મહાદેવના ભક્તો સ્થાયી થયા છે, જેઓ મહાશિવરાત્રીના અવસરે ભોલેનાથના દર્શન કરવા માટે મંદિરો શોધતા રહે છે. આવો જાણીએ વિદેશોમાં ભગવાન શિવના મંદિરો ક્યાં છે.

g clip-path="url(#clip0_868_265)">