AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ભગવાન શિવ

ભગવાન શિવ

ત્રિદેવોમાંથી એક દેવ છે શિવ, ભગવાન શિવને દેવોના દેવ મહાદેવ કહેવામાં આવે છે. ભગવાન શિવના બીજા ઘણા નામ છે, જેમ કે, મહાદેવ, ભોળાનાથ, શંકર, મહેશ, રુદ્ર, નીલકંઠ વગેરે, મહાદેવને ભોળાનાથ તરીકે ઓળખવામાં આવે છે કારણ કે તે જલદી પ્રસન્ન થઇ જાય છે.હિન્દુ ધર્મમાં એક આખો મહિનો મહાદેવને સમર્પિત છે, શ્રાવણ માસમાં લોકો મહાદેવની પૂજા કરી આશિર્વાદ પ્રાપ્ત કરે છે, સમુદ્ર મંથનમાંથી નિકળેલા ઝેરને ભગવાને પોતાના ગળામાં ધારણ કર્યું હતું, મહાદેવે સંહારના દેવ તરીકે ઓળખવામાં આવે છે.

શિવ પરિવારમાં ભગવાન શંકર, માતા પાર્વતી અને તેમના પુત્રો ગણેશ અને કાર્તિકેયનો સમાવેશ થાય છે. શિવજીની એક પુત્રી ઓખાનો પણ પુરાણોમાં ઉલ્લેખ જોવા મળે છે, પરંતુ સામાન્ય રીતે શિવ પરિવારમાં તેમની ગણતરી કરવામાં આવતી નથી. આ ઉપરાંત શિવ મંદિરોમાં હનુમાન, કાચબો અને પોઠીયો પણ શિવ પરિવારની સાથે જોવા મળે છે.

Read More

Shravan Somwar Vrat 2025 : આ વર્ષે કેટલા શ્રાવણ સોમવાર છે અને શ્રાવણ સોમવારનો પહેલો ઉપવાસ ક્યારે છે?

હિન્દુ ધર્મમાં શ્રાવણ મહિનો ખૂબ જ પવિત્ર અને આધ્યાત્મિક રીતે મહત્વપૂર્ણ માનવામાં આવે છે. ખાસ કરીને શ્રાવણના સોમવાર દિવસનું વિશેષ મહત્વ હોય છે, જેને "શ્રાવણ સોમવાર" કહેવામાં આવે છે.

સોમવતી અમાસ પર આ સરળ ઉપાયો કરો, દરેક પગલે પ્રગતિના માર્ગ ખુલશે, મળશે નાણાકીય લાભ!

સોમવારે આવનારા અમાવાસ્યાને સોમવતી અમાસ કહેવામાં આવે છે. આ દિવસે પવિત્ર નદીઓમાં સ્નાન, પિંડદાન અને પૂર્વજો માટે શ્રાદ્ધ કરવાથી શુભ ફળ મળે છે. આ દિવસે કેટલાક ખાસ ઉપાયો કરવાથી વ્યક્તિને પ્રગતિ અને આર્થિક લાભની તક મળે છે.

દાદીમાની વાતો: શિવલિંગની અર્ધ પરિક્રમા જ કરવી જોઈએ, તેના સાચા નિયમો જાણો, શું કહે છે વડીલો

દાદીમાની વાતો: ભગવાન શિવની પૂજા અને પરિક્રમા કરવાથી જીવનની દરેક અવરોધ દૂર થાય છે. માતા પાર્વતીના આશીર્વાદ પણ પ્રાપ્ત થાય છે. તો ચાલો જાણીએ ભોલેનાથની યોગ્ય પરિક્રમાના નિયમો જે નીચે મુજબ છે.

Shiv Ji Puja: ભગવાન શિવની પૂજામાં આ વસ્તુઓનો ઉપયોગ ન કરો, ભગવાન શિવ થશે નારાજ!

Shiv Puja: ભગવાન શિવ સૌથી ઝડપથી પ્રસન્ન થઈ શકે છે, પરંતુ તેમની પૂજામાં પણ ખાસ કાળજી રાખવી જરૂરી છે. આવી સ્થિતિમાં ચાલો જાણીએ કે ભગવાન શિવની પૂજા કરતી વખતે કઈ વસ્તુઓનો ઉપયોગ ન કરવો જોઈએ.

Shivling Sthapana: ઘરની અંદર શિવલિંગની સ્થાપના કેમ ન કરવી જોઈએ?

ભગવાન શિવને ઉર્જાનો સ્ત્રોત માનવામાં આવે છે. તેમના ઘરમાં શિવલિંગની સ્થાપનાને લઈને મતભેદ છે. ચાલો તમને જણાવીએ કે ઘરમાં શિવલિંગ સ્થાપિત કરવું જોઈએ કે નહીં.

Dwarka : ચોરી થયેલુ શિવલિંગ મળ્યુ ! ભત્રીજીને સ્વપ્ન આવતા કરી શિવલિંગની ચોરી, ઘરમાં સ્થાપના બાદ કરી શિવરાત્રીની પૂજા, જુઓ Video

દેવભૂમિ દ્વારકામાં યાત્રાધામ હર્ષદ ગામે મંદિરમાંથી શિવલિંગની ચોરી મામલે પોલીસને મોટી સફળતા મળી છે. 7 લોકોએ શિવલિંગ ચોર્યાનું સામે આવ્યું છે. પોલીસે આ તમામ આરોપીઓને ઝડપી પાડ્યા છે.

Dwarka : મહાશિવરાત્રીના પર્વ પર દ્વારકાના જગતમંદિરમાં ભક્તોનું ઘોડાપૂર ઉમટ્યું, જુઓ Video

આજે મહાશિવરાત્રી નિમિત્તે દ્વારકાના જગતમંદિરમાં પણ ભક્તોનું ઘોડાપૂર ઉમટ્યું છે. ભગવાન દ્વારકાધીશના દર્શન કરવા માટે ભક્તો પહોંચ્યા હતા.  પૂજારી પરિવાર દ્વારા ભગવાન દ્વારકાધીશને અદભુત શણગાર કરવામાં આવ્યો છે.

Somnath : મહાશિવરાત્રીના પર્વ પર હર્ષ સંઘવી અને પૂર્વ મુખ્યપ્રધાન વિજય રુપાણીએ સોમનાથમાં કર્યા દર્શન, જુઓ Video

આજે મહાશિવરાત્રીનો મહાપર્વ હોવાથી તમામ શિવાલયોમાં ભક્તોની ભારે ભીજ જામી છે. ત્યારે પ્રથમ જ્યોતિર્લિંગ સોમનાથમાં વહેલી સવારથી જ ભક્તોનું ઘોડાપૂર ઉમટ્યું છે. રાજ્યના ગૃહપ્રધાન હર્ષ સંઘવીએ પણ મહાશિવરાત્રી નિમિત્તે સોમનાથ મહાદેવના દર્શન કર્યાં છે.

Junagadh : ભવનાથ મંદિરમાં ભક્તોનું ઘોડાપૂર, હર હર મહાદેવના નાદથી ગુંજી ઉઠ્યું મંદિર, જુઓ Video

જૂનાગઢના ભવનાથમાં ભક્તોની ભારે ભીડ જોવા મળી છે. સમગ્ર ભવનાથ આજે શિવરાત્રીના દિવસે શિવમય બન્યું છે. સમગ્ર ભવનાથ મંદિરમાં હર હર મહાદેવના નાદથી ગુંજી ઉઠ્યું છે. મહાદેવના દર્શન કરીને ભક્તોએ ધન્યતા અનુભવી છે.

Mahashivratri 2025: કોઈને ભાંગ ચડી ગઈ છે? તો આ ટિપ્સ તમને તેનાથી છુટકારો મેળવવામાં મદદ કરશે

Bhang Hangover : જો તમને મહાશિવરાત્રી પર ભાંગ પીવાનો શોખ છે, પરંતુ નશાને કારણે તમારી સ્થિતિ વધુ ખરાબ થઈ જાય છે તો જાણો ભાંગના નશાથી છુટકારો મેળવવા માટે કયા ઘરેલું ઉપાયો તમારા માટે ઉપયોગી થઈ શકે છે. દેશી ઘીથી લઈને આદુ સુધી બધું જ મદદ કરશે.

ભાંગ પીધા પછી કેમ બકવાસ કરવા લાગે છે લોકો ? વાંચો શું કહે છે વિજ્ઞાન

Why Bhang makes Happy:શિવરાત્રી અને ભાંગ વચ્ચેનો સંબંધ સેંકડો વર્ષ જૂનો છે.પૌરાણિક કથાઓ અનુસાર, ભગવાન શિવે ભાંગનું સેવન સમુદ્ર મંથન દરમિયાન હલાહલ (વિષ) પચાવવા માટે કર્યું હતું, કારણ કે ભાંગના શીતળ ગુણો તેમના શરીરમાં રહેલી ઝેરી ગરમીને શાંત કરવા માટે ઉપયોગી બન્યા, લોકો ભાંગ પીધા પછી હોશ ગુમાવી બેસે છે. તમે હસો તો કલાકો સુધી હસતા રહે. જ્યારે તમે નાચવાનું શરૂ કરો છો, ત્યારે તમારા પગ કલાકો સુધી થીરકતા બંધ થતા નથી. કલાકો સુધી હસતા રહે છે. રંગોના તહેવારના નામ પર, ચાલો સમજીએ કે ભાંગનું વિજ્ઞાન શું છે.

મહાશિવરાત્રીના પર્વ પર ઘરે બેઠા કરો સોમનાથ મહાદેવના વિશેષ શ્રૃંગારના દર્શન, મંદિરમાં આજે શિવ મહારુદ્ર યજ્ઞ, જુઓ Video

સોમનાથમાં મહાપૂજા સાથે મહાશિવરાત્રીનો પ્રારંભ થયો છે. પ્રથમ જ્યોતિર્લિંગના દર્શન કરવા માટે વહેલી સવારથી ભાવિકોનો ધસારો જોવા મળી રહ્યો છે. આ સાથે જ સોમનાથમાં હર હર મહાદેવના નાદથી મંદિર પરિસર સતત ગુંજી રહ્યુ છે. મહાશિવરાત્રીના પર્વે સોમેશ્વર મહાદેવને અદભુત શણગાર કરવામાં આવ્યો છે. શિવરાત્રી નિમિત્તે સોમનાથ ધામમાં ચાર પ્રહરની મહાપૂજાનું આયોજન કરવામાં આવ્યુ છે. 

Mahashivratri 2025 : મહાશિવરાત્રી પર 4 પ્રહરની પૂજામાં કરો મહાદેવ પર આ વસ્તુઓનો અભિષેક,જાણો સંપૂર્ણ વિગત

મહાશિવરાત્રીના પર્વ પર ભગવાન શિવ અને શક્તિના મિલનનો ઉત્સવ માનવામાં આવે છે. શિવરાત્રીના દિવસે દેશભરમાં ઉત્સાહનો માહોલ હોય છે. શિવરાત્રીની રાત્રે પણ ભગવાન શિવની પૂજા કરવામાં આવે છે.

Mathura Penda Recipe : મહાશિવરાત્રીના પર્વ પર ઘરે જ બનાવો મથુરાના ફેમસ પેંડા, જાણો સંપૂર્ણ રેસિપી

મહાશિવરાત્રીના દિવસે મોટાભાગના લોકો ઉપવાસ કરતા હોય છે. ત્યારે ફરાળમાં શું ખાવુ તે પ્રશ્ન થતો હોય છે. તો આજે અમે તમને મથુરાના પેંડા ઘરે કેવી રીતે બનાવી શકાય તે જાણીશું.

Travel With Tv9 : અમદાવાદથી 90 કિમી દૂર આવેલા આ મંદિરમાં 24 કલાક સાબરમતી નદીના જળથી થાય છે અભિષેક

શિવરાત્રીને હવે ગણતરીના દિવસો જ બાકી છે. ત્યારે મોટાભાગના શ્રદ્ધાળુઓ શિવ મંદિરમાં દર્શન કરવા જવા ઈચ્છાતા હોય છે. તો આજે અમે તમને જણાવીશું કે ગુજરાતમાં આવેલા મહાદેવના ક્યાં મંદિરે તમે શિવરાત્રીના દિવસે સપ્તેશ્વર મહાદેવના દર્શન કરવા જવાનો ટ્રાવેલ પ્લાન જોઈશું.

g clip-path="url(#clip0_868_265)">