ભગવાન શિવ
ત્રિદેવોમાંથી એક દેવ છે શિવ, ભગવાન શિવને દેવોના દેવ મહાદેવ કહેવામાં આવે છે. ભગવાન શિવના બીજા ઘણા નામ છે, જેમ કે, મહાદેવ, ભોળાનાથ, શંકર, મહેશ, રુદ્ર, નીલકંઠ વગેરે, મહાદેવને ભોળાનાથ તરીકે ઓળખવામાં આવે છે કારણ કે તે જલદી પ્રસન્ન થઇ જાય છે.હિન્દુ ધર્મમાં એક આખો મહિનો મહાદેવને સમર્પિત છે, શ્રાવણ માસમાં લોકો મહાદેવની પૂજા કરી આશિર્વાદ પ્રાપ્ત કરે છે, સમુદ્ર મંથનમાંથી નિકળેલા ઝેરને ભગવાને પોતાના ગળામાં ધારણ કર્યું હતું, મહાદેવે સંહારના દેવ તરીકે ઓળખવામાં આવે છે.
શિવ પરિવારમાં ભગવાન શંકર, માતા પાર્વતી અને તેમના પુત્રો ગણેશ અને કાર્તિકેયનો સમાવેશ થાય છે. શિવજીની એક પુત્રી ઓખાનો પણ પુરાણોમાં ઉલ્લેખ જોવા મળે છે, પરંતુ સામાન્ય રીતે શિવ પરિવારમાં તેમની ગણતરી કરવામાં આવતી નથી. આ ઉપરાંત શિવ મંદિરોમાં હનુમાન, કાચબો અને પોઠીયો પણ શિવ પરિવારની સાથે જોવા મળે છે.
Breaking News : જૂનાગઢમાં કીર્તિ પટેલ Vs ઇન્દ્રભારતી બાપુ, કીર્તિ પટેલે લગાવ્યા આક્ષેપ, વીડિયોથી વિવાદ
જૂનાગઢની પવિત્ર ગિરનારની તળેટીમાં અત્યારે માત્ર ભજન કે ભોજનનો સૂર નથી, પણ આક્ષેપોની એક એવી આંધી ચઢી છે જેણે આખા ગુજરાતમાં ખળભળાટ મચાવ્યો છે. સોશિયલ મીડિયા ઇન્ફ્લુએન્સર કીર્તિ પટેલનો 14 મિનિટનો લેટેસ્ટ વીડિયો કોઈ સામાન્ય વિવાદ નથી, આ માત્ર ન્યાયની શોધ નથી, પણ એક એવી લડાઈ છે જેમાં ધર્મ, રાજકારણ અને પોલીસ પ્રશાસન ત્રણેયના ગઠબંધન પર પ્રશ્નાર્થ ચિહ્નો મૂકવામાં આવ્યા છે. શું આ લોકશાહીમાં સત્યનો અવાજ છે, કે પછી કોઈ મોટા પડદા પાછળનું ગૂઢ સત્ય?
- Hasmukh Ramani
- Updated on: Feb 21, 2026
- 1:53 pm
Breaking News : કીર્તિ પટેલના મૃગીકુંડ સ્નાન પછી ભવનાથમાં ભડક્યો વિવાદનો જ્વાળામુખી! જુઓ Video
જૂનાગઢમાં કીર્તિ પટેલના મૃગીકુંડ સ્નાન બાદ ભવનાથમાં સાધુ-સંતો આમને-સામને આવ્યા છે. રુદ્રેશ્વર ભારતી આશ્રમના મહંત ઇન્દ્રભારતી પર અમરગીરી બાપુએ ડ્રગ્સના વેપાર, છોકરીઓને આશ્રમમાં લાવવા અને ગેરકાયદેસર કામોના ગંભીર આક્ષેપો કર્યા છે. ભવનાથ મંદિરમાં યોગ્ય મહંતની નિમણૂક કરવાની માગ ઉઠી છે.
- Hasmukh Ramani
- Updated on: Feb 20, 2026
- 10:23 am
Breaking News : જૂનાગઢના મિની મહાકુંભમાં સાધુ-સંતો સાથે PI વરીયાની ડુબકીથી વિવાદ, જુઓ Video
જૂનાગઢના ભવનાથ મેળામાં મિની મહાકુંભ દરમિયાન મૃગી કુંડમાં પીઆઈ વરિયાના સ્નાનથી નવો વિવાદ સર્જાયો છે. સાધુ-સંતો માટે નિર્ધારિત આ કુંડમાં તેમણે નિયમો અને બેરિકેડિંગ તોડીને સ્નાન કર્યું હતું. અગાઉ કીર્તિ પટેલના આવા જ વિવાદ બાદ આ ઘટનાએ અનેક સવાલો ઉભા કર્યા છે.
- Hasmukh Ramani
- Updated on: Feb 16, 2026
- 10:58 am
Breaking News : જૂનાગઢમાં યોજાયેલા મિની મહાકુંભમાં સાધુનો વેશ ધારણ કરી પ્રવેશ… કીર્તિ પટેલ શું સાબિત કરવા માગે છે ? જુઓ Video
જૂનાગઢમાં યોજાયેલા મિની મહાકુંભ દરમિયાન મૃગી કુંડ ખાતે બનેલી ઘટના માત્ર એક સામાન્ય વિવાદ નથી, પરંતુ ધાર્મિક પરંપરાઓ અને વ્યવસ્થાપન પર સીધો સવાલ ઊભો કરતી ઘટના છે. વર્ષો જૂની માન્યતા મુજબ મૃગી કુંડમાં માત્ર અખાડાના સાધુ-સંતોને જ સ્નાન કરવાની મંજૂરી હોય છે. આવી પવિત્ર પરંપરાની વચ્ચે કીર્તિ પટેલે ભગવા વસ્ત્રો પહેરી સાધુનો વેશ ધારણ કરીને કુંડ સુધી પહોંચી જવું અનેક પ્રશ્નો ઉભા કરે છે.
- Hasmukh Ramani
- Updated on: Feb 16, 2026
- 9:14 am
Mahashivratri 2026: મહાશિવરાત્રી પર ભગવાન શિવને પ્રસન્ન કરવા ઇચ્છો છો? રાશિ પ્રમાણે શિવલિંગ પર આ વસ્તુ ચઢાવો
મહાશિવરાત્રીનો પવિત્ર તહેવાર શિવભક્તો માટે એક મહત્વપૂર્ણ દિવસ છે. હિન્દુ કેલેન્ડર મુજબ, મહાશિવરાત્રી 2026 માં 15 ફેબ્રુઆરીના રોજ ઉજવવામાં આવશે. એવું માનવામાં આવે છે કે ભગવાન શિવ અને દેવી પાર્વતીના લગ્ન આ દિવસે થયા હતા. શાસ્ત્રો અનુસાર, જો ભક્તો આ દિવસે તેમની રાશિ અનુસાર ભગવાન શિવની પૂજા અને અભિષેક કરે છે, તો તેમની ઇચ્છાઓ ઝડપથી પૂર્ણ થશે.
- Tanvi Soni
- Updated on: Feb 13, 2026
- 7:20 am
દુનિયા જોતી રહી ગઈ! 354 ડબ્બા અને 7 એન્જિન… ભારતની સૌથી લાંબી ટ્રેન, જે ‘મહાદેવ’ના નામ પરથી બની
ભારતમાં મુસાફરી માટેનું મુખ્ય સાધન ટ્રેન છે, જેના દ્વારા દરરોજ લાખો મુસાફરો દેશના એક છેડેથી બીજા છેડે જાય છે. એવામાં ખાસ વાત એ છે કે, ભારતમાં એક એવી ટ્રેન પણ ચાલે છે કે, જે માત્ર દેશની જ નહીં પરંતુ સમગ્ર એશિયા ખંડની સૌથી લાંબી ટ્રેન છે.
- Ravi Prajapati
- Updated on: Feb 12, 2026
- 10:55 am
Mahashivratri : મહાદેવને પ્રસન્ન કરવા માટે કઈ વસ્તુઓનું દાન કરવું ફળદાયી ? આટલું કરશો, તો ભાગ્યના બંધ દરવાજા ખૂલી જશે
મહાશિવરાત્રીનો પવિત્ર દિવસ ભક્તો માટે અતૂટ શ્રદ્ધા અને સંકલ્પનું પર્વ છે. આ દિવસે ભક્તો મહાદેવની પૂજા-અર્ચના કરવાની સાથે ઉપવાસ રાખતા હોય છે પરંતુ શાસ્ત્રોમાં આ દિવસે દાન કરવાનું પણ વિશેષ મહત્વ સમજાવવામાં આવ્યું છે.
- Ravi Prajapati
- Updated on: Feb 10, 2026
- 4:54 pm
Breaking News : આસ્થાના આંગણે આક્રોશ! ભવનાથ ક્ષેત્રમાં નોન-વેજ બનાવવાની ઘટનાએ જગાવ્યો વિવાદ, જુઓ Video
જૂનાગઢના ભવનાથ ખાતે મહાશિવરાત્રી મેળા પૂર્વે ગીરનાર દરવાજા પાસે નોન-વેજ રાંધવાનો કિસ્સો સામે આવ્યો છે. રાજસ્થાની શ્રમિકો દ્વારા મંદિર સામે કરાયેલા આ કૃત્યથી હિન્દુ સમાજની લાગણી દુભાતા બજરંગદળે પોલીસ ફરિયાદ કરી. બજરંગદળે આવા કૃત્યો સામે કડક કાર્યવાહીની ચીમકી ઉચ્ચારી છે.
- Hasmukh Ramani
- Updated on: Feb 9, 2026
- 11:59 am
Mahashivratri 2026 : મહાશિવરાત્રીની પૂજામાં શું ચઢાવવું અને શું નહી? તમે આ ભૂલ ન કરતા
Mahashivratri 2026 Puja Vidhi : શિવ ભક્તો માટે મહાશિવરાત્રીનો પર્વ ખુબ જ શ્રદ્ધા અને ઉલ્લાસની સાથે મનાવવામાં આવે છે. એવી માન્યતા છે કે, આ દિવસે ભગવાન શિવ અને માતા પાર્વતીના લગ્ન થયા હતા. ભક્તો ભોલેનાથને પ્રસન્ન કરવા માટે ઉપવાસ પણ રાખે છે તેમજ પુજા-અર્ચના પણ કરે છે. તો આજે તેની વિશેષ પુજામાં શું ધ્યાન રાખવું તેના વિશે વાત કરીએ.
- Nirupa Duva
- Updated on: Feb 6, 2026
- 10:59 am
Rudraksha Niyam: જો તમારે રુદ્રાક્ષ પહેરવો હોય તો… પહેલા બધા નિયમો જાણી લો, નહીં તો થઈ શકે નુકસાન
Rudraksha Ke Niyam: રુદ્રાક્ષ ભગવાન શિવના આંસુમાંથી ઉદ્ભવ્યો હોવાનું કહેવાય છે. તેને પહેરવાથી ઘણા ફાયદા થાય છે, પરંતુ શાસ્ત્રોમાં તેને પહેરવાના નિયમો પણ જણાવવામાં આવ્યા છે. તેને શાસ્ત્રોમાં દર્શાવેલા નિયમો અનુસાર પહેરવું જોઈએ. નહીંતર ફાયદાને બદલે, તે નુકસાન પહોંચાડી શકે છે.
- Meera Kansagara
- Updated on: Jan 17, 2026
- 10:07 am
Makar Sankranti 2026 : પિતૃદોષથી મુક્તિ મળશે ! મકરસંક્રાંતિ પર બસ આ એક ‘અમૃત મુહૂર્ત’ માં ભગવાન શિવનો અભિષેક કરો
'મકરસંક્રાંતિ' પિતૃદોષ નિવારણ માટે ખાસ દિવસ માનવામાં આવે છે. માન્યતા મુજબ મકરસંક્રાંતિના અમૃત મુહૂર્તમાં ભગવાન શિવની પૂજા અને અભિષેક કરવાથી પિતૃદોષથી મુક્તિ મળે છે.
- Ravi Prajapati
- Updated on: Jan 12, 2026
- 6:06 pm
Shiv Puja : શિવલિંગની પૂજા કરો અને આ 3 સ્થાનોને સ્પર્શ કરો, મંગળ દોષનો પ્રભાવ થશે ઓછો
Astro Trips For Manglik Dosh: એવું માનવામાં આવે છે કે શિવલિંગના વિવિધ ભાગોને સ્પર્શ કરવાથી જીવનની મુશ્કેલીઓ દૂર થાય છે. એવું કહેવાય છે કે શિવલિંગની પૂજા કરતી વખતે આ ત્રણ સ્થાનોને સ્પર્શ કરવાથી માંગલિક દોષની અસર ઓછી થઈ શકે છે.
- Meera Kansagara
- Updated on: Dec 28, 2025
- 9:09 am
Shivling Puja : મંદિર અને ઘરમાં શિવલિંગ રાખવા વચ્ચે શું તફાવત અને મહત્વ છે ? આ માટે કયા નિયમોનું પાલન કરવું જોઈએ ?
'શિવલિંગ' એ ભગવાન શિવનું પ્રતીક છે. તમે ઘર અને મંદિર બંને જગ્યાએ શિવલિંગ જોયું હશે. "શિવલિંગ" શબ્દનો અર્થ "શિવનું પ્રતીક" થાય છે, જ્યાં "શિવ" નો અર્થ પરોપકારી અને "લિંગ" નો અર્થ પ્રતીક અથવા ચિહ્ન થાય છે.
- Ravi Prajapati
- Updated on: Nov 11, 2025
- 7:59 pm
મંદિરમાં પ્રવેશતા પહેલા બોલો આ બે શબ્દો, ભગવાન શિવ તમારી બધી ભૂલો માફ કરશે!
મંદિરમાં પૂજા સંબંધિત અનેક નિયમો આપણા પ્રાચીન શાસ્ત્રોમાં વર્ણવવામાં આવ્યા છે. શિવપુરાણમાં પણ આવા કેટલાક વિશેષ નિયમોનો ઉલ્લેખ મળે છે, જેમનું પાલન કરવાથી જીવનની અનેક મુશ્કેલીઓ દૂર થતી હોવાનું માનવામાં આવે છે. આ નિયમોમાંથી એક મહત્વપૂર્ણ નિયમ એવો છે કે, જ્યારે પણ કોઈ વ્યક્તિ મંદિરમાં પ્રવેશ કરે ત્યારે તેને પવિત્ર મંત્રનો જાપ કરવો જોઈએ. એવું કરવાથી મન શુદ્ધ થાય છે અને ભગવાનની કૃપા પ્રાપ્ત થાય છે.
- Ashvin Patel
- Updated on: Oct 19, 2025
- 5:25 pm
ભારતના આ મંદિરમાં સ્થાપિત છે 90 લાખથી વધુ શિવલિંગ, આજે પણ સતત વધી રહી છે શિવલિંગની સંખ્યા- Photos
કર્ણાટકનું આ મંદિરમાં 90 લાખથી વધુ શિવલિંગ સ્તાપિત કરવામાં આવી ચુક્યા છે અને હાલ પણ અહીં શિવલિંગની સંખ્યા સતત વધી રહી છે. આ જ કારણ છે કે આ મંદિર ન માત્ર ભાવિકો માટે પરંતુ પ્રવાસીઓ માટે પણ આકર્ષણનું કેન્દ્ર બનેલુ છે.
- Mina Pandya
- Updated on: Sep 9, 2025
- 2:02 pm