ભગવાન શિવ
ત્રિદેવોમાંથી એક દેવ છે શિવ, ભગવાન શિવને દેવોના દેવ મહાદેવ કહેવામાં આવે છે. ભગવાન શિવના બીજા ઘણા નામ છે, જેમ કે, મહાદેવ, ભોળાનાથ, શંકર, મહેશ, રુદ્ર, નીલકંઠ વગેરે, મહાદેવને ભોળાનાથ તરીકે ઓળખવામાં આવે છે કારણ કે તે જલદી પ્રસન્ન થઇ જાય છે.હિન્દુ ધર્મમાં એક આખો મહિનો મહાદેવને સમર્પિત છે, શ્રાવણ માસમાં લોકો મહાદેવની પૂજા કરી આશિર્વાદ પ્રાપ્ત કરે છે, સમુદ્ર મંથનમાંથી નિકળેલા ઝેરને ભગવાને પોતાના ગળામાં ધારણ કર્યું હતું, મહાદેવે સંહારના દેવ તરીકે ઓળખવામાં આવે છે.
શિવ પરિવારમાં ભગવાન શંકર, માતા પાર્વતી અને તેમના પુત્રો ગણેશ અને કાર્તિકેયનો સમાવેશ થાય છે. શિવજીની એક પુત્રી ઓખાનો પણ પુરાણોમાં ઉલ્લેખ જોવા મળે છે, પરંતુ સામાન્ય રીતે શિવ પરિવારમાં તેમની ગણતરી કરવામાં આવતી નથી. આ ઉપરાંત શિવ મંદિરોમાં હનુમાન, કાચબો અને પોઠીયો પણ શિવ પરિવારની સાથે જોવા મળે છે.
Read Moreશિવલિંગ પર જળાભિષેક કર્યા પછી ના કરતા આ ભૂલ, જાણો મંદિરેથી ખાલી લોટો ઘરે લાવવો કેમ માનવામાં આવે છે અશુભ !
શ્રાવણ મહિનો આવતાની સાથે જ શિવભક્તોમાં ઉત્સાહ જોવા મળે છે. કારણ કે શ્રાવણ મહિનો ભગવાન શિવજીનો સૌથી પ્રિય મહિનો માનવામાં આવે છે. તેથી આ આખા મહિના દરમિયાન શિવભક્તો ઉપવાસ, જાપ, રુદ્રાભિષેક, જળાભિષેક અને શિવપૂજા કરીને ભગવાન શિવજીની પૂજા કરે છે.
- Dhruval Shah
- Updated on: Aug 6, 2026
- 2:39 pm
શ્રાવણ મહિનામાં જ કેમ સૌથી વધુ દેખાય છે સાપ ? નાગપંચમીનું કનેક્શન કે વિજ્ઞાન, જાણી લો અસલી કારણ !
શ્રાવણ મહિનાની દરમિયાન સાપ દેખાવાનું પ્રમાણ વધી જાય છે. ખેતરો, બગીચાઓ અને ક્યારેક ઘરની આસપાસ પણ સાપ જોવા મળે છે. આનાથી નાગ પંચમી સાથે શું સંબંધ છે કે તેની પાછળ કોઈ વૈજ્ઞાનિક કે કુદરતી કારણ છે તે અંગે પ્રશ્નો ઉભા થાય છે.
- Dhruval Shah
- Updated on: Aug 5, 2026
- 11:32 am
શ્રાવણમાં વ્રત દરમ્યાન પીરિયડ્સ આવે તો શું કરવું? ઉપવાસ ચાલુ રાખવો કે છોડી દેવો ?
શ્રાવણનો પવિત્ર મહિનો ચાલી રહ્યો છે અને લાખો મહિલાઓ તેમજ કન્યાઓ ભગવાન ભોલેનાથના આશીર્વાદ મેળવવા માટે શ્રાવણ સોમવારનું વ્રત રાખી રહી છે. પરંતુ ઘણીવાર આ દરમિયાન મહિલાઓના મનમાં એક મોટી ધર્મસંકટની સ્થિતિ ઊભી થાય છે કે જો વ્રત દરમિયાન અચાનક પીરિયડ્સ આવી જાય તો શું કરવું જોઈએ? ચાલો ધાર્મિક માન્યતાઓ અનુસાર જાણીએ.
- Sachin Agrawal
- Updated on: Aug 3, 2026
- 9:40 pm
શિવજીના ચરણોમાં હાજરીથી લઈને સમર્પણ સુધી, શિવલિંગ સામે 3 વાર તાળી પાડવાનું શું છે મહત્વ?
હિંદુ ધર્મમાં, ભગવાન શિવજીની પૂજાનું વિશેષ મહત્વ છે. ભગવાન શિવજીને ભોલેનાથ પણ કહેવામાં આવે છે, કારણ કે તેઓ ફક્ત જળ અને બીલીપત્ર અર્પણ કરવાથી પણ પ્રસન્ન થાય છે. ઘણીવાર, આપણે શિવ મંદિરોમાં ભક્તોને શ્રદ્ધાથી પૂજા, આરતી અને શિવલિંગ સામે ઉભા રહીને તાળી વગાડતા જોઈએ છે .
- Dhruval Shah
- Updated on: Aug 2, 2026
- 3:26 pm
શિવજી સ્મશાનમાં કેમ નિવાસ કરે છે ? જાણી લો ભસ્મ ધારણ કરવા પાછળનું રહસ્ય !
હિંદુ ધર્મ અનુસાર ભગવાન શિવજીનું સ્વરૂપ અન્ય તમામ દેવતાઓ કરતાં સંપૂર્ણપણે અલગ માનવામાં આવે છે. મહાદેવ પોતાના સમગ્ર શરીર પર ભસ્મ ધારણ કરે છે અને સ્મશાનમાં પણ નિવાસ પણ કરે છે. પરંતુ તેની પાછળનું કારણ શું છે તે જાણો
- Dhruval Shah
- Updated on: Aug 2, 2026
- 2:31 pm
અન્નદાનથી લઈને ઘી અને તેલ સુધી… શ્રાવણ માસમાં કરો આ 8 વસ્તુનું દાન, ઘરમાં આવશે સુખ, શાંતિ અને સમૃદ્ધિ !
શ્રાવણનો પવિત્ર મહિનો ભગવાન શિવજીને સમર્પિત હોય છે. ધાર્મિક માન્યતા મુજબ શ્રાવણ મહિનામાં ધાર્મિક વિધિઓ અને દાન કરવાથી ભગવાન શિવજીનો આશીર્વાદ, સુખ અને શાંતિ મળે છે. તો, ચાલો જોઈએ કે શ્રાવણ મહિનામાં શું દાન કરવું શુભ માનવામાં આવે છે.
- Dhruval Shah
- Updated on: Aug 2, 2026
- 9:22 am
વર્ષમાં માત્ર એક જ દિવસ ખુલે છે ભગવાન શિવનું આ અનોખું મંદિર, દર્શન માત્રથી પૂરી થાય છે ભક્તોની મનોકામનાઓ
ભગવાન શિવના અનેક અનોખા મંદિરોમાંથી એક છે નાગચંદ્રેશ્વર મંદિર. આ મંદિર ઉજ્જૈનમાં આવેલું છે અને વર્ષમાં માત્ર એક જ દિવસ તેના કપાટ ખુલે છે. શિવજી અને નાગ દેવતાની આ દુર્લભ મૂર્તિના દર્શનથી કાલસર્પ દોષમાંથી મુક્તિ મળે છે.
- Sachin Agrawal
- Updated on: Aug 1, 2026
- 6:52 pm
Shravan 2026: શિવભક્તિનું અદ્ભુત પ્રતીક! જાણો મહાદેવના 8 મહાન ભક્તો વિશે, જેમની ભક્તિ આજે પણ પ્રેરણા આપે છે
ભગવાન શિવના એવા 8 મહાન ભક્તોની અદ્ભુત કથાઓ, જેમની અડગ શ્રદ્ધા અને નિષ્કપટ ભક્તિથી પ્રસન્ન થઈ મહાદેવે તેમને દિવ્ય આશીર્વાદ આપ્યા હતા. કન્નપ્પાથી લઈને રાવણ, માર્કંડેયથી ઉપમન્યુ સુધી દરેક ભક્તની કહાની ભક્તિ અને સમર્પણનું અનોખું ઉદાહરણ છે.
- RajSingh Sisodiya
- Updated on: Aug 1, 2026
- 1:24 pm
શ્રાવણ માસમાં જન્મેલા બાળકો કેવા હોય છે ? જાણો એમનો સ્વભાવ, ગુણ અને ભાગ્ય
શાસ્ત્ર અનુસાર, શ્રાવણ મહિનામાં જન્મેલા બાળકો પર ભગવાન શિવના આશીર્વાદ અને તેમના સ્વભાવની વિશેષ છાપ જોવા મળે છે. પવિત્ર શ્રાવણ માસની શરૂઆત થઈ ચૂકી છે. એવામાં આવો જાણીએ કે, આ પાવન મહિનામાં જન્મેલા બાળકોનો સ્વભાવ, ગુણ અને ભાગ્ય કેવું હોય છે...
- Ravi Prajapati
- Updated on: Aug 1, 2026
- 12:38 pm
Shravan : જળ, દૂધ કે પંચામૃત…., શિવલિંગ પર સૌથી પહેલા શું અર્પણ કરવું !
હિંદુ ધર્મમાં પવિત્ર શ્રાવણ મહિનામાં ભક્તો શિવલિંગનો અભિષેક કરીને ભગવાન શિવજીને પ્રસન્ન કરે છે. પરંતુ ઘણા લોકોના મનમાં પ્રશ્ન થાય છે કે શિવલિંગ પર સૌથી પહેલા જળ ચઢાવવું જોઈએ, દૂધ ચઢાવવું જોઈએ કે પછી પંચામૃત અર્પણ કરવું જોઈએ.
- Dhruval Shah
- Updated on: Jul 31, 2026
- 9:39 am
Shravan : શ્રાવણમાં શિવજી પર જળ અર્પણ કરતી વખતે ભૂલથી પણ ન કરો આ 5 ભૂલ, જાણો નિયમો!
શ્રાવણ મહિનો સનાતન ધર્મમાં વિશેષ મહત્વ ધરાવે છે. આ પવિત્ર મહિનામાં ભક્તો શિવલિંગ પર જળ ચઢાવીને ભગવાન શિવના આશીર્વાદ મેળવે છે. ધાર્મિક માન્યતાઓ અનુસાર, શિવલિંગ પર જળ ચઢાવવાથી મનને શાંતિ મળે છે અને જીવનની સમસ્યાઓ દૂર થાય છે.
- Dhruval Shah
- Updated on: Jul 30, 2026
- 9:06 am
શ્રાવણમાં શિવલિંગ પર ચઢાવો આ 5 પવિત્ર વસ્તુઓ! મહાદેવ થશે પ્રસન્ન, ઘરમાં આવશે સુખ, શાંતિ અને સમૃદ્ધિ
ધાર્મિક માન્યતાઓ અનુસાર, શ્રાવણનો આખો મહિનો ભગવાન શિવની પૂજા માટે સમર્પિત હોય છે. આ શુભ પ્રસંગે, શિવભક્તો તેમના દેવતાને પ્રસન્ન કરવા માટે વિવિધ ધાર્મિક વિધિઓ અને પ્રાર્થનાઓ કરે છે.
- Dhruval Shah
- Updated on: Jul 29, 2026
- 8:22 am
શ્રાવણ મહિનામાં આવતા આ 4 સપના છે અત્યંત શુભ, માનવામાં આવે છે ભગવાન શિવની કૃપાના સંકેત!
ભગવાન શિવને સમર્પિત શ્રાવણના પવિત્ર મહિનામાં કેટલાક સપના જોવા ખૂબ જ શુભ માનવામાં આવે છે. આ સપના શિવના આશીર્વાદનું પ્રતીક હોઈ શકે છે. ચાલો આ સપનાઓ વિશે વધુ જાણીએ.
- Dhruval Shah
- Updated on: Jul 28, 2026
- 11:27 am
શ્રાવણમાં કઈ વસ્તુ દાન કરવાથી અભ્યાસ, નોકરી અને વેપારમાં પ્રગતિ મળે છે…?
શ્રાવણ મહિનો ભગવાન શિવની પૂજા અને ભક્તિ માટે અત્યંત ખાસ માનવામાં આવે છે. આ દરમિયાન પૂજા-પાઠ સાથે દાનનું પણ વિશેષ મહત્વ છે. માન્યતા છે કે શ્રાવણમાં કેટલીક ખાસ વસ્તુઓનું દાન કરવાથી જીવનમાં સકારાત્મક ઊર્જા આવે છે અને પ્રગતિના માર્ગો ખુલે છે. જાણો શ્રાવણમાં કઈ વસ્તુઓનું દાન કરવું જોઈએ.
- Sachin Agrawal
- Updated on: Jul 28, 2026
- 9:03 pm
ડાયમંડ કે સોનું નહીં… શ્રાવણમાં મહિલાઓનું ભાગ્ય ચમકાવી શકે છે ‘લીલી કાચની બંગડી’, આ શણગાર પાછળ છુપાયેલું ‘અસલી રહસ્ય’ જાણો
પવિત્ર શ્રાવણ મહિનો શરૂ થતાં જ મહિલાઓમાં લીલા રંગના શણગારનો એક અલગ જ ઉત્સાહ જોવા મળે છે. આમ તો તહેવારમાં મહિલાઓ સોના કે હીરાના દાગીના પહેરવાનું પસંદ કરતી હોય છે પરંતુ શ્રાવણમાં કાચની લીલી બંગડીઓ પહેરવી શાસ્ત્રોમાં સૌથી વધુ શુભ અને ફળદાયી માનવામાં આવી છે.
- Ravi Prajapati
- Updated on: Jul 27, 2026
- 1:46 pm