AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ભગવાન શિવ

ભગવાન શિવ

ત્રિદેવોમાંથી એક દેવ છે શિવ, ભગવાન શિવને દેવોના દેવ મહાદેવ કહેવામાં આવે છે. ભગવાન શિવના બીજા ઘણા નામ છે, જેમ કે, મહાદેવ, ભોળાનાથ, શંકર, મહેશ, રુદ્ર, નીલકંઠ વગેરે, મહાદેવને ભોળાનાથ તરીકે ઓળખવામાં આવે છે કારણ કે તે જલદી પ્રસન્ન થઇ જાય છે.હિન્દુ ધર્મમાં એક આખો મહિનો મહાદેવને સમર્પિત છે, શ્રાવણ માસમાં લોકો મહાદેવની પૂજા કરી આશિર્વાદ પ્રાપ્ત કરે છે, સમુદ્ર મંથનમાંથી નિકળેલા ઝેરને ભગવાને પોતાના ગળામાં ધારણ કર્યું હતું, મહાદેવે સંહારના દેવ તરીકે ઓળખવામાં આવે છે.

શિવ પરિવારમાં ભગવાન શંકર, માતા પાર્વતી અને તેમના પુત્રો ગણેશ અને કાર્તિકેયનો સમાવેશ થાય છે. શિવજીની એક પુત્રી ઓખાનો પણ પુરાણોમાં ઉલ્લેખ જોવા મળે છે, પરંતુ સામાન્ય રીતે શિવ પરિવારમાં તેમની ગણતરી કરવામાં આવતી નથી. આ ઉપરાંત શિવ મંદિરોમાં હનુમાન, કાચબો અને પોઠીયો પણ શિવ પરિવારની સાથે જોવા મળે છે.

Read More

ભગવાન શંકરજીના ત્રીજી આંખનું શું છે રહસ્ય! શા માટે ત્રીજી આંખ ખુલતાં જ થાય છે વિનાશ? જાણો કારણ

ભગવાન શંકરજીના ત્રીજા નેત્ર વિશે ઘણી વાતો કહેવામાં આવે છે. મહાભારતની કથા અનુસાર, ભગવાન શિવજીનું ત્રીજું નેત્ર શક્તિ અને ઉર્જાનું પ્રતીક છે. જે તેમની ભૌતિક આંખો કરતાં ઘણું ઊંચું છે. શંકરનું ત્રીજું નેત્ર જ્ઞાન અને સત્યનું નેત્ર છે. જે તમામ પ્રકારના અસત્યનો નાશ કરે છે.

નંદીનો જન્મ કેવી રીતે થયો, શિવ મંદિરમાં નંદીની મૂર્તિ શા માટે હોય છે? જાણો શું છે માન્યતા

શિવ મંદિરમાં શિવલિંગની સામે નંદી મહારાજની મૂર્તિ શા માટે હોય છે અને નંદીના કાનમાં પોતાની ઈચ્છા શા માટે કહેવામાં આવે છે? જાણો નંદી મહારાજના જન્મ અને તેઓ ભગવાન શિવના વાહન કેવી રીતે બન્યા તેની શિવપુરાણમાં વર્ણવાયેલી રસપ્રદ કથા.

શેષનાગથી લઈને વાસુકી સુધી, નાગ પંચમી પર પૂજાતા 8 દિવ્ય નાગ અને તેમના અદ્ભુત રહસ્યો જાણો !

શ્રાવણ માસમાં નાગ પંચમી પર ભગવાન શિવ અને નાગ દેવતાની પૂજા કરવાનું વિશેષ મહત્વ હોય છે. માન્યતા અનુસાર, આ દિવસે આઠ પવિત્ર નાગ દેવતાની પૂજા કરવાથી કુંડળીમાં હાજર કાલસર્પ દોષ દૂર થઈ શકે છે.

સોમનાથથી લઈ ઘૃષ્ણેશ્વર સુધી… જાણો 12 પવિત્ર જ્યોતિર્લિંગના પ્રગટ થવા પાછળની પૌરાણિક કથા !

સોમનાથથી લઈ ઘૃષ્ણેશ્વર સુધીના 12 પવિત્ર જ્યોતિર્લિંગ પાછળ અનેક અદ્ભુત પૌરાણિક કથાઓ જોડાયેલી છે. જાણો ભગવાન શિવજીના આ પવિત્ર સ્વરૂપો કેવી રીતે પ્રગટ થયા અને તેમનું ધાર્મિક મહત્ત્વ શું છે.

બીલીપત્રની અદ્ભુત મહિમા, શિવલિંગ પર માત્ર 1 પાંદડું અર્પણ કરવાથી કેમ મળે છે અનંત પુણ્ય? જાણો શું કહે છે જ્યોતિષ

જ્યોતિષ શ્રદ્ધા પંડ્યાના અનુસાર, બિલ્વવૃક્ષને શિવભક્તિમાં વિશેષ પવિત્ર માનવામાં આવેલું છે. જ્યોતિષ અનુસાર, બિલ્વવૃક્ષ નીચે બ્રહ્મભોજન કરાવવાથી વિશેષ પુણ્ય પ્રાપ્ત થાય છે અને શિવભક્તોને ભોજન કરાવવાથી દરિદ્રતા દૂર થવાની માન્યતા છે. આ કારણે શ્રાવણ માસમાં બિલ્વવૃક્ષની પૂજા અને તેની આસપાસ ધાર્મિક અનુષ્ઠાનનું વિશેષ મહત્વ માનવામાં આવેલું છે.

પવિત્ર શ્રાવણ માસમાં કરો આ 4 નાની અસરકારક શરૂઆત, મળશે આંતરિક શાંતિ અને માનસિક સ્ટ્રેસમાંથી મુક્તિ !

શ્રાવણ માસને આધ્યાત્મિકતા, ભક્તિ અને આત્મચિંતન માટે વિશેષ માનવામાં આવે છે. આ પવિત્ર મહિનામાં કેટલીક સરળ પ્રવૃત્તિઓને લાઇફસ્ટાઇલનો ભાગ બનાવવાથી મનને શાંતિ મળે છે અને સકારાત્મકતા વધારવામાં મદદ મળી શકે છે.

પવિત્ર શ્રાવણમાં સૂર્યાસ્ત પછી થઈ શકે શિવલિંગનો જલાભિષેક? જાણો શું કહે છે શાસ્ત્રો અને નિયમો

શ્રાવણ મહિનામાં ભોળાનાથના જલાભિષેક માટે સવારે મંદિરોમાં લાઈનો લાગે છે. પરંતુ શું સૂર્યાસ્ત પછી કે રાત્રે શિવલિંગ પર જળ ચડાવી શકાય? જાણો પ્રદોષ કાળ અને પૂજાના નિયમો.

Lord Shiva Nataraja Form: શિવના નટરાજ સ્વરૂપનો શું છે અર્થ? જાણો પગ નીચે દબાયેલા અપસ્મારનું રહસ્ય

ભગવાન શિવના નટરાજ સ્વરૂપમાં છુપાયેલા ગૂઢ સંદેશને જાણો. નટરાજના પગ નીચે દબાયેલો અપસ્માર શું દર્શાવે છે અને ડમરુ, અગ્નિ તથા અભય મુદ્રા પાછળનો આધ્યાત્મિક અર્થ શું છે?

11 ઓગસ્ટે ગજકેસરી-ચતુર્ગ્રહી યોગનો મહાસંયોગ! આ રાશિના જાતકોને અચાનક થશે ‘ધન લાભ’, ‘પ્રમોશન’ અને વિદેશ પ્રવાસના પણ ખૂલશે ‘દ્વાર’

જ્યોતિષ શાસ્ત્રમાં ગજકેસરી યોગને અત્યંત શુભ અને ફળદાયી માનવામાં આવે છે. આ વખતે 11 ઓગસ્ટે શ્રાવણ શિવરાત્રિના પવિત્ર દિવસે કર્ક રાશિમાં ગજકેસરી અને ચતુર્ગ્રહી યોગનો અદભુત સંયોગ રચાઈ રહ્યો છે. ગ્રહોના આ ખાસ પરિવર્તનથી કેટલીક રાશિઓ પર મહાદેવ અને લક્ષ્મીજીની કૃપા વરસવાની છે.

ભારતમાં શ્રાવણ મહિનો બે અલગ-અલગ તારીખે કેમ શરૂ થાય છે ? ‘શ્રાવણ’ નામની ઉત્પત્તિ કેવી રીતે થઈ ? જાણો

શ્રાવણ મહિનાને હિંદુ કેલેન્ડરનો સૌથી પવિત્ર મહિનો માનવામાં આવે છે. આ મહિનામાં ભગવાન શિવજીની પૂજા, રુદ્રાભિષેક, જળાભિષેક, ઉપવાસ, અને વિવિધ ધાર્મિક વિધિઓને વિશેષ મહત્વ આપવામાં આવ્યું છે.

શિવલિંગ પર જળાભિષેક કર્યા પછી ના કરતા આ ભૂલ, જાણો મંદિરેથી ખાલી લોટો ઘરે લાવવો કેમ માનવામાં આવે છે અશુભ !

શ્રાવણ મહિનો આવતાની સાથે જ શિવભક્તોમાં ઉત્સાહ જોવા મળે છે. કારણ કે શ્રાવણ મહિનો ભગવાન શિવજીનો સૌથી પ્રિય મહિનો માનવામાં આવે છે. તેથી આ આખા મહિના દરમિયાન શિવભક્તો ઉપવાસ, જાપ, રુદ્રાભિષેક, જળાભિષેક અને શિવપૂજા કરીને ભગવાન શિવજીની પૂજા કરે છે.

શ્રાવણ મહિનામાં જ કેમ સૌથી વધુ દેખાય છે સાપ ? નાગપંચમીનું કનેક્શન કે વિજ્ઞાન, જાણી લો અસલી કારણ !

શ્રાવણ મહિનાની દરમિયાન સાપ દેખાવાનું પ્રમાણ વધી જાય છે. ખેતરો, બગીચાઓ અને ક્યારેક ઘરની આસપાસ પણ સાપ જોવા મળે છે. આનાથી નાગ પંચમી સાથે શું સંબંધ છે કે તેની પાછળ કોઈ વૈજ્ઞાનિક કે કુદરતી કારણ છે તે અંગે પ્રશ્નો ઉભા થાય છે.

શ્રાવણમાં વ્રત દરમ્યાન પીરિયડ્સ આવે તો શું કરવું? ઉપવાસ ચાલુ રાખવો કે છોડી દેવો ?

શ્રાવણનો પવિત્ર મહિનો ચાલી રહ્યો છે અને લાખો મહિલાઓ તેમજ કન્યાઓ ભગવાન ભોલેનાથના આશીર્વાદ મેળવવા માટે શ્રાવણ સોમવારનું વ્રત રાખી રહી છે. પરંતુ ઘણીવાર આ દરમિયાન મહિલાઓના મનમાં એક મોટી ધર્મસંકટની સ્થિતિ ઊભી થાય છે કે જો વ્રત દરમિયાન અચાનક પીરિયડ્સ આવી જાય તો શું કરવું જોઈએ? ચાલો ધાર્મિક માન્યતાઓ અનુસાર જાણીએ.

શિવજીના ચરણોમાં હાજરીથી લઈને સમર્પણ સુધી, શિવલિંગ સામે 3 વાર તાળી પાડવાનું શું છે મહત્વ?

હિંદુ ધર્મમાં, ભગવાન શિવજીની પૂજાનું વિશેષ મહત્વ છે. ભગવાન શિવજીને ભોલેનાથ પણ કહેવામાં આવે છે, કારણ કે તેઓ ફક્ત જળ અને બીલીપત્ર અર્પણ કરવાથી પણ પ્રસન્ન થાય છે. ઘણીવાર, આપણે શિવ મંદિરોમાં ભક્તોને શ્રદ્ધાથી પૂજા, આરતી અને શિવલિંગ સામે ઉભા રહીને તાળી વગાડતા જોઈએ છે .

શિવજી સ્મશાનમાં કેમ નિવાસ કરે છે ? જાણી લો ભસ્મ ધારણ કરવા પાછળનું રહસ્ય !

હિંદુ ધર્મ અનુસાર ભગવાન શિવજીનું સ્વરૂપ અન્ય તમામ દેવતાઓ કરતાં સંપૂર્ણપણે અલગ માનવામાં આવે છે. મહાદેવ પોતાના સમગ્ર શરીર પર ભસ્મ ધારણ કરે છે અને સ્મશાનમાં પણ નિવાસ પણ કરે છે. પરંતુ તેની પાછળનું કારણ શું છે તે જાણો

અધિકારીઓ તમારાથી પ્રસન્ન થશે, કાર્યક્ષેત્રે તમારું વર્ચસ્વ વધશે
અધિકારીઓ તમારાથી પ્રસન્ન થશે, કાર્યક્ષેત્રે તમારું વર્ચસ્વ વધશે
સાગબારાના ખેડૂતોના જમીન હકના મુદ્દે રક્ષાબંધન બાદ મંત્રીઓ ચર્ચા કરશે
સાગબારાના ખેડૂતોના જમીન હકના મુદ્દે રક્ષાબંધન બાદ મંત્રીઓ ચર્ચા કરશે
તહેવારો પહેલાં મોંઘવારીનો માર: ખાંડ-ડુંગળીના ભાવ બમણા, મીઠાઈ પણ મોંઘી
તહેવારો પહેલાં મોંઘવારીનો માર: ખાંડ-ડુંગળીના ભાવ બમણા, મીઠાઈ પણ મોંઘી
ક્રૂડ ઓઇલમાં તેજીથી સુરતનો કાપડ ઉદ્યોગ મુશ્કેલીમાં, SGCCIએ માંગી રાહત
ક્રૂડ ઓઇલમાં તેજીથી સુરતનો કાપડ ઉદ્યોગ મુશ્કેલીમાં, SGCCIએ માંગી રાહત
Trending Video: હિન્દુસ્તાની ભાઈએ સુમો પહેલવાન સાથે લીધો પંગો
Trending Video: હિન્દુસ્તાની ભાઈએ સુમો પહેલવાન સાથે લીધો પંગો
દેશી દારૂના વેચાણના વાયરલ વીડિયો બાદ મહિલાની અટકાયત
દેશી દારૂના વેચાણના વાયરલ વીડિયો બાદ મહિલાની અટકાયત
રાજકોટમાં યોજાતા લોકમેળાને લઇને મોટા સમાચાર
રાજકોટમાં યોજાતા લોકમેળાને લઇને મોટા સમાચાર
વાયરલ થયો આ એક વીડિયો અને રાજકોટ પોલીસ થઈ દોડતી
વાયરલ થયો આ એક વીડિયો અને રાજકોટ પોલીસ થઈ દોડતી
બુટલેગર પાસે હપ્તો માગનાર અમદાવાદ પોલીસકર્મી સસ્પેન્ડ - જુઓ Video
બુટલેગર પાસે હપ્તો માગનાર અમદાવાદ પોલીસકર્મી સસ્પેન્ડ - જુઓ Video
દોઢ વર્ષના બાળકની અન્નળીમાં પીન ફસાય , જુઓ Video
દોઢ વર્ષના બાળકની અન્નળીમાં પીન ફસાય , જુઓ Video
g clip-path="url(#clip0_868_265)">