AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Vastu Tips : શ્રાવણ મહિનાના સોમવારે ભૂલથી પણ ન પહેરો આ 3 રંગના કપડાં, મનગમતો વર નહીં મળે!

શ્રાવણ મહિનો ભગવાન શંકરની ઉપાસના કરવા માટે અત્યંત પાવન માનવામાં આવે છે. સોમવારના દિવસે અપરીણીત યુવતીઓ શ્રદ્ધાપૂર્વક વ્રત રાખે છે અને ભગવાન શિવને જળ અર્પણ કરીને મનપસંદ જીવનસાથી મેળવવાની ઈચ્છા વ્યક્ત કરે છે.

| Updated on: Jul 14, 2025 | 5:51 PM
Share
એવું કહેવાય છે કે, સોમવારના દિવસે સાચા મનથી ભગવાન શિવની પૂજા કરવામાં આવે તો બધી ઇચ્છાઓ પૂર્ણ થાય છે. ખાસ વાત તો એ કે, અપરિણીત છોકરીઓ આ દિવસે ઉપવાસ રાખે છે અને શિવલિંગ પર જળ ચઢાવે છે.  જળ અર્પણ કરતી વખતે છોકરીઓ સારો જીવનસાથી મેળવવાની ઇચ્છા રાખે છે.

એવું કહેવાય છે કે, સોમવારના દિવસે સાચા મનથી ભગવાન શિવની પૂજા કરવામાં આવે તો બધી ઇચ્છાઓ પૂર્ણ થાય છે. ખાસ વાત તો એ કે, અપરિણીત છોકરીઓ આ દિવસે ઉપવાસ રાખે છે અને શિવલિંગ પર જળ ચઢાવે છે. જળ અર્પણ કરતી વખતે છોકરીઓ સારો જીવનસાથી મેળવવાની ઇચ્છા રાખે છે.

1 / 6
જો શ્રાવણ મહિનામાં સોમવારે વ્રત રાખતી અપરિણીત છોકરીઓ મનગમતો વર મેળવવા માંગે છે, તો તેઓએ પાણી ચઢાવતી વખતે આ 3 રંગોના કપડાં પહેરવાનું ટાળવું જોઈએ.

જો શ્રાવણ મહિનામાં સોમવારે વ્રત રાખતી અપરિણીત છોકરીઓ મનગમતો વર મેળવવા માંગે છે, તો તેઓએ પાણી ચઢાવતી વખતે આ 3 રંગોના કપડાં પહેરવાનું ટાળવું જોઈએ.

2 / 6
વાસ્તુશાસ્ત્ર અને ધાર્મિક માન્યતાઓ અનુસાર, ભગવાન શિવને પાણી ચઢાવવા જતી વખતે કેટલાંક ખાસ રંગોના કપડાં ન પહેરવા જોઈએ. આવું કરવાથી પૂજાનો લાભ પ્રાપ્ત થતો નથી અને ઇચ્છિત વર મેળવવામાં અવરોધ આવે છે.

વાસ્તુશાસ્ત્ર અને ધાર્મિક માન્યતાઓ અનુસાર, ભગવાન શિવને પાણી ચઢાવવા જતી વખતે કેટલાંક ખાસ રંગોના કપડાં ન પહેરવા જોઈએ. આવું કરવાથી પૂજાનો લાભ પ્રાપ્ત થતો નથી અને ઇચ્છિત વર મેળવવામાં અવરોધ આવે છે.

3 / 6
કાળો રંગ: વાસ્તુ અનુસાર, કાળો રંગ અશુભ માનવામાં આવે છે. જણાવી દઈએ કે, આ રંગ શનિ ગ્રહ સાથે સંકળાયેલો છે, જે નકારાત્મક ઉર્જાને આકર્ષે છે. શાસ્ત્રોમાં કહેવામાં આવ્યું છે કે, સોમવારે કાળા કપડાં પહેરીને પાણી ચઢાવવાથી ભગવાન શિવના આશીર્વાદ મળતા નથી.

કાળો રંગ: વાસ્તુ અનુસાર, કાળો રંગ અશુભ માનવામાં આવે છે. જણાવી દઈએ કે, આ રંગ શનિ ગ્રહ સાથે સંકળાયેલો છે, જે નકારાત્મક ઉર્જાને આકર્ષે છે. શાસ્ત્રોમાં કહેવામાં આવ્યું છે કે, સોમવારે કાળા કપડાં પહેરીને પાણી ચઢાવવાથી ભગવાન શિવના આશીર્વાદ મળતા નથી.

4 / 6
ચમકદાર કે ભડકીલો રંગ: વાસ્તુમાં ચમકદાર અથવા ભડકીલા રંગને અશુભ માનવામાં આવે છે. લાલ, ઘાટો પીળો અથવા નારંગી રંગ આના મુખ્ય ઉદાહરણ છે. આવા રંગોથી ધ્યાન અને તપસ્યાની ઉર્જા ભંગ થાય છે. ભગવાન શિવ સાદગી અને શાંતિના દેવતા છે, આવી સ્થિતિમાં ભડકાઉ રંગ પહેરીને પૂજા કરવાથી મનની એકાગ્રતામાં ખલેલ પહોંચે છે અને માંગેલી મનોકામનામાં અડચણો ઊભી થાય છે.

ચમકદાર કે ભડકીલો રંગ: વાસ્તુમાં ચમકદાર અથવા ભડકીલા રંગને અશુભ માનવામાં આવે છે. લાલ, ઘાટો પીળો અથવા નારંગી રંગ આના મુખ્ય ઉદાહરણ છે. આવા રંગોથી ધ્યાન અને તપસ્યાની ઉર્જા ભંગ થાય છે. ભગવાન શિવ સાદગી અને શાંતિના દેવતા છે, આવી સ્થિતિમાં ભડકાઉ રંગ પહેરીને પૂજા કરવાથી મનની એકાગ્રતામાં ખલેલ પહોંચે છે અને માંગેલી મનોકામનામાં અડચણો ઊભી થાય છે.

5 / 6
ઘાટો વાદળી રંગ: વાદળી રંગ શનિ અને રાહુની ઉર્જાને પ્રોત્સાહન આપે છે. અપરિણીત છોકરીઓએ સોમવારે આ રંગના કપડાં ન પહેરવા જોઈએ. આ રંગ લગ્ન જીવનમાં વિલંબ અથવા અવરોધનું પ્રતીક બની શકે છે.

ઘાટો વાદળી રંગ: વાદળી રંગ શનિ અને રાહુની ઉર્જાને પ્રોત્સાહન આપે છે. અપરિણીત છોકરીઓએ સોમવારે આ રંગના કપડાં ન પહેરવા જોઈએ. આ રંગ લગ્ન જીવનમાં વિલંબ અથવા અવરોધનું પ્રતીક બની શકે છે.

6 / 6

ડિસ્ક્લેમર: આ લેખ સામાન્ય માહિતી અને માન્યતાઓ પર આધારિત છે. TV9 Gujarati કોઈપણ રીતે આની પુષ્ટિ કરતું નથી.

વાસ્તુશાસ્ત્ર એ પ્રકૃતિ અને ઉર્જાના નિયમો પર આધારિત ભારતીય સંસ્કૃતિનું એક પ્રાચીન વિજ્ઞાન છે, જેને મોટાભાગના હિંદુ ધર્મોમાં લોકો ઘર બનાવતી વખતે અથવા ઘરમાં વસ્તુઓ ગોઠવતી વખતે ધ્યાનમાં રાખવામાં આવે છે. વાસ્તુશાસ્ત્રની વધુ સ્ટોરી વાંચવા આ ટોપિકને ફોલો કરતા રહો.

SIR બાદ ગુજરાતમાં 73.73 લાખ મતદાર ઘટ્યા
SIR બાદ ગુજરાતમાં 73.73 લાખ મતદાર ઘટ્યા
ભારતની સૌથી મોટી બેન્કના ATM ફ્રોડ કેસમાં 2 આરોપી સુરતથી ઝડપાયા!
ભારતની સૌથી મોટી બેન્કના ATM ફ્રોડ કેસમાં 2 આરોપી સુરતથી ઝડપાયા!
હવે ST બસના મુસાફરો પણ પોતાની સીટ પર મગાવી શકશે મનપસંદ ફુડ પેકેટ
હવે ST બસના મુસાફરો પણ પોતાની સીટ પર મગાવી શકશે મનપસંદ ફુડ પેકેટ
નકલી પોલીસે અસલી પોલીસનો ખેલ પાડ્યો, કિમ પોલીસ સ્ટેશનના PI ઝડપાયા
નકલી પોલીસે અસલી પોલીસનો ખેલ પાડ્યો, કિમ પોલીસ સ્ટેશનના PI ઝડપાયા
ગુજરાતમાં ઠંડીનો પારો 8.4 ડિગ્રીએ અટક્યો
ગુજરાતમાં ઠંડીનો પારો 8.4 ડિગ્રીએ અટક્યો
અમદાવાદમાં શાળાઓની મનમાની, NSUI એ DEO કચેરીએ કર્યો હલ્લાબોલ
અમદાવાદમાં શાળાઓની મનમાની, NSUI એ DEO કચેરીએ કર્યો હલ્લાબોલ
સૌરાષ્ટ્રનું ગૌરવ: જુનાગઢના ક્રેન્સની IPL-19માં SRH માટે થઈ પસંદગી
સૌરાષ્ટ્રનું ગૌરવ: જુનાગઢના ક્રેન્સની IPL-19માં SRH માટે થઈ પસંદગી
શ્વાનના બચ્ચાંને રમડતા નજરે પડ્યો સિંહ જુઓ અનોખા દ્રશ્યો
શ્વાનના બચ્ચાંને રમડતા નજરે પડ્યો સિંહ જુઓ અનોખા દ્રશ્યો
અંકલેશ્વરમાં વિકાસકાર્યોને લઈ સત્તા–વિપક્ષ એકસાથે પ્રમુખ સામે પડયા
અંકલેશ્વરમાં વિકાસકાર્યોને લઈ સત્તા–વિપક્ષ એકસાથે પ્રમુખ સામે પડયા
ઘરઘાટીએ જ ઘરમાં ખાતર પાડ્યું, અમદાવાદના આ વિસ્તારમાં બની ઘટના
ઘરઘાટીએ જ ઘરમાં ખાતર પાડ્યું, અમદાવાદના આ વિસ્તારમાં બની ઘટના
g clip-path="url(#clip0_868_265)">