
ઈસરો
ISRO (ઈન્ડિયન સ્પેસ રિસર્ચ ઓર્ગેનાઈઝેશન) એ ભારત સરકારની અવકાશ એજન્સી છે. તેનું મુખ્ય મથક બેંગ્લોર, કર્ણાટકમાં છે. આ ઓર્ગેનાઈઝેશનના મુખ્ય કાર્યોમાં ભારતને અવકાશ સંબંધિત ટેકનોલોજી પ્રદાન કરવી અને ઉપગ્રહો, પ્રક્ષેપણ વાહનો, સાઉન્ડિંગ રોકેટ અને ગ્રાઉન્ડ સિસ્ટમ્સ વિકસાવવાનો સમાવેશ થાય છે.
ભારત દેશનો પ્રથમ ઉપગ્રહ આર્યભટ્ટ 19 એપ્રિલ 1975ના રોજ સોવિયેત સંઘના રોકેટનો ઉપયોગ કરીને અવકાશમાં છોડવામાં આવ્યો હતો. તેનું નામ મહાન ગણિતશાસ્ત્રી આર્યભટ્ટના નામ પરથી રાખવામાં આવ્યું હતું.
ઈસરોને વર્ષ 2014 માટે શાંતિ, નિઃશસ્ત્રીકરણ અને વિકાસ માટે ઈન્દિરા ગાંધી પુરસ્કાર આપવામાં આવ્યો છે. જૂન 2016 સુધીમાંમાં ISROએ લગભગ 20 જુદા-જુદા દેશોમાંથી 57 ઉપગ્રહો લોન્ચ કર્યા છે અને અત્યાર સુધીમાં US$100 મિલિયનની કમાણી કરી છે.
ઈસરોના વર્તમાન ડાયરેક્ટર ડૉ. એસ. સોમનાથ છે. આજે ભારત માત્ર તેની અવકાશ સંબંધિત જરૂરિયાતો પૂરી કરવાની સાથેસાથે અવકાશ ક્ષમતા સાથે વ્યાપારી અને અન્ય સ્તરે વિશ્વના ઘણા દેશો સાથે સહયોગ પણ કરી રહ્યું છે.
100મા સફળ મિશન છતા ISROનું વધ્યુ ટેન્શન, લાગ્યો આ મોટો ઝટકો, હવે શું થશે ?
ISRO દ્વારા તાજેતરમાં 100મું મિશન લોન્ચ કરવામાં આવ્યુ હતુ. જેણે સફળતાપૂર્વક અવકાશમાં ઉડાન પણ ભરી હતી. જો કે હવે ISRO એટલે કે ભારતીય અવકાશ સંશોધન સંગઠનના મિશનને ઝટકો લાગ્યો છે. જેને લઇને હવે ISROનું ટેન્શન વધી ગયુ છે.
- Tanvi Soni
- Updated on: Feb 3, 2025
- 9:30 am
Axiom-4 Mission: અવકાશમાં જનારા બીજા ભારતીય બનશે શુભાંશુ શુક્લા ! નાસાના એક્સિઓમ મિશન 4ના પાયલોટ
એક અનુભવી ટેસ્ટ પાઇલટ તરીકે તેમણે વિવિધ વિમાનોમાં 2000 કલાકથી વધુ ઉડાનનો અનુભવ મેળવ્યો છે. ગ્રુપ કેપ્ટન શુક્લા સાથે, વધુ ત્રણ લોકો આંતરરાષ્ટ્રીય અવકાશ મથક (ISS) જઈ રહ્યા છે
- Devankashi rana
- Updated on: Jan 31, 2025
- 12:53 pm
ISROએ રચ્યો ઇતિહાસ, NVS-02 નેવિગેશન સેટેલાઇટ લોન્ચ કર્યુ, અવકાશમાં 100મું મિશન સફળ
ભારતીય અવકાશ સંશોધન સંગઠન (ઇસરો)એ આજે NVS-02 નેવિગેશન સેટેલાઇટનું GSLV-F15 રોકેટ દ્વારા શ્રીહરિકોટાથી સફળતાપૂર્વક પ્રક્ષેપણ કર્યું. આ ઇસરોનું 100મું મિશન હતું, જે ભારતના અવકાશ ક્ષેત્રમાં એક નવી સિદ્ધિ છે. મિશનની સફળતા પર કેન્દ્રીય મંત્રીઓએ ઈસરોને અભિનંદન પાઠવ્યા છે. આ મિશન ભારતની અવકાશ ટેકનોલોજીમાં પ્રગતિ દર્શાવે છે.
- Tanvi Soni
- Updated on: Jan 29, 2025
- 10:25 am
ISRO એ અવકાશમાં ઉગાડ્યો છોડ, જાણો શા માટે અવકાશમાં થઈ રહ્યા છે આવા પ્રયોગો, કેટલા થયા સફળ?
ભારતની અવકાશ સંશોધન સંસ્થા (ISRO) એ વધુ એક અદભૂત સિદ્ધિ હાંસલ કરીને પોતાની ક્ષમતા સાબિત કરી છે. ઈસરોએ એક ખાસ પ્રયોગ હેઠળ અવકાશમાં છોડ ઉગાડવામાં સફળતા મેળવી છે. ચાલો જાણીએ કે આ પ્રયોગ કેવી રીતે કરવામાં આવ્યો અને અવકાશમાં છોડ ઉગાડવાની જરૂર કેમ છે?
- Meera Kansagara
- Updated on: Jan 14, 2025
- 2:44 pm
ISRO SPADEX : ISRO આજે અંતરિક્ષમાં કરશે મોટો ‘ધમાકો’, 3 દેશ પછી ભારત પાસે હશે આ ટેકનોલોજી, જાણો કેમ છે આ મિશન ‘ખાસ’
ISRO Launch 2 Satellites : ISRO આજે રાત્રે 9:58 કલાકે PSLV-C60 રોકેટ પર બે ઉપગ્રહો SDX-01 અને SDX-02 લોન્ચ કરશે. સ્પેસ ડોકિંગ એક્સપેરિમેન્ટ (SPADEX) મિશન હેઠળ આ ઉપગ્રહોને 476 કિલોમીટરની ઉંચાઈ પર સ્થાપિત કરવામાં આવશે. આ મિશનનો ઉદ્દેશ્ય અવકાશમાં ડોકીંગ અને અનડોકિંગ ટેક્નોલોજીનું પરીક્ષણ કરવાનો છે.
- Meera Kansagara
- Updated on: Dec 30, 2024
- 12:03 pm
અવકાશમાં ખેતીની સંભાવના ચકાસશે ISRO, જાણો 30 ડિસેમ્બરે લોન્ચ થનારા મિશનની ખાસિયત
ઇસરો (ઇન્ડિયન સ્પેસ રિસર્ચ ઓર્ગેનાઇઝેશન)નું મિશન અવકાશમાં ખેતીની શક્યતાઓને લઈને સમાચારમાં છે. ISROનું ઓર્બિટલ એક્સપેરીમેન્ટ મોડ્યુલ અવકાશમાં નવી શક્યતાઓ શોધશે. 'POEM-4' મિશન, આગામી 30 ડિસેમ્બરે PSLV રોકેટથી લોન્ચ કરવામાં આવશે.
- TV9 Gujarati
- Updated on: Dec 24, 2024
- 1:39 pm
ISRO ને મળી મોટી સફળતા, હવે અંતરિક્ષમાં માનવ મોકલવાનું ભારત માટે બનશે સરળ
ભારત લાંબા સમયથી એક ખાસ મિશન પર કામ કરી રહ્યું છે. આ મિશન છે મનુષ્યને અંતરિક્ષમાં મોકલવાનું. આ માટે ISRO વિવિધ ટેક્નોલોજીના પરીક્ષણ માટે કામ કરી રહ્યું છે અને હવે તેને મોટી સફળતા મળી છે. વાંચો આ સમાચાર...
- TV9 Gujarati
- Updated on: Dec 13, 2024
- 6:38 pm
ભારત 27000 કરોડના ખર્ચે તૈયાર કરશે ખતરનાક જાસૂસી કેમેરા, 36000 કિમીની ઉંચાઈએ લટકાવાશે, પરંતુ કોની કરશે જાસૂસી ?
ભારત આજે દરેક ક્ષેત્રમાં પ્રગતિ કરી રહ્યો છે. ખાસ કરીને અંતરિક્ષ વિજ્ઞાનના ક્ષેત્રમાં તે રોજ નવી ઊંચાઈઓ પર પહોંચી રહ્યો છે. ત્યારે હવે અવકાશમાંથી ભારતની સર્વેલન્સ સિસ્ટમને વેગ આપવાના પ્રયાસરૂપે વડાપ્રધાન નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં કેબિનેટ કમિટી ઓન સિક્યુરિટીએ સ્પેસ બેઝ્ડ સર્વેલન્સ (SBS) મિશનના ત્રીજા તબક્કાને મંજૂરી આપી દીધી છે.
- Dilip Chaudhary
- Updated on: Oct 21, 2024
- 5:45 pm
ભારત રૂપિયા 27,000 કરોડના ખર્ચે તૈયાર કરશે જાસૂસી કેમેરા, જમીનથી 36 હજાર kmની ઉંચાઈ પર લટકાવાશે
ભારત આગામી 5 વર્ષમાં 52 જાસૂસી સેટેલાઈટ લોન્ચ કરશે. આ સેટેલાઈટનો હેતુ પાડોશી દેશો ચીન અને પાકિસ્તાનની ગતિવિધિઓ પર નજર રાખવાનો હશે. આનાથી સેનાની દેખરેખ ક્ષમતામાં નોંધપાત્ર વધારો થશે. આ સેટેલાઈટોને 36 હજાર કિ.મી. ઊંચાઈ પર સ્થાપિત કરાશે.
- Dilip Chaudhary
- Updated on: Oct 14, 2024
- 5:55 pm
ISRO આજે લોન્ચ કરશે SSLV રોકેટ, સેટેલાઇટ આપશે ડિઝાસ્ટર એલર્ટ, જાણો તેની ખાસિયતો
SSLV એટલે સ્મોલ સેટેલાઇટ લોન્ચ વ્હીકલ અને D3 એટલે ત્રીજી ડેમોન્સ્ટ્રેશન ફ્લાઇટ. આ રોકેટનો ઉપયોગ મિની, માઈક્રો અને નેનો સેટેલાઈટ લોન્ચ કરવા માટે કરવામાં આવશે. જો આ પ્રક્ષેપણ સફળ રહેશે તો ISRO તેને દેશનું ત્રીજું સૌથી તેજસ્વી રોકેટ જાહેર કરશે.
- Meera Kansagara
- Updated on: Aug 16, 2024
- 8:12 am
16 ઓગસ્ટના મહત્વના સમાચાર : ઉદયપુરમાં વિદ્યાર્થી પર છરી વડે હુમલા બાદ ફાટી નીકળી હિંસા, વાહનોમાં આગ લગાવી, કલમ 144 લાગુ
Gujarat Live Updates : આજે 16 ઓગષ્ટના બ્રેકિંગ ન્યૂઝ, દિવસભરના મોટા અને મહત્વના સમાચાર સૌથી પહેલા જાણવા અને વિવિધ સમાચારના અપડેટ્સ મેળવવા માટે આ પેજને સતત રિફ્રેશ કરતા રહો..
- TV9 Gujarati
- Updated on: Aug 16, 2024
- 9:02 pm
કોણ છે શુભાંશુ ? જે 1984 બાદ અવકાશમાં જનારો બનશે બીજો ભારતીય
શુભાંશુ શુક્લાને ઈન્ડો-અમેરિકન સ્પેસ મિશન માટે મુખ્ય અવકાશયાત્રી તરીકે પસંદ કરવામાં આવ્યા છે, જેની જાહેરાત તાજેતરમાં ઈસરોએ કરી હતી. આ પહેલા શુભાંશુની પસંદગી ગગનયાન મિશન માટે પણ થઈ ચૂકી છે.
- TV9 Gujarati
- Updated on: Aug 4, 2024
- 2:40 pm
Knowledge : અવકાશયાત્રીઓ અવકાશમાં કેવો ખોરાક ખાય છે, ભોજનને ગરમ કરે છે કે ઠંડો જ ખાઈ છે?
Astronauts Food : અવકાશયાત્રીઓને લઈને દરેકના મનમાં પ્રશ્નો હોય છે કે તેઓ ત્યાં કેવી રીતે પહોંચે છે અને તેઓ કેવી રીતે જીવે છે, આવો જ એક પ્રશ્ન એ છે કે તેઓ અવકાશમાં શું ખાશે? તો ચાલો આજે તેનો જવાબ જાણીએ
- Meera Kansagara
- Updated on: Jul 17, 2024
- 2:04 pm
ચંદ્રયાન-3ના લેન્ડિંગ પોઈન્ટનું નામ શિવ શક્તિ કેમ રાખવામાં આવ્યું, કેવી રીતે નક્કી કરવામાં આવે છે સત્તાવાર નામ?
ગયા વર્ષે ચંદ્રયાન-3ની સફળતા બાદ પીએમ મોદીએ વિક્રમ લેન્ડરના લેન્ડિંગ પોઈન્ટનું નામ 'શિવ શક્તિ' રાખ્યું હતું. ઇન્ટરનેશનલ એસ્ટ્રોનોમિકલ યુનિયન (IAU) એ આ નામને મંજૂરી આપી દીધી છે, ત્યારબાદ ચંદ્રયાન-3 લેન્ડિંગ સાઇટને હવે સત્તાવાર રીતે 'શિવ શક્તિ પોઇન્ટ' કહેવામાં આવશે. ચાલો જાણીએ કે ચંદ્રના બિંદુઓને સત્તાવાર રીતે કેવી રીતે નામ આપવામાં આવ્યું છે.
- krushnapalsinh chudasama
- Updated on: Mar 24, 2024
- 8:17 pm
ISROએ અવકાશમાં ભરી બીજી ઉડાન, રિયુઝેબલ વિમાનનું સફળ થયું પરીક્ષણ
ઈસરોએ અવકાશમાં વધુ એક ઉચ્ચ ઉડાન ભરી છે. ISRO એ આજે પુષ્પક વિમાન (RLV-TD) સફળતાપૂર્વક લોન્ચ કર્યું છે. લોન્ચિંગ બાદ વિમાને સફળ લેન્ડિંગ પણ કર્યું હતું. આ એરક્રાફ્ટ ભવિષ્યમાં સ્પેસ મિશનમાં ઘણી બચત લાવશે.
- Devankashi rana
- Updated on: Mar 22, 2024
- 11:29 am