ઈસરો
ISRO (ઈન્ડિયન સ્પેસ રિસર્ચ ઓર્ગેનાઈઝેશન) એ ભારત સરકારની અવકાશ એજન્સી છે. તેનું મુખ્ય મથક બેંગ્લોર, કર્ણાટકમાં છે. આ ઓર્ગેનાઈઝેશનના મુખ્ય કાર્યોમાં ભારતને અવકાશ સંબંધિત ટેકનોલોજી પ્રદાન કરવી અને ઉપગ્રહો, પ્રક્ષેપણ વાહનો, સાઉન્ડિંગ રોકેટ અને ગ્રાઉન્ડ સિસ્ટમ્સ વિકસાવવાનો સમાવેશ થાય છે.
ભારત દેશનો પ્રથમ ઉપગ્રહ આર્યભટ્ટ 19 એપ્રિલ 1975ના રોજ સોવિયેત સંઘના રોકેટનો ઉપયોગ કરીને અવકાશમાં છોડવામાં આવ્યો હતો. તેનું નામ મહાન ગણિતશાસ્ત્રી આર્યભટ્ટના નામ પરથી રાખવામાં આવ્યું હતું.
ઈસરોને વર્ષ 2014 માટે શાંતિ, નિઃશસ્ત્રીકરણ અને વિકાસ માટે ઈન્દિરા ગાંધી પુરસ્કાર આપવામાં આવ્યો છે. જૂન 2016 સુધીમાંમાં ISROએ લગભગ 20 જુદા-જુદા દેશોમાંથી 57 ઉપગ્રહો લોન્ચ કર્યા છે અને અત્યાર સુધીમાં US$100 મિલિયનની કમાણી કરી છે.
ઈસરોના વર્તમાન ડાયરેક્ટર ડૉ. એસ. સોમનાથ છે. આજે ભારત માત્ર તેની અવકાશ સંબંધિત જરૂરિયાતો પૂરી કરવાની સાથેસાથે અવકાશ ક્ષમતા સાથે વ્યાપારી અને અન્ય સ્તરે વિશ્વના ઘણા દેશો સાથે સહયોગ પણ કરી રહ્યું છે.
ISRO Internship: શાળાના વિદ્યાર્થીઓને ISRO સાથે કામ કરવાની અનમોલ તક, STEM કરિયરને આગળ વધારવા માટે YUVIKA 2026 માટે પ્રક્રિયા શરૂ
ISRO Internship: દેશભરની શાળાના વિદ્યાર્થીઓને ISRO સાથે કામ કરવાની તક મળે છે. દેશભરની શાળાઓમાં 9મા ધોરણના વિદ્યાર્થીઓ 27 ફેબ્રુઆરીથી શરૂ થતા ISROના YUVIKA 2026 માટે અરજી કરી શકે છે.
- Meera Kansagara
- Updated on: Feb 24, 2026
- 9:33 am
Breaking News : શુભાંશુ શુક્લાને અશોક ચક્રથી સન્માનિત કરાશે, ISSની મુલાકાત લેનારા પ્રથમ ભારતીય બનશે
ગ્રુપ કેપ્ટનશ શુભાંશુ શુક્લાને આંતરરાષ્ટ્રીય અંતરિક્ષ સ્ટેશન (ISS) પર પોતાના ઐતિહાસિક સ્પેસ મિશન દરમિયાન અસાધારણ હિંમત માટે ભારતના શાંતિ સમયના સર્વોચ્ચ શૌર્ય પુરસ્કાર, અશોક ચક્રથી નવાજવામાં આવશે.
- Nirupa Duva
- Updated on: Jan 25, 2026
- 12:16 pm
Breaking News : ISROનું મિશન નિષ્ફળ ગયું છતાં થયો એક ચમત્કાર ! ‘ખાસ કેપ્સ્યુલે’ અવકાશમાંથી મોકલ્યા સિગ્નલ
PSLV-C62 મિશન તેના નિર્ધારિત લક્ષ્ય સુધી પહોંચવામાં નિષ્ફળ ગયું હતું. જેના કારણે ISRO ને મોટો આંચકો લાગ્યો હતો. પરંતુ હવે બનેલી એક આશ્ચર્યજનક ઘટનાએ ISRO ના બધાનું ધ્યાન ખેંચ્યું છે. મિશન નિષ્ફળતા જવા છતાં, એક ખાસ કેપ્સ્યુલ બચી છે અને તે અવકાશમાંથી સતત સિગ્નલ મોકલે છે.
- TV9 Gujarati
- Updated on: Jan 14, 2026
- 2:17 pm
ISROનું PSLV રોકેટ ‘નર્વસ નાઈંટીઝ’નો શિકાર કેમ થઈ રહ્યું છે? સતત બીજી નિષ્ફળતા
ઈસરોએ ફરી એકવાર ઇતિહાસ રચ્યો છે. ભારતે એક મિશન શરૂ કર્યું છે જે ભારતને તેની સુરક્ષા દેખરેખમાં નોંધપાત્ર રીતે મદદ કરશે. ઈસરોની વાણિજ્યિક શાખા, ન્યૂસ્પેસ ઈન્ડિયા લિમિટેડ (NSIL) માટે મોકલવામાં આવી રહેલ આ મિશન, 14 સ્થાનિક અને વિદેશી ઉપગ્રહોને ભ્રમણકક્ષામાં મૂકી રહ્યું છે.
- Devankashi rana
- Updated on: Jan 12, 2026
- 12:40 pm
ISROનું મહત્વાકાંક્ષી મિશન બ્લુબર્ડ બ્લોક-2 લોન્ચ, હવે અવકાશ આધારિત મોબાઇલ બ્રોડબેન્ડ સેવા પ્રદાન કરશે સેટેલાઇટ
ISROએ ફરી એક વાર પોતાનું મિશન સફળતાપૂર્વક પાર પાડ્યુ છે. તેણે શક્તિશાળી રોકેટ LVM3 એ શ્રીહરિકોટાના સતીશ ધવન સ્પેસ સેન્ટરથી તેની છઠ્ઠી ઓપરેશનલ ફ્લાઇટ પૂર્ણ કરી છે. LVM3-M6 નામના આ મિશનમાં યુએસ બ્લુબર્ડ બ્લોક-2 ઉપગ્રહ હતો. લોન્ચ આજે (24 ડિસેમ્બર) સવારે 8:54 વાગ્યે થયું. આ ISRO ના ઇતિહાસનું સૌથી ભારે કોમર્શિયલ મિશન છે.
- TV9 Gujarati
- Updated on: Dec 24, 2025
- 10:20 am
હવે દુનિયાના કોઇપણ ખુણેથી મોબાઇલ ટાવર વિના પણ થઇ શકશે વાત, જાણો શું છે બ્લુબર્ડ બ્લોક-2 સેટેલાઇટ લોન્ચ કરવાનો હેતુ
બ્લુબર્ડ ભારતીય અવકાશ સંશોધન સંગઠન (ISRO) આવતીકાલે બુધવારે બ્લોક 2 સેટેલાઇટ લોન્ચ કરવાનું આયોજન કરે છે. લોન્ચ વ્હીકલ માર્ક-III M6 (LVM3-M6) મિશનના ભાગ રૂપે શ્રીહરિકોટાના સતીશ ધવન સ્પેસ સેન્ટરથી સવારે 8:54 વાગ્યે લોન્ચ કરવામાં આવશે. એવું કહેવાય છે કે આ સેટેલાઇટ પૃથ્વી પરના સૌથી દૂરના સ્થળોએ પણ મોબાઇલ સેવા ઉપલબ્ધ કરાવશે.
- TV9 Gujarati
- Updated on: Dec 23, 2025
- 2:09 pm
દેશ માટે ગૌરવ… ભારત ચંદ્રમાં પર રચશે વધુ એક ઈતિહાસ, ઈસરો ચીફે જણાવી સંપૂર્ણ વિગતો
ભારતીય અવકાશ સંશોધન સંગઠન (ઇસરો) એ એક મોટી જાહેરાત કરી છે. 2040 સુધીમાં, ભારત એક ભારતીયને ચંદ્ર પર મોકલશે અને તેમને સુરક્ષિત રીતે પાછા લાવશે. ઇસરોનું પોતાનું અવકાશ મથક પણ ટૂંક સમયમાં સ્થાપિત થશે. ભારત વૈશ્વિક અવકાશ અર્થતંત્રમાં પોતાનો હિસ્સો વધારવાનું લક્ષ્ય રાખે છે. આ દેશના અવકાશ ક્ષેત્ર માટે એક મહત્વપૂર્ણ પગલું છે.
- Mina Pandya
- Updated on: Nov 7, 2025
- 8:50 pm
ISRO એ અંતરિક્ષમાં કરી ધમાકેદાર એન્ટ્રી: ‘બાહુબલી’ લોન્ચ કર્યો, હવે ભારતની આંખ અંતરિક્ષમાંથી દુનિયા પર નજર રાખશે!
ISRO એ રવિવારે શ્રીહરિકોટાથી ભારતીય નૌકાદળનો સૌથી અદ્યતન સંચાર ઉપગ્રહ, GSAT-7R લોન્ચ કર્યો. આ ઉપગ્રહ નૌકાદળની દરિયાઈ સુરક્ષા, દેખરેખ અને નેટવર્ક ક્ષમતાઓને વધુ મજબૂત બનાવશે.
- Manish Gangani
- Updated on: Nov 2, 2025
- 6:45 pm
શુભાંશુ પૃથ્વી પર પાછા ફર્યા, ISS પર કેપ્સ્યુલ ક્યાં ઉતરશે તે કેવી રીતે નક્કી થાય છે, કેમ રણ નહીં, દરિયો જ પસંદ કરાય છે?
તાજેતરમાં, ભારતીય અવકાશયાત્રી શુભાંશુ શુક્લા 18 દિવસ અવકાશમાં વિતાવીને સફળતાપૂર્વક પૃથ્વી પર પાછા ફર્યા, અને તેમનું ડ્રેગન કેપ્સ્યુલ કેલિફોર્નિયા નજીક સમુદ્રમાં ઉતર્યું. પરંતુ શું તમે ક્યારેય વિચાર્યું છે કે અવકાશમાંથી પાછા ફરતા કેપ્સ્યુલનું ચોક્કસ ઉતરાણ સ્થળ કેવી રીતે નક્કી કરવામાં આવે છે? અને શા માટે વિશાળ સમુદ્રને સૌથી સલામત વિકલ્પ તરીકે પસંદ કરવામાં આવે છે? એક ક્ષણની પણ ભૂલ સેંકડો કિલોમીટરનું અંતર પેદા કરી શકે તેવા અત્યંત જટિલ વિજ્ઞાન અને ગણિત પર આધારિત આ પ્રક્રિયાના રહસ્યો અને સમુદ્રની ભૂમિકા વિશે વિગતવાર જાણો.
- Manish Gangani
- Updated on: Jul 15, 2025
- 6:14 pm
Breaking news: અવકાશમાંથી ભારતીય હીરોનું આગમન: શુભાંશુ શુક્લા 18 દિવસ બાદ સફળતાપૂર્વક પૃથ્વી પર પાછા ફર્યા
ભારતીય અવકાશયાત્રી શુભાંશુ શુક્લા Axiom-4 મિશન હેઠળ અવકાશમાં 18 દિવસ વિતાવ્યા બાદ ચાર અન્ય અવકાશયાત્રીઓ સાથે પૃથ્વી પર પાછો ફર્યા છે. નાસા અને સ્પેસએક્સના આ સંયુક્ત મિશનમાં ચાર દેશોના અવકાશયાત્રીઓ સામેલ હતા. શુભાંશુ લગભગ 23 કલાકની મુસાફરી પછી આજે પૃથ્વી પર પહોંચ્યા છે.
- Manish Gangani
- Updated on: Jul 15, 2025
- 3:32 pm
Breaking News : ISRO ગુજરાતમાં દેશનું બીજું સૌથી મોટું સ્પેસ સેન્ટર બનાવશે, જુઓ ફોટો
ગુજરાત સ્પેસ મિશન નીતિથી મોટો આર્થિક અને તકનીકી લાભો થશે. ભારતીય અવકાશ સંશોધન સંગઠન (ISRO) ગુજરાતમાં દેશનું બીજું સૌથી મોટું અવકાશ મથક બનાવશે. તો ચાલો જાણીએ વધુ માહિતી.
- Nirupa Duva
- Updated on: Jul 11, 2025
- 11:58 am
અવકાશયાત્રી શુભાંશુ શુક્લા ધરતી પર ક્યારે પાછા આવશે ? તેમણે ISS માં મગ અને મેથી કેમ ઉગાડ્યા ?
ભારતીય વાયુસેનાના ગ્રુપ કેપ્ટન શુભાંશુ શુક્લા આંતરરાષ્ટ્રીય અવકાશ મથક (ISS) પર એક ઐતિહાસિક મિશન પર છે. તેઓ અંતરિક્ષમાં જનારા ભારતના બીજા અવકાશયાત્રી છે. અવકાશમાં ખેતી સહિત અનેક વૈજ્ઞાનિક પ્રયોગો કરી રહ્યા છે. તેમણે મગ અને મેથીના બીજ ઉગાડ્યા છે, જેનો અભ્યાસ પૃથ્વી પર કરવામાં આવશે. જાણો શુભાંશુ શુક્લા અવકાશમાંથી ધરતી પર પાછા ક્યારે ફરશે.
- TV9 Gujarati
- Updated on: Jul 10, 2025
- 2:03 pm
અંતરિક્ષમાં ગયેલો અવકાશ યાત્રી જો ગંભીર રીતે બીમાર પડી જાય તો શું થાય ? ધરતી પર પરત લાવવાનો ઈમરજન્સી પ્લાન કેવી રીતે કામ કરે છે?
સ્પેસમાં ગયેલા અવકાશ યાત્રીઓના શરીરમાં ઘણા ફેરફાર થાય છે. જેની અસર ધરતી પર પરત આવ્યા બાદ પણ થોડા મહિનાઓ સુધી રહે છે. એસ્ટ્રોનોટ્સ ધરતી પર આવે એટલે એમને સ્પેશ્યિલ કેર હેઠળ રાખવામાં આવે છે. જેથી સામાન્ય થઈ શકે. સ્પેસ ટ્રાવેલ દરમિયાન યાત્રીકોની તબિયત સાધારણ એવી ખરાબ રહે છે. પરંતુ જો કોઈ અવકાશ યાત્રી ગંભીર રીતે બીમાર પડી જાય તો? શું તેને પરત પૃથ્વી પર લાવવામાં આવે છે? આવો જાણીએ.
- Mina Pandya
- Updated on: Jun 27, 2025
- 6:59 pm
17 દિવસ અવકાશમાં રહ્યા બાદ 23 કલાકની મુસાફરી કરીને, શુભાંશુ શુક્લા આજે બપોરે 3 કલાકે સમુદ્રમાં સ્પેલૈશડાઉન કરશે
ભારતના અવકાશયાત્રી શુભાંશુ શુક્લા આજે Axiom-4 મિશન દ્વારા ત્રણ અન્ય અવકાશયાત્રીઓ સાથે અવકાશમાં ઉડાન ભર્યું છે. અવકાશયાત્રી શુભાંશુ શુક્લાના અવકાશ મિશન ઉપરાંત, લોકો તેમના પરિવાર વિશે જાણવા માટે ઉત્સુક છે. તો આજે આપણે શુભાંશુ શુક્લાના પરિવાર અને પર્સનલ લાઈફ વિશે જાણીએ
- Nirupa Duva
- Updated on: Jul 15, 2025
- 9:15 am
Axiom Space : શુભાંશુ શુક્લા જે સીટ પર બેસ્યો તેની કિંમત કેટલી ? જાણશો તો ધોળા દિવસે ‘તારા’ દેખાઈ જશે
ભારતીય અવકાશયાત્રી શુભાંશુ શુક્લા Axiom-4 મિશન હેઠળ 'SpaceX'ના Falcon-9 રોકેટ પર આંતરરાષ્ટ્રીય અવકાશ મથક (ISS) ગયા છે. આ મિશન ભારત માટે ખૂબ જ ખાસ છે, કારણ કે લાંબા સમય પછી કોઈ ભારતીય અવકાશ યાત્રા કરી છે પણ શું તમને ખબર છે કે, Axiom Spaceમાં એક સીટની કિંમત કેટલી છે?
- Ravi Prajapati
- Updated on: Jun 25, 2025
- 7:58 pm