AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ઈસરો

ઈસરો

ISRO (ઈન્ડિયન સ્પેસ રિસર્ચ ઓર્ગેનાઈઝેશન) એ ભારત સરકારની અવકાશ એજન્સી છે. તેનું મુખ્ય મથક બેંગ્લોર, કર્ણાટકમાં છે. આ ઓર્ગેનાઈઝેશનના મુખ્ય કાર્યોમાં ભારતને અવકાશ સંબંધિત ટેકનોલોજી પ્રદાન કરવી અને ઉપગ્રહો, પ્રક્ષેપણ વાહનો, સાઉન્ડિંગ રોકેટ અને ગ્રાઉન્ડ સિસ્ટમ્સ વિકસાવવાનો સમાવેશ થાય છે.

ભારત દેશનો પ્રથમ ઉપગ્રહ આર્યભટ્ટ 19 એપ્રિલ 1975ના રોજ સોવિયેત સંઘના રોકેટનો ઉપયોગ કરીને અવકાશમાં છોડવામાં આવ્યો હતો. તેનું નામ મહાન ગણિતશાસ્ત્રી આર્યભટ્ટના નામ પરથી રાખવામાં આવ્યું હતું.

ઈસરોને વર્ષ 2014 માટે શાંતિ, નિઃશસ્ત્રીકરણ અને વિકાસ માટે ઈન્દિરા ગાંધી પુરસ્કાર આપવામાં આવ્યો છે. જૂન 2016 સુધીમાંમાં ISROએ લગભગ 20 જુદા-જુદા દેશોમાંથી 57 ઉપગ્રહો લોન્ચ કર્યા છે અને અત્યાર સુધીમાં US$100 મિલિયનની કમાણી કરી છે.

ઈસરોના વર્તમાન ડાયરેક્ટર ડૉ. એસ. સોમનાથ છે. આજે ભારત માત્ર તેની અવકાશ સંબંધિત જરૂરિયાતો પૂરી કરવાની સાથેસાથે અવકાશ ક્ષમતા સાથે વ્યાપારી અને અન્ય સ્તરે વિશ્વના ઘણા દેશો સાથે સહયોગ પણ કરી રહ્યું છે.

Read More

હવે દુનિયાના કોઇપણ ખુણેથી મોબાઇલ ટાવર વિના પણ થઇ શકશે વાત, જાણો શું છે બ્લુબર્ડ બ્લોક-2 સેટેલાઇટ લોન્ચ કરવાનો હેતુ

બ્લુબર્ડ ભારતીય અવકાશ સંશોધન સંગઠન (ISRO) આવતીકાલે બુધવારે બ્લોક 2 સેટેલાઇટ લોન્ચ કરવાનું આયોજન કરે છે. લોન્ચ વ્હીકલ માર્ક-III M6 (LVM3-M6) મિશનના ભાગ રૂપે શ્રીહરિકોટાના સતીશ ધવન સ્પેસ સેન્ટરથી સવારે 8:54 વાગ્યે લોન્ચ કરવામાં આવશે. એવું કહેવાય છે કે આ સેટેલાઇટ પૃથ્વી પરના સૌથી દૂરના સ્થળોએ પણ મોબાઇલ સેવા ઉપલબ્ધ કરાવશે.

દેશ માટે ગૌરવ… ભારત ચંદ્રમાં પર રચશે વધુ એક ઈતિહાસ, ઈસરો ચીફે જણાવી સંપૂર્ણ વિગતો

ભારતીય અવકાશ સંશોધન સંગઠન (ઇસરો) એ એક મોટી જાહેરાત કરી છે. 2040 સુધીમાં, ભારત એક ભારતીયને ચંદ્ર પર મોકલશે અને તેમને સુરક્ષિત રીતે પાછા લાવશે. ઇસરોનું પોતાનું અવકાશ મથક પણ ટૂંક સમયમાં સ્થાપિત થશે. ભારત વૈશ્વિક અવકાશ અર્થતંત્રમાં પોતાનો હિસ્સો વધારવાનું લક્ષ્ય રાખે છે. આ દેશના અવકાશ ક્ષેત્ર માટે એક મહત્વપૂર્ણ પગલું છે.

ISRO એ અંતરિક્ષમાં કરી ધમાકેદાર એન્ટ્રી: ‘બાહુબલી’ લોન્ચ કર્યો, હવે ભારતની આંખ અંતરિક્ષમાંથી દુનિયા પર નજર રાખશે!

ISRO એ રવિવારે શ્રીહરિકોટાથી ભારતીય નૌકાદળનો સૌથી અદ્યતન સંચાર ઉપગ્રહ, GSAT-7R લોન્ચ કર્યો. આ ઉપગ્રહ નૌકાદળની દરિયાઈ સુરક્ષા, દેખરેખ અને નેટવર્ક ક્ષમતાઓને વધુ મજબૂત બનાવશે.

શુભાંશુ પૃથ્વી પર પાછા ફર્યા, ISS પર કેપ્સ્યુલ ક્યાં ઉતરશે તે કેવી રીતે નક્કી થાય છે, કેમ રણ નહીં, દરિયો જ પસંદ કરાય છે?

તાજેતરમાં, ભારતીય અવકાશયાત્રી શુભાંશુ શુક્લા 18 દિવસ અવકાશમાં વિતાવીને સફળતાપૂર્વક પૃથ્વી પર પાછા ફર્યા, અને તેમનું ડ્રેગન કેપ્સ્યુલ કેલિફોર્નિયા નજીક સમુદ્રમાં ઉતર્યું. પરંતુ શું તમે ક્યારેય વિચાર્યું છે કે અવકાશમાંથી પાછા ફરતા કેપ્સ્યુલનું ચોક્કસ ઉતરાણ સ્થળ કેવી રીતે નક્કી કરવામાં આવે છે? અને શા માટે વિશાળ સમુદ્રને સૌથી સલામત વિકલ્પ તરીકે પસંદ કરવામાં આવે છે? એક ક્ષણની પણ ભૂલ સેંકડો કિલોમીટરનું અંતર પેદા કરી શકે તેવા અત્યંત જટિલ વિજ્ઞાન અને ગણિત પર આધારિત આ પ્રક્રિયાના રહસ્યો અને સમુદ્રની ભૂમિકા વિશે વિગતવાર જાણો.

Breaking news: અવકાશમાંથી ભારતીય હીરોનું આગમન: શુભાંશુ શુક્લા 18 દિવસ બાદ સફળતાપૂર્વક પૃથ્વી પર પાછા ફર્યા

ભારતીય અવકાશયાત્રી શુભાંશુ શુક્લા Axiom-4 મિશન હેઠળ અવકાશમાં 18 દિવસ વિતાવ્યા બાદ ચાર અન્ય અવકાશયાત્રીઓ સાથે પૃથ્વી પર પાછો ફર્યા છે. નાસા અને સ્પેસએક્સના આ સંયુક્ત મિશનમાં ચાર દેશોના અવકાશયાત્રીઓ સામેલ હતા. શુભાંશુ લગભગ 23 કલાકની મુસાફરી પછી આજે પૃથ્વી પર પહોંચ્યા છે.

Breaking News : ISRO ગુજરાતમાં દેશનું બીજું સૌથી મોટું સ્પેસ સેન્ટર બનાવશે, જુઓ ફોટો

ગુજરાત સ્પેસ મિશન નીતિથી મોટો આર્થિક અને તકનીકી લાભો થશે. ભારતીય અવકાશ સંશોધન સંગઠન (ISRO) ગુજરાતમાં દેશનું બીજું સૌથી મોટું અવકાશ મથક બનાવશે. તો ચાલો જાણીએ વધુ માહિતી.

અવકાશયાત્રી શુભાંશુ શુક્લા ધરતી પર ક્યારે પાછા આવશે ? તેમણે ISS માં મગ અને મેથી કેમ ઉગાડ્યા ?

ભારતીય વાયુસેનાના ગ્રુપ કેપ્ટન શુભાંશુ શુક્લા આંતરરાષ્ટ્રીય અવકાશ મથક (ISS) પર એક ઐતિહાસિક મિશન પર છે. તેઓ અંતરિક્ષમાં જનારા ભારતના બીજા અવકાશયાત્રી છે. અવકાશમાં ખેતી સહિત અનેક વૈજ્ઞાનિક પ્રયોગો કરી રહ્યા છે. તેમણે મગ અને મેથીના બીજ ઉગાડ્યા છે, જેનો અભ્યાસ પૃથ્વી પર કરવામાં આવશે. જાણો શુભાંશુ શુક્લા અવકાશમાંથી ધરતી પર પાછા ક્યારે ફરશે.

અંતરિક્ષમાં ગયેલો અવકાશ યાત્રી જો ગંભીર રીતે બીમાર પડી જાય તો શું થાય ? ધરતી પર પરત  લાવવાનો ઈમરજન્સી પ્લાન કેવી રીતે કામ કરે છે?

સ્પેસમાં ગયેલા અવકાશ યાત્રીઓના શરીરમાં ઘણા ફેરફાર થાય છે. જેની અસર ધરતી પર પરત આવ્યા બાદ પણ થોડા મહિનાઓ સુધી રહે છે. એસ્ટ્રોનોટ્સ ધરતી પર આવે એટલે એમને સ્પેશ્યિલ કેર હેઠળ રાખવામાં આવે છે. જેથી સામાન્ય થઈ શકે. સ્પેસ ટ્રાવેલ દરમિયાન યાત્રીકોની તબિયત સાધારણ એવી ખરાબ રહે છે. પરંતુ જો કોઈ અવકાશ યાત્રી ગંભીર રીતે બીમાર પડી જાય તો? શું તેને પરત પૃથ્વી પર લાવવામાં આવે છે? આવો જાણીએ.

17 દિવસ અવકાશમાં રહ્યા બાદ 23 કલાકની મુસાફરી કરીને, શુભાંશુ શુક્લા આજે બપોરે 3 કલાકે સમુદ્રમાં સ્પેલૈશડાઉન કરશે

ભારતના અવકાશયાત્રી શુભાંશુ શુક્લા આજે Axiom-4 મિશન દ્વારા ત્રણ અન્ય અવકાશયાત્રીઓ સાથે અવકાશમાં ઉડાન ભર્યું છે. અવકાશયાત્રી શુભાંશુ શુક્લાના અવકાશ મિશન ઉપરાંત, લોકો તેમના પરિવાર વિશે જાણવા માટે ઉત્સુક છે. તો આજે આપણે શુભાંશુ શુક્લાના પરિવાર અને પર્સનલ લાઈફ વિશે જાણીએ

Axiom Space : શુભાંશુ શુક્લા જે સીટ પર બેસ્યો તેની કિંમત કેટલી ? જાણશો તો ધોળા દિવસે ‘તારા’ દેખાઈ જશે

ભારતીય અવકાશયાત્રી શુભાંશુ શુક્લા Axiom-4 મિશન હેઠળ 'SpaceX'ના Falcon-9 રોકેટ પર આંતરરાષ્ટ્રીય અવકાશ મથક (ISS) ગયા છે. આ મિશન ભારત માટે ખૂબ જ ખાસ છે, કારણ કે લાંબા સમય પછી કોઈ ભારતીય અવકાશ યાત્રા કરી છે પણ શું તમને ખબર છે કે, Axiom Spaceમાં એક સીટની કિંમત કેટલી છે?

Axiom Mission-4 : એટલે જ કહેવાય ‘માં’ જેવુ કોઈ નહીં.. આખો દેશ ઉત્સાહમાં હતો ત્યારે Shubhanshu Shukla ની માતાની આંખોમાંથી વહી રહ્યા હતા આંસુ, જુઓ Video

અવકાશમાં ઉડાન ભરનારા શુભાંશુ શુક્લાના માતા અને પિતા ભાવુક થઈ ગયા. માતા આશા શુક્લાએ કહ્યું કે શુભાંશુની યાત્રા સફળ રહે. મારા મનમાં કોઈ ડર નથી. તેમણે કહ્યું કે આ આપણા બધા માટે ગર્વની ક્ષણ છે. લખનૌમાં ઉત્સવનો માહોલ છે.

AXIOM-4 Mission: શુભાંશુ શુક્લા પોતાની સાથે અવકાશમાં 1 મિલીમીટરથી નાના જળચર જીવ ‘વોટર બેર’ ને કેમ લઈ ગયા ?

Tardigrades: વિજ્ઞાનનું સૌથી મોટું લક્ષ્ય માનવજાતના ભવિષ્યને સુખી અને ટકાઉ બનાવવાનું છે. અને આ 'વોટર બેર' માંથી વૈજ્ઞાનિકો જાણવા માંગે છે કે મનુષ્યને તમામ પ્રકારની પરિસ્થિતિઓમાં કેવી રીતે સ્થિતિસ્થાપક બનાવી શકાય છે.

અવકાશયાત્રીઓ કરોડો કમાય છે, તો પછી શુભાંશુ શુક્લાને કેમ નહીં મળે એક પણ પૈસો ?

શુભાંશુ ભારતીય વાયુસેનાના અધિકારી છે, અને તેમનો પગાર તેમના પદ અને સેવા પર આધારિત છે. તેમને આ મિશન માટે કોઈ વધારાનો પગાર કે ભથ્થું મળી રહ્યું નથી. પરંતુ ભારતે આ મિશન માટે 548 કરોડ રૂપિયા ખર્ચ કર્યા છે. આ રકમમાં શુભાંશુની તાલીમ, વૈજ્ઞાનિક પ્રયોગો અને મિશન સંબંધિત અન્ય ખર્ચનો સમાવેશ થાય છે.

આજે ઇતિહાસ રચાશે, ભારતીય શુભાંશુ શુક્લા અવકાશમાં જશે, એક્સિઓમ-4 મિશન ટૂંક સમયમાં લોન્ચ થશે

Axiom-4 મિશનનું લોન્ચિંગ વિવિધ કારણોસર ઘણી વખત વિલંબિત થયું છે, પહેલા ખરાબ હવામાનને કારણે અને પછી SpaceX ના ફાલ્કન-9 રોકેટમાં લીકની શોધને કારણે અને બાદમાં આંતરરાષ્ટ્રીય અવકાશ મથકના રશિયન મોડ્યુલમાં.

Breaking News : ISROનું 101મું મિશન EOS-09 લોન્ચના ત્રીજા તબક્કામાં નિષ્ફળ ગયું, ISRO એ કહ્યું- અમે પાછા આવીશું

આંધ્રપ્રદેશના શ્રીહરિકોટાથી ઈસરો દ્વારા લોન્ચિંગ કરાયેલ PSLV-C61 મિશન ત્રીજા તબક્કામાં નિષ્ફળ ગયું છે. ISRO ના વડા વી નારાયણને જણાવ્યું હતું કે, "આ મિશન તેના ત્રીજા તબક્કા દરમિયાન નિષ્ફળ ગયું. અમે અવલોકનો જોઈ રહ્યા છીએ અને મિશન પૂર્ણ થઈ શક્યું નથી. અમે મૂલ્યાંકન કર્યા પછી પાછા આવીશું."

IPLમાં બાંગ્લાદેશી ખેલાડીઓને તક અપાતા BCCIની ભૂમિકા અંગે વિરોધ
IPLમાં બાંગ્લાદેશી ખેલાડીઓને તક અપાતા BCCIની ભૂમિકા અંગે વિરોધ
રીલના રોમાંચમાં કાયદાનો તમાશો! બે દિવસમાં 10ની ધરપકડ
રીલના રોમાંચમાં કાયદાનો તમાશો! બે દિવસમાં 10ની ધરપકડ
રાજકોટની મુખ્ય બજારોના વેપારીઓ ફેરિયાઓ સામે લડી લેવાના મૂડમાં
રાજકોટની મુખ્ય બજારોના વેપારીઓ ફેરિયાઓ સામે લડી લેવાના મૂડમાં
ચાઈનીઝ દોરીની ફેકટરી સુધી કેવી રીતે પહોંચી અમદાવાદ ગ્રામ્ય SOG, જાણો
ચાઈનીઝ દોરીની ફેકટરી સુધી કેવી રીતે પહોંચી અમદાવાદ ગ્રામ્ય SOG, જાણો
શેત્રુંજી પર્વત પર સાવજ જોવા મળ્યો, યાત્રિકોમાં ભયનો માહોલ
શેત્રુંજી પર્વત પર સાવજ જોવા મળ્યો, યાત્રિકોમાં ભયનો માહોલ
નિર્માણાધીન બ્રિજનો ભાગ ધરાશાયી
નિર્માણાધીન બ્રિજનો ભાગ ધરાશાયી
અમદાવાદમાં બેવડી ઋતુના કારણે રોગચાળો વકર્યો,વાયરલ ઇન્ફેકશનના કેસ વધ્યા
અમદાવાદમાં બેવડી ઋતુના કારણે રોગચાળો વકર્યો,વાયરલ ઇન્ફેકશનના કેસ વધ્યા
જાહેરમાં ફટાકડા ફોડી નિયમનો ભંગ ઉદ્યોગપતિ વિરુદ્ધ નોંધાયો ગુનો
જાહેરમાં ફટાકડા ફોડી નિયમનો ભંગ ઉદ્યોગપતિ વિરુદ્ધ નોંધાયો ગુનો
આગામી બે દિવસ બાદ ઠંડીમાં વધારો થવાની શક્યતા
આગામી બે દિવસ બાદ ઠંડીમાં વધારો થવાની શક્યતા
તમારું સ્વાસ્થ્ય સારું રહેશે, નાણાકીય સ્થિતિ સુધરશે
તમારું સ્વાસ્થ્ય સારું રહેશે, નાણાકીય સ્થિતિ સુધરશે
g clip-path="url(#clip0_868_265)">