ઈસરો
ISRO (ઈન્ડિયન સ્પેસ રિસર્ચ ઓર્ગેનાઈઝેશન) એ ભારત સરકારની અવકાશ એજન્સી છે. તેનું મુખ્ય મથક બેંગ્લોર, કર્ણાટકમાં છે. આ ઓર્ગેનાઈઝેશનના મુખ્ય કાર્યોમાં ભારતને અવકાશ સંબંધિત ટેકનોલોજી પ્રદાન કરવી અને ઉપગ્રહો, પ્રક્ષેપણ વાહનો, સાઉન્ડિંગ રોકેટ અને ગ્રાઉન્ડ સિસ્ટમ્સ વિકસાવવાનો સમાવેશ થાય છે.
ભારત દેશનો પ્રથમ ઉપગ્રહ આર્યભટ્ટ 19 એપ્રિલ 1975ના રોજ સોવિયેત સંઘના રોકેટનો ઉપયોગ કરીને અવકાશમાં છોડવામાં આવ્યો હતો. તેનું નામ મહાન ગણિતશાસ્ત્રી આર્યભટ્ટના નામ પરથી રાખવામાં આવ્યું હતું.
ઈસરોને વર્ષ 2014 માટે શાંતિ, નિઃશસ્ત્રીકરણ અને વિકાસ માટે ઈન્દિરા ગાંધી પુરસ્કાર આપવામાં આવ્યો છે. જૂન 2016 સુધીમાંમાં ISROએ લગભગ 20 જુદા-જુદા દેશોમાંથી 57 ઉપગ્રહો લોન્ચ કર્યા છે અને અત્યાર સુધીમાં US$100 મિલિયનની કમાણી કરી છે.
ઈસરોના વર્તમાન ડાયરેક્ટર ડૉ. એસ. સોમનાથ છે. આજે ભારત માત્ર તેની અવકાશ સંબંધિત જરૂરિયાતો પૂરી કરવાની સાથેસાથે અવકાશ ક્ષમતા સાથે વ્યાપારી અને અન્ય સ્તરે વિશ્વના ઘણા દેશો સાથે સહયોગ પણ કરી રહ્યું છે.
દેશ માટે ગૌરવ… ભારત ચંદ્રમાં પર રચશે વધુ એક ઈતિહાસ, ઈસરો ચીફે જણાવી સંપૂર્ણ વિગતો
ભારતીય અવકાશ સંશોધન સંગઠન (ઇસરો) એ એક મોટી જાહેરાત કરી છે. 2040 સુધીમાં, ભારત એક ભારતીયને ચંદ્ર પર મોકલશે અને તેમને સુરક્ષિત રીતે પાછા લાવશે. ઇસરોનું પોતાનું અવકાશ મથક પણ ટૂંક સમયમાં સ્થાપિત થશે. ભારત વૈશ્વિક અવકાશ અર્થતંત્રમાં પોતાનો હિસ્સો વધારવાનું લક્ષ્ય રાખે છે. આ દેશના અવકાશ ક્ષેત્ર માટે એક મહત્વપૂર્ણ પગલું છે.
- Mina Pandya
- Updated on: Nov 7, 2025
- 8:50 pm
ISRO એ અંતરિક્ષમાં કરી ધમાકેદાર એન્ટ્રી: ‘બાહુબલી’ લોન્ચ કર્યો, હવે ભારતની આંખ અંતરિક્ષમાંથી દુનિયા પર નજર રાખશે!
ISRO એ રવિવારે શ્રીહરિકોટાથી ભારતીય નૌકાદળનો સૌથી અદ્યતન સંચાર ઉપગ્રહ, GSAT-7R લોન્ચ કર્યો. આ ઉપગ્રહ નૌકાદળની દરિયાઈ સુરક્ષા, દેખરેખ અને નેટવર્ક ક્ષમતાઓને વધુ મજબૂત બનાવશે.
- Manish Gangani
- Updated on: Nov 2, 2025
- 6:45 pm
શુભાંશુ પૃથ્વી પર પાછા ફર્યા, ISS પર કેપ્સ્યુલ ક્યાં ઉતરશે તે કેવી રીતે નક્કી થાય છે, કેમ રણ નહીં, દરિયો જ પસંદ કરાય છે?
તાજેતરમાં, ભારતીય અવકાશયાત્રી શુભાંશુ શુક્લા 18 દિવસ અવકાશમાં વિતાવીને સફળતાપૂર્વક પૃથ્વી પર પાછા ફર્યા, અને તેમનું ડ્રેગન કેપ્સ્યુલ કેલિફોર્નિયા નજીક સમુદ્રમાં ઉતર્યું. પરંતુ શું તમે ક્યારેય વિચાર્યું છે કે અવકાશમાંથી પાછા ફરતા કેપ્સ્યુલનું ચોક્કસ ઉતરાણ સ્થળ કેવી રીતે નક્કી કરવામાં આવે છે? અને શા માટે વિશાળ સમુદ્રને સૌથી સલામત વિકલ્પ તરીકે પસંદ કરવામાં આવે છે? એક ક્ષણની પણ ભૂલ સેંકડો કિલોમીટરનું અંતર પેદા કરી શકે તેવા અત્યંત જટિલ વિજ્ઞાન અને ગણિત પર આધારિત આ પ્રક્રિયાના રહસ્યો અને સમુદ્રની ભૂમિકા વિશે વિગતવાર જાણો.
- Manish Gangani
- Updated on: Jul 15, 2025
- 6:14 pm
Breaking news: અવકાશમાંથી ભારતીય હીરોનું આગમન: શુભાંશુ શુક્લા 18 દિવસ બાદ સફળતાપૂર્વક પૃથ્વી પર પાછા ફર્યા
ભારતીય અવકાશયાત્રી શુભાંશુ શુક્લા Axiom-4 મિશન હેઠળ અવકાશમાં 18 દિવસ વિતાવ્યા બાદ ચાર અન્ય અવકાશયાત્રીઓ સાથે પૃથ્વી પર પાછો ફર્યા છે. નાસા અને સ્પેસએક્સના આ સંયુક્ત મિશનમાં ચાર દેશોના અવકાશયાત્રીઓ સામેલ હતા. શુભાંશુ લગભગ 23 કલાકની મુસાફરી પછી આજે પૃથ્વી પર પહોંચ્યા છે.
- Manish Gangani
- Updated on: Jul 15, 2025
- 3:32 pm
Breaking News : ISRO ગુજરાતમાં દેશનું બીજું સૌથી મોટું સ્પેસ સેન્ટર બનાવશે, જુઓ ફોટો
ગુજરાત સ્પેસ મિશન નીતિથી મોટો આર્થિક અને તકનીકી લાભો થશે. ભારતીય અવકાશ સંશોધન સંગઠન (ISRO) ગુજરાતમાં દેશનું બીજું સૌથી મોટું અવકાશ મથક બનાવશે. તો ચાલો જાણીએ વધુ માહિતી.
- Nirupa Duva
- Updated on: Jul 11, 2025
- 11:58 am
અવકાશયાત્રી શુભાંશુ શુક્લા ધરતી પર ક્યારે પાછા આવશે ? તેમણે ISS માં મગ અને મેથી કેમ ઉગાડ્યા ?
ભારતીય વાયુસેનાના ગ્રુપ કેપ્ટન શુભાંશુ શુક્લા આંતરરાષ્ટ્રીય અવકાશ મથક (ISS) પર એક ઐતિહાસિક મિશન પર છે. તેઓ અંતરિક્ષમાં જનારા ભારતના બીજા અવકાશયાત્રી છે. અવકાશમાં ખેતી સહિત અનેક વૈજ્ઞાનિક પ્રયોગો કરી રહ્યા છે. તેમણે મગ અને મેથીના બીજ ઉગાડ્યા છે, જેનો અભ્યાસ પૃથ્વી પર કરવામાં આવશે. જાણો શુભાંશુ શુક્લા અવકાશમાંથી ધરતી પર પાછા ક્યારે ફરશે.
- TV9 Gujarati
- Updated on: Jul 10, 2025
- 2:03 pm
અંતરિક્ષમાં ગયેલો અવકાશ યાત્રી જો ગંભીર રીતે બીમાર પડી જાય તો શું થાય ? ધરતી પર પરત લાવવાનો ઈમરજન્સી પ્લાન કેવી રીતે કામ કરે છે?
સ્પેસમાં ગયેલા અવકાશ યાત્રીઓના શરીરમાં ઘણા ફેરફાર થાય છે. જેની અસર ધરતી પર પરત આવ્યા બાદ પણ થોડા મહિનાઓ સુધી રહે છે. એસ્ટ્રોનોટ્સ ધરતી પર આવે એટલે એમને સ્પેશ્યિલ કેર હેઠળ રાખવામાં આવે છે. જેથી સામાન્ય થઈ શકે. સ્પેસ ટ્રાવેલ દરમિયાન યાત્રીકોની તબિયત સાધારણ એવી ખરાબ રહે છે. પરંતુ જો કોઈ અવકાશ યાત્રી ગંભીર રીતે બીમાર પડી જાય તો? શું તેને પરત પૃથ્વી પર લાવવામાં આવે છે? આવો જાણીએ.
- Mina Pandya
- Updated on: Jun 27, 2025
- 6:59 pm
17 દિવસ અવકાશમાં રહ્યા બાદ 23 કલાકની મુસાફરી કરીને, શુભાંશુ શુક્લા આજે બપોરે 3 કલાકે સમુદ્રમાં સ્પેલૈશડાઉન કરશે
ભારતના અવકાશયાત્રી શુભાંશુ શુક્લા આજે Axiom-4 મિશન દ્વારા ત્રણ અન્ય અવકાશયાત્રીઓ સાથે અવકાશમાં ઉડાન ભર્યું છે. અવકાશયાત્રી શુભાંશુ શુક્લાના અવકાશ મિશન ઉપરાંત, લોકો તેમના પરિવાર વિશે જાણવા માટે ઉત્સુક છે. તો આજે આપણે શુભાંશુ શુક્લાના પરિવાર અને પર્સનલ લાઈફ વિશે જાણીએ
- Nirupa Duva
- Updated on: Jul 15, 2025
- 9:15 am
Axiom Space : શુભાંશુ શુક્લા જે સીટ પર બેસ્યો તેની કિંમત કેટલી ? જાણશો તો ધોળા દિવસે ‘તારા’ દેખાઈ જશે
ભારતીય અવકાશયાત્રી શુભાંશુ શુક્લા Axiom-4 મિશન હેઠળ 'SpaceX'ના Falcon-9 રોકેટ પર આંતરરાષ્ટ્રીય અવકાશ મથક (ISS) ગયા છે. આ મિશન ભારત માટે ખૂબ જ ખાસ છે, કારણ કે લાંબા સમય પછી કોઈ ભારતીય અવકાશ યાત્રા કરી છે પણ શું તમને ખબર છે કે, Axiom Spaceમાં એક સીટની કિંમત કેટલી છે?
- Ravi Prajapati
- Updated on: Jun 25, 2025
- 7:58 pm
Axiom Mission-4 : એટલે જ કહેવાય ‘માં’ જેવુ કોઈ નહીં.. આખો દેશ ઉત્સાહમાં હતો ત્યારે Shubhanshu Shukla ની માતાની આંખોમાંથી વહી રહ્યા હતા આંસુ, જુઓ Video
અવકાશમાં ઉડાન ભરનારા શુભાંશુ શુક્લાના માતા અને પિતા ભાવુક થઈ ગયા. માતા આશા શુક્લાએ કહ્યું કે શુભાંશુની યાત્રા સફળ રહે. મારા મનમાં કોઈ ડર નથી. તેમણે કહ્યું કે આ આપણા બધા માટે ગર્વની ક્ષણ છે. લખનૌમાં ઉત્સવનો માહોલ છે.
- Sagar Solanki
- Updated on: Jun 25, 2025
- 7:59 pm
AXIOM-4 Mission: શુભાંશુ શુક્લા પોતાની સાથે અવકાશમાં 1 મિલીમીટરથી નાના જળચર જીવ ‘વોટર બેર’ ને કેમ લઈ ગયા ?
Tardigrades: વિજ્ઞાનનું સૌથી મોટું લક્ષ્ય માનવજાતના ભવિષ્યને સુખી અને ટકાઉ બનાવવાનું છે. અને આ 'વોટર બેર' માંથી વૈજ્ઞાનિકો જાણવા માંગે છે કે મનુષ્યને તમામ પ્રકારની પરિસ્થિતિઓમાં કેવી રીતે સ્થિતિસ્થાપક બનાવી શકાય છે.
- Dhinal Chavda
- Updated on: Jun 25, 2025
- 4:05 pm
અવકાશયાત્રીઓ કરોડો કમાય છે, તો પછી શુભાંશુ શુક્લાને કેમ નહીં મળે એક પણ પૈસો ?
શુભાંશુ ભારતીય વાયુસેનાના અધિકારી છે, અને તેમનો પગાર તેમના પદ અને સેવા પર આધારિત છે. તેમને આ મિશન માટે કોઈ વધારાનો પગાર કે ભથ્થું મળી રહ્યું નથી. પરંતુ ભારતે આ મિશન માટે 548 કરોડ રૂપિયા ખર્ચ કર્યા છે. આ રકમમાં શુભાંશુની તાલીમ, વૈજ્ઞાનિક પ્રયોગો અને મિશન સંબંધિત અન્ય ખર્ચનો સમાવેશ થાય છે.
- Dhinal Chavda
- Updated on: Jun 25, 2025
- 2:46 pm
આજે ઇતિહાસ રચાશે, ભારતીય શુભાંશુ શુક્લા અવકાશમાં જશે, એક્સિઓમ-4 મિશન ટૂંક સમયમાં લોન્ચ થશે
Axiom-4 મિશનનું લોન્ચિંગ વિવિધ કારણોસર ઘણી વખત વિલંબિત થયું છે, પહેલા ખરાબ હવામાનને કારણે અને પછી SpaceX ના ફાલ્કન-9 રોકેટમાં લીકની શોધને કારણે અને બાદમાં આંતરરાષ્ટ્રીય અવકાશ મથકના રશિયન મોડ્યુલમાં.
- Dhinal Chavda
- Updated on: Jun 25, 2025
- 11:29 am
Breaking News : ISROનું 101મું મિશન EOS-09 લોન્ચના ત્રીજા તબક્કામાં નિષ્ફળ ગયું, ISRO એ કહ્યું- અમે પાછા આવીશું
આંધ્રપ્રદેશના શ્રીહરિકોટાથી ઈસરો દ્વારા લોન્ચિંગ કરાયેલ PSLV-C61 મિશન ત્રીજા તબક્કામાં નિષ્ફળ ગયું છે. ISRO ના વડા વી નારાયણને જણાવ્યું હતું કે, "આ મિશન તેના ત્રીજા તબક્કા દરમિયાન નિષ્ફળ ગયું. અમે અવલોકનો જોઈ રહ્યા છીએ અને મિશન પૂર્ણ થઈ શક્યું નથી. અમે મૂલ્યાંકન કર્યા પછી પાછા આવીશું."
- TV9 Gujarati
- Updated on: May 18, 2025
- 8:25 am
18 મેના મહત્વના સમાચાર : ભરઉનાળે રાજ્યમાં ફરી સર્જાશે અષાઢી માહોલ, અંબાલાલની આગાહી, 24 થી 30 મે વચ્ચે ભારે વરસાદ પડવાની વકી
Gujarat Live Updates : આજ 18 મેના બ્રેકિંગ ન્યૂઝ, દિવસભરના મોટા અને મહત્વના સમાચાર સૌથી પહેલા જાણવા અને વિવિધ સમાચારના અપડેટ્સ મેળવવા માટે આ પેજને સતત રિફ્રેશ કરતા રહો..
- TV9 Gujarati
- Updated on: May 18, 2025
- 8:59 pm