AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

AXIOM-4 Mission: શુભાંશુ શુક્લા પોતાની સાથે અવકાશમાં 1 મિલીમીટરથી નાના જળચર જીવ ‘વોટર બેર’ ને કેમ લઈ ગયા ?

Tardigrades: વિજ્ઞાનનું સૌથી મોટું લક્ષ્ય માનવજાતના ભવિષ્યને સુખી અને ટકાઉ બનાવવાનું છે. અને આ 'વોટર બેર' માંથી વૈજ્ઞાનિકો જાણવા માંગે છે કે મનુષ્યને તમામ પ્રકારની પરિસ્થિતિઓમાં કેવી રીતે સ્થિતિસ્થાપક બનાવી શકાય છે.

AXIOM-4 Mission: શુભાંશુ શુક્લા પોતાની સાથે અવકાશમાં 1 મિલીમીટરથી નાના જળચર જીવ 'વોટર બેર' ને કેમ લઈ ગયા ?
water bear
| Updated on: Jun 25, 2025 | 4:05 PM
Share

નાસાના એક્સિઓમ-4 મિશનમાં એક અનોખો પ્રયોગ સામેલ છે. આ મિશનમાં, ટાર્ડિગ્રેડ, જેને વોટર બેર તરીકે પણ ઓળખવામાં આવે છે, તેમને ભારતીય અવકાશયાત્રી શુભાંશુ શુક્લા સાથે આંતરરાષ્ટ્રીય અવકાશ મથક પર મોકલવામાં આવી રહ્યું છે. ટાર્ડિગ્રેડ અત્યંત સૂક્ષ્મ જળચર જીવો માંથી એક છે જે અત્યંત કઠોર પરિસ્થિતિઓમાં પણ ટકી શકે છે. અગાઉના મિશનમાં, ટાર્ડિગ્રેડને અવકાશમાં મોકલવામાં આવ્યા છે જ્યાં તેમને રેડિયેશન અને ડિહાઇડ્રેશન જેવી મુશ્કેલીઓનો સામનો કરવો પડ્યો હતો પરંતુ તેમ છતાં તેઓ બચી ગયા હતા.

એક્સિઓમ-4 મિશનમાં આ જીવોનો અભ્યાસ કરવાથી ભવિષ્યના અવકાશ મિશન, ખાસ કરીને લાંબા મિશન માટે મહત્વપૂર્ણ માહિતી મળી શકે છે. આ અવકાશયાત્રીઓ માટે વધુ સારા સલામતી પગલાં અને જીવનરક્ષક ટેક્નિકોના વિકાસમાં મદદ કરી શકે છે.

આ મિશન એક્સિઓમ સ્પેસના ‘એક્સિઓમ-4’ મિશન હેઠળ લોન્ચ કરવામાં આવી રહ્યું છે અને આ ખાનગી અવકાશ ઉડાન 25 જૂને નાસાના કેનેડી સ્પેસ સેન્ટરથી સ્પેસએક્સના ક્રૂ ડ્રેગન C213 અવકાશયાન દ્વારા લોન્ચ કરવામાં આવ્યું. આ મિશન પર, આ ચાર સભ્યોની ક્રૂ 60 પ્રયોગો કરશે. આમાંથી એક પ્રયોગ ટાર્ડિગ્રેડ્સ પર પણ કરવામાં આવશે, જેને પૃથ્વીથી અવકાશ મથક પર લઈ જવામાં આવશે.

તો પ્રશ્ન એ ઊભો થાય છે કે, ટાર્ડિગ્રેડ્સ એટલું મજબૂત કેવી રીતે બન્યુ કે તે અવકાશમાં ઝડપથી પરિવહન કરવામાં આવે ત્યારે પણ ટકી શકે? તેમનું રહસ્ય શું છે, અને શું આપણે ક્યારેય મનુષ્યોમાં આ વિશેષતાનો ઉપયોગ કરી શકીએ છીએ? ચાલો સમજવાનો પ્રયત્ન કરીએ.

ટાર્ડિગ્રેડ શું છે?

ટાર્ડિગ્રેડ ને પાણીના રીંછ અથવા મોસ પિગલેટ કહેવામાં આવે છે, તે સૂક્ષ્મ જળચર પ્રાણીઓ છે. માઇક્રોસ્કોપ હેઠળ, તે જાડા, સપાટ માથા જોઈ શકો છો. તેમના 8 પગ છે. તેમના ખૂબ નાના કદ હોવા છતાં, માનવીઓ લાંબા સમયથી ટાર્ડિગ્રેડ વિશે જાણે છે. તેને સૌપ્રથમ 1773 માં જર્મન પ્રકૃતિશાસ્ત્રી જોહાન ઓગસ્ટ એફ્રાઈમ ગોએઝ દ્વારા શોધ કરવામાં આવી હતી. આ સૂક્ષ્મ જીવોને “નાના પાણીના રીંછ” કહ્યું હતું કારણ કે જે રીતે ફરે છે. નાના કદ હોવા છતાં, તે જટિલ છે. ભલે તે ફક્ત 1,000 કોષોથી બનેલું હોય, તેઓ વંદા અથવા ફળની માખી જેટલા જટિલ છે. વૈજ્ઞાનિકોએ લગભગ 1,300 ટાર્ડિગ્રેડ પ્રજાતિઓ ઓળખી કાઢી છે.

બધા મરી જશે પણ ટાર્ડિગ્રેડ બચી જશે!

ટાર્ડિગ્રેડ તેમના અસાધારણ સ્થિતિસ્થાપકતા માટે સૌથી વધુ પ્રખ્યાત છે. તેઓ ચેમ્પિયન સર્વાઈવર તરીકે ઓળખાય છે, દરેક પરિસ્થિતિમાં ટકી રહેવા સક્ષમ છે. તેને કપડાની જેમ સૂકવી દો તો પણ તે બચી જશે. તે સંપૂર્ણ શૂન્ય (−273.15 °C) થી લગભગ એક ડિગ્રી સુધી થીજી જવાથી બચી શકે છે, જે તાપમાન પર બધી પરમાણુ ગતિ અટકી જાય છે. તેમને પાણીના ઉત્કલન બિંદુથી ઘણા ઉપરના તાપમાને ઉકાળો તો પણ બચી જશે. તે આપણા કરતા હજારો ગણા વધુ કિરણોત્સર્ગથી બચી શકે છે. અને તેઓ એકમાત્ર એવા પ્રાણીઓ છે જેમને આપણે જાણીએ છીએ જે બાહ્ય અવકાશના શૂન્યાવકાશમાં લાંબા સમય સુધી ટકી શકે છે.

ટાર્ડિગ્રેડને આ શક્તિ ક્યાંથી મળી?

ધ ગાર્ડિયનના અહેવાલ મુજબ, નોર્વેની ઓસ્લો યુનિવર્સિટીના નેચરલ હિસ્ટ્રી મ્યુઝિયમના જેમ્સ ફ્લેમિંગના જણાવ્યા અનુસાર, ટાર્ડિગ્રેડમાં ફક્ત થોડા અઠવાડિયા સક્રિય જીવન હોય છે. પરંતુ જો વચ્ચે કોઈ આત્યંતિક પરિસ્થિતિ ઊભી થાય, તો તે નિષ્ક્રિય તબક્કામાં જાય છે અને સુપર-હાઇબરનેશનની સ્થિતિમાં જાય છે અને આ સ્થિતિમાં તે એક સદી સુધી ટકી શકે છે. તેઓ સૂકા દડામાં ફેરવાય છે જે તેમને ઉકળતા પાણીમાં, થીજી ગયેલી ઠંડીમાં અને તાપ વાળી જગ્યામાં પણ જીવંત રહે છે. આને ટ્યુન સ્થિતિ(tun state) કહેવામાં આવે છે.

ટાર્ડિગ્રેડ્સને અવકાશમાં કેમ લઈ જવામાં આવે છે?

વિજ્ઞાનનું સૌથી મોટું લક્ષ્ય માનવજાતના ભવિષ્યને સુખી અને ટકાઉ બનાવવાનું છે. અને આ ‘વોટર બેર’ દ્વારા વૈજ્ઞાનિકો એ રહસ્ય જાણવા માંગે છે કે મનુષ્યોને પણ તમામ પ્રકારની પરિસ્થિતિઓમાં કેવી રીતે સ્થિતિસ્થાપક બનાવી શકાય છે. એટલા માટે તેમને દરેક આત્યંતિક પરિસ્થિતિમાં લઈ જવામાં આવે છે અને તેમના પર પ્રયોગો કરવામાં આવે છે. 2007 માં, યુરોપિયન સ્પેસ એજન્સીએ તેના એક મિશનમાં, રશિયન કેપ્સ્યુલમાંથી લગભગ 3,000 ટાર્ડિગ્રેડ્સને 10 દિવસ માટે અવકાશના શૂન્યાવકાશમાં રાખ્યા હતા. તેમને નીચી-પૃથ્વી ભ્રમણકક્ષામાં (2,000 કિમીથી ઓછી ઊંચાઈ) છોડી દેવામાં આવ્યા હતા. અહેવાલ મુજબ, બે તૃતીયાંશથી વધુ ટાર્ડિગ્રેડ આ મિશનમાં બચી ગયા અને પૃથ્વી પર પાછા ફર્યા પછી, તેમણે તેમના સંતાનોને પણ જન્મ આપ્યો.

અવકાશયાત્રીઓ કરોડો કમાય છે, તો પછી શુભાંશુ શુક્લાને કેમ નહીં મળે એક પણ પૈસો ?

પાણીની ટાંકી તોડવા માટે ટાંકી ઉપર ચડ્યું JCB, જુઓ વીડિયો
પાણીની ટાંકી તોડવા માટે ટાંકી ઉપર ચડ્યું JCB, જુઓ વીડિયો
અમદાવાદના નામાંકિત દાસ ખમણને AMCએ માર્યું સીલ
અમદાવાદના નામાંકિત દાસ ખમણને AMCએ માર્યું સીલ
ડીસાના રામપુરમા 20 વર્ષથી પાકો રસ્તો જ નથી, નેતાઓ સામે રોષે ભરાયા લોકો
ડીસાના રામપુરમા 20 વર્ષથી પાકો રસ્તો જ નથી, નેતાઓ સામે રોષે ભરાયા લોકો
સનાતન ધર્મ અને ભારતીય સંસ્કૃતિ સૂર્ય-ચંદ્ર જેટલી અમર અને અમિટ છે
સનાતન ધર્મ અને ભારતીય સંસ્કૃતિ સૂર્ય-ચંદ્ર જેટલી અમર અને અમિટ છે
ગાંધીજીના નામથી એલર્જી હોવાથી ભાજપે મનરેગાનું નામ બદલી G RAM G કર્યું
ગાંધીજીના નામથી એલર્જી હોવાથી ભાજપે મનરેગાનું નામ બદલી G RAM G કર્યું
ભાજપના પ્રચાર પત્ર સાથે કવરમાં રૂપિયા અપાયાનો વીડિયો વાયરલ
ભાજપના પ્રચાર પત્ર સાથે કવરમાં રૂપિયા અપાયાનો વીડિયો વાયરલ
બહારનું ખાતા પહેલા ચેતજો! ઊંધિયું, જલેબી વેચતા વેપારીઓના ત્યાં ચેકિંગ
બહારનું ખાતા પહેલા ચેતજો! ઊંધિયું, જલેબી વેચતા વેપારીઓના ત્યાં ચેકિંગ
PM મોદીની ડિગ્રી મામલો, હાઈકોર્ટનો કડક અભિગમ, કેજરીવાલને લાગ્યો ઝટકો
PM મોદીની ડિગ્રી મામલો, હાઈકોર્ટનો કડક અભિગમ, કેજરીવાલને લાગ્યો ઝટકો
Breaking News :સુરતના હીરા દલાલે પૂરુ પાડ્યુ ઈમાનદારીનું ઉદાહરણ
Breaking News :સુરતના હીરા દલાલે પૂરુ પાડ્યુ ઈમાનદારીનું ઉદાહરણ
ખાદ્યતેલ ફરી બન્યું મોંઘું, સિંગતેલના ભાવમાં ભડકો, જુઓ Video
ખાદ્યતેલ ફરી બન્યું મોંઘું, સિંગતેલના ભાવમાં ભડકો, જુઓ Video
g clip-path="url(#clip0_868_265)">