AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

કોંગ્રેસ

કોંગ્રેસ

ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસની સ્થાપના 28 ડિસેમ્બર 1885ના રોજ થઈ હતી. 72 પ્રતિનિધિઓએ મળીને સંસ્થા તૈયાર કરી હતી. તેના સ્થાપક જનરલ સેક્રેટરી એ ઓ હ્યુમ હતા. પ્રમુખ વ્યોમેશ ચંદ્ર બેનર્જી હતા. બાળ ગંગાધર તિલકે સંસ્થા દ્વારા સ્વરાજ મિશન શરૂ કર્યું હતું. બાળ ગંગાધર તિલક ઉપરાંત લાલા લજપત રાય, બિપિન ચંદ્ર પાલ, ગોપાલ કૃષ્ણ ગોખલે, ફિરોઝશાહ મહેતા, દાદાભાઈ નવરોજીએ મળીને સ્વરાજ ચળવળને આગળ ધપાવી હતી.

ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસનું રાષ્ટ્રીય ચળવળમાં મહત્વનું યોગદાન માનવામાં આવે છે. સંસ્થાના ઘણા દિગ્ગજોએ સ્વતંત્રતા ચળવળમાં સક્રિય ભાગ લીધો હતો અને જેલ વાસ ભોગવ્યો. 1915માં જ્યારે મહાત્મા ગાંધી જોડાયા ત્યારે સંસ્થાને રાષ્ટ્રીય પ્લેટફોર્મ મળ્યું. તેમના પછી સરદાર વલ્લભભાઈ પટેલ, જવાહર લાલ નેહરુ, રાજેન્દ્ર પ્રસાદ, સુભાષચંદ્ર બોઝ વગેરે જેવા વ્યક્તિ જોડાયા.

1947માં આઝાદી પછી કોંગ્રેસ એક રાજકીય પક્ષ બની ગયો. જવાહરલાલ નેહરુ પ્રથમ વડાપ્રધાન બન્યા. આ પછી કોંગ્રેસ પાર્ટી લગભગ પાંચ દાયકા સુધી કેન્દ્ર સરકારમાં સત્તા પર રહી. 1947 થી 2014 સુધી, 16 લોકસભા ચૂંટણીઓમાંથી, કોંગ્રેસે 6 વખત પૂર્ણ બહુમતી સાથે સરકાર બનાવી. કોંગ્રેસ પાર્ટી કુલ 49 વર્ષ સુધી કેન્દ્ર સરકારનો હિસ્સો રહી. કોંગ્રેસ પણ 4 વખત સત્તાધારી ગઠબંધનમાં સામેલ થઈ.

કોંગ્રેસ પાર્ટી તરફથી કુલ 7 વડાપ્રધાન બન્યા છે. આ નામો છે- જવાહરલાલ નેહરુ, ગુલઝારી નંદા, લાલ બહાદુર શાસ્ત્રી, ઈન્દિરા ગાંધી, રાજીવ ગાંધી, પીવી નરસિમ્હા રાવ અને મનમોહન સિંહ. કોંગ્રેસ પાર્ટીના કેટલાક મોટા નેતાઓના નામ છે- સીતારામ કેસરી, સોનિયા ગાંધી, રાહુલ ગાંધી, પ્રિયંકા ગાંધી, કમલનાથ, અશોક ગેહલોત, દિગ્વિજય સિંહ, પૃથ્વીરાજ ચવ્હાણ, અધીર રંજન ચૌધરી અને મલ્લિકાર્જુન ખડગે વગેરે.

દેશના આઠ પૂર્વ રાષ્ટ્રપતિઓ પણ કોંગ્રેસ પાર્ટી સાથે જોડાયેલા છે. આ નામો છે- ડૉ. રાજેન્દ્ર પ્રસાદ, ફખરુદ્દીન અલી અહેમદ, જ્ઞાની ઝૈલ સિંહ, આર. વેંકટરામન, શંકર દયાલ શર્મા, કે આર નારાયણન, પ્રતિભા દેવીસિંહ પાટીલ અને પ્રણવ મુખર્જી.

Read More

Dahod Breaking News : દેવગઢ બારીયા નગરપાલિકાની 6 સીટો પર મતદાન! ભાજપ, કોંગ્રેસ કે આપ… કોણ મારશે બાજી? જુઓ Video

આજે 28 જુલાઈના રોજ, દાહોદની દેવગઢ બારીયા નગરપાલિકાની 6 બેઠક પર પણ પેટાચૂંટણી યોજાઈ છે. પક્ષ વિરોધી પ્રવૃત્તિ બદલ ભાજપના 6 સભ્યોને સસ્પેન્ડ કરવામાં આવ્યા હતા. ત્યારથી આ બેઠકો ખાલી પડી હતી.

ધર્મેન્દ્ર પ્રધાનને પાણીચું આપો, 3 શરતો રાખતા રાહુલ ગાંધીએ કહ્યું-આંદોલનકારી વિદ્યાર્થીઓને કોંગ્રેસનો સાથ

કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ દિલ્હીમાં જંતર મંતર ખાતે વિદ્યાર્થીઓના વિરોધ પ્રદર્શન અને પેપર લીકના મુદ્દા પર ફરી એકવાર સરકાર પર પ્રહારો કર્યા હતા. આજે 22 જુલાઈને બુધવારે દિલ્હીના ઇન્દિરા ભવન ખાતે મીડિયા સાથે વાત કરતા રાહુલ ગાંધીએ કેન્દ્રીય શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાનના રાજીનામા સહિત ત્રણ માંગણીઓ રજૂ કરી. તેમણે કહ્યું કે આ ત્રણ માંગણીઓ પર કોઈ સમાધાન થઈ શકે નહીં.

કોકરોચ જનતા પાર્ટીનું આંદોલન કોંગ્રેસે કેવી રીતે કર્યુ હાઈજેક? એક જ દિવસમાં બદલાઈ ગયો સંપૂર્ણ ખેલ- વાંચો

રાહુલ ગાંધી જો આંદોલનમાં આ રીતે સામે આવ્યા છે તો તેની સામે વિપક્ષી ગઠબંધનને પણ મજબુત કરવાની મોટી તક છે. મમતા બેનર્જીએ પણ દિલ્હી આવવાની વાત કરી છે. સમાજવાદી પાર્ટી પણ સક્રિય છે.

સરકાર ચર્ચા માટે તૈયાર, રાહુલ રાજીનામા પર અડગ, ધરણા સ્થળેથી એક પછી એક સાંસદોને દિલ્હી પોલીસ ઉઠાવી ગઈ

ચોમાસુ સત્રના બીજા દિવસે, વિરોધ પક્ષના નેતા રાહુલ ગાંધી અને કોંગ્રેસ પ્રમુખ મલ્લિકાર્જુન ખડગે સહિત અનેક વરિષ્ઠ નેતાઓએ વડા પ્રધાનના નિવાસસ્થાન બહાર ધરણા કર્યા છે. કોંગ્રેસના નેતાઓ સાંસદો શિક્ષણ પ્રધાન ધર્મેન્દ્ર પ્રધાનના રાજીનામાની માંગ કરી રહ્યા છે. આ બાબતે બોલતા, રાહુલ ગાંધીએ ટિપ્પણી કરી કે દેશના યુવાનો માટે હવે કોઈ તક બાકી નથી અને તેમના માટે બધા રસ્તા બંધ થઈ ગયા છે. તેમણે નોંધ્યું કે સ્પર્ધાત્મક પરીક્ષાઓનો માર્ગ એક સમયે ખુલ્લો હતો, પરંતુ તે વ્યવસ્થા પણ બરબાદ થઈ ગઈ છે.

Breaking News: ‘રામભક્તો પર ગોળીઓ ચલાવનારા, શું જામા મસ્જિદમાં હનુમાન ચાલીસા કરી શકશે ?’ અયોધ્યામાં વિપક્ષ પર વરસ્યા ‘CM યોગી’

રામ મંદિરમાં ચઢાવાની ચોરીના વિવાદ વચ્ચે ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ શુક્રવારે અયોધ્યા પહોંચ્યા હતા, જ્યાં તેમણે રૂ. 432 કરોડથી વધુના વિકાસ કાર્યોની ભેટ આપી હતી. આ દરમિયાન એક જનસભાને સંબોધતા CM યોગીએ સમાજવાદી પાર્ટી અને કોંગ્રેસ પર આકરા પ્રહારો કર્યા હતા.

કોંગ્રેસના દિગ્ગજ નેતા દિગ્વિજય સિંહે કહ્યું- હવે હું રાજનીતિ નહીં ધર્મ રક્ષા કરીશ, અયોધ્યા સુધીની પદયાત્રામાં કારસેવકોને આમંત્રણ આપીશ

રામ મંદિરના દાનની ચોરીથી વ્યથિત થઈ ઉઠેલા, કોંગ્રેસના નેતા દિગ્વિજય સિંહે રાજકારણને બદલે ધર્મરક્ષા કરવાની નવી વાત ઉચ્ચારી છે. દિગ્વિજયસિંહે આગામી 2 ઓક્ટોબરે ઉજ્જૈનથી અયોધ્યા સુધીની પદયાત્રા યોજવાની જાહેરાત કરી છે. આ દરમિયાન, તેમણે તેમની યાત્રા અંગે એક મહત્વપૂર્ણ નિવેદન આપ્યું છે કે તેઓ હવે ફક્ત આસ્થાના રક્ષણ માટે પોતાને ધર્મ સમર્પિત કરશે.

Breaking News: પેપર લીક અને રામ મંદિરના મુદ્દે સંસદમાં જામશે ‘અસલી જંગ’? જાણો ક્યારથી શરૂ થઈ રહ્યું છે ‘ચોમાસુ સત્ર’

દેશના વિકાસ અને મહત્વના મુદ્દાઓ પર ચર્ચા કરવા માટે સંસદનું ચોમાસુ સત્ર ટૂંક સમયમાં શરૂ થવા જઈ રહ્યું છે. રાષ્ટ્રપતિની મંજૂરી બાદ યોજાનારું આ સત્ર આ વખતે ખૂબ જ રસપ્રદ રહેશે, કારણ કે આમાં સરકાર કેટલાક મહત્વના બિલ રજૂ કરી શકે છે. બીજી તરફ, બદલાયેલા રાજકીય સમીકરણો વચ્ચે વિપક્ષ પણ હોબાળો મચાવવા તૈયાર છે.

કુદરત રુઠી છે ત્યારે સરકાર ના રુઠે, ખેડૂતોને 12 કલાક વીજળી આપો, પશુપાલકોને ઘાસચારો આપો: કોંગ્રેસ

અમિત ચાવડાએ, વરસાદ ખેંચાતા સિંચાઈ માટે નહેરોમાં સિંચાઈ માટેનું પાણી છોડવા સરકાર સમક્ષ માંગ કરી છે. ગત વર્ષ કરતા આ વર્ષે 40 ટકા ઓછું વાવેતર થયું છે. જૂન 2025 માં અત્યાર સુધી 11.55 ઇંચ વરસાદ થયો હતો. આ વર્ષે માત્ર સરેરાશ 1 ઇંચ વરસાદ નોંધાયો છે. આવા સંજોગોમાં સરકારે, ધરતીપુત્રોને મદદ શક્ય એટલી મદદ કરવી જોઈએ.

Breaking News : મહેસાણાના પૂર્વ MLA અને જિલ્લા કોંગ્રેસ પ્રમુખ બળદેવજી ઠાકોરનો નિવૃત્તિનો સંકેત, જુઓ Video

મહેસાણામાં પૂર્વ ધારાસભ્ય અને જિલ્લા કોંગ્રેસ પ્રમુખ બળદેવજી ઠાકોરનો નિવૃત્તિનો સંકેત આપ્યો છે. સક્રિય રાજકારણમાંથી નિવૃત્તિ લઈ સલાહકાર સમિતિમાં જોડાવાની ગણતરી છે. યુવાનોને આગળ કરી પોતે માર્ગદર્શકની ભૂમિકા ભજવવાની ઈચ્છા વ્યક્ત કરી છે.

વિકાસના દાવાઓ વચ્ચે ભ્રષ્ટાચારનો ‘નગ્ન નાચ’, ભરેલા તળાવોના નામે ગ્રાન્ટ લૂંટનારા કૌભાંડીઓને કોનું ‘પીઠબળ’?

સુરેન્દ્રનગરના લીંબડીમાં સરકારી યોજનાઓમાં મોટા પાયે ગેરરીતિ થઈ હોવાના આક્ષેપો સામે આવ્યા છે. કોંગ્રેસ દ્વારા સુજલામ સુફલામ યોજનામાં કરોડો રૂપિયાનો ભ્રષ્ટાચાર થયો હોવાનો દાવો કરવામાં આવતા સ્થાનિક રાજકારણમાં ભારે ખળભળાટ મચી ગયો છે.

સુમુલ ડેરી ચૂંટણીમાં રાજકીય ગરમાવો, ઉમેદવારોને ધમકીઓ અને ગેરરીતિના આરોપ, જુઓ Video

સુમુલ ડેરી ચૂંટણી પહેલા રાજકીય ગરમાવો તેજ બન્યો છે. કોંગ્રેસના મહામંત્રી દર્શન નાયકે ભ્રષ્ટ ડિરેક્ટરોની ઉમેદવારી રદ કરવાની માંગ કરી છે. ધમકીઓ અને અપહરણના ભયને કારણે કોંગ્રેસે તેના દસ ઉમેદવારોને અજ્ઞાત સ્થળે સુરક્ષિત રાખ્યા છે.

ખેતરોમાં વીજ થાંભલા નાખવાના મુદ્દે કોંગ્રેસના નેતાનો સરકાર પર આકરા પ્રહાર ” બીજા વિકલ્પ પર કામ કેમ નહીં…?”

મોરબી, જામનગર અને કચ્છમાં ખેડૂતોની ફળદ્રુપ જમીનમાંથી વીજ લાઇન પસાર કરવાના વિરોધમાં કોંગ્રેસ નેતા પાલ આંબલિયાએ સરકારને રણ વિસ્તારનો નવો રૂટ આપ્યો છે.

Breaking News : લોકો આશ્ચર્યમાં: ‘પાણી પર રોડ’ બનાવવાની આ અદભુત ટેકનોલોજી રાધનપુર તંત્ર લાવ્યું ક્યાંથી? જુઓ Video

રાધનપુરના મસાલી રોડ પર ઘૂંટણસમા પાણી ભરાયેલા હોવા છતાં રોડ બનાવવાની કામગીરી ચાલી રહી છે, જેના પર અનેક ગંભીર સવાલો ઉભા થયા છે. કોન્ટ્રાક્ટરની બેદરકારી અને રોડની ગુણવત્તા સામે ભ્રષ્ટાચારના આક્ષેપો થયા છે. કોંગ્રેસ અને ભાજપના કાર્યકરો આ મુદ્દે આક્ષેપ-પ્રતિઆક્ષેપ કરી રહ્યા છે, જ્યારે પ્રશાસન પર મીઠી નજર રાખવાનો આરોપ.

ભાજપ-કોંગ્રેસની મિલીભગત અને જનતા રઝળી પડી! નેતાઓએ ‘ભૂતિયા ડિમોલિશન’નો મોટો ખેલ ખેલ્યો, જુઓ Viral Video

સુરતના નાસિર નગરમાં ઝૂંપડા ખાલી કરાવવા માટે 385 લોકોને 80-80 હજાર રૂપિયા અપાયા હોવાનો વીડિયો વાયરલ થતાં વિવાદ સર્જાયો છે. આ મામલે ભાજપના પૂર્વ માઈનોરિટી પ્રમુખ અને કોંગ્રેસ નેતાની ભૂમિકા સામે સવાલો ઊભા થયા છે.

ભરૂચમાં કોંગ્રેસની ‘મોંઘવારી જેલ’, વિરોધ દરમિયાન પોલીસ કાર્યવાહીથી ગરમાયું રાજકારણ

ભરૂચ રેલવે સ્ટેશન બહાર કોંગ્રેસે મોંઘવારી, બેરોજગારી, NEET પેપર લીક અને ખેડૂતોને ખાતર ન મળવાના મુદ્દે અનોખું વિરોધ પ્રદર્શન કર્યું. કાર્યકરોએ ‘મોંઘવારીની જેલ’ બનાવી સરકાર સામે આક્રોશ વ્યક્ત કર્યો. વિરોધ દરમિયાન પોલીસે અનેક કાર્યકરોની અટકાયત કરતા મામલો વધુ ચર્ચામાં આવ્યો.

g clip-path="url(#clip0_868_265)">