AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

કોંગ્રેસ

કોંગ્રેસ

ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસની સ્થાપના 28 ડિસેમ્બર 1885ના રોજ થઈ હતી. 72 પ્રતિનિધિઓએ મળીને સંસ્થા તૈયાર કરી હતી. તેના સ્થાપક જનરલ સેક્રેટરી એ ઓ હ્યુમ હતા. પ્રમુખ વ્યોમેશ ચંદ્ર બેનર્જી હતા. બાળ ગંગાધર તિલકે સંસ્થા દ્વારા સ્વરાજ મિશન શરૂ કર્યું હતું. બાળ ગંગાધર તિલક ઉપરાંત લાલા લજપત રાય, બિપિન ચંદ્ર પાલ, ગોપાલ કૃષ્ણ ગોખલે, ફિરોઝશાહ મહેતા, દાદાભાઈ નવરોજીએ મળીને સ્વરાજ ચળવળને આગળ ધપાવી હતી.

ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસનું રાષ્ટ્રીય ચળવળમાં મહત્વનું યોગદાન માનવામાં આવે છે. સંસ્થાના ઘણા દિગ્ગજોએ સ્વતંત્રતા ચળવળમાં સક્રિય ભાગ લીધો હતો અને જેલ વાસ ભોગવ્યો. 1915માં જ્યારે મહાત્મા ગાંધી જોડાયા ત્યારે સંસ્થાને રાષ્ટ્રીય પ્લેટફોર્મ મળ્યું. તેમના પછી સરદાર વલ્લભભાઈ પટેલ, જવાહર લાલ નેહરુ, રાજેન્દ્ર પ્રસાદ, સુભાષચંદ્ર બોઝ વગેરે જેવા વ્યક્તિ જોડાયા.

1947માં આઝાદી પછી કોંગ્રેસ એક રાજકીય પક્ષ બની ગયો. જવાહરલાલ નેહરુ પ્રથમ વડાપ્રધાન બન્યા. આ પછી કોંગ્રેસ પાર્ટી લગભગ પાંચ દાયકા સુધી કેન્દ્ર સરકારમાં સત્તા પર રહી. 1947 થી 2014 સુધી, 16 લોકસભા ચૂંટણીઓમાંથી, કોંગ્રેસે 6 વખત પૂર્ણ બહુમતી સાથે સરકાર બનાવી. કોંગ્રેસ પાર્ટી કુલ 49 વર્ષ સુધી કેન્દ્ર સરકારનો હિસ્સો રહી. કોંગ્રેસ પણ 4 વખત સત્તાધારી ગઠબંધનમાં સામેલ થઈ.

કોંગ્રેસ પાર્ટી તરફથી કુલ 7 વડાપ્રધાન બન્યા છે. આ નામો છે- જવાહરલાલ નેહરુ, ગુલઝારી નંદા, લાલ બહાદુર શાસ્ત્રી, ઈન્દિરા ગાંધી, રાજીવ ગાંધી, પીવી નરસિમ્હા રાવ અને મનમોહન સિંહ. કોંગ્રેસ પાર્ટીના કેટલાક મોટા નેતાઓના નામ છે- સીતારામ કેસરી, સોનિયા ગાંધી, રાહુલ ગાંધી, પ્રિયંકા ગાંધી, કમલનાથ, અશોક ગેહલોત, દિગ્વિજય સિંહ, પૃથ્વીરાજ ચવ્હાણ, અધીર રંજન ચૌધરી અને મલ્લિકાર્જુન ખડગે વગેરે.

દેશના આઠ પૂર્વ રાષ્ટ્રપતિઓ પણ કોંગ્રેસ પાર્ટી સાથે જોડાયેલા છે. આ નામો છે- ડૉ. રાજેન્દ્ર પ્રસાદ, ફખરુદ્દીન અલી અહેમદ, જ્ઞાની ઝૈલ સિંહ, આર. વેંકટરામન, શંકર દયાલ શર્મા, કે આર નારાયણન, પ્રતિભા દેવીસિંહ પાટીલ અને પ્રણવ મુખર્જી.

Read More

Gujarat Breaking News : ગુજરાત કોંગ્રેસમાં જૂના ચહેરાઓની થશે છુટ્ટી, Gen Z અને નવા યુવાનોને મળશે મોટી તક, સંગઠને માળખું મોકલાયું દિલ્હી! જુઓ Video

ગુજરાત કોંગ્રેસનું નવું સંગઠન માળખું તૈયાર કરવામાં આવ્યું છે. પ્રદેશ કોંગ્રેસ દ્વારા તૈયાર કરવામાં આવેલું આ માળખું મંજૂરી માટે હાઇકમાન્ડને મોકલવામાં આવ્યું છે. હવે હાઇકમાન્ડની મંજૂરી બાદ ઓગસ્ટ માસના અંત સુધીમાં ગુજરાત કોંગ્રેસના નવા સંગઠન માળખાની જાહેરાત થવાની શક્યતા છે.

કોંગ્રેસે ‘વંદે માતરમ’ ના બે ટુકડા કર્યા, બે છંદ ગાવાનો નિર્ણય રાષ્ટ્રવિરોધી, રાષ્ટ્રીય ગીત વિવાદ પર અમિત શાહના પ્રહાર

અમિત શાહે કહ્યું કે કોંગ્રેસ પાર્ટીએ 'વંદે માતરમ' ના બે ટુકડા કરી દીધા છે. ફક્ત બે છંદ ગાવાનો નિર્ણય રાષ્ટ્રવિરોધી છે. કોંગ્રેસે સંસદના નિર્ણયનો અનાદર કર્યો છે અને પોતાના જીવનું બલિદાન આપનારા લાખો શહીદોનું ધોર અપમાન કર્યું છે.

“સરહદ ન અડતી હોય તો દારૂ ક્યાંથી આવ્યો ?” મનીષ દોશીના સરકાર પર આકરા પ્રહારો, અધિકારીઓ સામે કડક પગલાંની માંગ – જુઓ Video

ભાવનગરના ખરકડીમાં નકલી દારૂથી ચારના મોત થતાં કોંગ્રેસ પ્રવક્તા મનીષ દોશીએ સરકાર પર આકરા પ્રહાર કર્યા છે. તેમણે દારૂબંધીના અમલ અને નકલી દારૂના નેટવર્ક અંગે ગંભીર સવાલો ઉઠાવ્યા છે. અગાઉની ઘટનાઓ ટાંકીને, તેમણે જવાબદાર અધિકારીઓ સામે કડક કાર્યવાહીની માંગ કરી છે.

Breaking News : અમિત શાહનો કોંગ્રેસ પર મોટો પ્રહાર! “વોટ બેંક માટે વંદે માતરમ્‌નું અપમાન, દેશની જનતા સોનિયા ગાંધીને માફ નહીં કરે”

અમિત શાહે વંદે માતરમ્ ના અપમાન પર કોંગ્રેસ પક્ષ પર આકરો પ્રહાર કર્યો છે. તેમણે કહ્યું કે કોંગ્રેસ કાર્યાલયમાં એક પાપ થયું છે. દેશના લોકો સોનિયા ગાંધીને ક્યારેય માફ નહીં કરે.

સોનિયા ગાંધી પર વંદે માતરમ રોકવાનો આરોપ, કોંગ્રેસે કહ્યું- વાત ખોટી, નવા કાયદા મુજબ ગવાયું

સોનિયા ગાંધીએ 'વંદે માતરમ' ગાવાનું બંધ કર્યું હોવાના ભાજપના આરોપો બાદ કોંગ્રેસે સ્પષ્ટતા કરી છે. જયરામ રમેશે જણાવ્યું હતું કે, કાર્યક્રમમાં નવી માર્ગદર્શિકા અનુસાર સંપૂર્ણ 'વંદે માતરમ' ગાવામાં આવ્યું હતું, અને કોઈએ તેને રોકવાનો પ્રયાસ કર્યો ન હતો.

ઉત્તરાખંડમાં મારા કાર્યક્રમ સ્થળે ભાજપે શુદ્ધિયજ્ઞ કર્યો, ખરગેના દાવાને જે પી નડ્ડાએ નકારતા કહ્યુ- ભાજપ પણ નિંદા કરે છે, અમે તેમા નહોતા

ગુરુવારે રાજ્યસભામાં ખડગેના તેમના મંચના "શુદ્ધિ યજ્ઞ" અંગેના નિવેદન પર ભારે હોબાળો થયો. કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેએ કહ્યું કે, ભાજપના સભ્યોએ ઉત્તરાખંડમાં તેમણે જે મંચનો ઉપયોગ કર્યો હતો તેને "શુદ્ધ" કરવા માટે શુદ્ધિયજ્ઞ યોજયો હતો. નડ્ડાએ આવા દાવાને ખોટો ગણાવીને કહ્યું કે, ભાજપ આમાં નહોતું. અમે પણ આવા કાર્યક્રમની નિંદા કરીએ છીએ.

કોંગ્રેસ પ્રમુખ ખડગે સમક્ષ ગુજરાતના અસંતુષ્ટ નેતાઓની રજૂઆત, જુઓ શું કહ્યું..

ગુજરાત કોંગ્રેસમાં આંતરિક અસંતોષ ચરમસીમાએ પહોંચ્યો છે. ઉત્તર ગુજરાતના મહેસાણા, પાટણ, બનાસકાંઠા, સાબરકાંઠા અને ગાંધીનગર જિલ્લાના પ્રમુખો સહિતના નેતાઓ દિલ્હીમાં હાઈકમાન્ડને મળ્યા હતા.

Dahod Breaking News : દેવગઢ બારીયા નગરપાલિકાની 6 સીટો પર મતદાન! ભાજપ, કોંગ્રેસ કે આપ… કોણ મારશે બાજી? જુઓ Video

આજે 28 જુલાઈના રોજ, દાહોદની દેવગઢ બારીયા નગરપાલિકાની 6 બેઠક પર પણ પેટાચૂંટણી યોજાઈ છે. પક્ષ વિરોધી પ્રવૃત્તિ બદલ ભાજપના 6 સભ્યોને સસ્પેન્ડ કરવામાં આવ્યા હતા. ત્યારથી આ બેઠકો ખાલી પડી હતી.

ધર્મેન્દ્ર પ્રધાનને પાણીચું આપો, 3 શરતો રાખતા રાહુલ ગાંધીએ કહ્યું-આંદોલનકારી વિદ્યાર્થીઓને કોંગ્રેસનો સાથ

કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ દિલ્હીમાં જંતર મંતર ખાતે વિદ્યાર્થીઓના વિરોધ પ્રદર્શન અને પેપર લીકના મુદ્દા પર ફરી એકવાર સરકાર પર પ્રહારો કર્યા હતા. આજે 22 જુલાઈને બુધવારે દિલ્હીના ઇન્દિરા ભવન ખાતે મીડિયા સાથે વાત કરતા રાહુલ ગાંધીએ કેન્દ્રીય શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાનના રાજીનામા સહિત ત્રણ માંગણીઓ રજૂ કરી. તેમણે કહ્યું કે આ ત્રણ માંગણીઓ પર કોઈ સમાધાન થઈ શકે નહીં.

કોકરોચ જનતા પાર્ટીનું આંદોલન કોંગ્રેસે કેવી રીતે કર્યુ હાઈજેક? એક જ દિવસમાં બદલાઈ ગયો સંપૂર્ણ ખેલ- વાંચો

રાહુલ ગાંધી જો આંદોલનમાં આ રીતે સામે આવ્યા છે તો તેની સામે વિપક્ષી ગઠબંધનને પણ મજબુત કરવાની મોટી તક છે. મમતા બેનર્જીએ પણ દિલ્હી આવવાની વાત કરી છે. સમાજવાદી પાર્ટી પણ સક્રિય છે.

સરકાર ચર્ચા માટે તૈયાર, રાહુલ રાજીનામા પર અડગ, ધરણા સ્થળેથી એક પછી એક સાંસદોને દિલ્હી પોલીસ ઉઠાવી ગઈ

ચોમાસુ સત્રના બીજા દિવસે, વિરોધ પક્ષના નેતા રાહુલ ગાંધી અને કોંગ્રેસ પ્રમુખ મલ્લિકાર્જુન ખડગે સહિત અનેક વરિષ્ઠ નેતાઓએ વડા પ્રધાનના નિવાસસ્થાન બહાર ધરણા કર્યા છે. કોંગ્રેસના નેતાઓ સાંસદો શિક્ષણ પ્રધાન ધર્મેન્દ્ર પ્રધાનના રાજીનામાની માંગ કરી રહ્યા છે. આ બાબતે બોલતા, રાહુલ ગાંધીએ ટિપ્પણી કરી કે દેશના યુવાનો માટે હવે કોઈ તક બાકી નથી અને તેમના માટે બધા રસ્તા બંધ થઈ ગયા છે. તેમણે નોંધ્યું કે સ્પર્ધાત્મક પરીક્ષાઓનો માર્ગ એક સમયે ખુલ્લો હતો, પરંતુ તે વ્યવસ્થા પણ બરબાદ થઈ ગઈ છે.

Breaking News: ‘રામભક્તો પર ગોળીઓ ચલાવનારા, શું જામા મસ્જિદમાં હનુમાન ચાલીસા કરી શકશે ?’ અયોધ્યામાં વિપક્ષ પર વરસ્યા ‘CM યોગી’

રામ મંદિરમાં ચઢાવાની ચોરીના વિવાદ વચ્ચે ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ શુક્રવારે અયોધ્યા પહોંચ્યા હતા, જ્યાં તેમણે રૂ. 432 કરોડથી વધુના વિકાસ કાર્યોની ભેટ આપી હતી. આ દરમિયાન એક જનસભાને સંબોધતા CM યોગીએ સમાજવાદી પાર્ટી અને કોંગ્રેસ પર આકરા પ્રહારો કર્યા હતા.

કોંગ્રેસના દિગ્ગજ નેતા દિગ્વિજય સિંહે કહ્યું- હવે હું રાજનીતિ નહીં ધર્મ રક્ષા કરીશ, અયોધ્યા સુધીની પદયાત્રામાં કારસેવકોને આમંત્રણ આપીશ

રામ મંદિરના દાનની ચોરીથી વ્યથિત થઈ ઉઠેલા, કોંગ્રેસના નેતા દિગ્વિજય સિંહે રાજકારણને બદલે ધર્મરક્ષા કરવાની નવી વાત ઉચ્ચારી છે. દિગ્વિજયસિંહે આગામી 2 ઓક્ટોબરે ઉજ્જૈનથી અયોધ્યા સુધીની પદયાત્રા યોજવાની જાહેરાત કરી છે. આ દરમિયાન, તેમણે તેમની યાત્રા અંગે એક મહત્વપૂર્ણ નિવેદન આપ્યું છે કે તેઓ હવે ફક્ત આસ્થાના રક્ષણ માટે પોતાને ધર્મ સમર્પિત કરશે.

Breaking News: પેપર લીક અને રામ મંદિરના મુદ્દે સંસદમાં જામશે ‘અસલી જંગ’? જાણો ક્યારથી શરૂ થઈ રહ્યું છે ‘ચોમાસુ સત્ર’

દેશના વિકાસ અને મહત્વના મુદ્દાઓ પર ચર્ચા કરવા માટે સંસદનું ચોમાસુ સત્ર ટૂંક સમયમાં શરૂ થવા જઈ રહ્યું છે. રાષ્ટ્રપતિની મંજૂરી બાદ યોજાનારું આ સત્ર આ વખતે ખૂબ જ રસપ્રદ રહેશે, કારણ કે આમાં સરકાર કેટલાક મહત્વના બિલ રજૂ કરી શકે છે. બીજી તરફ, બદલાયેલા રાજકીય સમીકરણો વચ્ચે વિપક્ષ પણ હોબાળો મચાવવા તૈયાર છે.

કુદરત રુઠી છે ત્યારે સરકાર ના રુઠે, ખેડૂતોને 12 કલાક વીજળી આપો, પશુપાલકોને ઘાસચારો આપો: કોંગ્રેસ

અમિત ચાવડાએ, વરસાદ ખેંચાતા સિંચાઈ માટે નહેરોમાં સિંચાઈ માટેનું પાણી છોડવા સરકાર સમક્ષ માંગ કરી છે. ગત વર્ષ કરતા આ વર્ષે 40 ટકા ઓછું વાવેતર થયું છે. જૂન 2025 માં અત્યાર સુધી 11.55 ઇંચ વરસાદ થયો હતો. આ વર્ષે માત્ર સરેરાશ 1 ઇંચ વરસાદ નોંધાયો છે. આવા સંજોગોમાં સરકારે, ધરતીપુત્રોને મદદ શક્ય એટલી મદદ કરવી જોઈએ.

અમદાવાદમાં વરસાદે વિરામ લેતા જ રોગચાળાએ માથું ઉચક્યું
અમદાવાદમાં વરસાદે વિરામ લેતા જ રોગચાળાએ માથું ઉચક્યું
આજનું રાશિફળ : કારકિર્દી, પૈસા અને અભ્યાસમાં મળશે સફળતા
આજનું રાશિફળ : કારકિર્દી, પૈસા અને અભ્યાસમાં મળશે સફળતા
સંજય સોલંકી અપહરણ અને મારામારી કેસમાં ગણેશ ગોંડલ નિર્દોષ જાહેર
સંજય સોલંકી અપહરણ અને મારામારી કેસમાં ગણેશ ગોંડલ નિર્દોષ જાહેર
વાવ થરાદમાં પાણી માટે ખેડૂતો આકરા પાણીએ, ઢોલ વગાડી નોંધાવ્યો વિરોધ
વાવ થરાદમાં પાણી માટે ખેડૂતો આકરા પાણીએ, ઢોલ વગાડી નોંધાવ્યો વિરોધ
ખેડા: રઢુ PHC સેન્ટરમાં બાળકોની દવામાં જીવડા નીકળતા આરોગ્યવિભાગ જાગ્યુ
ખેડા: રઢુ PHC સેન્ટરમાં બાળકોની દવામાં જીવડા નીકળતા આરોગ્યવિભાગ જાગ્યુ
બાળકોને વાસી ભોજન પીરસનાર સંચાલક ફસાયો - જુઓ Video
બાળકોને વાસી ભોજન પીરસનાર સંચાલક ફસાયો - જુઓ Video
સૌરાષ્ટ્રમાં વરસાદ ખેંચાતા જળસંકટના એંધાણ, હજુ 70% વરસાદની અછત
સૌરાષ્ટ્રમાં વરસાદ ખેંચાતા જળસંકટના એંધાણ, હજુ 70% વરસાદની અછત
રાજકુમાર જાટ કેસમાં ગુજરાત સરકારે હાઇકોર્ટમાં પુરાવા રજૂ કર્યા
રાજકુમાર જાટ કેસમાં ગુજરાત સરકારે હાઇકોર્ટમાં પુરાવા રજૂ કર્યા
ગુજરાતમાં વરસાદની અછત ? કૃત્રિમ વરસાદ વરસાવવાની ચર્ચા
ગુજરાતમાં વરસાદની અછત ? કૃત્રિમ વરસાદ વરસાવવાની ચર્ચા
આગામી ગુજરાત ચૂંટણી પહેલા RSS-સરકારની મહાબેઠક, જમીની સ્થિતિની ચર્ચા..
આગામી ગુજરાત ચૂંટણી પહેલા RSS-સરકારની મહાબેઠક, જમીની સ્થિતિની ચર્ચા..
g clip-path="url(#clip0_868_265)">