કોંગ્રેસ
ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસની સ્થાપના 28 ડિસેમ્બર 1885ના રોજ થઈ હતી. 72 પ્રતિનિધિઓએ મળીને સંસ્થા તૈયાર કરી હતી. તેના સ્થાપક જનરલ સેક્રેટરી એ ઓ હ્યુમ હતા. પ્રમુખ વ્યોમેશ ચંદ્ર બેનર્જી હતા. બાળ ગંગાધર તિલકે સંસ્થા દ્વારા સ્વરાજ મિશન શરૂ કર્યું હતું. બાળ ગંગાધર તિલક ઉપરાંત લાલા લજપત રાય, બિપિન ચંદ્ર પાલ, ગોપાલ કૃષ્ણ ગોખલે, ફિરોઝશાહ મહેતા, દાદાભાઈ નવરોજીએ મળીને સ્વરાજ ચળવળને આગળ ધપાવી હતી.
ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસનું રાષ્ટ્રીય ચળવળમાં મહત્વનું યોગદાન માનવામાં આવે છે. સંસ્થાના ઘણા દિગ્ગજોએ સ્વતંત્રતા ચળવળમાં સક્રિય ભાગ લીધો હતો અને જેલ વાસ ભોગવ્યો. 1915માં જ્યારે મહાત્મા ગાંધી જોડાયા ત્યારે સંસ્થાને રાષ્ટ્રીય પ્લેટફોર્મ મળ્યું. તેમના પછી સરદાર વલ્લભભાઈ પટેલ, જવાહર લાલ નેહરુ, રાજેન્દ્ર પ્રસાદ, સુભાષચંદ્ર બોઝ વગેરે જેવા વ્યક્તિ જોડાયા.
1947માં આઝાદી પછી કોંગ્રેસ એક રાજકીય પક્ષ બની ગયો. જવાહરલાલ નેહરુ પ્રથમ વડાપ્રધાન બન્યા. આ પછી કોંગ્રેસ પાર્ટી લગભગ પાંચ દાયકા સુધી કેન્દ્ર સરકારમાં સત્તા પર રહી. 1947 થી 2014 સુધી, 16 લોકસભા ચૂંટણીઓમાંથી, કોંગ્રેસે 6 વખત પૂર્ણ બહુમતી સાથે સરકાર બનાવી. કોંગ્રેસ પાર્ટી કુલ 49 વર્ષ સુધી કેન્દ્ર સરકારનો હિસ્સો રહી. કોંગ્રેસ પણ 4 વખત સત્તાધારી ગઠબંધનમાં સામેલ થઈ.
કોંગ્રેસ પાર્ટી તરફથી કુલ 7 વડાપ્રધાન બન્યા છે. આ નામો છે- જવાહરલાલ નેહરુ, ગુલઝારી નંદા, લાલ બહાદુર શાસ્ત્રી, ઈન્દિરા ગાંધી, રાજીવ ગાંધી, પીવી નરસિમ્હા રાવ અને મનમોહન સિંહ. કોંગ્રેસ પાર્ટીના કેટલાક મોટા નેતાઓના નામ છે- સીતારામ કેસરી, સોનિયા ગાંધી, રાહુલ ગાંધી, પ્રિયંકા ગાંધી, કમલનાથ, અશોક ગેહલોત, દિગ્વિજય સિંહ, પૃથ્વીરાજ ચવ્હાણ, અધીર રંજન ચૌધરી અને મલ્લિકાર્જુન ખડગે વગેરે.
દેશના આઠ પૂર્વ રાષ્ટ્રપતિઓ પણ કોંગ્રેસ પાર્ટી સાથે જોડાયેલા છે. આ નામો છે- ડૉ. રાજેન્દ્ર પ્રસાદ, ફખરુદ્દીન અલી અહેમદ, જ્ઞાની ઝૈલ સિંહ, આર. વેંકટરામન, શંકર દયાલ શર્મા, કે આર નારાયણન, પ્રતિભા દેવીસિંહ પાટીલ અને પ્રણવ મુખર્જી.
Breaking News: દેશની રાજનીતિમાં સૌથી ‘મોટા સમાચાર’, મમતા બેનર્જી તૃણમુલ કોંગ્રેસને વિલીન કરી કોંગ્રેસમાં વાપસી કરે તેવી શક્યતા – જુઓ Video
દેશની રાજનીતિમાંથી આ સમયના સૌથી મોટા સમાચાર સામે આવી રહ્યા છે. પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જી પોતાની પાર્ટી ઓલ ઈન્ડિયા તૃણમૂલ કોંગ્રેસ (TMC) નું વિલીનીકરણ કરીને ફરી એકવાર કોંગ્રેસમાં વાપસી કરે તેવી પ્રબળ શક્યતાઓ દેખાઈ રહી છે.
- TV9 Gujarati
- Updated on: Jun 10, 2026
- 4:16 pm
Breaking News : મીનાક્ષી નટરાજનના નોમિનેશન રદ થવા પર વકીલ અભિષેક મનુ સિંઘવીએ કહી આ વાત
કોંગ્રેસ સાંસદ અભિષેક મનુ સિંધવીએ મીનાક્ષી નટરાજનના રાજ્યસભાના નોમિનેશનને રદ થવાને ગેરકાનુની અને પક્ષપાતી કહ્યું છે. તેમણે કહ્યું કે, નટરાજન વિરુદ્ધ કોઈ અપરાધિક ગુનો નથી. માત્ર નોટિસ જાહેર કરી છે. તેનું નોમિનેશન રદ થવું કાનુની રુપથી ખોટું છે.
- Nirupa Duva
- Updated on: Jun 10, 2026
- 1:42 pm
INDIA ગઠબંધનની બેઠકમાં લેવાયો નિર્ણય, શિક્ષણ પ્રધાન રાજીનામુ આપે, વોટ લૂંટ વિરુદ્ધ સુપ્રીમકોર્ટના ચીફ જસ્ટીસને લખાશે પત્ર
વિરોધી પક્ષોના સંગઠન INDIA ગઠબંધનની આજે 8 જૂનના રોજ દિલ્હીમાં યોજાયેલ મહત્વપૂર્ણ બેઠક બાદ, કોંગ્રેસ પ્રમુખ મલ્લિકાર્જુન ખડગેએ, જાહેરાત કરી કે ગઠબંધનની બેઠક હવેથી દર બે મહિને બોલાવવામાં આવશે. હવે પછીની બેઠક હૈદરાબાદમાં યોજાવાની છે. બેઠક દરમિયાન પાંચ મુદ્દાઓ પર સર્વસંમતિ સધાઈ હતી. જે પૈકીના એક મુદ્દો સ્પેશિયલ ઇન્ટેન્સિવ રિવિઝન (SIR) ના અંગે મુખ્ય ન્યાયાધીશને પત્ર લખીશું. મલ્લિકાર્જુન ખડગેએ વધુમાં કહ્યું કે, અમે માંગ કરીએ છીએ કે શિક્ષણ મંત્રી તેમના પદ પરથી રાજીનામું આપે.
- TV9 Gujarati
- Updated on: Jun 8, 2026
- 4:55 pm
જો મેં હાઈકમાન્ડ સામે બળવો કર્યો હોત તો શું હું મુખ્યપ્રધાન રહી શક્યો હોત?….અશોક ગેહલોતે ખોલ્યા રહસ્યો
રાજસ્થાન કોંગ્રેસમાં ગત 25 સપ્ટેમ્બર 2022ના રોજ સર્જાયેલ કટોકટી અંગે પૂર્વ મુખ્ય પ્રધાન અશોક ગેહલોતે, મૌન તોડીને અનેક રાજકીય રહસ્ય પરથી પડદો ઉઠાવ્યો છે. અશોક ગેહલોતે મીડિયા સમક્ષ એવી સ્પષ્ટતા કરી છે કે, મારો બળવો પાર્ટી હાઈકમાન્ડ સામે નહીં પરંતુ સચિન પાઈલટ સામે હતો. એ દિવસોમાં સચિન પાઈલટના ટેકેદારો દ્વારા એવી વાતો વહેતી કરી હતી કે, પાર્ટી હાઈકમાન્ડ મારા સ્થાને, સચિન પાઈલટને રાજસ્થાનના મુખ્ય પ્રધાન તરીકે પસંદ કરવા ઈચ્છે છે.
- TV9 Gujarati
- Updated on: Jun 8, 2026
- 1:38 pm
10 જૂને એક નવો રેકોર્ડ બનશે… નેહરુ-ઇન્દિરા-મનમોહનથી લઈને મોદી સુધી, દેશ પર કોણે કેટલા દિવસ કર્યું શાસન
PM Modi Set to Surpass Nehru Record: 10 જૂનના રોજ વડા પ્રધાન તરીકે પીએમ મોદી દેશના પ્રથમ વડાપ્રધાન પંડિત જવાહરલાલ નેહરુના રેકોર્ડને તોડશે. ભારતમાં વડાપ્રધાનો વિવિધ રેકોર્ડ ધરાવે છે. કેટલાક વડાપ્રધાન તરીકે સૌથી લાંબા સમય સુધી કાર્યકાળનો રેકોર્ડ ધરાવે છે, જ્યારે કેટલાક એક પણ દિવસ માટે સંસદનો સામનો કરવામાં નિષ્ફળ રહ્યા હતા. સ્વતંત્રતાથી લઈને વર્તમાન વડા પ્રધાન મોદી સુધીના વડા પ્રધાનોની વાર્તા વાંચો.
- Meera Kansagara
- Updated on: Jun 7, 2026
- 2:24 pm
Modi Vs Nehru : તે સમયે એક પક્ષનું શાસન, હવે સેંકડો પક્ષો વચ્ચે સ્પર્ધા, ચૂંટણીના સ્તરે નેહરુ અને મોદી ક્યાં ઊભા છે?
Modi Vs Nehru : વડાપ્રધાન નરેન્દ્ર મોદી પંડિત નેહરુનો સૌથી વધુ સતત ચૂંટાયેલા વડાપ્રધાન બનવાનો રેકોર્ડ તોડવા માટે તૈયાર છે. ગત્ત જુલાઈમાં પીએમ મોદીએ ઈન્દિરા ગાંધીનો વડાપ્રધાન તરીકેનો રેકોર્ડ તોડ્યો હતો. હવે પીએમ મોદી અને પંડિત નેહરુની તુલના થઈ રહી છે. પંડિત નેહરુ એ સમય દરમિયાન પ્રધાનમંત્રી બન્યા હતા. જ્યારે વિપક્ષ ન હતો પરંતુ દેશની સ્થિતિને લઈ પડકાર ઓછા ન હતા. પીએમ મોદી આ દરમિયાન વડાપ્રધાન બન્યા જ્યારે વિપક્ષી દળોને પડકાર હતો. તો ચાલો જાણીએ ચૂંટણીના સ્તરે કોણ ક્યાં છે.
- Nirupa Duva
- Updated on: Jun 7, 2026
- 1:46 pm
10 જૂને બનશે નવો રેકોર્ડ… નેહરુ, ઇન્દિરા અને મનમોહનથી લઈને મોદી સુધી, કોણે કેટલા સમય સુધી દેશનું પ્રતિનિધિત્વ કર્યું?
નરેન્દ્ર મોદી પ્રથમ વડા પ્રધાન પંડિત જવાહરલાલ નેહરુ દ્વારા 4,399 દિવસના કાર્યકાળના રેકોર્ડને તોડી નાખશે. નરેન્દ્ર મોદી દેશના પંદરમા વડા પ્રધાન છે. જ્યારે કેટલાક વડા પ્રધાનોને લાંબા સમય સુધી દેશના સર્વોચ્ચ પદ પર સેવા આપવાની તક મળી હતી, તો કેટલાકનો કાર્યકાળ ખૂબ જ ટૂંકા હતો.
- Devankashi rana
- Updated on: Jun 7, 2026
- 1:41 pm
દેશના પ્રથમ વડાપ્રધાન નહેરુએ વિદેશની 3 સંસદને સંબોધી હતી, જ્યારે વર્તમાન PM મોદીએ 19 સંબોધી
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ 2014 થી 2026 દરમિયાન વિદેશની 19 સંસદોને સંબોધિત કરીને એક નવો રેકોર્ડ બનાવ્યો છે. વર્તમાન વડાપ્રધાન નરેન્દ્ર મોદી મનમોહન સિંહે 7, ઇન્દિરા ગાંધીએ 4 અને જવાહરલાલ નહેરુએ 3 વિદેશની સંસદને સંબોધી હતી. પીએમ મોદીએ, યુએસ, યુકે, ઇઝરાયલ, ઓસ્ટ્રેલિયા અને અન્ય ઘણા દેશોની સંસદોમાં ભારતનો દ્રષ્ટિકોણ રજૂ કર્યો હતો.
- TV9 Gujarati
- Updated on: Jun 7, 2026
- 12:28 pm
Breaking News : જિલ્લા પંચાયતોમાં ભાજપને ઝટકો ! બહુમતી છતાં આણંદ-મોરબીમાં કોંગ્રેસના પ્રમુખ ચૂંટાયા, જાણો કારણ
આણંદ જિલ્લા પંચાયતના ઈતિહાસમાં પહેલીવાર સત્તા બે ભાગમાં વહેંચાઈ છે. અહીં કુલ 40 બેઠકોમાંથી ભાજપે 33 બેઠકો પર જીત મેળવી સ્પષ્ટ બહુમતી મેળવી હતી, છતાં પ્રમુખ પદ કોંગ્રેસના ખાતામાં ગયું છે.
- Devankashi rana
- Updated on: May 25, 2026
- 1:03 pm
Breaking News : નેત્રંગમાં સત્તા ટકાવી રાખવા ભાજપે કોંગ્રેસ સાથે મિલાવ્યા હાથ; તાલુકા પંચાયતમાં AAP સૌથી મોટો પક્ષ બનવા છતાં સત્તા વિહોણી રહી
ભરૂચ: નેત્રંગ તાલુકા પંચાયતમાં આજે પ્રમુખ અને ઉપપ્રમુખની ચૂંટણીને પગલે ભારે હાઈવોલ્ટેજ રાજકીય ડ્રામા જોવા મળ્યો હતો. નેત્રંગ તાલુકા પંચાયતની સત્તા હાંસલ કરવા માટે ભારતીય જનતા પાર્ટી (BJP) અને આમ આદમી પાર્ટી (AAP) એ એડીચોટીનું જોર લગાવ્યું હતું જોકે સૌથી વધુ સભ્ય હોવા છતાં આમ આદમી પાર્ટી (AAP) સત્તાથી દૂર રહી હતી.
- Ankit Modi
- Updated on: May 25, 2026
- 1:30 pm
Breaking News : ચૂંટણી પહેલા હાઈવોલ્ટેજ ડ્રામા, જૂનાગઢ તાલુકા પંચાયતના AAPના સભ્યની ધરપકડ કરાઈ, જુઓ વીડિયો
આજે જૂનાગઢ તાલુકા પંચાયતમાં પ્રમુખ-ઉપપ્રમુખની ચૂંટણી છે. તાલુકા પંચાયતમાં પ્રમુખ-ઉપપ્રમુખની ચૂંટણી પહેલા હાઈવોલ્ટેજ ડ્રામા જોવા મળ્યો છે.તાલુકા પંચાયતના AAPના સભ્યની ધરપકડ કરવામાં આવી છે. જાણો આખો મામલો શું છે.
- TV9 Gujarati
- Updated on: May 25, 2026
- 11:42 am
Breaking News : ગુજરાતમાં રાજ્યસભાની ચાર બેઠકો માટે ચૂંટણીની જાહેરાત, કોંગ્રેસને મોટો ઝટકો, આ નેતાઓની ટર્મ પુરી
ગુજરાતની રાજ્યસભાની ચાર બેઠકો પર ચૂંટણી યોજાશે.શક્તિસિંહ ગોહિલ, રામ મોકરિયા, નરહરિ અમીન અને રમિલા બારાની ટર્મ પૂરી થઈ રહી છે . 18 જૂને ચૂંટણી યોજાશે.
- TV9 Gujarati
- Updated on: May 22, 2026
- 12:30 pm
રાહુલ ગાંધીએ, વડાપ્રધાન મોદી અને ગૃહપ્રધાન અમિત શાહને ગદ્દાર કહ્યાં- જુઓ Video
કોંગ્રેસના સાંસદ અને લોકસભામાં વિપક્ષના નેતા રાહુલ ગાંધીએ વડા પ્રધાન નરેન્દ્ર મોદી અને કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહને લઈને મોટુ વિવાદાસ્પદ નિવેદન કર્યું છે. રાયબરેલી ખાતે એક જાહેર સભાને સંબોધન કરતી વખતે રાહુલે કહ્યું કે, "તમારા વડા પ્રધાન અને ગૃહમંત્રી દેશદ્રોહી છે."
- TV9 Gujarati
- Updated on: May 20, 2026
- 5:10 pm
વડોદરા કોંગ્રેસના કાઉન્સિલર આશિષ જોશીની ધરપકડ મામલે પોલીસની કામગીરી સામે ઉઠ્યા સવાલ, કલેક્ટરને આવેદન આપી કાર્યવાહી કરવાની કરી માગ
વડોદરાના કોંગ્રેસના કાઉન્સિલર આશિષ જોશીની ધરપકડનો મામલો દિવસે દિવસે ઉગ્ર બની રહ્યો છે. આજે શહેર કોંગ્રેસ પ્રમુખ ઋત્વીજ પટેલ સહિત કોંગ્રેસના વોર્ડ નંબર 15ના કાઉન્સિલર તેમજ અન્ય કાર્યકર્તાઓએ કલેક્ટર કચેરીએ આવેદનપત્ર આપી આશિષ જોશીને નિર્દોષ જાહેર કરી જેલમુક્ત કરવાની માગ કરી છે.
- TV9 Gujarati
- Updated on: May 18, 2026
- 3:24 pm
ચૂંટણી પૂરી આક્ષેપબાજી યથાવત, સ્થાનિક સ્વરાજ ચૂંટણી બાદ અમિત ચાવડાનો ભાજપ પર મોટો પ્રહાર, જુઓ Video
સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી બાદ કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ અમિત ચાવડાએ પોલીસ અને અધિકારીઓ પર ભાજપના ઈશારે કામ કરવાનો આરોપ લગાવ્યો છે. તેમણે કોંગ્રેસના નેતાઓને ખોટા કેસમાં ફસાવવા અને ધમકાવવાનો દાવો કર્યો.
- TV9 Gujarati
- Updated on: May 16, 2026
- 6:18 pm