Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

કોંગ્રેસ

કોંગ્રેસ

ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસની સ્થાપના 28 ડિસેમ્બર 1885ના રોજ થઈ હતી. 72 પ્રતિનિધિઓએ મળીને સંસ્થા તૈયાર કરી હતી. તેના સ્થાપક જનરલ સેક્રેટરી એ ઓ હ્યુમ હતા. પ્રમુખ વ્યોમેશ ચંદ્ર બેનર્જી હતા. બાળ ગંગાધર તિલકે સંસ્થા દ્વારા સ્વરાજ મિશન શરૂ કર્યું હતું. બાળ ગંગાધર તિલક ઉપરાંત લાલા લજપત રાય, બિપિન ચંદ્ર પાલ, ગોપાલ કૃષ્ણ ગોખલે, ફિરોઝશાહ મહેતા, દાદાભાઈ નવરોજીએ મળીને સ્વરાજ ચળવળને આગળ ધપાવી હતી.

ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસનું રાષ્ટ્રીય ચળવળમાં મહત્વનું યોગદાન માનવામાં આવે છે. સંસ્થાના ઘણા દિગ્ગજોએ સ્વતંત્રતા ચળવળમાં સક્રિય ભાગ લીધો હતો અને જેલ વાસ ભોગવ્યો. 1915માં જ્યારે મહાત્મા ગાંધી જોડાયા ત્યારે સંસ્થાને રાષ્ટ્રીય પ્લેટફોર્મ મળ્યું. તેમના પછી સરદાર વલ્લભભાઈ પટેલ, જવાહર લાલ નેહરુ, રાજેન્દ્ર પ્રસાદ, સુભાષચંદ્ર બોઝ વગેરે જેવા વ્યક્તિ જોડાયા.

1947માં આઝાદી પછી કોંગ્રેસ એક રાજકીય પક્ષ બની ગયો. જવાહરલાલ નેહરુ પ્રથમ વડાપ્રધાન બન્યા. આ પછી કોંગ્રેસ પાર્ટી લગભગ પાંચ દાયકા સુધી કેન્દ્ર સરકારમાં સત્તા પર રહી. 1947 થી 2014 સુધી, 16 લોકસભા ચૂંટણીઓમાંથી, કોંગ્રેસે 6 વખત પૂર્ણ બહુમતી સાથે સરકાર બનાવી. કોંગ્રેસ પાર્ટી કુલ 49 વર્ષ સુધી કેન્દ્ર સરકારનો હિસ્સો રહી. કોંગ્રેસ પણ 4 વખત સત્તાધારી ગઠબંધનમાં સામેલ થઈ.

કોંગ્રેસ પાર્ટી તરફથી કુલ 7 વડાપ્રધાન બન્યા છે. આ નામો છે- જવાહરલાલ નેહરુ, ગુલઝારી નંદા, લાલ બહાદુર શાસ્ત્રી, ઈન્દિરા ગાંધી, રાજીવ ગાંધી, પીવી નરસિમ્હા રાવ અને મનમોહન સિંહ. કોંગ્રેસ પાર્ટીના કેટલાક મોટા નેતાઓના નામ છે- સીતારામ કેસરી, સોનિયા ગાંધી, રાહુલ ગાંધી, પ્રિયંકા ગાંધી, કમલનાથ, અશોક ગેહલોત, દિગ્વિજય સિંહ, પૃથ્વીરાજ ચવ્હાણ, અધીર રંજન ચૌધરી અને મલ્લિકાર્જુન ખડગે વગેરે.

દેશના આઠ પૂર્વ રાષ્ટ્રપતિઓ પણ કોંગ્રેસ પાર્ટી સાથે જોડાયેલા છે. આ નામો છે- ડૉ. રાજેન્દ્ર પ્રસાદ, ફખરુદ્દીન અલી અહેમદ, જ્ઞાની ઝૈલ સિંહ, આર. વેંકટરામન, શંકર દયાલ શર્મા, કે આર નારાયણન, પ્રતિભા દેવીસિંહ પાટીલ અને પ્રણવ મુખર્જી.

Read More

પીએમ મોદીના 3 વર્ષમાં વિદેશ પ્રવાસ પાછળ કેટલો ખર્ચ થયો ? ખડગેના પ્રશ્ન પર સરકારે જણાવ્યાં આંકડા

વિદેશ રાજ્યમંત્રી પાબિત્રા માર્ગેરિટાએ રાજ્યસભામાં જણાવ્યું હતું કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ, 2022 થી 2024 દરમિયાન કુલ 38 દેશોની મુલાકાત લીધી હતી. 2022માં પીએમની નેપાળ મુલાકાત દરમિયાન સૌથી ઓછો 80 લાખ 1 હજાર 483 રૂપિયા ખર્ચ કરવામાં આવ્યો હતો. 2023માં અમેરિકા મુલાકાત દરમિયાન સૌથી વધુ 22 કરોડ 89 લાખ 68 હજાર 509 રૂપિયા ખર્ચવામાં આવ્યા હતા.

ગુજરાતમાં ‘દાદા’ સરકારની વાતો કરનાર ગૃહપ્રધાન હર્ષ સંઘવી રાજીનામુ આપેઃ કોંગ્રેસ

અમિત ચાવડાએ જણાવ્યું હતું કે, ગુજરાતમાં ભાજપની ભૂપેન્દ્ર પટેલની નહીં, પરંતુ અસામાજીક તત્વોની સરકાર ચાલતી હોય તે રીતે અસામાજીક તત્વો લોકો પર હથિયારો સાથે ઘાતક હુમલા કરી રહ્યાં છે. ચારે તરફ અસામાજીક તત્વોનું રાજ હોય તેવુ લાગી રહ્યું છે. દિવસે દિવસે, ગુજરાત હવે કાયદો અને વ્યવસ્થાના મુદ્દે ઉત્તર પ્રદેશ અને બિહાર જેવુ થઈ રહ્યું છે.

“મારુ પદ ટકાવી રાખવા માટે ક્યારેય હાઈકમાન્ડ સામે જી હજુરી કરી નથી”- શક્તિસિંહ

tv9 ગુજરાતી દ્વારા આયોજીત કોન્કલેવ 2025માં કોંગ્રેસના પ્રદેશ પ્રમુખ શક્તિસિંહ ગોહિલે તમામ સવાલોનો નિખાલસતાથી અને બેબાક રીતે જવાબો આપ્યા. હાલ ગુજરાતમાં કોંગ્રેસની સ્થિતિ, કોંગ્રેસના ગદ્દારો, રાહુલ ગાંધીની અમદાવાદ મુલાકાત સહિતના તમામ મુદ્દાઓ પર બાપુએ ખૂલીને વાત કરતા જોવા મળ્યા.

ગુજરાતમા બે પ્રકારના લોકો છે, સભામાં બેસેલા કોંગ્રેસીઓનું રાહુલે જ આવુ નિવેદન આપી કર્યુ અપમાન?- જુઓ Video

લોકસભામાં વિપક્ષી નેતા રાહુલ ગાંધીએ અમદાવાદમાં કાર્યકર્તાઓ સાથે સંવાદ કર્યો કોંગ્રેસના કોંગ્રેસનાં કાર્યકરો સંવાદ કાર્યક્રમ યોજ્યો હતો. આ કાર્યક્રમમાં જિલ્લા અને શહેરનાં કોંગ્રેસનાં હોદ્દેદારોની અને સેલ ડિપાર્ટમેન્ટનાં પ્રમુખો હાજર રહ્યા હતા. સંવાદ કાર્યક્રમ દરમિયાન રાહુલ ગાંધીએ પોતાના જ નેતાઓ પર આકરા પ્રકારો કર્યા હતા

કોંગ્રેસમાં રહીને કોંગ્રેસને જ નુકસાન પહોંચાડનારાઓને રાહુલે કહી દીધુ કે 20,30 ગદ્દારોને કાઢવા પડે તો કાઢી નાખો

કોંગ્રેસના અગ્રણી અને લોકસભામાં વિપક્ષી નેતા રાહુલ ગાંધીએ અમદાવાદમાં કાર્યકર્તાઓ સાથે સંવાદ કર્યો, જેમાં તેમણે ગુજરાતમાં કોંગ્રેસની સ્થિતિ અંગે જાહેરમાં તેમના મંતવ્યો રજૂ કર્યા. આ દરમિયાન રાહુલ ગાંધી સિનિયર નેતાઓનો પણ ઉધડો લેતા જોવા મળ્યા હતા. તો બીજી તરફ કોંગ્રેસના ગદ્દારોને પણ રાહુલે રોકડુ પરખાવી દીધુ કે 10, 15, 20, 30 લોકોને કાઢવા પડે તો કાઢી નાખવા જોઈએ.

Breaking News : ગુજરાતની અપેક્ષાઓ પર હું અને કોંગ્રેસ ખરુ ન ઉતરી શક્યુ, અમદાવાદની સભામાં રાહુલ ગાંધીએ કર્યો સ્વીકાર

ગુજરાતના અમદાવાદમાં કોંગ્રેસના સાંસદ રાહુલ ગાંધીએ પોતાના જ પક્ષનો પર્દાફાશ કર્યો. તેમણે કહ્યું કે કોંગ્રેસમાં ઘણા લોકો એવા છે કે જે ભાજપ માટે કામ કરે છે.  ગુજરાતના લોકોની જે અપેક્ષાઓ મારા તરફથી હતી, અમારા પ્રભારી તરફથી, ગુજરાતના પક્ષ તરફથી હતી, તે અમે પૂરી કરી શક્યા નથી. આપણે લોકો સાથે સીધા જોડાવુ પડશે.

રાહુલ ગાંધીના જીવનનું સૌથી મોટું કન્ફેશન ! ક્હ્યું- હું અને પાર્ટી ગુજરાતને રસ્તો ના દેખાડી શક્યા, જુઓ-Video

ગુજરાત અટવાયું છે, ગુજરાત રસ્તો જોઈ શકતું નથી, ગુજરાત રસ્તો જોવા માંગે છે, આગળ વધવા માંગે છે, અને કોંગ્રેસ પાર્ટી, હું કોંગ્રેસ પાર્ટીનો સભ્ય છું અને હું આ મંચ પરથી કહી રહ્યો છું કે ગુજરાતની કોંગ્રેસ પાર્ટી ગુજરાતને રસ્તો બતાવવા નિષ્ફળ ગઈ છે.

Breaking News : ગુજરાતમાં રાહુલ ગાંધીએ ગુજરાતી કોંગ્રેસના નેતાઓને લઇને આપ્યુ મુંઝવણમાં મુકતુ નિવેદન, કહ્યુ-કોંગ્રેસમાં બબ્બર શેર છે, પણ બાંધી દીધેલા છે

કોંગ્રેસના સાંસદ અને લોકસભામાં વિરોધ પક્ષના નેતા રાહુલ ગાંધી ગુજરાત અંગે ખૂબ જ સક્રિય છે. આ પ્રવાસમાં તેઓ આગામી વિધાનસભા ચૂંટણીની તૈયારી માટે એક બેઠક પણ યોજશે.આ દરમિયાન અમદાવાદમાં તેમણે સભામાં સંબોધન કરતા નિવેદન આપ્યુ છે કે કોંગ્રેસમાં નેતાઓની કમી નથી, બબ્બર શેર છે, પણ બાંધી દીધેલા છે'

ટીમ ઈન્ડિયાની જીત બાદ સોશિયલ મીડિયા પર રાહુલ ગાંધીની ફની પોસ્ટ વાયરલ થઈ , જુઓ ફોટો

થોડા દિવસ પહેલા જ કોંગ્રેસના નેતા શમા મોહમ્મદે રોહિત શર્માની ફિટનેસ પર વિવાદાસ્પદ નિવેદન આપ્યું હતુ. જેને લઈ હવે ધમાલ મચી રહી છે. તેમણે રોહિત શર્માના વજન અને કેપ્ટનશીપ પર સવાલો ઉઠાવ્યા હતા.પરંતુ તમને જણાવી દઈએ કે, ભારતીય ક્રિકેટ ટીમે વર્લ્ડ ચેમ્પિયન ટ્રોફીની ફાઈનલમાં એન્ટ્રી મેળવી લીધી છે.

રોહિત શર્માને ‘જાડિયો’ કહેવા પર BCCI થયું ગુસ્સે, કોંગ્રેસ નેતા શમા મોહમ્મદને આપ્યો યોગ્ય જવાબ

કોંગ્રેસ પાર્ટીના નેતા ડૉ. શમા મોહમ્મદે તાજેતરમાં ભારતીય કેપ્ટન રોહિત શર્મા પર અપમાનજનક ટિપ્પણી કરી હતી. હવે આ મુદ્દે તેમની ભારે ટીકા થઈ રહી છે. આ મુદ્દે BCCI સેક્રેટરી દેવજીત સૈકિયાએ પણ મોટું નિવેદન આપ્યું છે.

કોંગ્રેસની સત્તા દરમિયાન આ રાજ્યોમા 88 વખત લગાવાયુ રાષ્ટ્રપતિ શાસન, એકલા ઈન્દિરા ગાંધીના શાસનમાં 51 વખત લાગુ કરાઈ આર્ટિકલ 356

મણિપુરમાં અત્યાર સુધીમાં 10 વખત રાષ્ટ્રપતિ શાસન લાગી ચુક્યુ છે. અત્યાર સુધીમાં દેશના 29 રાજ્યોમાં રાષ્ટ્રપતિ શાસન સૌથી વધુ વખત લગાવવાનો રેકોર્ડ કોંગ્રેસના ફાળે જાય છે. કોંગ્રેસના શાસનકાળમાં 88 વખત રાષ્ટ્રપતિ શાસન લગાવાયુ, જેમા એકલા ઈન્દિરા ગાંધીએ જ અહીં 51 વાર આર્ટીકલ 356નો ઉપયોગ કર્યો છે.

Junagadh : ચૂંટણીના પરિણામ બાદ થયેલી બબાલમાં પોલીસે કોંગ્રેસ- AAPના ઉમેદવાર સામે નોંધ્યો ગુનો, જુઓ Video

ગુજરાત સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીનું પરિણામ જાહેર થઈ ગયું છે. ત્યારે ગઈકાલે જૂનાગઢમાં વોર્ડ નંબર 8માં વિજય સરઘસ મુદ્દે બલાલ થઈ હતી. આ ઘટનામાં પોલીસે કડક કાર્યવાહી હાથ ધરી છે.

Amreli : સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં પ્રચાર વખતે ભાજપ-કોંગ્રેસના નેતાઓ બાખડ્યા, જુઓ Video

સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીના મતદાન માટે ગણતરીના દિવસો બાકી છે. 16 ફેબ્રુઆરીના રવિવારના રોજ સ્થાનિક સ્વરાજની ચૂંટણી યોજાવાની છે. ત્યારે ભાજપ અને કોંગ્રેસના ઉમેદવારો જોર શોરથી પ્રચારમાં લાગી ગયા છે. જો કે અમરેલીમાંચલાલા નગરપાલિકા વિસ્તારમાં પ્રચાર સમયે ભાજપ અને કોંગ્રેસના નેતાઓ બાખડી પડ્યા હોવાના સમાચાર સામે આવ્યા છે.

Breaking News : અહેમદ પટેલના પુત્ર ફૈઝલ પટેલે કોંગ્રેસનો સાથ છોડ્યો, સોશિયલ મીડિયા પર પોસ્ટ મુકી કરી જાહેરાત

ફૈઝલ પટેલે કહ્યું કે, તેઓ વધુ સમય કોંગ્રેસ સાથે રહીને પાર્ટીનો હિસ્સો ન રહી શકતા. તેઓએ તેમના નિર્ણય માટે ભાવુકતા પણ પ્રગટ કરી અને જણાવ્યું કે આ નિર્ણય તેમને જીવનના પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને લીધો છે.

સસંદમાં લાગ્યા Zero ના નારા ! રાહુલ ગાંધી પર કટાક્ષ કરતા એવું તો શું બોલ્યા અનુરાગ ઠાકુર, જુઓ-Video

વાસ્તવમાં તે પેમ્ફલેટ પર 1200000 રૂપિયા સુધીની આવકવેરા માફી લખવામાં આવી હતી પરંતુ શૂન્યની વાત કરીને કોંગ્રેસ પર પ્રહારો કર્યા હતા. આ સાથે તેમણે 2014ની લોકસભા ચૂંટણીથી લઈને તાજેતરની દિલ્હી વિધાનસભા ચૂંટણી સુધીનો ઉલ્લેખ કર્યો હતો.

g clip-path="url(#clip0_868_265)">