AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

કોંગ્રેસ

કોંગ્રેસ

ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસની સ્થાપના 28 ડિસેમ્બર 1885ના રોજ થઈ હતી. 72 પ્રતિનિધિઓએ મળીને સંસ્થા તૈયાર કરી હતી. તેના સ્થાપક જનરલ સેક્રેટરી એ ઓ હ્યુમ હતા. પ્રમુખ વ્યોમેશ ચંદ્ર બેનર્જી હતા. બાળ ગંગાધર તિલકે સંસ્થા દ્વારા સ્વરાજ મિશન શરૂ કર્યું હતું. બાળ ગંગાધર તિલક ઉપરાંત લાલા લજપત રાય, બિપિન ચંદ્ર પાલ, ગોપાલ કૃષ્ણ ગોખલે, ફિરોઝશાહ મહેતા, દાદાભાઈ નવરોજીએ મળીને સ્વરાજ ચળવળને આગળ ધપાવી હતી.

ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસનું રાષ્ટ્રીય ચળવળમાં મહત્વનું યોગદાન માનવામાં આવે છે. સંસ્થાના ઘણા દિગ્ગજોએ સ્વતંત્રતા ચળવળમાં સક્રિય ભાગ લીધો હતો અને જેલ વાસ ભોગવ્યો. 1915માં જ્યારે મહાત્મા ગાંધી જોડાયા ત્યારે સંસ્થાને રાષ્ટ્રીય પ્લેટફોર્મ મળ્યું. તેમના પછી સરદાર વલ્લભભાઈ પટેલ, જવાહર લાલ નેહરુ, રાજેન્દ્ર પ્રસાદ, સુભાષચંદ્ર બોઝ વગેરે જેવા વ્યક્તિ જોડાયા.

1947માં આઝાદી પછી કોંગ્રેસ એક રાજકીય પક્ષ બની ગયો. જવાહરલાલ નેહરુ પ્રથમ વડાપ્રધાન બન્યા. આ પછી કોંગ્રેસ પાર્ટી લગભગ પાંચ દાયકા સુધી કેન્દ્ર સરકારમાં સત્તા પર રહી. 1947 થી 2014 સુધી, 16 લોકસભા ચૂંટણીઓમાંથી, કોંગ્રેસે 6 વખત પૂર્ણ બહુમતી સાથે સરકાર બનાવી. કોંગ્રેસ પાર્ટી કુલ 49 વર્ષ સુધી કેન્દ્ર સરકારનો હિસ્સો રહી. કોંગ્રેસ પણ 4 વખત સત્તાધારી ગઠબંધનમાં સામેલ થઈ.

કોંગ્રેસ પાર્ટી તરફથી કુલ 7 વડાપ્રધાન બન્યા છે. આ નામો છે- જવાહરલાલ નેહરુ, ગુલઝારી નંદા, લાલ બહાદુર શાસ્ત્રી, ઈન્દિરા ગાંધી, રાજીવ ગાંધી, પીવી નરસિમ્હા રાવ અને મનમોહન સિંહ. કોંગ્રેસ પાર્ટીના કેટલાક મોટા નેતાઓના નામ છે- સીતારામ કેસરી, સોનિયા ગાંધી, રાહુલ ગાંધી, પ્રિયંકા ગાંધી, કમલનાથ, અશોક ગેહલોત, દિગ્વિજય સિંહ, પૃથ્વીરાજ ચવ્હાણ, અધીર રંજન ચૌધરી અને મલ્લિકાર્જુન ખડગે વગેરે.

દેશના આઠ પૂર્વ રાષ્ટ્રપતિઓ પણ કોંગ્રેસ પાર્ટી સાથે જોડાયેલા છે. આ નામો છે- ડૉ. રાજેન્દ્ર પ્રસાદ, ફખરુદ્દીન અલી અહેમદ, જ્ઞાની ઝૈલ સિંહ, આર. વેંકટરામન, શંકર દયાલ શર્મા, કે આર નારાયણન, પ્રતિભા દેવીસિંહ પાટીલ અને પ્રણવ મુખર્જી.

Read More

કોંગ્રેસનું જય સોમનાથ ! 6 નવેમ્બરથી શરુ કરશે કિસાન આક્રોશ યાત્રા, જુઓ વીડિયો

ઓક્ટોબરમાં પડેલા કમોસમી વરસાદથી ખેડૂતોને પારાવાર નુકસાન થયું છે. આ નુકસાનને લઈને કોંગ્રેસે ખેડૂતોના સંપૂર્ણ દેવા માફિની માંગ દોહરાવી છે. આ માંગને લઈને કોંગ્રેસ આવતીકાલ 6 નવેમ્બરથી કિસાન આક્રોશ યાત્રા શરૂ કરશે.

ખેડૂતોની સમસ્યાને લઈને કોંગ્રેસ ગામ ગજવશે, 1 થી 13 નવેમ્બર સુધી કરશે આંદોલન

કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ અમિત ચાવડાએ જણાવ્યું કે, આજે ગુજરાતના ખેડૂતોની હાલત ખૂબ દયનીય છે. કમોસમી વરસાદથી ખેડૂતોને ખૂબ મોટું નુકસાન થયું છે.

વારંવાર પૂછવા છતાં SIR અંગે સ્પષ્ટ જવાબ ન મળ્યા ! ચૂંટણી પંચ પર વિશ્વાસ કરવો કે નહીં ? વોટ ચોરાઈ જાય તેવી આશંકા – જુઓ Video

ગાંધીનગરમાં ચૂંટણી પંચ દ્વારા SIR અંતર્ગત બેઠક યોજાઈ હતી. બેઠકમાં ભાજપ, કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીના નેતાઓ ઉપસ્થિત રહ્યા હતા.

Navsari : વાંસદા તાલુકામાં રાજકારણ ગરમાયું ! ઉનાઈ ગામે ફટાકડાના વેચાણ મુદ્દે ભાજપ-કોંગ્રેસ આમને-સામને, જુઓ Video

નવસારીમાં દિવાળી સમયે જ વાંસદા તાલુકામાં રાજકરણ ગરમાયું છે. ઉનાઈ ગામે ફટાકડાના વેચાણ મુદ્દે ભાજપ-કોંગ્રેસ આમને-સામને આવ્યું છે. લાઈસન્સ વગર ફટાકડાની દુકાનો ચાલતી હોવાનો કોંગ્રેસના ધારાસભ્યે આક્ષેપ કર્યો છે.

બનાસકાંઠામાં ભાજપ-કોંગ્રેસનું નહીં જ્ઞાતિ-જાતીનું જોવા મળ્યું રાજકારણ ! સ્વરુપજી ઠાકોરના સ્વાગતમાં ગેનીબેન પણ રહ્યાં હાજર, જુઓ Video

ગુજરાતમાં ભૂપેન્દ્ર પટેલની સરકારમાં મંત્રી તરીકે શપથ લેનારા પ્રધાનોએ પોતાનો કાર્યભાર સંભાળ્યો છે. ત્યારે દરેક પ્રધાનનું તેમના વોર્ડમાં અને પરિવારમાં ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું છે. બનાસકાંઠાના વાવ-થરાદના સ્વરુપજી ઠાકોરને ખાદી ગ્રામઉદ્યોગનું ખાતું સોંપવામાં આવ્યુ છે.

‘બ્લૂ સ્ટાર’ મોટી ભૂલ હતી, ઇન્દિરા ગાંધીએ જીવ આપીને ચૂકવી પડી કિંમત: પી. ચિદમ્બરમનું સનસનાટી ભર્યું નિવેદન

કોંગ્રેસ નેતા પી. ચિદમ્બરમે ઓપરેશન બ્લૂ સ્ટારને એક મોટી ભૂલ ગણાવી, જેની કિંમત ઇન્દિરા ગાંધીને જીવ આપીને ચૂકવવી પડી. તેમણે કહ્યું કે તે તત્કાલીન વડાપ્રધાનનો એકલાનો નિર્ણય નહોતો, પરંતુ સંયુક્ત નિર્ણય હતો. ચિદમ્બરમે દાવો કર્યો હતો કે પંજાબમાં ખાલિસ્તાનની માંગ હવે સમાપ્ત થઈ ગઈ છે.

PM મોદીનો કોંગ્રેસ પર હુમલો, મુંબઈ આતંકી હુમલાને લઈને કહ્યું- કોણ હતું એ ? જેણે પાકિસ્તાન પર હુમલો કરતા અટકાવ્યાં ?

મુંબઈમાં 26/11ના હુમલા અંગે વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ બુધવારે કોંગ્રેસ પાર્ટી પર આકરા પ્રહારો કર્યા હતા. કોંગ્રેસના વરિષ્ઠ નેતા અને ભૂતપૂર્વ ગૃહ પ્રધાન પી. ચિદમ્બરમના તાજેતરના નિવેદનને ટાંકીને, વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ કોંગ્રેસ પાર્ટીને પ્રશ્ન કર્યો કે, જ્યારે આપણી બહાદૂર સેના બધી જ રીતે તૈયાર હતી ત્યારે પાકિસ્તાન પર હુમલો કરવાની મંજૂરી કેમ ના આપવામાં આવી.

Bihar Election: ‘મુખ્યમંત્રીના ચહેરા વિના ચૂંટણી નહીં લડીએ,’ તેજસ્વીએ કોંગ્રેસનો તણાવમાં કર્યો વધાર્યો

બિહારના રાજકારણમાં ફરી એકવાર મુખ્યમંત્રી પદના ઉમેદવાર અંગે ચર્ચા તેજ બની છે. આરજેડી નેતા તેજસ્વી યાદવે સ્પષ્ટપણે કહ્યું છે કે મહાગઠબંધન મુખ્યમંત્રીના ચહેરા વિના ચૂંટણી નહીં લડે.

Breaking News: બિહાર ચૂંટણીને લઈને શંકરાચાર્ય અવિમુક્તેશ્વારનંદની સૌથી મોટી જાહેરાત, બિહારની તમામ 243 બેઠકો પર ચૂંટણી લડવાનું કર્યુ એલાન

શંકરાચાર્ય અવિમુક્તેશ્વરાનંદે બિહાર વિધાનસભાની ચૂંટણીને લઈને સૌથી મોટી જાહેરાત કરી છે. જેનાથી રાજકીય પક્ષોમાં ગરમાવો આવી ગયો છે. આ જાહેરાતથી ખાસ કરીને મહાગઠબંધન અને NDA છાવણીમાં હલચલ મચી ગઈ છે. શંકરાચાર્ય અવિમુક્તેશ્વરાનંદે જાહેરાત કરી છે કે તેઓ બિહાર વિધાનસભાની તમામ 243 બેઠકો પર ગૌભક્ત ઉમેદવારોને ચૂંટણી લડવા માટે મેદાને ઉતારશે.

નેપાળ હિંસાનો ઉલ્લેખ કરી રાહુલ ગાંધીએ વોટ ચોરી મુદ્દે દેશની Gen Zને આગળ આવવા કહેતા થયો વિવાદ

કોંગ્રેસના નેતા રાહુલ ગાંધીએ ગુરુવારે X પર પોસ્ટ કરી હતી. આ પોસ્ટમાં તેમણે કહ્યું હતું કે, દેશના યુવાનો કોઈપણ પ્રકારનો ભ્રષ્ટાચાર અને વોટ ચોરી સહન કરશે નહીં.

“પાકિસ્તાન મને ઘર જેવું લાગે છે,” કોંગ્રેસના નેતા સામ પિત્રોડાના નિવેદનથી થયો વિવાદ

સામ પિત્રોડાનો એક વીડિયો વાયરલ થયો છે જેમાં કહ્યું છે કે ભારતને પાકિસ્તાન, બાંગ્લાદેશ અને નેપાળ સાથે વાત કરવાની જરૂર છે. તો જ સંબંધો સુધરશે. પિત્રોડાના મતે, પાકિસ્તાન તેમના માટે ઘર જેવું લાગે છે. ઓપરેશન સિંદૂર પછી ભારતે પાકિસ્તાન સાથે કોઈ વાતચીત કરી નથી.

આ શું બોલી ગયા રાહુલ ગાંધી? ફરી એકવાર જીભ લપસી, કહ્યુ-લોકશાહી બચાવવાનું કામ મારું નથી

ગંભીર નેતા વિપક્ષની જેમ દુનિયા સમક્ષ આવવાની જગ્યાએ પોતાના ઉટપટાંગ નિવેદનોના કારણે હંમેશા એક કોમેડિયનની રીતે નિવેદન આપનારા રાહુલ ગાંધીએ ફરી એક વાર જાણતા અજાણતા પોતાના મોથી પોતાના છુપા એજેન્ડાને દુનિયા સમક્ષ પોતે જ બતાવી દીધુ. તેમના એક નિવેદનના કારણે હવે તેમના નીતિ પર જ સવાલો ઊભા થઇ રહ્યા છે.

2023 માં વોટ ડિલીટ કરી નાખવાના નિષ્ફળ પ્રયાસો થયા… ચૂંટણી પંચે રાહુલ ગાંધીના આ આરોપોનો આપ્યો જવાબ

કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ ચૂંટણી પંચ સામે મત ડિલીટ કરી નાખવાના ગંભીર આરોપો લગાવ્યા છે. ચૂંટણી પંચે આ આરોપોને પાયાવિહોણા ગણાવ્યા છે અને પ્રેસ કોન્ફરન્સ દ્વારા જવાબ આપવાની તૈયારી કરી રહ્યું છે. પંચે સ્પષ્ટતા કરી છે કે સુનાવણી વિના કોઈપણ મતદારનું નામ ડિલીટ કરી શકાતું નથી.

રાહુલ ગાંધી ભાજપનો ગઢ ભેદીને કોંગ્રેસને સત્તા અપાવી શકશે ? ચૂંટણીના બે વર્ષ પહેલા રાહુલના ગુજરાતમાં વધ્યા આંટાફેરા

કોંગ્રેસના સાંસદ અને લોકસભા વિપક્ષના નેતા રાહુલ ગાંધી ગુરુવારે ગુજરાત આવવાના હતા. પરંતુ ખરાબ હવામાનને કારણે તેમનુ વિમાન દિલ્હીથી ટેકઓફ થઈ શક્યું નહોતુ. છેલ્લા છ મહિનામાં રાહુલ ગાધીએ ગુજરાતમાં છ મુલાકાત લીધી છે. જો ભાજપ ગુજરાતમાં હારી જાય છે, તો તેઓ પીએમ મોદી અને અમિત શાહ માટે હાર ગણાશે, બંને ભાજપના દિગ્ગજ નેતાઓ ગુજરાતના છે. આથી રાહુલ ગાંધી યેનકેન ભોગે ગુજરાતનો કિલ્લો અંકે કરવા માંગે છે.

હંમેશા ભારત વિરુદ્ધ ઝેર ઓકનારા શાહિદ આફ્રિદીએ કરી રાહુલ ગાંધીની પ્રશંસા તો ભડક્યા રિજીજુ

પાકિસ્તાનના પૂર્વ ક્રિકેટર શાહિદી આફ્રિદીએ કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીની પ્રશંસા કરી અને તેમના સહુને સાથે લઈને ચાલનારા પોઝિટિવ માઈન્ડ સેટવાળા વ્યક્તિ ગણાવ્યા. બીજી તરફ આફ્રિદીએ મોદી સરકારની ટીકા કરી. જેના પર ભાજપ નેતા કિરણ રિજીજુ ભડક્યા અને તેમણે કહ્યુ કે આફ્રિદી અને પાકિસ્તાની લોકો રાહુલ ગાંધીને પોતાનો નેતા બનાવી શકે છે.

g clip-path="url(#clip0_868_265)">