AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

કોંગ્રેસ

કોંગ્રેસ

ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસની સ્થાપના 28 ડિસેમ્બર 1885ના રોજ થઈ હતી. 72 પ્રતિનિધિઓએ મળીને સંસ્થા તૈયાર કરી હતી. તેના સ્થાપક જનરલ સેક્રેટરી એ ઓ હ્યુમ હતા. પ્રમુખ વ્યોમેશ ચંદ્ર બેનર્જી હતા. બાળ ગંગાધર તિલકે સંસ્થા દ્વારા સ્વરાજ મિશન શરૂ કર્યું હતું. બાળ ગંગાધર તિલક ઉપરાંત લાલા લજપત રાય, બિપિન ચંદ્ર પાલ, ગોપાલ કૃષ્ણ ગોખલે, ફિરોઝશાહ મહેતા, દાદાભાઈ નવરોજીએ મળીને સ્વરાજ ચળવળને આગળ ધપાવી હતી.

ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસનું રાષ્ટ્રીય ચળવળમાં મહત્વનું યોગદાન માનવામાં આવે છે. સંસ્થાના ઘણા દિગ્ગજોએ સ્વતંત્રતા ચળવળમાં સક્રિય ભાગ લીધો હતો અને જેલ વાસ ભોગવ્યો. 1915માં જ્યારે મહાત્મા ગાંધી જોડાયા ત્યારે સંસ્થાને રાષ્ટ્રીય પ્લેટફોર્મ મળ્યું. તેમના પછી સરદાર વલ્લભભાઈ પટેલ, જવાહર લાલ નેહરુ, રાજેન્દ્ર પ્રસાદ, સુભાષચંદ્ર બોઝ વગેરે જેવા વ્યક્તિ જોડાયા.

1947માં આઝાદી પછી કોંગ્રેસ એક રાજકીય પક્ષ બની ગયો. જવાહરલાલ નેહરુ પ્રથમ વડાપ્રધાન બન્યા. આ પછી કોંગ્રેસ પાર્ટી લગભગ પાંચ દાયકા સુધી કેન્દ્ર સરકારમાં સત્તા પર રહી. 1947 થી 2014 સુધી, 16 લોકસભા ચૂંટણીઓમાંથી, કોંગ્રેસે 6 વખત પૂર્ણ બહુમતી સાથે સરકાર બનાવી. કોંગ્રેસ પાર્ટી કુલ 49 વર્ષ સુધી કેન્દ્ર સરકારનો હિસ્સો રહી. કોંગ્રેસ પણ 4 વખત સત્તાધારી ગઠબંધનમાં સામેલ થઈ.

કોંગ્રેસ પાર્ટી તરફથી કુલ 7 વડાપ્રધાન બન્યા છે. આ નામો છે- જવાહરલાલ નેહરુ, ગુલઝારી નંદા, લાલ બહાદુર શાસ્ત્રી, ઈન્દિરા ગાંધી, રાજીવ ગાંધી, પીવી નરસિમ્હા રાવ અને મનમોહન સિંહ. કોંગ્રેસ પાર્ટીના કેટલાક મોટા નેતાઓના નામ છે- સીતારામ કેસરી, સોનિયા ગાંધી, રાહુલ ગાંધી, પ્રિયંકા ગાંધી, કમલનાથ, અશોક ગેહલોત, દિગ્વિજય સિંહ, પૃથ્વીરાજ ચવ્હાણ, અધીર રંજન ચૌધરી અને મલ્લિકાર્જુન ખડગે વગેરે.

દેશના આઠ પૂર્વ રાષ્ટ્રપતિઓ પણ કોંગ્રેસ પાર્ટી સાથે જોડાયેલા છે. આ નામો છે- ડૉ. રાજેન્દ્ર પ્રસાદ, ફખરુદ્દીન અલી અહેમદ, જ્ઞાની ઝૈલ સિંહ, આર. વેંકટરામન, શંકર દયાલ શર્મા, કે આર નારાયણન, પ્રતિભા દેવીસિંહ પાટીલ અને પ્રણવ મુખર્જી.

Read More

Breaking News : ભાજપને ગાંધીજી પ્રત્યે ભારે સૂગ, ગાંધી વિચારો ખતમ કરવા મનરેગાનું G RAM G કર્યું, કોંગ્રેસ વિધાનસભા ઘેરાવ કરશે : અમિત ચાવડા

કેન્દ્રની મોદી સરકાર દ્વારા મનરેગાનું નામ બદલીને G RAM G ( જી રામ જી) કરવા સામે કોંગ્રેસે વાંધો ઉઠાવ્યો છે. આ મુદ્દાને લઈને કોંગ્રેસ દેશભરમાં ભાજપ સરકાર સામે આંદોલન કરી રહી છે. ગુજરાત કોંગ્રેસે જી રામ જીને લઈને વિધાનસભા ઘેરાવનો કાર્યક્રમ જાહેર કર્યો છે.

ભારતના પહેલા વડાપ્રધાન પંડિત જવાહરલાલ નહેરુ હતા હિંદુ વિરોધી, જળાભિષેક માટે પાણી લેવાની પણ ના પાડી હતી

દેશના પ્રથમ વડાપ્રધાન પંડિત જવાહરલાલ નહેરુ હિન્દુ વિરોધી હોવાની છાપ હવે ઉપસી આવી છે. ધર્મના નામે, ભારતથી અલગ થયેલ પાકિસ્તાને, ભાગલા સમયે મૂળ ભારતીયો, પંજાબી, હિન્દુઓ પર કરેલ અત્યાચારોને ભૂલીને પણ પંડિત નહેરુ, પાકિસ્તાનને પ્રિય લાગે તેવી કામગીરી ભારતમાં કરતા આવ્યા હતા. દેશના પ્રથમ વડ઼ાપ્રધાન પંડિત નહેરુની હિન્દુ વિરોધી કામગીરીની ઘટના ભારત આઝાદ થયુ ત્યાર બાદની છે અને આ ઘટના ભાજપના એક નેતાએ હવે પુરાવાઓ સાથે જાહેર કરી છે.

ગાંધીનગર : વધતા ટાઈફોઈડના કેસને લઈ રાજકારણ ગરમાયું, શહેર કોંગ્રેસે મનપા કચેરી ખાતે કર્યો વિરોધ, જુઓ-Video

ગાંધીનગરના અસરગ્રસ્ત વિસ્તારમાંથી વધુ 20 કેસ નોંધાતા આરોગ્ય વિભાગની ચિંતા વધી છે. તેવામાં શહેર કોંગ્રેસ મેદાને ઉતરી છે અને મનપા કચેરીએ ઉગ્ર વિરોધ નોંધાવ્યો છે.

ભાજપને રામ રામ કરીને ડેડીયાપાડાના પૂર્વ ધારાસભ્ય મહેશ વસાવા કોંગ્રેસમાં જોડાશે

ગુજરાતના રાજકારણમાં વધુ એક ઘટના આકાર પામવા જઈ રહી છે. ભરુચના આદીવાસી ક્ષેત્રમાં મજબૂત પકડ ધરાવતા છોટુ વસાવાના પુત્ર મહેશ વસાવા પોતાનું રાજકીય અસ્તિત્વ ટકાવી રાખવા માટે ભાજપ છોડીને કોંગ્રેસમાં જોડાઈ રહ્યાં છે. દાહોદ ખાતે યોજાનાર કોંગ્રેસની જન આક્રોશ યાત્રાના સમાપન સમારોહમાં, મહેશ વસાવા કોંગ્રેસનો ખેસ ધારણ કરશે.

પાટણના કોંગ્રેસના ધારાસભ્ય કિરીટ પટેલની પ્રેશર ટેકનિક થઈ સફળ, પ્રદેશ નેતાઓ માની જતા હવે દંડકપદેથી નહીં આપે રાજીનામું

અમિત ચાવડાએ એસસી સેલમાં કરેલ નિમણૂક સામે ધારાસભ્ય કિરીટ પટેલે વાધો ઉઠાવ્યો હતો. એટલું જ નહીં, કિરીટ પટેલના માર્ગદર્શન હેઠળ પાટણ કોંગ્રેસ કાર્યાલયને તાળાબંધી કરવામાં આવી હતી. આ અંગે કિરીટ પટેલ સામે શિસ્તભંગના પગલાં લેવાને બદલે, અમિત ચાવડાએ કિરીટ પટેલની એસસી સેલમાં કરેલ નિમણૂક રદ કરવા અને કિરીટ પટેલ વિરુદ્ધ કાર્ય કરનારા નેતાઓ સામે કાર્યવાહી કરવાની બાહેધરી આપી હોવાનું કહેવાય છે.

CWCની બેઠકમાં દિગ્વિજય સિંહે કહ્યું-કોંગ્રેસ પક્ષમાં અનેક સ્લીપર સેલ છે, ખડગેએ તેમને ટોક્યા

કોંગ્રેસના વરિષ્ઠ રાષ્ટ્રીય નેતા દિગ્વિજય સિંહે સોશિયલ મીડિયા એક્સ પર, લાલકૃષ્ણ અડવાણી અને નરેન્દ્ર મોદીનો એક ફોટો શેર કરીને સંગઠન અંગે ભાજપ અને RSS પાસેથી શીખવાની વાત લખી છે.

સુરતને કોંગ્રેસ મુક્ત કરવાની ભાજપની ચાલનો એક ભાગ ! જાહેરાતની સાથે જ કોંગ્રેસના નવા વરાયેલા હોદ્દેદારોએ ધરી દીધા રાજીનામા

ગુજરાતીમાં એક કહેવત છે, એક સાંધો ત્યાં તેર તુટે. બસ આ કહેવત અત્યારે ગુજરાત સ્થિત કોંગ્રેસને લાગુ પડતી હોય તેવા સંજોગો સર્જાયા છે. સુરત કોંગ્રેસના નવા માળખાની જાહેરાત થતા જ, માળખાના મણકા એક પછી એક વિખરાવા લાગ્યા. એટલે કે જે હોદ્દેદારોની જાહેરાતો કરી હતી તેઓ ટપોટપ રાજીનામા આપવા લાગ્યા. એવુ કહેવાય છે કે, સમગ્ર દેશમાં સુરતને કોંગ્રેસ મુક્ત કરવા ભાજપે આદરેલી જહેમતને સાચી ઠેરવવા માટે યેનકેન પ્રકારે સોગઠાબાજી ગોઠવાઈ રહી છે.

Year Ender 2025 : આ વર્ષે ગુજરાતના રાજકરણમાં થયા મોટા ફેરફાર, અનેક રાજકીય ઘટનાઓ ઘટી

ગુજરાતમાં વર્ષ 2025માં રાજકીય ક્ષેત્રમાં પણ વિવિધ બદલાવ થયા છે. કેટલા રાજનેતાઓએ રાજકીય પાર્ટીમાંથી રાજીનામું આપ્યું છે. તો ગુજરાતને ભાજપના નવા પ્રદેશ પ્રમુખ બન્યા છે. તો ભૂપેન્દ્ર પટેલ સરકારના મંત્રી મંડળનું પણ પુનર્ગઠન કરવામાં આવ્યું છે.

Breaking News : ભૂતપૂર્વ કેન્દ્રીય ગૃહમંત્રી શિવરાજ પાટિલનું લાતુરમાં નિધન,91 વર્ષની વયે લીધા અંતિમ શ્વાસ

ભૂતપૂર્વ કેન્દ્રીય ગૃહમંત્રી શિવરાજ પાટિલનું 91 વર્ષની વયે નિધન થયું છે. તેમણે લાંબી બીમારી બાદ તેમના નિવાસસ્થાને અંતિમ શ્વાસ લીધા. તેમણે કેન્દ્ર સરકારમાં અનેક ઉચ્ચ હોદ્દાઓ સંભાળ્યા હતા અને લાતુર લોકસભા મતવિસ્તારમાંથી સાત વખત સાંસદ તરીકે ચૂંટાયા હતા. પાર્ટીએ તેમના નિધન પર શોક વ્યક્ત કર્યો છે.

Breaking News: નાગરિકતા પહેલાં મતદાર યાદીમાં નામ દાખલ કરવા બદલ સોનિયા ગાંધીને કોર્ટે ફટકારી નોટિસ

દિલ્હી કોર્ટે કોંગ્રેસ નેતા સોનિયા ગાંધીને મતદાર યાદીના કેસમાં નોટિસ ફટકારી છે જેમાં આરોપ મૂકવામાં આવ્યો છે કે તેઓ ભારતીય નાગરિકતા મેળવતા પહેલા મતદાર બન્યા હતા.

મુસ્લિમ લીગ સાથે ગઠબંધનમાં સરકાર બનાવી ત્યારે તમારી દેશભક્તિ ક્યાં હતી ? ભાજપને ખરગેનો સણસણતો સવાલ

રાજ્યસભામાં "વંદે માતરમ" પર ગરમાગરમ ચર્ચા શરૂ થઈ હતી. ગૃહમંત્રી અમિત શાહે, વંદેમાતરમને લઈને એવા પ્રહાર કર્યા કે કોંગ્રેસ પાર્ટીને ઘેરી લીધી. જવાબમાં કોંગ્રેસ અધ્યક્ષે કહ્યું કે જે લોકોએ ગઈકાલ સુધી વંદે માતરમ ગાયું ન હતું તેઓ હવે વંદેમાતરમને લઈને ચિંતિત છે.

Breaking News : એક ભૂલને કારણે નવજોત સિદ્ધુને કોંગ્રેસમાંથી કરાયા સસ્પેન્ડ, જાણો કારણ

પંજાબ કોંગ્રેસમાં મોટો રાજકીય ધડાકો થયો છે. નવજોત કૌર સિદ્ધુને કોંગ્રેસે પ્રાથમિક સભ્યપદ પરથી સસ્પેન્ડ કર્યા છે. મુખ્યમંત્રી પદ માટે ₹500 કરોડની લેણદેણના વિવાદાસ્પદ નિવેદન બાદ આ કાર્યવાહી થઈ છે.

અમદાવદમાં આકાર લઈ રહ્યા છે ત્રણ નવા સ્પોર્ટ્સ કોમ્પલેક્સ, અમિત શાહે કર્યુ ભૂમિપૂજન- 2036ની ઓલિમ્પિક માટે તૈયારીઓ તડામાર- જુઓ VIDEO

ત્રણ સ્થળોએ સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સનું ભૂમિપૂજન, ઇન્ફ્રાસ્ટ્રક્ચર અપગ્રેડથી શહેરને ગ્લોબલ સ્પોર્ટ્સ હબ બનાવવા દિશામાં; 2036 ઓલિમ્પિક માટે લાંબા ગાળાનો તૈયારીઓ રોડમૅપ,

“આપણે અહીં બૂમો પાડવા નથી આવ્યા” સંસદમાં હંગામા પર શશી થરૂરે પોતાની જ પાર્ટીના સાંસદોને ટપાર્યા

સંસદમાં હંગામો કરી રહેલા સાંસદોને કોંગ્રેસના સાંસદ શશી થરૂરે તેમની જ પાર્ટીના સાંસદોને ટકોર કરી. તેમણે વિપક્ષી સાંસદોને કહ્યું કે જનતાએ આપણને અહીં તેમનું પ્રતિનિધિત્વ કરવા માટે મોકલ્યા છે, હંગામો કરવા અને બૂમો પાડવા માટે નહીં.

પુતિનના સન્માનમાં આયોજિત ડિનરમાં સરકારે શશી થરૂરને આપ્યુ આમંત્રણ, ખરગે ,રાહુલની કરાઈ બાદબાકી

કોંગ્રેસ પક્ષના સૂત્રોના જણાવ્યા અનુસાર, કોંગ્રેસના સાંસદ શશી થરૂરને પુતિનના સન્માનમાં આયોજિત ડિનરનું આમંત્રણ મળ્યું હતુ. થરૂરે આ આમંત્રણ મળ્યાની પુષ્ટિ કરી હતી અને કહ્યું હતુ કે તેઓ ચોક્કસપણે આ કાર્યક્રમમાં સામેલ થશે.

g clip-path="url(#clip0_868_265)">