કોંગ્રેસ
ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસની સ્થાપના 28 ડિસેમ્બર 1885ના રોજ થઈ હતી. 72 પ્રતિનિધિઓએ મળીને સંસ્થા તૈયાર કરી હતી. તેના સ્થાપક જનરલ સેક્રેટરી એ ઓ હ્યુમ હતા. પ્રમુખ વ્યોમેશ ચંદ્ર બેનર્જી હતા. બાળ ગંગાધર તિલકે સંસ્થા દ્વારા સ્વરાજ મિશન શરૂ કર્યું હતું. બાળ ગંગાધર તિલક ઉપરાંત લાલા લજપત રાય, બિપિન ચંદ્ર પાલ, ગોપાલ કૃષ્ણ ગોખલે, ફિરોઝશાહ મહેતા, દાદાભાઈ નવરોજીએ મળીને સ્વરાજ ચળવળને આગળ ધપાવી હતી.
ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસનું રાષ્ટ્રીય ચળવળમાં મહત્વનું યોગદાન માનવામાં આવે છે. સંસ્થાના ઘણા દિગ્ગજોએ સ્વતંત્રતા ચળવળમાં સક્રિય ભાગ લીધો હતો અને જેલ વાસ ભોગવ્યો. 1915માં જ્યારે મહાત્મા ગાંધી જોડાયા ત્યારે સંસ્થાને રાષ્ટ્રીય પ્લેટફોર્મ મળ્યું. તેમના પછી સરદાર વલ્લભભાઈ પટેલ, જવાહર લાલ નેહરુ, રાજેન્દ્ર પ્રસાદ, સુભાષચંદ્ર બોઝ વગેરે જેવા વ્યક્તિ જોડાયા.
1947માં આઝાદી પછી કોંગ્રેસ એક રાજકીય પક્ષ બની ગયો. જવાહરલાલ નેહરુ પ્રથમ વડાપ્રધાન બન્યા. આ પછી કોંગ્રેસ પાર્ટી લગભગ પાંચ દાયકા સુધી કેન્દ્ર સરકારમાં સત્તા પર રહી. 1947 થી 2014 સુધી, 16 લોકસભા ચૂંટણીઓમાંથી, કોંગ્રેસે 6 વખત પૂર્ણ બહુમતી સાથે સરકાર બનાવી. કોંગ્રેસ પાર્ટી કુલ 49 વર્ષ સુધી કેન્દ્ર સરકારનો હિસ્સો રહી. કોંગ્રેસ પણ 4 વખત સત્તાધારી ગઠબંધનમાં સામેલ થઈ.
કોંગ્રેસ પાર્ટી તરફથી કુલ 7 વડાપ્રધાન બન્યા છે. આ નામો છે- જવાહરલાલ નેહરુ, ગુલઝારી નંદા, લાલ બહાદુર શાસ્ત્રી, ઈન્દિરા ગાંધી, રાજીવ ગાંધી, પીવી નરસિમ્હા રાવ અને મનમોહન સિંહ. કોંગ્રેસ પાર્ટીના કેટલાક મોટા નેતાઓના નામ છે- સીતારામ કેસરી, સોનિયા ગાંધી, રાહુલ ગાંધી, પ્રિયંકા ગાંધી, કમલનાથ, અશોક ગેહલોત, દિગ્વિજય સિંહ, પૃથ્વીરાજ ચવ્હાણ, અધીર રંજન ચૌધરી અને મલ્લિકાર્જુન ખડગે વગેરે.
દેશના આઠ પૂર્વ રાષ્ટ્રપતિઓ પણ કોંગ્રેસ પાર્ટી સાથે જોડાયેલા છે. આ નામો છે- ડૉ. રાજેન્દ્ર પ્રસાદ, ફખરુદ્દીન અલી અહેમદ, જ્ઞાની ઝૈલ સિંહ, આર. વેંકટરામન, શંકર દયાલ શર્મા, કે આર નારાયણન, પ્રતિભા દેવીસિંહ પાટીલ અને પ્રણવ મુખર્જી.
Breaking News: ગુજરાતમાં ચૂંટણીનો શંખનાદ! કોંગ્રેસે મહાનગરપાલિકાના ઉમેદવારોની પ્રથમ યાદી કરી જાહેર, 7 શહેરો માટે 243 નામો પર મારી મહોર
સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી જંગમાં કોંગ્રેસે બાજી મારી છે. 7 મહાનગરપાલિકાઓ માટે ઉમેદવારોના નામ જાહેર કરીને પક્ષે પ્રચારના શ્રીગણેશ કરી દીધા છે. અમદાવાદથી લઈને ભાવનગર સુધી કોના નસીબ ખુલ્યા અને કયા શહેરમાં કેટલા ઉમેદવારો મેદાને ઉતર્યા? જુઓ સંપૂર્ણ યાદી.
- TV9 Gujarati
- Updated on: Apr 5, 2026
- 9:11 pm
Breaking News: મલ્લિકાર્જુન ખરગેએ સમગ્ર ગુજરાતીઓનું કર્યુ અપમાન, PM મોદીનું નામ લઈને ગુજરાતીઓને ગણાવ્યા અશિક્ષિત અને મૂર્ખ- Video
કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખરગેએ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના બહાને ગુજરાતીઓનું અપમાન કર્યુ છે. ખરગેએ તમામ ગુજરાતીઓને અશિક્ષિત અને મૂર્ખ ગણાવતા કહ્યુ કે મોદીજી ગુજરાતની અશિક્ષિત જનતાને મૂર્ખ બનાવી શકે. પરંતુ કેરલની શિક્ષિત જનતાને નહીં.
- Mina Pandya
- Updated on: Apr 5, 2026
- 7:23 pm
“ભાજપે હવે ઢાંકણીમાં પાણી લેવું જોઈએ” ગેનીબેને પ્રજા વચ્ચે જઈને ખોલી દીધી વિકાસની અસલી પોલ – જુઓ Video
ચૂંટણી આવે ત્યારે જ કેમ જાગે છે ભાજપ? આ સવાલ આજે વાવની ધરતી પરથી ગેનીબેન ઠાકોરે પૂછ્યો છે. ધરણીધર ખાતે યોજાયેલી બેઠકમાં ગેનીબેને ભાજપની દુખતી નસ પર હાથ મૂકતા જણાવ્યું કે, 30 વર્ષથી સત્તામાં રહેલ પક્ષને આજે પણ ચૂંટણી લડવા માટે કોંગ્રેસના જ નેતાઓ કેમ ઉછીના લેવા પડે છે?
- TV9 Gujarati
- Updated on: Apr 5, 2026
- 5:00 pm
નારાયણસામીને ટિકિટ ન મળતાં સમર્થકોએ પુડુચેરીમાં વિરોધ પ્રદર્શન કર્યું, જુઓ પૂર્વ મુખ્યમંત્રીનો પરિવાર
વી. નારાયણસામી રાષ્ટ્રીય કોંગ્રેસના એક અગ્રણી રાજકારણી છે, જેમણે પુડુચેરીના 10મા મુખ્યમંત્રી તરીકે સેવા આપી હતી. અગાઉ, તેઓ કેન્દ્રીય મંત્રી હતા અને લોકસભા અને રાજ્યસભામાં પુડુચેરીનું પ્રતિનિધિત્વ કર્યું હતું.વેલુ નારાયણસામીનો પરિવાર જુઓ
- Nirupa Duva
- Updated on: Apr 3, 2026
- 7:10 am
Breaking News: સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી પહેલા રાજકારણ ગરમાયું, AAP અને કોંગ્રેસના 50 જેટલા કાર્યકરો ભાજપમાં જોડાયા
કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીના અનેક કાર્યકરો અને કેટલાક નેતાઓ ભાજપમાં જોડાયા છે. એક સાથે અંદાજે 50 જેટલા કાર્યકરોએ પક્ષ પલટો કરતાં સ્થાનિક રાજકારણમાં ચર્ચાનો વિષય બન્યો છે. આ ઘટના ચૂંટણી પહેલા પક્ષોની સ્થિતિ પર સીધી અસર કરી શકે છે.
- Devankashi rana
- Updated on: Apr 1, 2026
- 12:40 pm
2 વખત સાંસદ, 4 વખત ધારાસભ્ય, 30 વર્ષ પછી કોંગ્રેસનો હાથ છોડનાર પ્રદ્યુત બોરદોલોઈનો પરિવાર જુઓ
આસામના કોંગ્રેસના સાંસદ પ્રદ્યુત બોરદોલોઈએ અપમાનના આરોપો વચ્ચે રાજીનામું આપ્યું, જેના કારણે નિશિકાંત દુબે સહિત અનેક નેતાઓએ કોંગ્રેસની સ્થિતિ પર સવાલ ઉઠાવ્યા હતા.પ્રદ્યુત બોરદોલોઈનો પરિવાર જુઓ.
- Nirupa Duva
- Updated on: Apr 1, 2026
- 7:13 am
Breaking News: પોરબંદરમાં લિકર શોપને મંજૂરી મળતા ભડકો, બાપુના વિચારોને ખતમ કરવાનું આ મોટું ષડયંત્ર છે : કોંગ્રેસ
મહાત્મા ગાંધીની જન્મભૂમિ પોરબંદરમાં પ્રવાસનને વેગ આપવાના બહાને રાજ્ય સરકારે લિકર શોપને મંજૂરી આપતા રાજકારણ ગરમાયું છે. સ્થાનિક હોટલોમાં પરમિટધારકો માટે દારૂ ઉપલબ્ધ કરાવવાના નિર્ણય સામે કોંગ્રેસે લાલ આંખ કરી છે.
- TV9 Gujarati
- Updated on: Mar 31, 2026
- 6:02 pm
Breaking News : ધારાસભ્યએ વિધાનસભામાં IPL ટિકિટની માંગ કરી, કહ્યું સામાન્ય લોકોની જેમ લાઈનોમાં ઉભા રહી શકતા નથી
સાંસદ તેજસ્વી સૂર્યાએ કોંગ્રેસના ધારાસભ્ય વિજયાનંદ કશ્યપનાના નિવેદનની ટીકા કરી છે કે, ધારાસભ્યોને IPL મેચો માટે 5 VIP ટિકિટ આપવી જોઈએ. તેમણે કહ્યું કે જે ગૃહમાં લોકોના સળગતા મુદ્દાઓ પર ચર્ચા થવી જોઈએ ત્યાં IPL ટિકિટની માંગણી કરવી એ વિધાનસભાની ગરિમાને કલંકિત કરવા જેવું છે. લોકોએ સોશિયલ મીડિયા પર પણ પોતાનો ગુસ્સો વ્યક્ત કર્યો છે.
- Nirupa Duva
- Updated on: Mar 27, 2026
- 2:15 pm
Breaking News : સોનિયા ગાંધીની તબિયત લથડી, સર ગંગારામ હોસ્પિટલમાં દાખલ
કોંગ્રેસ સંસદીય દળના નેતા અને રાજ્યસભા સાંસદ સોનિયા ગાંધીની તબિયત મંગળવારે રાત્રે અચાનક બગડી ગઈ હતી. તેમને તાત્કાલિક દિલ્હીની સર ગંગા રામ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. 79 વર્ષીય સોનિયા ગાંધીને છાતીમાં તકલીફના કારણે સર ગંગા રામ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હોવાના અહેવાલ છે.
- Hasmukh Ramani
- Updated on: Mar 25, 2026
- 7:59 am
Navsari : 2022 ખેરગામ હિંસા કેસ… વાંસદાના ધારાસભ્ય અનંત પટેલ સહિત 23 આરોપી સામે 2000 પાનાની ચાર્જશીટ, જુઓ Video
નવસારીના ખેરગામ હિંસા કેસમાં ધારાસભ્ય અનંત પટેલ સહિત 23 આરોપીઓ સામે 2000 પાનાની ચાર્જશીટ રજૂ કરાઈ છે. ડિસેમ્બર 2022માં થયેલી હિંસા અને તોડફોડ બાદ પોલીસે કડક કાર્યવાહી કરી છે.
- Sagar Solanki
- Updated on: Mar 24, 2026
- 5:47 pm
Breaking News: આવતીકાલે રાહુલ ગાંધી આવશે ગુજરાત, વડોદરામાં આદિવાસી અધિકાર સંવાદ કાર્યક્રમમાં કરશે સંવાદ
રાજ્યમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓના ધમધમાટ વચ્ચે રાહુલ ગાંધી ગુજરાત આવી રહ્યા છે. હાલ રાજ્યમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓની તારીખોનુ એલાન નથી થયુ એ પહેલા રાહુલ ગાંધીની ગુજરાત મુલાકાત ઘણી સૂચક ગણાઈ રહી છે. રાહુલ ગાંધી 23 માર્ચે વડોદરા પહોંચશે અને આદિવાસી અધિકાર સંવાદ કાર્યક્રમમાં સામેલ થશે.
- Mina Pandya
- Updated on: Mar 22, 2026
- 9:32 pm
Breaking News : સ્થાનિક સ્વરાજની ચૂંટણી પહેલા ભાજપ બાદ હવે કોંગ્રેસમાં પણ કકળાટ, કોંગ્રેસના 47 પદાધિકારીઓ રાજીનામું આપ્યું
નવસારી શહેર અને જિલ્લા કોંગ્રેસના 47 પદાધિકારીઓએ પક્ષમાંથી સામૂહિક રાજીનામાં આપ્યા છે,ગુજરાત પ્રદેશ કોંગ્રેસના પ્રમુખ અમિત ચાવડાને તમામ રાજીનામાં ઇમેલ દ્વારા મોકલવામાં આવ્યા હતા.
- TV9 Gujarati
- Updated on: Mar 20, 2026
- 12:55 pm
સોમનાથ સ્વાભિમાન પર્વને લઈને કોંગ્રેસના ધારાસભ્ય વિમલ ચુડાસમાએ સરકાર સામે કર્યા આકરા પ્રહાર- જુઓ Video
આજે વિધાનસભામાં ગીર સોમનાથના ધારાસભ્ય વિમલ ચુડાસમાએ સોમનાથ સ્વાભિમાન પર્વને લઈને સરકારને આકરા સવાલ કર્યા. સાથોસાથ સરકાર સામે સોમનાથમાં મંદિરો, મસ્જિદો, દરગાહો અને સાધુ સંતોની સમાધિ તોડવાનો પણ આક્ષેપ કર્યો.
- TV9 Gujarati
- Updated on: Mar 15, 2026
- 3:12 pm
Breaking News: ચૂંટણી પહેલા ગૌમાતાને “રાજમાતા”નો દરજ્જો આપવા કોંગ્રેસે રજૂ કર્યું બિલ, હવે ભાજપ શું કરશે?
કોંગ્રેસનું કહેવું છે કે રાજ્યમાં ગૌરક્ષા અંગે ઘણી વાતો થાય છે, પરંતુ કાયદાકીય રીતે ગાયને વિશેષ દરજ્જો આપવા માટે સરકાર દ્વારા કોઈ સ્પષ્ટ પગલું લેવામાં આવ્યું નથી. તેથી ગૌમાતાને રાજમાતા તરીકે માન્યતા આપીને તેના સંરક્ષણ, કલ્યાણ અને સન્માન માટે કાયદાકીય વ્યવસ્થા કરવાની જરૂર છે.
- Devankashi rana
- Updated on: Mar 14, 2026
- 1:38 pm
‘આત્મસમર્પણ નહીં’, અમેરિકા ઈરાન યુદ્ધ વચ્ચે કોંગ્રેસ પાર્ટીના બે નેતા આવ્યા સામસામે
અમેરિકા ઈરાન યુદ્ધની આંચ ભારતના વિપક્ષ સુધી પહોંચી ગઈ છે. કોંગ્રેસના બે વરિષ્ઠ નેતા ઈરાન યુદ્ધ પર એક ટિપ્પણીને લઈને જાહેરમાં પત્રો દ્વારા એક બીજા પર આરોપ-પ્રત્યારોપ લગાવી રહ્યા છે. પહેલા મણિશંકર ઐયરે શશી થરૂરની વિદેશ નીતિવાળી ટિપ્પમી પર સવાલ ઉઠાવ્યા તો હવે જવાબ શશી થરૂર તરફથી પણ સામે આવ્યો છે.
- Mina Pandya
- Updated on: Mar 12, 2026
- 6:10 pm