કોંગ્રેસ
ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસની સ્થાપના 28 ડિસેમ્બર 1885ના રોજ થઈ હતી. 72 પ્રતિનિધિઓએ મળીને સંસ્થા તૈયાર કરી હતી. તેના સ્થાપક જનરલ સેક્રેટરી એ ઓ હ્યુમ હતા. પ્રમુખ વ્યોમેશ ચંદ્ર બેનર્જી હતા. બાળ ગંગાધર તિલકે સંસ્થા દ્વારા સ્વરાજ મિશન શરૂ કર્યું હતું. બાળ ગંગાધર તિલક ઉપરાંત લાલા લજપત રાય, બિપિન ચંદ્ર પાલ, ગોપાલ કૃષ્ણ ગોખલે, ફિરોઝશાહ મહેતા, દાદાભાઈ નવરોજીએ મળીને સ્વરાજ ચળવળને આગળ ધપાવી હતી.
ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસનું રાષ્ટ્રીય ચળવળમાં મહત્વનું યોગદાન માનવામાં આવે છે. સંસ્થાના ઘણા દિગ્ગજોએ સ્વતંત્રતા ચળવળમાં સક્રિય ભાગ લીધો હતો અને જેલ વાસ ભોગવ્યો. 1915માં જ્યારે મહાત્મા ગાંધી જોડાયા ત્યારે સંસ્થાને રાષ્ટ્રીય પ્લેટફોર્મ મળ્યું. તેમના પછી સરદાર વલ્લભભાઈ પટેલ, જવાહર લાલ નેહરુ, રાજેન્દ્ર પ્રસાદ, સુભાષચંદ્ર બોઝ વગેરે જેવા વ્યક્તિ જોડાયા.
1947માં આઝાદી પછી કોંગ્રેસ એક રાજકીય પક્ષ બની ગયો. જવાહરલાલ નેહરુ પ્રથમ વડાપ્રધાન બન્યા. આ પછી કોંગ્રેસ પાર્ટી લગભગ પાંચ દાયકા સુધી કેન્દ્ર સરકારમાં સત્તા પર રહી. 1947 થી 2014 સુધી, 16 લોકસભા ચૂંટણીઓમાંથી, કોંગ્રેસે 6 વખત પૂર્ણ બહુમતી સાથે સરકાર બનાવી. કોંગ્રેસ પાર્ટી કુલ 49 વર્ષ સુધી કેન્દ્ર સરકારનો હિસ્સો રહી. કોંગ્રેસ પણ 4 વખત સત્તાધારી ગઠબંધનમાં સામેલ થઈ.
કોંગ્રેસ પાર્ટી તરફથી કુલ 7 વડાપ્રધાન બન્યા છે. આ નામો છે- જવાહરલાલ નેહરુ, ગુલઝારી નંદા, લાલ બહાદુર શાસ્ત્રી, ઈન્દિરા ગાંધી, રાજીવ ગાંધી, પીવી નરસિમ્હા રાવ અને મનમોહન સિંહ. કોંગ્રેસ પાર્ટીના કેટલાક મોટા નેતાઓના નામ છે- સીતારામ કેસરી, સોનિયા ગાંધી, રાહુલ ગાંધી, પ્રિયંકા ગાંધી, કમલનાથ, અશોક ગેહલોત, દિગ્વિજય સિંહ, પૃથ્વીરાજ ચવ્હાણ, અધીર રંજન ચૌધરી અને મલ્લિકાર્જુન ખડગે વગેરે.
દેશના આઠ પૂર્વ રાષ્ટ્રપતિઓ પણ કોંગ્રેસ પાર્ટી સાથે જોડાયેલા છે. આ નામો છે- ડૉ. રાજેન્દ્ર પ્રસાદ, ફખરુદ્દીન અલી અહેમદ, જ્ઞાની ઝૈલ સિંહ, આર. વેંકટરામન, શંકર દયાલ શર્મા, કે આર નારાયણન, પ્રતિભા દેવીસિંહ પાટીલ અને પ્રણવ મુખર્જી.
ચૂંટણી પૂરી આક્ષેપબાજી યથાવત, સ્થાનિક સ્વરાજ ચૂંટણી બાદ અમિત ચાવડાનો ભાજપ પર મોટો પ્રહાર, જુઓ Video
સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી બાદ કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ અમિત ચાવડાએ પોલીસ અને અધિકારીઓ પર ભાજપના ઈશારે કામ કરવાનો આરોપ લગાવ્યો છે. તેમણે કોંગ્રેસના નેતાઓને ખોટા કેસમાં ફસાવવા અને ધમકાવવાનો દાવો કર્યો.
- TV9 Gujarati
- Updated on: May 16, 2026
- 6:18 pm
રાજકોટ: RMC દ્વારા ધાર્મિક દબાણો હટાવવા મુદ્દે ભારે હોબાળો, કોંગ્રેસે હાથમાં ગદા રાખી રામધૂન સાથે કર્યો વિરોધ
રાજકોટ મ્યુનિસિપલ કોર્પોરેશન (RMC) દ્વારા મવડી મેઈન રોડ પર મંદિરો તોડી પાડવાની કામગીરી સામે રાજકારણ ગરમાયું છે. સ્થાનિકોના આક્રોશ બાદ આજે કોંગ્રેસે ત્રિકોણબાગ ખાતે અનોખો વિરોધ પ્રદર્શન કર્યો હતો.
- TV9 Gujarati
- Updated on: May 16, 2026
- 5:40 pm
છોટાઉદેપુર: કોંગ્રેસ કાઉન્સિલર આશિષ જોષીના રિમાન્ડ મંજૂર, ધરપકડ મુદ્દે ભાજપ-કોંગ્રેસ વચ્ચે ખરાખરીનો રાજકીય જંગ
છોટાઉદેપુરના કોંગ્રેસ કાઉન્સિલર આશિષ જોષીની દારૂના કેસમાં ધરપકડ બાદ રાજકારણ ગરમાયું છે. કોર્ટે રિમાન્ડ મંજૂર કર્યા છે, જ્યારે મધુ શ્રીવાસ્તવે તેને ભાજપની કિન્નાખોરી ગણાવી આકરા પ્રહારો કર્યા છે.
- Anjali oza
- Updated on: May 14, 2026
- 6:45 pm
6 વખત ધારાસભ્ય રહી ચૂકેલા કેરલમના નવા મુખ્યમંત્રી વી.ડી. સતીશનનો પરિવાર જુઓ
કેરલમના રાજકારણમાં એક મોટા સમાચાર સામે આવ્યા છે. કોંગ્રેસ હાઇકમાન્ડે પાર્ટીના નેતા વી. ડી. સતીશનને કેરળના નવા મુખ્યમંત્રી તરીકે નિયુક્ત કરવાનો નિર્ણય લીધો છે. વડસેરી દામોદરન સતીશનનો જન્મ 31 મે 1964માં થયો છે.
- Nirupa Duva
- Updated on: May 14, 2026
- 2:45 pm
Breaking News : વડોદરા કોંગ્રેસના કાઉન્સિલર આશિષ જોષીની અમદાવાદથી ધરપકડ કરાઈ, જુઓ Video
વડોદરા કોંગ્રેસના કાઉન્સિલર આશિષ જોષીની અમદાવાદથી ધરપકડ કરવામાં આવી છે. ચૂંટણી સમયે વિદેશી દારૂ પકડાવવાના કેસમાં પોલીસે કાર્યવાહી કરી હતી. સંખેડામાં ચૂંટણી ટાણે દારૂ મુદ્દે કાઉન્સિલર પર ગુનો દાખલ થયો હતો
- TV9 Gujarati
- Updated on: May 14, 2026
- 1:07 pm
Breaking News : કમાણી 11 કરોડ અને ખર્ચો 60 કરોડ, 22 વર્ષમાં 54 વખત વિદેશ યાત્રા, ભાજપે કહ્યું આટલું ભંડોળ કોણે પૂરું પાડ્યું?
Rahul Gandhi foreign trip : રાહુલ ગાંધી 22 વર્ષમાં 54 વખત વિદેશ ગયા છે, રાહુલ ગાંધીના વિદેશ પ્રવાસ પર ભાજપે સવાલ ઉઠાવ્યા છે.ભાજપે કહ્યું આ યાત્રા માટે કોણે ભંડોળ પૂરું પાડ્યું?
- Nirupa Duva
- Updated on: May 14, 2026
- 10:58 am
NEET પેપર લીક મામલે અમદાવાદમાં NSUI દ્વારા ઉગ્ર દેખાવો: NTA પર પ્રતિબંધની માંગ સાથે પૂતળાદહન, પોલીસે કાર્યકરોની કરી અટકાયત
NEET-UG પરીક્ષાનું પેપર ફરી એકવાર લીક થતા વિદ્યાર્થીઓના ભવિષ્ય સાથે ચેડાં થવાના આક્ષેપ સાથે NSUI મેદાને આવ્યું છે. ગુજરાત યુનિવર્સિટી ગેટ પાસે ઉગ્ર વિરોધ પ્રદર્શન અને પૂતળાદહન બાદ પોલીસે અનેક કાર્યકરોની અટકાયત કરી છે. NSUI એ ન્યાય નહીં મળે તો સમગ્ર રાજ્યમાં ઉગ્ર આંદોલન કરવાની ચેતવણી આપી છે.
- Narendra Rathod
- Updated on: May 13, 2026
- 4:22 pm
ગઈકાલ 12મી મે એ, BJPના હિંમતાએ મુખ્ય પ્રધાન પદના શપથ લીધા, આજે 13મી મે એ કોંગ્રેસના પવન ખેરા સામે કાર્યવાહી શરૂ
આસામના મુખ્ય પ્રધાન હિમંતા બિસ્વા સરમાએ કોંગ્રેસના વરિષ્ઠ નેતા પવન ખેરા સામે કાનૂની કાર્યવાહી શરૂ કરી દીધી છે. પવન ખેરા આજે બુધવારને 13મી મેના રોજ, આસામ પોલીસની ક્રાઈમ બ્રાન્ચ સમક્ષ હાજર થયા છે. ખેરાએ હિંમતા સરમાની પત્ની રિંકી ભૂયાન સરમા દ્વારા દાખલ કરાયેલા કેસ સંદર્ભમાં તેમની પૂછપરછ કરવામાં આવી હતી.
- TV9 Gujarati
- Updated on: May 13, 2026
- 3:46 pm
Big Breaking News: સોનિયા ગાંધીની તબિયત ફરી લથડી, ગુરુગ્રામની મેદાંતા હોસ્પિટલમાં દાખલ, રાહુલ અને પ્રિયંકા પણ હાજર
Sonia Gandhi Admit in Hospital: સોનિયા ગાંધીની તબિયત ખરાબ છે. તેમને પેટ, ફેફસા અને શ્વાસની તકલીફ છે. તેમની સારવાર સર ગંગા રામ હોસ્પિટલ, શિમલામાં ઇન્દિરા ગાંધી મેડિકલ કોલેજ અને ગુરુગ્રામમાં મેદાંતા હોસ્પિટલમાં કરવામાં આવી રહી છે.
- Meera Kansagara
- Updated on: May 13, 2026
- 12:09 pm
PM મોદીએ કહ્યું ‘સોનું ન ખરીદો’, નેહરુ સરકારે કહ્યું હતું ‘સોનું દાનમાં આપો’, લોકોએ મંગળસૂત્ર સુદ્ધાના કર્યા હતા દાન- વાંચો સંકટકાળમાં Goldની ભૂમિકા
તાજેતરમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીની એક વર્ષ સુધી સોનુ ન ખરીદવાની અપીલની ચારેતરફ ચર્ચા થઈ રહી છે. રાજકીય વર્તુળોમાં પણ તેનુ જુદુ અર્થઘટન કરવામાં આવી રહ્યુ છે. PM મોદીની આ અપીલ પર રાહુલ ગાંધીએ વડાપ્રધાન મોદી પર નિશાન સાધ્યુ અને કહ્યુ કે દરેક વખતે તેઓ જનતા પર જવાબદારી ઢોળીને બચી જાય છે. જો કે આ પહેલીવાર નથી જ્યારે કોઈ નેતાએ લોકોને સોનુ ન ખરીદવાની અપીલ કરી હોય. દેશના પ્રથમ વડાપ્રધાન જવાહરલાલ નેહરુથી લઈને પી ચિદમ્બરમ સહિતના આવી અપીલ કરી ચુક્યા છે. હાલ તો મોદીએ ફક્ત સોનું ન ખરીદવાની અપીલ કરી છે. અગાઉની કોંગ્રેસની સરકારોએ તો દેશ માટે સોનુ દાન કરવાની દેશવાસીઓને અપીલ કરી હતી અને લોકોએ ખોબલે ખોબલે દેશ માટે સોનાનું દાન પણ આપ્યુ હતુ. વાંચો
- Mina Pandya
- Updated on: May 15, 2026
- 4:30 pm
સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં કારમી હાર બાદ ગુજરાત કોંગ્રેસમાં ભૂકંપ : અમિત ચાવડા અને તુષાર ચૌધરીને દિલ્હી હાઈકમાન્ડનું તેડું
વર્ષ 2026ની સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં 15માંથી એક પણ મહાનગરપાલિકા ન જીતી શકનાર ગુજરાત કોંગ્રેસના સુપડા સાફ થઈ ગયા છે. આ શરમજનક પરાજયની સમીક્ષા કરવા અને હારનો રિપોર્ટ રજૂ કરવા દિલ્હી બોલાવવામાં આવેલા પ્રદેશ નેતાઓના પત્તાં કપાય તેવી પૂરી શક્યતા જોવા મળી રહી છે.
- Narendra Rathod
- Updated on: May 12, 2026
- 4:51 pm
Breaking News: ‘કોંગ્રેસ’ નહીં ‘કલંક પાર્ટી’ ! મહિલા MLAની સ્પષ્ટ ‘ના’ છતાં નેતાએ કેમ કરી ‘બળજબરી’? જુઓ શરમજનક Video
કેરળના રાજકારણમાં અત્યારે ભારે ગરમાવો જોવા મળી રહ્યો છે. કોંગ્રેસના વરિષ્ઠ નેતા ચેરિયન ફિલિપ દ્વારા નવનિર્વાચિત મહિલા ધારાસભ્ય બિંદુ કૃષ્ણા સાથે કરવામાં આવેલા અયોગ્ય વ્યવહારનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થતા વિવાદ વકર્યો છે.
- Ravi Prajapati
- Updated on: May 9, 2026
- 3:21 pm
Breaking News : વાવ-થરાદમાં રાજકારણ ગરમાયું, કોંગ્રેસના 3 નેતા સામે ફરિયાદ નોંધાતા ગેનીબેન આવ્યા સમર્થનમાં, જુઓ Video
રેલી દરમિયાન કોંગ્રેસ કાર્યકરોએ રસ્તા રોકી જગદીશ વિશ્વકર્માના પૂતળા દહન કરવાનો પ્રયાસ કર્યો હતો. આ દરમિયાન પોલીસ અને કાર્યકરો વચ્ચે ઘર્ષણ સર્જાયું હતું. કોંગ્રેસ દ્વારા જગદીશ વિશ્વકર્મા જાહેરમાં માફી માંગે તેવી માંગ સાથે કલેક્ટરને આવેદનપત્ર પાઠવવાની જાહેરાત કરવામાં આવી હતી.
- Devankashi rana
- Updated on: May 7, 2026
- 3:52 pm
Breaking News : ભાજપના ધારાસભ્ય જીતુ સોમાણીએ કોંગ્રેસને મત આપવા કરી અપીલ? વીડિયો વાયરલ થતા મચ્યો હોબાળો
ધારાસભ્ય કોંગ્રેસને મત આપવાની વાત કરતા જોવા મળતા રાજકારણમાં ચર્ચાનો વિષય બન્યો છે. વીડિયોમાં તેઓ “તમારું કામ થઈ જશે, પણ કોંગ્રેસને મત આપજો” એવું કહેતા સંભળાઈ રહ્યા હોવાનું કહેવાઈ રહ્યું છે.
- Devankashi rana
- Updated on: May 7, 2026
- 1:53 pm
Breaking News : ચૂંટણી પૂર્ણ, વિવાદ યથાવત, કોંગ્રેસે ભાજપના ઉમેદવાર સામે ખોટી ડિગ્રીના આક્ષેપ કર્યા,જુઓ Video
અમદાવાદના નરોડા વોર્ડ ચૂંટણી મામલે કોંગ્રેસનો મોટો આરોપ લગાવ્યો છે. “ખોટી ડોક્ટરની ડિગ્રી બતાવી મતદારોને ભ્રમિત કરાયા”નો આક્ષેપ લગાવવામાં આવ્યો છે.નરોડા વોર્ડના ચૂંટાયેલા સભ્ય પર ગંભીર સવાલો થઈ રહ્યા છે.
- TV9 Gujarati
- Updated on: May 7, 2026
- 1:00 pm