કોંગ્રેસ
ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસની સ્થાપના 28 ડિસેમ્બર 1885ના રોજ થઈ હતી. 72 પ્રતિનિધિઓએ મળીને સંસ્થા તૈયાર કરી હતી. તેના સ્થાપક જનરલ સેક્રેટરી એ ઓ હ્યુમ હતા. પ્રમુખ વ્યોમેશ ચંદ્ર બેનર્જી હતા. બાળ ગંગાધર તિલકે સંસ્થા દ્વારા સ્વરાજ મિશન શરૂ કર્યું હતું. બાળ ગંગાધર તિલક ઉપરાંત લાલા લજપત રાય, બિપિન ચંદ્ર પાલ, ગોપાલ કૃષ્ણ ગોખલે, ફિરોઝશાહ મહેતા, દાદાભાઈ નવરોજીએ મળીને સ્વરાજ ચળવળને આગળ ધપાવી હતી.
ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસનું રાષ્ટ્રીય ચળવળમાં મહત્વનું યોગદાન માનવામાં આવે છે. સંસ્થાના ઘણા દિગ્ગજોએ સ્વતંત્રતા ચળવળમાં સક્રિય ભાગ લીધો હતો અને જેલ વાસ ભોગવ્યો. 1915માં જ્યારે મહાત્મા ગાંધી જોડાયા ત્યારે સંસ્થાને રાષ્ટ્રીય પ્લેટફોર્મ મળ્યું. તેમના પછી સરદાર વલ્લભભાઈ પટેલ, જવાહર લાલ નેહરુ, રાજેન્દ્ર પ્રસાદ, સુભાષચંદ્ર બોઝ વગેરે જેવા વ્યક્તિ જોડાયા.
1947માં આઝાદી પછી કોંગ્રેસ એક રાજકીય પક્ષ બની ગયો. જવાહરલાલ નેહરુ પ્રથમ વડાપ્રધાન બન્યા. આ પછી કોંગ્રેસ પાર્ટી લગભગ પાંચ દાયકા સુધી કેન્દ્ર સરકારમાં સત્તા પર રહી. 1947 થી 2014 સુધી, 16 લોકસભા ચૂંટણીઓમાંથી, કોંગ્રેસે 6 વખત પૂર્ણ બહુમતી સાથે સરકાર બનાવી. કોંગ્રેસ પાર્ટી કુલ 49 વર્ષ સુધી કેન્દ્ર સરકારનો હિસ્સો રહી. કોંગ્રેસ પણ 4 વખત સત્તાધારી ગઠબંધનમાં સામેલ થઈ.
કોંગ્રેસ પાર્ટી તરફથી કુલ 7 વડાપ્રધાન બન્યા છે. આ નામો છે- જવાહરલાલ નેહરુ, ગુલઝારી નંદા, લાલ બહાદુર શાસ્ત્રી, ઈન્દિરા ગાંધી, રાજીવ ગાંધી, પીવી નરસિમ્હા રાવ અને મનમોહન સિંહ. કોંગ્રેસ પાર્ટીના કેટલાક મોટા નેતાઓના નામ છે- સીતારામ કેસરી, સોનિયા ગાંધી, રાહુલ ગાંધી, પ્રિયંકા ગાંધી, કમલનાથ, અશોક ગેહલોત, દિગ્વિજય સિંહ, પૃથ્વીરાજ ચવ્હાણ, અધીર રંજન ચૌધરી અને મલ્લિકાર્જુન ખડગે વગેરે.
દેશના આઠ પૂર્વ રાષ્ટ્રપતિઓ પણ કોંગ્રેસ પાર્ટી સાથે જોડાયેલા છે. આ નામો છે- ડૉ. રાજેન્દ્ર પ્રસાદ, ફખરુદ્દીન અલી અહેમદ, જ્ઞાની ઝૈલ સિંહ, આર. વેંકટરામન, શંકર દયાલ શર્મા, કે આર નારાયણન, પ્રતિભા દેવીસિંહ પાટીલ અને પ્રણવ મુખર્જી.
Breaking News : જિલ્લા પંચાયતોમાં ભાજપને ઝટકો ! બહુમતી છતાં આણંદ-મોરબીમાં કોંગ્રેસના પ્રમુખ ચૂંટાયા, જાણો કારણ
આણંદ જિલ્લા પંચાયતના ઈતિહાસમાં પહેલીવાર સત્તા બે ભાગમાં વહેંચાઈ છે. અહીં કુલ 40 બેઠકોમાંથી ભાજપે 33 બેઠકો પર જીત મેળવી સ્પષ્ટ બહુમતી મેળવી હતી, છતાં પ્રમુખ પદ કોંગ્રેસના ખાતામાં ગયું છે.
- Devankashi rana
- Updated on: May 25, 2026
- 1:03 pm
Breaking News : નેત્રંગમાં સત્તા ટકાવી રાખવા ભાજપે કોંગ્રેસ સાથે મિલાવ્યા હાથ; તાલુકા પંચાયતમાં AAP સૌથી મોટો પક્ષ બનવા છતાં સત્તા વિહોણી રહી
ભરૂચ: નેત્રંગ તાલુકા પંચાયતમાં આજે પ્રમુખ અને ઉપપ્રમુખની ચૂંટણીને પગલે ભારે હાઈવોલ્ટેજ રાજકીય ડ્રામા જોવા મળ્યો હતો. નેત્રંગ તાલુકા પંચાયતની સત્તા હાંસલ કરવા માટે ભારતીય જનતા પાર્ટી (BJP) અને આમ આદમી પાર્ટી (AAP) એ એડીચોટીનું જોર લગાવ્યું હતું જોકે સૌથી વધુ સભ્ય હોવા છતાં આમ આદમી પાર્ટી (AAP) સત્તાથી દૂર રહી હતી.
- Ankit Modi
- Updated on: May 25, 2026
- 1:30 pm
Breaking News : ચૂંટણી પહેલા હાઈવોલ્ટેજ ડ્રામા, જૂનાગઢ તાલુકા પંચાયતના AAPના સભ્યની ધરપકડ કરાઈ, જુઓ વીડિયો
આજે જૂનાગઢ તાલુકા પંચાયતમાં પ્રમુખ-ઉપપ્રમુખની ચૂંટણી છે. તાલુકા પંચાયતમાં પ્રમુખ-ઉપપ્રમુખની ચૂંટણી પહેલા હાઈવોલ્ટેજ ડ્રામા જોવા મળ્યો છે.તાલુકા પંચાયતના AAPના સભ્યની ધરપકડ કરવામાં આવી છે. જાણો આખો મામલો શું છે.
- TV9 Gujarati
- Updated on: May 25, 2026
- 11:42 am
Breaking News : ગુજરાતમાં રાજ્યસભાની ચાર બેઠકો માટે ચૂંટણીની જાહેરાત, કોંગ્રેસને મોટો ઝટકો, આ નેતાઓની ટર્મ પુરી
ગુજરાતની રાજ્યસભાની ચાર બેઠકો પર ચૂંટણી યોજાશે.શક્તિસિંહ ગોહિલ, રામ મોકરિયા, નરહરિ અમીન અને રમિલા બારાની ટર્મ પૂરી થઈ રહી છે . 18 જૂને ચૂંટણી યોજાશે.
- TV9 Gujarati
- Updated on: May 22, 2026
- 12:30 pm
રાહુલ ગાંધીએ, વડાપ્રધાન મોદી અને ગૃહપ્રધાન અમિત શાહને ગદ્દાર કહ્યાં- જુઓ Video
કોંગ્રેસના સાંસદ અને લોકસભામાં વિપક્ષના નેતા રાહુલ ગાંધીએ વડા પ્રધાન નરેન્દ્ર મોદી અને કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહને લઈને મોટુ વિવાદાસ્પદ નિવેદન કર્યું છે. રાયબરેલી ખાતે એક જાહેર સભાને સંબોધન કરતી વખતે રાહુલે કહ્યું કે, "તમારા વડા પ્રધાન અને ગૃહમંત્રી દેશદ્રોહી છે."
- TV9 Gujarati
- Updated on: May 20, 2026
- 5:10 pm
વડોદરા કોંગ્રેસના કાઉન્સિલર આશિષ જોશીની ધરપકડ મામલે પોલીસની કામગીરી સામે ઉઠ્યા સવાલ, કલેક્ટરને આવેદન આપી કાર્યવાહી કરવાની કરી માગ
વડોદરાના કોંગ્રેસના કાઉન્સિલર આશિષ જોશીની ધરપકડનો મામલો દિવસે દિવસે ઉગ્ર બની રહ્યો છે. આજે શહેર કોંગ્રેસ પ્રમુખ ઋત્વીજ પટેલ સહિત કોંગ્રેસના વોર્ડ નંબર 15ના કાઉન્સિલર તેમજ અન્ય કાર્યકર્તાઓએ કલેક્ટર કચેરીએ આવેદનપત્ર આપી આશિષ જોશીને નિર્દોષ જાહેર કરી જેલમુક્ત કરવાની માગ કરી છે.
- TV9 Gujarati
- Updated on: May 18, 2026
- 3:24 pm
ચૂંટણી પૂરી આક્ષેપબાજી યથાવત, સ્થાનિક સ્વરાજ ચૂંટણી બાદ અમિત ચાવડાનો ભાજપ પર મોટો પ્રહાર, જુઓ Video
સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી બાદ કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ અમિત ચાવડાએ પોલીસ અને અધિકારીઓ પર ભાજપના ઈશારે કામ કરવાનો આરોપ લગાવ્યો છે. તેમણે કોંગ્રેસના નેતાઓને ખોટા કેસમાં ફસાવવા અને ધમકાવવાનો દાવો કર્યો.
- TV9 Gujarati
- Updated on: May 16, 2026
- 6:18 pm
રાજકોટ: RMC દ્વારા ધાર્મિક દબાણો હટાવવા મુદ્દે ભારે હોબાળો, કોંગ્રેસે હાથમાં ગદા રાખી રામધૂન સાથે કર્યો વિરોધ
રાજકોટ મ્યુનિસિપલ કોર્પોરેશન (RMC) દ્વારા મવડી મેઈન રોડ પર મંદિરો તોડી પાડવાની કામગીરી સામે રાજકારણ ગરમાયું છે. સ્થાનિકોના આક્રોશ બાદ આજે કોંગ્રેસે ત્રિકોણબાગ ખાતે અનોખો વિરોધ પ્રદર્શન કર્યો હતો.
- TV9 Gujarati
- Updated on: May 16, 2026
- 5:40 pm
છોટાઉદેપુર: કોંગ્રેસ કાઉન્સિલર આશિષ જોષીના રિમાન્ડ મંજૂર, ધરપકડ મુદ્દે ભાજપ-કોંગ્રેસ વચ્ચે ખરાખરીનો રાજકીય જંગ
છોટાઉદેપુરના કોંગ્રેસ કાઉન્સિલર આશિષ જોષીની દારૂના કેસમાં ધરપકડ બાદ રાજકારણ ગરમાયું છે. કોર્ટે રિમાન્ડ મંજૂર કર્યા છે, જ્યારે મધુ શ્રીવાસ્તવે તેને ભાજપની કિન્નાખોરી ગણાવી આકરા પ્રહારો કર્યા છે.
- Anjali oza
- Updated on: May 14, 2026
- 6:45 pm
કેરલમમાં આજથી UDF સરકાર VD સતીશન CM તરીકે શપથ લેશે, જુઓ પરિવાર
કેરલમના રાજકારણમાં એક મોટા સમાચાર સામે આવ્યા છે. કોંગ્રેસ હાઇકમાન્ડે પાર્ટીના નેતા વી. ડી. સતીશનને કેરળના નવા મુખ્યમંત્રી તરીકે નિયુક્ત કરવાનો નિર્ણય લીધો છે. વડસેરી દામોદરન સતીશનનો જન્મ 31 મે 1964માં થયો છે.
- Nirupa Duva
- Updated on: May 18, 2026
- 8:00 am
Breaking News : વડોદરા કોંગ્રેસના કાઉન્સિલર આશિષ જોષીની અમદાવાદથી ધરપકડ કરાઈ, જુઓ Video
વડોદરા કોંગ્રેસના કાઉન્સિલર આશિષ જોષીની અમદાવાદથી ધરપકડ કરવામાં આવી છે. ચૂંટણી સમયે વિદેશી દારૂ પકડાવવાના કેસમાં પોલીસે કાર્યવાહી કરી હતી. સંખેડામાં ચૂંટણી ટાણે દારૂ મુદ્દે કાઉન્સિલર પર ગુનો દાખલ થયો હતો
- TV9 Gujarati
- Updated on: May 14, 2026
- 1:07 pm
Breaking News : કમાણી 11 કરોડ અને ખર્ચો 60 કરોડ, 22 વર્ષમાં 54 વખત વિદેશ યાત્રા, ભાજપે કહ્યું આટલું ભંડોળ કોણે પૂરું પાડ્યું?
Rahul Gandhi foreign trip : રાહુલ ગાંધી 22 વર્ષમાં 54 વખત વિદેશ ગયા છે, રાહુલ ગાંધીના વિદેશ પ્રવાસ પર ભાજપે સવાલ ઉઠાવ્યા છે.ભાજપે કહ્યું આ યાત્રા માટે કોણે ભંડોળ પૂરું પાડ્યું?
- Nirupa Duva
- Updated on: May 14, 2026
- 10:58 am
NEET પેપર લીક મામલે અમદાવાદમાં NSUI દ્વારા ઉગ્ર દેખાવો: NTA પર પ્રતિબંધની માંગ સાથે પૂતળાદહન, પોલીસે કાર્યકરોની કરી અટકાયત
NEET-UG પરીક્ષાનું પેપર ફરી એકવાર લીક થતા વિદ્યાર્થીઓના ભવિષ્ય સાથે ચેડાં થવાના આક્ષેપ સાથે NSUI મેદાને આવ્યું છે. ગુજરાત યુનિવર્સિટી ગેટ પાસે ઉગ્ર વિરોધ પ્રદર્શન અને પૂતળાદહન બાદ પોલીસે અનેક કાર્યકરોની અટકાયત કરી છે. NSUI એ ન્યાય નહીં મળે તો સમગ્ર રાજ્યમાં ઉગ્ર આંદોલન કરવાની ચેતવણી આપી છે.
- Narendra Rathod
- Updated on: May 13, 2026
- 4:22 pm
ગઈકાલ 12મી મે એ, BJPના હિંમતાએ મુખ્ય પ્રધાન પદના શપથ લીધા, આજે 13મી મે એ કોંગ્રેસના પવન ખેરા સામે કાર્યવાહી શરૂ
આસામના મુખ્ય પ્રધાન હિમંતા બિસ્વા સરમાએ કોંગ્રેસના વરિષ્ઠ નેતા પવન ખેરા સામે કાનૂની કાર્યવાહી શરૂ કરી દીધી છે. પવન ખેરા આજે બુધવારને 13મી મેના રોજ, આસામ પોલીસની ક્રાઈમ બ્રાન્ચ સમક્ષ હાજર થયા છે. ખેરાએ હિંમતા સરમાની પત્ની રિંકી ભૂયાન સરમા દ્વારા દાખલ કરાયેલા કેસ સંદર્ભમાં તેમની પૂછપરછ કરવામાં આવી હતી.
- TV9 Gujarati
- Updated on: May 13, 2026
- 3:46 pm
Big Breaking News: સોનિયા ગાંધીની તબિયત ફરી લથડી, ગુરુગ્રામની મેદાંતા હોસ્પિટલમાં દાખલ, રાહુલ અને પ્રિયંકા પણ હાજર
Sonia Gandhi Admit in Hospital: સોનિયા ગાંધીની તબિયત ખરાબ છે. તેમને પેટ, ફેફસા અને શ્વાસની તકલીફ છે. તેમની સારવાર સર ગંગા રામ હોસ્પિટલ, શિમલામાં ઇન્દિરા ગાંધી મેડિકલ કોલેજ અને ગુરુગ્રામમાં મેદાંતા હોસ્પિટલમાં કરવામાં આવી રહી છે.
- Meera Kansagara
- Updated on: May 13, 2026
- 12:09 pm