કોંગ્રેસ
ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસની સ્થાપના 28 ડિસેમ્બર 1885ના રોજ થઈ હતી. 72 પ્રતિનિધિઓએ મળીને સંસ્થા તૈયાર કરી હતી. તેના સ્થાપક જનરલ સેક્રેટરી એ ઓ હ્યુમ હતા. પ્રમુખ વ્યોમેશ ચંદ્ર બેનર્જી હતા. બાળ ગંગાધર તિલકે સંસ્થા દ્વારા સ્વરાજ મિશન શરૂ કર્યું હતું. બાળ ગંગાધર તિલક ઉપરાંત લાલા લજપત રાય, બિપિન ચંદ્ર પાલ, ગોપાલ કૃષ્ણ ગોખલે, ફિરોઝશાહ મહેતા, દાદાભાઈ નવરોજીએ મળીને સ્વરાજ ચળવળને આગળ ધપાવી હતી.
ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસનું રાષ્ટ્રીય ચળવળમાં મહત્વનું યોગદાન માનવામાં આવે છે. સંસ્થાના ઘણા દિગ્ગજોએ સ્વતંત્રતા ચળવળમાં સક્રિય ભાગ લીધો હતો અને જેલ વાસ ભોગવ્યો. 1915માં જ્યારે મહાત્મા ગાંધી જોડાયા ત્યારે સંસ્થાને રાષ્ટ્રીય પ્લેટફોર્મ મળ્યું. તેમના પછી સરદાર વલ્લભભાઈ પટેલ, જવાહર લાલ નેહરુ, રાજેન્દ્ર પ્રસાદ, સુભાષચંદ્ર બોઝ વગેરે જેવા વ્યક્તિ જોડાયા.
1947માં આઝાદી પછી કોંગ્રેસ એક રાજકીય પક્ષ બની ગયો. જવાહરલાલ નેહરુ પ્રથમ વડાપ્રધાન બન્યા. આ પછી કોંગ્રેસ પાર્ટી લગભગ પાંચ દાયકા સુધી કેન્દ્ર સરકારમાં સત્તા પર રહી. 1947 થી 2014 સુધી, 16 લોકસભા ચૂંટણીઓમાંથી, કોંગ્રેસે 6 વખત પૂર્ણ બહુમતી સાથે સરકાર બનાવી. કોંગ્રેસ પાર્ટી કુલ 49 વર્ષ સુધી કેન્દ્ર સરકારનો હિસ્સો રહી. કોંગ્રેસ પણ 4 વખત સત્તાધારી ગઠબંધનમાં સામેલ થઈ.
કોંગ્રેસ પાર્ટી તરફથી કુલ 7 વડાપ્રધાન બન્યા છે. આ નામો છે- જવાહરલાલ નેહરુ, ગુલઝારી નંદા, લાલ બહાદુર શાસ્ત્રી, ઈન્દિરા ગાંધી, રાજીવ ગાંધી, પીવી નરસિમ્હા રાવ અને મનમોહન સિંહ. કોંગ્રેસ પાર્ટીના કેટલાક મોટા નેતાઓના નામ છે- સીતારામ કેસરી, સોનિયા ગાંધી, રાહુલ ગાંધી, પ્રિયંકા ગાંધી, કમલનાથ, અશોક ગેહલોત, દિગ્વિજય સિંહ, પૃથ્વીરાજ ચવ્હાણ, અધીર રંજન ચૌધરી અને મલ્લિકાર્જુન ખડગે વગેરે.
દેશના આઠ પૂર્વ રાષ્ટ્રપતિઓ પણ કોંગ્રેસ પાર્ટી સાથે જોડાયેલા છે. આ નામો છે- ડૉ. રાજેન્દ્ર પ્રસાદ, ફખરુદ્દીન અલી અહેમદ, જ્ઞાની ઝૈલ સિંહ, આર. વેંકટરામન, શંકર દયાલ શર્મા, કે આર નારાયણન, પ્રતિભા દેવીસિંહ પાટીલ અને પ્રણવ મુખર્જી.
Tata Group ના ટ્રસ્ટે ભાજપને આપ્યા 357 કરોડ, કોંગ્રેસને મળ્યા 77 કરોડ, જાણો અન્ય દળોને કેટલા મળ્યા?
ઈલેક્ટોરલ ટ્રસ્ટોનો તાજેતરનો રિપોર્ટ જણાવે છે કે ફેબ્રુઆરી 2024માં સુપ્રીમ કોર્ટ દ્વારા ઈલેક્ટોરલ બોન્ડ ખતમ કર્યા બાદ પણ ભાજપની ફન્ડીંગ પર કોઈ મોટી અસર નહીં થાય.
- Mina Pandya
- Updated on: Dec 3, 2025
- 3:14 pm
રાજ્યસભાના નવા અધ્યક્ષના સ્વાગતમાં ખડગેએ એવુ તો શું કહ્યું ? કે, ગૃહમા અકળાઈ જઈને ભાજપે કહ્યું-તકલીફ હોય તો ડોકટરને બતાવો
આજથી સંસદનુ શિયાળુ સત્રનો પ્રારંભ થયો છે. રાજ્યસભામાં દેશના નવા ઉપરાષ્ટ્રપતિ અને રાજયસભાના અધ્યક્ષના સ્વાગત સંબોધનમાં, વિપક્ષના નેતા અને કોંગ્રેસ પક્ષના રાષ્ટ્રીય અધ્યક્ષ મલ્લિકાર્જૂન ખરગેએ એવુ નિવેદન કર્યું કે, શિયાળાની ઠંડીમાં રાજ્યસભામાં રાજકીય ગરમી વધી ગઈ હતી.
- TV9 Gujarati
- Updated on: Dec 1, 2025
- 2:35 pm
પિતા 3 વખત ગુજરાતના મુખ્યમંત્રી રહી ચૂક્યા, વિવાદોમાં રહી ચૂક્યા છે ભરતસિંહ સોંલકી- આવો છે પરિવાર
આજે આપણે એક એવા નેતા વિશે વાત કરીશું કે, જેના પિતા 3 વખત ગુજરાતના મુખ્યમંત્રી રહી ચૂક્યા છે. તેમજ રાજકારણમાં પણ તેનું ખુબ મોટું નામ હતુ.માધવ સિંહ સોલંકીના દીકરા ભરતસિંહ સોલંકીના પરિવાર અને પર્સનલ લાઈફ વિશે વાત કરીએ.
- Nirupa Duva
- Updated on: Dec 1, 2025
- 7:14 am
નેશનલ હેરાલ્ડ કેસમાં દાખલ થઈ નવી FIR, રાહુલ ગાંધી-સોનિયા ગાંધી, સામ પિત્રોડા સહીતનાઓ પર કાવતરુ ઘડ્યાનો આરોપ
દિલ્હી પોલીસની આર્થિક ગુના નિવારણ શાખાએ, નેશનલ હેરાલ્ડ કેસમાં સોનિયા ગાંધી, રાહુલ ગાંધી અને અન્ય વ્યક્તિઓ તેમજ ત્રણ કંપનીઓ વિરુદ્ધ નવી FIR દાખલ કરી છે. આ FIR માં એવો આરોપ લગાવાયો છે કે એસોસિએટેડ જર્નલ્સ લિમિટેડ (AJL) ની ₹2,000 કરોડની સંપત્તિ માત્ર ₹50 લાખમાં જપ્ત કરવા માટે ગુનાહિત કાવતરું ઘડવામાં આવ્યું હતું.
- TV9 Gujarati
- Updated on: Nov 30, 2025
- 9:11 am
Breaking News : અહેમદ પટેલના સંતાનો વચ્ચે ખેલાયુ રાજકારણ, નવી રાજકીય પાર્ટી બનાવવા પુત્ર ફૈઝલનો ઈશારો, પુત્રી મુમતાઝના અલગ સૂર
ભરુચમાં અહેમદ પટેલના સંતાનો વચ્ચે રાજકારણ ગરમાયું છે. અહેમદ પટેલના પુત્ર ફૈઝલ પટેલની સોશિયલ મીડિયા પર કરેલી પોસ્ટ ચર્ચામાં આવી છે. જેમાં તેમને લખ્યું છે કે તેઓ કોંગ્રેસમાંથી અલગ પડીને CONGRESS AP પાર્ટી બનાવવાની વિચારણા કરી રહ્યાં છે.
- TV9 Gujarati
- Updated on: Nov 29, 2025
- 11:24 am
બાબુ જગજીવન રામના જીવનની એક કલંકિત ઘટના અને ગાંધી પરિવારની બ્લેક મેઈલિંગને કારણે એક મહાન દલિત નેતા વડાપ્રધાન બનતા-બનતા રહી ગયા- વાંચો
આપણે બાબુ જગજીવન રામ વિશે વાત કરી રહ્યા છીએ, જેમણે ભારતીય રાજકારણમાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી હતી. જગજીવન રામ જવાહરલાલ નેહરુ, લાલ બહાદુર શાસ્ત્રી અને ઇન્દિરા ગાંધીની સરકારન કેબિનેટના સૌથી પ્રખ્યાત મંત્રીઓમાંના એક હતા. હવે, સૌથી મોટો પ્રશ્ન એ છે કે એવી કઈ ઘટના હતી જેણે જગજીવન રામની છબીને કલંકિત કરી? તો, આ કેટલાક અશ્લીલ અને વાંધાજનક ફોટોગ્રાફ્સ હતા જેણે 1970ના દાયકાના રાજકીય વર્તુળોમાં હલચલ મચાવી દીધી હતી. એ ફોટોગ્રાફ્સ કોના હતા? તેમને કોણે વાયરલ કર્યા? અને શા માટે? તેમા ભૂતપૂર્વ વડાપ્રધાન ઇન્દિરા ગાંધીના પુત્રવધૂ મેનકા ગાંધીનો શું રોલ હતો? ચાલો જાણીએ જગજીવનરામના જીવનની એ સૌથી મોટી ઘટના વિશે જેમણે તેમની પોલિટીકલ કેરિયરનો સત્યાનાશ કરી દીધો.
- Mina Pandya
- Updated on: Nov 27, 2025
- 4:12 pm
બિહારમાં રાહુલ ગાંધી માથું ખંજવાળતા રહી ગયા, ‘હાઇડ્રોજન બોમ્બ’નો ફિયાસ્કો થયો, ‘વોટ ચોરી’ના દાવાને જનતાએ ફગાવ્યો
Bihar Congress: બિહાર વિધાનસભા ચૂંટણીની વાત કરીએ તો મહાગઠબંધનની અંદરનો આંતરિક ઝઘડો તેની અસર કરી રહ્યો હોય તેવું લાગે છે. કોંગ્રેસનું નબળું પ્રદર્શન ગઠબંધનના એકંદર પ્રદર્શનમાં એક મુખ્ય પરિબળ સાબિત થઈ શકે છે.
- Meera Kansagara
- Updated on: Nov 14, 2025
- 4:34 pm
બિહારના પરિણામ વચ્ચે ક્યાં ફરી રહ્યા છે કોંગ્રેસના ‘Prince’ રાહુલ ગાંધી? સોશિયલ મીડિયા પર ગંભીર ચર્ચા..
બિહાર વિધાનસભા ચૂંટણી પરિણામો વચ્ચે રાહુલ ગાંધીની ગેરહાજરી ચર્ચાનો વિષય બની છે. સોશિયલ મીડિયા અને વિરોધ પક્ષો દ્વારા કોંગ્રેસના પ્રિન્સ પર રજાઓ માણવાના આક્ષેપો થયા છે.
- Sagar Solanki
- Updated on: Nov 14, 2025
- 12:13 pm
Bihar Election: “આરુ જીતશે તો હું રડવા લાગીશ” વલણ આવતા વિપક્ષ પાર્ટીના મીમ્સ ટ્વિટર પર ટ્રેન્ડ થવા લાગ્યા
રાહુલ ગાંધીને એક નાની છોકરીના જગ્યાએ રડાવવામાં આવી રહ્યું છે અને તેની મજાક ઉડાવવામાં આવી રહી છે. જુઓ વિડિઓ
- Sachin Agrawal
- Updated on: Nov 14, 2025
- 2:54 pm
કોંગ્રેસનું જય સોમનાથ ! 6 નવેમ્બરથી શરુ કરશે કિસાન આક્રોશ યાત્રા, જુઓ વીડિયો
ઓક્ટોબરમાં પડેલા કમોસમી વરસાદથી ખેડૂતોને પારાવાર નુકસાન થયું છે. આ નુકસાનને લઈને કોંગ્રેસે ખેડૂતોના સંપૂર્ણ દેવા માફિની માંગ દોહરાવી છે. આ માંગને લઈને કોંગ્રેસ આવતીકાલ 6 નવેમ્બરથી કિસાન આક્રોશ યાત્રા શરૂ કરશે.
- TV9 Gujarati
- Updated on: Nov 5, 2025
- 6:09 pm
ખેડૂતોની સમસ્યાને લઈને કોંગ્રેસ ગામ ગજવશે, 1 થી 13 નવેમ્બર સુધી કરશે આંદોલન
કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ અમિત ચાવડાએ જણાવ્યું કે, આજે ગુજરાતના ખેડૂતોની હાલત ખૂબ દયનીય છે. કમોસમી વરસાદથી ખેડૂતોને ખૂબ મોટું નુકસાન થયું છે.
- TV9 Gujarati
- Updated on: Oct 31, 2025
- 6:40 pm
વારંવાર પૂછવા છતાં SIR અંગે સ્પષ્ટ જવાબ ન મળ્યા ! ચૂંટણી પંચ પર વિશ્વાસ કરવો કે નહીં ? વોટ ચોરાઈ જાય તેવી આશંકા – જુઓ Video
ગાંધીનગરમાં ચૂંટણી પંચ દ્વારા SIR અંતર્ગત બેઠક યોજાઈ હતી. બેઠકમાં ભાજપ, કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીના નેતાઓ ઉપસ્થિત રહ્યા હતા.
- Ravi Prajapati
- Updated on: Oct 29, 2025
- 7:07 pm
Navsari : વાંસદા તાલુકામાં રાજકારણ ગરમાયું ! ઉનાઈ ગામે ફટાકડાના વેચાણ મુદ્દે ભાજપ-કોંગ્રેસ આમને-સામને, જુઓ Video
નવસારીમાં દિવાળી સમયે જ વાંસદા તાલુકામાં રાજકરણ ગરમાયું છે. ઉનાઈ ગામે ફટાકડાના વેચાણ મુદ્દે ભાજપ-કોંગ્રેસ આમને-સામને આવ્યું છે. લાઈસન્સ વગર ફટાકડાની દુકાનો ચાલતી હોવાનો કોંગ્રેસના ધારાસભ્યે આક્ષેપ કર્યો છે.
- TV9 Gujarati
- Updated on: Oct 20, 2025
- 1:29 pm
બનાસકાંઠામાં ભાજપ-કોંગ્રેસનું નહીં જ્ઞાતિ-જાતીનું જોવા મળ્યું રાજકારણ ! સ્વરુપજી ઠાકોરના સ્વાગતમાં ગેનીબેન પણ રહ્યાં હાજર, જુઓ Video
ગુજરાતમાં ભૂપેન્દ્ર પટેલની સરકારમાં મંત્રી તરીકે શપથ લેનારા પ્રધાનોએ પોતાનો કાર્યભાર સંભાળ્યો છે. ત્યારે દરેક પ્રધાનનું તેમના વોર્ડમાં અને પરિવારમાં ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું છે. બનાસકાંઠાના વાવ-થરાદના સ્વરુપજી ઠાકોરને ખાદી ગ્રામઉદ્યોગનું ખાતું સોંપવામાં આવ્યુ છે.
- TV9 Gujarati
- Updated on: Oct 19, 2025
- 12:18 pm
‘બ્લૂ સ્ટાર’ મોટી ભૂલ હતી, ઇન્દિરા ગાંધીએ જીવ આપીને ચૂકવી પડી કિંમત: પી. ચિદમ્બરમનું સનસનાટી ભર્યું નિવેદન
કોંગ્રેસ નેતા પી. ચિદમ્બરમે ઓપરેશન બ્લૂ સ્ટારને એક મોટી ભૂલ ગણાવી, જેની કિંમત ઇન્દિરા ગાંધીને જીવ આપીને ચૂકવવી પડી. તેમણે કહ્યું કે તે તત્કાલીન વડાપ્રધાનનો એકલાનો નિર્ણય નહોતો, પરંતુ સંયુક્ત નિર્ણય હતો. ચિદમ્બરમે દાવો કર્યો હતો કે પંજાબમાં ખાલિસ્તાનની માંગ હવે સમાપ્ત થઈ ગઈ છે.
- Manish Gangani
- Updated on: Oct 12, 2025
- 3:47 pm