કોંગ્રેસ
ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસની સ્થાપના 28 ડિસેમ્બર 1885ના રોજ થઈ હતી. 72 પ્રતિનિધિઓએ મળીને સંસ્થા તૈયાર કરી હતી. તેના સ્થાપક જનરલ સેક્રેટરી એ ઓ હ્યુમ હતા. પ્રમુખ વ્યોમેશ ચંદ્ર બેનર્જી હતા. બાળ ગંગાધર તિલકે સંસ્થા દ્વારા સ્વરાજ મિશન શરૂ કર્યું હતું. બાળ ગંગાધર તિલક ઉપરાંત લાલા લજપત રાય, બિપિન ચંદ્ર પાલ, ગોપાલ કૃષ્ણ ગોખલે, ફિરોઝશાહ મહેતા, દાદાભાઈ નવરોજીએ મળીને સ્વરાજ ચળવળને આગળ ધપાવી હતી.
ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસનું રાષ્ટ્રીય ચળવળમાં મહત્વનું યોગદાન માનવામાં આવે છે. સંસ્થાના ઘણા દિગ્ગજોએ સ્વતંત્રતા ચળવળમાં સક્રિય ભાગ લીધો હતો અને જેલ વાસ ભોગવ્યો. 1915માં જ્યારે મહાત્મા ગાંધી જોડાયા ત્યારે સંસ્થાને રાષ્ટ્રીય પ્લેટફોર્મ મળ્યું. તેમના પછી સરદાર વલ્લભભાઈ પટેલ, જવાહર લાલ નેહરુ, રાજેન્દ્ર પ્રસાદ, સુભાષચંદ્ર બોઝ વગેરે જેવા વ્યક્તિ જોડાયા.
1947માં આઝાદી પછી કોંગ્રેસ એક રાજકીય પક્ષ બની ગયો. જવાહરલાલ નેહરુ પ્રથમ વડાપ્રધાન બન્યા. આ પછી કોંગ્રેસ પાર્ટી લગભગ પાંચ દાયકા સુધી કેન્દ્ર સરકારમાં સત્તા પર રહી. 1947 થી 2014 સુધી, 16 લોકસભા ચૂંટણીઓમાંથી, કોંગ્રેસે 6 વખત પૂર્ણ બહુમતી સાથે સરકાર બનાવી. કોંગ્રેસ પાર્ટી કુલ 49 વર્ષ સુધી કેન્દ્ર સરકારનો હિસ્સો રહી. કોંગ્રેસ પણ 4 વખત સત્તાધારી ગઠબંધનમાં સામેલ થઈ.
કોંગ્રેસ પાર્ટી તરફથી કુલ 7 વડાપ્રધાન બન્યા છે. આ નામો છે- જવાહરલાલ નેહરુ, ગુલઝારી નંદા, લાલ બહાદુર શાસ્ત્રી, ઈન્દિરા ગાંધી, રાજીવ ગાંધી, પીવી નરસિમ્હા રાવ અને મનમોહન સિંહ. કોંગ્રેસ પાર્ટીના કેટલાક મોટા નેતાઓના નામ છે- સીતારામ કેસરી, સોનિયા ગાંધી, રાહુલ ગાંધી, પ્રિયંકા ગાંધી, કમલનાથ, અશોક ગેહલોત, દિગ્વિજય સિંહ, પૃથ્વીરાજ ચવ્હાણ, અધીર રંજન ચૌધરી અને મલ્લિકાર્જુન ખડગે વગેરે.
દેશના આઠ પૂર્વ રાષ્ટ્રપતિઓ પણ કોંગ્રેસ પાર્ટી સાથે જોડાયેલા છે. આ નામો છે- ડૉ. રાજેન્દ્ર પ્રસાદ, ફખરુદ્દીન અલી અહેમદ, જ્ઞાની ઝૈલ સિંહ, આર. વેંકટરામન, શંકર દયાલ શર્મા, કે આર નારાયણન, પ્રતિભા દેવીસિંહ પાટીલ અને પ્રણવ મુખર્જી.
Breaking News: અમદાવાદમાં મતદાન દરમિયાન હિંસા !, દાણીલીમડામાં ભાજપના ઉમેદવાર પર હુમલો, બે કલાકથી બેભાન અવસ્થામાં
દાણીલીમડાની શાળામાં મતદાન દરમિયાન ઘર્ષણ થતા ભાજપના ઉમેદવાર વિનોદચંદ્ર પરમારને ગંભીર ઈજા પહોંચી છે. છેલ્લા બે કલાકથી તેઓ બેભાન અવસ્થામાં છે.
- Ronak Varma
- Updated on: Apr 26, 2026
- 7:27 pm
Ahmedabad Local Body Election : બુથ છે કે અખાડો ! અમદાવાદના સરખેજમાં લિસ્ટ ફાડ્યા… બુથ પર તોડફોડ, જુઓ Video
અમદાવાદના સરખેજ વોર્ડમાં મતદાન દરમિયાન ડાયમંડ રાહેલ સ્કૂલ ખાતે ભાજપ અને કોંગ્રેસના કાર્યકરો વચ્ચે હોબાળો થયો. કોંગ્રેસે ભાજપના કાર્યકરો પર તોડફોડ, મતદાર યાદી ફાડવા, અને મતદારોને ધમકાવવાના આક્ષેપો કર્યા.
- TV9 Gujarati
- Updated on: Apr 26, 2026
- 6:17 pm
Breaking News : નવસારીમાં ચાલુ મતદાન વચ્ચે લાફાવાળી, ભાજપ કાર્યકર્તાએ કોંગી ઉમેદવારને ઝીંક્યો તમાચો, જુઓ Video
નવસારીમાં મતદાન દરમિયાન કોંગ્રેસ અને ભાજપ વચ્ચે થપ્પડ મારવાની ઘટનાઓ સામે આવી છે. કોંગ્રેસ ઉમેદવારના જણાવ્યા અનુસાર, ભાજપના કાર્યકરે તેમને થપ્પડ મારી હતી.
- Sagar Solanki
- Updated on: Apr 26, 2026
- 6:16 pm
Breaking News: કોંગ્રેસીઓએ ભાજપના કાર્યકરોને બરાબરના ફટકાર્યા, મતદાન કેન્દ્ર પર છૂટા હાથની મારામારીથી અફરાતફરી – જુઓ Video
અમદાવાદના કુબેરનગર વોર્ડમાં મતદાન દરમિયાન વાતાવરણ ત્યારે ગરમાયું, જ્યારે ભાજપ અને કોંગ્રેસના કાર્યકરો વચ્ચે ઉગ્ર બોલાચાલી અને બબાલ થઈ હતી.
- TV9 Gujarati
- Updated on: Apr 26, 2026
- 3:02 pm
Breaking News: વડોદરામાં મતદાન દરમિયાન બબાલ, વોર્ડ-14માં ભાજપ-કોંગ્રેસ સમર્થકો વચ્ચે ઘર્ષણ, Watch Video
વડોદરામાં સ્થાનિક સ્વરાજ્ય ચૂંટણીના મતદાન દરમિયાન વોર્ડ નંબર-14માં તણાવપૂર્ણ સ્થિતિ સર્જાઈ હતી. શહેરના છીપવાડ વિસ્તારમાં આવેલા મતદાન કેન્દ્ર પર ભાજપ અને કોંગ્રેસના ઉમેદવારો તથા તેમના સમર્થકો વચ્ચે ઘર્ષણ સર્જાયું હોવાનું સામે આવ્યું છે.
- Meera Kansagara
- Updated on: Apr 26, 2026
- 2:21 pm
Breaking News : કોંગ્રેસ ઉમેદવારનું બટન ન દબાતું હોવાના આરોપ બાદ, EVM બદલવામાં આવ્યું
અમદાવાદ શહેરના વાસણા GB શાહ કોલેજના મતદાન મથકના EVM ના ગડબડી સામે આવી હતી.કોંગ્રેસ ઉમેદવારનું બટન ના દબાઈ રહ્યું હોવાની ફરિયાદ સામે આવી હતી. કોંગ્રેસ ઉમેદવારની લેખિતમાં ફરિયાદ બાદ EVM બદલવામાં આવ્યું છે.
- TV9 Gujarati
- Updated on: Apr 26, 2026
- 11:53 am
Breaking News : રાજકોટના વોર્ડ નંબર 15ના કોંગ્રેસના ઉમેદવાર સહિત 10 લોકોની અટકાયત, જાણો કારણ
રાજકોટ-સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી માટે આજે મતદાન ચાલી રહ્યું છે. ત્યારે રાજકોટ મહાનગરપાલિકાની 72 બેઠકો માટે આજે મતદાન છે.આ દરમિયાન રાજકોટમાંથી એક એવો મામલો સામે આવ્યો છે કે, તેમાં કોંગ્રેસના ઉમેદવારની પોલીસે અટકાયત કરી છે.
- TV9 Gujarati
- Updated on: Apr 26, 2026
- 11:25 am
Breaking News: નવસારીમાં BAPS સંતોએ સામૂહિક મતદાન કરી લોકશાહીને મજબૂત બનાવવાનો સંદેશ આપ્યો, જુઓ-Video
સંતોએ મતાધિકારનો ઉપયોગ કરીને સમાજને મહત્વપૂર્ણ સંદેશ આપ્યો કે દરેક નાગરિકે પોતાના મતનો ઉપયોગ કરવો જરૂરી છે. તેમણે જણાવ્યું હતું કે લોકશાહી વ્યવસ્થામાં ચૂંટણીનું વિશેષ મહત્વ છે અને દેશની એકતા તથા અખંડિતતા જાળવવા માટે મતદાન કરવું દરેકની જવાબદારી છે.
- Devankashi rana
- Updated on: Apr 26, 2026
- 9:39 am
Breaking News: આણંદમાં ચૂંટણી વચ્ચે તણાવ, કોંગ્રેસ ઉમેદવાર હર્ષિલ દવે પર જીવલેણ હુમલાનો આક્ષેપ
આણંદમાં સ્થાનિક સ્વરાજ્ય ચૂંટણી દરમિયાન તણાવપૂર્ણ ઘટના સામે આવી છે. મનપાના વોર્ડ નંબર 13ના કોંગ્રેસ ઉમેદવાર હર્ષિલ દવે પર મોડી રાત્રે જીવલેણ હુમલો કરવામાં આવ્યો હોવાનો આક્ષેપ થયો છે. હુમલામાં હર્ષિલ દવે ગંભીર રીતે ઘાયલ થયા હોવાનું જાણવા મળી રહ્યું છે અને તેમને તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે.
- TV9 Gujarati
- Updated on: Apr 26, 2026
- 8:27 am
Breaking News: સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં આજે મતદાનનો મહાસંગ્રામ, 9,292 બેઠકોનું ભવિષ્ય આજે EVMમાં થશે કેદ
ગુજરાતમાં આજે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી માટે મતદાન શરૂ થયું છે અને રાજ્યભરમાં લોકશાહીનો મહાપર્વ ઉજવાઈ રહ્યો છે. કુલ 9,292 બેઠકો માટે 25,579 ઉમેદવારો વચ્ચે સીધી ટક્કર છે, જ્યારે 730 ઉમેદવારો પહેલાથી જ બિનહરીફ જાહેર થઈ ચૂક્યા છે. રાજ્યભરમાં 4 કરોડ 18 લાખથી વધુ મતદારો પોતાના મતાધિકારનો ઉપયોગ કરી રહ્યા છે.
- Meera Kansagara
- Updated on: Apr 26, 2026
- 7:51 am
Gujarat Local Body Election Voting Percentage : મહાનગરપાલિકામાં 52 ટકા, નગરપાલિકાઓમાં 60, પંચાયતમાં 63 ટકા મતદાન
Gujarat Local Body Election 2026 LIVE Updates in Gujarati : રાજ્યભરમાં આજે ખરાખરીનો જંગ યોજાશે. આજે મહાનગરપાલિકા, નગરપાલિકા, જિલ્લા પંચાયત તથા તાલુકા પંચાયત માટે ચૂંટણી માટે મતદાન શરુ થઇ ગયુ છે. ગુજરાતના ચૂંટણીપંચના દ્વારા આપવામાં આવેલી માહિતી પ્રમાણે, આગામી ચૂંટણી દરમિયાન ચાર કરોડ 19 લાખ જેટલા મતદારો તેમના બંધારણીય અધિકારનો ઉપયોગ કરશે. 26મી એપ્રિલના રોજ ચૂંટણી યોજાશે તથા 28મી એપ્રિલે પરિણામો જાહેર થશે. આ સિવાય જો કોઈ પોલિંગ સ્ટેશન ઉપર ફેરમતદાનની જરૂર પડશે તો તે 27મી એપ્રિલના રોજ યોજાશે.
- TV9 Gujarati
- Updated on: Apr 26, 2026
- 7:13 pm
Gen Z જો ચૂંટણી લડવા માગે છે, તો યોગ્ય લાયકાત શું હોવી જોઈએ?
આજની યુવા પેઢી માત્ર સોશિયલ મીડિયા સુધી મર્યાદિત નથી રહી. પરંતુ સમાજમાં સકારાત્મક બદલાવ લાવવા માટે આગળ વધી રહી છે. ચૂંટણીમાં ઉમેદવારી નોંધાવવી એ માત્ર વ્યક્તિગત સપનું નથી, પરંતુ પોતાના વિસ્તારના લોકો માટે કામ કરવાની પ્રતિબદ્ધતા હોય છે.
- Dhruval Shah
- Updated on: Apr 25, 2026
- 4:15 pm
Breaking News : મહેસાણામાં મનપાની ચૂંટણી બની લોહિયાળ, ભાજપ ઉમેદવારના ભાણાની છરીના ઘા ઝીંકીને હત્યા, જુઓ-Video
ચૂંટણી દરમિયાન હિંસક બનાવ સામે આવ્યો છે, જ્યાં વોર્ડ નંબર-4માં ભાજપ અને કોંગ્રેસના સમર્થકો વચ્ચે થયેલી અથડામણમાં ભાજપ ઉમેદવારના ભાણાની હત્યા થતા વિસ્તારમાં ચકચારી ફેલાઈ છે. આ બનાવ બાદ પોલીસ તંત્ર હરકતમાં આવી ગયું છે અને ઉચ્ચ અધિકારીઓ ઘટનાસ્થળે દોડી આવ્યા છે.
- Devankashi rana
- Updated on: Apr 25, 2026
- 12:40 pm
મતદારોને રીઝવવા ચવાણાનો સહારો ? કોંગ્રેસના ઉમેદવારોની પત્રિકા સાથે વિતરણનો વીડિયો વાયરલ
આણંદ જિલ્લાના વાસદમાં ચૂંટણી પ્રચાર દરમિયાન મતદારોને રીઝવવાનો એક અનોખો અને વિવાદિત કિસ્સો સામે આવ્યો છે. અહીં કોંગ્રેસના ઉમેદવારોના પ્રચાર માટે પત્રિકાઓની સાથે ઘરે-ઘરે ચવાણું વહેંચવામાં આવતું હોવાનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે.
- TV9 Gujarati
- Updated on: Apr 24, 2026
- 7:14 pm
ચૂંટણી ટાણે 75 ગામના લોકોને કરાવેલા નાસ્તો, ભોજનનુ બિલ બાકી, રૂપિયા માંગતા પૂર્વ સાંસદે આપી ધમકી, પોલીસમાં કેસ કરવા દાખલ કરાઈ અરજી
અમરેલી જિલ્લામાં કોંગ્રેસના પૂર્વ સાંસદ વિરજી ઠુમ્મર અને તેમની દિકરી જેની ઠુમ્મર સામે છેતરપિંડીના ગંભીર આક્ષેપો સામે આવ્યા છે. આ મામલે અમરેલી પોલીસમાં ફરિયાદ નોંધાવવા માટે પારસ તળાવિયાએ અરજી આપીને યોગ્ય કાર્યવાહી માટેની માંગ કરી છે.
- TV9 Gujarati
- Updated on: Apr 24, 2026
- 2:07 pm