AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

કોંગ્રેસ

કોંગ્રેસ

ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસની સ્થાપના 28 ડિસેમ્બર 1885ના રોજ થઈ હતી. 72 પ્રતિનિધિઓએ મળીને સંસ્થા તૈયાર કરી હતી. તેના સ્થાપક જનરલ સેક્રેટરી એ ઓ હ્યુમ હતા. પ્રમુખ વ્યોમેશ ચંદ્ર બેનર્જી હતા. બાળ ગંગાધર તિલકે સંસ્થા દ્વારા સ્વરાજ મિશન શરૂ કર્યું હતું. બાળ ગંગાધર તિલક ઉપરાંત લાલા લજપત રાય, બિપિન ચંદ્ર પાલ, ગોપાલ કૃષ્ણ ગોખલે, ફિરોઝશાહ મહેતા, દાદાભાઈ નવરોજીએ મળીને સ્વરાજ ચળવળને આગળ ધપાવી હતી.

ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસનું રાષ્ટ્રીય ચળવળમાં મહત્વનું યોગદાન માનવામાં આવે છે. સંસ્થાના ઘણા દિગ્ગજોએ સ્વતંત્રતા ચળવળમાં સક્રિય ભાગ લીધો હતો અને જેલ વાસ ભોગવ્યો. 1915માં જ્યારે મહાત્મા ગાંધી જોડાયા ત્યારે સંસ્થાને રાષ્ટ્રીય પ્લેટફોર્મ મળ્યું. તેમના પછી સરદાર વલ્લભભાઈ પટેલ, જવાહર લાલ નેહરુ, રાજેન્દ્ર પ્રસાદ, સુભાષચંદ્ર બોઝ વગેરે જેવા વ્યક્તિ જોડાયા.

1947માં આઝાદી પછી કોંગ્રેસ એક રાજકીય પક્ષ બની ગયો. જવાહરલાલ નેહરુ પ્રથમ વડાપ્રધાન બન્યા. આ પછી કોંગ્રેસ પાર્ટી લગભગ પાંચ દાયકા સુધી કેન્દ્ર સરકારમાં સત્તા પર રહી. 1947 થી 2014 સુધી, 16 લોકસભા ચૂંટણીઓમાંથી, કોંગ્રેસે 6 વખત પૂર્ણ બહુમતી સાથે સરકાર બનાવી. કોંગ્રેસ પાર્ટી કુલ 49 વર્ષ સુધી કેન્દ્ર સરકારનો હિસ્સો રહી. કોંગ્રેસ પણ 4 વખત સત્તાધારી ગઠબંધનમાં સામેલ થઈ.

કોંગ્રેસ પાર્ટી તરફથી કુલ 7 વડાપ્રધાન બન્યા છે. આ નામો છે- જવાહરલાલ નેહરુ, ગુલઝારી નંદા, લાલ બહાદુર શાસ્ત્રી, ઈન્દિરા ગાંધી, રાજીવ ગાંધી, પીવી નરસિમ્હા રાવ અને મનમોહન સિંહ. કોંગ્રેસ પાર્ટીના કેટલાક મોટા નેતાઓના નામ છે- સીતારામ કેસરી, સોનિયા ગાંધી, રાહુલ ગાંધી, પ્રિયંકા ગાંધી, કમલનાથ, અશોક ગેહલોત, દિગ્વિજય સિંહ, પૃથ્વીરાજ ચવ્હાણ, અધીર રંજન ચૌધરી અને મલ્લિકાર્જુન ખડગે વગેરે.

દેશના આઠ પૂર્વ રાષ્ટ્રપતિઓ પણ કોંગ્રેસ પાર્ટી સાથે જોડાયેલા છે. આ નામો છે- ડૉ. રાજેન્દ્ર પ્રસાદ, ફખરુદ્દીન અલી અહેમદ, જ્ઞાની ઝૈલ સિંહ, આર. વેંકટરામન, શંકર દયાલ શર્મા, કે આર નારાયણન, પ્રતિભા દેવીસિંહ પાટીલ અને પ્રણવ મુખર્જી.

Read More

Breaking News : “સમાજનો ભૂવો હું બન્યો છું, નાળિયેર કઈ બાજુ ફેંકવું હું જાણું છું”, ઠાકોર સમાજના સંમેલનમાં બોલ્યા અલ્પેશ ઠાકોર, જુઓ Video

ગાંધીનગરમાં યોજાયેલા ઠાકોર સમાજના અભ્યુદય સંમેલનમાં હજારો લોકો ઉમટી પડ્યા. અલ્પેશ ઠાકોર, ગેનીબેન ઠાકોર સહિતના નેતાઓએ સમાજમાંથી દારૂ જેવા કુરિવાજો દૂર કરવા, શિક્ષણને પ્રોત્સાહન આપવા અને આર્થિક સશક્તિકરણ માટે એકતા સાધવાનો હાકલ કર્યો. સમાજના વિકાસ માટે સત્તા અને સંસ્થાની આવશ્યકતા પર પણ ભાર મુકાયો.

ભાજપની રાજકીય લેબોરેટરી એવા ગુજરાતમા, SIR પ્રક્રિયામાં BJPના કાવાદાવા સફળ રહ્યાં તો દેશભરમાં તેનો અમલ કરશેઃ ભરતસિંહ સોલંકી

ગુજરાત એ ભારતીય જનતા પાર્ટીની રાજકીય પરીક્ષણ કરવા માટેની લેબોરેટરી છે. આ રાજકીય લેબોરેટરીમાં ભાજપ હાલમાં, મતદાર યાદી સુધારણા કાર્યક્રમ અંતર્ગત ફોર્મ નંબર 7 વડે ચોક્કસ વર્ગના મતદારોના નામ દૂર કરવાનો પ્રયોગ કરી રહ્યું છે. જો આ રાજકીય પરીક્ષણ ગુજરાતમાં સફળ રહ્યું તો દેશના વિભિન્ન રાજ્યોમાં પણ તેનો અમલ કરવામાં આવશે તેવો આરોપ, ગુજરાત પ્રદેશ કોંગ્રેસના પૂર્વ પ્રમુખ ભરતસિંહ સોલંકીએ લગાવ્યો છે.

કોંગ્રેસમાં મેવાણી vs પટેલ ! જીજ્ઞેશ મેવાણીએ કિરીટ પટેલનુ નામ લીધા વિના કહ્યું – તારા જેવા ફુદાનું ચણુંઈ નહીં આવે, જુઓ Video

કોંગ્રેસના પ્રદેશ પ્રમુખ અમિત ચાવડાએ, સમગ્ર વિવાદનો બચાવ કરતા કહ્યું કે, બંને ધારાસભ્યો વચ્ચે "ગેરસમજ" થઈ છે. તેમણે કહ્યું હતું કે, "જે થોડી ગેરસમજ ઉભી થઈ છે એ બાબતે વાત થઈ છે. બધાને સાથે રાખીને ગેરસમજ પણ દૂર કરીશું અને સૌ સાથે મળીને આગળ વધીશું.

SIR ની કામગીરી સામે કોંગ્રેસનો સૌથી મોટો આરોપ, હાસ્ય કલાકાર શાહબુદ્દીન રાઠોડનું નામ મતદાર યાદીમાંથી નામ કઢાવવા અરજી થયાનો દાવો

રાજ્યમાં મતદાર યાદી સુધારણાની કામગીરી ચાલી રહી છે, ત્યારે કોંગ્રેસે શાસક પક્ષ ભાજપ પર અત્યંત ગંભીર આક્ષેપ કર્યો છે. વાત એમ છે કે, વિશ્વવિખ્યાત હાસ્ય કલાકાર શાહબુદ્દીન રાઠોડનું નામ મતદાર યાદીમાંથી કમી કરવા મુદ્દે કોંગ્રેસે ભાજપ પર આરોપ લગાવ્યો છે.

વહીવટીતંત્ર ભાજપ સરકારનુ વાજિંત્ર બન્યુ હોવાનો કોંગ્રેસનો આક્ષેપ, SIR માં ગેરરીતિ સામે કલેકટર કચેરી ઘેરાવ કરાશે, સુપ્રીમ કોર્ટમાં પડકારાશે

ગુજરાત કોંગ્રેસના પ્રદેશ પ્રમુખ અમિત ચાવડાએ, આજે SIR કામગીરીમાં ફોર્મ 7 ના દુરુપયોગ અંગે વહીવટીતંત્રને આડે હાથે લેતા ચિંમકી ઉચ્ચારી છે કે, જો ચૂંટણી પંચ દ્વારા કોંગ્રેસને ફોર્મ 7 અંગેના પુરાવાઓ પુરા પાડવામાં નહીં આવે તો, કોંગ્રેસ આગામી દિવસોમાં કલેકટર કચેરીનો ધેરાવ કાર્યક્રમ યોજશે, તેમજ સુપ્રીમ કોર્ટમાં તેમની કામગીરીને પણ પડકારવમાં આવશે.

Breaking News : ભાજપ ઉદ્ધવ ઠાકરે સાથે જઈ શકે છે, તો શિંદે વંચિત અને AIMIM સાથે…? મહારાષ્ટ્રમાં મેયર પદ માટે રાજકીય મારામારી

Mayor Elections 2026 : મ્યુનિસિપલ કોર્પોરેશનની ચૂંટણીઓ પછી, બધાનું ધ્યાન હવે મેયર કોણ બનશે તેના પર છે. જોકે, આ માટે, ઘણી મહાનગરપાલિકાઓમાં વિવિધ પક્ષો એકબીજા સાથે જાય તેવી શક્યતા છે. ચાલો આ વિશે વિગતો જાણીએ.

BMC Election Breaking News: પુણેમાં દાદાનો ખેલ ખલાસ, અજીત પવાર જૂથની NCPને મોટો આંચકો !

પુણે મ્યુનિસિપલ કોર્પોરેશનમાં અત્યાર સુધી જે આંકડા સામે આવ્યા છે તે જોતાં એવું લાગે છે કે અજિત પવારની NCPને મોટો ઝટકો લાગ્યો છે. જાણો શું છે આંકડા...

Breaking News : ભાજપને ગાંધીજી પ્રત્યે ભારે સૂગ, ગાંધી વિચારો ખતમ કરવા મનરેગાનું G RAM G કર્યું, કોંગ્રેસ વિધાનસભા ઘેરાવ કરશે : અમિત ચાવડા

કેન્દ્રની મોદી સરકાર દ્વારા મનરેગાનું નામ બદલીને G RAM G ( જી રામ જી) કરવા સામે કોંગ્રેસે વાંધો ઉઠાવ્યો છે. આ મુદ્દાને લઈને કોંગ્રેસ દેશભરમાં ભાજપ સરકાર સામે આંદોલન કરી રહી છે. ગુજરાત કોંગ્રેસે જી રામ જીને લઈને વિધાનસભા ઘેરાવનો કાર્યક્રમ જાહેર કર્યો છે.

ભારતના પહેલા વડાપ્રધાન પંડિત જવાહરલાલ નહેરુ હતા હિંદુ વિરોધી, જળાભિષેક માટે પાણી લેવાની પણ ના પાડી હતી

દેશના પ્રથમ વડાપ્રધાન પંડિત જવાહરલાલ નહેરુ હિન્દુ વિરોધી હોવાની છાપ હવે ઉપસી આવી છે. ધર્મના નામે, ભારતથી અલગ થયેલ પાકિસ્તાને, ભાગલા સમયે મૂળ ભારતીયો, પંજાબી, હિન્દુઓ પર કરેલ અત્યાચારોને ભૂલીને પણ પંડિત નહેરુ, પાકિસ્તાનને પ્રિય લાગે તેવી કામગીરી ભારતમાં કરતા આવ્યા હતા. દેશના પ્રથમ વડ઼ાપ્રધાન પંડિત નહેરુની હિન્દુ વિરોધી કામગીરીની ઘટના ભારત આઝાદ થયુ ત્યાર બાદની છે અને આ ઘટના ભાજપના એક નેતાએ હવે પુરાવાઓ સાથે જાહેર કરી છે.

ગાંધીનગર : વધતા ટાઈફોઈડના કેસને લઈ રાજકારણ ગરમાયું, શહેર કોંગ્રેસે મનપા કચેરી ખાતે કર્યો વિરોધ, જુઓ-Video

ગાંધીનગરના અસરગ્રસ્ત વિસ્તારમાંથી વધુ 20 કેસ નોંધાતા આરોગ્ય વિભાગની ચિંતા વધી છે. તેવામાં શહેર કોંગ્રેસ મેદાને ઉતરી છે અને મનપા કચેરીએ ઉગ્ર વિરોધ નોંધાવ્યો છે.

ભાજપને રામ રામ કરીને ડેડીયાપાડાના પૂર્વ ધારાસભ્ય મહેશ વસાવા કોંગ્રેસમાં જોડાશે

ગુજરાતના રાજકારણમાં વધુ એક ઘટના આકાર પામવા જઈ રહી છે. ભરુચના આદીવાસી ક્ષેત્રમાં મજબૂત પકડ ધરાવતા છોટુ વસાવાના પુત્ર મહેશ વસાવા પોતાનું રાજકીય અસ્તિત્વ ટકાવી રાખવા માટે ભાજપ છોડીને કોંગ્રેસમાં જોડાઈ રહ્યાં છે. દાહોદ ખાતે યોજાનાર કોંગ્રેસની જન આક્રોશ યાત્રાના સમાપન સમારોહમાં, મહેશ વસાવા કોંગ્રેસનો ખેસ ધારણ કરશે.

પાટણના કોંગ્રેસના ધારાસભ્ય કિરીટ પટેલની પ્રેશર ટેકનિક થઈ સફળ, પ્રદેશ નેતાઓ માની જતા હવે દંડકપદેથી નહીં આપે રાજીનામું

અમિત ચાવડાએ એસસી સેલમાં કરેલ નિમણૂક સામે ધારાસભ્ય કિરીટ પટેલે વાધો ઉઠાવ્યો હતો. એટલું જ નહીં, કિરીટ પટેલના માર્ગદર્શન હેઠળ પાટણ કોંગ્રેસ કાર્યાલયને તાળાબંધી કરવામાં આવી હતી. આ અંગે કિરીટ પટેલ સામે શિસ્તભંગના પગલાં લેવાને બદલે, અમિત ચાવડાએ કિરીટ પટેલની એસસી સેલમાં કરેલ નિમણૂક રદ કરવા અને કિરીટ પટેલ વિરુદ્ધ કાર્ય કરનારા નેતાઓ સામે કાર્યવાહી કરવાની બાહેધરી આપી હોવાનું કહેવાય છે.

CWCની બેઠકમાં દિગ્વિજય સિંહે કહ્યું-કોંગ્રેસ પક્ષમાં અનેક સ્લીપર સેલ છે, ખડગેએ તેમને ટોક્યા

કોંગ્રેસના વરિષ્ઠ રાષ્ટ્રીય નેતા દિગ્વિજય સિંહે સોશિયલ મીડિયા એક્સ પર, લાલકૃષ્ણ અડવાણી અને નરેન્દ્ર મોદીનો એક ફોટો શેર કરીને સંગઠન અંગે ભાજપ અને RSS પાસેથી શીખવાની વાત લખી છે.

સુરતને કોંગ્રેસ મુક્ત કરવાની ભાજપની ચાલનો એક ભાગ ! જાહેરાતની સાથે જ કોંગ્રેસના નવા વરાયેલા હોદ્દેદારોએ ધરી દીધા રાજીનામા

ગુજરાતીમાં એક કહેવત છે, એક સાંધો ત્યાં તેર તુટે. બસ આ કહેવત અત્યારે ગુજરાત સ્થિત કોંગ્રેસને લાગુ પડતી હોય તેવા સંજોગો સર્જાયા છે. સુરત કોંગ્રેસના નવા માળખાની જાહેરાત થતા જ, માળખાના મણકા એક પછી એક વિખરાવા લાગ્યા. એટલે કે જે હોદ્દેદારોની જાહેરાતો કરી હતી તેઓ ટપોટપ રાજીનામા આપવા લાગ્યા. એવુ કહેવાય છે કે, સમગ્ર દેશમાં સુરતને કોંગ્રેસ મુક્ત કરવા ભાજપે આદરેલી જહેમતને સાચી ઠેરવવા માટે યેનકેન પ્રકારે સોગઠાબાજી ગોઠવાઈ રહી છે.

Year Ender 2025 : આ વર્ષે ગુજરાતના રાજકરણમાં થયા મોટા ફેરફાર, અનેક રાજકીય ઘટનાઓ ઘટી

ગુજરાતમાં વર્ષ 2025માં રાજકીય ક્ષેત્રમાં પણ વિવિધ બદલાવ થયા છે. કેટલા રાજનેતાઓએ રાજકીય પાર્ટીમાંથી રાજીનામું આપ્યું છે. તો ગુજરાતને ભાજપના નવા પ્રદેશ પ્રમુખ બન્યા છે. તો ભૂપેન્દ્ર પટેલ સરકારના મંત્રી મંડળનું પણ પુનર્ગઠન કરવામાં આવ્યું છે.

ભારત-યુએસએ વચ્ચે થયેલ ટ્રેડ ડીલથી ગુજરાતને થશે ફાયદોઃ ભૂપેન્દ્ર પટેલ
ભારત-યુએસએ વચ્ચે થયેલ ટ્રેડ ડીલથી ગુજરાતને થશે ફાયદોઃ ભૂપેન્દ્ર પટેલ
સિમ કાર્ડ કે સોનાની ખાણ!
સિમ કાર્ડ કે સોનાની ખાણ!
JCBમા માણસોની હેરાફેરી, શું તંત્ર કોઈ મોટી હોનારતની રાહ જોઈ રહ્યું છે?
JCBમા માણસોની હેરાફેરી, શું તંત્ર કોઈ મોટી હોનારતની રાહ જોઈ રહ્યું છે?
વિપક્ષે પીએમ મોદીને લોકસભામાં બોલવા ના દીધા, હોબાળો થતા ગૃહ મુલતવી
વિપક્ષે પીએમ મોદીને લોકસભામાં બોલવા ના દીધા, હોબાળો થતા ગૃહ મુલતવી
અમદાવાદનુ વહીવટીતંત્ર ભાજપના ધારાસભ્યોને છૂછા ગણે છે !
અમદાવાદનુ વહીવટીતંત્ર ભાજપના ધારાસભ્યોને છૂછા ગણે છે !
જાણો અમદાવાદમાં કયા બનશે નવા ઓવરબ્રિજ-અન્ડરબ્રિજ
જાણો અમદાવાદમાં કયા બનશે નવા ઓવરબ્રિજ-અન્ડરબ્રિજ
'બંટી અને બબલી'ની જોડીએ ખોટા કેસમાં ફસાવી દેવાની ધમકી આપી
'બંટી અને બબલી'ની જોડીએ ખોટા કેસમાં ફસાવી દેવાની ધમકી આપી
ગજેરા એન્ડ કંપની પર ITના દરોડા ,1500 કરોડનો બેનામી વ્યવહાર મળી આવ્યો
ગજેરા એન્ડ કંપની પર ITના દરોડા ,1500 કરોડનો બેનામી વ્યવહાર મળી આવ્યો
BREAKING : અમદાવાદ એરપોર્ટ ઠપ્પ! ગાઢ ધુમ્મસે ઉડાનો અટકાવી
BREAKING : અમદાવાદ એરપોર્ટ ઠપ્પ! ગાઢ ધુમ્મસે ઉડાનો અટકાવી
રોડ નહીં, ભ્રષ્ટાચાર પાથર્યો! રાજકોટમાં આવો ડામર કોણે મંજૂર કર્યો ?
રોડ નહીં, ભ્રષ્ટાચાર પાથર્યો! રાજકોટમાં આવો ડામર કોણે મંજૂર કર્યો ?
g clip-path="url(#clip0_868_265)">