કોંગ્રેસ
ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસની સ્થાપના 28 ડિસેમ્બર 1885ના રોજ થઈ હતી. 72 પ્રતિનિધિઓએ મળીને સંસ્થા તૈયાર કરી હતી. તેના સ્થાપક જનરલ સેક્રેટરી એ ઓ હ્યુમ હતા. પ્રમુખ વ્યોમેશ ચંદ્ર બેનર્જી હતા. બાળ ગંગાધર તિલકે સંસ્થા દ્વારા સ્વરાજ મિશન શરૂ કર્યું હતું. બાળ ગંગાધર તિલક ઉપરાંત લાલા લજપત રાય, બિપિન ચંદ્ર પાલ, ગોપાલ કૃષ્ણ ગોખલે, ફિરોઝશાહ મહેતા, દાદાભાઈ નવરોજીએ મળીને સ્વરાજ ચળવળને આગળ ધપાવી હતી.
ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસનું રાષ્ટ્રીય ચળવળમાં મહત્વનું યોગદાન માનવામાં આવે છે. સંસ્થાના ઘણા દિગ્ગજોએ સ્વતંત્રતા ચળવળમાં સક્રિય ભાગ લીધો હતો અને જેલ વાસ ભોગવ્યો. 1915માં જ્યારે મહાત્મા ગાંધી જોડાયા ત્યારે સંસ્થાને રાષ્ટ્રીય પ્લેટફોર્મ મળ્યું. તેમના પછી સરદાર વલ્લભભાઈ પટેલ, જવાહર લાલ નેહરુ, રાજેન્દ્ર પ્રસાદ, સુભાષચંદ્ર બોઝ વગેરે જેવા વ્યક્તિ જોડાયા.
1947માં આઝાદી પછી કોંગ્રેસ એક રાજકીય પક્ષ બની ગયો. જવાહરલાલ નેહરુ પ્રથમ વડાપ્રધાન બન્યા. આ પછી કોંગ્રેસ પાર્ટી લગભગ પાંચ દાયકા સુધી કેન્દ્ર સરકારમાં સત્તા પર રહી. 1947 થી 2014 સુધી, 16 લોકસભા ચૂંટણીઓમાંથી, કોંગ્રેસે 6 વખત પૂર્ણ બહુમતી સાથે સરકાર બનાવી. કોંગ્રેસ પાર્ટી કુલ 49 વર્ષ સુધી કેન્દ્ર સરકારનો હિસ્સો રહી. કોંગ્રેસ પણ 4 વખત સત્તાધારી ગઠબંધનમાં સામેલ થઈ.
કોંગ્રેસ પાર્ટી તરફથી કુલ 7 વડાપ્રધાન બન્યા છે. આ નામો છે- જવાહરલાલ નેહરુ, ગુલઝારી નંદા, લાલ બહાદુર શાસ્ત્રી, ઈન્દિરા ગાંધી, રાજીવ ગાંધી, પીવી નરસિમ્હા રાવ અને મનમોહન સિંહ. કોંગ્રેસ પાર્ટીના કેટલાક મોટા નેતાઓના નામ છે- સીતારામ કેસરી, સોનિયા ગાંધી, રાહુલ ગાંધી, પ્રિયંકા ગાંધી, કમલનાથ, અશોક ગેહલોત, દિગ્વિજય સિંહ, પૃથ્વીરાજ ચવ્હાણ, અધીર રંજન ચૌધરી અને મલ્લિકાર્જુન ખડગે વગેરે.
દેશના આઠ પૂર્વ રાષ્ટ્રપતિઓ પણ કોંગ્રેસ પાર્ટી સાથે જોડાયેલા છે. આ નામો છે- ડૉ. રાજેન્દ્ર પ્રસાદ, ફખરુદ્દીન અલી અહેમદ, જ્ઞાની ઝૈલ સિંહ, આર. વેંકટરામન, શંકર દયાલ શર્મા, કે આર નારાયણન, પ્રતિભા દેવીસિંહ પાટીલ અને પ્રણવ મુખર્જી.
સચિન પાયલોટને સોંપાઈ શકે છે ગુજરાત કોંગ્રેસની કમાન, સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી પહેલા કોંગ્રેસમાં મોટા ફેરબદલની શક્યતા
ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી પહેલા ગુજરાત કોંગ્રેસમાં મોટા ફેરફાર થવાની શક્યતા છે. ભાજપના ગઢ ગણાતા ગુજરાતમાં કોંગ્રેસ એક નવો અને મોટો પ્રયોગ કરવા જઈ રહી છે. ગુજરાત પ્રદેશ કોંગ્રેસને મજબુત કરવા માટે પાર્ટી સચિન પાયલોટ પર દાંવ રમી શકે છે. સરકારમાં રહેવાનો બહોળો અનુભવ અને સંગઠન પર મજબૂત પકડ ધરાવતા સચિન પાયલોટને જો પાર્ટી ગુજરાત કોંગ્રેસના પ્રભારી બનાવે છે તો ગુજરાત કોંગ્રેસનું નેતૃત્વ કરનારા પાયલોટ રાજસ્થાનના ત્રીજા દિગ્ગજ નેતા હશે.
- Mina Pandya
- Updated on: Feb 23, 2026
- 4:37 pm
“જો હું ભાજપમાં રહ્યો હોત તો નરેન્દ્રભાઈનો માર્ગ આટલો આગળ ન વધતો…”- શંકરસિંહ વાઘેલા
ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી શંકરસિંહ વાઘેલાએ ગુજરાત મોડલ અને વડાપ્રધાન મોદીની નીતિઓની ખૂબ ટીકા કરે છે, પરંતુ તેમના વ્યક્તિગત સંબંધો પણ ઘણા મજબૂત છે. વડાપ્રધાન મોદી પહેલા ગુજરાતના સીએમ બનેલા શંકરસિંહ વાઘેલાએ એક મોટુ નિવેદન આપ્યુ છે. તેમણે કહ્યુ કે તેઓ સેલ્ફ રિસ્પેક્ટવાળા છે.
- Mina Pandya
- Updated on: Feb 20, 2026
- 4:10 pm
જામનગર મનપામાં રામરાજ નહીં રાવણરાજ, કમિશન વગર કોઈ કામ થતા ના હોવાનો કોંગ્રેસનો આક્ષેપ
જામનગરના મહિલા કોર્પોરેટર રચના નંદાણીયાએ, રાવણનો પરીવેશ ધારણ કરીને ભાજપ શાસિત મનપા સામે પ્રતિકાત્મક રીતે અસંતોષ વ્યક્ત કર્યો હતો. જામનગર મહાનગરપાલિકામાં રામ રાજ્ય નહીં રાવણ રાજ ચાલી રહ્યું હોવાનો આક્ષેપ કર્યો હતો.
- TV9 Gujarati
- Updated on: Feb 19, 2026
- 2:54 pm
રાજ્યસભાની ખાલી પડનારી 37 બેઠક માટે 16 માર્ચે યોજાશે ચૂંટણી
મહારાષ્ટ્ર અને ઓડિશા ઉપરાંત, એપ્રિલમાં વિવિધ તારીખે તમિલનાડુ, તેલંગાણા, પશ્ચિમ બંગાળ, છત્તીસગઢ, આસામ, હરિયાણા, હિમાચલ પ્રદેશ અને બિહારમાં રાજ્યસભાની બેઠકો ખાલી પડી રહી છે. મહારાષ્ટ્રમાં સૌથી વધુ સાત બેઠકો ખાલી પડશે.
- TV9 Gujarati
- Updated on: Feb 18, 2026
- 4:06 pm
“આ તારા પતિનું નહીં દેશના વડાપ્રધાનનું નિવાસસ્થાન છે, અત્યારે જ આ ઘરની બહાર નીકળ…” ઈંદિરા ગાંધી એ કોને કહ્યુ હતુ આવુ?
મેનકાએ પોતાને સંજય ગાંધીના ઉત્તરાધિકારી તરીકે પ્રોજેક્ટ કર્યા. સંજયના અધૂરા સપવાને પૂરા કરવાનો સંકલ્પ કર્યો. આ તરફ ઈંદિરા જ્યારે લંડનથી પરત ફર્યા, ત્યારે તેમની પાસે તે સભાની એક-એક મિનિટની રિપોર્ટ અને ભાષણની રેકોર્ડિંગ હતી. તેમના માટે આ બિલકુલ સામાન્ય ઘટના ન હતી. આ એક ખુલ્લંખુલ્લા રાજકીય બગાવત હતી. ઈંદિરા ખૂબ ગુસ્સામાં હતા, તેમણે નક્કી કર્યુ કે હવે સમાધાનની ફોર્મ્યુલા શક્ય નથી. હવે મેનકા સાથે એક છત નીચે રહેવુ તેમના માટે અશક્ય હતુ.
- Mina Pandya
- Updated on: Feb 19, 2026
- 3:07 pm
“ગુજરાતમાં મતોના વિભાજનથી કોંગ્રેસને નુકસાન, 60 ધારાસભ્યો ગુમાવ્યા”- પ્રતાપ દૂધાત
પોતાના સ્પષ્ટ, શબ્દો ચોર્યા વિના નિવેદન કરવા માટે જાણીતા અમરેલી કોંગ્રેસના નેતા અને પૂર્વ ધારાસભ્ય પ્રતાપ દૂધાતે ગુજરાતના રાજકારણમાં ચાલી રહેલી ગતિવિધિ પર મોટુ નિવેદન આપ્યુ છે.
- TV9 Gujarati
- Updated on: Feb 16, 2026
- 5:46 pm
હવે કોંગ્રેસના અનંત પટેલના બદલાયા તેવર કહ્યુ પાર્ટી સમાજ સાથે અન્યાય કરશે તો મને પાર્ટી છોડી દેતા વાર નહીં લાગે- Video
ગુજરાતમાં કોંગ્રેસના વધુ એક ધારાસભ્યએ પાર્ટી છોડવાની ધમકી આપતા ગુજરાતના રાજકારણમાં ગરમાવો આવી ગયો છે. નવસારીના વાંસદાથી ધારાસભ્ય અનંત પટેલે કહ્યુ છે કે સમાજ સાથે અન્યાય થશે તો પાર્ટી છોડતા મને વાર નહીં લાગે. તેમની આ ચીમકીથી રાજકીય હલચલ તેજ થઈ ગઈ છે.
- TV9 Gujarati
- Updated on: Feb 15, 2026
- 7:49 pm
“તાકાત હોય તો મંચ નક્કી કરો!” ખેડૂતોના મુદ્દે રાહુલ ગાંધીને અમિત શાહનો ખુલ્લો પડકાર, આંકડા સાથે વિપક્ષની બોલતી બંધ કરી – જુઓ Video
ટ્રેડ ડીલ (FTA) મામલે રાજનીતિ ગરમાઈ છે. ખેડૂતોના હિતના નામે રાહુલ ગાંધીએ કરેલા આક્ષેપો પર કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે પલટવાર કરતા સીધો પડકાર ફેંક્યો છે.
- TV9 Gujarati
- Updated on: Feb 15, 2026
- 3:50 pm
સુપ્રીમ કોર્ટના આદેશ બાદ, શૈક્ષણિક સંસ્થામાં શ્વાનનો સર્વે કરવા સૂચના, સરકાર-વિપક્ષ આમને સામને
વસ્તી ગણતરી પછી હવે શિક્ષકોને રખડતા શ્વાનોની સંખ્યા નોંધવાની ફરજ સોંપતા નવો વિવાદ ઉભો થયો છે. તાજેતરમાં બહાર પડેલા પરિપત્રને પગલે રાજકીય સ્તરે તીવ્ર પ્રતિક્રિયાઓ જોવા મળી રહી છે. શિક્ષકો પર વધારાની જવાબદારી અંગે ચર્ચા શરૂ થઈ છે.
- Ashvin Patel
- Updated on: Feb 12, 2026
- 7:09 pm
Breaking News : ગોપાલ ઇટાલિયા ક્યારેય આમ આદમી પાર્ટીને ઉભી થવા નહિ દે : રાજુ કરપડા જુઓ Video
આમ આદમી પાર્ટીમાંથી રાજીનામું આપ્યા બાદ રાજુ કરપડાએ પત્રકાર પરિષદ યોજી. તેમણે ખેડૂતોના મુદ્દે પાર્ટીના કથિત સમર્થનના અભાવ અને જેલવાસ દરમિયાન મળેલા કડવા અનુભવોને રાજીનામાનું કારણ ગણાવ્યું. કરપડાએ પાર્ટી પર ખેડૂતોના જામીન મામલે બેદરકારી અને આંતરિક રાજકારણનો આક્ષેપ કર્યો. તેઓ હવે બિનરાજકીય રીતે ખેડૂતો માટે લડવાની વાત કરી રહ્યા છે.
- Hasmukh Ramani
- Updated on: Feb 12, 2026
- 1:10 pm
કમલમમાં ગયેલા સરકારી કર્મચારી, નોકરીમાંથી રાજીનામુ આપીને ભાજપનો ભગવો ખેસ ધારણ કરી લેઃ કોંગ્રેસ
GTUના કુલપતિ રાહુલ ગજ્જર, અમદાવાદ સિવિલ સુપ્રિટેન્ડન્ટ રાકેશ જોષી અને સિવિલના પેરોપ્લેજિયા વિભાગના નિયામક પિયુષ મિત્તલનો એક ફોટો શેર કરીને કોંગ્રેસના પ્રવકત્તા મનિષ દોશીએએ, કમલમમાં ઉપસ્થિત રહેનારા ત્રણેય સરકારી કર્મચારીઓ સામે દાખલારૂપ કાર્યવાહી કરવા રાજ્યપાલ સમક્ષ માંગ કરી છે.
- TV9 Gujarati
- Updated on: Feb 10, 2026
- 4:11 pm
Breaking News: રાજકોટમાં ‘હું નથુરામ ગોડસે’ નાટકના શો પર કોંગ્રેસનો ઉગ્ર વિરોધ, શો રદ, જુઓ Video
રાજકોટના હેમુ ગઢવી હોલ ખાતે યોજાનારા ‘હું નથુરામ ગોડસે’ નાટકના શો પહેલા જ ઉગ્ર વિરોધ થઇ રહ્યો છે. કોંગ્રેસના કાર્યકરોએ હલ્લાબોલ કરી નાટકના સ્ટેજ પર તોડફોડ કરી હતી. કોંગ્રેસ કાર્યકરોએ પોસ્ટર ફાડ્યા અને ઉગ્ર સૂત્રોચ્ચાર કર્યા. પોલીસે ઘટના સ્થળે પહોંચીને કેટલાક કાર્યકરોની અટકાયત કરી હતી.
- TV9 Gujarati
- Updated on: Feb 8, 2026
- 11:26 am
Breaking News : લોકસભામાં ગઇકાલે ન બોલી શક્યા PM નરેન્દ્ર મોદી આજે રાજ્યસભામાં ખૂલીને બોલ્યા, મહોબ્બતની દુકાન પર શું કહ્યું જુઓ..
લોકસભામાં ગઇકાલે હંગામાના કારણે બોલી ન શકેલા પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે રાજ્યસભામાં બોલ્યા. તેમણે કહ્યું કે રાષ્ટ્રપતિના અભિભાષણ પર ચર્ચા ન થવા દેવી એ એક આદિવાસી પરિવારથી આવેલી દેશની રાષ્ટ્રપતિનો અપમાન છે.
- Sagar Solanki
- Updated on: Feb 5, 2026
- 6:41 pm
અમદાવાદના કતલખાના મુદ્દે ભાજપ-કોંગ્રેસના MLA સામ સામે, જુઓ વીડિયો
અમદાવાદ મહાનગરપાલિકાના ડ્રાફ્ટ બજેટમાં મ્યુનિસિપલ કમિશનરે સુચવેલ 32 કરોડના ખર્ચે કતલખાનાનુ આધુનિકરણ કરવાના કામનો એલિસબ્રિજના ભાજપના ધારાસભ્ય અમિત શાહે વિરોધ કર્યો છે.
- TV9 Gujarati
- Updated on: Feb 5, 2026
- 3:53 pm
ગુજરાતના લોક કલાકારોની માંગ, વિવાદાસ્પદ નિવેદન બદલ કોંગ્રેસ નેતા લાલજી ચાવડા માફી માગે
ગુજરાત કોંગ્રેસના નેતા લાલજી ચાવડાએએ મોરબીના ટંકારા ખાતે લોક કલાકારોને લઈને ઉચ્ચારેલા વિવાદાસ્પદ નિવેદન બાદ, સમગ્ર રાજ્યના લોકકલાકારોમાં રોષ વ્યાપી ગયો છે. લોક કલાકારોની માંગ છે કે, લાલજી ચાવડા તેમના વિવાદીત ઉચ્ચારણ બદલ લોક કલાકારોની માફી માગે.
- TV9 Gujarati
- Updated on: Feb 5, 2026
- 3:05 pm