AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

કોંગ્રેસ

કોંગ્રેસ

ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસની સ્થાપના 28 ડિસેમ્બર 1885ના રોજ થઈ હતી. 72 પ્રતિનિધિઓએ મળીને સંસ્થા તૈયાર કરી હતી. તેના સ્થાપક જનરલ સેક્રેટરી એ ઓ હ્યુમ હતા. પ્રમુખ વ્યોમેશ ચંદ્ર બેનર્જી હતા. બાળ ગંગાધર તિલકે સંસ્થા દ્વારા સ્વરાજ મિશન શરૂ કર્યું હતું. બાળ ગંગાધર તિલક ઉપરાંત લાલા લજપત રાય, બિપિન ચંદ્ર પાલ, ગોપાલ કૃષ્ણ ગોખલે, ફિરોઝશાહ મહેતા, દાદાભાઈ નવરોજીએ મળીને સ્વરાજ ચળવળને આગળ ધપાવી હતી.

ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસનું રાષ્ટ્રીય ચળવળમાં મહત્વનું યોગદાન માનવામાં આવે છે. સંસ્થાના ઘણા દિગ્ગજોએ સ્વતંત્રતા ચળવળમાં સક્રિય ભાગ લીધો હતો અને જેલ વાસ ભોગવ્યો. 1915માં જ્યારે મહાત્મા ગાંધી જોડાયા ત્યારે સંસ્થાને રાષ્ટ્રીય પ્લેટફોર્મ મળ્યું. તેમના પછી સરદાર વલ્લભભાઈ પટેલ, જવાહર લાલ નેહરુ, રાજેન્દ્ર પ્રસાદ, સુભાષચંદ્ર બોઝ વગેરે જેવા વ્યક્તિ જોડાયા.

1947માં આઝાદી પછી કોંગ્રેસ એક રાજકીય પક્ષ બની ગયો. જવાહરલાલ નેહરુ પ્રથમ વડાપ્રધાન બન્યા. આ પછી કોંગ્રેસ પાર્ટી લગભગ પાંચ દાયકા સુધી કેન્દ્ર સરકારમાં સત્તા પર રહી. 1947 થી 2014 સુધી, 16 લોકસભા ચૂંટણીઓમાંથી, કોંગ્રેસે 6 વખત પૂર્ણ બહુમતી સાથે સરકાર બનાવી. કોંગ્રેસ પાર્ટી કુલ 49 વર્ષ સુધી કેન્દ્ર સરકારનો હિસ્સો રહી. કોંગ્રેસ પણ 4 વખત સત્તાધારી ગઠબંધનમાં સામેલ થઈ.

કોંગ્રેસ પાર્ટી તરફથી કુલ 7 વડાપ્રધાન બન્યા છે. આ નામો છે- જવાહરલાલ નેહરુ, ગુલઝારી નંદા, લાલ બહાદુર શાસ્ત્રી, ઈન્દિરા ગાંધી, રાજીવ ગાંધી, પીવી નરસિમ્હા રાવ અને મનમોહન સિંહ. કોંગ્રેસ પાર્ટીના કેટલાક મોટા નેતાઓના નામ છે- સીતારામ કેસરી, સોનિયા ગાંધી, રાહુલ ગાંધી, પ્રિયંકા ગાંધી, કમલનાથ, અશોક ગેહલોત, દિગ્વિજય સિંહ, પૃથ્વીરાજ ચવ્હાણ, અધીર રંજન ચૌધરી અને મલ્લિકાર્જુન ખડગે વગેરે.

દેશના આઠ પૂર્વ રાષ્ટ્રપતિઓ પણ કોંગ્રેસ પાર્ટી સાથે જોડાયેલા છે. આ નામો છે- ડૉ. રાજેન્દ્ર પ્રસાદ, ફખરુદ્દીન અલી અહેમદ, જ્ઞાની ઝૈલ સિંહ, આર. વેંકટરામન, શંકર દયાલ શર્મા, કે આર નારાયણન, પ્રતિભા દેવીસિંહ પાટીલ અને પ્રણવ મુખર્જી.

Read More

Breaking News: ‘રામભક્તો પર ગોળીઓ ચલાવનારા, શું જામા મસ્જિદમાં હનુમાન ચાલીસા કરી શકશે ?’ અયોધ્યામાં વિપક્ષ પર વરસ્યા ‘CM યોગી’

રામ મંદિરમાં ચઢાવાની ચોરીના વિવાદ વચ્ચે ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ શુક્રવારે અયોધ્યા પહોંચ્યા હતા, જ્યાં તેમણે રૂ. 432 કરોડથી વધુના વિકાસ કાર્યોની ભેટ આપી હતી. આ દરમિયાન એક જનસભાને સંબોધતા CM યોગીએ સમાજવાદી પાર્ટી અને કોંગ્રેસ પર આકરા પ્રહારો કર્યા હતા.

કોંગ્રેસના દિગ્ગજ નેતા દિગ્વિજય સિંહે કહ્યું- હવે હું રાજનીતિ નહીં ધર્મ રક્ષા કરીશ, અયોધ્યા સુધીની પદયાત્રામાં કારસેવકોને આમંત્રણ આપીશ

રામ મંદિરના દાનની ચોરીથી વ્યથિત થઈ ઉઠેલા, કોંગ્રેસના નેતા દિગ્વિજય સિંહે રાજકારણને બદલે ધર્મરક્ષા કરવાની નવી વાત ઉચ્ચારી છે. દિગ્વિજયસિંહે આગામી 2 ઓક્ટોબરે ઉજ્જૈનથી અયોધ્યા સુધીની પદયાત્રા યોજવાની જાહેરાત કરી છે. આ દરમિયાન, તેમણે તેમની યાત્રા અંગે એક મહત્વપૂર્ણ નિવેદન આપ્યું છે કે તેઓ હવે ફક્ત આસ્થાના રક્ષણ માટે પોતાને ધર્મ સમર્પિત કરશે.

Breaking News: પેપર લીક અને રામ મંદિરના મુદ્દે સંસદમાં જામશે ‘અસલી જંગ’? જાણો ક્યારથી શરૂ થઈ રહ્યું છે ‘ચોમાસુ સત્ર’

દેશના વિકાસ અને મહત્વના મુદ્દાઓ પર ચર્ચા કરવા માટે સંસદનું ચોમાસુ સત્ર ટૂંક સમયમાં શરૂ થવા જઈ રહ્યું છે. રાષ્ટ્રપતિની મંજૂરી બાદ યોજાનારું આ સત્ર આ વખતે ખૂબ જ રસપ્રદ રહેશે, કારણ કે આમાં સરકાર કેટલાક મહત્વના બિલ રજૂ કરી શકે છે. બીજી તરફ, બદલાયેલા રાજકીય સમીકરણો વચ્ચે વિપક્ષ પણ હોબાળો મચાવવા તૈયાર છે.

કુદરત રુઠી છે ત્યારે સરકાર ના રુઠે, ખેડૂતોને 12 કલાક વીજળી આપો, પશુપાલકોને ઘાસચારો આપો: કોંગ્રેસ

અમિત ચાવડાએ, વરસાદ ખેંચાતા સિંચાઈ માટે નહેરોમાં સિંચાઈ માટેનું પાણી છોડવા સરકાર સમક્ષ માંગ કરી છે. ગત વર્ષ કરતા આ વર્ષે 40 ટકા ઓછું વાવેતર થયું છે. જૂન 2025 માં અત્યાર સુધી 11.55 ઇંચ વરસાદ થયો હતો. આ વર્ષે માત્ર સરેરાશ 1 ઇંચ વરસાદ નોંધાયો છે. આવા સંજોગોમાં સરકારે, ધરતીપુત્રોને મદદ શક્ય એટલી મદદ કરવી જોઈએ.

Breaking News : મહેસાણાના પૂર્વ MLA અને જિલ્લા કોંગ્રેસ પ્રમુખ બળદેવજી ઠાકોરનો નિવૃત્તિનો સંકેત, જુઓ Video

મહેસાણામાં પૂર્વ ધારાસભ્ય અને જિલ્લા કોંગ્રેસ પ્રમુખ બળદેવજી ઠાકોરનો નિવૃત્તિનો સંકેત આપ્યો છે. સક્રિય રાજકારણમાંથી નિવૃત્તિ લઈ સલાહકાર સમિતિમાં જોડાવાની ગણતરી છે. યુવાનોને આગળ કરી પોતે માર્ગદર્શકની ભૂમિકા ભજવવાની ઈચ્છા વ્યક્ત કરી છે.

વિકાસના દાવાઓ વચ્ચે ભ્રષ્ટાચારનો ‘નગ્ન નાચ’, ભરેલા તળાવોના નામે ગ્રાન્ટ લૂંટનારા કૌભાંડીઓને કોનું ‘પીઠબળ’?

સુરેન્દ્રનગરના લીંબડીમાં સરકારી યોજનાઓમાં મોટા પાયે ગેરરીતિ થઈ હોવાના આક્ષેપો સામે આવ્યા છે. કોંગ્રેસ દ્વારા સુજલામ સુફલામ યોજનામાં કરોડો રૂપિયાનો ભ્રષ્ટાચાર થયો હોવાનો દાવો કરવામાં આવતા સ્થાનિક રાજકારણમાં ભારે ખળભળાટ મચી ગયો છે.

સુમુલ ડેરી ચૂંટણીમાં રાજકીય ગરમાવો, ઉમેદવારોને ધમકીઓ અને ગેરરીતિના આરોપ, જુઓ Video

સુમુલ ડેરી ચૂંટણી પહેલા રાજકીય ગરમાવો તેજ બન્યો છે. કોંગ્રેસના મહામંત્રી દર્શન નાયકે ભ્રષ્ટ ડિરેક્ટરોની ઉમેદવારી રદ કરવાની માંગ કરી છે. ધમકીઓ અને અપહરણના ભયને કારણે કોંગ્રેસે તેના દસ ઉમેદવારોને અજ્ઞાત સ્થળે સુરક્ષિત રાખ્યા છે.

ખેતરોમાં વીજ થાંભલા નાખવાના મુદ્દે કોંગ્રેસના નેતાનો સરકાર પર આકરા પ્રહાર ” બીજા વિકલ્પ પર કામ કેમ નહીં…?”

મોરબી, જામનગર અને કચ્છમાં ખેડૂતોની ફળદ્રુપ જમીનમાંથી વીજ લાઇન પસાર કરવાના વિરોધમાં કોંગ્રેસ નેતા પાલ આંબલિયાએ સરકારને રણ વિસ્તારનો નવો રૂટ આપ્યો છે.

Breaking News : લોકો આશ્ચર્યમાં: ‘પાણી પર રોડ’ બનાવવાની આ અદભુત ટેકનોલોજી રાધનપુર તંત્ર લાવ્યું ક્યાંથી? જુઓ Video

રાધનપુરના મસાલી રોડ પર ઘૂંટણસમા પાણી ભરાયેલા હોવા છતાં રોડ બનાવવાની કામગીરી ચાલી રહી છે, જેના પર અનેક ગંભીર સવાલો ઉભા થયા છે. કોન્ટ્રાક્ટરની બેદરકારી અને રોડની ગુણવત્તા સામે ભ્રષ્ટાચારના આક્ષેપો થયા છે. કોંગ્રેસ અને ભાજપના કાર્યકરો આ મુદ્દે આક્ષેપ-પ્રતિઆક્ષેપ કરી રહ્યા છે, જ્યારે પ્રશાસન પર મીઠી નજર રાખવાનો આરોપ.

ભાજપ-કોંગ્રેસની મિલીભગત અને જનતા રઝળી પડી! નેતાઓએ ‘ભૂતિયા ડિમોલિશન’નો મોટો ખેલ ખેલ્યો, જુઓ Viral Video

સુરતના નાસિર નગરમાં ઝૂંપડા ખાલી કરાવવા માટે 385 લોકોને 80-80 હજાર રૂપિયા અપાયા હોવાનો વીડિયો વાયરલ થતાં વિવાદ સર્જાયો છે. આ મામલે ભાજપના પૂર્વ માઈનોરિટી પ્રમુખ અને કોંગ્રેસ નેતાની ભૂમિકા સામે સવાલો ઊભા થયા છે.

ભરૂચમાં કોંગ્રેસની ‘મોંઘવારી જેલ’, વિરોધ દરમિયાન પોલીસ કાર્યવાહીથી ગરમાયું રાજકારણ

ભરૂચ રેલવે સ્ટેશન બહાર કોંગ્રેસે મોંઘવારી, બેરોજગારી, NEET પેપર લીક અને ખેડૂતોને ખાતર ન મળવાના મુદ્દે અનોખું વિરોધ પ્રદર્શન કર્યું. કાર્યકરોએ ‘મોંઘવારીની જેલ’ બનાવી સરકાર સામે આક્રોશ વ્યક્ત કર્યો. વિરોધ દરમિયાન પોલીસે અનેક કાર્યકરોની અટકાયત કરતા મામલો વધુ ચર્ચામાં આવ્યો.

Breaking News: દેશની રાજનીતિમાં સૌથી ‘મોટા સમાચાર’, મમતા બેનર્જી તૃણમુલ કોંગ્રેસને વિલીન કરી કોંગ્રેસમાં વાપસી કરે તેવી શક્યતા – જુઓ Video

દેશની રાજનીતિમાંથી આ સમયના સૌથી મોટા સમાચાર સામે આવી રહ્યા છે. પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જી પોતાની પાર્ટી ઓલ ઈન્ડિયા તૃણમૂલ કોંગ્રેસ (TMC) નું વિલીનીકરણ કરીને ફરી એકવાર કોંગ્રેસમાં વાપસી કરે તેવી પ્રબળ શક્યતાઓ દેખાઈ રહી છે.

Breaking News : મીનાક્ષી નટરાજનના નોમિનેશન રદ થવા પર વકીલ અભિષેક મનુ સિંઘવીએ કહી આ વાત

કોંગ્રેસ સાંસદ અભિષેક મનુ સિંધવીએ મીનાક્ષી નટરાજનના રાજ્યસભાના નોમિનેશનને રદ થવાને ગેરકાનુની અને પક્ષપાતી કહ્યું છે. તેમણે કહ્યું કે, નટરાજન વિરુદ્ધ કોઈ અપરાધિક ગુનો નથી. માત્ર નોટિસ જાહેર કરી છે. તેનું નોમિનેશન રદ થવું કાનુની રુપથી ખોટું છે.

INDIA ગઠબંધનની બેઠકમાં લેવાયો નિર્ણય, શિક્ષણ પ્રધાન રાજીનામુ આપે, વોટ લૂંટ વિરુદ્ધ સુપ્રીમકોર્ટના ચીફ જસ્ટીસને લખાશે પત્ર

વિરોધી પક્ષોના સંગઠન INDIA ગઠબંધનની આજે 8 જૂનના રોજ દિલ્હીમાં યોજાયેલ મહત્વપૂર્ણ બેઠક બાદ, કોંગ્રેસ પ્રમુખ મલ્લિકાર્જુન ખડગેએ, જાહેરાત કરી કે ગઠબંધનની બેઠક હવેથી દર બે મહિને બોલાવવામાં આવશે. હવે પછીની બેઠક હૈદરાબાદમાં યોજાવાની છે. બેઠક દરમિયાન પાંચ મુદ્દાઓ પર સર્વસંમતિ સધાઈ હતી. જે પૈકીના એક મુદ્દો સ્પેશિયલ ઇન્ટેન્સિવ રિવિઝન (SIR) ના અંગે મુખ્ય ન્યાયાધીશને પત્ર લખીશું. મલ્લિકાર્જુન ખડગેએ વધુમાં કહ્યું કે, અમે માંગ કરીએ છીએ કે શિક્ષણ મંત્રી તેમના પદ પરથી રાજીનામું આપે.

જો મેં હાઈકમાન્ડ સામે બળવો કર્યો હોત તો શું હું મુખ્યપ્રધાન રહી શક્યો હોત?….અશોક ગેહલોતે ખોલ્યા રહસ્યો

રાજસ્થાન કોંગ્રેસમાં ગત 25 સપ્ટેમ્બર 2022ના રોજ સર્જાયેલ કટોકટી અંગે પૂર્વ મુખ્ય પ્રધાન અશોક ગેહલોતે, મૌન તોડીને અનેક રાજકીય રહસ્ય પરથી પડદો ઉઠાવ્યો છે. અશોક ગેહલોતે મીડિયા સમક્ષ એવી સ્પષ્ટતા કરી છે કે, મારો બળવો પાર્ટી હાઈકમાન્ડ સામે નહીં પરંતુ સચિન પાઈલટ સામે હતો. એ દિવસોમાં સચિન પાઈલટના ટેકેદારો દ્વારા એવી વાતો વહેતી કરી હતી કે, પાર્ટી હાઈકમાન્ડ મારા સ્થાને, સચિન પાઈલટને રાજસ્થાનના મુખ્ય પ્રધાન તરીકે પસંદ કરવા ઈચ્છે છે.

અઝરબૈજાન ફ્લાઇટના ડિસ્ટ્રેસ સિગ્નલથી દોડધામ મચી
અઝરબૈજાન ફ્લાઇટના ડિસ્ટ્રેસ સિગ્નલથી દોડધામ મચી
એશિયન સ્પાઈસીસ કંપનીમાંથી યુકે માટે મસાલાનું પ્રથમ કન્ટેનર થયુ રવાના
એશિયન સ્પાઈસીસ કંપનીમાંથી યુકે માટે મસાલાનું પ્રથમ કન્ટેનર થયુ રવાના
અષાઢી બીજે નવસારીના ઉભરાટ દરિયા કિનારે ઊંચા મોજા
અષાઢી બીજે નવસારીના ઉભરાટ દરિયા કિનારે ઊંચા મોજા
રાજકોટમાં ધોધમાર વરસાદ, ખેડૂતોમાં ખુશીનો માહો
રાજકોટમાં ધોધમાર વરસાદ, ખેડૂતોમાં ખુશીનો માહો
697 વિદ્યાર્થીના ડમી એડમિશન બાદ સફાળી જાગી સરકાર
697 વિદ્યાર્થીના ડમી એડમિશન બાદ સફાળી જાગી સરકાર
હોસ્પિટલના ખાટલે પડેલા પતિ સામે પત્નીની 'રીલબાજી'
હોસ્પિટલના ખાટલે પડેલા પતિ સામે પત્નીની 'રીલબાજી'
જગતના નાથની રથયાત્રામાં નાથને નિહાળી ભાવિકો ભક્તિના રંગે રંગાયા- Video
જગતના નાથની રથયાત્રામાં નાથને નિહાળી ભાવિકો ભક્તિના રંગે રંગાયા- Video
મામાને ઘરે વ્હાલા ભાણેજને આવકારવા સરસરપુરવાસીઓમાં અનેરો થનગનાટ
મામાને ઘરે વ્હાલા ભાણેજને આવકારવા સરસરપુરવાસીઓમાં અનેરો થનગનાટ
પવિત્ર દિવસે મેઘરાજાની 'ધમાકેદાર એન્ટ્રી', બફારાથી મળી લોકોને 'રાહત'
પવિત્ર દિવસે મેઘરાજાની 'ધમાકેદાર એન્ટ્રી', બફારાથી મળી લોકોને 'રાહત'
45 કરોડની ખંડણી ચૂકવતા સુરતના હીરા વેપારી 3 મહિના પછી મુક્ત થયા
45 કરોડની ખંડણી ચૂકવતા સુરતના હીરા વેપારી 3 મહિના પછી મુક્ત થયા
g clip-path="url(#clip0_868_265)">