કોંગ્રેસ
ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસની સ્થાપના 28 ડિસેમ્બર 1885ના રોજ થઈ હતી. 72 પ્રતિનિધિઓએ મળીને સંસ્થા તૈયાર કરી હતી. તેના સ્થાપક જનરલ સેક્રેટરી એ ઓ હ્યુમ હતા. પ્રમુખ વ્યોમેશ ચંદ્ર બેનર્જી હતા. બાળ ગંગાધર તિલકે સંસ્થા દ્વારા સ્વરાજ મિશન શરૂ કર્યું હતું. બાળ ગંગાધર તિલક ઉપરાંત લાલા લજપત રાય, બિપિન ચંદ્ર પાલ, ગોપાલ કૃષ્ણ ગોખલે, ફિરોઝશાહ મહેતા, દાદાભાઈ નવરોજીએ મળીને સ્વરાજ ચળવળને આગળ ધપાવી હતી.
ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસનું રાષ્ટ્રીય ચળવળમાં મહત્વનું યોગદાન માનવામાં આવે છે. સંસ્થાના ઘણા દિગ્ગજોએ સ્વતંત્રતા ચળવળમાં સક્રિય ભાગ લીધો હતો અને જેલ વાસ ભોગવ્યો. 1915માં જ્યારે મહાત્મા ગાંધી જોડાયા ત્યારે સંસ્થાને રાષ્ટ્રીય પ્લેટફોર્મ મળ્યું. તેમના પછી સરદાર વલ્લભભાઈ પટેલ, જવાહર લાલ નેહરુ, રાજેન્દ્ર પ્રસાદ, સુભાષચંદ્ર બોઝ વગેરે જેવા વ્યક્તિ જોડાયા.
1947માં આઝાદી પછી કોંગ્રેસ એક રાજકીય પક્ષ બની ગયો. જવાહરલાલ નેહરુ પ્રથમ વડાપ્રધાન બન્યા. આ પછી કોંગ્રેસ પાર્ટી લગભગ પાંચ દાયકા સુધી કેન્દ્ર સરકારમાં સત્તા પર રહી. 1947 થી 2014 સુધી, 16 લોકસભા ચૂંટણીઓમાંથી, કોંગ્રેસે 6 વખત પૂર્ણ બહુમતી સાથે સરકાર બનાવી. કોંગ્રેસ પાર્ટી કુલ 49 વર્ષ સુધી કેન્દ્ર સરકારનો હિસ્સો રહી. કોંગ્રેસ પણ 4 વખત સત્તાધારી ગઠબંધનમાં સામેલ થઈ.
કોંગ્રેસ પાર્ટી તરફથી કુલ 7 વડાપ્રધાન બન્યા છે. આ નામો છે- જવાહરલાલ નેહરુ, ગુલઝારી નંદા, લાલ બહાદુર શાસ્ત્રી, ઈન્દિરા ગાંધી, રાજીવ ગાંધી, પીવી નરસિમ્હા રાવ અને મનમોહન સિંહ. કોંગ્રેસ પાર્ટીના કેટલાક મોટા નેતાઓના નામ છે- સીતારામ કેસરી, સોનિયા ગાંધી, રાહુલ ગાંધી, પ્રિયંકા ગાંધી, કમલનાથ, અશોક ગેહલોત, દિગ્વિજય સિંહ, પૃથ્વીરાજ ચવ્હાણ, અધીર રંજન ચૌધરી અને મલ્લિકાર્જુન ખડગે વગેરે.
દેશના આઠ પૂર્વ રાષ્ટ્રપતિઓ પણ કોંગ્રેસ પાર્ટી સાથે જોડાયેલા છે. આ નામો છે- ડૉ. રાજેન્દ્ર પ્રસાદ, ફખરુદ્દીન અલી અહેમદ, જ્ઞાની ઝૈલ સિંહ, આર. વેંકટરામન, શંકર દયાલ શર્મા, કે આર નારાયણન, પ્રતિભા દેવીસિંહ પાટીલ અને પ્રણવ મુખર્જી.
સુરતને કોંગ્રેસ મુક્ત કરવાની ભાજપની ચાલનો એક ભાગ ! જાહેરાતની સાથે જ કોંગ્રેસના નવા વરાયેલા હોદ્દેદારોએ ધરી દીધા રાજીનામા
ગુજરાતીમાં એક કહેવત છે, એક સાંધો ત્યાં તેર તુટે. બસ આ કહેવત અત્યારે ગુજરાત સ્થિત કોંગ્રેસને લાગુ પડતી હોય તેવા સંજોગો સર્જાયા છે. સુરત કોંગ્રેસના નવા માળખાની જાહેરાત થતા જ, માળખાના મણકા એક પછી એક વિખરાવા લાગ્યા. એટલે કે જે હોદ્દેદારોની જાહેરાતો કરી હતી તેઓ ટપોટપ રાજીનામા આપવા લાગ્યા. એવુ કહેવાય છે કે, સમગ્ર દેશમાં સુરતને કોંગ્રેસ મુક્ત કરવા ભાજપે આદરેલી જહેમતને સાચી ઠેરવવા માટે યેનકેન પ્રકારે સોગઠાબાજી ગોઠવાઈ રહી છે.
- TV9 Gujarati
- Updated on: Dec 15, 2025
- 3:20 pm
Year Ender 2025 : આ વર્ષે ગુજરાતના રાજકરણમાં થયા મોટા ફેરફાર, અનેક રાજકીય ઘટનાઓ ઘટી
ગુજરાતમાં વર્ષ 2025માં રાજકીય ક્ષેત્રમાં પણ વિવિધ બદલાવ થયા છે. કેટલા રાજનેતાઓએ રાજકીય પાર્ટીમાંથી રાજીનામું આપ્યું છે. તો ગુજરાતને ભાજપના નવા પ્રદેશ પ્રમુખ બન્યા છે. તો ભૂપેન્દ્ર પટેલ સરકારના મંત્રી મંડળનું પણ પુનર્ગઠન કરવામાં આવ્યું છે.
- Disha Thakar
- Updated on: Dec 12, 2025
- 2:38 pm
Breaking News : ભૂતપૂર્વ કેન્દ્રીય ગૃહમંત્રી શિવરાજ પાટિલનું લાતુરમાં નિધન,91 વર્ષની વયે લીધા અંતિમ શ્વાસ
ભૂતપૂર્વ કેન્દ્રીય ગૃહમંત્રી શિવરાજ પાટિલનું 91 વર્ષની વયે નિધન થયું છે. તેમણે લાંબી બીમારી બાદ તેમના નિવાસસ્થાને અંતિમ શ્વાસ લીધા. તેમણે કેન્દ્ર સરકારમાં અનેક ઉચ્ચ હોદ્દાઓ સંભાળ્યા હતા અને લાતુર લોકસભા મતવિસ્તારમાંથી સાત વખત સાંસદ તરીકે ચૂંટાયા હતા. પાર્ટીએ તેમના નિધન પર શોક વ્યક્ત કર્યો છે.
- Disha Thakar
- Updated on: Dec 12, 2025
- 9:07 am
Breaking News: નાગરિકતા પહેલાં મતદાર યાદીમાં નામ દાખલ કરવા બદલ સોનિયા ગાંધીને કોર્ટે ફટકારી નોટિસ
દિલ્હી કોર્ટે કોંગ્રેસ નેતા સોનિયા ગાંધીને મતદાર યાદીના કેસમાં નોટિસ ફટકારી છે જેમાં આરોપ મૂકવામાં આવ્યો છે કે તેઓ ભારતીય નાગરિકતા મેળવતા પહેલા મતદાર બન્યા હતા.
- Manish Gangani
- Updated on: Dec 9, 2025
- 9:38 pm
મુસ્લિમ લીગ સાથે ગઠબંધનમાં સરકાર બનાવી ત્યારે તમારી દેશભક્તિ ક્યાં હતી ? ભાજપને ખરગેનો સણસણતો સવાલ
રાજ્યસભામાં "વંદે માતરમ" પર ગરમાગરમ ચર્ચા શરૂ થઈ હતી. ગૃહમંત્રી અમિત શાહે, વંદેમાતરમને લઈને એવા પ્રહાર કર્યા કે કોંગ્રેસ પાર્ટીને ઘેરી લીધી. જવાબમાં કોંગ્રેસ અધ્યક્ષે કહ્યું કે જે લોકોએ ગઈકાલ સુધી વંદે માતરમ ગાયું ન હતું તેઓ હવે વંદેમાતરમને લઈને ચિંતિત છે.
- TV9 Gujarati
- Updated on: Dec 9, 2025
- 3:36 pm
Breaking News : એક ભૂલને કારણે નવજોત સિદ્ધુને કોંગ્રેસમાંથી કરાયા સસ્પેન્ડ, જાણો કારણ
પંજાબ કોંગ્રેસમાં મોટો રાજકીય ધડાકો થયો છે. નવજોત કૌર સિદ્ધુને કોંગ્રેસે પ્રાથમિક સભ્યપદ પરથી સસ્પેન્ડ કર્યા છે. મુખ્યમંત્રી પદ માટે ₹500 કરોડની લેણદેણના વિવાદાસ્પદ નિવેદન બાદ આ કાર્યવાહી થઈ છે.
- Sagar Solanki
- Updated on: Dec 8, 2025
- 8:10 pm
અમદાવદમાં આકાર લઈ રહ્યા છે ત્રણ નવા સ્પોર્ટ્સ કોમ્પલેક્સ, અમિત શાહે કર્યુ ભૂમિપૂજન- 2036ની ઓલિમ્પિક માટે તૈયારીઓ તડામાર- જુઓ VIDEO
ત્રણ સ્થળોએ સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સનું ભૂમિપૂજન, ઇન્ફ્રાસ્ટ્રક્ચર અપગ્રેડથી શહેરને ગ્લોબલ સ્પોર્ટ્સ હબ બનાવવા દિશામાં; 2036 ઓલિમ્પિક માટે લાંબા ગાળાનો તૈયારીઓ રોડમૅપ,
- TV9 Gujarati
- Updated on: Dec 8, 2025
- 2:46 pm
“આપણે અહીં બૂમો પાડવા નથી આવ્યા” સંસદમાં હંગામા પર શશી થરૂરે પોતાની જ પાર્ટીના સાંસદોને ટપાર્યા
સંસદમાં હંગામો કરી રહેલા સાંસદોને કોંગ્રેસના સાંસદ શશી થરૂરે તેમની જ પાર્ટીના સાંસદોને ટકોર કરી. તેમણે વિપક્ષી સાંસદોને કહ્યું કે જનતાએ આપણને અહીં તેમનું પ્રતિનિધિત્વ કરવા માટે મોકલ્યા છે, હંગામો કરવા અને બૂમો પાડવા માટે નહીં.
- Mina Pandya
- Updated on: Dec 6, 2025
- 2:42 pm
પુતિનના સન્માનમાં આયોજિત ડિનરમાં સરકારે શશી થરૂરને આપ્યુ આમંત્રણ, ખરગે ,રાહુલની કરાઈ બાદબાકી
કોંગ્રેસ પક્ષના સૂત્રોના જણાવ્યા અનુસાર, કોંગ્રેસના સાંસદ શશી થરૂરને પુતિનના સન્માનમાં આયોજિત ડિનરનું આમંત્રણ મળ્યું હતુ. થરૂરે આ આમંત્રણ મળ્યાની પુષ્ટિ કરી હતી અને કહ્યું હતુ કે તેઓ ચોક્કસપણે આ કાર્યક્રમમાં સામેલ થશે.
- Mina Pandya
- Updated on: Dec 6, 2025
- 1:35 pm
Breaking News: જામનગરમાં થયો જુતાકાંડ, ગોપાલ ઈટાલિયા પર અજાણ્યા શખ્સે ફેંક્યુ જુતુ- Video
જામનગરમાં આમ આદમી પાર્ટીની સભા દરમિયાન ધારાસભ્ય ગોપાલ ઈટાલિયા પર અજાણ્યા શખ્સે જૂતું ફેંક્યું હતું. આ ઘટનાથી સભામાં ભારે હંગામો મચી ગયો હતો. સભામાં હાજર લોકોએ તેની ધોલાઈ કરી હતી. પોલીસે તુરંત જૂતું ફેંકનારની અટકાયત કરી હતી.
- Mina Pandya
- Updated on: Dec 5, 2025
- 9:21 pm
Tata Group ના ટ્રસ્ટે ભાજપને આપ્યા 357 કરોડ, કોંગ્રેસને મળ્યા 77 કરોડ, જાણો અન્ય દળોને કેટલા મળ્યા?
ઈલેક્ટોરલ ટ્રસ્ટોનો તાજેતરનો રિપોર્ટ જણાવે છે કે ફેબ્રુઆરી 2024માં સુપ્રીમ કોર્ટ દ્વારા ઈલેક્ટોરલ બોન્ડ ખતમ કર્યા બાદ પણ ભાજપની ફન્ડીંગ પર કોઈ મોટી અસર નહીં થાય.
- Mina Pandya
- Updated on: Dec 3, 2025
- 3:14 pm
રાજ્યસભાના નવા અધ્યક્ષના સ્વાગતમાં ખડગેએ એવુ તો શું કહ્યું ? કે, ગૃહમા અકળાઈ જઈને ભાજપે કહ્યું-તકલીફ હોય તો ડોકટરને બતાવો
આજથી સંસદનુ શિયાળુ સત્રનો પ્રારંભ થયો છે. રાજ્યસભામાં દેશના નવા ઉપરાષ્ટ્રપતિ અને રાજયસભાના અધ્યક્ષના સ્વાગત સંબોધનમાં, વિપક્ષના નેતા અને કોંગ્રેસ પક્ષના રાષ્ટ્રીય અધ્યક્ષ મલ્લિકાર્જૂન ખરગેએ એવુ નિવેદન કર્યું કે, શિયાળાની ઠંડીમાં રાજ્યસભામાં રાજકીય ગરમી વધી ગઈ હતી.
- TV9 Gujarati
- Updated on: Dec 1, 2025
- 2:35 pm
પિતા 3 વખત ગુજરાતના મુખ્યમંત્રી રહી ચૂક્યા, વિવાદોમાં રહી ચૂક્યા છે ભરતસિંહ સોંલકી- આવો છે પરિવાર
આજે આપણે એક એવા નેતા વિશે વાત કરીશું કે, જેના પિતા 3 વખત ગુજરાતના મુખ્યમંત્રી રહી ચૂક્યા છે. તેમજ રાજકારણમાં પણ તેનું ખુબ મોટું નામ હતુ.માધવ સિંહ સોલંકીના દીકરા ભરતસિંહ સોલંકીના પરિવાર અને પર્સનલ લાઈફ વિશે વાત કરીએ.
- Nirupa Duva
- Updated on: Dec 1, 2025
- 7:14 am
નેશનલ હેરાલ્ડ કેસમાં દાખલ થઈ નવી FIR, રાહુલ ગાંધી-સોનિયા ગાંધી, સામ પિત્રોડા સહીતનાઓ પર કાવતરુ ઘડ્યાનો આરોપ
દિલ્હી પોલીસની આર્થિક ગુના નિવારણ શાખાએ, નેશનલ હેરાલ્ડ કેસમાં સોનિયા ગાંધી, રાહુલ ગાંધી અને અન્ય વ્યક્તિઓ તેમજ ત્રણ કંપનીઓ વિરુદ્ધ નવી FIR દાખલ કરી છે. આ FIR માં એવો આરોપ લગાવાયો છે કે એસોસિએટેડ જર્નલ્સ લિમિટેડ (AJL) ની ₹2,000 કરોડની સંપત્તિ માત્ર ₹50 લાખમાં જપ્ત કરવા માટે ગુનાહિત કાવતરું ઘડવામાં આવ્યું હતું.
- TV9 Gujarati
- Updated on: Nov 30, 2025
- 9:11 am
Breaking News : અહેમદ પટેલના સંતાનો વચ્ચે ખેલાયુ રાજકારણ, નવી રાજકીય પાર્ટી બનાવવા પુત્ર ફૈઝલનો ઈશારો, પુત્રી મુમતાઝના અલગ સૂર
ભરુચમાં અહેમદ પટેલના સંતાનો વચ્ચે રાજકારણ ગરમાયું છે. અહેમદ પટેલના પુત્ર ફૈઝલ પટેલની સોશિયલ મીડિયા પર કરેલી પોસ્ટ ચર્ચામાં આવી છે. જેમાં તેમને લખ્યું છે કે તેઓ કોંગ્રેસમાંથી અલગ પડીને CONGRESS AP પાર્ટી બનાવવાની વિચારણા કરી રહ્યાં છે.
- TV9 Gujarati
- Updated on: Nov 29, 2025
- 11:24 am