
કોંગ્રેસ
ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસની સ્થાપના 28 ડિસેમ્બર 1885ના રોજ થઈ હતી. 72 પ્રતિનિધિઓએ મળીને સંસ્થા તૈયાર કરી હતી. તેના સ્થાપક જનરલ સેક્રેટરી એ ઓ હ્યુમ હતા. પ્રમુખ વ્યોમેશ ચંદ્ર બેનર્જી હતા. બાળ ગંગાધર તિલકે સંસ્થા દ્વારા સ્વરાજ મિશન શરૂ કર્યું હતું. બાળ ગંગાધર તિલક ઉપરાંત લાલા લજપત રાય, બિપિન ચંદ્ર પાલ, ગોપાલ કૃષ્ણ ગોખલે, ફિરોઝશાહ મહેતા, દાદાભાઈ નવરોજીએ મળીને સ્વરાજ ચળવળને આગળ ધપાવી હતી.
ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસનું રાષ્ટ્રીય ચળવળમાં મહત્વનું યોગદાન માનવામાં આવે છે. સંસ્થાના ઘણા દિગ્ગજોએ સ્વતંત્રતા ચળવળમાં સક્રિય ભાગ લીધો હતો અને જેલ વાસ ભોગવ્યો. 1915માં જ્યારે મહાત્મા ગાંધી જોડાયા ત્યારે સંસ્થાને રાષ્ટ્રીય પ્લેટફોર્મ મળ્યું. તેમના પછી સરદાર વલ્લભભાઈ પટેલ, જવાહર લાલ નેહરુ, રાજેન્દ્ર પ્રસાદ, સુભાષચંદ્ર બોઝ વગેરે જેવા વ્યક્તિ જોડાયા.
1947માં આઝાદી પછી કોંગ્રેસ એક રાજકીય પક્ષ બની ગયો. જવાહરલાલ નેહરુ પ્રથમ વડાપ્રધાન બન્યા. આ પછી કોંગ્રેસ પાર્ટી લગભગ પાંચ દાયકા સુધી કેન્દ્ર સરકારમાં સત્તા પર રહી. 1947 થી 2014 સુધી, 16 લોકસભા ચૂંટણીઓમાંથી, કોંગ્રેસે 6 વખત પૂર્ણ બહુમતી સાથે સરકાર બનાવી. કોંગ્રેસ પાર્ટી કુલ 49 વર્ષ સુધી કેન્દ્ર સરકારનો હિસ્સો રહી. કોંગ્રેસ પણ 4 વખત સત્તાધારી ગઠબંધનમાં સામેલ થઈ.
કોંગ્રેસ પાર્ટી તરફથી કુલ 7 વડાપ્રધાન બન્યા છે. આ નામો છે- જવાહરલાલ નેહરુ, ગુલઝારી નંદા, લાલ બહાદુર શાસ્ત્રી, ઈન્દિરા ગાંધી, રાજીવ ગાંધી, પીવી નરસિમ્હા રાવ અને મનમોહન સિંહ. કોંગ્રેસ પાર્ટીના કેટલાક મોટા નેતાઓના નામ છે- સીતારામ કેસરી, સોનિયા ગાંધી, રાહુલ ગાંધી, પ્રિયંકા ગાંધી, કમલનાથ, અશોક ગેહલોત, દિગ્વિજય સિંહ, પૃથ્વીરાજ ચવ્હાણ, અધીર રંજન ચૌધરી અને મલ્લિકાર્જુન ખડગે વગેરે.
દેશના આઠ પૂર્વ રાષ્ટ્રપતિઓ પણ કોંગ્રેસ પાર્ટી સાથે જોડાયેલા છે. આ નામો છે- ડૉ. રાજેન્દ્ર પ્રસાદ, ફખરુદ્દીન અલી અહેમદ, જ્ઞાની ઝૈલ સિંહ, આર. વેંકટરામન, શંકર દયાલ શર્મા, કે આર નારાયણન, પ્રતિભા દેવીસિંહ પાટીલ અને પ્રણવ મુખર્જી.
રાહુલ ગાંધીના ગુજરાત પ્રવાસનો બીજો દિવસ, મોડાસાથી પ્રારંભ કરાવશે સંગઠન સર્જન અભિયાન, જુઓ Video
રાહુલ ગાંધીના ગુજરાત પ્રવાસનો આજે બીજો દિવસ છે. કોંગ્રેસના રાષ્ટ્રીય સંગઠન સર્જન અભિયાનનો આજથી પ્રારંભ થયો છે. મોડાસાથી રાહુલ ગાંધી અભિયાનની શરુઆત કરશે. વર્ષ 2025ને સંગઠન વર્ષ તરીકે કોંગ્રેસનો નિર્ણય તરીકે ઉજવવાનો છે. સંગઠનમાં પરિવર્તનના પાયલોટ પ્રોજેક્ટ તરીકે ગુજરાતની પસંદગી કરી છે.
- TV9 Gujarati
- Updated on: Apr 16, 2025
- 11:34 am
નહેરૂએ સરદારનું અપમાન કરવામાં કોઈ કસર બાકી નહોંતી રાખી ત્યારે ‘નહેરુ અને સરદાર એક જ સિક્કાની બે બાજુ’ એવા કોંગ્રેસના દાવામાં કેટલુ તથ્ય? વાંચો
તાજેતરમાં ગુજરાતમાં 9 એપ્રિલે મળેલા કોંગ્રેસના રાષ્ટ્રીય અધિવેશનમાં કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ મલ્લિકાર્જુન ખરગેએ સરદારની વિરાસત પર દાવો કરવા બદલ ભાજપને આડે હાથ લીધી હતી. આ સમયે ખરગે એ પણ દાવો કરતા જોવા મળ્યા કે નહેરુ અને સરદારના સંબંધો અત્યંત સ્નેહપૂર્ણ હતા, માની લો કે બંને એક સિક્કાની બે બાજુ જેવા હતા. ભાજપ અને સંઘ તેમના સંબંધોને લઈને દેશની જનતાને ગુમરાહ કરી રહી છે. ત્યારે આજે જાણીશુ કે કોંગ્રેસના આ દાવામાં કેટલુ સત્ય છે. શું ખરેખર નહેરુને સરદાર માટે આદરભાવ હતો? શું નહેરુએ કે ગાંધી પરિવારે ક્યારેય સરદારની અવગણના નથી કરી? જો કોંગ્રેસ આ દાવો કરી રહી છે તો જાણીલો કે ઈતિહાસના પન્ને આ બંનેના સંબંધો અંગે શું અંકિત થયેલુ છે.
- Mina Pandya
- Updated on: Apr 15, 2025
- 8:40 pm
રાહુલ ગાંધી – સોનિયા ગાંધીની વધશે મુશ્કેલી, નેશનલ હેરાલ્ડ મની લોન્ડરિંગ કેસમાં EDએ દાખલ કરેલ ચાર્જશીટમાં બન્નેનો નામોલ્લેખ
નેશનલ હેરાલ્ડ મની લોન્ડરિંગ કેસમાં એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED) એ કોંગ્રેસના સાંસદ રાહુલ ગાંધી, અને રાજ્યસભાના સાંસદ સોનિયા ગાંધી તેમજ કોંગ્રેસના ઓવરસીઝ વડા સામ પિત્રોડા વિરુદ્ધ ફરિયાદ દાખલ કરી છે. આ ચાર્જશીટમાં આ ત્રણેય ઉપરાંત સુમન દુબે અને અન્ય લોકોના નામ પણ સામેલ છે. આ કેસમાં ઈડીએ દાખલ કરેલ ચાર્જશીટમાં દર્શાવેલા આરોપોની નોંધ લેવા માટે કોર્ટે 25 એપ્રિલની સુનાવણીની તારીખ નક્કી કરી છે.
- TV9 Gujarati
- Updated on: Apr 15, 2025
- 7:40 pm
રાહુલ ગાંધી મનીષ રાજ માટે બન્યો ‘વરદાનરૂપી’ અને આપ્યું ‘વચન’, જાણો કોણ છે મનીષ રાજ?
મનીષ રાજ માટે રાહુલ ગાંધી બન્યા 'દેવદૂત', રાહુલ ગાંધીએ ફરીવાર જનતાની વાહવાહી મેળવી. આજની મુલાકાત થયા બાદ રાહુલ ગાંધીએ મનીષ રાજને આપી ખાતરી.
- Ravi Prajapati
- Updated on: Apr 15, 2025
- 5:47 pm
સંગઠનમાં દેશવ્યાપી આમૂલ ફેરફારની કોંગ્રેસે ગુજરાતથી કરી શરૂઆત, જિલ્લા નિરીક્ષકોની ટીમની કરાઈ રચના
કોંગ્રેસ પક્ષે ગુજરાતમાં સત્તા મેળવવા માટે કમર કસી છે. એઆઈસીસીનુ રાષ્ટ્રિય અધિવેશન અમદાવાદમાં યોજ્યા બાદ, લોકસભા વિપક્ષના નેતા અને કોંગ્રેસના પૂર્વ રાષ્ટ્રિય અધ્યક્ષ રાહુલ ગાંધીએ આજે અમદાવાદમાં આવેલા પ્રદેશ કાર્યાલયે બેઠક યોજી હતી. આ બેઠકમાં જિલ્લા દિઠ પાંચ સભ્યોની એક ટીમ બનાવવામાં આવી છે.
- Narendra Rathod
- Updated on: Apr 15, 2025
- 5:25 pm
કેવા હતા આંબેડકર અને નહેરૂ વચ્ચેના સંબંધો? કેમ પંડિતજીને આંખના કણાની માફક ખૂંચતા હતા બાબા સાહેબ- વાંચો
ભારતના બંધારણના નિર્માતા ડૉ. ભીમરાવ આંબેડકરની દેશ 134મી જન્મ જયંતી ઉજવી રહ્યો છે. આજે બાબા સાહેબના નામે તમામ રાજકીય પાર્ટી જશ લેવાનું ચૂકતી નથી ત્યારે એક સમય એવો પણ હતો કે બાબા સાહેબને એ સન્માન પણ આપવામાં ન આવ્યુ જેના તેઓ ખરા હક્કદાર હતા. પંડિત નહેરૂ સહિત કોંગ્રેસ પર પહેલેથી એવા આક્ષેપો થતા આવ્યા છે કે તેમણે આંબેડકરના યોગદાનને ભૂલાવવાનો પ્રયાસ કર્યો. ત્યારે આ આક્ષેપોમાં કેટલુ તથ્ય છે તે જાણીએ.
- Mina Pandya
- Updated on: Apr 14, 2025
- 9:03 pm
રાહુલ ગાંધી ફરી ગુજરાતની બે દિવસની મુલાકાતે, સંગઠન સર્જન અભિયાન પ્રોજેક્ટનો ગુજરાતથી કરાવશે પ્રારંભ
કોંગ્રેસનું બે દિવસીય રાષ્ટ્રીય અધિવેશન પૂરુ થયું છે ને એવામાં ફરી એકવાર રાહુલ ગાંધી ગુજરાતની મુલાકાતે, શરૂ કરશે ‘સંગઠન સર્જન અભિયાન' પ્રોજેક્ટ પર કામ.
- TV9 Gujarati
- Updated on: Apr 13, 2025
- 6:42 pm
વિનેશ ફોગાટને મળશે 4 કરોડ રૂપિયા, હરિયાણા સરકારે પુરસ્કાર તરીકે આપ્યા હતા 4 વિકલ્પ
કુસ્તીબાજમાંથી અને કોંગ્રેસના ધારાસભ્ય વિનેશ ફોગાટને 50 કિલોગ્રામ કેટેગરીમાં ગોલ્ડ મેડલ ચેમ્પિયનશીપમાં વધુ વજનને કારણે વર્ષ 2024માં પેરિસ ઓલિમ્પિકમાંથી ડિસક્વોલિફાય કરી દેવામાં આવી હતી.
- Mina Pandya
- Updated on: Apr 11, 2025
- 2:21 pm
ગુજરાતમાં 64 વર્ષ બાદ કોંગ્રેસનું રાષ્ટ્રીય અધિવેશન, જાતિ જનગણના સહિત અનેક મુદે રાહુલ ગાંધીએ ઉઠાવ્યા સવાલ, જુઓ Video
રાહુલ ગાંધીએ ગુજરાતના અધિવેશનમાં જાતિ ગણતરીની તાતી માંગ કરી. તેમણે દેશમાં દલિત, આદિવાસી અને અન્ય પછાત વર્ગોની ભાગીદારીની વાસ્તવિક સ્થિતિ જાણવાની માંગણી કરી.
- TV9 Gujarati
- Updated on: Apr 9, 2025
- 6:30 pm
કોંગ્રેસના અધિવેશનમાં ટીકારામ જુલીનો મુદ્દો ઉઠાવીને ખરગેએ ભાજપને કર્યો સવાલ, શું દલિતો હિન્દુ નથી?
ગુજરાતના અમદાવાદમાં કોંગ્રેસના અધિવેશન દરમિયાન રાજસ્થાન વિધાનસભાના વિરોધ પક્ષી નેતા ટીકારામ જુલીનો મુદ્દો ઉઠાવવામાં આવ્યો હતો. કોંગ્રેસ પ્રમુખ મલ્લિકાર્જુન ખડગેએ તેમના કેસ અંગે ભાજપની ટીકા કરી હતી.
- Ravi Prajapati
- Updated on: Apr 9, 2025
- 5:46 pm
કોંગ્રેસના નેતાઓને મલ્લિકાર્જુનની ચીમકી, કહી દીધી આ મોટી વાત..
અમદાવાદમાં સાબરમતી નદીના કિનારે કોંગ્રેસના અધિવેશનમાં, કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેએ પાર્ટીના નેતાઓને કડક સંદેશ આપ્યો છે. તેમણે બુધવારે કહ્યું હતું કે, જે લોકો પાર્ટીના કામમાં મદદ નથી કરતા તેઓએ આરામ કરવાની જરૂર છે.
- Ravi Prajapati
- Updated on: Apr 9, 2025
- 5:13 pm
‘સરકારે ચૂંટણીમાં તેમને ફાયદો થાય તેવી ટેકનિક બનાવી’, કોંગ્રેસના રાષ્ટ્રીય અધિવેશનમાં ખડગેએ આપ્યું નિવેદન, જુઓ Video
આજે કોંગ્રેસનું રાષ્ટ્રીય અધિવેશન સાબરમતી તટે મળ્યું છે. અમદાવાદમાં એક સદી અને ગુજરાતમાં 6 દાયકા બાદ કોંગ્રેસનું રાષ્ટ્રીય અધિવેશન મળી રહ્યું છે. કોંગ્રેસના રાષ્ટ્રીય અધિવેશનમાં દેશના તમામ રાજ્યોના એઆઈસીસી ડેલીગેટ ઉપસ્થિત રહ્યાં છે.
- Narendra Rathod
- Updated on: Apr 9, 2025
- 2:23 pm
કોંગ્રેસની CWC માં પ્રિયંકા ગાંધીને મોટી જવાબદારી સોંપવા અંગે મંથન, ખરગેએ સંઘને લીધુ આડેહાથ, ભાજપને સરદારના નામે ઘેરી
કોંગ્રેસની 3.30 કલાક ચાલેલી વર્કિંગ કમિટીની અધ્યક્ષતા કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ મલ્લિકાર્જુન ખરગે એ કરી. તેમણે ભાજપ પર રાષ્ટ્રીય નાયકોના નામે લોકોમાં ગેરસમજ ઉભી કરી ષડયંત્ર ચલાવવાનો આરોપ લગાવ્યો. આ સાથે તેઓ સંઘ પર પણ ચાબખા મારવાનું ચુક્યા ન હતા.
- Narendra Rathod
- Updated on: Apr 8, 2025
- 8:25 pm
કોંગ્રેસના તમામ જિલ્લાધ્યક્ષોને સોંપાશે નવી જવાબદારી, ગ્રાસરૂટ લેવલે કોંગ્રેસને વધુ મજબૂત કરવા પર CWCમાં ચર્ચા- સચિન પાયલોટ
ગુજરાતમાં કોંગ્રેસનું રાષ્ટ્રીય અધિવેશન અંતર્ગત રાષ્ટ્રીય કાર્યકારિણી ચાલી રહી છે ત્યારે બેઠકમાં કયા મહત્વપૂર્ણ મુદ્દાઓ પર ચર્ચા કરવામા આવી રહી છે તે અંગે સચિન પાયલોટે મીડિયા સાથેની વાતચીતમાં જણાવ્યુ કે બેઠકમાં દેશભરના કોંગ્રેસના જિલ્લાધ્યક્ષોની વધુ સશક્ત કરવા પર ભાર મુકવામાં આવી રહ્યો છે. આજે ચાલી રહેલી કાર્યકારિણીના અંતે ન્યાયપથ નામથી રિઝોલ્યુશન પણ પારિત કરવામાં આવશે.
- Narendra Rathod
- Updated on: Apr 8, 2025
- 4:03 pm
અમદાવાદમાં કોંગ્રેસના બે દિવસીય રાષ્ટ્રીય અધિવેશનનો થયો પ્રારંભ, પ્રથમ દિવસે CWCની બેઠક, ગાંધી આશ્રમમાં પ્રાર્થના સહિતના આ રહેશે કાર્યક્રમો- Video
અમદાવાદમાં કોંગ્રેસના બે દિવસીય રાષ્ટ્રીય અધિવેશનનો આજે 8મી એપ્રિલથી પ્રારંભ થયો છે. બે દિવસ ચાલનારા આ અધિવેશનમાં 2500 થી વધુ કોંગ્રેસના દિગ્ગજ નેતાઓ સામેલ થયા છે. ત્યારે આવો જાણીએ આ બે દિવસ દરમિયાન કોંગ્રેસનો શું રહેશે કાર્યક્રમ.
- Narendra Rathod
- Updated on: Apr 8, 2025
- 1:45 pm