કોંગ્રેસ

કોંગ્રેસ

ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસની સ્થાપના 28 ડિસેમ્બર 1885ના રોજ થઈ હતી. 72 પ્રતિનિધિઓએ મળીને સંસ્થા તૈયાર કરી હતી. તેના સ્થાપક જનરલ સેક્રેટરી એ ઓ હ્યુમ હતા. પ્રમુખ વ્યોમેશ ચંદ્ર બેનર્જી હતા. બાળ ગંગાધર તિલકે સંસ્થા દ્વારા સ્વરાજ મિશન શરૂ કર્યું હતું. બાળ ગંગાધર તિલક ઉપરાંત લાલા લજપત રાય, બિપિન ચંદ્ર પાલ, ગોપાલ કૃષ્ણ ગોખલે, ફિરોઝશાહ મહેતા, દાદાભાઈ નવરોજીએ મળીને સ્વરાજ ચળવળને આગળ ધપાવી હતી.

ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસનું રાષ્ટ્રીય ચળવળમાં મહત્વનું યોગદાન માનવામાં આવે છે. સંસ્થાના ઘણા દિગ્ગજોએ સ્વતંત્રતા ચળવળમાં સક્રિય ભાગ લીધો હતો અને જેલ વાસ ભોગવ્યો. 1915માં જ્યારે મહાત્મા ગાંધી જોડાયા ત્યારે સંસ્થાને રાષ્ટ્રીય પ્લેટફોર્મ મળ્યું. તેમના પછી સરદાર વલ્લભભાઈ પટેલ, જવાહર લાલ નેહરુ, રાજેન્દ્ર પ્રસાદ, સુભાષચંદ્ર બોઝ વગેરે જેવા વ્યક્તિ જોડાયા.

1947માં આઝાદી પછી કોંગ્રેસ એક રાજકીય પક્ષ બની ગયો. જવાહરલાલ નેહરુ પ્રથમ વડાપ્રધાન બન્યા. આ પછી કોંગ્રેસ પાર્ટી લગભગ પાંચ દાયકા સુધી કેન્દ્ર સરકારમાં સત્તા પર રહી. 1947 થી 2014 સુધી, 16 લોકસભા ચૂંટણીઓમાંથી, કોંગ્રેસે 6 વખત પૂર્ણ બહુમતી સાથે સરકાર બનાવી. કોંગ્રેસ પાર્ટી કુલ 49 વર્ષ સુધી કેન્દ્ર સરકારનો હિસ્સો રહી. કોંગ્રેસ પણ 4 વખત સત્તાધારી ગઠબંધનમાં સામેલ થઈ.

કોંગ્રેસ પાર્ટી તરફથી કુલ 7 વડાપ્રધાન બન્યા છે. આ નામો છે- જવાહરલાલ નેહરુ, ગુલઝારી નંદા, લાલ બહાદુર શાસ્ત્રી, ઈન્દિરા ગાંધી, રાજીવ ગાંધી, પીવી નરસિમ્હા રાવ અને મનમોહન સિંહ. કોંગ્રેસ પાર્ટીના કેટલાક મોટા નેતાઓના નામ છે- સીતારામ કેસરી, સોનિયા ગાંધી, રાહુલ ગાંધી, પ્રિયંકા ગાંધી, કમલનાથ, અશોક ગેહલોત, દિગ્વિજય સિંહ, પૃથ્વીરાજ ચવ્હાણ, અધીર રંજન ચૌધરી અને મલ્લિકાર્જુન ખડગે વગેરે.

દેશના આઠ પૂર્વ રાષ્ટ્રપતિઓ પણ કોંગ્રેસ પાર્ટી સાથે જોડાયેલા છે. આ નામો છે- ડૉ. રાજેન્દ્ર પ્રસાદ, ફખરુદ્દીન અલી અહેમદ, જ્ઞાની ઝૈલ સિંહ, આર. વેંકટરામન, શંકર દયાલ શર્મા, કે આર નારાયણન, પ્રતિભા દેવીસિંહ પાટીલ અને પ્રણવ મુખર્જી.

Read More

વાવ બેઠકની પેટા ચૂંટણી મુદ્દે મોટા સમાચાર, કોંગ્રેસના ઉમેદવાર તરીકે ગુલાબસિંહ રાજપૂતનું નામ ફાઇનલઃ સૂત્ર

વાવ બેઠક માટે કોંગ્રેસના ઉમેદવારને લઈને મોટા સમાચાર સામે આવ્યા છે. સૂત્રો દ્વારા મળતી માહિતી અનુસાર, કોંગ્રેસના ઉમેદવાર તરીકે ગુલાબસિંહનું નામ ફાઇનલ હોવાનું મનાઈ રહ્યું છે. આવતીકાલેગુલાબસિંહ રાજપૂતના નામની જાહેરાત થઈ શકે છે.

બનાસકાંઠાની વાવ વિધાનસભાની પેટાચૂંટણીમાં જામશે ત્રિપાંખિયો જંગ, જુઓ Video

વાવ બેઠક પર પેટાચૂંટણીની જાહેરાત સાથે રાજકારણ પણ ગરમાયું છે. બનાસકાંઠાની વાવ વિધાનસભા બેઠકની ચૂંટણીમાં ત્રિપાંખિયો જંગ જામી શકે છે. વાવ વિધાનસભા બેઠક પર આમ આદમી પાર્ટીનો ઉમેદવાર ચૂંટણીમાં ઉતરી શકે છે.

ગુજરાતની આ વિધાનસભા બેઠક પર જામશે પેટાચૂંટણીનો જંગ, જાહેરાત બાદ સાંસદ ગેનીબેનનું નિવેદન આવ્યું સામે, જુઓ Video

વાવ વિધાનસભા બેઠક પર જામશે પેટાચૂંટણીનો જંગ જામશે. વાવ વિધાનસભા બેઠકની 13 નવેમ્બરે પેટાચૂંટણી યોજાશે. કેન્દ્રીય ચૂંટણી પંચે પેટાચૂંટણીની તારીખ જાહેર કરી છે. 13 નવેમ્બરે મતદાન યોજાશે, 23 નવેમ્બરે પરિણામ આવશે. ગેનીબેન ઠાકોર સાંસદ બનતા બેઠક ખાલી પડી હતી.

પુત્રી ડોક્ટર અને પુત્ર કોંગ્રેસના ધારાસભ્ય, બાબા સિદ્દીકીનું રાજકારણથી લઈ બોલિવુડમાં હતુ મોટું નામ

બાબા સિદ્દીકીનો પરિવાર વધુ મોટો નથી, બાબા સિદ્દીકીના પરિવારમાં તેમના 2 બાળકો છે. જેમાં એક પુત્ર અને એક પુત્રી છે. દિકરી ડોક્ટર અને દિકરો ધારાસભ્ય છે. બાબા સિદ્દીકીની 12 ઓક્ટોબરના રોજ ગોળી મારી હત્યા કરી દેવામાં આવી છે. તો આજે આપણે બાબા સિદ્દીકીના પરિવાર વિશે વાત કરીએ.

Baba Siddique Murder : જાણો કોણ છે NCP નેતા બાબા સિદ્દીકી, જેની જાહેરમાં ગોળી મારી હત્યા કરાઈ

અજિત પવારની આગેવાની વાળી એનસીપી નેતા બાબા સિદ્દીકીની શનિવાર મોડી રાત્રે બાંદ્રાના પૂર્વમાં ખેરવાડી સિંગ્નલ પાસ 3 હુમાલાખોરે ગોળી મારી હત્યા કરી હતી. તો ચાલો જાણો કોણ છે આ નેતા બાબા સિદ્દીકી.

મુંબઈમાં NCP નેતા બાબા સિદ્દીકીની હત્યાં, 3 ગોળી મારી હોવાનું સામે આવ્યું

NCP અજિત પવાર જૂથના નેતા બાબા સિદ્દીકીને મહારાષ્ટ્રમાં ગોળી મારી હોવાની ઘટના બની છે. તેમને લીલાવતી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. મહત્વનું છે કે હવે તેમના મોતના સમાચાર સામે આવી રહ્યા છે.

હરિયાણાની ચૂંટણીમાં ભાજપને મળી શાનદાર જીત, આ 3 ફેક્ટરે કર્યું કામ

એક્ઝિટ પોલ્સથી વિપરીત હરિયાણા વિધાનસભા ચૂંટણીની મત ગણતરીમાં ભારતીય જનતા પાર્ટી એટલે કે ભાજપ કોંગ્રેસ કરતા આગળ છે. આખરે મેદાન પર એવી કઈ વાતો ચાલી કે જેના કારણે જીતથી દૂર જણાતી ભાજપ જલદીથી ટ્રેન્ડમાં આગળ થઈ ગઈ છે?

લોકસભામાં હિરો વિધાનસભામાં ઝીરો ! પોતાના મતક્ષેત્રમાં પણ પાછળ છે રશીદ એન્જિનીયરનો પક્ષ

જમ્મુ-કાશ્મીર વિધાનસભા ચૂંટણીના પ્રારંભિક વલણોમાં ભારતીય જનતા પાર્ટી બહુ જ ખરાબ રીતે પાછળ જોવા મળી રહી છે. નેશનલ કોન્ફરન્સ અને કોંગ્રેસ જમ્મુ કાશ્મીરમાં સરકાર બનાવતી જોવા મળી રહી છે. સૌથી રસપ્રદ વાત એ છે કે રશીદ એન્જિનિયરની અવામી ઇત્તેહાદ પાર્ટીને જમ્મુ કાશ્મીરના લોકોએ કોરાણે મૂકી દીધી છે.

ભાજપનો વોટ શેર ઓછો પણ બેઠકો વધુ; કોંગ્રેસને મતની ટકાવારી વધુ છતાં આંકડામાં કેમ પાછળ ?

હરિયાણા વિધાનસભા ચૂંટણી પરિણામોના વલણોમાં ભાજપને મોટી બહુમતી મળતી દેખાઈ રહી છે. કેન્દ્રીય ચૂંટણી પંચની વેબસાઈટ ઉપર દર્શાવાતા આંકડા અનુસાર જે રૂઝાન સામે આવી રહ્યું છે તે મુજબ ભાજપને 48 અને કોંગ્રેસને 36 બેઠકો મળી રહી છે. જો કે આ પરિણામોમાં એક બાબત જોવા જેવી છે તે છે વોટ શેર.

Haryana Exit Poll : 10 વર્ષ બાદ સરકારમાં આવશે કોંગ્રેસ, એક્ઝિટ પોલમાં બીજા સ્થાને સરકી ગઈ બીજેપી

હરિયાણામાં વિધાનસભા ચૂંટણી માટે મતદાન પૂર્ણ થયું છે. રાજ્યની તમામ 90 બેઠકો પર એક જ તબક્કામાં મતદાન થયું હતું. મતદાન પૂર્ણ થતાની સાથે જ રાજ્યના 1031 ઉમેદવારોનું ભાવિ ઈવીએમમાં ​​કેદ થઈ ગયું છે, જ્યારે એક્ઝિટ પોલના અંદાજો પણ બહાર આવવા લાગ્યા છે. એક્ઝિટ પોલમાં કોંગ્રેસને હરિયાણામાં લીડ મળતી દેખાઈ રહી છે.

Jammu-Kashmir Exit Poll : જમ્મુ-કાશ્મીરમાં કોઈ પક્ષને સ્પષ્ટ બહુમતી નહીં, ફરી એકવાર મહેબૂબા બનશે કિંગમેકર!

જમ્મુ-કાશ્મીરના એક્ઝિટ પોલના આંકડા સામે આવ્યા છે, જેમાં કોઈ પક્ષને સ્પષ્ટ બહુમતી મળી રહી નથી. ત્યારે મહેબૂબા મુફ્તીની પાર્ટી જમ્મુ-કાશ્મીર પીપલ્સ ડેમોક્રેટિક પાર્ટી (PDP) કિંગમેકરની ભૂમિકા ભજવી શકે છે. 8 ઓક્ટોબરે ચૂંટણીના પરિણામો જાહેર થશે. ત્યાર બાદ જ નક્કી થશે કે જમ્મુ-કાશ્મીરમાં ખરેખર કયો પક્ષ સરકાર બનાવશે.

રૂપાણી સરકારે જમીન કૌંભાડ આચર્યું હોવાનુ કહેનાર કોંગ્રેસના ધારાસભ્ય સી જે ચાવડા, શૈલેષ પરમાર, સુખરામ રાઠવાએ કોર્ટમાં માંગી માફી

ગુજરાત વિધાનસભાના તત્કાલિન વિરોધ પક્ષના નેતા સુખરામ રાઠવા, દંડક સી.જે. ચાવડા અને ઉપનેતા શૈલેષ પરમારે પત્રકાર પરિષદ યોજીને રાજ્યના પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણીએ પોતાના કાર્યકાળ દરમિયાન કરોડો રૂપિયાનું જમીન કૌભાંડ આચર્યું હોવાના કથિત આક્ષેપો કર્યા હતા.

નહેરુ સરકારમાં થયું હતું આઝાદ ભારતનું પહેલું કૌભાંડ, આ સ્કેમમાં ફસાયેલા વી.કે. મેનનને કેવી રીતે નહેરુજીએ બચાવ્યા ?

ભારતમાં આઝાદી બાદ અનેક પ્રકારના કૌભાંડો અને ભ્રષ્ટાચારના મામલા સામે આવ્યા છે. જેમાં ક્યાંકને ક્યાંક સરકારની સંડોવણી પણ સામે આવી છે. આજે અમે તમને આવા જ એક કૌભાંડ વિશે જણાવવા જઈ રહ્યા છીએ, જે આઝાદી પછીનું સૌથી પહેલું કૌભાંડ હતું. જેણે તત્કાલીન સરકાર અને કોંગ્રેસની છબી પર ઊંડી અસર છોડી હતી.

દાહોદમાં બાળકીની દુષ્કર્મના પ્રયાસ બાદ હત્યા મામલે કોંગ્રેસે સરકારની કામગીરી સામે ઉઠાવ્યા સવાલ, દીકરીને ન્યાય અપાવવા યોજી પદયાત્રા- Video

દાહોદના સિંગવડ તાલુકાની પ્રાથમિક શાળામાં ધોરણ 1ની વિદ્યાર્થિનીની દુષ્કર્મના પ્રયાસ બાદ હત્યા નિપજાવનાર શાળાના પ્રિન્સીપાલને ફાંસી આપવાની માગ ઉઠી છે. આ સમગ્ર ઘટના પર હવે રાજનીતિ પણ ચરમસીમાએ છે. બાળકીને ન્યાય અપાવવાની માગ સાથે પ્રદેશ પ્રમુખ શક્તિસિંહ ગોહિલની અધ્યક્ષતામાં અમદાવાદમાં કોંગ્રેસની પદયાત્રા યોજાઈ હતી. જેમા કોંગ્રેસે સરકારની કામગીરી સામે સવાલ ઉઠાવ્યા.

તમિલનાડુમાં રાહુલ ગાંધી વિરુદ્ધ 30 પોલીસ સ્ટેશનમાં ફરિયાદ, જાણો સમગ્ર મામલો

તમિલનાડુના ચેન્નાઈમાં ભાજપના એક નેતાએ રાહુલ ગાંધી વિરુદ્ધ પોલીસને ફરિયાદ આપી છે અને તેમની સામે રાષ્ટ્ર વિરોધી કલમો હેઠળ કેસ નોંધવાની માંગ કરી છે. જરૂર પડે તો તેમની ધરપકડ પણ કરવી જોઈએ. અમે લોકસભાના સ્પીકર સમક્ષ પણ માંગ કરીએ છીએ કે, તેમનું સંસદ સભ્યપદ રદ કરવામાં આવે.

ભાડુઆતની નોંધણીના નિયમોનું ચુસ્તપણે પાલન કરાવવા પોલીસે કવાયત હાથ ધરી
ભાડુઆતની નોંધણીના નિયમોનું ચુસ્તપણે પાલન કરાવવા પોલીસે કવાયત હાથ ધરી
અમૂલમાં મિલાવટ એટલે નથી કેમ કે તેના કોઇ માલિક નથી - અમિત શાહ
અમૂલમાં મિલાવટ એટલે નથી કેમ કે તેના કોઇ માલિક નથી - અમિત શાહ
ભાયલી દુષ્કર્મ કેસમાં પોલીસે 17 દિવસમાં રજૂ કરી 6 હજાર પાનીની ચાર્જશીટ
ભાયલી દુષ્કર્મ કેસમાં પોલીસે 17 દિવસમાં રજૂ કરી 6 હજાર પાનીની ચાર્જશીટ
Amreli : જાફરાબાદના નવી જીકાદ્રી ગામમાં સિંહણે કર્યો બાળકનો શિકાર
Amreli : જાફરાબાદના નવી જીકાદ્રી ગામમાં સિંહણે કર્યો બાળકનો શિકાર
કાંકરિયા પાસે કોર્પોરેશનનું હોર્ડિંગ પડ્યું, એક પરિવારના 3 લોકો ઘાયલ
કાંકરિયા પાસે કોર્પોરેશનનું હોર્ડિંગ પડ્યું, એક પરિવારના 3 લોકો ઘાયલ
ડીસામાંથી 345 કિલો પોશડોડા અને 50 જીવતા કારતૂસ સાથે આરોપી ઝડપાયો
ડીસામાંથી 345 કિલો પોશડોડા અને 50 જીવતા કારતૂસ સાથે આરોપી ઝડપાયો
આ 4 રાશિના જાતકોને આજે કાર્યસ્થળે લાભના સંકેત
આ 4 રાશિના જાતકોને આજે કાર્યસ્થળે લાભના સંકેત
અરબી સમુદ્રમાં સર્જાયેલા વાવાઝોડાની ગુજરાત પર કેવી થશે અસર ?
અરબી સમુદ્રમાં સર્જાયેલા વાવાઝોડાની ગુજરાત પર કેવી થશે અસર ?
ગુજરાતમાં નક્લીની એક બાદ એક નક્લીની ભરમાર, હવે નક્લી જજનો થયો પર્દાફાશ
ગુજરાતમાં નક્લીની એક બાદ એક નક્લીની ભરમાર, હવે નક્લી જજનો થયો પર્દાફાશ
મેઘરાજાએ વેર્યો વિનાશ, ધોવાયો તૈયાર પાક, ખેડૂતો થયા બરબાદ- Vidoe
મેઘરાજાએ વેર્યો વિનાશ, ધોવાયો તૈયાર પાક, ખેડૂતો થયા બરબાદ- Vidoe
g clip-path="url(#clip0_868_265)">