
કોંગ્રેસ
ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસની સ્થાપના 28 ડિસેમ્બર 1885ના રોજ થઈ હતી. 72 પ્રતિનિધિઓએ મળીને સંસ્થા તૈયાર કરી હતી. તેના સ્થાપક જનરલ સેક્રેટરી એ ઓ હ્યુમ હતા. પ્રમુખ વ્યોમેશ ચંદ્ર બેનર્જી હતા. બાળ ગંગાધર તિલકે સંસ્થા દ્વારા સ્વરાજ મિશન શરૂ કર્યું હતું. બાળ ગંગાધર તિલક ઉપરાંત લાલા લજપત રાય, બિપિન ચંદ્ર પાલ, ગોપાલ કૃષ્ણ ગોખલે, ફિરોઝશાહ મહેતા, દાદાભાઈ નવરોજીએ મળીને સ્વરાજ ચળવળને આગળ ધપાવી હતી.
ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસનું રાષ્ટ્રીય ચળવળમાં મહત્વનું યોગદાન માનવામાં આવે છે. સંસ્થાના ઘણા દિગ્ગજોએ સ્વતંત્રતા ચળવળમાં સક્રિય ભાગ લીધો હતો અને જેલ વાસ ભોગવ્યો. 1915માં જ્યારે મહાત્મા ગાંધી જોડાયા ત્યારે સંસ્થાને રાષ્ટ્રીય પ્લેટફોર્મ મળ્યું. તેમના પછી સરદાર વલ્લભભાઈ પટેલ, જવાહર લાલ નેહરુ, રાજેન્દ્ર પ્રસાદ, સુભાષચંદ્ર બોઝ વગેરે જેવા વ્યક્તિ જોડાયા.
1947માં આઝાદી પછી કોંગ્રેસ એક રાજકીય પક્ષ બની ગયો. જવાહરલાલ નેહરુ પ્રથમ વડાપ્રધાન બન્યા. આ પછી કોંગ્રેસ પાર્ટી લગભગ પાંચ દાયકા સુધી કેન્દ્ર સરકારમાં સત્તા પર રહી. 1947 થી 2014 સુધી, 16 લોકસભા ચૂંટણીઓમાંથી, કોંગ્રેસે 6 વખત પૂર્ણ બહુમતી સાથે સરકાર બનાવી. કોંગ્રેસ પાર્ટી કુલ 49 વર્ષ સુધી કેન્દ્ર સરકારનો હિસ્સો રહી. કોંગ્રેસ પણ 4 વખત સત્તાધારી ગઠબંધનમાં સામેલ થઈ.
કોંગ્રેસ પાર્ટી તરફથી કુલ 7 વડાપ્રધાન બન્યા છે. આ નામો છે- જવાહરલાલ નેહરુ, ગુલઝારી નંદા, લાલ બહાદુર શાસ્ત્રી, ઈન્દિરા ગાંધી, રાજીવ ગાંધી, પીવી નરસિમ્હા રાવ અને મનમોહન સિંહ. કોંગ્રેસ પાર્ટીના કેટલાક મોટા નેતાઓના નામ છે- સીતારામ કેસરી, સોનિયા ગાંધી, રાહુલ ગાંધી, પ્રિયંકા ગાંધી, કમલનાથ, અશોક ગેહલોત, દિગ્વિજય સિંહ, પૃથ્વીરાજ ચવ્હાણ, અધીર રંજન ચૌધરી અને મલ્લિકાર્જુન ખડગે વગેરે.
દેશના આઠ પૂર્વ રાષ્ટ્રપતિઓ પણ કોંગ્રેસ પાર્ટી સાથે જોડાયેલા છે. આ નામો છે- ડૉ. રાજેન્દ્ર પ્રસાદ, ફખરુદ્દીન અલી અહેમદ, જ્ઞાની ઝૈલ સિંહ, આર. વેંકટરામન, શંકર દયાલ શર્મા, કે આર નારાયણન, પ્રતિભા દેવીસિંહ પાટીલ અને પ્રણવ મુખર્જી.
અમદાવાદ શહેર કોંગ્રેસ પ્રમુખ પદે સોનલ પટેલની પસંદગી, નામ આવતા જ કોંગ્રેસમાં ઉકળતો ચરૂ – જુઓ Video
અમદાવાદ શહેર કોંગ્રેસ પ્રમુખના નામની જાહેરાત સાથે જ વિવાદ વકર્યો છે. અમદાવાદ શહેર પ્રમુખ તરીકે કોંગ્રેસે સોનલ પટેલની પસંદગી થતાં, અન્ય દાવેદારોએ કોંગ્રેસની નેતાગીરી સામે સવાલ ઉઠાવ્યા છે.
- TV9 Gujarati
- Updated on: Jun 22, 2025
- 7:13 pm
Breaking News : ગ્રામ પંચાયતની ચૂંટણીના થોડા જ કલાકો પહેલા ગુજરાત કોંગ્રેસના જિલ્લા અને મહાનગરોના પ્રમુખોની જાહેરાત, જુઓ List
ગુજરાત કોંગ્રેસે "સંગઠન સૃજન" અભિયાન અંતર્ગત રાજ્યના તમામ જિલ્લા અને મહાનગરોના પ્રમુખોની નવી યાદી પ્રકાશિત કરી છે. કેટલાક પદાધિકારીઓને ફરીથી જવાબદારી સોંપાઈ છે જ્યારે ઘણા નવા ચહેરાઓ પણ સામેલ છે.
- Sagar Solanki
- Updated on: Jun 21, 2025
- 10:46 pm
“આ તો લોકશાહીનું હનન છે” ભાજપનો ઉમેદવાર જીતશે ત્યાંજ…. વલસાડ જિલ્લામાં MLA ના વિવાદિત નિવેદન બાદ રાજકારણ ગરમાયું, જુઓ Video
વલસાડ જિલ્લામાં આવતીકાલે ગ્રામ પંચાયત ચૂંટણી છે. ભાજપ ધારાસભ્ય રમણ પાટકરના વિવાદાસ્પદ નિવેદનથી રાજકારણ ગરમાયું છે. તેમણે જીતના બદલામાં વિકાસ અને ઉમેદવારોને રૂપિયા આપવાનો દાવો કર્યો છે.
- TV9 Gujarati
- Updated on: Jun 21, 2025
- 2:44 pm
છોટાઉદેપુરમાં રસ્તો ન હોવાથી ફરી સગર્ભાને ઝોળીમાં ઉંચકીને લઈ જવાઈ, કાચા રસ્તાને કારણે ન પહોંચી શકી 108 – જુઓ Video
છોટા ઉદેપુરમાં ફરી સગર્ભાને ઝોળીમાં ઉંચકીને હોસ્પિટલ લઈ જવાનો વારો આવ્યો છે. નસવાડી તાલુકાના ખેંદા ગામમાં પાકો રસ્તો ન હોવાથી 108 પહોંચી શકી ન હતી. જેના કારણે સગર્ભાને ઝોળીમાં બાંધીને હોસ્પિટલે પહોંચાડવી પડી હતી.
- TV9 Gujarati
- Updated on: Jun 20, 2025
- 5:32 pm
જુઓ ભાજપ સરકારનો પારદર્શક ભ્રષ્ટાચાર ! હપ્તાખોરી-ભ્રષ્ટાચારને લીધે ગાંધીનગરમાં પણ ખાડારાજ: શક્તિસિંહ
ગાંધીનગર એ પ્લાન્ડ સિટી અને પ્લાનિંગ સાથે બનેલુ શહેર છે. ગાંધીનગરના જાહેર માર્ગોની સ્થિતિ પહેલા આવી ક્યારેય નથી થઈ. વરસાદથી ખાડારાજ સર્જાવા પાછળ હપ્તાખોરી અને ભ્રષ્ટાચાર જવાબદાર છે. કોન્ટ્રાક્ટના વર્ક ઓર્ડર આપતા પહેલા જ ભ્રષ્ટાચારની ટકાવારી નક્કી થઈ જાય છે કે, કેટલા ટકા રકમ અધિકારીઓ કે પદાધિકારીઓને ચુકવશો.
- TV9 Gujarati
- Updated on: Jun 19, 2025
- 5:20 pm
Breaking News : સોનિયા ગાંધીને સર ગંગા રામ હોસ્પિટલમાં કરાયા દાખલ, જાણો તેમની સ્વાસ્થ્ય અપડેટ વિશે
7 જૂનના રોજ સોનિયા ગાંધીએ હાઈ બ્લડ પ્રેશરની ફરિયાદ કર્યા બાદ, તેમને શનિવારે શિમલાની ઈન્દિરા ગાંધી મેડિકલ કોલેજ અને હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા.
- Sagar Solanki
- Updated on: Jun 15, 2025
- 11:44 pm
મલ્લિકાર્જુન ખડગેની સિવિલ મુલાકાત: મૃતકોના પરિવારજનોને આપી સાંત્વના – જુઓ Video
અમદાવાદમાં પ્લેન ક્રેશ દુર્ઘટનાના બે દિવસ વિત્યા બાદ પણ પરિજનોને હજુ તેમના સ્વજનોના મૃતદેહો મળ્યા નથી અને DNA મેચ કરવાની કામગીરી યુદ્ધના ધોરણે ચાલી રહી છે. ત્યારે દિલ્હીથી કોંગ્રેસના પ્રતિનિધિ મંડળે અમદાવાદ સિવિલ હોસ્પિટલની મુલાકાત લીધી અને મૃતકોના પરિજનોને સાંત્વના પાઠવી હતી.
- TV9 Gujarati
- Updated on: Jun 14, 2025
- 8:18 pm
પ્રિયંકા ગાંધી પર હાઇકોર્ટની ઘંટડી વાગી! મળી નોટિસ, જાણો શું છે સમગ્ર મામલો
હાઇકોર્ટે કોંગ્રેસના સાંસદ પ્રિયંકા ગાંધી વાડ્રાને નોટિસ ફટકારી છે. રાષ્ટ્રીય લોકશાહી જોડાણ (NDA)ના ઉમેદવાર નવ્યા હરિદાસ દ્વારા દાખલ કરાયેલી ચૂંટણી અરજી થકી આ નોટિસ ફટકારવામાં આવી છે.
- Ravi Prajapati
- Updated on: Jun 11, 2025
- 7:21 pm
Breaking News: સોનિયા ગાંધીની અચાનક લથડી તબિયત, શિમલાની IGMC હોસ્પિટલમાં કરાયા દાખલ
હિમાચલ પ્રદેશમાં કોંગ્રેસ નેતા સોનિયા ગાંધીની તબિયત અચાનક બગડી ગઈ છે, જેના કારણે તેમને શિમલાના ઇન્દિરા ગાંધી મેડિકલ કોલેજ (IGMC) ખાતે લઈ જવામાં આવ્યા છે.
- Ravi Prajapati
- Updated on: Jun 7, 2025
- 6:57 pm
કોંગ્રેસ ધારાસભ્ય જીજ્ઞેશ મેવાણીના એક સમયના સાથીદાર AAPમાંથી લડશે કડી વિધાનસભાની પેટાચૂંટણી !
કોંગ્રેસના ધારાસભ્ય જીજ્ઞેશ મેવાણીના એક સમયના સાથીદાર, આમ આદમી પાર્ટીના ઉમેદવાર તરીકે કડી વિધાનસભાની પેટા ચૂંટણી લડશે. રાષ્ટ્રીય દલિત અધિકાર મંચના સક્રિય સભ્ય જગદીશ ચાવડા, કડી વિધાનસભાની બેઠક પરથી પેટાચૂંટણી માટે AAPના ઉમેદવાર બનશે. અત્રે ઉલ્લેખનીય છે કે, રાષ્ટ્રીય દલિત અધિકાર મંચની સ્થાપના કોંગ્રેસના ધારાસભ્ય જીજ્ઞેશ મેવાણીએ 2016માં કરી હતી.
- TV9 Gujarati
- Updated on: Jun 1, 2025
- 2:57 pm
પાકિસ્તાન માટે જે દેશે વહાવ્યા આંસુ, ત્યાં જ પહોંચીને શશિ થરુરે તેને સંભળાવી દીધુ
કોંગ્રેસના સાંસદ શશી થરૂરે 'ઓપરેશન સિંદૂર' દરમિયાન પાકિસ્તાનમાં માર્યા ગયેલા લોકો માટે જે દેશે શોક વ્યક્ત કર્યો તેના પર નિરાશા વ્યક્ત કરી છે. ભારતીય પ્રતિનિધિમંડળનું નેતૃત્વ કરી રહેલા શશી થરૂરે કહ્યું કે આતંકવાદીઓને મારનારાઓ અને પોતાનું રક્ષણ કરનારાઓ વચ્ચે કોઈ સમાનતા હોઈ શકે નહીં.
- Tanvi Soni
- Updated on: May 30, 2025
- 10:15 am
Breaking News : વિધાનસભાની બે બેઠકો પર પેટા ચૂંટણી જાહેર, 19 જૂને થશે મતદાન
ગુજરાતમાં વિધાનસભાની 2 બેઠકો પર પેટા ચૂંટણીની જાહેરાત કરવામાં આવી છે. વિધાનસભા બેઠક કડી અને વિસાવદરની પેટાચૂંટણી યોજાવવામાં આવશે. આ બંન્ને બેઠકોની ચૂંટણી 19 જૂનના રોજ યોજાશે જેની મતગણતરી 23 જૂનના દિવસે કરવામાં આવશે. વિધાનસભાની ચૂંટણીમાં ફોર્મ ભરવા માગતા ઉમેદવારો 26 મેથી ફોર્મ ભરી શકશે.
- Kinjal Mishra
- Updated on: May 25, 2025
- 10:16 am
હવે અમે ચૂપ નહીં રહીએ, હુમલો કરનારાનું નિકંદન નીકળી જશે, અમેરિકાની ઘરતી પરથી પાકિસ્તાનને ભારતની ખુલ્લેઆમ ચેતવણી
કોંગ્રેસના સાંસદ અને ભારતીય સાંસદોના પ્રતિનિધિમંડળના અગ્રણી શશિ થરૂરે સ્પષ્ટ શબ્દોમાં કહ્યું કે, "અમે આશા રાખીએ છીએ કે જેમણે પહેલગામના બૈસરનમાં આતંકવાદી હુમલો કર્યો અને જેમણે હુમલો કરનારા આતંકવાદીઓને ભંડોળ પૂરું પાડ્યું, તાલીમ આપી, તૈયાર કર્યા અને માર્ગદર્શન આપ્યું તેમણે હવે પાઠ શીખ્યો હશે. જ્યારે, અમે દુનિયાને એ પણ કહેવા માંગીએ છીએ કે, જો હવે ભારતમાં આવું ફરીથી થશે, તો અમે ચૂપ નહીં બેસીએ."
- TV9 Gujarati
- Updated on: May 25, 2025
- 8:59 am
દાહોદ બાદ પંચમહાલ જિલ્લામાં મનરેગા યોજનામાં કરોડોના કૌંભાડનો પરદો ઉંચકતા અમિત ચાવડા !
અમિત ચાવડાએ કહ્યું કે, દાહોદમાં પંચાયત પ્રધાન બચુભાઈ ખાબડના પુત્રો જેલમાં ગયા છે. તેને બચાવવાનો મિથ્યા પ્રયાસ કરાઈ રહ્યો છે. પરંતુ પુરાવાઓ મંત્રીપુત્રની વિરુદ્ધમાં છે. આવો જ બીજો કિસ્સો પંચમહાલના જાંબુઘોડામાં છે. ત્યા પણ સગાવ્હાલાઓના નામે એજન્સીઓની હાટડી ખોલીને લાખ્ખો કરોડો રૂપિયાનો ભ્રષ્ટાચાર આચરવામાં આવ્યો છે.
- TV9 Gujarati
- Updated on: May 23, 2025
- 3:22 pm
GPSC ભરતીમાં ઇન્ટરવ્યૂની પારદર્શિતાને લઈ કોંગ્રેસે ઉઠાવ્યા સવાલ, ઇન્ટરવ્યૂમાં ખેલ કરવાની ગોઠવણ શરૂ થઈ હોવાનો મનિષ દોશીનો આરોપ
GPSCની ડ્રગ ઈન્સપેક્ટરની ભરતીમાં ઈન્ટરવ્યૂ પેનલની પારદર્શિતાને લઈને કોંગ્રેસે સવાલ ઉઠાવ્યા છે. ઈન્ટરવ્યૂ લેનારી પેનલના તજજ્ઞોએ અન્ય સ્થળે ખાનગી સંસ્થામાં ડ્રગ ઈન્સપેક્ટરના મોક ઈન્ટરવ્યૂ પણ લીધા હોવાની જાણ થતા GPSC ચેરમેને લીધેલા 30 ઈન્ટરવ્યૂ રદ કરવાની ફરજ પડી છે. ત્યારે ઈન્ટરવ્યૂમાં ખેલ પાડવાનો આરોપ લગાવી કોંગ્રેસે GPSCની વિશ્વસનિયતા સામે સવાલ ઉઠાવ્યા છે.
- TV9 Gujarati
- Updated on: May 19, 2025
- 3:16 pm