![કોંગ્રેસ](https://images.tv9gujarati.com/wp-content/uploads/2023/12/Indian-National-Congress.jpeg)
કોંગ્રેસ
ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસની સ્થાપના 28 ડિસેમ્બર 1885ના રોજ થઈ હતી. 72 પ્રતિનિધિઓએ મળીને સંસ્થા તૈયાર કરી હતી. તેના સ્થાપક જનરલ સેક્રેટરી એ ઓ હ્યુમ હતા. પ્રમુખ વ્યોમેશ ચંદ્ર બેનર્જી હતા. બાળ ગંગાધર તિલકે સંસ્થા દ્વારા સ્વરાજ મિશન શરૂ કર્યું હતું. બાળ ગંગાધર તિલક ઉપરાંત લાલા લજપત રાય, બિપિન ચંદ્ર પાલ, ગોપાલ કૃષ્ણ ગોખલે, ફિરોઝશાહ મહેતા, દાદાભાઈ નવરોજીએ મળીને સ્વરાજ ચળવળને આગળ ધપાવી હતી.
ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસનું રાષ્ટ્રીય ચળવળમાં મહત્વનું યોગદાન માનવામાં આવે છે. સંસ્થાના ઘણા દિગ્ગજોએ સ્વતંત્રતા ચળવળમાં સક્રિય ભાગ લીધો હતો અને જેલ વાસ ભોગવ્યો. 1915માં જ્યારે મહાત્મા ગાંધી જોડાયા ત્યારે સંસ્થાને રાષ્ટ્રીય પ્લેટફોર્મ મળ્યું. તેમના પછી સરદાર વલ્લભભાઈ પટેલ, જવાહર લાલ નેહરુ, રાજેન્દ્ર પ્રસાદ, સુભાષચંદ્ર બોઝ વગેરે જેવા વ્યક્તિ જોડાયા.
1947માં આઝાદી પછી કોંગ્રેસ એક રાજકીય પક્ષ બની ગયો. જવાહરલાલ નેહરુ પ્રથમ વડાપ્રધાન બન્યા. આ પછી કોંગ્રેસ પાર્ટી લગભગ પાંચ દાયકા સુધી કેન્દ્ર સરકારમાં સત્તા પર રહી. 1947 થી 2014 સુધી, 16 લોકસભા ચૂંટણીઓમાંથી, કોંગ્રેસે 6 વખત પૂર્ણ બહુમતી સાથે સરકાર બનાવી. કોંગ્રેસ પાર્ટી કુલ 49 વર્ષ સુધી કેન્દ્ર સરકારનો હિસ્સો રહી. કોંગ્રેસ પણ 4 વખત સત્તાધારી ગઠબંધનમાં સામેલ થઈ.
કોંગ્રેસ પાર્ટી તરફથી કુલ 7 વડાપ્રધાન બન્યા છે. આ નામો છે- જવાહરલાલ નેહરુ, ગુલઝારી નંદા, લાલ બહાદુર શાસ્ત્રી, ઈન્દિરા ગાંધી, રાજીવ ગાંધી, પીવી નરસિમ્હા રાવ અને મનમોહન સિંહ. કોંગ્રેસ પાર્ટીના કેટલાક મોટા નેતાઓના નામ છે- સીતારામ કેસરી, સોનિયા ગાંધી, રાહુલ ગાંધી, પ્રિયંકા ગાંધી, કમલનાથ, અશોક ગેહલોત, દિગ્વિજય સિંહ, પૃથ્વીરાજ ચવ્હાણ, અધીર રંજન ચૌધરી અને મલ્લિકાર્જુન ખડગે વગેરે.
દેશના આઠ પૂર્વ રાષ્ટ્રપતિઓ પણ કોંગ્રેસ પાર્ટી સાથે જોડાયેલા છે. આ નામો છે- ડૉ. રાજેન્દ્ર પ્રસાદ, ફખરુદ્દીન અલી અહેમદ, જ્ઞાની ઝૈલ સિંહ, આર. વેંકટરામન, શંકર દયાલ શર્મા, કે આર નારાયણન, પ્રતિભા દેવીસિંહ પાટીલ અને પ્રણવ મુખર્જી.
અમરેલી લેટરકાંડ: “કૌશિક વેકરીયાના કહેવાથી પાયલ ગોટીનું કઢાયુ સરઘસ”, જિલ્લા SP સામે કાર્યવાહીની માગ- કોંગ્રેસની DGPને રજૂઆત
અમરેલી લેટરકાંડના પડઘા હવે ગાંધીનગર સુધી પડ્યા છે. આ મામલે કોંગ્રેસે આજે રાજ્યના DGPને મળી રજૂઆત કરી હતી. કોંગ્રેસે આરોપ લગાવ્યો કે કૌશિક વેકરિયાના કહેવાથી પાયલનું સરઘસ કાઢવામાં આવ્યુ હતુ. આ મામલે અમરેલી SP સામે પણ કાર્યવાહી કરવાની માગ કરાઈ છે.
- TV9 Gujarati
- Updated on: Jan 13, 2025
- 8:08 pm
અમરેલી લેટરકાંડમાં સુરતમાં ધરણા પર બેસે તે પહેલા જ ધાનાણી, દૂધાત સહિતનાની પોલીસે ટીંગાટોળી કરી ધરપકડ- Video
અમરેલી લેટરકાંડની ગૂંજ હવે સુરતમાં પણ જોવા મળી. અમરેલીમાં 48 કલાકના ઉપવાસ સાથેના ધરણા અને એક દિવસના બંધ બાદ પરેશ ધાનાણી, પ્રતાપ દૂધાત સહિતના કોંગ્રેસ નેતાઓએ સુરતના વરાછામાં આવેલા માનગઢ ચોકમાં ધરણા યોજ્યા હતા. જો કે પોલીસે મંજૂરી ન આપતા ધરણા શરૂ કરે તે પહેલા જ તેમની અટકાયત કરી લેવામાં આવી હતી.
- TV9 Gujarati
- Updated on: Jan 13, 2025
- 5:38 pm
અમરેલી લેટરકાંડની તપાસ હવે પૂર્વ જિલ્લા SP નિર્લિપ્ત રાયને સોંપાઈ, પાયલ ગોટીની ખોટી રીતે ધરપકડ કરનારા ત્રણ પોલીસકર્મી સસ્પેન્ડ- Video
અમરેલી જિલ્લાના ચકચારી લેટરકાંડની તપાસ હવે સ્ટેટ મોનિટરીંગ સેલને સોંપવામાં આવી છે. આ અગાઉ આ કેસની તપાસ માટે SIT બનાવવામાં આવી હતી. જો કે હવે આ સમગ્ર કેસની તપાસ સ્ટેટ મોનિટરીંગ સેલના વડા નિર્લિપ્ત રાય કરશે.
- Mina Pandya
- Updated on: Jan 13, 2025
- 4:40 pm
ના ચૂંટણી, ના કોઈ ધારાસભ્ય, ના કોઈ મુખ્યમંત્રી…37 વર્ષ સુધી કેવી રીતે ચાલી દિલ્હી સરકાર ?
દિલ્હીમાં ચૂંટણીનું બ્યુગલ વાગી ગયું છે. દિલ્હી વિધાનસભાની ચૂંટણી 5 ફેબ્રુઆરીએ એક જ તબક્કામાં યોજાશે અને મતગણતરી ત્રણ દિવસ પછી એટલે કે 8 ફેબ્રુઆરીએ થશે. પણ શું તમે જાણો છો કે એક સમય હતો જ્યારે દિલ્હીમાં 37 વર્ષ સુધી ના તો કોઈ મુખ્યમંત્રી હતા કે ના તો વિધાનસભા કે ના કોઈ ધારાસભ્ય.
- Dilip Chaudhary
- Updated on: Jan 11, 2025
- 4:27 pm
અમરેલી લેટરકાંડમાં પાયલ ગોટીને ન્યાય અપાવવા ધાનાણીએ લંબાવ્યા ધરણા, વેકરિયાના નાર્કો ટેસ્ટની કરી માગ- Video
અમરેલી લેટરકાંડમાં પાયલ ગોટીને ન્યાય અપાવવાના નામે ગઈકાલથી પરેશ ધાનાણીએ ધરણા શરૂ કર્યા છે. આ ધરણા આજે પણ યથાવત રાખ્યા છે. કૌશિક વેકરિયાના લેટરકાંડમાં પાયલ ગોટીની ધરપકડને દીકરીના સ્વાભીમાન અને પાટીદાર અસ્મિતા સાથે જોડી દઈ કોંગ્રેસ દ્વારા ભરપૂર રાજનીતિ કરાઈ રહી છે. આ મુદ્દે હવે પરેશ ધાનાણીએ ધારાસભ્ય કૌશિક વેકરીયાનો નાર્કો ટેસ્ટ કરવાની માગ કરી છે.
- Mina Pandya
- Updated on: Jan 10, 2025
- 4:35 pm
અમરેલી લેટરકાંડમાં પાયલ ગોટીને ન્યાય અપાવવા પરેશ ધાનાણીએ રાજકમલ ચોકમાં શરૂ કર્યા ધરણા, પોલીસની કામગીરી સામે ઉઠાવ્યા સવાલ
અમરેલીના ચકચારી લેટરકાંડના ગાંધીનગર સુધી પડઘા પડ્યા છે. આ મુદ્દે અમરેલી જિલ્લાનું રાજકારણ સૌથી વધુ ગરમાયુ છે. પાયલ ગોટીની ધરપકડ મુદ્દે પરેશ ધાનાણી સહિત કોંગ્રેસના પૂર્વ ધારાસભ્યો અને અગ્રણીઓ રાજકમલ ચોકમાં ધરણા પર બેઠા છે. આ ધરણામાં પૂર્વ ધારાસભ્ય લલિત વસોયા પણ જોડાયા છે. પરેશ ધાનાણીએ નારણ કાછડિયા અને અમરેલીના પાંચ ધારાસભ્યો સામે સવાલ કર્યા છે અને અમરેલી પોલીસની કામગીરી સામે સવાલ ઉઠાવ્યા છે.
- TV9 Gujarati
- Updated on: Jan 9, 2025
- 5:45 pm
પાયલ ગોટીને પટ્ટા માર્યા ત્યારે અમરેલી DSP ત્યાં જ હતાઃ આનંદ યાજ્ઞિક
Amreli Bogus Letter Scam : હાઇકોર્ટના સિનિયર એડવોકેટ આનંદ યાજ્ઞિકે આક્ષેપ કર્યો છે કે, જ્યારે પાયલ ગોટીને પટ્ટા મારવામાં આવ્યા ત્યારે અમરેલી જિલ્લાના પોલીસ વડા, સંજય ખરાટ ત્યાં હાજર હતા. આનંદ યાજ્ઞિકે આ સમગ્ર મામલે આઈજી કક્ષાના અધિકારી પાસે તપાસ કરાવવાની માંગ કરી છે. તો સાથોસાથ ગુજરાત હાઈકોર્ટમાં આ મુદ્દે કાનુની લડત લડવાનો નિર્ધાર વ્યક્ત કર્યો હતો.
- TV9 Gujarati
- Updated on: Jan 8, 2025
- 10:04 pm
અમરેલીના ચકચારી લેટરકાંડમાં મોટો ઘટસ્ફોટ, TV9 પાસે પાયલ ગોટીના સૌથી મહત્વપૂર્ણ CCTV- જુઓ Video
અમરેલીના ચકચારી લેટરકાંડમાં મોટો ઘટસ્ફોટ થયો છે. tv9ને પાયલ ગોટીના સૌથી મહત્વપૂર્ણ સીસીટીવી હાથ લાગ્યા છે. કૌશિક વેકરીયાને બદનામ કરતા લેટરનું આરોપીએ કોની પાસે કુરિયર કરાવ્યુ તે અંગેના મહત્વપૂર્ણ સીસીટીવી અંગે ચોંકાવનારો ખૂલાસો થયો છે.
- TV9 Gujarati
- Updated on: Jan 9, 2025
- 1:37 pm
અમરેલી લેટર કાંડમાં પાટીદાર યુવતીને 15 હજારના બોન્ડ પર મળ્યા જામીન, જિલ્લા મધ્યસ્થ સહકારી બેંકે કાયમી નોકરી આપવાની બતાવી તૈયારી- Video
અમરેલી લેટર કાંડમાં પાટીદાર યુવતીને 15 હજાર ના બોન્ડ પર જામીન મળ્યા છે. બનાવટી લેટરહેડ પર લેટર ટાઈપ કરનાર યુવતીને પોલીસે આરોપી બનાવી ધરપકડ કરી હતી અને છેલ્લા 4 દિવસથી જેલમાં રહ્યા બાદ આજે તે જેલ મુક્ત થઈ છે. બહાર આવતા જ યુવતી રડી પડી હતી.
- TV9 Gujarati
- Updated on: Jan 4, 2025
- 1:30 pm
અમરેલી લેટરકાંડમાં યુવતીનું સરઘસ કાઢવા મામલે કોંગ્રેસ, પાટીદાર સંસ્થાઓ બાદ હવે દિલીપ સંઘાણી મેદાને, યુવતીને નોકરી અપાવવાની બતાવી તૈયારી
અમરેલીમાં છેલ્લા એક સપ્તાહથી ચગેલા અને ખળભળાટ મચાવી દેનારા લેટર કાંડના રાજ્યભરમાં પડઘા પડ્યા છે. આ મુદ્દે રાજનીતિ પણ ભરપૂર થઈ રહી છે. કોંગ્રેસ પહેલા દિવસથી આ મુદ્દે બેટીંગ કરી રહી છે, જે બાદ આમ આદમી પાર્ટીએ પણ સમગ્ર વિવાદમાં ઝુકાવ્યુ છે તો બીજી તરફ હવે ભાજપના દિલીપ સંઘાણી પણ ફ્રન્ટ ફુટ પર રમવા આવી ગયા અને દીકરીને સહકારી સંસ્થામાં નોકરી અપાવવા માટે ઘટતુ કરવાની જાહેરાત કરી છે.
- Mina Pandya
- Updated on: Jan 3, 2025
- 8:42 pm
દિલ્હીમાં રાજકીય માહોલ ગરમ, 7-8 જાન્યુઆરીએ થઈ શકે છે વિધાનસભાની ચૂંટણી જાહેર
દિલ્હી વિધાનસભા ચૂંટણીની તારીખો 7-8 જાન્યુઆરીએ જાહેર થઈ શકે છે. સૂત્રોના જણાવ્યા અનુસાર, કેન્દ્રીય ચૂંટણી પંચ આમાંથી કોઈપણ દિવસે ચૂંટણીનો સમગ્ર કાર્યક્રમ જાહેર કરી શકે છે. દિલ્હીમાં સત્તારૂઢ આમ આદમી પાર્ટીએ, તમામે તમામ 70 બેઠકો માટે તેના ઉમેદવારોની જાહેરાત કરી દીધી છે.
- TV9 Gujarati
- Updated on: Jan 3, 2025
- 7:24 pm
બનાસકાંઠા જિલ્લાના બે ભાગલાને લઇને રાજકીય બાજી ગોઠવી હોવાની ચર્ચા, સાંસદ ગેનીબેન કહ્યુ- સૌના અભિપ્રાયથી જિલ્લાનું વિભાજન થવુ જોઇતુ હતુ
ગુજરાતમાં હાલ 33 જિલ્લા અસ્તિત્વમાં છે. જો કે હવે સરકારે નવા વર્ષે બનાસકાંઠા જિલ્લાનું વિભાજન કરીને, થરાદ-વાવ જિલ્લો બનાવવાનો નિર્ણય કર્યો છે. જેમાં થરાદ જિલ્લાનું મુખ્ય મથક રહેશે. બનાસકાંઠાના 2 ભાગ કરી 2 જિલ્લાઓ બનાવવામાં આવ્યા છે.વર્ષોથી ઉઠેલી માગને આખરે સરકારે પુરી કરી છે.
- Tanvi Soni
- Updated on: Jan 2, 2025
- 2:56 pm
કોંગ્રેસે જે પુસ્તક પર લગાવ્યો હતો પ્રતિબંધ, 36 વર્ષ બાદ ફરી શરૂ થયું વેચાણ, મુસ્લિમો કેમ કરી રહ્યા છે વિરોધ ?
દિલ્હી હાઈકોર્ટના નિર્ણય બાદ ભારતમાં આ પુસ્તકનું વેચાણ શરૂ થતાં જ હોબાળો મચી ગયો છે. પ્રતિબંધ હટાવ્યા બાદ ભારતીય બજારોમાં તેનું વેચાણ શરૂ થતાં જ કેટલાક મુસ્લિમ સંગઠનો વિરોધ કરી રહ્યા છે. ત્યારે આ લેખમાં જાણીશું કે, સલમાન રશ્દીના પુસ્તકમાં એવું તો શું છે કે ભારત સહિત કેટલાક દેશોમાં તેના પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો હતો ?
- Dilip Chaudhary
- Updated on: Dec 31, 2024
- 5:15 pm
શું કાશ્મીર મુદ્દે મનમોહન સિંહ અને જનરલ પરવેઝ મુશર્રફ વચ્ચે ગુપ્ત સમજૂતી થઈ હતી ?
સ્વર્ગસ્થ ભૂતપૂર્વ વડા પ્રધાન ડૉ. મનમોહન સિંહને લગતા વિકિલીક્સના અહેવાલમાં ખુલાસો થયો હતો કે, તેમણે પાકિસ્તાનના રાષ્ટ્રપતિ મુશર્રફ સાથે ગુપ્ત રીતે વાતચીત કરી હતી. આ વાતચીત દ્વારા કાશ્મીર મુદ્દે ઘણીબધી બાબતો પર સમજૂતી થઈ હતી, પરંતુ આ વાતચીત છેલ્લી ઘડીએ નિષ્ફળ ગઈ હતી.
- TV9 Gujarati
- Updated on: Dec 27, 2024
- 2:23 pm
પત્ની પ્રોફેસર, 3 દીકરીઓ જમાઈ, IPS ઓફિસર દીકરીએ આણંદમાં કર્યો છે અભ્યાસ જુઓ પૂર્વ પીએમ મનમોહન સિંહનો પરિવાર
દેશના પૂર્વ વડાપ્રધાન ડૉ.મનમોહન સિંહે 27 ડિસેમ્બરે દુનિયાને અલવિદા કહ્યું. તેમના નિધન પર આખો દેશ શોકમાં છે. તો આજે આપણે મનમોહન સિંહના પરિવાર વિશે જાણીએ.
- Nirupa Duva
- Updated on: Dec 27, 2024
- 2:46 pm