AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

હિમાચલ પ્રદેશ

હિમાચલ પ્રદેશ

હિમાચલ પ્રદેશ દેશના 28 રાજ્યોમાંથી એક છે. હિમાચલ પ્રદેશનુ પાટનગર શિમલા છે. હાલમાં, કોંગ્રેસ પાર્ટી હિમાચલ પ્રદેશમાં સત્તા પર છે અને સુખવિંદર સિંહ સુખુ રાજ્યના મુખ્યમંત્રી છે. રાજ્યના રાજ્યપાલ રાજેન્દ્ર વિશ્વનાથ આર્લેકર છે.

રાજ્યમાં કુલ 68 વિધાનસભા બેઠકો છે. હિમાચલ પ્રદેશમાંથી ચાર સાંસદો લોકસભા અને ત્રણ સાંસદો રાજ્યસભામાં પહોંચે છે. રાજ્યની રાજ્ય ભાષા હિન્દી છે. હિમાચલ ભારત અને વિદેશના પ્રવાસીઓ માટે જાણીતું છે. રાજ્યની આવકનો મુખ્ય સ્ત્રોત પ્રવાસન છે.

Read More

Breaking News : સિંગર હંસરાજ રઘુવંશીને જાનથી મારી નાખવાની ધમકી મળી, લોરેન્સ અને ગોલ્ડી બ્રાર ગેંગના નામ સામે આવ્યા

મેરા ભોલા હૈ ભંડારી ભજનથી ફેમસ થયેલા સિંગર હંસરાજ રઘુવંશી તેમજ તેના પરિવારને જાનથી મારી નાંખવાની ધમકી મળી છે. સિંગર પાસે 15 લાખ રુપિયાની માંગ પણ કરી છે. આરોપીએ પોતાને લોરેન્સ અને ગોલ્ડી બ્રાર ગેંગનો સભ્ય બતાવ્યો છે.હવે, ફરિયાદ મળ્યા બાદ, મોહાલી પોલીસે આ મામલે તપાસ શરૂ કરી છે.

‘બ્લૂ સ્ટાર’ મોટી ભૂલ હતી, ઇન્દિરા ગાંધીએ જીવ આપીને ચૂકવી પડી કિંમત: પી. ચિદમ્બરમનું સનસનાટી ભર્યું નિવેદન

કોંગ્રેસ નેતા પી. ચિદમ્બરમે ઓપરેશન બ્લૂ સ્ટારને એક મોટી ભૂલ ગણાવી, જેની કિંમત ઇન્દિરા ગાંધીને જીવ આપીને ચૂકવવી પડી. તેમણે કહ્યું કે તે તત્કાલીન વડાપ્રધાનનો એકલાનો નિર્ણય નહોતો, પરંતુ સંયુક્ત નિર્ણય હતો. ચિદમ્બરમે દાવો કર્યો હતો કે પંજાબમાં ખાલિસ્તાનની માંગ હવે સમાપ્ત થઈ ગઈ છે.

Himalaya : જો હિમાલય ન હોત, તો આ 8 દેશો રણ બની ગયા હોત…જાણો કેમ

જો હિમાલય ન હોત, તો 8 દેશો તરસથી સુકાઈ જાત અને રણ બની જાત. હિમાલય જ ગંગા, સિંધુ જેવી નદીઓનો મુખ્ય પાણીનો સ્ત્રોત છે.

Breaking News : હિમાચલ પ્રદેશના બિલાસપુરમાં બસ પર પહાડી કાટમાળ પડ્યો, 18 લોકોના મોત, બચાવ કામગીરી ચાલુ

હિમાચલ પ્રદેશના બિલાસપુરમાં એક મોટો અકસ્માત થયો છે. ભૂસ્ખલન સમયે પસાર થઈ રહેલ બસ ઉપર જ પર્વતમાંથી મોટા મોટા પથ્થરો પડ્યા હતા અને કાટમાળ પણ બસ ઉપર પડ્યો હતો. જેમાં 18 લોકોના મોત થયા હોવાની પ્રાથમિક વિગતો સામે આવી રહી છે. ઘટના ખૂબ ગંભીર હોવાથી તંત્ર દ્વારા બચાવ અને રાહત કાર્ય માટે વિવિધ વિભાગના કર્મચારીઓ અને પોલીસ ઘટનાસ્થળે પહોચી ગયું છે.

ભારતનું આ રાજ્ય કહેવાય છે ‘Sleeping State’, અહીંના લોકો સવારે 5 વાગ્યે ઉઠે છે અને રાત્રે 8 વાગ્યે સૂઈ પણ જાય

ભારત વિશ્વભરમાં તેની વિવિધતા માટે જાણીતું છે, પરંતુ શું તમે જાણો છો કે કયા રાજ્યને ભારતનું સ્લીપિંગ સ્ટેટ કહેવામાં આવે છે? ચાલો વધુ જાણીએ.

Navratri 2025 : આ મંદિરમાં પતિ-પત્ની એકસાથે નથી કરી શકતા દેવી દુર્ગાના દર્શન, કારણ ચોંકાવનારું

શું તમે જાણો છો કે આપણા દેશમાં દેવી દુર્ગાને સમર્પિત એક મંદિર છે જ્યાં પતિ-પત્ની એકસાથે પૂજા કરી શકતા નથી? ધાર્મિક માન્યતાઓ અનુસાર, આમ કરવાથી તેમના લગ્ન જીવનમાં સમસ્યાઓ આવી શકે છે. આ પાછળનું કારણ દેવી પાર્વતીનો શ્રાપ છે.

577 રસ્તા બંધ, 380ના મોત, 4306 કરોડનું નુકસાન, ભારે વરસાદથી હિમાચલ પ્રદેશ થયું તબાહ, હજુ પણ પડશે અતિભારે વરસાદ

મુશળધાર વરસાદથી હિમાચલ પ્રદેશમાં ભયાનક પરિસ્થિતિ સર્જાઈ છે. 380 થી વધુ લોકોએ જીવ ગુમાવ્યા છે અને ઘણા લોકો હજુ પણ ગુમ છે. 577 રસ્તા હજુ પણ બંધ છે. હવામાન વિભાગે આગામી દિવસોમાં ભારે વરસાદની ચેતવણી જાહેર કરી છે. હિમાચલ પ્રદેશ રાજ્યને કરોડો રૂપિયાનું નુકસાન થયું છે.

બિગ બોસની વિજેતા, જુડવા દીકરીઓની માતા ટીવીની સંસ્કારી વહુનો આવો છે પરિવાર

રૂબીના દિલૈક IAS બનવાની તૈયારી કરી રહી હતી, ઓડિશન આપ્યું અને ટીવી અભિનેત્રી બની. આજે અભિનેત્રી 2 બાળકીની માતા છે. તમને જણાવી દઈએ કે, રુબીના દિલૈક બિગ બોસ વિજેતા પણ છે.

સિયાચીન ગ્લેશિયરમાં હિમસ્ખલન, સેનાના 3 જવાન શહીદ, બચાવ કામગીરી ચાલુ

સિયાચીન ગ્લેશિયરમાં ભારે હિમસ્ખલનને કારણે સરહદ પર તહેનાત ત્રણ ભારતીય સૈનિકો શહીદ થયા છે. ખરાબ હવામાન છતાં, બચાવ ટીમ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી ગઈ છે અને રાહત અને બચાવ કામગીરી શરૂ કરી દીધી છે.

ચેતજો! હિમાલયની અવગણના હવે સમગ્ર દેશને ડૂબાડશે, દેશની સુપ્રીમ કોર્ટે પણ વ્યક્ત કરી ચિંતા

હિમાલય તૂટી રહ્યો છે, મેદાનો તણાઈ રહ્યા છે, હિમાચલ પ્રદેશ,ઉત્તરાખંડ, જમ્મુકાશ્મીરમાં આવેલુ પૂર એ માત્ર કુદરતી નથી પરંતુ માણસની લાલચનું પણ પરિણામ છે. આ આપદાઓ હવે માત્ર પહાડી રાજ્યો પૂરતી સિમીત નથી અને પંજાબ તેનુ જ ઉદાહરણ છે. ખુદ સુપ્રીમ કોર્ટના જસ્ટીસે આના પર ચિંતા વ્યક્ત કરી છે હિમાચલમાં પહાડો તૂટવાની ઘટના પર જો હવે જાગીશું નહીં તો એ દિવસ દૂર નથી કે હિમાચલ દેશના નક્શામાં ગુમ થઈ જશે. આ ટિપ્પણીને ગંભીરતાથી લેવામાં નહીં આવે તો પંજાબ તો ડૂબી જ રહ્યુ છે. પરિણામ નજરની સામે છે.

ભારતના 5 રાજ્યોમાં વરસાદ અને ભૂસ્ખલથી વિનાશ વેરાયો, જમ્મુ-કાશ્મીરમાં 41 લોકોના મોત, હિમાચલમાં 584 રસ્તા બંધ

વરસાદ, પૂર અને ભૂસ્ખલનને કારણે ભારે તબાહી મચી ગઈ છે. જમ્મુ-કાશ્મીરમાં અત્યાર સુધીમાં 41 લોકોના મોત થયા છે, જેમાંથી 34 લોકોના મોત વૈષ્ણોદેવી માર્ગ પર ભૂસ્ખલનમાં થયા છે. હિમાચલ પ્રદેશમાં 584 રસ્તા બંધ છે, જ્યારે પંજાબમાં 30 ઓગસ્ટ સુધી શાળાઓ બંધ છે. ઉત્તર પ્રદેશ, છત્તીસગઢ, કર્ણાટક, તેલંગાણા, ઓડિશા અને દિલ્હીમાં પણ પરિસ્થિતિ ગંભીર છે. લાખો લોકો પ્રભાવિત થયા છે અને રાહત અને બચાવ કામગીરી ચાલી રહી છે.

હિમાચલના આ રસ્તાથી હવે MP અને બિહારના રસ્તા શરમાઈ જશે, Video જોયા પછી તમે કહેશો- હે ભગવાન!

હિમાચલ પ્રદેશથી એક ચોંકાવનારો વીડિયો વાયરલ થઈ રહ્યો છે. જેમાં રસ્તાની વચ્ચે ઇલેક્ટ્રિક થાંભલા લગાવવામાં આવ્યા છે. અગાઉ મધ્યપ્રદેશનો 90 ડિગ્રી પુલ અને બિહારનો ઝાડ વાળો રસ્તો સમાચારમાં હતો પરંતુ હિમાચલનો આ રસ્તો હવે સોશિયલ મીડિયા પર એક નવા વિવાદનું કારણ બન્યો છે. લોકોએ તેને 'મૃત્યુને આમંત્રણ' ગણાવ્યું છે.

હિમાચલમાં ફરી વાદળ ફાટ્યુ… મંડીમાં બે લોકોના મોત, કાટમાળ નીચે ઘરો ધસી પડ્યા, બચાવ કામગીરી ચાલુ

હિમાચલ પ્રદેશમાં સોમવારે રાત્રે ભારે વરસાદ બાદ મંડી વિસ્તારોમાં અચાનક પૂર આવ્યું હતું. ઘરો અને વાહનો કાટમાળ નીચે દટાઈ ગયા હતા. પૂરને કારણે બે લોકોના મોત થયા હતા. ઘણા લોકોને બચાવી લેવામાં આવ્યા છે. મંડીના જેલ રોડ પરથી વાદળ ફાટવાની ઘટના સામે આવી છે.

બે સગા ભાઈઓએ એક જ છોકરી સાથે કર્યા લગ્ન, હિમાચલના આ લગ્નની દેશભરમાં થઈ રહી છે ચર્ચા

હિમાચલ પ્રદેશના સિરમૌર જિલ્લાના શિલાઈ વિસ્તારમાં વર્ષો જૂની બહુપત્નીત્વની પરંપરા ફરી એકવાર ચર્ચામાં આવી છે. અહીં, કુન્હટ ગામની એક છોકરીના લગ્ન થિંડો કુળના બે સગા ભાઈઓ સાથે થયા.

હિમાચલ પ્રદેશના મંડીમાં વાદળ ફાટવાથી 4ના મોત, 16 લાપત્તા, રસ્તાઓ અને ઘર ધોવાઈ ગયા, જુઓ ફોટા

અતિશય ભારે વરસાદ અને વાદળ ફાટવાથી હિમાચલ પ્રદેશમાં ભારે તબાહી મચી ગઈ છે. વર્તમાન ચોમાસામાં અત્યારે મંડી જિલ્લો સૌથી વધુ પ્રભાવિત થયો છે, જ્યાં વાદળ ફાટવાથી 4 લોકોના મોત થયા છે, તો 16 લોકો લાપત્તા હોવાનું કહેવાય છે.

g clip-path="url(#clip0_868_265)">