AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ભારત ભૂકંપના ભયનો સામનો કરી રહ્યું છે, સિસ્મિક ઝોનિંગ મેપે હચમચાવી દીધો દેશ

ભારતમાં ભૂકંપનો ખતરો નોંધપાત્ર રીતે વધ્યો છે. નવા BIS સિસ્મિક ઝોનિંગ મેપ મુજબ, દેશનો 61% વિસ્તાર હવે ઊંચા જોખમવાળા ઝોનમાં છે, જેમાં સમગ્ર હિમાલય ઝોન VIમાં સમાવિષ્ટ છે.

ભારત ભૂકંપના ભયનો સામનો કરી રહ્યું છે, સિસ્મિક ઝોનિંગ મેપે હચમચાવી દીધો દેશ
| Updated on: Nov 29, 2025 | 10:19 PM
Share

ભારતમાં ભૂકંપનો ભય અગાઉ કરતાં વધુ ગંભીર બન્યો છે. ભારતીય માનક બ્યુરો (BIS) દ્વારા તાજેતરમાં જાહેર કરાયેલા સિસ્મિક ઝોનિંગ મેપે સમગ્ર દેશને ચોંકાવી દીધો છે. નવા નકશાના આધારે, દેશનો 61 ટકા વિસ્તાર હવે ઓછા અને ઊંચા જોખમવાળા ઝોન III થી ઝોન VI સુધી ખસેડાઈ ગયો છે, જેના પરિણામે ભૂકંપની સંભાવના વધુ વધી ગઈ છે.

હિમાલય શ્રેણી સૌથી વધુ જોખમવાળા ઝોન VIમાં

સિસ્મિક ઝોનિંગ મેપ દર્શાવે છે કે કાશ્મીરથી અરુણાચલ પ્રદેશ સુધીની સમગ્ર હિમાલય શ્રેણી હવે સૌથી વધુ જોખમવાળા ઝોન VIમાં આવી ગઈ છે. આ વિસ્તારોમાં રહેતા લોકોએ વધારે સતર્ક રહેવાની જરૂર છે, કારણ કે નિષ્ણાતો માને છે કે અહીં તણાવ સતત વધતો જાય છે અને 8.0 અથવા તેથી વધુ તીવ્રતાનો વિનાશકારી ભૂકંપ આવી શકે છે.

75 ટકા વસ્તી ભૂકંપ-સંભવિત વિસ્તારોમાં વસે છે

નવા નકશા પ્રમાણે, દેશની 75 ટકા વસ્તી એવા વિસ્તારોમાં રહે છે, જ્યાં ભૂકંપ જીવલેણ સાબિત થઈ શકે છે. પહેલાં હિમાલયને ઝોન IV અને ઝોન Vમાં વહેંચવામાં આવ્યો હતો, પરંતુ નવા સંશોધન અનુસાર આ વિસ્તારમાં 200 વર્ષથી પ્લેટો અટકેલી છે, જેના કારણે ભૂકંપીય દબાણ અતિશય વધી ગયું છે.

જાન્યુઆરી 2025થી નવો ભૂકંપ સલામતી કોડ લાગુ

IS 1893 (ભાગ 1): 2025 કોડ દેશભરમાં જાન્યુઆરી 2025થી અમલમાં મૂકાયો છે. તેનો મુખ્ય ઉદ્દેશ નવી ઇમારતો, હાઇવે અને પુલોને ભૂકંપ પ્રતિરોધક બનાવવાનો છે, જેથી જાનમાલનું નુકસાન ઓછું થાય. વૈજ્ઞાનિકોનું માનવું છે કે બાહ્ય હિમાલયમાં થનાઓ ભૂકંપ દક્ષિણ તરફ ફેલાઈ શકે છે અને હિમાલયના ફ્રન્ટલ થ્રસ્ટ સુધી પહોંચીને ભારે વિનાશ મચાવી શકે છે.

નવી ઇમારતો માટે કડક નિયમ — સલામતી પર ભાર

ભારતીય માનક બ્યુરો (BIS)એ સ્પષ્ટ કર્યું છે કે બધી નવી ઇમારતો માટે 2025 કોડનું પાલન આવશ્યક છે, કારણ કે હવે દેશની મોટાભાગની વસ્તી ભૂકંપને જોખમવાળા વિસ્તારોમાં રહે છે. પ્રથમ વખત એવો નિયમ બનાવવામાં આવ્યો છે કે ઇમારતના કોઈપણ ભારે ભાગો (કુલ વજનના 1%થી વધુ) ભૂકંપ દરમિયાન પડી ન જાય તે માટે સુરક્ષિત રીતે બંધાયેલા હોવા જોઈએ. આ નિયમ માળખાકીય તેમજ બિન-માળખાકીય બંને સલામતીને આવરી લે છે.

સિસ્મિક ઝોનેશન નકશો શું છે?

સરળ ભાષામાં કહીએ તો, સિસ્મિક ઝોનેશન નકશો દેશને ભૂકંપના જોખમના આધારે જુદા ઝોનમાં વિભાજિત કરે છે:

  • ઝોન II – ઓછું જોખમ
  • ઝોન III – મધ્યમ જોખમ
  • ઝોન IV – ઊંચું જોખમ
  • ઝોન V – ખૂબ જ ઊંચું જોખમ
  • ઝોન VI – અતિ-ઉચ્ચ જોખમ (નવો ઉમેરાયેલ ઝોન)

આ નકશો પીક ગ્રાઉન્ડ એક્સિલરેશન (PGA) પર આધારિત છે, જે ગુરુત્વાકર્ષણ (g)ની ટકાવારી રૂપે જમીન ધ્રુજારીની તીવ્રતા દર્શાવે છે.

Follow Us
રાજસ્થાનના પીપલાંત્રી ગામમાં પુત્રીના જન્મ પછી વાવવામાં આવે છે 111 ઝાડ
રાજસ્થાનના પીપલાંત્રી ગામમાં પુત્રીના જન્મ પછી વાવવામાં આવે છે 111 ઝાડ
નાણાકીય લાભ થવાની શક્યતા છે, માતા-પિતાને ભેટ આપો
નાણાકીય લાભ થવાની શક્યતા છે, માતા-પિતાને ભેટ આપો
ફ્લાઇટમાં જઈ ચોરી કરતી ગેંગ ઝડપાઈ: બનાસકાંઠા પોલીસે 2 આરોપી પકડ્યા
ફ્લાઇટમાં જઈ ચોરી કરતી ગેંગ ઝડપાઈ: બનાસકાંઠા પોલીસે 2 આરોપી પકડ્યા
ચાંદખેડામાં 3 વર્ષની બાળકીના મોતનું રહસ્ય ખુલ્યું - જુઓ Video
ચાંદખેડામાં 3 વર્ષની બાળકીના મોતનું રહસ્ય ખુલ્યું - જુઓ Video
વડોદરા: કેનાલ નિર્માણમાં ભ્રષ્ટાચારના આક્ષેપ, સાંસદે આપી તપાસની સૂચના
વડોદરા: કેનાલ નિર્માણમાં ભ્રષ્ટાચારના આક્ષેપ, સાંસદે આપી તપાસની સૂચના
રાજકોટ: ધાર્મિક દબાણો હટાવવાના વિરોધમાં કોંગ્રેસની રામધૂન
રાજકોટ: ધાર્મિક દબાણો હટાવવાના વિરોધમાં કોંગ્રેસની રામધૂન
અમદાવાદ: તળાવોના બ્યુટીફીકેશન મુદ્દે અમિત શાહની ઉચ્ચસ્તરીય બેઠક
અમદાવાદ: તળાવોના બ્યુટીફીકેશન મુદ્દે અમિત શાહની ઉચ્ચસ્તરીય બેઠક
નર્મદા કલેક્ટર બેઠક તોફાની: રસ્તા-પાણી મુદ્દે નેતાઓ અધિકારીઓ પર વરસ્યા
નર્મદા કલેક્ટર બેઠક તોફાની: રસ્તા-પાણી મુદ્દે નેતાઓ અધિકારીઓ પર વરસ્યા
અમદાવાદમાં AMC એ પાણીપુરીની લારી સીલ કરી ફટકાર્યો ₹10,000 નો દંડ
અમદાવાદમાં AMC એ પાણીપુરીની લારી સીલ કરી ફટકાર્યો ₹10,000 નો દંડ
Breaking News: સાંભાર-ચટણીમાં ઝેરી રંગ બદલ 6 માસની જેલ
Breaking News: સાંભાર-ચટણીમાં ઝેરી રંગ બદલ 6 માસની જેલ
g clip-path="url(#clip0_868_265)">