AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

BMC Mayor Breaking News : મુંબઈને મળશે મહિલા મેયર, કલ્યાણ-ડોંબિવલીમાં ભાજપનો દાવો નબળો પડ્યો

મહારાષ્ટ્રમાં ગત 15મી જાન્યુઆરીના રોજ યોજાયેલ 29 મ્યુનિસિપલ કોર્પોરેશનોની ચૂંટણી બાદ, આજે ગુરુવારે લોટરી દ્વારા કોણ કઈ મહાનગરપાલિકામાં મેયર બનશે તેની કેટેગરી નક્કી કરવામાં આવીહતું. આ લોટરી મુજબ, મુંબઈ સહિત નવ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં મેયર મહિલા બનશે.

BMC Mayor Breaking News : મુંબઈને મળશે મહિલા મેયર, કલ્યાણ-ડોંબિવલીમાં ભાજપનો દાવો નબળો પડ્યો
TV9 Gujarati
| Edited By: | Updated on: Jan 22, 2026 | 1:34 PM
Share

મહારાષ્ટ્રમાં 29 મ્યુનિસિપલ કોર્પોરેશનોના મેયર પદ માટે અનામત પ્રથાની લોટરી ગુરુવારે જાહેર કરવામાં આવી હતી. આ અનામત પ્રક્રિયામાં, પહેલા અનુસૂચિત જનજાતિ (ST), પછી અનુસૂચિત જાતિ (SC), પછી અન્ય પછાત વર્ગ (OBC) અને છેલ્લે સામાન્ય શ્રેણી માટે અનામત કાઢવામાં આવી હતી. આ લોટરી મુજબ, મુંબઈ મ્યુનિસિપલ કોર્પોરેશનના મેયરનું પદ મહિલા અનામતના ફાળે ગયું છે.

મુંબઈમાં, ઓપન કેટેગરીમાંથી એક મહિલા સભ્ય, મુંબઈના મેયર તરીકે ચૂંટાશે. આનાથી ભાજપ માટે મેયર પદ માટે લડવાનો માર્ગ ખુલી ગયો છે, પરંતુ ઉદ્ધવ ઠાકરેની શિવસેનાએ આ અનામત લોટરી પ્રક્રિયા સામે વાંધો ઉઠાવ્યો છે. ઠાકરેની શિવસેનાને આશા હતી કે, મુંબઈના મેયર પદ અન્ય પછાત વર્ગના વ્યક્તિને જશે.

લોટરી પ્રક્રિયા દરમિયાન આ વાંધો ઉઠાવવામાં આવ્યો હતો, જેના કારણે થોડી સમસ્યા ઊભી થઈ હતી. મુંબઈ દેશની સૌથી ધનિક મ્યુનિસિપલ કોર્પોરેશન છે. મુંબઈ મ્યુનિસિપલ કોર્પોરેશનનું બજેટ દેશના એક રાજ્યના બજેટ જેટલું હોય છે. તેથી, સમગ્ર દેશની નજર મુંબઈ મ્યુનિસિપલ કોર્પોરેશનના પરિણામો પર ટકેલી હતી. અંતે, ગયા અઠવાડિયે પરિણામો જાહેર થયા છે. જેમાં ભાજપ અને એકનાથ શિંદે જૂથની શિવસેનાને બહુમતી પ્રાપ્ત કરી છે.

શિવસેના (UBT) એ મેયર લોટરીનો બહિષ્કાર કર્યો

227 સભ્યોવાળી મુંબઈ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં ભાજપે સૌથી વધુ 89 કાઉન્સિલર બેઠકો જીતી. ભાજપ અને એકનાથ શિંદેની શિવસેનાએ મહાગઠબંધન તરીકે ચૂંટણી લડી. શિંદેની શિવસેનાના 29 કાઉન્સિલર જીત્યા. મહાગઠબંધનમાં કુલ 118 કાઉન્સિલર છે. તેથી, એ સ્પષ્ટ છે કે તેનો ઉમેદવાર મેયર બનશે.

ઉદ્ધવ ઠાકરેની શિવસેના છેલ્લા 25 વર્ષથી મુંબઈ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં સત્તામાં છે, પરંતુ આ વખતે મુંબઈવાસીઓ તેમને વિરોધ પક્ષે બેસવા માટે જનમત આપ્યો છે. આ વર્ષે મુંબઈ મ્યુનિસિપલ કોર્પોરેશનની ચૂંટણીમાં ઉદ્ધવ ઠાકરે અને રાજ ઠાકરેએ ગઠબંધન બનાવ્યું. ઉદ્ધવ ઠાકરે જૂથના 65 કાઉન્સિલર જીત્યા, જ્યારે રાજ ઠાકરેની શિવસેનાના 6 કાઉન્સિલર જીત્યા. તેમની સંયુક્ત સંખ્યા 71 હતી. જ્યારે, ઉદ્ધવ ઠાકરેની શિવસેનાએ મેયરની ચૂંટણીનો બહિષ્કાર કર્યો.

લો બોલો, મહારાષ્ટ્રમાં લોટરી પદ્ધતિથી નક્કી કરવામાં આવે છે મેયર, જાણો પ્રક્રિયા

g clip-path="url(#clip0_868_265)">