AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Breaking News : ભાજપ ઉદ્ધવ ઠાકરે સાથે જઈ શકે છે, તો શિંદે વંચિત અને AIMIM સાથે…? મહારાષ્ટ્રમાં મેયર પદ માટે રાજકીય મારામારી

Mayor Elections 2026 : મ્યુનિસિપલ કોર્પોરેશનની ચૂંટણીઓ પછી, બધાનું ધ્યાન હવે મેયર કોણ બનશે તેના પર છે. જોકે, આ માટે, ઘણી મહાનગરપાલિકાઓમાં વિવિધ પક્ષો એકબીજા સાથે જાય તેવી શક્યતા છે. ચાલો આ વિશે વિગતો જાણીએ.

Breaking News : ભાજપ ઉદ્ધવ ઠાકરે સાથે જઈ શકે છે, તો શિંદે વંચિત અને AIMIM સાથે...? મહારાષ્ટ્રમાં મેયર પદ માટે રાજકીય મારામારી
TV9 Gujarati
| Edited By: | Updated on: Jan 19, 2026 | 4:25 PM
Share

મહારાષ્ટ્ર રાજ્યમાં મ્યુનિસિપલ કોર્પોરેશનની ચૂંટણીઓ તાજેતરમાં 15મી જાન્યુઆરીના રોજ યોજાઈ છે અને તેના પરિણામો 16મી જાન્યુઆરીના રોજ જાહેર થયા છે. ભાજપે આ ચૂંટણીમાં મોટી સફળતા મેળવી છે. પરિણામો પછી, મેયર કોણ બનશે તે અંગે ચર્ચા ચાલી રહી છે. કેટલીક મ્યુનિસિપલ કોર્પોરેશનોના પરિણામોએ રાજકીય પક્ષો માટે મૂંઝવણ ઊભી કરી છે. ગઠબંધન અને મોરચા બનાવીને લડેલ રાજકીય પક્ષોને હવે મેયર કોના પક્ષના બનશે તેની મૂંઝવણનો ઉકેલ લાવવો જરૂરી છે. રાજ્યની વિવિધ મ્યુનિસિપલ કોર્પોરેશનોમાં પરિસ્થિતિ જોતા, ભાજપ અને ઉદ્ધવ ઠાકરે વચ્ચે ગઠબંધનની શક્યતા વધી રહી છે. ઉપરાંત, એક મ્યુનિસિપલ કોર્પોરેશનમાં, એવું ચિત્ર સામે આવ્યું છે કે, કોંગ્રેસ એકનાથ શિંદેની શિવસેના સાથે અને બીજીમાં એકનાથ શિંદેની શિવસેના વંચિત સાથે હાથ મિલાવી રહી છે. ચાલો જાણીએ આ વિશે વિગતો.

ભાજપ અને શિવસેના ઠાકરે જૂથ એક થવાની શક્યતા

ચંદ્રપુર મ્યુનિસિપલ કોર્પોરેશનમાં શિવસેના ઠાકરે જૂથ અને કોંગ્રેસ ગઠબંધન કરશે તેવા સંકેતો મળી રહ્યા છે. શિવસેના ઉદ્ધવ જૂથના જિલ્લા પ્રમુખ સંદીપ ગિરહેએ જણાવ્યું છે કે, અમને જે પણ મેયર બનાવશે તેની સાથે અમે જવા માટે તૈયાર છીએ. હવે એવી વિગતો સામે આવી રહી છે કે ચંદ્રપુર મ્યુનિસિપલ કોર્પોરેશનમાં સત્તા મેળવવા માટે ભાજપ અને શિવસેના ઉદ્ધવ ઠાકરે જૂથ વચ્ચે બેઠક યોજાઈ છે. શિવસેનાની આ પ્રેશ ટેકનિક કોંગ્રેસ પર રાજકીય દબાણ વધારી શકે છે. જો ઉદ્ધવ ઠાકરે જૂથની શિવસેના ભાજપ સાથે જાય છે, તો કોંગ્રેસ તેમના હાથની નજીક રહેલી સત્તા છીનવી લે તેવી શક્યતા છે. બીજી તરફ, કોંગ્રેસને સત્તામાં આવતા અટકાવવા માટે ભાજપ, ઉદ્ધવ ઠાકરેની શિવસેનાને મેયર પદ આપે તેવી શક્યતા નકારી શકાતી નથી.

કોંગ્રેસ અને શિંદે કોલ્હાપુરમાં એક થશે

કોંગ્રેસ અને એકનાથ શિંદેની શિવસેના, કોલ્હાપુરમાં મેયરની ખુરશી માટે એક થવાની શક્યતા છે. આ વિશે બોલતા, સતેજ પાટીલે પડદા પાછળ શું ચાલી રહ્યું છે તેની માહિતી આપી છે. કોલ્હાપુરમાં કોંગ્રેસના 34 અને શિંદેના 15 કોર્પોરેટરો ભેગા થાય તો મનપામાં ખુરશી પર બેસવાનું શક્ય હોવાથી, આ જોડાણ અંગેની બેઠકો હવે વેગ પકડ્યો છે.

વંચિત બહુજન આઘાડીના કારણે શિંદેની શિવસેનાના મેયર ઉલ્હાસનગરમાં બને

ઉલ્હાસનગરમાં વંચિત બહુજન આઘાડીમાંથી ચૂંટાયેલા બે કોર્પોરેટરોએ, શિંદેની શિવસેનાને સત્તાવાર રીતે ટેકો જાહેર કર્યો છે. આ સાથે, શિવસેનાના કોર્પોરેટરોની સંખ્યા 40 થઈ ગઈ છે, જ્યારે ભાજપના 37 કોર્પોરેટરો છે. વંચિત બહુજન આઘાડીના કોર્પોરેટર સુરેખા સોનાવણે અને વિકાસ ખરાટે નાયબ મુખ્યમંત્રી એકનાથ શિંદેના નિવાસસ્થાને શિવસેનાને ટેકો આપતો પત્ર સોંપ્યો છે. તેથી, ચર્ચાઓ શરૂ થઈ ગઈ છે કે, જો શિંદેજૂથ મેયર બને છે, તો વંચિત બહુજન આઘાડીને ડેપ્યુટી મેયર મળી શકે છે.

Breaking News : BMC મેયર પદને લઈને રાજકીય ગતિવિધિઓ તેજ, અઢી- અઢી વર્ષની ફોર્મ્યુલા થશે લાગું ?

Follow Us
નવસારી: 8 કરોડ ખર્ચાયા છતાં 18 તળાવ ઇન્ટરલિંક પ્રોજેક્ટ 6 વર્ષથી અધ્ધર
નવસારી: 8 કરોડ ખર્ચાયા છતાં 18 તળાવ ઇન્ટરલિંક પ્રોજેક્ટ 6 વર્ષથી અધ્ધર
સ્વચ્છ ભારત મિશનની ઇ-રિક્ષાઓ ધૂળ ખાય છે, ભ્રષ્ટાચારના આક્ષેપ
સ્વચ્છ ભારત મિશનની ઇ-રિક્ષાઓ ધૂળ ખાય છે, ભ્રષ્ટાચારના આક્ષેપ
હળવદના ચરાડવા પાસે કાર અકસ્માત, 7માંથી 5ના મોત અને 2 લોકોને ગંભીર ઈજા!
હળવદના ચરાડવા પાસે કાર અકસ્માત, 7માંથી 5ના મોત અને 2 લોકોને ગંભીર ઈજા!
એક તરફ વાયરસનો કહેર, બીજી તરફ બેદરકારીથી ગર્ભવતી સિંહણનું મોત !
એક તરફ વાયરસનો કહેર, બીજી તરફ બેદરકારીથી ગર્ભવતી સિંહણનું મોત !
આસારામ આશ્રમની આસપાસની જગ્યામાં ડિમોલિશન શરૂ, જુઓ Video
આસારામ આશ્રમની આસપાસની જગ્યામાં ડિમોલિશન શરૂ, જુઓ Video
ઠગ બંટી-બબલીએ 15 લોકો પાસેથી 20 કરોડથી વધુની છેતરપિંડી કરી
ઠગ બંટી-બબલીએ 15 લોકો પાસેથી 20 કરોડથી વધુની છેતરપિંડી કરી
પરિવારમાં બધાની વાતોને ધ્યાનથી સાંભળો, મિત્રોને સહયોગી બનતા જોશો
પરિવારમાં બધાની વાતોને ધ્યાનથી સાંભળો, મિત્રોને સહયોગી બનતા જોશો
જામનગરના વોટર પાર્કમાં 7 વર્ષના બાળકનું ડૂબી જવાથી મોત
જામનગરના વોટર પાર્કમાં 7 વર્ષના બાળકનું ડૂબી જવાથી મોત
રાજકોટમાં પગ મુક્તા જ બાબા બાગેશ્વરે વિરોધ કરનારાઓને આપી આ ચેલેન્જ
રાજકોટમાં પગ મુક્તા જ બાબા બાગેશ્વરે વિરોધ કરનારાઓને આપી આ ચેલેન્જ
અમદાવાદમાં વેજ બર્ગરના ઓર્ડરમાં ગ્રાહકને નોનવેજ બર્ગર મળ્યું
અમદાવાદમાં વેજ બર્ગરના ઓર્ડરમાં ગ્રાહકને નોનવેજ બર્ગર મળ્યું
g clip-path="url(#clip0_868_265)">