AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ભૂકંપ

ભૂકંપ

વિશ્વભરમાં નાના મોટા ધરતીકંપ રોજ આવતા રહે છે. પૃથ્વીની અંદર હંમેશા ગતિવિધિ ચાલતી રહે છે. કેટલીકવાર ભૂકંપની તીવ્રતા એટલી ઓછી હોય છે કે તેને નોંધી પણ શકાતી નથી,તો કેટલીકવાર ભૂકંપના આંચકા એટલા શક્તિશાળી હોય છે કે તે હજારો માઈલ દૂર પણ અનુભવી શકાય છે. જે સ્થાને ધરતીકંપ ઉદભવે છે તેને ભૂકંપનું કેન્દ્ર અથવા કેન્દ્રબિંદુ કહેવામાં આવે છે. ભૂકંપના તરંગો એપી સેન્ટરમાંથી જ નીકળે છે. આનાથી ઘરતીમાં વાઇબ્રેશન થાય છે જેને લોકો અનુભવી શકે છે.

વૈજ્ઞાનિકો, ધરતીકંપની તીવ્રતાને સિસ્મિક તરંગોની શક્તિ અને અવધિના આધારે નક્કી કરે છે. તીવ્રતા આંકડો જેટલો વધારે તેટલો વધુ શક્તિશાળી ભૂકંપ ગણાય. 3 થી 4.9 ની તીવ્રતાવાળા ધરતીકંપોને પ્રમાણમાં નાના ગણવામાં આવે છે, જ્યારે 5 થી 6.9 ની તીવ્રતા મધ્યમથી તીવ્રતા તરીકે વર્ગીકૃત કરવામાં આવે છે. જ્યારે, 7 થી 7.9 મોટા અને 8 કે તેથી વધુ ધરતીકંપો અત્યંત શક્તિશાળી કહેવામાં આવે છે.

ભૂકંપને સાદી ભાષામાં સમજવો હોય તો એમ કહી શકાય કે, ધરતીના ભૂગર્ભમાં રહેલી પ્લેટ એકબીજા સાથે અથડાતા ભૂકંપ આવે છે. સમગ્ર પૃથ્વી 12 ટેક્ટોનિક પ્લેટો ઉપર સ્થિત છે. આ પ્લેટો ખૂબ જ ધીમી ગતિએ ફરતી રહેતી હોય છે અને દર વર્ષે 4 થી 5 મી.મી ખસતી રહે છે. પ્લેટ ફરતી વખતે, જો એક પ્લેટ બીજીથી ઘણી દૂર ખસે છે અથવા પ્લેટની નીચે સરકી જાય છે, તો તે એકબીજા સાથે અથડાય છે. અથડામણ દરમિયાન, ઊર્જા મુક્ત થાય છે, જેને ભૂકંપ કહેવામાં આવે છે.

Read More

Breaking News : નેપાળના વિનાશ વચ્ચે ફરી ધ્રુજ્યો હિમાલય, તિબ્બટમાં આવ્યો ભૂકંપ

નેપાળ-તિબેટ સરહદી ક્ષેત્રમાં ઓગસ્ટમાં આવેલા વિનાશક પૂરની દુર્ઘટના પછી, તિબેટમાં ફરી એકવાર ભૂકંપના આંચકા અનુભવાયા છે. ઉપલબ્ધ અહેવાલો અનુસાર, તિબેટમાં 5.0 ની તીવ્રતાનો ભૂકંપ આવ્યો હતો. ભૂકંપના આચંકાથી સ્થાનિક લોકોમાં ચિંતા ફેલાઈ ગઈ હતી. આ પહેલા, ગત 26 ઓગસ્ટના રોજ, નેપાળ-ચીન સરહદી વિસ્તારમાં ભારે પૂર અને કાટમાળના પ્રવાહે તબાહી મચાવી હતી.

શા માટે ધ્રૂજી રહ્યો છે હિમાલય? 1 મહિનામાં 130થી વધુ ભૂકંપના આંચકા !

ઓગસ્ટ મહિનામાં હિમાલય ક્ષેત્રમાં 130 થી વધુ ભૂકંપના આંચકા અનુભવાયા હતા. નેશનલ સેન્ટર ફોર સિસ્મોલોજી (NCS) એ એક અહેવાલ બહાર પાડ્યો છે અને ભારત વિશે પણ ચોંકાવનારી માહિતી આપી છે.

ઇતિહાસના પાનાં પર મોતની તારીખ… જ્યારે-જ્યારે આવી તારીખ 26, દુનિયાએ સહન કરી મોટી તબાહી !

26 તારીખે દુનિયાના અનેક દેશોએ વિનાશક આપત્તિઓનો સામનો કર્યો છે. જેમાં હજારો લોકોએ પોતાના જીવ ગુમાવ્યા છે અને લાખો લોકો પ્રભાવિત થયા છે. નેપાળની તાજેતરની દુર્ઘટનાએ ફરી 26 તારીખ સાથે જોડાયેલી આ કરુણ ઘટનાઓની યાદ તાજી કરી છે.

Nepal Earthquake Breaking News : પૂર અને ભૂસ્ખલન પછી નેપાળમાં 5.2 ની તીવ્રતાના ભૂકંપે ધરતીને હચમચાવી નાંખી , જાણો શા માટે

Nepal Earthquake : બુધવારે મોડી સાંજે નેપાળમાં પૂર અને ભૂસ્ખલન થયું હતુ. ત્યારબાદ ભૂકંપના આંચકા અનુભવાયા હતા, ત્યારબાદ પૂર અને ભૂસ્ખલનથી વ્યાપક વિનાશ થયો હતો.

Japan Earthquake : જાપાન ભૂકંપથી ધ્રુજી ઉઠ્યું 23 લોકો ઘાયલ ,ટોક્યોમાં બ્લેકઆઉટ, ટ્રેનો બંધ

Japan Earthquake : જાપાન અને રાજધાની ટોક્યોમાં 5.9 ની તીવ્રતાનો ભૂકંપ આવ્યો હતો. તેમાં 23 લોકો ઘાયલ થયા હતા, પરંતુ સુનામીનો કોઈ ખતરો નહોતો. ભૂકંપનું કેન્દ્ર ઇબારાકી નજીક 70 કિમી નીચે હતું.

Nashik Earthquake Breaking News : શું નાસિક પર મંડરાઈ રહ્યો છે મોટા ભૂકંપનો ખતરો? વારંવાર આવતા આંચકાથી લોકોમાં વધ્યો ભય !

નાસિક ફરી ભૂકંપથી ધ્રુજી ઉઠ્યું છે. ભૂકંપના ડરથી લોકોમાં ભયનું વાતાવરણ સર્જાયું છે. નાસિક અને આસપાસમાં સતત ભૂકંપના આંચકાથી નાગરિકો ભયભીત થયા છે.

Breaking News : કચ્છમાં ભૂકંપનો આંચકો, કેન્દ્રબિંદુ પાકિસ્તાનમાં, જુઓ Video

કચ્છના ખાવડા વિસ્તારમાં 3.2ની તીવ્રતાનો ભૂકંપનો આંચકો અનુભવાયો હતો. જેનું કેન્દ્રબિંદુ કચ્છથી 42 કિલોમીટર દૂર પાકિસ્તાનમાં નોંધાયું છે.

કચ્છના ભૂકંપ જેવા જ આવેલા ધરતીકંપથી કોલંબિયામાં 1,600થી વધુ ઇમારતો ધરાશાયી, 7000ની વસ્તી ધરાવતુ એલ કૈરો શહેર તબાહ, મૃત્યુઆંક 254 પર પહોંચ્યો, ત્રણ હજાર લોકો ગુમ

ગત સોમવારે લેટિન અમેરિકન દેશ કોલંબિયામાં 7.4 ની તીવ્રતાનો વિનાશક ભૂકંપ આવ્યો હતો. ભૂકંપને કારણે 7,000 ની વસ્તી ધરાવતું એલ કૈરો શહેર તબાહ થઈ ચૂક્યું છે. ભૂકંપને પગલે અત્યાર સુધીમાં 254 લોકો માર્યા ગયા હોવાનું સામે આવ્યું છે અને 600 થી વધુ ઈજાગ્રસ્ત થયા છે. બચાવ અને રાહત કામગીરી વધુ ઝડપી બનતા, મૃતકો અને ઈજાગ્રસ્તોની સંખ્યામાં વધારો થતો રહ્યો છે. એવી આશંકા સેવાઈ રહી છે કે, કચ્છના ભૂકંપની જેમ જ ઈમારતોના કાટમાળમાં મોટી સંખ્યામાં લોકો ફસાયેલા-દબાયેલા છે.

કોલંબિયામાં 7.4 ની તીવ્રતાના ભૂકંપથી અત્યાર સુધીમાં 132ના મોત, પત્તાની માફક ઢળી પડેલી ઈમારતોનો ઠેર ઠેર કાટમાળ

કોલંબિયામાં 7.4 ની તીવ્રતાના શક્તિશાળી ભૂકંપે, એક જ ક્ષણમાં સેંકડો ઈમારતોને તબાહ કરી દીધી છે. પત્તાના ઘરની માફક જ એક પછી એક ઈમારતો ઢળી હતી. જેના પગલે ભયાનક વિનાશનું દ્રશ્ય સામે આવ્યું છે. મૃત્યુઆંક 132 પર પહોંચી ગયો છે.

Breaking News : દક્ષિણ ગુજરાતની ધરા ધ્રુજી, ડાંગમાં રાત્રે 10:02 કલાકે ભૂકંપનો જોરદાર આંચકો, લોકો ઘરની બહાર દોડી આવ્યા

ડાંગ જિલ્લામાં શનિવારે રાત્રે ભૂકંપનો જોરદાર આંચકો અનુભવાયો હતો, જેનાથી સાપુતારા સહિત આહવા અને ગલકુંડ વિસ્તારમાં પણ ધરતી ધ્રુજી ઉઠી હતી.

Breaking News: અમદાવાદમાં વહેલી સવારે અનુભવાયો ભૂકંપનો આંચકો, ભૂકંપનું કેન્દ્રબિંદુ અમદાવાદથી 29 કિમી દૂર નોંધાયુ

અમદાવાદ શહેરને લઇને મોટા સમાચાર સામે આવ્યા છે. અમદાવાદમાં આજે વહેલી સવારે ભૂકંપનો હળવો આંચકો નોંધાતા શહેરના કેટલાક વિસ્તારોમાં લોકોમાં થોડા સમય માટે ફફડાટ ફેલાયો હતો. આંચકો અનુભવાતા કેટલાક લોકો સાવચેતીના ભાગરૂપે ઘરની બહાર નીકળી આવ્યા હતા.

Breaking News : સુનામીનો ખતરો.. જાપાનમાં 7.1 રિક્ટર સ્કેલની તીવ્રતાનો ભયાનક ભૂકંપ

જાપાનના ક્યુશુ ટાપુ પર 28 જુલાઈએ 7.1ની તીવ્રતાનો શક્તિશાળી ભૂકંપ આવ્યો હતો, જેનું કેન્દ્ર કુમામોટો નજીક સમુદ્રમાં હતું. આ આંચકાથી સ્થાનિકોમાં ગભરાટ ફેલાયો.

Earthquake: શું પૃથ્વી સિવાય બીજા કોઈ ગ્રહ પર આવે છે ભૂકંપ? જાણો અહીં

Earthquake: પૃથ્વીનું ગુરુત્વાકર્ષણ ખેંચાણ વારંવાર ચંદ્ર પર ભૂકંપનું કારણ બને છે. આ સતત ભરતી બળ ચંદ્રના આંતરિક ભાગને ખેંચે છે અને સંકુચિત કરે છે, જેનાથી તેની ખડકાળ રચનામાં તણાવ ઉત્પન્ન થાય છે. જ્યારે આ સંચિત તણાવ મુક્ત થાય છે ત્યારે ભૂકંપ આવે છે.

Breaking News : વેનેઝુએલામાં 1,430 લોકોના મોત અને 69,000 લોકો ગુમ, 20 દેશોના 2,000 બચાવ કાર્યકરો કામે લાગ્યા

7.2 અને 7.5ની તીવ્રતાના બે ભૂકંપે વેનેઝુએલામાં ભારે વિનાશ મચાવ્યો છે. અત્યાર સુધીમાં 1,430 લોકો મૃત્યુ પામ્યા છે અને 69,000 લોકો ગુમ છે. 20 દેશોના 2,000 થી વધુ બચાવ કાર્યકરો કાટમાળમાં ફસાયેલા લોકોને શોધી રહ્યા છે.

અફઘાનિસ્તાનમાં જોરદાર ભૂકંપ, ભારતના અનેક શહેરોમાં અનુભવાયા આંચકા, જુઓ વીડિયો

અફઘાનિસ્તાનમાં આવેલા શક્તિશાળી ભૂકંપની અસર ભારતના અનેક શહેરમાં પણ અનુભવાઈ હતી. ભૂકંપની તીવ્રતા રિક્ટર સ્કેલ પર 6.2 નોંધાઈ હતી. અફઘાનિસ્કાનમાં આવેલા ભૂકંપની અસર ભારતના જમ્મુ અને કાશ્મીર અને ગુરુગ્રામ સહિત વિવિધ શહેરોમાં ઉચી ઇમારતોમાં રહેતા અનેક લોકોએ ભૂકંપના આંચકા અનુભવ્યા હતા.

રાજકોટમાં છ દિવસનો પાણીકાપ, નર્મદા પાઇપલાઇન મેન્ટેનન્સને કારણે અસર
રાજકોટમાં છ દિવસનો પાણીકાપ, નર્મદા પાઇપલાઇન મેન્ટેનન્સને કારણે અસર
વડનગરથી વારાણસી બાઇક યાત્રા: અમિત શાહ કરાવશે પ્રસ્થાન
વડનગરથી વારાણસી બાઇક યાત્રા: અમિત શાહ કરાવશે પ્રસ્થાન
બનાસકાંઠામાં વાહનચાલકોની મુશ્કેલી વધી, IRM ના 65 CNG પંપ બંધ
બનાસકાંઠામાં વાહનચાલકોની મુશ્કેલી વધી, IRM ના 65 CNG પંપ બંધ
ભુજમાં ચાલુ વરસાદ વચ્ચે ટ્રાન્સફોર્મરમાં ધડાકા સાથે ભભૂકી આગ-VIDEO
ભુજમાં ચાલુ વરસાદ વચ્ચે ટ્રાન્સફોર્મરમાં ધડાકા સાથે ભભૂકી આગ-VIDEO
ગીર સોમનાથના ઉનામાં ધોધમાર વરસાદથી જળબંબાકાર, ઘરોમાં ઘૂસ્યા પાણી
ગીર સોમનાથના ઉનામાં ધોધમાર વરસાદથી જળબંબાકાર, ઘરોમાં ઘૂસ્યા પાણી
Breaking News : 19 સપ્ટેમ્બરથી ચોમાસું વિદાય લે તેવી શક્યતા
Breaking News : 19 સપ્ટેમ્બરથી ચોમાસું વિદાય લે તેવી શક્યતા
ઈસ્કોન બ્રિજ પર એવો અકસ્માત સર્જાયો કે કારની એરબેગ ખુલી ગઇ, જુઓ Video
ઈસ્કોન બ્રિજ પર એવો અકસ્માત સર્જાયો કે કારની એરબેગ ખુલી ગઇ, જુઓ Video
રાજ્યભરમાં સાર્વત્રિક મેઘમહેર થઇ, અંજારમાં સૌથી વધુ 7.24 ઇંચ વરસ્યો
રાજ્યભરમાં સાર્વત્રિક મેઘમહેર થઇ, અંજારમાં સૌથી વધુ 7.24 ઇંચ વરસ્યો
₹600 કરોડના SD પે ફ્રોડમાં અમરેલી પોલીસને સફળતા
₹600 કરોડના SD પે ફ્રોડમાં અમરેલી પોલીસને સફળતા
સમરસ હોસ્ટેલ રિયાલિટી ચેક: ભોજન પર વિવાદ અને તપાસ
સમરસ હોસ્ટેલ રિયાલિટી ચેક: ભોજન પર વિવાદ અને તપાસ
g clip-path="url(#clip0_868_265)">