AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ભૂકંપ

ભૂકંપ

વિશ્વભરમાં નાના મોટા ધરતીકંપ રોજ આવતા રહે છે. પૃથ્વીની અંદર હંમેશા ગતિવિધિ ચાલતી રહે છે. કેટલીકવાર ભૂકંપની તીવ્રતા એટલી ઓછી હોય છે કે તેને નોંધી પણ શકાતી નથી,તો કેટલીકવાર ભૂકંપના આંચકા એટલા શક્તિશાળી હોય છે કે તે હજારો માઈલ દૂર પણ અનુભવી શકાય છે. જે સ્થાને ધરતીકંપ ઉદભવે છે તેને ભૂકંપનું કેન્દ્ર અથવા કેન્દ્રબિંદુ કહેવામાં આવે છે. ભૂકંપના તરંગો એપી સેન્ટરમાંથી જ નીકળે છે. આનાથી ઘરતીમાં વાઇબ્રેશન થાય છે જેને લોકો અનુભવી શકે છે.

વૈજ્ઞાનિકો, ધરતીકંપની તીવ્રતાને સિસ્મિક તરંગોની શક્તિ અને અવધિના આધારે નક્કી કરે છે. તીવ્રતા આંકડો જેટલો વધારે તેટલો વધુ શક્તિશાળી ભૂકંપ ગણાય. 3 થી 4.9 ની તીવ્રતાવાળા ધરતીકંપોને પ્રમાણમાં નાના ગણવામાં આવે છે, જ્યારે 5 થી 6.9 ની તીવ્રતા મધ્યમથી તીવ્રતા તરીકે વર્ગીકૃત કરવામાં આવે છે. જ્યારે, 7 થી 7.9 મોટા અને 8 કે તેથી વધુ ધરતીકંપો અત્યંત શક્તિશાળી કહેવામાં આવે છે.

ભૂકંપને સાદી ભાષામાં સમજવો હોય તો એમ કહી શકાય કે, ધરતીના ભૂગર્ભમાં રહેલી પ્લેટ એકબીજા સાથે અથડાતા ભૂકંપ આવે છે. સમગ્ર પૃથ્વી 12 ટેક્ટોનિક પ્લેટો ઉપર સ્થિત છે. આ પ્લેટો ખૂબ જ ધીમી ગતિએ ફરતી રહેતી હોય છે અને દર વર્ષે 4 થી 5 મી.મી ખસતી રહે છે. પ્લેટ ફરતી વખતે, જો એક પ્લેટ બીજીથી ઘણી દૂર ખસે છે અથવા પ્લેટની નીચે સરકી જાય છે, તો તે એકબીજા સાથે અથડાય છે. અથડામણ દરમિયાન, ઊર્જા મુક્ત થાય છે, જેને ભૂકંપ કહેવામાં આવે છે.

Read More

Japan Earthquake : જાપાન ભૂકંપથી ધ્રુજી ઉઠ્યું 23 લોકો ઘાયલ ,ટોક્યોમાં બ્લેકઆઉટ, ટ્રેનો બંધ

Japan Earthquake : જાપાન અને રાજધાની ટોક્યોમાં 5.9 ની તીવ્રતાનો ભૂકંપ આવ્યો હતો. તેમાં 23 લોકો ઘાયલ થયા હતા, પરંતુ સુનામીનો કોઈ ખતરો નહોતો. ભૂકંપનું કેન્દ્ર ઇબારાકી નજીક 70 કિમી નીચે હતું.

Nashik Earthquake Breaking News : શું નાસિક પર મંડરાઈ રહ્યો છે મોટા ભૂકંપનો ખતરો? વારંવાર આવતા આંચકાથી લોકોમાં વધ્યો ભય !

નાસિક ફરી ભૂકંપથી ધ્રુજી ઉઠ્યું છે. ભૂકંપના ડરથી લોકોમાં ભયનું વાતાવરણ સર્જાયું છે. નાસિક અને આસપાસમાં સતત ભૂકંપના આંચકાથી નાગરિકો ભયભીત થયા છે.

Breaking News : કચ્છમાં ભૂકંપનો આંચકો, કેન્દ્રબિંદુ પાકિસ્તાનમાં, જુઓ Video

કચ્છના ખાવડા વિસ્તારમાં 3.2ની તીવ્રતાનો ભૂકંપનો આંચકો અનુભવાયો હતો. જેનું કેન્દ્રબિંદુ કચ્છથી 42 કિલોમીટર દૂર પાકિસ્તાનમાં નોંધાયું છે.

કચ્છના ભૂકંપ જેવા જ આવેલા ધરતીકંપથી કોલંબિયામાં 1,600થી વધુ ઇમારતો ધરાશાયી, 7000ની વસ્તી ધરાવતુ એલ કૈરો શહેર તબાહ, મૃત્યુઆંક 254 પર પહોંચ્યો, ત્રણ હજાર લોકો ગુમ

ગત સોમવારે લેટિન અમેરિકન દેશ કોલંબિયામાં 7.4 ની તીવ્રતાનો વિનાશક ભૂકંપ આવ્યો હતો. ભૂકંપને કારણે 7,000 ની વસ્તી ધરાવતું એલ કૈરો શહેર તબાહ થઈ ચૂક્યું છે. ભૂકંપને પગલે અત્યાર સુધીમાં 254 લોકો માર્યા ગયા હોવાનું સામે આવ્યું છે અને 600 થી વધુ ઈજાગ્રસ્ત થયા છે. બચાવ અને રાહત કામગીરી વધુ ઝડપી બનતા, મૃતકો અને ઈજાગ્રસ્તોની સંખ્યામાં વધારો થતો રહ્યો છે. એવી આશંકા સેવાઈ રહી છે કે, કચ્છના ભૂકંપની જેમ જ ઈમારતોના કાટમાળમાં મોટી સંખ્યામાં લોકો ફસાયેલા-દબાયેલા છે.

કોલંબિયામાં 7.4 ની તીવ્રતાના ભૂકંપથી અત્યાર સુધીમાં 132ના મોત, પત્તાની માફક ઢળી પડેલી ઈમારતોનો ઠેર ઠેર કાટમાળ

કોલંબિયામાં 7.4 ની તીવ્રતાના શક્તિશાળી ભૂકંપે, એક જ ક્ષણમાં સેંકડો ઈમારતોને તબાહ કરી દીધી છે. પત્તાના ઘરની માફક જ એક પછી એક ઈમારતો ઢળી હતી. જેના પગલે ભયાનક વિનાશનું દ્રશ્ય સામે આવ્યું છે. મૃત્યુઆંક 132 પર પહોંચી ગયો છે.

Breaking News : દક્ષિણ ગુજરાતની ધરા ધ્રુજી, ડાંગમાં રાત્રે 10:02 કલાકે ભૂકંપનો જોરદાર આંચકો, લોકો ઘરની બહાર દોડી આવ્યા

ડાંગ જિલ્લામાં શનિવારે રાત્રે ભૂકંપનો જોરદાર આંચકો અનુભવાયો હતો, જેનાથી સાપુતારા સહિત આહવા અને ગલકુંડ વિસ્તારમાં પણ ધરતી ધ્રુજી ઉઠી હતી.

Breaking News: અમદાવાદમાં વહેલી સવારે અનુભવાયો ભૂકંપનો આંચકો, ભૂકંપનું કેન્દ્રબિંદુ અમદાવાદથી 29 કિમી દૂર નોંધાયુ

અમદાવાદ શહેરને લઇને મોટા સમાચાર સામે આવ્યા છે. અમદાવાદમાં આજે વહેલી સવારે ભૂકંપનો હળવો આંચકો નોંધાતા શહેરના કેટલાક વિસ્તારોમાં લોકોમાં થોડા સમય માટે ફફડાટ ફેલાયો હતો. આંચકો અનુભવાતા કેટલાક લોકો સાવચેતીના ભાગરૂપે ઘરની બહાર નીકળી આવ્યા હતા.

Breaking News : સુનામીનો ખતરો.. જાપાનમાં 7.1 રિક્ટર સ્કેલની તીવ્રતાનો ભયાનક ભૂકંપ

જાપાનના ક્યુશુ ટાપુ પર 28 જુલાઈએ 7.1ની તીવ્રતાનો શક્તિશાળી ભૂકંપ આવ્યો હતો, જેનું કેન્દ્ર કુમામોટો નજીક સમુદ્રમાં હતું. આ આંચકાથી સ્થાનિકોમાં ગભરાટ ફેલાયો.

Earthquake: શું પૃથ્વી સિવાય બીજા કોઈ ગ્રહ પર આવે છે ભૂકંપ? જાણો અહીં

Earthquake: પૃથ્વીનું ગુરુત્વાકર્ષણ ખેંચાણ વારંવાર ચંદ્ર પર ભૂકંપનું કારણ બને છે. આ સતત ભરતી બળ ચંદ્રના આંતરિક ભાગને ખેંચે છે અને સંકુચિત કરે છે, જેનાથી તેની ખડકાળ રચનામાં તણાવ ઉત્પન્ન થાય છે. જ્યારે આ સંચિત તણાવ મુક્ત થાય છે ત્યારે ભૂકંપ આવે છે.

Breaking News : વેનેઝુએલામાં 1,430 લોકોના મોત અને 69,000 લોકો ગુમ, 20 દેશોના 2,000 બચાવ કાર્યકરો કામે લાગ્યા

7.2 અને 7.5ની તીવ્રતાના બે ભૂકંપે વેનેઝુએલામાં ભારે વિનાશ મચાવ્યો છે. અત્યાર સુધીમાં 1,430 લોકો મૃત્યુ પામ્યા છે અને 69,000 લોકો ગુમ છે. 20 દેશોના 2,000 થી વધુ બચાવ કાર્યકરો કાટમાળમાં ફસાયેલા લોકોને શોધી રહ્યા છે.

અફઘાનિસ્તાનમાં જોરદાર ભૂકંપ, ભારતના અનેક શહેરોમાં અનુભવાયા આંચકા, જુઓ વીડિયો

અફઘાનિસ્તાનમાં આવેલા શક્તિશાળી ભૂકંપની અસર ભારતના અનેક શહેરમાં પણ અનુભવાઈ હતી. ભૂકંપની તીવ્રતા રિક્ટર સ્કેલ પર 6.2 નોંધાઈ હતી. અફઘાનિસ્કાનમાં આવેલા ભૂકંપની અસર ભારતના જમ્મુ અને કાશ્મીર અને ગુરુગ્રામ સહિત વિવિધ શહેરોમાં ઉચી ઇમારતોમાં રહેતા અનેક લોકોએ ભૂકંપના આંચકા અનુભવ્યા હતા.

દુનિયાના 10 સૌથી શક્તિશાળી ભૂકંપ, ક્યાં મચી સૌથી વધુ તબાહી? કેટલાં લોકોએ ગુમાવ્યા જીવ?

પૃથ્વીની ટેક્ટોનિક પ્લેટોના ઘસારાથી ભૂકંપ સર્જાય છે, જેની તીવ્રતા રિક્ટર સ્કેલ પર મપાય છે. ઇતિહાસમાં નોંધાયેલા 10 સૌથી શક્તિશાળી ભૂકંપે ભારે વિનાશ વેર્યો છે, જેમાં લાખો લોકોના જીવ ગયા અને અબજોનું નુકસાન થયું.

Breaking News : વેનેઝુએલાના ભૂકંપથી આર્જેન્ટિનાનો ફૂટબોલર શોકમાં, પત્ની અને બાળકો ગુમ, ઘર કાટમાળમાં ફેરવાયું

Argentina footballer Lucas Trejo : 24 જૂન 2026ના રોજ વેનેઝુએલા એક પછી એક બે વિનાશક ભૂકંપથી હચમચી ગયું. આ ભૂકંપના કારણે આર્જેન્ટિનાના અનુભવી ફૂટબોલર લુકાસ ટ્રેજો શોકમાં ડૂબી ગયો છે.

જાપાનમાં તો અવારનવાર મોટા ભૂકંપ આવે છે, છતા ત્યાં કેમ નથી થતુ જાન-માલને મોટાપાયે નુકસાન ? જાણો

ભૂકંપને રોકવો અશક્ય છે, પરંતુ ભૂકંપને કારણે થતા નુકસાન અને વિનાશને ચોક્કસપણે ઘટાડી શકાય છે. જાપાન આ જ પદ્ધતિ ઉપર કામ કરે છે. ભૂકંપને લઈને કરાયેલ આગોતરી તૈયારીના પગલાંની સાથેસાથે, જાહેર જાગૃતિ લાવવાની પણ કાર્યવાહી જાપાનમાં હાથ ધરાય છે, જેના કારણે જાપાનમાં આવતા મોટા ભૂકંપના આચંકા છતા કોઈ જાનહાની થતી નથી.

ભૂકંપ આવતા પહેલા જ મળી જશે Alert ! તમારા ફોનમાં બસ ઓન કરી લો આ એક સેટિંગ

આપણે જાણીએ છીએ કે ભૂકંપની આગાહી કરવી લગભગ અશક્ય છે; વિજ્ઞાન હજુ સુધી ભૂકંપના ચોક્કસ સમય અથવા તારીખની આગાહી કરવા માટે પૂરતું આગળ વધ્યું નથી. તો, ગૂગલે લોકોને અલર્ટ કેવી રીતે મોકલે છે?

દોઢ વર્ષના બાળકની અન્નળીમાં પીન ફસાય , જુઓ Video
દોઢ વર્ષના બાળકની અન્નળીમાં પીન ફસાય , જુઓ Video
સુરતમાં હચમચાવતી ઘટના! 13 વર્ષના કિશોરની ગરદનમાંથી આરપાર થયો સળિયો
સુરતમાં હચમચાવતી ઘટના! 13 વર્ષના કિશોરની ગરદનમાંથી આરપાર થયો સળિયો
અમદાવાદમાં વરસાદે વિરામ લેતા જ રોગચાળાએ માથું ઉચક્યું
અમદાવાદમાં વરસાદે વિરામ લેતા જ રોગચાળાએ માથું ઉચક્યું
આજનું રાશિફળ : કારકિર્દી, પૈસા અને અભ્યાસમાં મળશે સફળતા
આજનું રાશિફળ : કારકિર્દી, પૈસા અને અભ્યાસમાં મળશે સફળતા
સંજય સોલંકી અપહરણ અને મારામારી કેસમાં ગણેશ ગોંડલ નિર્દોષ જાહેર
સંજય સોલંકી અપહરણ અને મારામારી કેસમાં ગણેશ ગોંડલ નિર્દોષ જાહેર
વાવ થરાદમાં પાણી માટે ખેડૂતો આકરા પાણીએ, ઢોલ વગાડી નોંધાવ્યો વિરોધ
વાવ થરાદમાં પાણી માટે ખેડૂતો આકરા પાણીએ, ઢોલ વગાડી નોંધાવ્યો વિરોધ
ખેડા: રઢુ PHC સેન્ટરમાં બાળકોની દવામાં જીવડા નીકળતા આરોગ્યવિભાગ જાગ્યુ
ખેડા: રઢુ PHC સેન્ટરમાં બાળકોની દવામાં જીવડા નીકળતા આરોગ્યવિભાગ જાગ્યુ
બાળકોને વાસી ભોજન પીરસનાર સંચાલક ફસાયો - જુઓ Video
બાળકોને વાસી ભોજન પીરસનાર સંચાલક ફસાયો - જુઓ Video
સૌરાષ્ટ્રમાં વરસાદ ખેંચાતા જળસંકટના એંધાણ, હજુ 70% વરસાદની અછત
સૌરાષ્ટ્રમાં વરસાદ ખેંચાતા જળસંકટના એંધાણ, હજુ 70% વરસાદની અછત
રાજકુમાર જાટ કેસમાં ગુજરાત સરકારે હાઇકોર્ટમાં પુરાવા રજૂ કર્યા
રાજકુમાર જાટ કેસમાં ગુજરાત સરકારે હાઇકોર્ટમાં પુરાવા રજૂ કર્યા
g clip-path="url(#clip0_868_265)">