AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ભૂકંપ

ભૂકંપ

વિશ્વભરમાં નાના મોટા ધરતીકંપ રોજ આવતા રહે છે. પૃથ્વીની અંદર હંમેશા ગતિવિધિ ચાલતી રહે છે. કેટલીકવાર ભૂકંપની તીવ્રતા એટલી ઓછી હોય છે કે તેને નોંધી પણ શકાતી નથી,તો કેટલીકવાર ભૂકંપના આંચકા એટલા શક્તિશાળી હોય છે કે તે હજારો માઈલ દૂર પણ અનુભવી શકાય છે. જે સ્થાને ધરતીકંપ ઉદભવે છે તેને ભૂકંપનું કેન્દ્ર અથવા કેન્દ્રબિંદુ કહેવામાં આવે છે. ભૂકંપના તરંગો એપી સેન્ટરમાંથી જ નીકળે છે. આનાથી ઘરતીમાં વાઇબ્રેશન થાય છે જેને લોકો અનુભવી શકે છે.

વૈજ્ઞાનિકો, ધરતીકંપની તીવ્રતાને સિસ્મિક તરંગોની શક્તિ અને અવધિના આધારે નક્કી કરે છે. તીવ્રતા આંકડો જેટલો વધારે તેટલો વધુ શક્તિશાળી ભૂકંપ ગણાય. 3 થી 4.9 ની તીવ્રતાવાળા ધરતીકંપોને પ્રમાણમાં નાના ગણવામાં આવે છે, જ્યારે 5 થી 6.9 ની તીવ્રતા મધ્યમથી તીવ્રતા તરીકે વર્ગીકૃત કરવામાં આવે છે. જ્યારે, 7 થી 7.9 મોટા અને 8 કે તેથી વધુ ધરતીકંપો અત્યંત શક્તિશાળી કહેવામાં આવે છે.

ભૂકંપને સાદી ભાષામાં સમજવો હોય તો એમ કહી શકાય કે, ધરતીના ભૂગર્ભમાં રહેલી પ્લેટ એકબીજા સાથે અથડાતા ભૂકંપ આવે છે. સમગ્ર પૃથ્વી 12 ટેક્ટોનિક પ્લેટો ઉપર સ્થિત છે. આ પ્લેટો ખૂબ જ ધીમી ગતિએ ફરતી રહેતી હોય છે અને દર વર્ષે 4 થી 5 મી.મી ખસતી રહે છે. પ્લેટ ફરતી વખતે, જો એક પ્લેટ બીજીથી ઘણી દૂર ખસે છે અથવા પ્લેટની નીચે સરકી જાય છે, તો તે એકબીજા સાથે અથડાય છે. અથડામણ દરમિયાન, ઊર્જા મુક્ત થાય છે, જેને ભૂકંપ કહેવામાં આવે છે.

Read More

Earthquake: શું પૃથ્વી સિવાય બીજા કોઈ ગ્રહ પર આવે છે ભૂકંપ? જાણો અહીં

Earthquake: પૃથ્વીનું ગુરુત્વાકર્ષણ ખેંચાણ વારંવાર ચંદ્ર પર ભૂકંપનું કારણ બને છે. આ સતત ભરતી બળ ચંદ્રના આંતરિક ભાગને ખેંચે છે અને સંકુચિત કરે છે, જેનાથી તેની ખડકાળ રચનામાં તણાવ ઉત્પન્ન થાય છે. જ્યારે આ સંચિત તણાવ મુક્ત થાય છે ત્યારે ભૂકંપ આવે છે.

Breaking News : વેનેઝુએલામાં 1,430 લોકોના મોત અને 69,000 લોકો ગુમ, 20 દેશોના 2,000 બચાવ કાર્યકરો કામે લાગ્યા

7.2 અને 7.5ની તીવ્રતાના બે ભૂકંપે વેનેઝુએલામાં ભારે વિનાશ મચાવ્યો છે. અત્યાર સુધીમાં 1,430 લોકો મૃત્યુ પામ્યા છે અને 69,000 લોકો ગુમ છે. 20 દેશોના 2,000 થી વધુ બચાવ કાર્યકરો કાટમાળમાં ફસાયેલા લોકોને શોધી રહ્યા છે.

અફઘાનિસ્તાનમાં જોરદાર ભૂકંપ, ભારતના અનેક શહેરોમાં અનુભવાયા આંચકા, જુઓ વીડિયો

અફઘાનિસ્તાનમાં આવેલા શક્તિશાળી ભૂકંપની અસર ભારતના અનેક શહેરમાં પણ અનુભવાઈ હતી. ભૂકંપની તીવ્રતા રિક્ટર સ્કેલ પર 6.2 નોંધાઈ હતી. અફઘાનિસ્કાનમાં આવેલા ભૂકંપની અસર ભારતના જમ્મુ અને કાશ્મીર અને ગુરુગ્રામ સહિત વિવિધ શહેરોમાં ઉચી ઇમારતોમાં રહેતા અનેક લોકોએ ભૂકંપના આંચકા અનુભવ્યા હતા.

દુનિયાના 10 સૌથી શક્તિશાળી ભૂકંપ, ક્યાં મચી સૌથી વધુ તબાહી? કેટલાં લોકોએ ગુમાવ્યા જીવ?

પૃથ્વીની ટેક્ટોનિક પ્લેટોના ઘસારાથી ભૂકંપ સર્જાય છે, જેની તીવ્રતા રિક્ટર સ્કેલ પર મપાય છે. ઇતિહાસમાં નોંધાયેલા 10 સૌથી શક્તિશાળી ભૂકંપે ભારે વિનાશ વેર્યો છે, જેમાં લાખો લોકોના જીવ ગયા અને અબજોનું નુકસાન થયું.

Breaking News : વેનેઝુએલાના ભૂકંપથી આર્જેન્ટિનાનો ફૂટબોલર શોકમાં, પત્ની અને બાળકો ગુમ, ઘર કાટમાળમાં ફેરવાયું

Argentina footballer Lucas Trejo : 24 જૂન 2026ના રોજ વેનેઝુએલા એક પછી એક બે વિનાશક ભૂકંપથી હચમચી ગયું. આ ભૂકંપના કારણે આર્જેન્ટિનાના અનુભવી ફૂટબોલર લુકાસ ટ્રેજો શોકમાં ડૂબી ગયો છે.

જાપાનમાં તો અવારનવાર મોટા ભૂકંપ આવે છે, છતા ત્યાં કેમ નથી થતુ જાન-માલને મોટાપાયે નુકસાન ? જાણો

ભૂકંપને રોકવો અશક્ય છે, પરંતુ ભૂકંપને કારણે થતા નુકસાન અને વિનાશને ચોક્કસપણે ઘટાડી શકાય છે. જાપાન આ જ પદ્ધતિ ઉપર કામ કરે છે. ભૂકંપને લઈને કરાયેલ આગોતરી તૈયારીના પગલાંની સાથેસાથે, જાહેર જાગૃતિ લાવવાની પણ કાર્યવાહી જાપાનમાં હાથ ધરાય છે, જેના કારણે જાપાનમાં આવતા મોટા ભૂકંપના આચંકા છતા કોઈ જાનહાની થતી નથી.

ભૂકંપ આવતા પહેલા જ મળી જશે Alert ! તમારા ફોનમાં બસ ઓન કરી લો આ એક સેટિંગ

આપણે જાણીએ છીએ કે ભૂકંપની આગાહી કરવી લગભગ અશક્ય છે; વિજ્ઞાન હજુ સુધી ભૂકંપના ચોક્કસ સમય અથવા તારીખની આગાહી કરવા માટે પૂરતું આગળ વધ્યું નથી. તો, ગૂગલે લોકોને અલર્ટ કેવી રીતે મોકલે છે?

Venezuela Earthquake : 235 લોકોના મોત, 200 થી વધુ લોકો હજુ પણ કાટમાળ નીચે ફસાયેલા, 39,000 લોકો ગુમ

વેનેઝુએલામાં 7.2 અને 7.5ની તીવ્રતાના બે ભૂકંપથી ભારે તબાહી મચી ગઈ છે. અત્યાર સુધીમાં 235 લોકોના મોત થયા છે, 1,500 થી વધુ લોકો ઘાયલ થયા છે અને 200 થી વધુ લોકો કાટમાળ નીચે ફસાયા છે. રાહત અને બચાવ કામગીરી ચાલુ છે. ઘણા દેશોએ મદદ મોકલી છે.

ભારતમાં પણ વિનાશક ભૂકંપનો ભારે ભય : BIS એ જાહેર કરેલા સિસ્મેક ઝોનના નવા નકશાએ મચાવી છે હલચલ

ભારતમાં ભૂકંપનો ભય પહેલા કરતાં નોંધપાત્ર રીતે વધુ ગંભીર બન્યો છે. ભારતીય માનક બ્યુરો (BIS) દ્વારા તાજેતરમાં બહાર પાડવામાં આવેલા ભૂકંપને લગતા સિસ્મેક ઝોનના નવા નકશા દ્વારા આ ખુલાસો થયો છે. ભૂકંપીય ઝોનેશન નકશાએ, એક અર્થમાં, સમગ્ર દેશને હચમચાવી નાખ્યો છે. નકશા અનુસાર, કાશ્મીરથી અરુણાચલ પ્રદેશ સુધી ફેલાયેલી સમગ્ર હિમાલય ભૂસ્તરીય શ્રેણી, હવે સૌથી જોખમી શ્રેણી ઝોન VI માં આવી ગઈ છે. હવે આ પ્રદેશોમાં રહેતા લોકો માટે એક મહત્વપૂર્ણ ચેતવણી ગણી શકાય.

Breaking News : 126 વર્ષનો સૌથી ભયાનક ભૂકંપ, વેનેઝુએલામાં ભૂકંપ બાદની તબાહીની કાળજુ કંપાવી દે તેવા જુઓ Photos

7.2 અને 7.5ની તીવ્રતાના બે ભૂકંપ 39 સેકન્ડના અંતરે વેનેઝુએલામાં આવ્યા, જેના કારણે ભારે વિનાશ થયો અને અસંખ્ય ઇમારતો ધરાશાયી થઈ. યુએસજીએસે 10,000થી વધુ લોકોના મોતની આગાહી કરી છે. આ ભૂકંપને 126 વર્ષમાં સૌથી મોટો ભૂકંપ ગણાવવામાં આવી રહ્યો છે. રાહત અને બચાવ કામગીરી ચાલી રહી છે.

Breaking News : વેનેઝુએલા બાદ અમેરિકા અને જાપાનમાં પણ ભૂંકપની તબાહી ! સામે આવી ભયાનક તસવીરો

Venezuela Earthquake: ત્રણ દેશોમાં ભયાનક ભૂકંપના આંચકા અનુભવાયા છે. કેલિફોર્નિયાના ઉત્તરી કિનારે બુધવારે સવારે 8 વાગ્યે 5.6 ની તીવ્રતાનો પહેલો ભૂકંપ આવ્યો હતો. આ ત્રણમાંથી સૌથી મજબૂત, 7.5 ની તીવ્રતાનો ભૂકંપ, બુધવારે સાંજે 6 વાગ્યે વેનેઝુએલાના ઉત્તરી કિનારે અનુભવાયો હતો.

Earthquake Safety Tips : ભૂકંપ આવે ત્યારે શું સાવધાની રાખવી? સુરક્ષિત રહેવા માટે જાણો 5 મહત્વપૂર્ણ ટીપ્સ !

ભૂકંપ કે કોઈપણ નેચરલ આપત્તિ કોઈ ચેતવણી સાથે આવતી નથી. આવા સમયમાં શું કરવું તે તાત્કાલિક જાણવું મુશ્કેલ હોય છે. પરંતુ ગભરાવાને બદલે કેટલીક મુખ્ય બાબતો ધ્યાનમાં રાખવી વધુ મહત્વપૂર્ણ હોય છે.

Breaking News : વેનેઝુએલામાં ભૂકંપથી ભારે તબાહી, ઇમારતો ધરાશાયી, 10 હજાર લોકોના મોતની આશંકા

Venezuela Earthquake: વેનેઝુએલામાં બે મોટા ભૂકંપના આંચકા અનુભવાયા હતા, જેની તીવ્રતા રિક્ટર સ્કેલ પર 7.1 અને 7.5 હતી. ભૂકંપના કારણે અનેક ઇમારતોને નુકસાન થયું હતું. સુનામીની ચેતવણી જાહેર કરવામાં આવી છે, જેમાં હજારો લોકોના મોતની આશંકા છે. આ દરમિયાન, જાપાનમાં જમીન ધ્રુજી ઉઠી.

Breaking News : ફિલિપાઇન્સમાં 7.8 ની તીવ્રતાનો ભૂકંપ, 5 ના મોત, અનેક ઈમારતો પત્તાની જેમ ધરાશાયી, જુઓ Video

ફિલિપાઇન્સના મિંડાનાઓ પ્રદેશમાં 7.8ની તીવ્રતાનો શક્તિશાળી ભૂકંપ આવ્યો, જેના કારણે ફિલિપાઇન્સ અને ઇન્ડોનેશિયાના ઘણા દરિયાકાંઠાના વિસ્તારોમાં સુનામીની ચેતવણી જાહેર કરવામાં આવી છે. યુએસ અને સ્થાનિક એજન્સીઓએ લોકોને સતર્ક રહેવા, ઉંચી જમીન પર જવા અને દરિયાકાંઠાના વિસ્તારોથી દૂર રહેવાની સલાહ આપી છે.

Breaking News : મહારાષ્ટ્રના આ જિલ્લામાં અચાનક ભૂકંપના આંચકાથી જમીન હચમચી ગઈ, ગભરાટનો માહોલ

મહારાષ્ટ્રના હિંગોલી જિલ્લામાં ફરી એકવાર 3.6 તીવ્રતાનો ભૂકંપ અનુભવાયો છે, જેના કારણે લોકોમાં ગભરાટ ફેલાયો છે. છેલ્લા કેટલાક દિવસોથી સતત હળવા આંચકાઓ નોંધાઈ રહ્યા છે.

અઝરબૈજાન ફ્લાઇટના ડિસ્ટ્રેસ સિગ્નલથી દોડધામ મચી
અઝરબૈજાન ફ્લાઇટના ડિસ્ટ્રેસ સિગ્નલથી દોડધામ મચી
એશિયન સ્પાઈસીસ કંપનીમાંથી યુકે માટે મસાલાનું પ્રથમ કન્ટેનર થયુ રવાના
એશિયન સ્પાઈસીસ કંપનીમાંથી યુકે માટે મસાલાનું પ્રથમ કન્ટેનર થયુ રવાના
અષાઢી બીજે નવસારીના ઉભરાટ દરિયા કિનારે ઊંચા મોજા
અષાઢી બીજે નવસારીના ઉભરાટ દરિયા કિનારે ઊંચા મોજા
રાજકોટમાં ધોધમાર વરસાદ, ખેડૂતોમાં ખુશીનો માહો
રાજકોટમાં ધોધમાર વરસાદ, ખેડૂતોમાં ખુશીનો માહો
697 વિદ્યાર્થીના ડમી એડમિશન બાદ સફાળી જાગી સરકાર
697 વિદ્યાર્થીના ડમી એડમિશન બાદ સફાળી જાગી સરકાર
હોસ્પિટલના ખાટલે પડેલા પતિ સામે પત્નીની 'રીલબાજી'
હોસ્પિટલના ખાટલે પડેલા પતિ સામે પત્નીની 'રીલબાજી'
જગતના નાથની રથયાત્રામાં નાથને નિહાળી ભાવિકો ભક્તિના રંગે રંગાયા- Video
જગતના નાથની રથયાત્રામાં નાથને નિહાળી ભાવિકો ભક્તિના રંગે રંગાયા- Video
મામાને ઘરે વ્હાલા ભાણેજને આવકારવા સરસરપુરવાસીઓમાં અનેરો થનગનાટ
મામાને ઘરે વ્હાલા ભાણેજને આવકારવા સરસરપુરવાસીઓમાં અનેરો થનગનાટ
પવિત્ર દિવસે મેઘરાજાની 'ધમાકેદાર એન્ટ્રી', બફારાથી મળી લોકોને 'રાહત'
પવિત્ર દિવસે મેઘરાજાની 'ધમાકેદાર એન્ટ્રી', બફારાથી મળી લોકોને 'રાહત'
45 કરોડની ખંડણી ચૂકવતા સુરતના હીરા વેપારી 3 મહિના પછી મુક્ત થયા
45 કરોડની ખંડણી ચૂકવતા સુરતના હીરા વેપારી 3 મહિના પછી મુક્ત થયા
g clip-path="url(#clip0_868_265)">