AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ભૂકંપ

ભૂકંપ

વિશ્વભરમાં નાના મોટા ધરતીકંપ રોજ આવતા રહે છે. પૃથ્વીની અંદર હંમેશા ગતિવિધિ ચાલતી રહે છે. કેટલીકવાર ભૂકંપની તીવ્રતા એટલી ઓછી હોય છે કે તેને નોંધી પણ શકાતી નથી,તો કેટલીકવાર ભૂકંપના આંચકા એટલા શક્તિશાળી હોય છે કે તે હજારો માઈલ દૂર પણ અનુભવી શકાય છે. જે સ્થાને ધરતીકંપ ઉદભવે છે તેને ભૂકંપનું કેન્દ્ર અથવા કેન્દ્રબિંદુ કહેવામાં આવે છે. ભૂકંપના તરંગો એપી સેન્ટરમાંથી જ નીકળે છે. આનાથી ઘરતીમાં વાઇબ્રેશન થાય છે જેને લોકો અનુભવી શકે છે.

વૈજ્ઞાનિકો, ધરતીકંપની તીવ્રતાને સિસ્મિક તરંગોની શક્તિ અને અવધિના આધારે નક્કી કરે છે. તીવ્રતા આંકડો જેટલો વધારે તેટલો વધુ શક્તિશાળી ભૂકંપ ગણાય. 3 થી 4.9 ની તીવ્રતાવાળા ધરતીકંપોને પ્રમાણમાં નાના ગણવામાં આવે છે, જ્યારે 5 થી 6.9 ની તીવ્રતા મધ્યમથી તીવ્રતા તરીકે વર્ગીકૃત કરવામાં આવે છે. જ્યારે, 7 થી 7.9 મોટા અને 8 કે તેથી વધુ ધરતીકંપો અત્યંત શક્તિશાળી કહેવામાં આવે છે.

ભૂકંપને સાદી ભાષામાં સમજવો હોય તો એમ કહી શકાય કે, ધરતીના ભૂગર્ભમાં રહેલી પ્લેટ એકબીજા સાથે અથડાતા ભૂકંપ આવે છે. સમગ્ર પૃથ્વી 12 ટેક્ટોનિક પ્લેટો ઉપર સ્થિત છે. આ પ્લેટો ખૂબ જ ધીમી ગતિએ ફરતી રહેતી હોય છે અને દર વર્ષે 4 થી 5 મી.મી ખસતી રહે છે. પ્લેટ ફરતી વખતે, જો એક પ્લેટ બીજીથી ઘણી દૂર ખસે છે અથવા પ્લેટની નીચે સરકી જાય છે, તો તે એકબીજા સાથે અથડાય છે. અથડામણ દરમિયાન, ઊર્જા મુક્ત થાય છે, જેને ભૂકંપ કહેવામાં આવે છે.

Read More

Breaking News : વેનેઝુએલાના ભૂકંપથી આર્જેન્ટિનાનો ફૂટબોલર શોકમાં, પત્ની અને બાળકો ગુમ, ઘર કાટમાળમાં ફેરવાયું

Argentina footballer Lucas Trejo : 24 જૂન 2026ના રોજ વેનેઝુએલા એક પછી એક બે વિનાશક ભૂકંપથી હચમચી ગયું. આ ભૂકંપના કારણે આર્જેન્ટિનાના અનુભવી ફૂટબોલર લુકાસ ટ્રેજો શોકમાં ડૂબી ગયો છે.

જાપાનમાં તો અવારનવાર મોટા ભૂકંપ આવે છે, છતા ત્યાં કેમ નથી થતુ જાન-માલને મોટાપાયે નુકસાન ? જાણો

ભૂકંપને રોકવો અશક્ય છે, પરંતુ ભૂકંપને કારણે થતા નુકસાન અને વિનાશને ચોક્કસપણે ઘટાડી શકાય છે. જાપાન આ જ પદ્ધતિ ઉપર કામ કરે છે. ભૂકંપને લઈને કરાયેલ આગોતરી તૈયારીના પગલાંની સાથેસાથે, જાહેર જાગૃતિ લાવવાની પણ કાર્યવાહી જાપાનમાં હાથ ધરાય છે, જેના કારણે જાપાનમાં આવતા મોટા ભૂકંપના આચંકા છતા કોઈ જાનહાની થતી નથી.

ભૂકંપ આવતા પહેલા જ મળી જશે Alert ! તમારા ફોનમાં બસ ઓન કરી લો આ એક સેટિંગ

આપણે જાણીએ છીએ કે ભૂકંપની આગાહી કરવી લગભગ અશક્ય છે; વિજ્ઞાન હજુ સુધી ભૂકંપના ચોક્કસ સમય અથવા તારીખની આગાહી કરવા માટે પૂરતું આગળ વધ્યું નથી. તો, ગૂગલે લોકોને અલર્ટ કેવી રીતે મોકલે છે?

Venezuela Earthquake : 235 લોકોના મોત, 200 થી વધુ લોકો હજુ પણ કાટમાળ નીચે ફસાયેલા, 39,000 લોકો ગુમ

વેનેઝુએલામાં 7.2 અને 7.5ની તીવ્રતાના બે ભૂકંપથી ભારે તબાહી મચી ગઈ છે. અત્યાર સુધીમાં 235 લોકોના મોત થયા છે, 1,500 થી વધુ લોકો ઘાયલ થયા છે અને 200 થી વધુ લોકો કાટમાળ નીચે ફસાયા છે. રાહત અને બચાવ કામગીરી ચાલુ છે. ઘણા દેશોએ મદદ મોકલી છે.

ભારતમાં પણ વિનાશક ભૂકંપનો ભારે ભય : BIS એ જાહેર કરેલા સિસ્મેક ઝોનના નવા નકશાએ મચાવી છે હલચલ

ભારતમાં ભૂકંપનો ભય પહેલા કરતાં નોંધપાત્ર રીતે વધુ ગંભીર બન્યો છે. ભારતીય માનક બ્યુરો (BIS) દ્વારા તાજેતરમાં બહાર પાડવામાં આવેલા ભૂકંપને લગતા સિસ્મેક ઝોનના નવા નકશા દ્વારા આ ખુલાસો થયો છે. ભૂકંપીય ઝોનેશન નકશાએ, એક અર્થમાં, સમગ્ર દેશને હચમચાવી નાખ્યો છે. નકશા અનુસાર, કાશ્મીરથી અરુણાચલ પ્રદેશ સુધી ફેલાયેલી સમગ્ર હિમાલય ભૂસ્તરીય શ્રેણી, હવે સૌથી જોખમી શ્રેણી ઝોન VI માં આવી ગઈ છે. હવે આ પ્રદેશોમાં રહેતા લોકો માટે એક મહત્વપૂર્ણ ચેતવણી ગણી શકાય.

Breaking News : 126 વર્ષનો સૌથી ભયાનક ભૂકંપ, વેનેઝુએલામાં ભૂકંપ બાદની તબાહીની કાળજુ કંપાવી દે તેવા જુઓ Photos

7.2 અને 7.5ની તીવ્રતાના બે ભૂકંપ 39 સેકન્ડના અંતરે વેનેઝુએલામાં આવ્યા, જેના કારણે ભારે વિનાશ થયો અને અસંખ્ય ઇમારતો ધરાશાયી થઈ. યુએસજીએસે 10,000થી વધુ લોકોના મોતની આગાહી કરી છે. આ ભૂકંપને 126 વર્ષમાં સૌથી મોટો ભૂકંપ ગણાવવામાં આવી રહ્યો છે. રાહત અને બચાવ કામગીરી ચાલી રહી છે.

Breaking News : વેનેઝુએલા બાદ અમેરિકા અને જાપાનમાં પણ ભૂંકપની તબાહી ! સામે આવી ભયાનક તસવીરો

Venezuela Earthquake: ત્રણ દેશોમાં ભયાનક ભૂકંપના આંચકા અનુભવાયા છે. કેલિફોર્નિયાના ઉત્તરી કિનારે બુધવારે સવારે 8 વાગ્યે 5.6 ની તીવ્રતાનો પહેલો ભૂકંપ આવ્યો હતો. આ ત્રણમાંથી સૌથી મજબૂત, 7.5 ની તીવ્રતાનો ભૂકંપ, બુધવારે સાંજે 6 વાગ્યે વેનેઝુએલાના ઉત્તરી કિનારે અનુભવાયો હતો.

Earthquake Safety Tips : ભૂકંપ આવે ત્યારે શું સાવધાની રાખવી? સુરક્ષિત રહેવા માટે જાણો 5 મહત્વપૂર્ણ ટીપ્સ !

ભૂકંપ કે કોઈપણ નેચરલ આપત્તિ કોઈ ચેતવણી સાથે આવતી નથી. આવા સમયમાં શું કરવું તે તાત્કાલિક જાણવું મુશ્કેલ હોય છે. પરંતુ ગભરાવાને બદલે કેટલીક મુખ્ય બાબતો ધ્યાનમાં રાખવી વધુ મહત્વપૂર્ણ હોય છે.

Breaking News : વેનેઝુએલામાં ભૂકંપથી ભારે તબાહી, ઇમારતો ધરાશાયી, 10 હજાર લોકોના મોતની આશંકા

Venezuela Earthquake: વેનેઝુએલામાં બે મોટા ભૂકંપના આંચકા અનુભવાયા હતા, જેની તીવ્રતા રિક્ટર સ્કેલ પર 7.1 અને 7.5 હતી. ભૂકંપના કારણે અનેક ઇમારતોને નુકસાન થયું હતું. સુનામીની ચેતવણી જાહેર કરવામાં આવી છે, જેમાં હજારો લોકોના મોતની આશંકા છે. આ દરમિયાન, જાપાનમાં જમીન ધ્રુજી ઉઠી.

Breaking News : ફિલિપાઇન્સમાં 7.8 ની તીવ્રતાનો ભૂકંપ, 5 ના મોત, અનેક ઈમારતો પત્તાની જેમ ધરાશાયી, જુઓ Video

ફિલિપાઇન્સના મિંડાનાઓ પ્રદેશમાં 7.8ની તીવ્રતાનો શક્તિશાળી ભૂકંપ આવ્યો, જેના કારણે ફિલિપાઇન્સ અને ઇન્ડોનેશિયાના ઘણા દરિયાકાંઠાના વિસ્તારોમાં સુનામીની ચેતવણી જાહેર કરવામાં આવી છે. યુએસ અને સ્થાનિક એજન્સીઓએ લોકોને સતર્ક રહેવા, ઉંચી જમીન પર જવા અને દરિયાકાંઠાના વિસ્તારોથી દૂર રહેવાની સલાહ આપી છે.

Breaking News : મહારાષ્ટ્રના આ જિલ્લામાં અચાનક ભૂકંપના આંચકાથી જમીન હચમચી ગઈ, ગભરાટનો માહોલ

મહારાષ્ટ્રના હિંગોલી જિલ્લામાં ફરી એકવાર 3.6 તીવ્રતાનો ભૂકંપ અનુભવાયો છે, જેના કારણે લોકોમાં ગભરાટ ફેલાયો છે. છેલ્લા કેટલાક દિવસોથી સતત હળવા આંચકાઓ નોંધાઈ રહ્યા છે.

Breaking News : જાપાનમાં ભૂકંપના જોરદાર આંચકા, 7.4 ની તીવ્રતા સાથે ધરતી ધ્રુજી ઉઠી, સુનામીનું એલર્ટ જાહેર

Earthquake In Japan: જાપાનમાં રિક્ટર સ્કેલ પર 7.4ની તીવ્રતાનો ભૂકંપ આવ્યો. જાપાન હવામાન એજન્સીએ ઉત્તરના બે શહેરો માટે સુનામીની ચેતવણી જાહેર કરી છે. વડા પ્રધાન સનાઓ તકાઈચીએ નાગરિકોને ઉંચી જગ્યાઓ પર જવા વિનંતી કરી છે.

Breaking News : એક ઝાટકામાં ઊંઘ ઉડી ગઈ! ભૂકંપથી રાજુલા-જાફરાબાદમાં ભયનો માહોલ જુઓ Video

અમરેલીના રાજુલા-જાફરાબાદ સહિતના દરિયાકાંઠાના વિસ્તારોમાં મોડી રાત્રે 2 વાગ્યે 24 મિનિટે 3.7 તીવ્રતાનો ભૂકંપનો આંચકો અનુભવાયો હતો. મહુવા નજીક કેન્દ્રબિંદુ ધરાવતા આ ભૂકંપથી લોકોમાં ભયનો માહોલ સર્જાયો, અનેક ઘરોની દિવાલોમાં તિરાડો પડી હતી.

આવું તો કેવું કુદરતનો કરિશ્મો કે વરસાદના સમયે જ ભૂકંપના આંચકા! અમરેલીમાં 9 કલાકમાં 10 વખત ધ્રુજી ધરા

અમરેલીમાં માત્ર 9 કલાકમાં 10 આંચકા અનુભવાતા ભયનો માહોલ. નિષ્ણાંતોએ ખુલાસો કર્યો છે કે જમીનમાં ઉતરતું વરસાદી પાણી કેવી રીતે ધ્રુજારી પેદા કરે છે.

Breaking News : દક્ષિણ ગુજરાતની ધરા ધ્રુજી! નવસારીના વાંસદા નજીક 3.4 તીવ્રતાનો ભૂકંપ, લોકોમાં ફફડાટ

દક્ષિણ ગુજરાતમાં અચાનક ભૂકંપના આચંકા અનુભવાયા છે. નવસારીના વાંસદા નજીક રિક્ટર સ્કેલ પર 3.4 તીવ્રતાનો ભૂકંપ અનુભવાયો, જેને કારણે સ્થાનિક લોકોમાં ભયનો માહોલ ફેલાયો. હાલ કોઈ જાનહાનિનો અહેવાલ મળ્યો નથી, પરંતુ લોકોએ સાવચેતી રાખી છે.

₹6 લાખનું અદ્યતન પેડેસ્ટ્રિયન સિગ્નલ અસામાજિક તત્વોએ તોડી પાડ્યું
₹6 લાખનું અદ્યતન પેડેસ્ટ્રિયન સિગ્નલ અસામાજિક તત્વોએ તોડી પાડ્યું
વડોદરામાં પોલીસ સ્ટેશન નજીક 3 મહિલાએ બ્યુટી પાર્લર સંચાલકને લૂંટી
વડોદરામાં પોલીસ સ્ટેશન નજીક 3 મહિલાએ બ્યુટી પાર્લર સંચાલકને લૂંટી
રાજકોટમાં ડિમોલેશન કે ખર્ચનો ખેલ? પાણી પાછળ 12.40 લાખનો ખર્ચ
રાજકોટમાં ડિમોલેશન કે ખર્ચનો ખેલ? પાણી પાછળ 12.40 લાખનો ખર્ચ
દાહોદમાં એકસાથે બે દીપડાના ધામા, સીંગાપુર ગામમાં ભયનો માહોલ
દાહોદમાં એકસાથે બે દીપડાના ધામા, સીંગાપુર ગામમાં ભયનો માહોલ
આજનું રાશિફળ: કામકાજમાં બદલાવથી થશે ફાયદો, મળશે ધનપ્રાપ્તિ
આજનું રાશિફળ: કામકાજમાં બદલાવથી થશે ફાયદો, મળશે ધનપ્રાપ્તિ
મહારાષ્ટ્રના જલગાંવમાં ભારે વરસાદ બાદ સર્જાઈ પૂરની સ્થિતિ- Video
મહારાષ્ટ્રના જલગાંવમાં ભારે વરસાદ બાદ સર્જાઈ પૂરની સ્થિતિ- Video
અમદાવાદઃ ભાજપના કાર્યક્રમમાં નવનિયુક્ત કાઉન્સિલરોની ગેરહાજરીથી નારાજગી
અમદાવાદઃ ભાજપના કાર્યક્રમમાં નવનિયુક્ત કાઉન્સિલરોની ગેરહાજરીથી નારાજગી
શાળા પ્રવેશોત્સવ વચ્ચે ડાંગની શાળાને વાલીઓએ કરી તાળાબંધી
શાળા પ્રવેશોત્સવ વચ્ચે ડાંગની શાળાને વાલીઓએ કરી તાળાબંધી
જામનગરમાં એકાતરા પાણી વિતણ કરવાનો મનપા નો નિર્ણય, વિપક્ષે ઉઠાવ્યા સવાલ
જામનગરમાં એકાતરા પાણી વિતણ કરવાનો મનપા નો નિર્ણય, વિપક્ષે ઉઠાવ્યા સવાલ
પાલનપુર STP પ્લાન્ટ વિવાદ, જમીન કિંમત મુદ્દે પ્રોજેક્ટ ખોરંભે
પાલનપુર STP પ્લાન્ટ વિવાદ, જમીન કિંમત મુદ્દે પ્રોજેક્ટ ખોરંભે
g clip-path="url(#clip0_868_265)">