
ભૂકંપ
વિશ્વભરમાં નાના મોટા ધરતીકંપ રોજ આવતા રહે છે. પૃથ્વીની અંદર હંમેશા ગતિવિધિ ચાલતી રહે છે. કેટલીકવાર ભૂકંપની તીવ્રતા એટલી ઓછી હોય છે કે તેને નોંધી પણ શકાતી નથી,તો કેટલીકવાર ભૂકંપના આંચકા એટલા શક્તિશાળી હોય છે કે તે હજારો માઈલ દૂર પણ અનુભવી શકાય છે. જે સ્થાને ધરતીકંપ ઉદભવે છે તેને ભૂકંપનું કેન્દ્ર અથવા કેન્દ્રબિંદુ કહેવામાં આવે છે. ભૂકંપના તરંગો એપી સેન્ટરમાંથી જ નીકળે છે. આનાથી ઘરતીમાં વાઇબ્રેશન થાય છે જેને લોકો અનુભવી શકે છે.
વૈજ્ઞાનિકો, ધરતીકંપની તીવ્રતાને સિસ્મિક તરંગોની શક્તિ અને અવધિના આધારે નક્કી કરે છે. તીવ્રતા આંકડો જેટલો વધારે તેટલો વધુ શક્તિશાળી ભૂકંપ ગણાય. 3 થી 4.9 ની તીવ્રતાવાળા ધરતીકંપોને પ્રમાણમાં નાના ગણવામાં આવે છે, જ્યારે 5 થી 6.9 ની તીવ્રતા મધ્યમથી તીવ્રતા તરીકે વર્ગીકૃત કરવામાં આવે છે. જ્યારે, 7 થી 7.9 મોટા અને 8 કે તેથી વધુ ધરતીકંપો અત્યંત શક્તિશાળી કહેવામાં આવે છે.
ભૂકંપને સાદી ભાષામાં સમજવો હોય તો એમ કહી શકાય કે, ધરતીના ભૂગર્ભમાં રહેલી પ્લેટ એકબીજા સાથે અથડાતા ભૂકંપ આવે છે. સમગ્ર પૃથ્વી 12 ટેક્ટોનિક પ્લેટો ઉપર સ્થિત છે. આ પ્લેટો ખૂબ જ ધીમી ગતિએ ફરતી રહેતી હોય છે અને દર વર્ષે 4 થી 5 મી.મી ખસતી રહે છે. પ્લેટ ફરતી વખતે, જો એક પ્લેટ બીજીથી ઘણી દૂર ખસે છે અથવા પ્લેટની નીચે સરકી જાય છે, તો તે એકબીજા સાથે અથડાય છે. અથડામણ દરમિયાન, ઊર્જા મુક્ત થાય છે, જેને ભૂકંપ કહેવામાં આવે છે.
મ્યાનમાર-થાઇલેન્ડમાં આવેલા ભૂકંપ પાછળનું કારણ આ ફોલ્ટ છે, જાણો કેવી રીતે સર્જાઈ વિનાશની સ્થિતિ
Myanmar-Thailand Earthquake : મ્યાનમારમાં આવેલા વિનાશક ભૂકંપે થાઇલેન્ડની રાજધાની બેંગકોક સુધી તબાહી મચાવી છે. 28 માર્ચે, મ્યાનમારમાં 7.7 અને 6.4 ની તીવ્રતાના બે ભૂકંપ આવ્યા હતા, જેનું કેન્દ્રબિંદુ શહેરથી માત્ર 16 કિલોમીટર ઉત્તર પશ્ચિમમાં સાગાઈંગ નજીક હતું. આવી સ્થિતિમાં, પ્રશ્ન એ છે કે મ્યાનમારમાં ભૂકંપનું કારણ શું છે? સરળ ભાષામાં કારણ સમજો.
- TV9 Gujarati
- Updated on: Mar 28, 2025
- 7:20 pm
પત્તાના મહેલની માફક અનેક ઈમારતો તુટી, મ્યાનમાર – થાઇલેન્ડમાં 7.7ની તીવ્રતાના ભૂકંપથી અનેક મર્યા, જુઓ ફોટા
થાઇલેન્ડમાં આવેલા શક્તિશાળી ભૂકંપથી બેંગકોકમાં ભારે વિનાશ થયો છે. ચતુચકમાં એક નિર્માણાધીન ઇમારત ધરાશાયી થઈ. ભૂકંપથી મ્યાનમારમાં પણ વ્યાપક નુકસાન થયું છે. હજારો લોકોના મોતની આશંકા છે. બેંગકોકમાં મેટ્રો અને બહુમાળી ઇમારતોને પણ અસર થઈ હતી.
- TV9 Gujarati
- Updated on: Mar 28, 2025
- 4:04 pm
Breaking News : મ્યાનમારમાં 7.9ની તીવ્રતાનો ભયાનક ભૂકંપ આવ્યો, જુઓ તબાહીનો વીડિયો
મ્યાનમાર અને થાઈલેન્ડની રાજધાની બેંગકોકમાં ભૂકંપના જોરદાર આંચકા અનુભવાયા છે. રિપોર્ટઅનુસાર રિક્ટર સ્કેલ પર તેની તીવ્રતા 7.9 હતી. ભૂકંપનું કેન્દ્ર મ્યાનમારમાં હોવાનું કહેવામાં આવી રહ્યું છે.
- Nirupa Duva
- Updated on: Mar 28, 2025
- 1:44 pm
Breaking News : અમરેલીની ધરા ધણહણી ઉઠી, ભૂકંપનું કેન્દ્ર બિંદુ અમરેલીથી 44 કિમી દૂર નોંધાયું
ગુજરાતમાં ફરી એકવાર ભૂકંપના આંચકા અનુભવાયા છે. અમરેલીમાં ફરી એક વાર ભૂકંપનો આંચકો આવ્યો છે. ભૂકંપનો આંચકો આવતાની સાથે જ લોકો ઘરમાંથી બહાર આવી ગયો હતો.
- Disha Thakar
- Updated on: Mar 13, 2025
- 11:16 am
Earthquake: ભૂકંપ શેષનાગ સાથે કેમ જોડાયેલો છે? ધાર્મિક મહત્વ જાણો
Earthquake: દિલ્હી-એનસીઆરમાં આવેલા ભૂકંપ બાદ આજે લોકો ગભરાઈ ગયા છે. દેશ અને દુનિયામાં ભૂકંપ આવવા પાછળ ઘણા વૈજ્ઞાનિક કારણો આપવામાં આવ્યા છે. પરંતુ શું તમે જાણો છો કે હિન્દુ ધર્મની કેટલીક માન્યતાઓ માને છે કે ભૂકંપ પાછળનું કારણ શેષનાગ સાથે સંબંધિત છે. તો ચાલો જાણીએ કે આ પાછળની ધાર્મિક માન્યતાઓ શું છે.
- Meera Kansagara
- Updated on: Feb 18, 2025
- 7:49 am
Breaking News : નવા વર્ષમાં બીજો મોટો ભૂકંપ, જાપાનમાં 6.7ની તીવ્રતાના ભૂકંપ બાદ સુનામીની ચેતવણી
જાપાનના ક્યુશુ ટાપુ પર 6.9 ની તીવ્રતાનો ભૂકંપ આવ્યો છે. ભૂકંપ બાદ જાપાને સુનામીની ચેતવણી આપી છે. આ ભૂકંપથી હજુ સુધી કોઈ નુકસાન કે જાનહાનિની માહિતી નથી. આ વર્ષે અત્યાર સુધીનો આ બીજો મોટો ભૂકંપ છે. આ પહેલા તિબેટમાં વિનાશક ભૂકંપ આવ્યો હતો.
- Dilip Chaudhary
- Updated on: Jan 13, 2025
- 7:25 pm
જાન્યુઆરીમાં આવતા ભૂકંપ શા માટે વધારે તબાહી મચાવે છે ? આ છે પુરાવો, જાણો ક્યાં અને કેટલા થયા મોત
Earthquake history: આજે મંગળવારે નેપાળ, ચીન અને ભારતમાં ભૂકંપના તીવ્ર આંચકા અનુભવાયા હતા. આ પહેલીવાર નથી કે જાન્યુઆરીમાં ભૂકંપની આવી અસર થઈ હોય. ભૂકંપને લગતા ભૂતકાળના ઈતિહાસ પર નજર કરીએ તો ખબર પડશે કે જાન્યુઆરીમાં આવેલા ભૂકંપે અનેક દેશોમાં તબાહી મચાવી છે. જાન્યુઆરીમાં આવેલા ભૂકંપમાં મૃત્યુઆંક પણ વધુ રહ્યો છે. જાણો, જાન્યુઆરીમાં આવેલા મોટા ભૂકંપથી કયા દેશોમાં કેટલા લોકોના મોત થયા અને તેનું શું કારણ છે ?
- TV9 Gujarati
- Updated on: Jan 7, 2025
- 4:29 pm
ભારત સહિત પાંચ દેશની ધરતી ધ્રુજી, તિબેટમાં તબાહી સર્જતો ભૂકંપ, જુઓ ફોટા
મંગળવારે સવારે ભારત સહિત 5 દેશમાં ભૂકંપના આંચકા અનુભવાયા હતા. સૌથી વધુ વિનાશ તિબેટમાં થયો હતો. અહીં સત્તાવાર રીતે 50 થી વધુ, જ્યારે બીનસત્તાવાર રીતે 80 લોકો મોત થયા છે. ભૂકંપને કારણે થયેલા પારાવાર નુકસાન બાદ તંત્રે બચાવ અને રાહત કામગીરી હાથ ધરી છે. જે જગ્યાએ ભૂકંપનું એપી સેન્ટર છે તે તિબેટનું સૌથી પવિત્ર શહેર ગણાય છે.
- TV9 Gujarati
- Updated on: Jan 7, 2025
- 2:40 pm
Big Breaking : અમદાવાદ સહિત રાજ્યના અનેક શહેરોમાં અનુભવાયા ભૂકંપના આંચકા, રિક્ટર સ્કેલ પર 4.2 ની તિવ્રતા, જુઓ Video
ગુજરાતના અનેક શહેરોમાં ભૂકંપના આંચકા અનુભવાય છે. દેવ દેવાળીએ જ રાજ્યના અનેક શહેરોમાં ભૂકંપના આંચકા અનુભવાતા લોકોમાં ચિંતા વધી છે. ઉત્તર ગુજરાત સહિત અમદાવાદના અનેક વિસ્તારોમાં આંચકો અનુભવાયો.
- Sagar Solanki
- Updated on: Nov 15, 2024
- 11:15 pm
સૌરાષ્ટ્રની ધરા ધ્રુજી, અમરેલી અને રાજકોટ જિલ્લામાં અનુભવાયા ભૂકંપના આંચકા, જુઓ Video
અમરેલી અને રાજકોટ જિલ્લાના મોટાભાગના વિસ્તારોમાં ભૂકંપના આંચકા અનુભવાયા છે. અમરેલીમાં 3.7ની તિવ્રતાનો ભૂકંપનો આંચકો આવતા લોકોમાં ગભરાટ ફેલાઈ ગયો હતો. અમરેલીથી 41 કિલોમીટર દૂર ભૂકંપનું કેન્દ્ર બિન્દુ નોંધાયું છે.
- TV9 Gujarati
- Updated on: Oct 27, 2024
- 7:21 pm
જમ્મુ કાશ્મીરથી લઈને પાકિસ્તાન-અફઘાનિસ્તાનમાં આવ્યો ભૂકંપ
જમ્મુ-કાશ્મીરથી લઈને પાકિસ્તાન-અફઘાનિસ્તાન સુધી ભૂકંપના તીવ્ર આંચકા અનુભવાયા છે. ભૂકંપની તીવ્રતા રિક્ટર સ્કેલ પર 5.4 માપવામાં આવી છે. જો કે સમાચાર લખાય છે ત્યાં સુધી કોઈ જાનહાનિ અંગે કોઈ માહિતી બહાર આવી નથી.
- TV9 Gujarati
- Updated on: Aug 29, 2024
- 2:19 pm
ગુજરાત માટે ગૌરવની ક્ષણ, વિશ્વના 7 સૌથી સુંદર મ્યુઝિયમ્સની યાદીમાં ભુજના સ્મૃતિવન ભૂકંપ મેમોરિયલનો સમાવેશ
UNESCO ખાતે પ્રતિ વર્ષ જાહેર કરવામાં આવતા આર્કિટેક્ચર અને ડિઝાઈન ક્ષેત્રના પ્રતિષ્ઠિત Prix Versailles એવોર્ડ અંતર્ગત ભુજના સ્મૃતિવન ભૂકંપ મેમોરિયલ મ્યુઝિયમને વિશ્વના 7 સૌથી સુંદર મ્યુઝિયમ્સની યાદીમાં સ્થાન આપવામાં આવ્યું છે.
- Sagar Solanki
- Updated on: Jun 14, 2024
- 9:19 pm
તાઇવાનમાં એક જ રાતમાં ભૂકંપના 80 ઝટકા અનુભવાયા, સૌથી મોટો 6.3ની તીવ્રતાનો આંચકો, લોકોમાં ડરનો માહોલ
થોડા દિવસ પહેલા આવેલા ભૂકંપના મોટા ઝટકાથી હજુ તો તાઇવાન ઊભર્યુ નહોતુ, ત્યાં ફરી એક જ રાતમાં તાઇવાનમાં 80 જેટલા ઝટકા અનુભવાયા છે. સોમવારે તાઈવાનની પૂર્વીય કાઉન્ટી હુઆલીનમાં 6.3ની તીવ્રતાનો ભૂકંપ આવ્યો હતો. સોમવારે દેશમાં આવેલો આ સૌથી શક્તિશાળી ભૂકંપ હતો.
- Tanvi Soni
- Updated on: Apr 23, 2024
- 9:01 am