AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

પાટીલના નામ લીધા વિના રાહુલ ગાંધી પર પ્રહાર, ગુજરાતની જનતા નબળુ નેતૃત્વ ક્યારેય નહીં સ્વીકારે- Video

કેન્દ્રીય જળશક્તિ મંત્રી અને પ્રદેશ ભાજપ પ્રમુખ સી.આર. પાટીલે સુરતમા બ્રિજના લોકાર્પણ કાર્યક્રમમાં હાજરી આપી હતી. આ તકે પાટીલે નામ લીદા વિના રાહુલ ગાંધીની ગુજરાત મુલાકાત પર પ્રહાર કર્યા અને બે દિવસની મુલાકાતથી કોઈ ગુજરાતમાં સફળ નહીં થાય તેમ જણાવ્યુ હતુ.

TV9 Gujarati
| Edited By: | Updated on: Apr 18, 2025 | 4:14 PM
Share

સુરતમાં બ્રિજના લોકાર્પણ કાર્યક્રમમાં સી.આર પાટીલે રાહુલ ગાંધી પર કર્યા આડકતરા પ્રહાર,,નામ લીધા વગર કોંગ્રેસ પર પ્રહાર કરતા સી.આર.પાટીલે કહ્યું કે ગુજરાત એક એવુ રાજ્ય છે જેના માટે દરેકને આકર્ષણ થાય. પરંતુ જે વ્યક્તિ જે ઈરાદા સાથે ગુજરાત આવી રહ્યો છે તે ચોક્કસપણે તેમા સફળ થવાનો નથી તે હું તમને ખાતરીથી કહી શકુ છુ. જેના નેતૃત્વ પર તેમની પાર્ટીના લોકોને જ વિશ્વાસ નથી. ત્યા ગુજરાત જેવા વિકસીત રાજ્યની અંદર બધી જ પરિસ્થિતિને પારખીને કામ કરનારા, સાહસિક વૃતિના લોકો ક્યારેય નબળુ નેતૃત્વ પસંદ કરતા નથી. ગુજરાતની પારખુ જનતા નબળું નેતૃત્વ ક્યારેય નહીં સ્વીકારે. વડાપ્રધાન મોદીના નેતૃત્વમાં ગુજરાત સફળ છે અને રહેશે. ગુજરાતના લોકો આવા લોકોને સત્તા નહીં સોંપે.

કેન્દ્રીય પ્રધાન અને ગુજરાત ભાજપ પ્રમુખ સી.આર.પાટીલના હસ્તે સુરતમાં બ્રિજનું લોકાર્પણ કરાયું. નેશનલ હાઈવે નંબર 53 પર બે બ્રિજનું લોકાર્પણ કરવામાં આવ્યું. સી આર પાટીલે બ્રિજના લોકાર્પણ વખતે કહ્યું કે કેન્દ્ર સરકારના પ્રયાસથી જ્યાં વધુ અકસ્માત થતા હોય તેવા ક્ષેત્રોની ઓળખ કરીને ત્યાં બ્રિજ બનાવવામાં આવ્યા છે. આ બ્રિજથી હવે વાહનચાલકોનો સમય બચશે અને મુસાફરી વધુ ઝડપી અને સુરક્ષીત બનશે. અકસ્માતના નિવારણના દ્રષ્ટ્રીકોણથી પણ આ બ્રિજ મહત્વના રહેશે.

Input Credit- Baldev Suthar- Surat

 ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

Follow Us
કોંગ્રેસની પ્રથમ યાદી જાહેર: 7 મહાનગરપાલિકા માટે 243 ઉમેદવારો મેદાને
કોંગ્રેસની પ્રથમ યાદી જાહેર: 7 મહાનગરપાલિકા માટે 243 ઉમેદવારો મેદાને
રસમલાઈ અને પોપટ છાપ ગોળના નમૂના ફેલ, ખાતા પહેલા સાવધાન!
રસમલાઈ અને પોપટ છાપ ગોળના નમૂના ફેલ, ખાતા પહેલા સાવધાન!
7 એપ્રિલે ગુજરાતમાં માવઠાની આગાહી: ઉત્તર ગુજરાત અને સૌરાષ્ટ્રમાં એલર્ટ
7 એપ્રિલે ગુજરાતમાં માવઠાની આગાહી: ઉત્તર ગુજરાત અને સૌરાષ્ટ્રમાં એલર્ટ
વડિયાના સુરવો ડેમનો દરવાજો ખોલાયો, ઉનાળે નદીઓ થઈ વહેતી
વડિયાના સુરવો ડેમનો દરવાજો ખોલાયો, ઉનાળે નદીઓ થઈ વહેતી
30 વર્ષના શાસન પછી પણ કોંગ્રેસીઓના ભરોસે કેમ ચાલે છે 'ભાજપ'?
30 વર્ષના શાસન પછી પણ કોંગ્રેસીઓના ભરોસે કેમ ચાલે છે 'ભાજપ'?
ઈન્કમટેક્સ વિભાગે ભોપાળું વાળ્યું! ફેરિયાને આપી અધધ 19.84 કરોડની નોટિસ
ઈન્કમટેક્સ વિભાગે ભોપાળું વાળ્યું! ફેરિયાને આપી અધધ 19.84 કરોડની નોટિસ
જુનાગઢમાં કડિયાવાડ વિસ્તારમાં ઈમારતનો ભાગ ધરાશાયી થતા મહિલના ગંભીર ઈજા
જુનાગઢમાં કડિયાવાડ વિસ્તારમાં ઈમારતનો ભાગ ધરાશાયી થતા મહિલના ગંભીર ઈજા
જુનાગઢમાં બિસમાર રસ્તાને કારણે દર્દીએ રસ્તા પર લેવી પડી સારવાર
જુનાગઢમાં બિસમાર રસ્તાને કારણે દર્દીએ રસ્તા પર લેવી પડી સારવાર
આજે તમારા માટે થોડો સમય કાઢો, તમારું સ્વાસ્થ્ય સંપૂર્ણ સ્વસ્થ રહેશે
આજે તમારા માટે થોડો સમય કાઢો, તમારું સ્વાસ્થ્ય સંપૂર્ણ સ્વસ્થ રહેશે
AMCનો આદેશ: હોટલોએ પનીર 'મિલ્ક' છે કે 'એનાલોગ' તે ફરજિયાત જણાવવું પડશે
AMCનો આદેશ: હોટલોએ પનીર 'મિલ્ક' છે કે 'એનાલોગ' તે ફરજિયાત જણાવવું પડશે
g clip-path="url(#clip0_868_265)">