શું આ વર્ષે પણ વડોદરાવાસીઓને ચોમાસામાં રહેવું પડશે બોટ અને તરાપાના સહારે?
વડોદરા મહાનગરપાલિકાએ ચોમાસા પહેલાં 200 તરાપા અને 8 બોટ ખરીદી છે. ગત વર્ષે શહેરમાં ત્રણ વખત પૂર આવ્યા હતા. મનપા દાવો કરે છે કે વિશ્વામિત્રી પ્રોજેક્ટ પૂર્ણ થતાં આ વર્ષે પૂરની સ્થિતિ નહીં આવે. તો તરાપા અને બોટની ખરીદી કેમ કરાઈ રહી છે તે મોટો સવાલ છે.
આવું એટલા માટે કહેવામાં આવી રહ્યું છે કેમ કે વડોદરા મનપાએ ચોમાસા પહેલાં શહેરના ચાર ઝોન માટે 50-50 તરાપાની ખરીદી કરી છે.એટલું જ નહીં વડોદરા મહાનગરપાલિકાએ તરાપા ઉપરાંત 8 નવી બોટ ખરીદવાનું પણ આયોજન કર્યું છે. મનપાના આ આયોજનને લઈ મનપાની ખરીદી સામે ગંભીર સવાલો થયા છે.
- શું મનપાને ₹1200 કરોડના વિશ્વામિત્રી પ્રોજેક્ટમાં નથી વિશ્વાસ ?
- શું આ વખતે પણ આવા તરાપાના ભરોસે રહેવું પડશે પ્રજાને ?
ઉલ્લેખનીય છે કે વડોદરાનો વિશ્વામિત્રી પ્રોજેક્ટ કરોડોના ખર્ચે ચાલી રહ્યો છે. તેમ છતાં તરાપા અને બોટની ખરીદી પાછળ કેમ ખર્ચો કરાઈ રહ્યો છે તે લોકોને પણ સમજાઈ નથી રહ્યું. ગત ચોમાસામાં શહેરમાં ત્રણ વખત પૂરની ભયાનક સ્થિતિ સર્જાઈ હતી. જો કે આ અંગે મનપાનો દાવો છે કે વડોદરા શહેરને પૂરથી બચાવવા.. તેણે કમર કસી છે.ચોમાસા પહેલાં જ વિશ્વામિત્રી પ્રોજેક્ટનું કામ પૂર્ણ કરી દેવાનો દાવો કરાઈ રહ્યો છે કે જેથી ગત ચોમાસાની જેમ પ્રજાને આ ચોમાસામાં હાલાકી સહન કરવાનો વારો ન આવે.