AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

અરવિંદ કેજરીવાલની પુત્રી હર્ષિતાના લગ્ન કોની સાથે અને ક્યાં થયા ?

અરવિંદ કેજરીવાલની પુત્રી હર્ષિતા કેજરીવાલે, તેના બેચમેટ સાથે લગ્ન કર્યા છે. ગુરુવારે દિલ્હીની શાંગરી-લા હોટેલમાં એક ખાનગી સમારોહમાં સગાઈ થઈ હતી. જેમાં પરિવાર અને પસંદગીના મહેમાનો હાજર રહ્યા.

અરવિંદ કેજરીવાલની પુત્રી હર્ષિતાના લગ્ન કોની સાથે અને ક્યાં થયા ?
TV9 Gujarati
| Edited By: | Updated on: Apr 18, 2025 | 9:52 PM
Share

આમ આદમી પાર્ટી (AAP)ના સુપ્રીમો અને દિલ્હીના પૂર્વ મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલની પુત્રી હર્ષિતા કેજરીવાલે IIT બેચમેટ સંભવ જૈન સાથે લગ્ન કર્યા છે. આ દંપતીના લગ્ન દિલ્હીના કપૂરથલા હાઉસમાં થયા હતા, જ્યાં બંનેના પરિવાર, કેટલાક સંબંધીઓ સિવાય, ફક્ત થોડા પસંદગીના લોકો જ ઉપસ્થિત રહ્યા હતા.

આ પહેલા યોજાયેલા સગાઈ સમારોહમાં કેજરીવાલ અને તેમની પત્ની સુનિતા ઉપરાંત પંજાબના મુખ્યમંત્રી ભગવંત માન સહિત ઘણા મંત્રીઓ અને નેતાઓએ હાજરી આપી હતી. સગાઈ પછી, આજે હર્ષિતા અને સંભવ જૈનના લગ્ન થયા. બંનેના લગ્ન કપૂરથલા હાઉસમાં થયા. લગ્નમાં ખૂબ જ મર્યાદિત લોકોને આમંત્રણ આપવામાં આવ્યું હતું.

સંભવ જૈન શું કરે છે?

સંભવ જૈન એક ખાનગી કંપનીમાં પ્રોજેક્ટ મેનેજમેન્ટ કન્સલ્ટન્ટ તરીકે સેવા આપી રહ્યા છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, સંભવ જૈન અને હર્ષિતાએ થોડા મહિના પહેલા એક સ્ટાર્ટઅપ શરૂ કર્યું હતું. બંને એકબીજાને પહેલાથી જ ઓળખે છે અને હવે તેઓએ લગ્ન કર્યાં છે. શાંગરી-લા હોટેલમાં આયોજિત સગાઈ સમારોહમાં બંને પરિવારના નજીકના લોકો જ હાજર રહ્યા હતા.

સગાઈ સમારોહમાં કોઈ સેલિબ્રિટીને આમંત્રણ આપવામાં આવ્યું ન હતું, AAPના વરિષ્ઠ નેતા અને દિલ્હીના ભૂતપૂર્વ મુખ્યમંત્રી આતિશી પણ સમારોહમાં હાજર નહોતા. આ સમારોહમાં દિલ્હીના ભૂતપૂર્વ નાયબ મુખ્યમંત્રી મનીષ સિસોદિયા અને તેમના પત્ની પણ હાજર રહ્યા હતા.

20 એપ્રિલે રિસેપ્શન

સૂત્રોના જણાવ્યા અનુસાર, હર્ષિતા કેજરીવાલ અને સંભવ જૈનના રિસેપ્શનનો કાર્યક્રમ, રવિવારને 20 એપ્રિલના રોજ યોજાશે. જોકે, નવ દંપતીના સ્વાગત સમારોહ (રિસેપ્શન કાર્યક્રમ) ક્યાં યોજાશે તેની માહિતી હજુ સુધી જાહેર કરવામાં આવી નથી. 29 વર્ષીય હર્ષિતા, અરવિંદ કેજરીવાલની મોટી પુત્રી છે અને IIT દિલ્હીની ભૂતપૂર્વ વિદ્યાર્થી છે. હર્ષિતાના ભાઈ પુલકિતે પણ JEE માં સફળતા મેળવી છે. અરવિંદ કેજરીવાલ પોતે પણ IIT ખડગપુરના વિદ્યાર્થી રહી ચૂક્યા છે.

કેમિકલ એન્જિનિયરિંગનો સ્નાતક

દિલ્હીના ભૂતપૂર્વ મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલની પુત્રી હર્ષિતા કેજરીવાલે નોઈડાની દિલ્હી પબ્લિક સ્કૂલમાંથી શાળાકીય શિક્ષણ મેળવ્યું હતું અને 2014માં IIT-JEE એડવાન્સ્ડ પરીક્ષામાં 3,322મો ક્રમ મેળવ્યો હતો. ત્યારબાદ હર્ષિતાએ IIT દિલ્હીમાંથી કેમિકલ એન્જિનિયરિંગમાં ગ્રેજ્યુએશન કર્યું, જ્યાં તેણી તેના વિભાગમાં ત્રીજા સ્થાને રહી. અભ્યાસ દરમિયાન તેમને ઘણી પ્રતિષ્ઠિત કંપનીઓ તરફથી નોકરીની ઓફર મળી હતી.

આમ આદમી પાર્ટીના મુખ્ય સંયોજન અને દિલ્હીના પૂર્વ મુખ્ય પ્રધાન અરવિંદ કેજરીવાલને લગતા સમાચાર જાણવા માટે તમે અમારા ટોપિક પર ક્લિક કરો. 

તમે વ્યવસાયમાં સારો એવો નફો કમાઈ શકો છો, આજે તમે ધ્યાનનું કેન્દ્ર બનશો
તમે વ્યવસાયમાં સારો એવો નફો કમાઈ શકો છો, આજે તમે ધ્યાનનું કેન્દ્ર બનશો
ભ્રષ્ટાચારનો ભંડાફોડ! CID ક્રાઇમના અધિકારીઓ ACBના ફંદામાં - જુઓ Video
ભ્રષ્ટાચારનો ભંડાફોડ! CID ક્રાઇમના અધિકારીઓ ACBના ફંદામાં - જુઓ Video
સુરત કોંગ્રેસમાં ભડકો, નવા વરાયેલા હોદ્દેદારોએ ધરી દીધા રાજીનામા
સુરત કોંગ્રેસમાં ભડકો, નવા વરાયેલા હોદ્દેદારોએ ધરી દીધા રાજીનામા
ગામમાં પિધેલો ઝડપાશે તેની સામે પોલીસ કાર્યવાહી અને પંચાયતની સુવિધા બંધ
ગામમાં પિધેલો ઝડપાશે તેની સામે પોલીસ કાર્યવાહી અને પંચાયતની સુવિધા બંધ
આ રાશિના જાતકો ઐતિહાસિક યાત્રાની યોજના બનાવી શકે છે, જુઓ Video
આ રાશિના જાતકો ઐતિહાસિક યાત્રાની યોજના બનાવી શકે છે, જુઓ Video
ગુજરાતના CM-DyCM સંગઠન અને સામાજિક સમીક્ષા મુદ્દે PM મોદીને મળ્યા
ગુજરાતના CM-DyCM સંગઠન અને સામાજિક સમીક્ષા મુદ્દે PM મોદીને મળ્યા
થોળ પક્ષી અભયારણ્યમાં છેલ્લા 20 વર્ષમાં યાયાવર પક્ષીની સંખ્યામાં વધારો
થોળ પક્ષી અભયારણ્યમાં છેલ્લા 20 વર્ષમાં યાયાવર પક્ષીની સંખ્યામાં વધારો
હવામાન વિભાગની આગાહી, ગુજરાતમાં જળવાઈ રહેશે ઠંડીનું પ્રમાણ
હવામાન વિભાગની આગાહી, ગુજરાતમાં જળવાઈ રહેશે ઠંડીનું પ્રમાણ
આ રાશિના જાતકોનો દિવસ ખૂબ જ ફાયદાકારક સાબિત થશે, જુઓ Video
આ રાશિના જાતકોનો દિવસ ખૂબ જ ફાયદાકારક સાબિત થશે, જુઓ Video
AMC દ્વારા 35 શાળાઓને સીલ કરવાનો મામલો, પ્રિ-સ્કૂલ એસોસિએશન નારાજ
AMC દ્વારા 35 શાળાઓને સીલ કરવાનો મામલો, પ્રિ-સ્કૂલ એસોસિએશન નારાજ
g clip-path="url(#clip0_868_265)">